CIA ALERT

WE Archives - Page 11 of 63 - CIA Live

March 28, 2022
cia_edu-1280x925.jpg
1min797

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.

આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.

લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.

ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.

પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો

એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.

વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર

આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.

પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.

March 19, 2022
cia_edu-1280x925.jpg
2min620

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની પ્રવેશ પરીક્ષાની તારીખોની ઘોષણા અને રજિસ્ટ્રેશ શરૂ થઇ ગયા છે.

આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે નાટા આ વર્ષથી ત્રણ ફેઝમાં લેવાશે

ધો.12 પીસીએમ પછી પાંચ વર્ષના બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (નાટા) પ્રવેશ પરીક્ષા આ વર્ષે ત્રણ ટ્રાયલમાં લેવાની ઘોષણા કરવામાં આવી છે.

  • નાટા ફેઝ વન- 12-06-2022
  • નાટા ફેઝ ટુ – 03-07-2022
  • નાટા ફેઝ થ્રી – 24-07-2022

ટૂંક સમયમાં નાટા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે

નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આગામી તા.22મી માર્ચ બાદ ગમે ત્યારે શરૂ થઇ જશે. નાટા અગર તો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરની વેબસાઇટ સતત જોતા રહેવું.

બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી- પીલાની, ગોવા, હૈદરાબાદ અને દુબઇ કેમ્પસમાં પ્રવેશ માટેની પરીક્ષા બીટસેટ

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપ બાદ દેશમાં આઇ.આઇ.ટી. જેટલી જ ગુણવત્તાસભર એન્જિનિયરિંગ કોલેજ બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (બીટ) પીલાની રાજસ્થાન, ગોવા અને હૈદરાબાદ કેમ્પસ ઉપરાંત દુબઇ કેમ્પસમાં ચાલતા ઇજનેરીના જુદા જુદા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીટસેટ નામની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે આ પરીક્ષા બે વખત લેવાનું આયોજન છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે બીટસેટ માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.

  • બીટસેટ ફેઝ વન – 20થી 26 જૂન, 2022
  • બીટસેટ ફેઝ ટુ – 22થી 26 જુલાઇ, 2022
March 16, 2022
kids.jpg
1min451

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય. 

March 16, 2022
basic.jpg
1min626

28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.

ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.

જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.

સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે. 

A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.​​​​​​​
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.

March 15, 2022
hijab.jpg
1min500

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 14, 2022
kids.jpg
1min540

કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.

તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.

March 8, 2022
nari.jpg
5min763

આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહિલાઓનાં સશક્તિકરણ માટે અસાધારણ કાર્ય કરનાર ૨૯ મહિલાઓ અને સંસ્થાઓને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટેનો ‘નારી શક્તિ’ પુરસ્કાર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઍવૉર્ડ વિજેતા મહિલાઓ સાથે વાતચીત કરશે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ પ્રત્યેકના ૧૪ ઍવૉર્ડ કુલ ૨૯ મહિલાને આપવામાં આવશે. 

ખાસ કરીને સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની મહિલાઓનાં સશક્તિકરણ માટે તેમણે કરેલાં કાર્યો બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવનાર મહિલાઓને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

સમાજમાં સમાનતા લાવવા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર આપવામાં આવશે. 

Nari Shakti Puruskar 2020

Sl. NoNameState/ UTDomain
 Anita GuptaBiharSocial Entrepreneur
 Ushaben Dineshbhai VasavaGujaratOrganic farmer & Tribal Activist
 Nasira AkhterJammu & KashmirInnovator – Environmental Conservation
 Sandhya DharJammu & KashmirSocial Worker
 Nivruti RaiKarnatakaCountry Head, Intel India
 Tiffany BrarKeralaSocial Worker – Working for Blind people
 Padma YangchanLadakhRevived the lost cuisine & clothing in Leh region
 Jodhaiya Bai BaigaMadhya PradeshTribal Baiga Art Painter
 Saylee Nandkishor AgavaneMaharashtraDown syndrome affected Kathak Dancer
 Vanita Jagdeo BoradeMaharashtraFirst Women Snake Rescuer
 Meera ThakurPunjabSikki Grass Artist
 Jaya Muthu, Tejamma  (Jointly)Tamil NaduArtisans – Toda embroidery
 Ela Lodh (Posthumous)TripuraObstetrician & Gynecologist
 Arti RanaUttar PradeshHandloom Weaver & Teacher
 Nari Shakti Puruskar 2021 
 Sathupati Prasanna SreeAndhra PradeshLinguist – preserving minority tribal languages
 Tage Rita TakheArunachal PradeshEntrepreneur
 Madhulika RamtekeChhattisgarhSocial Worker
 Niranjanaben Mukulbhai KalarthiGujaratAuthor & Educationist
 Pooja SharmaHaryanaFarmer & Entrepreneur
 Anshul MalhotraHimachal PradeshWeaver
 Shobha GastiKarnatakaSocial Activist – Working for ending Devadasi system
 Radhika MenonKeralaCaptain Merchant Navy – First woman to receive award for Exceptional Bravery at Sea from IMO
 Kamal KumbharMaharashtraSocial Entrepreneur
 Sruti MohapatraOdishaDisability Rights Activist
 Batool BegamRajasthanMaand & Bhajan Folk Singer
 Thara RangaswamyTamil NaduPsychiatrist & Researcher
 Neerja MadhavUttar PradeshHindi Author – working for rights for transgenders and Tibetan refugees
 Neena GuptaWest BengalMathematician
March 7, 2022
cia_edu-1280x925.jpg
1min583

ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500

February 26, 2022
cia_edu-1280x925.jpg
4min535

નેશનલ ટેસ્ટીંગ એજન્સીના આવ્યા પછી જાહેર પ્રવેશ પરીક્ષાઓની તારીખોમાં ઢંગધડા વગરનું સંકલન, જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષામાં જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા જ બેસી શકવાના છે તેની તારીખ જાહેર કરી દેવાઇ પણ હજુ મેઇન્સ ક્યારે લેવાશે, કેવી રીતે લેવાશે કેટલી ટ્રાયલ મળશે એ અંગે કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ પર પ્રવેશ પરીક્ષાઓની તારીખોના નામે એક પ્રકારનો જુલમ જ કરવામાં આવી રહ્યો છે. ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને વાલીઓની વાત કરીએ તો તેઓ જેઇઇ મેઇન્સ, ઇજનેરીની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાની તારીખની કાગડોળે રાહ જોઇને બેઠા છે તે ક્યારે જાહેર કરાશે તેવી પણ કોઇ સ્પષ્ટતા નથી કરાતી, જ્યારે બીજી તરફ જેઇઇ એડવાન્સ્ડ કે જે જેઇઇ મેઇન્સ પછી લેવાય છે તેની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓને ઉલ્ટાની મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે.

આ વખતે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાનું સંચાલન આઇ.આઇ.ટી. બોમ્બે દ્વારા કરવામાં આવશે. તા.3 જુલાઇના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તા.8થી 14 જૂન દરમિયાન કરી શકાશે.

Schedule of JEE (Advanced) 2022
The examination consists of two papers (Paper 1 and Paper 2) of three hours duration each. Appearing in both the papers is compulsory. The examination schedule is as follows.

Date of ExaminationJuly 03, 2022 (Sunday)
Paper 109:00 IST to 12:00 IST
Paper 214:30 IST to 17:30 IST

JEE (Advanced) 2022: Full Schedule

S. No.EventDate & Time
1Registration for JEE (Advanced) 2022Wednesday, June 08, 2022 (10:00 IST)
to Tuesday, June 14, 2022 (17:00 IST)
2Last date for fee payment of registered
candidates
Wednesday, June 15, 2022 (17:00 IST)
3Admit Card available for downloadingMonday, June 27, 2022 (10:00 IST) to
Sunday, July 03, 2022 (14:30 IST)
4Choosing of scribe for PwD candidatesSaturday, July 02, 2022
5JEE (Advanced) 2022Sunday, July 03, 2022
Paper 1: 09:00-12:00 IST
Paper 2: 14:30-17:30 IST
6Copy of candidate responses to be
available on the JEE (Advanced)
2022 website
Thursday, July 07, 2022 (10:00 IST)
7Online display of provisional
answer keys
Saturday, July 09, 2022 (10:00 IST)
8Feedback and comments on provisional
answer keys from the candidates
Saturday, July 09, 2022 (10:00 IST) to
Sunday, July 10, 2022 (17:00 IST)
9Online declaration of final answer keysMonday, July 18, 2022 (10:00 IST)
10Result of JEE (Advanced) 2022Monday, July 18, 2022 (10:00 IST)
11Online registration for Architecture
Aptitude Test (AAT) 2022
Monday, July 18, 2022 (10:00 IST) to
Tuesday, July 19, 2022 (17:00 IST)
12Tentative Start of Joint Seat Allocation
(JoSAA) 2022 Process
Tuesday, July 19, 2022
13Architecture Aptitude Test (AAT) 2022Thursday, July 21, 2022
(09:00-12:00 IST)
14Declaration of results of AAT 2022Sunday, July 24, 2022 (17:00 IST)

જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા ટોપ 2.40 લાખ વિદ્યાર્થીઓ જ એડવાન્સ્ડની પરીક્ષા આપી શકે છે

જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોરથી આઇ.આઇ.ટી.માં પ્રવેશ મળે છે.

જેઇઇ મેઇન્સ પરીક્ષા સ્કોરથી એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી.માં પ્રવેશ મળે છે

February 26, 2022
suman_cs.jpg
1min683

40 વર્ષીય ગૃહિણી અને બે બાળકોના માતાએ આ વાતને ખોટી સાબિત કરી છે. તેમણે CS (Company Secretaries)ની પરીક્ષા પાસ તો કરી ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) પણ મેળવ્યો. ઘરના કામકાજ અને અભ્યાસના સમય વચ્ચે સંતુલન જાળવીને આ ગૃહિણીએ પ્રોફેશનલ પ્રોગ્રામ (જૂનો અભ્યાસક્રમ)માં AIR 4 મેળવ્યો છે. પરિણામ શુક્રવારે જાહેર થયું છે. દેશના ટોપ 10ની યાદીમાં દક્ષિણ ગુજરાતના કુલ ત્રણ વિદ્યાર્થીઓ છે. દક્ષિણ ગુજરાતના બે અન્ય વિદ્યાર્થીઓમાંથી એકે પ્રોફેશનલ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 3 અને બીજા વિદ્યાર્થીએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 9 મેળવ્યો છે.

900માંથી 453 માર્ક્સ મેળવનારાં સુમન સૌરભે જણાવ્યું કે તેઓ આ સિદ્ધિથી ખૂબ ખુશ છે. “શરૂઆતમાં હું CS મિતેશ દેસાઈ પાસે શીખવા જતી હતી પરંતુ ઘરની જવાબદારીઓ અને મહામારીના કારણે મેં ઓનલાઈન ક્લાસ ભરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોને શંકા હતી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે કેમ? શંકા દાખવવાનું તેમનું પાસે કારણ પણ હતું કારણકે હું 2016થી પરીક્ષા આપી રહી હતી પરંતુ સફળ નહોતી થઈ. જોકે, આ વખતે મેં દ્રઢ નિર્ણય કર્યો કે હું પરીક્ષા પાસ કરીશ અને એક જ વારમાં કાયમ માટે ટીકાખોરોનું મોં બંધ કરી દઈશ. મેં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પરિવારે પણ મને બનતી બધી જ મદદ કરી હતી”, તેમ વલસાડમાં રહેતાં અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા સુમન સૌરભે ઉમેર્યું.

જીએસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પતિ, બેંગાલુરુમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરતો દીકરો અને ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીએ પણ આખી જર્નીમાં સુમનબેનનો સપોર્ટ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સીએસના વિદ્યાર્થીઓની આગામી પેઢીને મારી સલાહ છે કે એકવાર અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી રિવિઝન કરવું ખૂબ જરૂરી છે અને તે પસંદગીના મુદ્દાઓનું થવું જોઈએ.”