CIA ALERT

વાયરલ Archives - Page 70 of 80 - CIA Live

December 19, 2019
rawat.jpg
1min4520

એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ વણસવાની શક્યતા સેનાધ્યક્ષ બીપીન રાવતે દર્શાવતા જણાવ્યું હતું કે દેશે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે અને ભારતીય સેના ગમે તેવી વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી વધેલા ગોળીબાર અને તોપમારાને ધ્યાનમાં લઇને એમણે આ વાત કહી હતી.

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભાને ગયા મહિને જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે પાકિસ્તાને ૯૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પર પાકિસ્તાનની બેટની ટુકડી વારંવાર ભારતીય સેનાને નિશાન બનાવીન હુમલા કરતી રહે છે. બેટમાં પાકિસ્તાની કમાન્ડો તથા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન, ઉત્તરી કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ રણબીરસિંહે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લઇને યુદ્ધની તૈયારીની સમિક્ષા કરી હતી.

આ પ્રસંગે અગ્રિમ ચોકીઓ પર તહેનાત જવાનો સાથે એમણે વાતચીત કરી હતી અને એમની કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. એમણે જવાનોને કાયમ સતર્ક અને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી.

કારાકોલમ પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા સિયાચિન ગ્લેશિયરમાં વિશ્ર્વના સૌથી ઊંચી લશ્કરી છાવણી સ્થિત છે.

અહીં દેશની સરહદની રક્ષા કરતા ભારતીય જવાનોને દુશ્મનો સિવાય બરફના તોફાનો, ભૂસ્ખલન અને ભારે ઠંડીનો સામનો પણ કરવો પડે છે. અહીંનું તાપમાન ક્યારેક માઇનસ ૬૦ ઔંસ સુધી નીચું જતું હોય છે.

December 16, 2019
toni_singh.jpg
1min9040

લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.

આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’


November 8, 2019
old_currency.jpg
1min8540

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજથી બરાબર 3 વર્ષ અગાઉ તા.8મી નવેમ્બર 2016ના રોજ ભારતમાં રૂ.500 અને રૂ.1000ના દરની ચલણી નોટો રદ્ કરી દેવાના નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીયો પાસે રૂ.500 અને રૂ.1000ની જે ચલણી નોટો હતી તેને બદલવા માટે તા.8મી નવેમ્બર 2016થી તા.30મી ડિસેમ્બર 2016 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

3 વર્ષમાં ભારતીય ચલણી નોટોની સીકલ બદલાઇ ગઇ

2016ની 8મી નવેમ્બરથી શરૂ થયેલી જૂની નોટોની બંધી બાદ આજે તા.8મી નવેમ્બર 2019 સુધીમાં ભારતીય ચલણી નોટોની સિકલ જ બદલી દેવામાં આવી છે. 2000 રૂ.ની નવી નોટ સાથે રૂ.500ની પણ નવી નોટ બહાર પાડવામા આવી હતી. એ પછી તબક્કાવાર રીતે રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.10ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. ત્રણ વર્ષમાં દરેક રકમની ચલણી નોટોની ડિઝાઇન બદલાઇ ચૂકી છે.

ટ્વીટર પર BlackDay ટ્રોલ

નોટબંધીની આજે ત્રીજી વરસીએ સોશ્યલ મિડીયામાં પ્રત્યાઘાત જોવા મળ્યા. ટ્વીટર પર બ્લેકડે ના હેશટેગ સાથે પાંચ હજારથી વધુ ટ્વીટ જોવા મળી રહી છે. કેટલીક ટ્વીટ ફોટા સાથે કરવામાં આવી છે. જેમકે

મોદી સરકાર પર વ્યંગ નાણાંમાં બધા રંગ છે, બ્લેક કરન્સી જ ગૂમ છે

ટ્વીટર પર આ ઇમેજ ભારે ટ્રોલ થઇ રહી છે. જેમાં ઇન્ડિયન કરન્સી નોટ્સમાં બધા જ કલર આવી ગયા છે પણ બ્લેક કરન્સી ગૂમ હોવા અંગેનો કટાક્ષ મોદી સરકાર પર કરવામા આવી રહ્યો છે.

500 અને 100ની જૂની નોટોને શ્રદ્ધાંજલિ

ટ્વીટર પર એક તસ્વીર આ પણ ખૂબ શેર થઇ રહી છે જેમાં રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ ફોટોમાં જૂની નોટોને હાર પહેરાવવામાં આવ્યો છે.

2000ની નોટમાં ચીપ હોવા અંગેની અફવા પણ આ રીતે ફેલાવાઇ હતી

https://twitter.com/i/status/1192653963570466816

August 29, 2019
SpiceJet-MAX2.jpg
3min9690

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.

1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.

સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં

August 5, 2019
kashmir-news.jpg
1min12550

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

July 26, 2019
dhoni.jpg
1min724

૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે 

મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧ 

જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.

ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7540

એક વખતનું મોદીનું ગુજરાત એવું હતું કે જ્યાં કન્યાઓને મુક્ત વાતાવરણમાં કેળવણીને પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે રૂપાણી સરકારમાં કન્યાઓ પર અવળચંડા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે તો એવો ફતવો જારી કર્યો છે કે સમાજની કુંવારી યુવતિઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં, તેમના મોબાઇલ ફોનના વપરાશ પર તા.14મી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમ છતાંં, સમાજની કોઇ કુંવારી યુવતિ મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો તેના પિતા પાસેથી સમાજ રૂ.દોઢ લાખનો જંગી દંડ વસૂલ કરશે.

BK

ઉત્તર ગુજરાતના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ 14 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.

ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો આ ફતવો હાલ ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે અને કુંવારી યુવતિઓ પર મૂકવામાં આવેલા મોબાઇલ વપરાશ પ્રતિબંધની ચોમેરથી ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક મુક્ત વિચારશરણી ધરાવતી સંસ્થાઓએ ગુજરાત સરકાર તેમજ હ્યુમન રાઇટ્સ, મહિલા અધિકાર આયોગ સુધી આ બાબતની ફરીયાદો કરવાની શરૂ કરી છે.

બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કુંવારી યુવતિઓ પર મોબાઇલ પ્રતિબંધ મૂકવા પાછળ નો તર્ક બેહૂદા છે. મોબાઇલથી દુષણો ફેલાય રહ્યા છે માની શકાય એવી વાત છે પણ મોબાઇલ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વનું પરીબળ છે, શિક્ષણમાં મોબાઇલ ફોનની આવશ્યકતા પ્રવેશથી લઇને પરીક્ષા, પરીણામ સુધીની છે.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13940

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 10, 2019
womenfifa-1280x640.jpg
1min13510

fifa womens lesbians માટે છબી પરિણામ

રનર-અપ નેધરલૅન્ડ્સની ટીમમાં પાંચ, આખા વર્લ્ડ કપમાં કુલ ૪૦ લેસ્બિયન ખેલાડીઓ રમી

ત્રણ દિવસ પહેલાં સતત બીજી વાર ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો તાજ જીતનારી અમેરિકાની ટીમની પાંચ ખેલાડીઓ અને કોચ સજાતીય સંબંધો ધરાવે છે એટલે એ સમુદાયના લોકો વિશ્ર્વ કપના આ વિજેતાપદને ‘ગે ક્યૂનિટી’ના મોટા વિજય તરીકે ઓળખાવી રહ્યા છે.

વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાની મહિલા ટીમની મુખ્ય ખેલાડી મેગન રૅપિનો અને ઍશ્લીન હૅરિસ તથા ઍલી ક્રિગર સહિત કુલ પાંચ પ્લેયરો તેમ જ કોચ જિલ એલિસ લેસ્બિયન છે. એમાંથી ઍશ્લીન અને ઍલીએ એકમેક સાથે સગાઈ કરી લીધી છે અને થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાની છે.

અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલૅન્ડ્સને ૨-૦થી પરાજિત કરી હતી. અમેરિકાની મુખ્ય પ્લેયર મેગને એ વિજય મળતાં જ ‘ગો ગેય્ઝ’ એવું મોટા અવાજે બોલીને જીત સેલિબ્રેટ કરી હતી. મેગનને ‘ગોલ્ડન બૂટ’ તથા ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં બેમાંથી એક ગોલ મેગને કર્યો હતો.

મેગને ચૅમ્પિયનપદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ટીમમાં ગે ખેલાડીઓ વગર કોઈ પણ ચૅમ્પિયનશિપ જીતી જ ન શકાય. અગાઉ પણ ક્યારેય ગે પ્લેયરો વિના ચૅમ્પિયનશિપ નહીં જીતી શકાઈ હોય. એ જ વિજ્ઞાન છે.’ વર્લ્ડ કપની રનર-અપ મહિલા ટીમ નેધરલૅન્ડ્સની ટીમમાં પણ પાંચ પ્લેયરો પણ લેસ્બિયન હતી.

એક જાણીતા સામયિકના અહેવાલ મુજબ આ વર્લ્ડ કપમાં રમનારી તમામ ખેલાડીઓમાં ૪૦ પ્લેયરો લેસ્બિયન હતી. તેઓ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (એલજીબીટીક્યૂ) સમુદાયની મેમ્બર છે.

પુરુષ ફૂટબૉલ ખેલાડીઓમાં પણ કેટલાક ગે (હોમોસેક્સ્યૂઅલ) છે અને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં એમાંના કેટલાક પ્લેયરો રમ્યા હતા, પરંતુ તેમણે લેસ્બિયન ફૂટબૉલરોની જેમ જાહેરમાં એનો સ્વીકાર નહોતો કર્યો.

July 2, 2019
india-1280x684.jpg
1min4540
‘એજબેસ્ટેનની પિચ અને નાની બાઉન્ડ્રી લાઇનને ધ્યાને રાખી ભારતની ઈલેવનમાં ભુવનેશ્વર અને રવિન્દ્રને તકની વકી
વિશ્વ કપ-2019માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલી હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા મંગળવારે બંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ પર વાપસી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું. બીજી તરફ બંગલાદેશે વિશ્વ કપમાં અત્યાર સુધી લડાયક દેખાવ કરીને તેની સેમિની આશા જીવંત રાખી છે. ભારત સામેની હારથી તેની આશા ધૂંધળી બની જશે. આથી બંગલાદેશ ભારત સામે મરણિયો જંગ ખેલશે તેમાં કોઇ શક નથી. મિડલ ઓર્ડરના નિષ્ફળતાથી ચિંતિત ભારતીય ટીમ બંગલાદેશ સામે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
એજબેસ્ટનને પિચ અને મેદાનની સ્થિતિ જોતા કેદાર જાધવ અને યજુર્વેન્દ્ર ચહલના સ્થાને ભુવનેશ્વ કુમાર અને રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતને નવી તૈયારીનો સમય મળ્યો નથી. ભારત હાલ 7 મેચના અંતે 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો બંગલાદેશના 7 મેચમાં 7 પોઇન્ટ છે અને છઠ્ઠા નંબર પર છે. આ મેચથી ભારતીય ટીમ ફરી તેની અસલ બ્લૂ જર્સીમાં જોવા મળશે.
એજબેસ્ટનનું મેદાન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેની એક તરફથી બાઉન્ડ્રી 60 મીટરથી ઓછી છે. જેનો ઇંગ્લેન્ડના જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસે ભારત સામે ભરપૂર લાભ લીધો હતો. આવી પરિસ્થિતિમાં તમિમ ઇકબાલ, શકિબ અલ હસન, મુશફકિર રહીમ, લીટન દાસ અને સૌમ્ય સરકાર જેવા સ્પિનર સામે સારું રમી જાણતા બેટધરો સામે ટીમ ઇન્ડિયા કાંડાથી બોલિંગ કરતા બે સ્પિનરને ઉતારવાનું જોખમ લેશે નહીં.
રિપોર્ટ અનુસાર ભુવનેશ્વર હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. આથી ભારત ટૂર્નામેન્ટમાં પહેલીવાર તેના ત્રણ મુખ્ય ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભુવીને બેટિંગથી નીચેના ક્રમનું બેટિંગ પણ મજબૂત બનશે.
બંગલાદેશની ટીમની સફળતા નંબર વન ઓલરાઉન્ડર શકિબ અલ હસનને લીધે આભારી છે. શકિબ બે સદી અને 10થી વધુ વિકેટ લઇને શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેને તમિમ, મુશફકીર અને મહમદુલ્લા જેવા ખેલાડીઓનો સારો સાથ મળી રહયો છે. બંગલાદેશની સૌથી મોટી ચિંતા સુકાની મશરેફ મુર્તઝાનું કંગાળ ફોર્મ છે. તે 6 મેચમાં ફકત 1 વિકેટ જ લઇ શકયો છે.