CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 7 of 12 - CIA Live

February 2, 2020
education_budget.jpg
1min4780

નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર

શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ

બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.

નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે 

નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.

ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને  પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.

  • સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
  • તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
  • કૌશલ વિકાસ માટે 3,000 કરોડ રૂપિયાની જોગવાઇ
January 25, 2020
yuvika-1280x979.png
7min16060

ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.

ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા

Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.   

The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.

The programme will be of two weeks duration during summer holidays (May 11-22,  2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.

3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.

The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.

S.NoDescriptionWeightage
1Performance in the 8th Std Examination60%
2Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level  (The higher level will be considered for weightage)2/4/6/10%
3Winners of  District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)2/4/6/10%
4Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)5%
5Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)15%
Total100%

Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.

રજિસ્ટ્રેશન ડિટેલ્સ

The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.

It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.

For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min8800

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 20, 2020
parixapecharcha.jpg
1min4960

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

December 29, 2019
IMG-20191229-WA0002.jpg
1min7020

ટેકસ્ટાઇલ ઉદ્યોગનું કલંક : કૂમળા હાથે કાળી મજૂરી કરાવવાનું કૌભાંડ સૂરતના પૂણાથી પકડાયું

સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.

રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર

Symbolic Photo

સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.

સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.

સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.

December 13, 2019
missing_child.jpg
1min8070

આપણું સૂરત બાળકો ગૂમ થઇ જવા બાબતે બીજા રાજ્યોમાં બદનામ થઇ રહ્યું છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છાશવારે ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ પેરામિટર્સ, ઓટોમોબાઇલ સેલિંગ વગેરે આર્થિક પરિબળોમાં સિદ્ધીઓ હાંસલ કરવાની વાતોનું ગૌરવ લઇ રહેલા સૂરતીઓ કદાચ એ વાત જાણતા નહીં હોય કે ગુજરાત અને ભારતમાં સૂરત એક સંવેદનશીલ મુદ્દા માટે બદનામ થઇ રહ્યું છે અને એ મુદ્દો છે બાળકો ગૂમ થઇ જવાનો. સૂરતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3002 બાળકો ગૂમ થઇ ચૂક્યા છે અને આટલી મોટી સંખ્યામાં ગૂમ થયેલા બાળકોમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે સૂરત આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે. આ જ કારણે સૂરત ભારતના અન્ય રાજ્યોમાં બાળકો ગૂમ થઇ જવા અંગે વગોવાય રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને ખુદ રાજ્ય સરકારે સ્વીકારવું પડ્યું છે અને આ અંગેની સત્તાવાર માહિતી હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આધિકારીક રીતે આપવી પડી છે.

આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો પાંચ વર્ષમાં ગૂમ થઇ ગયા છે સૂરતમાંથી

સરકારના સત્તાવાર આંકડા મુજબ સૂરત શહેરમાંથી દર મહિને 10 વર્ષની વય સુધીના 50 બાળકો ગૂમ થઇ રહ્યા છે. યુનેસ્કો જેવી સંસ્થાના માપદંડો અનુસાર મહિને 50ની સરેરાશથી બાળકો ગૂમ થવા એ અત્યંત તપાસ માગી લે તેવી સમસ્યા કહેવાય. પણ સૂરત શહેરમાં જાણે કશું બન્યું ન હોય તેવો માહોલ છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતભરમાંથી કુલ ૧૬૬૨૦ બાળકો ગૂમ થયા હોવાનું આખરે વિધાનસભાના સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નને પગલે બહાર આવ્યું છે. આ સત્તાવાર માહિતી ગઇ તા.૩૦મી જૂન ૨૦૧૯ સુધીની છે. સૌથી વધુ બાળકો સૂરત શહેરમાંથી ગૂમ થયા છે. ગુજરાતના બિઝનેસ સિટી અને દેશના ટેક્સટાઇલ સિટી ગણાતા સૂરત શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 3002 બાળકો ખોવાય ગયાના સત્તાવાર આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. આશ્ચર્ય તો એ થઇ રહ્યું છે કે ત્રણ-ત્રણ હજાર બાળકો ગૂમ થવા છતાં સૂરતના લોકોમાં કોઇ જ પ્રતિકાત્મક સ્થિતિ સર્જાઇ નથી. સંવેદનશીલ સમાજ હોય તો આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હોત.

મોટા ભાગના ગૂમ થયેલા બાળકો બીજા રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે

મોટી અને અસામાન્ય બાબતમાં ગૂમ થયેલા બાળકોનું શું થયું એ બાબતે પણ રિપોર્ટ કરવાની દરકાર કોઇએ લીધી નથી. આ મુદ્દામાં એટલા વ્યાપક સવાલો અનુત્તર રહે છે કે ન પૂછો વાત, ગૂમ થયેલા બાળકોના માતાપિતા, વાલીઓ, પરિવારજનો પર શું વિત્યું હશે અને શું વીતી રહ્યું હશે, ગૂમ થયેલા બાળકો ક્યાં હશે, હયાત હશે કે કેમ આવા અનેક પ્રશ્નો ભલભલા કઠોર હ્રદયને પણ હચમચાવી મૂકે એવા છે પણ બિઝનેસ સિટી બનેલા સૂરતમાં હવે સંવેદનશીલતા ક્ષીણ થતી હોવાનું જણાય રહ્યું છે.

અમદાવાદમાંથી 2143 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા

તાજેતરમાં મળેલી વિધાનસભા સત્રની ત્રણ દિવસની બેઠકમાં રજૂ કરાયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ કોળી પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે બાળકો ગૂમ થયા હોવાની વિગતો પૂરી પાડી હતી. જેમાં સુરતમાંથી ૩૦૦૨ બાળકો અને અમદાવાદમાંથી ૨૧૪૩, રાજકોટમાંથી ૪૯૮, જામનગરમાંથી ૩૦૩, ભાવનગરમાંથી ૪૫૫, પોરબંદરમાંથી ૧૧૮ અને કચ્છમાંથી ૨૪૮ બાળકો ગુમ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

November 15, 2019
CIA_live_waterbreak_logo-1280x1280.jpg
1min5280

શાળાઓમાં ‘વૉટર બ્રેક’ વિદ્યાર્થીઓને નિયમિત અંતરાલે પાણી પીવાનું યાદ અપાવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજ્ઞાન, શાસ્ત્રો અને તબીબો નિયમિત રીતે એવું કહી રહ્યા છે કે માનવીએ દિવસમાં શક્ય હોય તેટલું વધુ પાણી પીવું જોઇએ, કમનસીબે બહુ જૂજ લોકો નિયમિત અંતરાળે પાણી પી ને સ્વાસ્થય સારુ રાખે છે, બિમારીઓને દૂર રાખી શકે છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ સમેત કહેવાતી વ્યસ્તતા ને કારણે શરીરને પાણીથી કલાકો વંચિત રાખે છે અને તેને કારણે જાત જાતની બીમારીઓ નોંતરે છે. CIA Live આવું ન થાય તે હેતુથી કેરળની શાળાઓમાં બાલ દિન પૂર્વે પ્રાયોગિક ધોરણે ‘વૉટર બ્રેક’ શરૂ કરાયો હતો. દરેક પીરિયડમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટેનો સમય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવવાનું યાદ અપાવવા માટે ખાસ બેલ વગાડવામાં આવે છે.

કેરળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીએ એ માટે ખાસ વોટર બ્રેક અભિયાન શરૂ થયું છે. સમગ્ર દેશમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટર બ્રેક માટે અનુકુળ માહોલ સર્જાયો છે. હવે આ વોટર બ્રેક અભિયાન સમગ્ર દેશમાં શરૂ થાય એ દિવસો દૂર નથી. CIA Live

આ યોજનાને હાલમાં શરૂ કરાયેલા અસોસિયેશન ઓફ પ્રાયમરી એજ્યુકેશન (એપીઇઆર) અને સંશોધને Water Break નામની ઝુંબેશ હેઠળ દેશભરની તમામ શાળાઓમાં લાગુ કરવાને અપીલ કરવામાં આવી છે. CIA Live

મુંબઇ સહિત પુણે, હૈદરાબાદ, બૅંગ્લોર અને ચેન્નઇના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં, તેમાં 6થી 10 વર્ષની વયના ૬૮ ટકા વિદ્યાર્થીઓ પાણી ભરેલી બૉટલ ઘરે પાછી લાવતા હોય છે. તેથી શાળાઓના વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવવા માટે ખાસ ઘંટ વગાડવામાં આવે તેવી અપીલ અસોસિયેશન કરી રહ્યું છે.

અનેક ક્ષેત્રોમાં પહેલ કરતા સૂરત શહેરની શાળાઓએ વોટર બ્રેકનો કન્સેપ્ટ અપનાવવામાં વિલંબ ન કરવો જોઇએ

સૂરત શહેરની વાત કરીએ તો સૂરત શહેરમાં 1200થી વધુ શાળાઓ, 150થી વધુ કોલેજો, ટ્યુશન-કોચિંગ ક્લાસીસો વગેરે કાર્યરત છે. સૂરત ગુજરાતનું મોટામાં મોટું એજ્યુકેશનલ હબ બની ચૂક્યું છે. સૂરત શહેરનું નામ પહેલ કરવામાં અગ્રેસર છે. સ્વચ્છતા અભિયાન હોય, ગ્રીનરી વિકસાવવાની હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટસ હોય કે પછી ટેક્સ ભરવાનો હોય, સૂરત શહેરના લોકોએ પહેલ કરી છે અને પછી ગુજરાત રાજ્ય અને દેશભરમાં એ પહેલને અનુયાયીઓ મળ્યા છે. સી.આઇ.એ. લાઇવ CIA Live અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) સૂરત શહેરની શાળાઓ, સંચાલકો, આચાર્યો, શિક્ષકો વગેરેને અપીલ કરે છે કે સૂરતના વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતમાં વોટર બ્રેકનો અમલ સત્વરે શરૂ કરવો જોઇએ.

સૂરતના બાળકોના શરીરમાં શાળાકીય સમયના 5થી 6 કલાકમાં એકથી દોઢ લીટર પાણી જશે તો બાળકો અનેક બિમારીઓથી દૂર રહેશે અને તેઓ ફીટ રહેવા માંડશે. CIA Live


October 18, 2019
gir1.jpg
1min6480

૬ ઑક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહદર્શનથી વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે જ ૧૫૦ પરમિટો મારફત ૯૦૦ પ્રવાસીઓ સેન્ક્ચ્યુઅરીમાં સિંહ સહિતની હરિયાળી નિહાળી અભિભૂત થયા હતા. વધુ લોકો સિંહદર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટની અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું.

પ્રથમ દિવસે સિંહદર્શન શરૂ થતા ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમિટ કઢાવવી પડે છે. ચાલુ વર્ષથી વન વિભાગે રિપોર્ટિંગ માટે ખાસ કોડનો ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટ એક સાથે થઇ જાય તેવી પદ્ધતિ વિકસાવતાં બુકિંગનું કાર્ય હવે બે કલાકને બદલે ૨૦ મિનિટમાં થઇ જાય છે.

ઓનલાઇન બૂકિંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તે સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનું અને બહાર આવવાનું સમયપત્રક મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે ૧૭૮ ગાઇડને ૫ાંચ દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.

October 10, 2019
leo4-1280x853.jpg
2min10550

Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું

આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.

તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા

આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.

સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર

સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.

સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.

કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.

ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.

કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

August 29, 2019
shagun.jpg
1min10870

શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે.