CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 10 of 12 - CIA Live

February 28, 2019
khelo_india.jpg
1min6710

તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.

ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.

ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.

February 9, 2019
mov3-1280x856.jpg
1min11060

મોદીથી ઇન્સ્પાયર વાર્તા પર આધારીત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ

પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા તથા નિર્દેશક અનિલ નારાયણીની મોટીવેશનલ ફિલ્મ 1લી માર્ચે થશે

રિલીઝ ફિલ્મ થકી થનારી આવકમાંથી વનબંધુ પરિષદ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને કરાશે મદદ સુરત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની મોટીવેશનલ વાર્તા થી ઈન્સ્પાયર થઈને હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ મુંબઈના અંધેરી ખાતે ધ વ્યૂમાં ગત દિવસોમાં આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ કાવ્ય મુવી પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે,જ્યારે લેખક-નિર્દેશક અનિલ નારાયણી છે. આ ગુજરાતી ફિલ્મમાં કરણ પટેલ,ઓંકાર દાસ માણિકપુરી,અનેશા સૈયદ અને હીરલ પટેલ તથા ૠષિ પંચલ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની ભૂમિકા આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં નથ્થાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓંકાર દાસ નિભાવી રહ્યા છે. ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા અનિલ નારાયણીએ બનાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી પ્રભાવિત છે. ફિલ્મનું ટીજર મુંબઈ ખાતે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સૌનો ખૂબજ પ્રતિસાદ જોવા મળ્યો. ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર એ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ 1લી માર્ચના રોજ રિલીઝ થશે.

વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ થકી થનારી આવકમાંથી વનવાસી વિસ્તોરોના બાળકો માટે શિક્ષણ સહીતની પ્રવૃત્તિ કરી રહેલી વનબંધુ પરિષદ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહેલા વિરલ દેસાઈની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને મદદ કરવામાં આવશે. ફિલ્મના અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે આજે મોટાભાગના બાળકો સલમાન,શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે,જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે મારૂ ઈન્સ્પીરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી. પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રિતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.

આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે કાફી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે.

February 2, 2019
unnati.png
1min8600

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

January 9, 2019
pubg.jpg
1min17790

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

December 26, 2018
d3-1.jpg
1min15480

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 24, 2018
fo2-1280x853.jpg
1min10710

આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)

૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)

બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)

દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)

દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.

December 24, 2018
ankur_logo.png
4min20630

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું.  શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

 
December 22, 2018
d8.jpg
2min16290
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
vaccine.jpg
1min5910

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 17, 2018
SDCA_logo.jpg
1min11400

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.