CIA ALERT

વાયરલ Archives - Page 65 of 80 - CIA Live

April 14, 2020
coronaguj-1280x875.jpg
13min22470

દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા

રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત

સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.

ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે

દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર

કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.

ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.

આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.

ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ

ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે

  • ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
  • બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
  • ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
  • ચોથા ક્રમે ભાવનગર છે.

મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના

ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.

લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી

રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી  રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે. 

કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

Reported on 15 April 2020

કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5

ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.

આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.

India at glance

  • Cases : 12,380
  • Deaths : 414
  • Recovered : 1,489
  • Active Cases : 10,477

India Statewise on 16 April 11 am

StateCaseDeathRecover
MH2916187295
DL15783240
TN124214118
RJ10233147
MP9875364
GJ7663364
UP7351151
TG64718120
A.P.5251420
KL3883218
JK300436
KA2791280
WB231742
HR205343
PB1861327
BR70129
OR60118
UK3709
HP35116
CG33017
AS3310
JH2820
CH2107
Leh17010
AN11010
PY701
ML710
GA705
MN201
TR201
MZ100
AR100
NL000

ગુજરાતમાં 15 એપ્રિલે સવારે મળેલા કેસોની વિગતો

તા.15મી એપ્રિલે સવારે 10 કલાકે ગુજરાતનું કોરોના સ્ટેટસ અપડેટ

કેન્દ્ર સરકારે તા.15મી એપ્રિલે જાહેર કરેલી લૉકડાઉન સંદર્ભની ડિટેલ્ડ ગાઇડલાઇન માટે નીચેની લિંક ક્લીક કરો

https://mha.gov.in/sites/default/files/PR_Consolidated%20Guideline%20of%20MHA_28032020%20%281%29_1.PDF

આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ લંબાવવામાં આવ્યું છે.

દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે. રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.

મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.

મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.

ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.

મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.

ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Reported on 14 April 2020

ભારતમાં 15 એપ્રિલથી Lockdown 2.0 : કેસોની સંખ્યા 10,000ને પાર

ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા 14 એપ્રિલ સવારે 11 વાગ્યે

ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.

તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.

જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.

ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ

કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.

ભારતમાં આંકડો 10 હજારને પાર (14 એપ્રિલ સવારે 11 વાગ્યે)

  • Cases : 10,363
  • Deaths : 339
  • Recovered : 1,036
  • Active Cases : 8,988
STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

April 12, 2020
coronaguj-1280x875.jpg
8min13920

13/4/20 @ 11 : ગુજ.-538 : અમદા.-295 : બરોડા-102 : સૂરત-33 (ભારત કેસોની સંખ્યા 9000 પ્લસ)

: આજથી એપીએલ-1 રેશન કાર્ડ ધારકોને પણ સરકારી અનાજનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવાર તા.14મી એપ્રિલે બપોરે બાર વાગ્યે અમદાવાદ ખાતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લોકડાઉન વધારવું કે નહીં તે આવતીકાલે એટલે કે મંગળવાર તા.14મી એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર થશે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લૉકડાઉન સંદર્ભે એક્શન પ્લાન કેન્દ્રને સોંપી દીધો છે. ગુજરાતમાં ઉદ્યોગોને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે એવી તેમણે ધરપત પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેના માટે ખાસ વિચાર કરવામાં આવશે.

ગુજરાતની વાત કરીએ તો આજે તા.13મી એપ્રિલે સવારે 10 વાગ્યે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં કુલ 22 નવા કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના કુલ 13 કેસો છે. અમદાવાદમાં કેસોની સંખ્યા 295 થઇ છે. સૂરતમાં પોઝીટીવ કેસોની સંખ્યા કુલ 33 થઇ છે જેમાં બે ગ્રામ્ય વિસ્તારના છે. ગુજરાતમાં કુલ 26 લોકોના મોત થયા છે જ્યારે 47 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પહોંચી ગયા છે.

સૂરતમાં સોમવારે મળેલા બે નવા કેસો રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 કર્મચારીઓના છે, 1. ઇમરાન હનીફભાઇ પઠાણ 2. શબનમ મકસૂદ અંસારી

આજથી APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ

કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યમાં APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિમામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે.

રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા
13 એપ્રિલ: રેશનકાર્ડ છેલ્લો નંબર 1 અને 2
14 એપ્રિલ: છેલ્લો નંબર 3 અને 4
15 એપ્રિલ: છેલ્લો નંબર 5 અને 6
16 એપ્રિલ: છેલ્લો નંબર 7 અને 8
17 એપ્રિલ: છેલ્લો નંબર 9 અને 0
18 એપ્રિલ: વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે

આટલું અનાજ મળશે

એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે તેમના હિસ્સાનું અનાજ જતું કરે તો વધુ પ્રમાણમાં લોકોને અનાજ મળી શકે છે.

ઘર બેઠાં જરૂરી સામાન મળે તેવી વ્યવસ્થા થશે ‘હોટસ્પોટ’માં લોકો બહાર ન નીકળે : કેન્દ્રીય ગૃહ મંત્રાલય

‘હોટસ્પોટ’ વિસ્તારોમાં વખતે લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે રાજ્ય સરકારો જીવન જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોંચ થાય એની વ્યવસ્થા કરી રહી હોવાની માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી હતી.

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુન્યા સલિલાએ જણાવ્યું હતું કે જ્યાં વાઇરસ વધુ ફેલાયો હોય એવા હોટસ્પોટ વિસ્તારોમાં રહેતા લોકો ઘરની બહાર ન નીકળે એ માટે રાજ્ય સરકારો જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોચ થાય એની વ્યવસ્થા કરી રહી છે. આ માટે તેઓ સ્વયંસેવકો અને સમાજસેવી સંસ્થાઓની મદદ પણ લેશે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તેઓ આંતરરાજ્ય અને રાજ્યની બહાર દરેક પ્રકારનો સામાન કે વસ્તુઓ લઇને જતા કે આવતા વાહનોને રોક્યા વગર જવા દે. ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજમાં દરેક પ્રકારની વસ્તુઓ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેટેગરીમાં કંપનીઓની અંદરના ગોડાઉનોને પણ આવરી લેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના મજૂરો અને કર્મચારીઓને સરળતાથી પરવાનગીના પાસ મળી રહે એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને અમે એમને એ પ્રક્રિયા સરળ બનાવવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને ₹ ૫૦૦૦નો દંડ

કોરોના સંકટની ચરમસીમાને પગલે હવે લોકડાઉન વચ્ચે પણ કોઇ પણ વ્યકિત જરૂરી કામ માટે માસ્ક કે ચેહરા પર દુપટ્ટો કે રૂમાલ પહેર્યા વગર નીકળશે તો તેને રૂ. ૫ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા જણાવ્યું હતું કે, માસ્ક વિના બહાર નીકળતા લોકોને ૫૦૦૦નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને ત્રણ વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

જો કે માસ્કમાં રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે. ૧૩ એપ્રિલની સવારે ૬ વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. ૧૩ એપ્રિલથી મનપાની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે.

રાજ્યમાં કુલ ૧૦ હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ થયા

ગુજરાતમાં કોરોના કેસના પ્રારંભથી રવિવાર તા.12મી એપ્રિલે સાંજે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કુલ ૧૦૯૯૪ લોકોના સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 514 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જોકે

ગુજરાતમાં રવિવાર તા.12મી એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન કુલ ૨૬૬૩ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૬૧ લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રવિવારે સવારે કુલ ૧૧૬ રીપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યાં હતા.

રવિવારે સાંજે વડોદરામાં વધુ ચાર કેસ નોંધાયાં હવે એકલા વડોદરામાં જ કેસનો આંકડો ૧૦૦ ની નજીક પહોંચી ચૂક્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે સવાર સુધીમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં ૬ વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૪૯૩ દર્દીમાંથી ૨૩ના મોત થયા છે. જ્યારે ૪૨૨ની હાલત સ્થિર અને ૪ દર્દી વેન્ટીલેટર પર છે. ૨૪ કલાક દરમિયાન ૨૬૬૩ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૧ પોઝિટિવ અને ૨૪૮૬ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૧૧૬ રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ૧૦૯૯૪ ટેસ્ટ કર્યાં, ૪૯૩ પોઝિટિવ, ૧૦૩૯૭ અને ૧૧૬ પેન્ડિંગ છે.

ભારતમાં 6 દિવસમાં બમણા થઇ ગયા કેસો

ભારતમાં 6 દિવસ પૂર્વે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4500 જેટલી હતી, ફક્ત 6 જ દિવસમાં આ આંકડો બમણો થઇ ગયો છે. રવિવારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9,000ના આંકડાને પાર કરી ગઈ છે. કોરોના વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 300 લોકોના જીવ હણી લીધા છે. માત્ર રવિવારે જ કોરોનાના 763 કેસ સામે આવ્યા અને 39 દર્દીઓના મોત થયા હતા.

ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.13 એપ્રિલ સવારે 11 વાગ્યે

STATECasesDeath
MAHARASHTRA1985149
DELHI115424
TAMIL NADU107511
RAJASTHAN8043
M.P.56436
GUJARAT51625
TELANGANA5049
U.P.4835
A.P.4277
KERALA3762
J.K.2454
KARNATAKA2326
HARYANA1853
WEST BENGAL1527
PUNJAB15111
BIHAR641
ODISHA541
UTTARAKHAND350
HIMACHAL321
CHHATTISGARH310
ASSAM291
CHANDIGARH210
JHARKHAND192
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

તા.12મી એપ્રિલે પોસ્ટ કરાયેલા સમાચાર

સૂરતમાંથી કુલ 7 દર્દીઓ રિકવર થઇને ઘરે ગયા

રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 500 ની સંખ્યા નજીક પહોંચી ગયો છે. જોકે, કોરોના પોઝીટીવ કેસો જે વિસ્તારમાંથી મળી રહ્યા છે એ જોતા ગુજરાતના આરોગ્ય વિભાગે અપનાવેલી નીતિને સફળતા મળી છે કેમકે આ એરીયાને હોટસ્પોટ તરીકે જ સ્થાપિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે. એટલે ચિંતાજનક સ્થિતિ કરતા કેસો મળી રહ્યા છે એ બાબત મહત્વની બની છે.

દરમિયાન શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં નોંધાયેલા નવા 90 કેસ બાદ રવિવારે સવારે 10 વાગ્યે વધુ નવા 25 કેસોની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા 25 કેસોમાંથી 23 અમદાવાદ અને 2 વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.

એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં જેટલા પોઝિટિવ કેસ છે જેમાંથી પચાસ ટકા જેટલા એકલા (243 કેસ) અમદાવાદના છે. અમદાવાદ ઉપરાંત, વડોદરામાં પણ કન્ફર્મ કેસનો આંકડો 95 પર પહોચી ગયો હતો.

શનિવારે રાત્રે 8 વાગ્યે સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં જે 468 કન્ફર્મ કેસ નોંધાયા છે તેમાં લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનનારા દર્દીની સંખ્યા 403 જેટલી છે. આ ઉપરાંત, જે 22 લોકોના મોત થયા છે તેમાંથી 16 દર્દીને લોકલ ટ્રાન્સમિશનથી તેનો ભોગ બન્યા હતા.

સરકાર દ્વારા શનિવારે રાત્રે 8 વાગ્યે આપેલી માહિતી મુજબ 2045 ટેસ્ટ કરાયા છે, જેમાં છેલ્લા 12 કલાકમાં જ 1432 ટેસ્ટ કરાયા છે. કુલ 2045 ટેસ્ટમાંથી 407 સિવાયના તમામ લોકોના રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા બાર કલાકમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15, વડોદરા 18, ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં ત્રણ દર્દીના મોત પણ થયા છે, અને ત્રણેય મૃતકો અમદાવાદના છે.

આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે તે સિવાયના વિસ્તારોમાં પણ હવે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના જે 14 જિલ્લામા કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો તેવા જિલ્લામાં પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. આજે જુનાગઢ, નવસારી, તાપી, અમરેલી અને બનાસકાંઠામાં સેમ્પલ લેવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં હાલ 468માંથી 402 દર્દીઓ એક્ટિવ છે, અને તેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે 398 સ્ટેબલ છે. ડીસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 44 થાય છે જ્યારે 22 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે દરિયાપુર, નવરંગપુરા, જમાલપુર, નારણપુરા, સારંગપુર જેવા વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા છે.

India Update

STATECasesDeath
MAHARASHTRA1761127
DELHI106919
TAMIL NADU96910
RAJASTHAN7003
M.P.53236
TELANGANA5049
U.P.4525
GUJARAT49523
A.P.3816
KERALA3642
KARNATAKA2146
J.K.2074
HARYANA1773
PUNJAB15111
WEST BENGAL1345
BIHAR631
ODISHA501
UTTARAKHAND350
HIMACHAL321
ASSAM291
CHANDIGARH190
CHHATTISGARH180
JHARKHAND171
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

ICMRએ કહ્યું કે શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં 1,64,773 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કોવિડ-19ના સંક્રમણ અંગે તપાસ કરવા માટે કુલ 1,79,374 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 4.3 ટકા લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યો દ્વારા મળેલા અહેવાલ અનુસાર શનિવારે દેશમાં કોવિડ-19ના 825 નવા કેસ આવ્યા છે. આ પહેલા શુક્રવારે દેશમાંથી 863 જેટલા નવા કેસ સામે આવ્યા હતા.

દેશમાં પહેલીવાર 24 કલાકમાં 1000 કરતા વધારે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આંકડાઓ જોઈએ તો પાછલા 3 દિવસમાં દેશમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. તેવામાં દેશવ્યાપી લોકડાઉનને હજુ આગામી 2 સપ્તાહ સુધી વધારવામાં આવશે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8300ને પાર થઈ ગઈ છે.

April 10, 2020
coronaindia-1-1280x1044.jpg
10min5130

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

Cases : 10,363

Deaths : 339

Recovered : 1,036

Active Cases : 8,988

STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

Update on 12 April 11 Am

  • Confirmed Cases : 8,356
  • Total Deaths : 273
  • Total Recovered : 716
  • Active Cases : 7,367
STATECasesDeath
MAHARASHTRA1761127
DELHI106919
TAMIL NADU96910
RAJASTHAN7003
M.P.53236
TELANGANA5049
U.P.4525
GUJARAT49522
A.P.3816
KERALA3642
KARNATAKA2146
J.K.2074
HARYANA1773
PUNJAB15111
WEST BENGAL1345
BIHAR631
ODISHA501
UTTARAKHAND350
HIMACHAL321
ASSAM291
CHANDIGARH190
CHHATTISGARH180
JHARKHAND171
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું કોરોનાનું હૉટસ્પૉટ

મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર એક સમયે વ્યાપારી તેમ જ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ગણાતું હતું, પરંતુ અત્યારે આ શહેર કોરોના વાઇરસના ચેપની ચપેટમાં આવી ગયું છે અને કોવિડ-૧૯ના હૉટસ્પૉટ બની ગયું છે.

ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત ઇન્દોર પખવાડિયાથી કર્ફ્યુ હેઠળ છે. ઇન્દોરની મહાનગર પાલિકાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન શહેરભરમાંથી કચરો નાબૂદ કર્યો છે અને દરેક ઘર દ્વારા સૂકો તથા લીલો, એમ અલગ કચરો જમા કરવામાં આવે એવી યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવી છે. ઇન્દોરમાં કોવિડ-૧૯ના ૧૭૩ કેસ નોંધાયા છે અને ૧૬ જણના મૃત્યુ નીપજ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં શરૂઆતના તબક્કાઓમાં જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી એ બદલ ઇન્દોરના સ્થાનિક વહીવટીતંત્રની ટીકા થઈ રહી છે.

આરોગ્ય ક્ષેત્રના કાર્યકર અમૂલ્ય નિધિએ જણાવ્યું હતું કે ‘ઇન્દોર કમર્શિયલ શહેર છે અને હજારો લોકો રેલવે તથા રોડ માર્ગે શહેરમાં આવતા તથા જતા હોય છે. જોકે, આવા બધા જ મુલાકાતીઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ નહોતું થયું એ વહીવટીતંત્રની મોટી ભૂલ હતી.’ ૩૦ લાખ લોકોની વસતિ ધરાવતા ઇન્દોરમાં જિલ્લા વહીવટીતંત્રએ ૨૩મી માર્ચે શહેરમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.

દેશમાં સંખ્યા વધીને છ હજારને આંબી ગઈ

ભારતમાં કોરોના ચેપના દરદીઓની સંખ્યા વધીને છ હજારની નજીક પહોંચી ગઇ છે અને તેમાં સૌથી વધુ માઠી અસર મહારાષ્ટ્રમાં જ થઇ છે તેમ જ ગુજરાતમાં પણ આવા દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

દેશમાં ગુરુવારે કોરોના વાઇરસના રોગચાળામાં ઓછામાં ઓછા ૧૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેમાં મહારાષ્ટ્રમાંના ૯, ગુજરાતના ૩, જમ્મુ અને કાશ્મીરના બે, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુના એક-એક દરદીનો સમાવેશ થતો હતો.

ઓડિશાએ લોકડાઉનને મહિનાના અંત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને દેશના અનેક રાજ્ય પણ આવું પગલું ભરે એવી શક્યતા છે.

વિશ્ર્વભરમાં આ રોગચાળો ૧૯૨ દેશમાં ફેલાઇ ગયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૭,૩૨૦ લોકો મૃત્યુ પામ્યા છે.

ચીન ઉપરાંત અમેરિકા, ઇટલી, સ્પેન, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે રોગચાળાને વિશ્ર્વભરમાં મંદી આવવાનો અને તેને લીધે દુનિયાના અંદાજે લાખો લોકો ગરીબ થઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.

ચીનના વુહાન શહેરમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાનો ચેપ લાખો લોકોને લાગ્યો છે અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વિવિધ સરકાર લૉકડાઉન સહિત આરોગ્ય સુવિધા વધારવા પગલાં લઇ રહી છે.

કોરોના ઇન્ડીયા અપડેટ તા.10 એપ્રિલ

  • Confirmed Cases : 6,412
  • Total Deaths : 199
  • Total Recovered : 504
  • Active Cases : 5,709
STATECasesDeath
MAHARASHTRA136497
TAMIL NADU8348
DELHI72012
RAJASTHAN4633
TELANGANA4427
U.P.4104
KERALA3572
A.P.3484
M.P.25916
GUJARAT24117
KARNATAKA1815
HARYANA1693
J.K.1584
WEST BENGAL1165
PUNJAB1018
ODISHA441
BIHAR391
UTTARAKHAND350
ASSAM290
CHANDIGARH180
HIMACHAL181
LADAKH150
JHARKHAND131
ANDAMAN110
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10
April 10, 2020
coronaguj-1280x875.jpg
10min11930

આજે લૉકડાઉન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે : PM મોદી અને રાજ્યોના CM વચ્ચે વિડીયો મીટ : ગુજરાતે પોતાની રણનીતિ કેન્દ્રને મોકલી

ગુજરાત અપડેટ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 એ પહોંચી છે. કુલ 34 વ્યક્તિઓ રિકવર થઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે કુલ 228 નોંધાયા છે. એ પછી વડોદરામાંથી કુલ 77 કેસો મળ્યા છે. જ્યારે સૂરતમાં આજે તા.11 એપ્રિલે સવારે વધુ એક કેસ મળતા કુલ આંકડો 28 પર પહોંચ્યો છે. જેમાં સૂરત શહેર વિસ્તારમાંથી 26 તથા જિલ્લા વિસ્તારમાંથી 2 કેસ મળ્યા છે. ભાવનગરમાં કુલ કેસ સંખ્યા 23ની થઇ છે.

  • રાજ્યમાં તા.11 એપ્રિલે સવારે 10 વાગ્યે
  • નવા 54 કોરોના + ve કેસ
  • રાજ્યમાં કુલ કોરોના + ve – 432
  • કોરોનાથી કુલ મોત – 19
  • રિકવરી – 34
  • અમદાવાદ 228 ( 7 )
  • વડોદરા 77 ( 2 )
  • સુરત 28 ( 4 )
  • ભાવનગર 23 ( 2
  • રાજકોટ 18
  • ગાંધીનગર 14 ( 1 )
  • પાટણ 14
  • પોરબંદર 3
  • ગીર સોમનાથ 2
  • ભરૂચ 7
  • કચ્છ 4
  • મહેસાણા 2 ( 1 )
  • સાબરકાંઠા 1
  • આણંદ 5
  • મોરબી 1
  • છોટાઉદેપુર 2
  • પંચમહાલ 1 ( 1 )
  • જામનગર 3 ( 1 )

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં કોરોનાનું સંકટ ઘેરું દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વડોદરામાં તા.10મી એપ્રિલને શુક્રવાર બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. કોરોનાના વધુ 20 કેસ નોંધાતા વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 59એ પહોંચી ગઇ હતી.

વડોદરાના ક્લસ્ટર ઝોન જાહેર કરાયેલા વિસ્તાર નાગરવાડા અને સૈયદપુરામાંથી વધુ 20 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 11 પુરુષ અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે નાગરવાડા અને સૈયદપુરાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ મળ્યાં છે. જેમાં 36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ શુક્રવારે દિવસ દરમિયાન ભરૂચમાં 3, સુરતમાં 3 મળીને રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી કુલ આંકડો 378એ પહોંચી ગયો હતો.

કોરોનાના વધતા કહેરની સાથે જ આજે ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ એમ વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ દર એક લાખે 102 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16000 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી ગુજરાતે 1540 ટેસ્ટ કર્યાં છે.

પીએમ મોદી ગઇ તા.2જી એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટીંગ કરી ચૂક્યા છે : આજે 11 એપ્રિલે પુન વિડીયો મીટીંગ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ તા.11મી એપ્રિલને શનિવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લૉકડાઉન તેમજ કોરોના વિરુદ્ધના યુદ્ધની રણનીતિના અગત્યના મુદ્દા પર દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે. અગાઉ ગઇ તા.2જી એપ્રિલે પણ વડાપ્રધાન મુખ્યમંત્રીઓની સાથે વિડીયો મીટિંગ કરી ચૂકયા છે. ગઇ તા.8મી એપ્રિલે વડાપ્રધાન શ્રી મોદીએ સંસદ અને રાજ્યસભાના તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગ કરી હતી. આ મિટીંગમાં શ્રી મોદીએ હિંટ આપીને કહ્યું હતું કે તેઓ દેશભરમાં લાગૂ લોકડાઉનની સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે.

અગાઉ ભાજપાના સ્થાપના દિવસે પણ વડાપ્રધાન એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે આવનાર 14મી એપ્રિલના રોજ લોકડાઉન સંપૂર્ણપણે હટાવવું મુશ્કેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક જીવની સુરક્ષા છે. લોકડાઉનના વિસ્તારના મુદ્દા પર તેમણે કેટલાંય જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી અને તમામને એકમત થઇ લોકડાઉનની સમય મર્યાદાને આગળ વધારવા પર સહમતિ વ્યકત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં એક સાથે લોકડાઉન હટાવું શકય નથી.

ઓરિસ્સા બાદ પંજાબમાં પણ લોકડાઉનની અવધિ વધી

પંજાબના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોનાના મળી રહેલા કેસોને પગલે લૉકડાઉન પિરીયડ લંબાવવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ નવીન પટનાયક સરકારે રાજ્યમાં લોકડાઉનને 30મી એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. જે બાદ તા.10મી એપ્રિલે પંજાબ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન આગળ વધારીને 30 એપ્રિલ અંતિમ તારીખ જાહેર કરી છે.

ગુજરાત સરકારે લૉકડાઉન સંભવિત રણનીતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલી 21 દિવસના ડેડલાઇન પૂરી થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે લૉકડાઉન લિફ્ટીંગ અંગે ગુજરાતની સંભવિત રણનીતિનો એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને 14મી એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત સરકાર લૉકડાઉન ઉઠવવા અંગે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરશે.

ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર ઢીલ આપવા વિશે એક રિપોર્ટ હાઇલેવલના અધિકારીઓ પાસે તૈયાર કરાવ્યો છે અને એ હાઈ-લેવલ કમિટીએ કોવિડ-19ના કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન, યેલો અને રેડ ઝોનમાં દઇને લૉકડાઉન ઉઠાવવા અંગેની રણનીતિ તૈયાર કરી છે.

રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા ફેઝમાં જરૂરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે. અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે.

  • લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક માટે માસ્ક ફરજિયાત
  • દરેક પ્રકારનું સામૂહિક પરિવહન લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ બંધ
  • ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે મિટીંગ મેળાવડા પર પ્રતિબંધ
  • બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
  • રેસ્ટોરન્ટ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ જારી રાખશે અને બાદમાં પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે.

India Update 11 April 2020 @ 10 am

  • Confirmed Cases : 7,447
  • Total Deaths : 239
  • Total Recovered : 643
  • Active Cases : 6,565
STATECasesDeath
MAHARASHTRA1574110
TAMIL NADU9118
DELHI90313
RAJASTHAN5533
TELANGANA4737
M.P.43533
U.P.4314
KERALA3642
A.K.3636
GUJARAT30819
KARNATAKA2076
J.K.2074
HARYANA1773
PUNJAB13211
WEST BENGAL1165
BIHAR601
ODISHA481
UTTARAKHAND350
ASSAM291
HIMACHAL281
CHHATTISGARH180
CHANDIGARH180
LADAKH150
JHARKHAND141
ANDAMAN110
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10

Reported on 10 April 2020

શુક્રવાર સવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો ન હતો ત્યાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના  આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન  મળ્યું છે.

ભરૂચમાં મળેલા ચારેય દર્દીઓનું દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જમાત સાથે કનેકશન ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે.  

ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા 17 માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ  દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.

ગુજરાતમાં કોરોનાના 76 નવા કેસ: કુલ આંકડો 262 પર પહોંચ્યો, બે-ચાર દિવસ હજુ કેસ વધશે

ગુરુવારે સવારે ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા બાદ ગુરુવારે સાંજ સુધીમાં વધુ 21 નવા કેસ કન્ફર્મ થયા છે. આરોગ્ય ખાતાના સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં રહ્યા છે, જેથી કન્ફર્મ કેસનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાંથી કોરોનાનો ચેપ બહાર ના જાય તે માટે મોટાપાયે કામગીરી કરાઈ રહી છે.

ગુજરાત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • અમદાવાદ- 153
  • વડોદરા 39
  • સુરત- 24
  • રાજકોટ- 18
  • ગાંધીનગર-14
  • ભાવનગર- 22
  • પાટણ-14 (એક જ પરિવારના સંપર્કથી)
  • ભરૂચ 4
  • કચ્છ 2
  • મહેસાણ 2
  • ગીરસોમનાથ 2
  • પોરબંદર- 3
  • પંચમહાલ-1
  • છોટાઉદેપુર-2
  • સાબરકાંઠા 1
  • મોરબી 1
  • દાહોદ 1
  • સાબરકાંઠામાં 1
  • આણંદ -2

વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં વધુ 17 પોઝિટીવ કેસ મળતા ખળભળાટ

વડોદરામાં રેડ ઝોન જાહેર થયેલા નાગરવાડા વિસ્તારમાંથી માસ સેમ્પલ લઇને ચકાસણી કરવાના પ્રક્રિયા દરમિયાન ૧૭ વ્યક્તિઓમાં કોરોનો પોઝિટીવ આવ્યો હતો. આ જ વિસ્તારમાંથી આજે સવારે ત્રણ કેસ પોઝિટીવ આવ્યા હતા. આમ વડોદરાના કોરોના પોઝિટીવની સંખ્યા ૩૯ પર પહોચી ગઇ હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી ૧૭ નવા કોરોના પોઝિટીવ કેસો જણાયા છે. 

રાજકોટના જંગલેશ્વરમાંથી વધુ પાંચ પોઝિટિવ

કોરોના વાયરસનું સંક્રમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધી રહ્યું હોવાનું જણાય છે. રાજકોટના કોરોના વાયરસ માટેના હોટ સ્પોટ જંગલેશ્વરના એક જ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એ જ વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર ક્લસ્ટરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે.

ગુરુવારથી 16 સેમ્પલ જંગલેશ્વરમાંથી લેવાયા જેમાં વધુ 5 લોકોના સેમ્પલ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પાંચ દર્દીઓ ત્રણ દિવસ પેહલા આવેલ યુવાનનાં પરિવારજનો અને સંપર્કમાં આવેલ હોવાથી લોકસ ટ્રાન્સમિશન થયું હોવાનું હાલ જણાય રહ્યું છે. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 18 થયો છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરનાનો ક્લસ્ટર બોમ્બ વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આજ સાંજ સુધીની સ્થિતિ અનુસાર, રાજ્યમાં કુલ 215 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 212 દર્દીઓ સ્ટેબલ તેમજ ત્રણ વેન્ટિલેટર પર છે અને ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 358ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

રાજ્યમાં સેમ્પલ ટેસ્ટિંગ વધતા પોઝિટિવ કેસોમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ

ગુજરાતમાં એકસાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.

જુદા જુદા વિસ્તારોમાંથી જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૪૧ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે ૧૭૬ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૨ પોઝિટિવ, જ્યારે ૧૬૨૪ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી ૧૦૨ ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૫૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧ પોઝિટિવ અને ૫૪૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વોરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોવિડ-૧૯નું સંકટ હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે. બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીના ૨૪ કલાકમાં એક સાથે ૬૨ કેસનો ચિંતાજનક વધારો થયો છે. ગુરુવારે સાંજે વડોદરાથી પણ ગંભીર સમાચાર આવ્યા હતા. વડોદરામાં એક સાથે 11 નવા કેસ અને પાટણમાં એક જ પરિવારમાં 9 કેસ મળી આવ્યા હતા.

એ પૂર્વે બુધવારની સાંજથી ગુરુવારે સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ બપોરે વડોદરામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૫ દર્દીઓ થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતાં હવે રાજ્યમાં કોરોનાનો મોતનો આંકજો ૧૭ પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં ૧૩૩ ઉપર પહોંચી ચૂકી છે.

ભારત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Confirmed Cases : 6,412
  • Total Deaths : 199
  • Total Recovered : 504
  • Active Cases : 5,709
STATECasesDeath
MAHARASHTRA136497
TAMIL NADU8348
DELHI72012
RAJASTHAN4633
TELANGANA4427
U.P.4104
KERALA3572
A.P.3484
M.P.25916
GUJARAT24117
KARNATAKA1815
HARYANA1693
J.K.1584
WEST BENGAL1165
PUNJAB1018
ODISHA441
BIHAR391
UTTARAKHAND350
ASSAM290
CHANDIGARH180
HIMACHAL181
LADAKH150
JHARKHAND131
ANDAMAN110
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10
April 7, 2020
coronaindia-1-1280x1044.jpg
8min5450

  • Confirmed Cases : 5,194
  • Total Deaths : 149
  • Total Recovered : 402
  • Active Cases : 4,643

STATECasesDeath
MAHARASHTRA101864
TAMIL NADU6907
DELHI5769
TELANGANA3647
KERALA3362
RAJASTHAN3283
U.P.3263
A.P.3054
M.P.22913
KARNATAKA1754
GUJARAT16513
HARYANA1473
J.K.1162
WEST BENGAL995
PUNJAB917
ODISHA421
BIHAR381
UTTARAKHAND310
ASSAM270
H.P.181
CHANDIGARH180
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.

કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.

લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા

દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.

તિલંગાણા

તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.

છત્તીસગઢની માગણી

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.

મધ્યપ્રદેશની તૈયારી

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.

આસામની પ્રતિક્રિયા

આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.

મહારાષ્ટ્રનો અભિગમ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.

ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.

મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.

દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.

India update 7 April 2020 1 pm

  • Confirmed Cases : 4,421
  • Total Deaths : 114
  • Total Recovered : 326
  • Active Cases : 3,981
STATECasesDeath
MAHARASHTRA74845
TAMIL NADU6215
DELHI5237
KERALA3272
TELANGANA3217
U.P.3053
RAJASTHAN2883
A.P.2663
M.P.1659
KARNATAKA1514
GUJARAT16512
J. K.1092
WEST BENGAL913
HARYANA901
PUNJAB766
BIHAR321
UTTARAKHAND310
ASSAM260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ

મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.

હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.

તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.

ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.

મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.

તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.

મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.

April 7, 2020
coronaguj-1280x875.jpg
8min22750

રાજયમાં કોરોનાના નવા 55 કેસો, 50 એકલા અમદાવાદના : સૂરત-2, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1-1 નવા કેસ મળ્યા

તા.9મી એપ્રિલના રોજ સવારે ગુજરાતમાં કોરોના કેસીસ અંગેની માહિતી આપતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે એક દિવસમાં ગુજરાતમાં કુલ 55 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓની સંખ્યા 241 થઇ છે. નવા આવેલા 55 કેસોમાં 50 કેસો એકલા અમદાવાદના છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 133 થવા પામી છે. બીજા નંબરે સૂરતમાં સિટી વિસ્તારમાં 23 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 મળીને સૂરત જિલ્લામાં 25 કેસો છે જ્યારે વડોદરા અને ભાવનગર ખાતે 18-18 કોરોના કેસો હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.

24 કલાકમાં ચિંતાજનક રીતે વધ્યા કેસો, એક ઝાટકે 55 નવા કેસો મળતા ખળભળાટ

  • ગુજરાત અપડેટ
  • કુલ કેસ 241
  • કુલ મોત 17
  • રિકવરી 26

રાજ્યમાં સિટીવાઇઝ કેસો તા.9 એપ્રિલ સવારે 11 વાગ્યે

  • અમદાવાદ 133
  • સૂરત 25
  • ભાવનગર 18
  • વડોદરા 18
  • ગાંધીનગર 13
  • રાજકોટ 11
  • પાટણ 5
  • પોરબંદર 3
  • ગીરસોમનાથ 2
  • કચ્છ 2
  • આણંદ 2
  • છોટા ઉદેપુર 2
  • મહેસાણા 2
  • જામનગર 1
  • મોરબી 1
  • પંચમહાલ 1
  • દાહોદ 1
  • સાબરકાંઠા 1

ગુજરાત ડેથ-સ્પૉટ : કોરોનાના લોકલ ટ્રાન્સમિશનને રોકવા હવે બફર ઝોન

બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો ૧૮૯એ પંહોચી ચૂક્યો છે, જેમાં ૧૧૪ જેટલા દર્દીઓ સ્થાનિક લોકો છે અને તેમને બહારથી આવેલા લોકોનો ચેપ લાગી ચૂક્યો છે પરંતુ હવે આવા સ્થાનિક પોઝિટિવ દર્દીઓનો ચેપ સ્થાનિક સ્તરે પ્રસરે નહીં તે માટે પોઝિટિવ દર્દીના વિસ્તારોને બફર ઝોન જાહેર કરીને તેમાં આરોગ્ય તપાસણી સહિતના પગલાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બુધવારે જામનગરમાં અને સુરતમાં એક- એક દર્દીના મોત થતા મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચી ચૂક્યો છે. 

બુુધવારે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૨૩ પોઝિટિવ અને ૪ના મોત, ભાવનગરમાં ૧૬ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, રાજકોટમાં ૧૧ પોઝિટિવ, પાટણમાં ૫ પોઝિટિવ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ પોઝિટિવ, મહેસાણામાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, કચ્છમાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, ગીર સોમનાથમાં ૨ પોઝિટિવ, પંચમહાલમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, જામનગરમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, મોરબી, છોટાઉદેપુર, આણંદ, સાબરકાંઠામાં ૧-૧ પોઝિટિવ કેસ નોઁધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ ટેસ્ટ છે જ્યારે ૨૩૧ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં ૩૯૭૨ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૭૯ પોઝિટિવ, ૩૫૬૨ નેગેટિવ ટેસ્ટ છે. રાજ્યમાં કુલ ૧૨૨૯૯ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાંથી ૧૧૧૭૩ હોમ ક્વોરન્ટીન, ૯૫૨ સરકારી અને ૧૭૪ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

અમદાવાદ અડધું કોરોનાના બફર ઝોનમાં

રાજ્યમાં કોરોના વાઇરસના હોટ સ્પોટ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૩ કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાં કોટ વિસ્તારમાં સૌથી કેસો નોંધાતા હવે તેને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તાર એવા જૂના અમદાવાદની ૨૯ લાખ જેટલી વસ્તી એટલે કે અડધું અમદાવાદ બફર ઝોનમાં મુકવામાં આવ્યું છે. બફર ઝોનમાં ૬ જેટલા વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી ૧૪૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારના પ્રવેશવાના મોટાભાગના રસ્તા બંધ અથવા તો બેરીકેડ મારી ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે.

કોટ વિસ્તારમાં જ્યાં કલસ્ટર ઝોન છે ત્યાં થ્રી લેયર બનાવવામાં આવ્યું છે. બફર ઝોનમાં પ્રવેશતાં પહેલા જ બેરીકેડ મૂકી આરએએફ અને એસઆરપી તહેનાત કરાઈ છે અને પોલીસ ચેકપોસ્ટ બનાવાઈ છે. કોઈપણ વ્યક્તિને અંદર જતા પહેલા રોકી પૂછપરછ કરવામાં આવે છે, તો બહારની વ્યક્તિ હોય તો કેમ અંદર જવું છે તેમ પૂછપરછ બાદ જ જવા દેવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ કોરોના ચેકપોસ્ટ બનાવેલી છે તેમાં મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી તેનું તાપમાન ચેક કરવામાં આવે છે. જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના સેમ્પલ ટેસ્ટ માટે લેવાય છે. જે પણ વ્યક્તિ બહાર આવે છે. તેને કામ વગર બહાર ન નીકળવા સૂચના પોલીસ દ્વારા આપવામાં આવે છે.

કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા બાદ કોર્ડન કરી ચેકપોસ્ટ બનાવ્યા બાદ દરરોજ જેટલા લોકો નીકળતા હતા તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો આજે સવારે બહાર નીકળતા જોવા મળ્યા હતા. સવારે ૭થી ૯ દરમ્યાન શાકભાજી અને દૂધ લેવા જવા થોડી છૂટછાટને પગલે લોકો બહાર નીકળે છે. બપોર બાદ બહાર નીકળતાં લોકોને પોલીસ રોકી પૂછપરછ કરે છે. જો વગર કારણે બહાર નીકળે તો તેમના વાહનો જપ્ત કરી લે છે.

બફર ઝોન જાહેર કરાયા બાદ બપોરે ૧૨.૩૦ સુધીમાં કોટ વિસ્તારમાંથી લગભગ ૧૦૦૦૦ લોકો જ બહાર નીકળ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું ચેકિંગ કર્યું હતું.

ગુજરાતમાં કોરોના : ૯,૪૬૪ બેડની હોસ્પિટલો તૈયાર

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વાઈરસના સ્થાનિક સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાના ૯૪૬૪ દર્દીઓને સારવાર મળી રહે તે માટેની તૈયાર કરી છે. બુધવારે મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં હવે કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ ૧૯ માટે ૨૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય ૨૮ જિલ્લામાં ૩૨૦૦ બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-૧૯ કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯,૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોંચી વળવા સજ્જ થયું છે. 

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ ૨૨૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ૨૮ જિલ્લામાં કુલ ૩૨૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઇસીયુ ફેસેલિટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.

Reported on 8 April 2020

ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરતા અમદાવાદ અને વડોદરાના બે સેવા કર્મીઓને કોરોના પોઝિટિવ

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને વડોદરામાં ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરતા બે સેવા કર્મીઓને પણ કોરોના વાઈરસનો ચેપ લાગતા બન્નેને પોઝીટીવ કોરોના આવ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા હવે આવાં ટીફીન સેવાની કામગીરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પહેલો કેસ અમદાવાદ મણિનગરમાં

અમદાવાદમાં ભાથું બાંધવા જતાં કોરોના ગ્રસ્તગરીબોને ટિફીન પહોંચાડતા મણિનગરમાં રહેતાં ૫૫ વર્ષીય સેવા કર્મીને કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. તેઓ સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા. ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા જતા હતા. તેમને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુનિસિપાલ તંત્રએ શરુ કરી છે. આ સાથે હાલ ટીફીન સર્વિસ આપતાં બીજા છ લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના ત્રણ લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજો કેસ વડોદરામાં બન્યો

વડોદરામાં રવિવારે નાગરવાડાના એક વ્યક્તિનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિ સયાજી હોસ્પિટલ સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ આપવાની સેવા કરવા માટે જતો હતો. આ વ્યક્તિની સેવાની હિસ્ટ્રી બહાર આવતા વડોદરામાં કોરોના વાઈરસની કામગીરી માટે ખાસ નિમાયેલા ડો. વિનોદ રાવે લોકડાઉનમાં સેવા કરતી સંસ્થાઓની સેવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ગુજરાત અપડેટ્સ 8 એપ્રિલ 11 વાગ્યે

ગુજરાત રાજ્યમાં ગઇકાલે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા બાદ છેલ્લા 12 કલાકમા કોરોનાના વધુ ચાર દર્દી નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 179 પર પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના પોઝીટીવ આવેલા બે દર્દીના મોત થયા છે. જેમાં જામનગરના 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે તેમ આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ તા.8મી એપ્રિલે સવારે 10 વાગ્યે જણાવ્યું હતું.

આજે તા.8મી એપ્રિલે સવારે જે ચાર નવા કેસ સામે આવ્યા છે તેમાં સુરત, વડોદરાના એક-એક અને ભાવનગરના બે દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં તા.7મી એપ્રિલે નોંધાયેલા 20 કેસ બાદ આજે હજુ સુધી કોઈ નવો કેસ આવ્યો નથી.

હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીમાં બેની હાલત ગંભીર છે, અને બંને હાલ વેન્ટિલેટર પર છે જ્યારે 136 દર્દીઓ સ્ટેબલ છે, અને 25 લોકોને અત્યારસુધી ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યો છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સિનક્લોરોક્વિન, એઝીથ્રોમાઈસિન નામની બે દવા કોરોનાની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ઉપયોગી છે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. ગુજરાતમાં હાલ આ બંને દવાનો પૂરતો સ્ટોક છે.

ગુજરાતમાં હવે ગામડાઓનો વારો: બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો સર્વે થશે

ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અનેઆઇવીઆર થી લોકોની ખબર પૂછવામાં આવશે.

ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય બાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાંઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ થશે. જેમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકોની માહિતી ના આધારે એમનો ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડામાં આવ્યા હોય અને તેમને તાવ કે શ્વાસની તકલીફ હોય તેમનો અલગથી ટેસ્ટ કરાશે.

આ ઉપરાંત બીજા તબક્કાના આ સર્વેમાં તંત્ર ઘેર જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી ૧૦૪માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ફોનમાં આઇવીઆર સિસ્ટમથી લોકોની ખબર પૂછવામાં આવશે, જેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકશે.

ગુજરાતમાં સ્થાનિક સંક્રમણનો ભય વધ્યો

રાજ્યમાં હવે વિદેશથી આવેલા લોકોનો કોરોના વાયરસ સંક્રમણનો સમય પુરો થઇ ચૂક્યો છે પરંતુ તેમના સંપર્કમાં આવેલા આતંર રાજ્ય પ્રવાસ કરનારાં અને સ્થાનિક લોકોને હવે કોરોનાએ સકંજામાં લીધા છે. મંગળવારે સાંજ સુધીમાં એક દિવસમાં રાજ્યમાં ૧૯થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા, જેમાં તમામ લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યાં છે. સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ને પાર પહોંચ્યો છે. તેમજ પાટણમાં એક અને સુરતમાં એક દર્દીનું મોત થતાં રાજ્યમાં કોરોનાનો મૃતક આંક ૧૪ પર પહોંચ્યો છે. આ ઉપરાંત હવે આણંદ અને સાબરકાંઠા એમ બે નવા જિલ્લાઓમાં પણ કોરોનાએ પગરણ માંડ્યા છે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સાંજથી અત્યાર સુધીમાં ૧૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૬૫ પોઝિટિવ કેસમાંથી ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન, ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૩૭ નેગેટિવ છે, ૨૧ પોઝિટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ ૩૦૪૦ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૬૫ પોઝિટિવ, ૨૮૩૫ નેગેટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં ૭૭ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૧૯ કેસ અને ૩ના મોત, ભાવનગરમાં ૧૪ કેસ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ કેસ, વડોદરામાં ૧૨ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ કેસ, પાટણમાં ૫ કેસ, પોરબંદરમાં ત્રણ કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

Reported on 7 April 2020

ગુજરાતમાં 19 નવા કેસ : અમદાવાદમાં 13, પાટણમાં 3 અને આણંદ, સાબરકાંઠા અને ભાવનગરમાં 1-1-1 : ગુજરાતના પ્રયાસો યુદ્ધ સ્તરીય

તા.7મી એપ્રિલને મંગળવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 165 થવા પામીછે. સૌથી વધુ કેસીસ અમદાવાદ ખાતેથી પણ મળી આવ્યા હતા. નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝીટીવ કેસો મળવાના શરૂ થયા છે. હવે ગુજરાતમાં કુલ 16 જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો છે કોરોના વાઇરસ. ગુજરાતમાં આજે તા.7મી એપ્રિલે સવારે 19 નવા કેસો જાહેર થયા હતા જેમાંથી 13 અમદાવાદ, 3 પાટણ અને ભાવનગર, આણંદ અને સાબરકાંઠા ખાતે 1-1-1 નવા કેસો મળી આવ્યા છે.

કોરોના વાઇરસને પહોંચી વળવા માટે તેમજ પ્રીપેડનેસ પ્લાનમાં ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રયાસો યુદ્ધસ્તરીય ગણાય છે. ગુજરાતની કામગીરીની પ્રશંસા પણ થઇ રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે કેસો છે તેની સામે પ્રીપેડનેસ તેમજ ઘનિષ્ઠ કામગીરીને કારણે મોટા પ્રમાણમાં સંક્રમણને ટાળી શકાઇ રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા રવિવાર અને સોમવાર તા.5 અને 6 એપ્રિલ 2020ના આ બે દિવસમાં રાજ્યભરમાંથી કોરોના પોઝીટીવ હોય એવા 39 નવા કેસ મળી આવ્યાં છે. ગુજરાતમા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 146એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 12 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના માટે પણ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 કેસ લોકલ ટ્રાન્સમિશનના થયાં છે. જેમાંથી એક ચોક્કસ વિસ્તારમાંથી જ 31 કેસ સામે આવ્યાં છે. જ્યારે વિદેશથી આવેલા દર્દીઓની સંખ્યા 33 થઈ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસીસ

  • અમદાવાદમાં 77 કેસ
  • સુરતમાં 19
  • રાજકોટમાં 10
  • વડોદરા 12
  • ગાંધીનગર 13
  • ભાવનગરમાં 14
  • કચ્છ 2
  • મહેસાણામાં 2
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • પંચમહાલ અને
  • છોટા ઉદેપુરમાં 1-1
  • પાટણમાં 5
  • જામનગર 1
  • આણંદ 1
  • મોરબીમાં 1 કેસ

રાજ્યના 15 વિસ્તારો કોરોના હોટસ્પોટ

અમદાવાદમાં સૌથી વધુ 8 વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયા હતાં. જેમાં

  • દાણીલીમડા,
  • રખિયાલ,
  • જમાલપુર,
  • બાપુનગર,
  • હીરાવાડી,
  • આંબાવાડી,
  • શાહઆલમ અને
  • દરિયાપુરનો સમાવેશ થાય છે.

સૂરતના ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટમાં

  • સચિન
  • રાંદેર
  • બેગમપરા

વડોદરામાં

  • સૈયદપરા અને
  • નાગરવાડા

ભાવનગર શહેરના

  • રુવાવડી અને
  • સંધિયાવાડ વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાયા છે.

સુરત બેગમપુરાના ૧૧૪૭ મકાનના ૬૦૦૦ લોકો ક્વોરન્ટાઇન

સૂરત શહેરમાં બેગમપુરાના વૃદ્ધ અને તેના એક દિવસ બાદ તેમની સાસુના સેમ્પલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતુ. રવિવારે બેગમપુરા અને ઝાંપાબજારમાં મનપા દ્વારા ડિસઇન્ફેક્ટિવની કામગીરી કરવામાં આવી હતી. સાથે બેગમપુરા હાથી ફળિયાના ૧૧૪૭ મકાનમાં રહેતા છ હજાર લોકોને ક્વોરટાઈન કરવામાં આવ્યા હતા.

બેગમપુરાથી ઝાંપાબજાર વિસ્તાર નજીક હોવાથી ઝાંપાબજાર વિસ્તારની તમામ માર્કેટો ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવા સુરત મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જાહેરનામાંના અમલનો ભંગ કરનાર સામે એપેડેમિક ડીઝીસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા છે. જેમનો ૫૨૧૯ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા નવ લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

વલસાડના નારગોલમાં ૨૩ બોટમાં આવેલા ૧૧૨૩ માછીમારને ક્વોરન્ટાઈન કરાયા

નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી ૨૩ બોટના ૧૫૦૦થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

વલસાડના નારગોલમાં ૧૮૦૦માંથી ૧૧૨૩ માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ ૧૮૦૦ જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે.

એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા. ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઈ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે ઉમરગામ નારગોલ બંદરે ૨૩ જેટલી બોટને લંગારાઈ હતી. જેમાંના અંદાજે ૧૫૦૦ જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા.

આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે.

વડોદરામાં કોરોના વાઈરસથી વધુ 2 પોઝિટિવ 1 દર્દીનું મોત

વડોદરામાં કોરોના વાઈરસથી આજે સોમવારે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું હતું. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી બે દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે નવાં બે પોઝિટિવ કેસ નોંધાયાં કુલ દર્દીઓની સંખ્યાં ૧૨ થઇ છે.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના ૬૨ વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી ૧૮ માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. એક ૧૫ વર્ષની ઉંમરના કિશોર અને ૨૭ વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને ૧૨ થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Stage wise

ભારત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે

(કેન્દ્રીય આરોગ્ય વિભાગના પ્રવક્તા લવ અગ્રવાલના કહેવા મુજબ)

જાણો શું છે કોરોના વાયરસના વિવિધ સ્ટેજ

સ્ટેજ 1માં જે લોકો કોરોના વાયરસ જ્યાં ફેલાયો હોય તે દેશમાંથી આવે છે સૌથી પહેલા ઉદગમ કેન્દ્ર એટલે કે ચીનના લોકો ચેપગ્રસ્ત બન્યા. બાદમાં ઈટાલી અને ચીનમાંથી આવ્યા તે પૈકી કેટલાંક લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો.

સ્ટેજ 2 માં વિદેશથી આવેલા લોકો દ્વારા દેશના અન્ય લોકોમાં કોરોના વાયરસ ફેલાય છે.

સ્ટેજ 3 માં કોરોના વાયરસ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનારા અન્ય સામાન્ય લોકોમાં આ ચેપ ફેલાય છે. સ્ટેજ 3ને રોકવા માટે જ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. લોકોને ઘરમાં રહેવાનું જણાવવામાં આવે છે.

જ્યારે સ્ટેજ 4માં આ મહામારી પર નિયંત્રણ નથી રહેતું અને નવા કેસ સામે આવવા લાગે છે. જેમાં દેશના મોટાભાગના વિસ્તારમાં આ ચેપ ફેલાઈ જાય છે. 

April 4, 2020
CIA_Live_Logo_New2.jpg
13min17120

વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ

વાહન પ્રતિબંધ પરીણામદાયી

અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.

સૂરતમાં એક કેસ ઉમેરાયો

સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.

સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.

  • સૂરત અપડેટ્સ.
  • કુલ સેમ્પલ્સ 205
  • પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
  • પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
  • નેગેટીવ 188
  • મૃત્યુ 02
  • રિકવર 04
  • રિપોટર્ વેઇટિંગ 07

ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા

ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.

રવિવારે રાત્રે 9 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રવિવાર તા.5મી એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે અને 21 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.

રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 20 નવા દર્દીઓ સામે આવ્યા, જે એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા અમદાવાદમાં કોરોનાના નવા 8 સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.

મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે

એથી વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે.

ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી 9 જેટલા કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. ગુજરાત પોલીસે એવા 126 લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.

India Update

  • Confirmed Cases 4,067
  • Total Deaths 109
  • Total Recovered 292
  • Active Cases 3,666
STATE/UTCaseDeath
MAHARASHTRA69045
TAMIL NADU5715
DELHI5037
TELANGANA3217
KERALA3142
RAJASTHAN2530
U.P.2272
A.P.2263
M.P.1659
KARNATAKA1514
GUJARAT12811
JAMMU1062
HARYANA841
WEST BENGAL803
PUNJAB686
BIHAR301
ASSAM260
UTTARAKHAND260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH90
GOA70
PUDUCHERRY50
JHARKHAND30
MANIPUR20

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Reported on 5 April

Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ

સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.

સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

  • એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
  • એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
  • 2 ના મોત
  • 3 પેશન્ટ રિકવર
  • રિપોર્ટ પેન્ડીંગ 05

Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા

રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારના નવા 14 કન્ફર્મ કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો છે.

અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા છે, અને લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવના 108માંથી 64 કેસ લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના

કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.

લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા

જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે. કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.

દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.

સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.” ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના ઘડવાનું કામ કરી રહ્યું છે.

સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.

  • વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
  • વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
  • સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
  • સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
  • બેન્કોમાં ભીડને ટાળી શકાય
  • તબીબોની ઉપલબ્ધતા વધારવા
  • રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
  • ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
  • પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ

મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો નિર્દેશ અપાયો હતો.

દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન

કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે

કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.

આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે. લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને સારવાર મળી શકશે.

એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે. હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે.

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Reported Earlier on 4 April 2020

ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે

Gujarat Update 4 April 2020

ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12

  • અમદાવાદમાં 43
  • સુરતમાં 12
  • ગાંધીનગરમાં 13
  • રાજકોટમાં 10
  • વડોદરામાં 9
  • ભાવનગરમાં 9
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણા 1
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણ 1

World Update in Single Frame

India Update 4 April

Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838

સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ

  • સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
  • શહેર એક્ટીવ કેસ 06
  • જિલ્લા એક્ટીવ કેસ 02
  • નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
  • રીકવર 03
  • મૃત્યુ 01
  • 19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ

સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

India State Wise Cases on 4 April

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ

રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.

ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે

આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.

ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

દવાની અછત નથી: સરકાર

કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.

તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.

April 2, 2020
CIA_Live_Logo_New2.jpg
37min13220

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા મળેલા 7 કેસ, તમામ અમદાવાદના, પંચમહાલના એક દર્દીનું મોત

Gujarat Update

  • ગુજરાતમાં કોરોના ના 95 કેસ, મોત -8, સાજા-10
  • આજે 3 April અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા,
  • પંચમહાલમાં 1 મોત
  • અમદાવાદ:38
  • સુરત:12
  • રાજકોટ: 10
  • વડોદરા:9
  • ગાંધીનગર:11
  • ભાવનગર :7
  • કચ્છ:1
  • મહેસાણા -1
  • ગીરસોમનાથ -2
  • પોરબંદર -3
  • પંચમહાલ-1
  • અત્યાર સુધી કુલ 1944 ટેસ્ટ કર્યા.

ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના પોઝીટીવ હોય તેવા વધુ 7 દર્દીઓનો ઉમેરો થયો હતો. રાજ્યમાં નવા મળેલા સાતેય કેસો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાંથી મળી આવેલા એક કેસમાં દર્દીનું મોત નિપજતા ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને કુલ 8 થવા પામી છે.

India Update on 3 April at 10 am

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

India State wise cases

STATE/UTCasesDEATHS
MAHARASHTRA33516
TAMIL NADU3091
KERALA2862
DELHI2194
RAJASTHAN1330
ANDHRA PRADESH1321
KARNATAKA1243
UTTAR PRADESH1132
TELANGANA1073
M.PRADESH996
GUJARAT958
JAMMUKASHMIR702
WEST BENGAL533
PUNJAB464
HARYANA430
BIHAR241
CHANDIGARH180
ASSAM160
LADAKH140
ANDAMAN100
UTTARAKHAND100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY30
MANIPUR20

24 કલાકમાં દેશમાં કોરોના પોઝીટીવનો આંકડે 2000થી 2500 નજીક પહોંચી ગયો, નવા કેસોમાં 65 ટકા દિલ્હી મરકઝ સાથે કનેકશન ધરાવે છે

દિલ્હી સ્થિત મરકઝમાં તબલીગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત ત્રીજા દિવસે પણ વધારો થયો છે. માર્ચ મહિનાના મધ્યમાં દિલ્હી મરકઝ ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો પૈકી 295 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગુરુવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના નવા પોઝીટીવ કેસોની સંખ્યા 485 હતા જેમાંથી 50 ટકાથી વધુ કેસ દિલ્હી સ્થિત મરકઝમાં ગયેલા તબલીગી જમાત લોકો સાથે કોઇકને કોઇક રીતે કનેકશન ધરાવે છે અથવા તો એવા દર્દીઓ છે જેઓ પોતે જ મરકઝમાં સામેલ હતા.

તા.1લી એપ્રિલે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1965 હતા, તા.2જી એપ્રિલે આ આંકડો એક જ દિવસમાં વધીને 2500 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં સૌથી વધુ કેસ તબલીગી મરકઝ સાથેના કનેકશનના

દિલ્હીની વાત જ કરીએ તો ગુરુવારે ઓછામાં ઓછા 141 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. એકલા દિલ્હીમાં જ કોરોના પોઝીટીવ કુલ 141 કેસ પૈકી 129 કેસ તબલીગી જમાતના છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં 85 અને તામિલનાડુમાં 75 નવા કેસ સામે આવ્યા છે.

દક્ષિણ ભારતમાંથી દિલ્હી મરકઝમાં ગયેલા અને લોકો અને કોરોના પોઝીટીવ કેસો

દક્ષિણના રાજ્યો તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સામે આવેલા કોરોના પીડિતોના કુલ આંકડામાંથી 143 લોકો દિલ્હી મરકઝમાં સામેલ હતા અથવા તો કોઇકને કોઇક રીતે આ કાર્યક્રમમાં સામેલ લોકો સાથે સંપર્કમાં આવીને કોરોના ઇન્ફેક્ટેડ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આંધ્ર પ્રદેશના નોડલ અધિકારી શ્રીકાંત કહે છે કે અમે દિલ્હીથી આવેલા 758 લોકોના ટેસ્ટ કર્યા જે પૈકી 91 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો મકરજમાં ગયા હતા. મકરજની કુલ સંખ્યાના 16 ટકા જેટલા છે. અમારી પાસે તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામની જાણકારી છે અને જિલ્લા અધિકારીઓને તેમને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

તામિલનાડુમાં 75માંથી 74, તેલંગણામાં 27માંથી 26 અને કર્ણાટકમાં 14માંથી 11 નવા કેસ તબલીગી જમાતના છે. આંધ્રપ્રદેશમાં તમામ નવા 32 કેસ તબલીગી જમાતના છે.

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ

દિલ્હી મરકઝમાં સામેલ થયા બાદ જુદા જુદા રાજ્યોમાં ગયેલા લોકોને ટ્રેશ કરવાની અપાયેલી સૂચના બાદ રાજ્યોની તપાસમાં બહાર આવ્યું છે. એ મુજબ મધ્યપ્રદેશ, આસામ, મણિપુર અને અરુણાચલમાં પણ કન્ફર્મ થયેલા કોરોનાના નવા કેસ આ જ સંગઠનના સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં 13 નવા કેસ પૈકી 3, યુપીના 10 નવા કેસ પૈકી 2 અને મહારાષ્ટ્રના 88 નવા કેસ પૈકી 8 કેસ તબલીગી જમાત સાથે કોઈને કોઈ રીતે સંપર્ક ધરાવે છે.

આસામના આરોગ્ય પ્રધાને કહ્યું કે, ‘રાજ્યના 503 લોકોએ તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે પૈકી 488 લોકો સાથે અમારો સંપર્ક થઈ ચૂક્યો છે. તે પૈકી 361 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર 15 બીજા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

ભાવનગરમાં સુરતથી ચાર લાખ લોકો આવ્યા: ટ્રેક કરવાનું અઘરું

ભાવનગર: શહેર અને જિલ્લામાં સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં આજીવિકા માટે ગયેલાં હજારો પરિવારો લોકડાઉન વચ્ચે જ રાતોરાત પોતાના વતન આવ્યાં હોવાથી તંત્ર આવાં લોકો પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે પરંતુ અંદાજે ચાર લાખ લોકોમાંથી જે લોકો છુપાઇને આવ્યાં છે એવાં અઢી લાખ જેટલા લોકોને ટ્રેક કરવાનું પણ કઠીન બની રહ્યું છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવના છ થી વધુ કેસ નોંધાઇ ચૂકયાં છે અને બે દર્દીઓના મોત પણ થયાં છે. મરનારાં આ બન્ને દર્દીઓએ અનુક્રમે દિલ્હી અને સુરતનો પ્રવાસ કર્યો હતો, જયારે એક મહિલા દર્દી સુરતમાંથી હિજરત કરીને આવી હોવાનું જાણવા મળે છે. સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે. પરંતુ છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવા અઘરી વાત છે.

ભાવનગર જિલ્લાના ડીડીઓ વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવા હેલ્થ કર્મીઓ જાય છે પણ તેમની સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી હતી.

રાજકોટનો પ્રથમ દર્દી રિકવર થઇને ઘરે ગયો

ગુજરાતમાં ગુરુવારની સવાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલોમાં સાજા કરીને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ ૧૭મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો જેને આજે ગુરૂવારે સાજો કરીને રજા આપી દેવામાં આવી હતી. ૩૧મી માર્ચે રાજકોટમાં ૧૬ રિપોર્ટ અને ૧લી એપ્રિલે ૧૨ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ રાજકોટવાસીઓમાં એક પોઝિટિવીટી આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે જેમાંથી ત્રણ દર્દી વિદેશ પ્રવાસથી આવેલાં છે જ્યારે સાત દર્દી લોકલ છે.

રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દેખાયો હતો અને આ યુવાન દર્દીને ૧૭મીએ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ૧૫ દિવસથી સારવાર ચાલી રહી હતી. હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી.

Reported on 2 April 2020

કોરોના અપડેટ ભારત-1965 (50-મોત), ગુજરાત-87 (7 મોત) સૂરત-12 (1 મોત) (02 April 11 am)

સૂરત કોરોના અપડેટ (2 એપ્રિલ સવારે 10)

  • કુલ સેમ્પલ્સ ટેસ્ટીંગ 141
  • 122 નેગેટીવ
  • 10 પોઝીટીવ (સૂરત શહેર વિસ્તાર)
  • 02 પોઝીટીવ (સૂરત ગ્રામ્ય વિસ્તાર)
  • 02 રિકવર (શહેર વિસ્તાર)
  • 01 મૃત્યુ
  • 09 રિપોર્ટ વેઇટીંગ

ગુજરાત અપટેડ (2 એપ્રિલ સવારે 10)

  • અમદાવાદ 31
  • સૂરત 12
  • ગાંધીનગર 11
  • વડોદરા 09
  • રાજકોટ 10
  • ભાવનગર 07
  • ગીર 02
  • મહેસાણા 01
  • કચ્છ 01
  • પોરબંદર 01

ગુજરાતમાં હાલ 87 એક્ટીવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર બાકીના 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા

તા.2જી એપ્રિલ 2020ના રોજ સવારે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ 1લી એપ્રિલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

INDIA : Confirmed Cases : 1,965, Total Deaths : 50, Total Recovered : 151, Active Cases : 1,764 (2/4/20 @ 10am)

India Statewise

STATE/UTCasesDEATHS
MAHARASHTRA3029
KERALA2412
TAMIL NADU2341
DELHI1522
UP1032
KARNATAKA1013
TELANGANA963
RAJASTHAN930
AP830
GUJARAT877
MP663
J&K622
HARYANA430
PUNJAB423
WEST BENGAL373
BIHAR231
CHANDIGARH160
LADAKH130
ANDAMAN100
CHHATTISGARH90
UTTARAKHAND70
GOA50
ODISHA40
HIMACHAL31
PUDUCHERRY30
ASSAM10
JHARKHAND10

વડોદરામાં કોરોના વાયરસથી પહેલું મોત

કોરોના વાયરસના કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મોતના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ વખતે નિઝામપુરામાં રહેતા 55 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા અમદાવાદમાં 3, ભાવનગરમાં 2, સાબરકાંઠામાં 1નું મોત થયું હતું.

આજે 55 વર્ષના પુરુષનું કોરોના વાયરસના કારણે મોત થયું છે જેઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફર્યા હતા. પરિવારના 4 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ મોતની પુષ્ટી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ કરવામાં આવી છે. મૃતકના પરિવારના ચાર સભ્યો હાલ કોરોના વાયરસના કારણે સારવાર હેઠળ છે.

ICMRની ચેતવણી: કોરોનાવાયરસથી બચવા મેલેરિયાની આ દવા લેવાની ભૂલ ના કરશો

હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાથી બચાવે છે તેવું માની ઘણા લોકો તેનો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સિનિયર વૈજ્ઞાનિક રમન આર ગંગાખેડકરે જણાવ્યું છે કે આ દવા સામાન્ય વ્યક્તિએ ના લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને જ અપાય છે.

આ દવાને આરોગ્ય મંત્રાલય દ્વારા એસેન્શિયલ ડ્રગ જાહેર કરાઈ છે અને હાલની સ્થિતિમાં તેની વધારે જરુર હોવાથી રાજ્યોમાં તેના વિતરણ અને વેચાણ પર નિયંત્રણ મૂકી દેવાયા છે. ICMRએ વારંવાર કહ્યું હતું કે સ્વસ્થ લોકો આ દવા લેવાથી દૂર રહે.

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવશો તો પરિવારથી દૂર કરી ક્વોરન્ટીન કરવામાં આવશે

કોરોના વાઇરસ એ ચેપી રોગ છે જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને પણ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ બીમારીનો ભોગ બનો તો તમારા પરિવાર અને બાળકોથી દૂર થઈ જશો.

જેનું એક તાજું જ ઉદાહરણ અમદાવાદમાં રહેતા દંપતી સાથે થયું છે. પતિ-પત્નીના પોઝિટિવ કેસના કારણે તેમની પાંચ વર્ષની પુત્રી એકલી થઈ ગઈ હતી.

માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ અને અમદાવાદમાં કોઈ પરિવારજન ન હોવાથી બાળકી રઝળી પડી હતી. જ્યાં સુધી કચ્છથી તેના પરિવારજન ન આવી જાય ત્યાં સુધી તેને એક સોસાયટીના પાર્કિગમાં મૂકેલી ગાડીમાં સુવડાવવાની ફરજ પડી હતી.

પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. ત્યારે આ બાળકીને તેના પિતાના મિત્રના માતા-પિતા પાસે રાખવાની હતી. જો કે જ્યારે મિત્રની સોસાયટીમાં જાણ થઇ ત્યારે સોસાયટીના લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

બાળકીને અન્ય કોઈ વ્યક્તિના ઘરે પણ લઈ જવાય તેમ ન હતી. કારણ કે તેને લઈ જાય તો પરિવારને ક્વોરન્ટીનમાં રહેવું પડે.

જેથી જો કોઇ લોકડાઉનનો ચુસ્તપણે અમલ નહિ કરો અને કોઈ પોઝિટિવ કેસના સંપર્કમાં આવી ગયા હશો તો તમારે પણ ક્વોરન્ટીન થવું પડશે અને તમારા બાળકોથી અને પરિવારજનોથી દૂર થવું પડશે. એટલે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

માતા-પિતા કોરોના પોઝિટિવ અને પાંચ વર્ષની બાળકી નેગેટિવ: બાળકીને તેના કાકાને સોંપાઇ

કોરોનાની ભયાનકતા કેટલી હોય છે તેનો કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. માતા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૫ વર્ષની દીકરીને નેગેટિવ આવતા જ દીકરીને મા-બાપથી વિખૂટી પાડી દેવામાં આવી છે. અમદાવાદમાં કોઈ સગું રહેતું ના હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફએ આખી રાત સાચવી રાખી હતી. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. બંનેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઊભો થયો હતો. બાળકીને આખી રાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. ત્યાર બાદ બાળકીને એસવીપી હોસ્પિટલના સેફ ઝોનમાં રાખવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલના ડોક્ટરો, મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી હતી.

એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા. જોકે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહોતા.

World’s Corona Update on 2/4/20 @ 10.00 a.m.

OtherCasesDeathsRecovered1st case
World935,95747,245194,286Jan-10
USA215,2155,1108,878Jan-20
Italy110,57413,15516,847Jan-29
Spain104,1189,38722,647Jan-30
China81,5543,31276,238Jan-10
Germany77,98193118,700Jan-26
France56,9894,03210,935Jan-23
Iran47,5933,03615,473Feb-18
UK29,4742,352135Jan-30
Switzerland17,7684882,967Feb-24
Turkey15,679277333Mar-09
Belgium13,9648282,132Feb-03
Netherlands13,6141,173250Feb-26
Austria10,7111461,436Feb-24
S. Korea9,9761695,828Jan-19
Canada9,7311291,736Jan-24
Portugal8,25118743Mar-01
Brazil6,931244127Feb-24
Israel6,09226241Feb-20
Australia5,10523345Jan-24
Sweden4,947239103Jan-30
Norway4,8774413Feb-25
Czechia3,5893961Feb-29
Ireland3,447855Feb-28
Denmark3,107104894Feb-26
Chile3,03116234Mar-02
Malaysia2,90845645Jan-24
Russia2,77724190Jan-30
Ecuador2,7589858Feb-28
Poland2,5544356Mar-03
Romania2,46092252Feb-25
Japan2,38457472Jan-14
Luxembourg2,3192980Feb-28
Philippines2,3119650Jan-29
Pakistan2,1182794Feb-25
India1,99858148Jan-29
Thailand1,77112505Jan-12
Saudi Arabia1,72016264Mar-01
Indonesia1,677157103Mar-01
Finland1,4461710Jan-28
Greece1,4155152Feb-25
South Africa1,380550Mar-04
Mexico1,3783735Feb-27
Peru1,32347394Mar-05
Panama1,317329Mar-09
Dominican Republic1,284579Feb-29
Iceland1,2202236Feb-27
Argentina1,13333248Mar-02
Colombia1,0651739Mar-05
Serbia1,0602842Mar-05
Singapore1,0004245Jan-22
Croatia963673Feb-24
Algeria8475861Feb-24
Slovenia8411510Mar-03
Qatar835271Feb-28
UAE814861Jan-28
New Zealand797192Feb-27
Ukraine7942013Mar-02
Egypt77952179Feb-13
Estonia779533Feb-26
Hong Kong7664147Jan-22
Iraq72852182Feb-21
Diamond Princess71211619Feb-04
Morocco6543929Mar-01
Lithuania58187Feb-27
Armenia571431Feb-29
Bahrain5694337Feb-23
Hungary5252040Mar-03
Lebanon4791443Feb-20
Bosnia and Herzegovina4591319Mar-04
Latvia446 1Mar-01
Tunisia423125Mar-01
Moldova423523Mar-06
Bulgaria4221020Mar-06
Kazakhstan402326Mar-12
Slovakia40013Mar-05
Andorra3901410Mar-01
Costa Rica37524Mar-04
Azerbaijan359526Feb-27
North Macedonia3541117Feb-25
Uruguay350262Mar-12
Taiwan329545Jan-20
Cyprus320928Mar-08
Kuwait317 80Feb-23
Burkina Faso2821646Mar-08
Réunion281 40Mar-10
Jordan278536Mar-01
Albania2591567Mar-07
Afghanistan23745Feb-23
San Marino2362813Feb-26
Cameroon233610Mar-05
Vietnam222 63Jan-22
Honduras219143Mar-10
Cuba212612Mar-10
Oman210134Feb-23
Ghana195531Mar-11
Ivory Coast19019Mar-10
Senegal190145Mar-01
Malta188 2Mar-06
Uzbekistan181212Mar-14
Nigeria17429Feb-27
Faeroe Islands173 75Mar-03
Channel Islands1723 Mar-08
Belarus163253Feb-27
Mauritius1616 Mar-17
Sri Lanka146321Jan-26
Venezuela144343Mar-12
Martinique135327Mar-04
Palestine134118Mar-04
Brunei131152Mar-08
Guadeloupe125624Mar-12
Montenegro1232 Mar-16
Georgia117 23Feb-25
Bolivia11571Mar-09
Kyrgyzstan111 3Mar-17
Cambodia110 34Jan-26
DRC10993Mar-09
Mayotte101110Mar-13
Trinidad and Tobago9051Mar-11
Rwanda82  Mar-13
Kenya8113Mar-12
Gibraltar81 34Mar-02
Paraguay7732Mar-06
Niger745 Mar-18
Liechtenstein72  Mar-02
Isle of Man681 Mar-18
Madagascar57  Mar-19
Monaco5512Feb-27
Aruba55 1Mar-12
Bangladesh54625Mar-07
French Guiana51 15Mar-06
Guatemala46112Mar-12
Barbados45  Mar-16
Jamaica4432Mar-09
Uganda44  Mar-20
El Salvador412 Mar-18
Macao41 10Jan-21
French Polynesia37  Mar-10
Togo36210Mar-05
Zambia36  Mar-17
Djibouti33  Mar-17
Bermuda32 10Mar-17
Mali313 Mar-24
Guinea30  Mar-12
Ethiopia29 2Mar-12
Congo222 Mar-14
Cayman Islands221 Mar-12
Saint Martin2212Feb-29
Bahamas2111Mar-14
Tanzania2011Mar-15
Guyana194 Mar-11
Maldives19 13Mar-06
Gabon181 Mar-12
Myanmar161 Mar-22
Sint Maarten1616Mar-17
Haiti16 1Mar-19
New Caledonia16 1Mar-17
Equatorial Guinea15 1Mar-13
Eritrea15  Mar-20
Mongolia14 2Mar-09
Namibia14 2Mar-13
Benin13 1Mar-15
Saint Lucia13 1Mar-12
Dominica12  Mar-21
Curaçao1113Mar-12
Syria102 Mar-21
Greenland10 2Mar-15
Grenada10  Mar-21
Laos10  Mar-23
Libya10  Mar-23
Mozambique10  Mar-21
Seychelles10  Mar-13
Suriname10  Mar-12
MS Zaandam92 Mar-26
Guinea-Bissau9  Mar-24
Eswatini9  Mar-13
Angola821Mar-19
Zimbabwe81 Mar-19
Saint Kitts and Nevis8  Mar-24
Sudan722Mar-12
Antigua and Barbuda7  Mar-12
Chad7  Mar-18
Cabo Verde61 Mar-19
Mauritania612Mar-12
Vatican City6  Mar-05
Liberia6  Mar-15
St. Barth6 1Feb-29
Turks and Caicos6  Mar-22
Nicaragua51 Mar-18
Nepal5 1Jan-23
Bhutan5 1Mar-05
Fiji5  Mar-18
Montserrat5  Mar-17
Somalia5 1Mar-15
Botswana41 Mar-29
Gambia412Mar-16
Belize3  Mar-22
British Virgin Islands3  Mar-24
CAR3  Mar-14
Anguilla2  Mar-25
Burundi2  Mar-30
Caribbean Netherlands2  Mar-31
St. Vincent Grenadines2 1Mar-10
Sierra Leone2  Mar-30
Papua New Guinea1  Mar-19
Timor-Leste1  Mar-20
Total:935,95747,245194,286 
March 30, 2020
coronaindia-1-1280x1044.jpg
8min4810

દેશમાં 30મી માર્ચે કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા

  • Confirmed Cases : 1,251
  • Total Deaths : 32
  • Total Recovered : 102
  • Active Cases : 1,117

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું.

ભારતમાં હજુ કોમ્યુનિટી લેવલ પર નથી દેખાયો કોરોના

દેશભરમાં કોવિડ-19 (Covid-19)ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે લોકડાઉનની સકારાત્મક દિશામાં અસર દેખાઈ રહી છે અને ઘાતક વાયરસ હાલ ‘લોકલ ટ્રાન્સમિશન’ (બીજા) સ્ટેજમાં છે. સરકારે જણાવ્યું છે કે જેવા આ વાયરસના “કમ્યુનિટી ટ્રાન્સમિશન”ના પુરાવા મળશે કે તરત નાગરિકોને વધારે એલર્ટ કરી દેવાની સૂચના આપી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ લોકોને રોગચાળાને લગતી સાચી માહિતી આપીને જાગૃત કરવા જોઇએ. દેશમાં હજી પણ અનેક સ્થળે લોકો ખોટી માહિતી કે અંધશ્રદ્ધાને કારણે ટોળે વળે છે અને શારીરિક સંપર્ક ટાળતા નથી.

રોગચાળાની ખોટી માહિતી નહિ ફેલાવો : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરતા સોમવારે જણાવ્યું હતું કે સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા સંગઠનો કોરોના વાઇરસને લગતી અંધશ્રદ્ધા અને ખોટી માહિતી ફેલાતી રોકવામાં સહાય કરી શકે છે.

મોદીએ સમાજના કલ્યાણ માટે કામ કરતા વિવિધ સંગઠનોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમ જ તબીબી સુવિધા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

વડા પ્રધાનની કચેરીએ બહાર પાડેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે દેશ હાલમાં અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે અને સામાજિક સંગઠનોની બહુ જ મોટી સેવાની જરૂરિયાત છે.

મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે ગરીબો અને અન્ય નબળા વર્ગના લોકોની સેવા જ દેશની મોટી સેવા ગણાય. જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે.

મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરનારા સામાજિક સંગઠનોના સ્વયંસેવકોએ પોતાના દ્વારા ભોજનના પૅકૅટ્સ, સૅનિટાઇઝર્સ, દવા અને કરિયાણાની અન્ય ચીજોના કરાયેલા વિતરણની જાણકારી આપી હતી.

કોરોનાનો ભય: હજારો કેદીઓને વચગાળાના જામીન પર છોડી મૂકાયા

કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા અને કેદીઓ વચ્ચેની અથડામણનો ભય ટાળવાના પ્રયાસો વચ્ચે એક અસાધારણ પગલું લેતાં વહીવટકર્તાઓએ દેશભરની ખીચોખીચ ભરેલી જેલના હજારો કેદીઓને વચગાળાના જામીન કે પૅરોલ પર છોડી દેવામાં આવ્યા હોવાનાં અહેવાલ છે.

ખીચોખીચ ભરેલી દિલ્હીની તિહાર જેલમાંથી બીજા તબક્કામાં ૧૫૦૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે, એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

એશિયાની સૌથી મોટી અને ગીચ જેલ ગણાતી પ્રથમ તબક્કામાં કુલ ૩૦૦૦ કેદીમાંથી ૪૦૦ કેદીને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના ડિરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિલ્હીની તિહાર જેલની કુલ ક્ષમતા ૧૦,૦૦૨૬ કેદીની છે તેની સામે તેમાં કુલ ૧૭,૪૪૦ કેદીઓ છે જેમાંથી ૧૪,૩૫૫ અન્ડર ટ્રાયલ કેદીઓ હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના કેદીઓમાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જેલમાં કોરોના વધુ ઝડપથી ફેલાય તેવી શક્યતા હોવાને કારણે જેલના ખૂણેખૂણાનું

નિયમીત રીતે સૅનિટાઈઝેશન અને સફાઈ કરવામાં આવે છે. કેન્દ્રના આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૭૧ કેસ નોંધાયા હોવા ઉપરાંત તેને કારણે ૨૯ જણનાં મોત થયા છે.

વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા અન્ડર ટ્રાયલ કેદીઓને પણ આ જ પ્રકારનો લાભ આપવાનું કૉર્ટે સૂચન કર્યું હતું.

મોદીએ પોતાના યોગ કરતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો શૅર કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દ્વારા યોગ કરીને કઇ રીતે શારીરિક સુસજ્જ રહેવાય છે, તેની જાણકારી આપતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો ટ્વિટર પર શૅર કર્યા હતા.

તેમણે ટ્વીટ કર્યું હતું કે મને રવિવારે એક જણે ‘મન કી બાત’ કાર્યક્રમમાં શારીરિક સુસજ્જતા જાળવવા માટેની મારી દરરોજની કસરત અંગે પૂછ્યું હતું. હું આશા રાખું છું કે તમે બધા પણ નિયમિત યોગ કરશો.

મોદીએ જણાવ્યું હતું કે હું શારીરિક સુસજ્જતા જાળવવાની સલાહ આપી શકતો નિષ્ણાત કે યોગનો પ્રશિક્ષક નથી. હું માત્ર યોગની પ્રૅક્ટિસ કરનારો છું. યોગના અનેક આસનની સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર થાય છે.

India State wise Update 31/03 at 10 am

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2021
MAHARASHTRA1988
DELHI872
KARNATAKA833
UP820
TELANGANA711
GUJARAT696
TAMIL NADU671
RAJASTHAN590
J&K482
MADHYA PRADESH473
PUNJAB381
HARYANA360
ANDHRA PRADESH230
WEST BENGAL191
BIHAR151
LADAKH130
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND70
CHHATTISGARH70
GOA50
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

Reported on 30 March 2020

Confirmed – 1,024, Deaths – 27, Recovered – 96, Active – 901

India Cases on 30/03 @ 9 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP660
GUJARAT595
RAJASTHAN540
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K312
MADHYA PRADESH302
ANDHRA PRADESH190
WEST BENGAL181
LADAKH130
BIHAR91
ANDAMAN90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
GOA60
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

સામૂહિક ચેપ અટકાવવા રાજ્યોની સરહદો સીલ કરવાનો આદેશ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં તીવ્ર વધારા સાથે આંક હજારને પાર કરી ગયો હોવાથી અને કોરોનાને કારણે ૨૫ લોકોના મૃત્યુ થયા હોવાથી કેન્દ્ર સરકારે રવિવારે પરપ્રાંતિય કામદારો દ્વારા સંભવિત કોરોનાવાયરસના સામૂહિક ચેપને રોકવા માટે દેશભરના રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ઉલ્લંઘન કરનારાઓને ૧૪ દિવસના કવોરન્ટાઇનનો સામનો કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લોકડાઉનનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો હતો.

પરપ્રાંતિય કામદારોની મોટા પાયે હિજરતથી ચિંતિત, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ રાજ્ય અને જિલ્લાની સરહદોને અસરકારક રીતે સીલ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સરકારી સુવિધાઓમાં ૧૪-દિવસની ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે.

લૉકડાઉનનો 5 દિવસ પૂર્ણ

રવિવારે દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનનો પાંચમો દિવસ હતો. કામધંધા બંધ થઇ ગયા હોવાથી તેઓ બેકાર થઇ ગયા હતા અને ભૂખે મરવા કરતા તેમણે પોતાના વતન પાછા ફરવાનું મુનાસિબ સમજ્યું હતું. પરપ્રાંતિય કામદારોએ અને અનેક રાજ્ય તથા જિલ્લાની સરહદ પર ભારે ભીડ જમાવી હતી. તેઓ પાસે ખાવાપીવાની પણ કોઇ વ્યવસ્થા નહોતી. સખાવતી સંસ્થાઓ, સ્વયંસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ સહિતની સરકારી સંસ્થાઓએ દેશભરના હજારો લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરી હોવા છતાં પણ અનેક લોકો આ સરકારી સુવિધા અને પહોંચથી વંચિત રહ્યા હતા.

વડાપ્રધાનની મન કી બાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ’મન કી બાત’ના રેડિયો પ્રસારણમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે થયેલી મુશ્કેલીઓ માટે રાષ્ટ્રની ક્ષમા માંગી હતી અને કહ્યું હતું કે તે જરૂરી છે કારણ કે દેશ જીવન અને મૃત્યુનો જંગ લડી રહ્યો છે. તેમ છતાં કોરોનાવાઇરસ સામેના જંગમાં જીતવાનો અતૂટ વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કટોકટીભર્યા સમયમાં દેશમાં અતિઆવશ્યક સેવાઓ પહોંચાડનારા અસંખ્ય કામદારો અને ફ્રન્ટલાઇન વર્કર્સોની તેમણે પ્રશંસા કરી હતી.

ભારતમાં ઇંધણની કટોકટી નથી

ઇંધણના વપરાશમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ભારતમાં ઇંધણની કોઈ કટોકટી નથી એમ જણાવતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું હતું કે દેશમાં ત્રણ અઠવાડિયાના લોકડાઊંનની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ નો જથ્થો તેના કરતા વધુ લાંબો સમય ચાલે એમ છે. જે દિવસે દેશમાં ૨૧ દિવસના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી તે જ દિવસે તેમના પિતાનું મૃત્યુ થયું હોવા છતાં દેશના તમામ વિસ્તારમાં ઇંધણની અછત ન સર્જાય અને લોકો ગભરાટના માર્યા બુકિંગ ન કરાવે તેની ખાતરી કરવા તેમણે વિતરણની કામગીરી પર દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ મહિના તેમ જ ત્યાર બાદ પણ લોકોને ઇંધણ નો અખંડ પુરવઠો મળતો રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમને કહ્યું હતું. ઇંધણના મોટા સંગ્રહસ્થાન તેમ જ રાંધણ ગેસ એજન્સી ઓ, પેટ્રોલ પંપ, સામાન્ય રીતે જ ચાલી રહ્યા છે અને દેશમાં ઇંધણની કોઈ કટોકટી નથી, એમ તેમણે કહ્યું હતું.

March 30, 2020
coronaguj-1280x875.jpg
14min13340

કોરોના સ્પ્રેડ માટે અમદાવાદ દેશના 10 હોટસ્પોટમાં, ઇન્ફેકશન અટકાવવા યુદ્ધસ્તર પર કામગીરી શરૂ

કોરોના માટે દેશના ટોપ 10 હોટસ્પોટમાં ગુજરાતના અમદાવાદનો સમાવેશ

  • દિલશાદ ગાર્ડન
  • નિઝામુદ્દીન
  • નોઇડા
  • મૈરુત
  • ભીલવાડા
  • અમદાવાદ
  • કસરગડ
  • પથનમથ્થિટ્ટા
  • મુંબઇ
  • પૂના

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સ્પ્રેડ માટે સૌથી વધુ સેન્સિટીવ હોય તેવા 10 હોટસ્પોટ જાહેર કર્યા છે. જેમાં ઉપરોક્ત દસ શહેરોના સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે. અહીં કોરોનાની રોકથામ માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં મોટા ભાગના કેસો લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં મળી આવેલા તા.31મી માર્ચે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના મળેલા ૭૩ પોઝીટીવ કેસમાંથી ૩૭ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર હોટ સ્પોટ કર્યા છે. પાંચ દર્દીઓ હકારાત્મક રીતે સારવાર લઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પીપીઈ કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો ૧.૨૩ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ૧૦ લાખ નવા માસ્ક લેવામાં આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠાના તમામ લોકોને માસ્ક આપવામાં આવશે.

તા.31મી માર્ચે ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા વધુ ૩ નવા કેસ ઉમેરાયા હતા. જેમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે.

  • ગુજરાતમાં કેસોની સ્થિતિ
  • અમદાવાદ 23
  • ગાંધીનગર 11
  • રાજકોટ 10
  • સૂરત 09
  • વડોદરા 09
  • ભાવનગર 06
  • ગીર સોમનાથ 02
  • કચ્છ 01
  • મહેસાણા 01
  • પોરબંદર 01

India Update :

  • Confirmed Cases : 1,397,
  • Total Deaths : 35,
  • Total Recovered : 124, 
  • Active Cases :1,238

State wise cases

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2341
MAHARASHTRA2169
UP1010
DELHI972
KARNATAKA833
TELANGANA791
RAJASTHAN740
GUJARAT736
TAMIL NADU671
J&K542
MADHYA PRADESH473
PUNJAB413
HARYANA400
ANDHRA PRADESH400
WEST BENGAL262
BIHAR151
LADAKH130
CHANDIGARH130
ANDAMAN100
CHHATTISGARH80
UTTARAKHAND70
GOA50
ODISHA30
HIMACHAL31

ગુજરાતમાં 1400થી વધુ સેમ્પલ્સ ટેસ્ટીંગ થઇ ચૂક્યું છે

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડો. રવિએ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં ૨૩, સુરતમાં ૦૯, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં જિલ્લાદીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે ૭૩ કેસ પોઝીટીવ છે તેમાં ૬૦ દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.

કેન્દ્ર દ્વારા અમદાવાદને કોરોના પ્રોટેકશન માટે હોટસ્પોટ જાહેર કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ સિટી જાહેર કરાયું છે જેની સામે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર ક્ધટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે. ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરાયો છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે.

ગુજરાતમાં હવે 9 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગ

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જૂનાગઢમાં કોરોના અંગે અફ્વા ફેલાવનાર 2ની ધરપકડ

જૂનાગઢ જિલ્લામાં હાલ કોરોનાને લઈને લોકડાઉન છે, ત્યારે મોબાઈલ ઉપર, વોટ્સએપ કે અન્ય સોશિયલ સાઈટ ઉપર અફ્વા ફેલાવતા અટકાવવા માટે જિલ્લા પોલીસે સાયબર સેલની મદદથી સોશિયલ સાઈટ પર મોનીટરીંગ શરૂ કરું હતું. જેમાં જૂનાગઢમાં જય વિર વચ્છરાજ નામના વોટ્સએપ ગ્રુપમાં એક મોબાઈલ નંબરના ઘારકે જનતા અને પોલીસ સાથેનો ઘર્ષણનો વીડિયો જૂનાગઢનો હોવાનું જણાવી વાયરલ કર્યો હતો, તેમજ ભેંસાણના કારીયા ગ્રુપમાં એક શખસે બ્રેકીંગ ન્યુઝ જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો હોવાનો મેસેજ મુક્યો હતો તે જીગ્નેશ દેવગીરી મેઘનાથી નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા બનાવમાં માંગરોળનાકાના મેરામણ ચાવડા નામના શખસે ગિર સોમનાથ જિલ્લામાં પોઝિટિવ જાહેર કરાયેલા વ્યક્તિ માંગરોળના એક વ્યવસાયિક પાર્ટનર અમદાવાદ એરપોર્ટથી રિસીવ કરી વેરાવળ આવેલા અને તે અનેક લોકોના સંપર્કમાં હોવાનો મેસેજ વાયરલ કર્યો હતો. પોલીસે તેની સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી.

Reported on 31 March 2020

ગુજરાતમાં 71 કેસ, 6 ના મોત

  • અમદાવાદમાં 23
  • રાજકોટ 10
  • સૂરત 09
  • રાજકોટ 09
  • ગાંધીનગરમાં 9
  • ભાવનગરમાં 6
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણામાં 1
  • પોરબંદરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

India Update

Confirmed Cases : 1,251

Total Deaths : 32

Total Recovered : 102

Active Cases : 1,117

India State wise

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2021
MAHARASHTRA1988
DELHI872
KARNATAKA833
UP820
TELANGANA711
GUJARAT716
TAMIL NADU671
RAJASTHAN590
J&K482
MADHYA PRADESH473
PUNJAB381
HARYANA360
ANDHRA PRADESH230
WEST BENGAL191
BIHAR151
LADAKH130
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND70
CHHATTISGARH70
GOA50
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

તા.30મી માર્ચે સોમવારે સાંજે ગુજરાતમાં સુરત અને રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 71એ પહોંચ્યો છે અને 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. અને હવે ગુજરાતમાં મળી રહેલા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે હોવાનું બહાર આવ્યું હોઇ, હવે રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ લૉકડાઉનને સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરાવવા માટે કટિબદ્ધ બન્યા છે.

સૌરાષ્ટ્ર કોરોના કન્ટ્રોલ રૂમ

લૉકડાઉનમાં કારણ વગર ફરતા લોકોના 6 હજાર વાહનો જપ્ત

પોલીસ લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય તેવા પ્રયત્ન કરી રહી છે તો વગર કારણે બહાર નીકળેલા 6000 કરતાં વધુ વાહનો પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ એક-બે ટામેટાં બહાર લેવા નીકળતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાથી છઠ્ઠું મોત: ૨૪ કલાકમાં ૧૧ નવા પોઝિટિવ કેસ

રાજ્યમાં હવે કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ધીરે ધીરે પોઝીટીવ કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે બપોર સુધીમાં કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસ હતાં જેમાં ૨૪ કલાકમાં ૧૧ વધુ કેસનો વધારો થતાં રાજ્યમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૬૯ થી ઉપર પહોંચ્યો છે જ્યારે સોમવારે ભાવનગરમાં એક પોઝીટીવ મહિલા દર્દીનું મોત થતાં કોરોનામાં મરનારાં દર્દીઓનો આંકડો છ ઉપર પહોંચ્યો છે.

અમદાવાદમાં સૌથી વધું ૨૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોમવારની બપોર સુધીમાં છ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે રાજ્યમા કુલ ૬૯ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૮, રાજકોટમાં ૯, વડોદરામાં ૯, ગાંધીનગરમાં ૯, ભાવનગરમાં ૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી ૫૯ દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા ત્રણ , ભાવનગરમાં બે, અને સુરતમા એક નાગરિકનુ નિધન થયું છે. ડો. રવિ વધુમાં ઉમેર્યું હતું કે આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના એક ૩૮ વર્ષના પુરુષનો કેસ છે.

અમેરિકાના વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે એજ રીતે ભાવનગરના ચાર પુરુષ અને એક મહિલાનો કેસ છે જે લોક્લ ટ્રાન્સમિશન ધરાવે છે. રાજ્યમાં બે દર્દીઓને ૧૪ દિવસનો કોરંટાઇન પૂર્ણ થતા તેમના પ્રોટોકોલ મુજબ પુન:ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા છે તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવાયુ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, હાલ ૧૮,૭૦૧ હોમ કોરંટાઇન, ૭૪૪ સરકારી, ૧૭૨ ખાનગી મળી કુલ ૧૯,૬૧૭ લોકો કોરંટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં ૫.૯૦ કરોડ નાગરિકોનું સર્વેક્ષણ – ટ્રેકિંગ પૂર્ણ કર્યો છે.

સોમવારે તા.30મી માર્ચે દેશમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું. આમ છતાં, આપણી પાસે હજી પણ પરીક્ષણની જરૂરી ક્ષમતા ૩૦ ટકાથી ઓછી છે.

Reported on 30 March 2020

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી 21 દિવસના લૉકડાઉનને લંબાવવાની કોઇ યોજના નથી

કોરોના અપડેટ : ભારત-1024 (મોત-28), ગુજરાત-69 (મોત-6) સૂરત-7 (મોત-1)

ગુજરાતના ભાવનગર ખાતેથી કોરોનાના એક સાથે 5-5 કેસ પોઝીટીવ મળી આવતા ગુજરાતના આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઇ છે. ભાવનગર કલેક્ટરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે એક સાથે પાંચ દર્દીઓના સેમ્પલ્સનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એથી વિશેષ આજરોજ તા.30મી માર્ચ 2020ના રોજ ભાવનગર ખાતે કોરોના પોઝીટીવ એવી 45 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. આ મહિલાને તેના સંબંધી દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવે છે.

સૌથી વધુ પોઝિટિવ કેસનો આંકડો પણ અમદાવાદનો જ છે. અહીં 23 દર્દીઓ પોઝિટિવ છે જ્યારે ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 9-9 કેસ છે, તો સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1 પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં પાછલા 12 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે.

  • ગુજરાત કોરોના અપડેટ 30મી માર્ચ 2020 બપોરે 12 કલાકે
  • અમદાવાદ 23
  • ગાંધીનગર 9
  • રાજકોટ 9
  • વડોદરા 9
  • સૂરત 8
  • ભાવનગર 6
  • ગીર-સોમનાથ 2
  • મહેસાણા 1
  • પોરબંદર 1
  • કચ્છ 1

સૂરતની વાત કરીએ તો સૂરતમાં કુલ 7 પોઝીટીવ કેસ છે. એક વ્યક્તિનું મોત નિપજી ચૂક્યું છે. કુલ 10 સેમ્પલ્સ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે.

  • સૂરત કોરોના અપડેટ તા.30મી માર્ચ 2020 બપોરે 12 કલાકે.
  • કુલ સેમ્પલ્સ 89
  • પોઝીટીવ કેસ 07 (એક મોત)
  • રીકવર 01
  • પેન્ડિંગ 02
  • નવા શંકાસ્પદ કેસીસ 08

Confirmed Cases – 1,024, Deaths – 27 Total Recovered-96 Active Cases -901

India State wise Cases on 30/03 at 10am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP660
GUJARAT595
RAJASTHAN540
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K312
MADHYA PRADESH302
ANDHRA PRADESH190
WEST BENGAL181
LADAKH130
BIHAR91
ANDAMAN90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
GOA60
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

સમગ્ર દેશમાં પરપ્રાંતીય કામદારોની મોટા પાયે હિજરત શરૂ થતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉન પિરીયડ જે 21 દિવસ છે તેને લંબાવવાની હાલમાં કોઇ યોજના નથી.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો કુલ ૫૮ કેસમાં ૨૬ લોકલ ટ્રાન્સમિશનવાળા દર્દીઓ

વિદેશી વાયરસ કોરોનાના મોટાભાગના દર્દીઓ સામાન્ય રીતે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકોમાં જ પ્રથમ તબક્કે જોવા મળે છે પરંતુ આવાં લોકોના દેશમાં આવ્યાં બાદ પ્રથમ તેમના સંપર્કમાં આવેલાને ચેપ લગાડે છે ત્યારબાદ ત્રીજી વ્યકિત સુધી આવો ચેપ પ્રસરી જતો હોય છે. ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકો બાદ સ્થાનિક લોકોને પણ ઝડપમાં લેવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસમાંથી ૨૬ લોકો સ્થાનિક છે જેઓ ક્યારે વિદેશ ગયાં જ નથી પરંતુ વિદેશ પ્રવાસીઓની સંપર્કમાં આવ્યાં બાદ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

ગુજરાતમાં સરકાર અને પોલીસ દ્વારા લોકડાઉનની સ્થિતિ વધુ કડક બનાવામાં આવી રહી છે. તેની પાછળનું એક કારણએ પણ છે કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ચાર કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા પાંચ મોતમાં પણ બે લોકલ ટ્રાન્સમિશન અને બે આંતરરાજ્યના કેસ છે. અમદાવાદમાં કુલ કોરોનાના ૨૧ પોઝિટિવ કેસમાં સાત કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જયારે બે આંતર રાજ્ય અને ૧૨ વિદેશના છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તો લોકલ ટ્રાન્સમિશનના કેસ સૌથી વધુ છે. ગાંધીનગરમાં કુલ ૯ કેસમાં ૭ લોકલ ટ્રાન્સમિશનના છે. જ્યારે રાજકોટમાં પણ કુલ ૮ કેસમાં ૬ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરતમાં કુલ ૭ કેસમાં ૨ લોકલ અને ૪ વિદેશી છે. વડોદરામાં પણ કુલ ૯ કેસમાં ૩ લોકલ ટ્રાન્સમિશન વાળા છે.

ગુજરાતમાં કોરોનાથી વધુ બે દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો

ગુજરાતમાં ૧૨ કલાકમાં કોરોના વાયરસથી વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. કેસના રીપોર્ટ રાત સુધીમાં આવતા કેસનો આંકડો 61 કેસ થયો છે. બીજી તરફ અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં રાજ્યમાં કોરોના વાયરસથી મરનારાંઓનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ત્રણ અને ભાવનગર સુરતમાં એક-એક દર્દીઓના મોત થયાં છે. અમદાવાદમાં શનિવારે રાત્રે એક પોઝિટિવ દર્દીનું મોત થયાં બાદ આજે રવિવારે વધુ એકનું મોત થયું હતું જ્યારે નવાં ત્રણ પોઝિટિવ દર્દી સાથે અત્યાર સુધીમાં કુલ ૨૧ જેટલા દર્દીઓ નોંધાયાં છે. રવિવારે મોત પામનારાં દર્દીને ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં ૬૭ વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યો હતો.

આ ઉપરાંત ૩૪ વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ રવિવારની સાંજ સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૫૮ કેસમાં અમદાવાદમાં ૨૧, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૮, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૦૯, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ અને જિલ્લા કક્ષાએ ૫૫૦૦ જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે ૧૨૦૦, સુરત ખાતે ૫૦૦, વડોદરા ખાતે ૨૫૦, રાજકોટ ખાતે ૨૫૦ બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજ રીતે રાજ્યના તમામ જિલ્લામાં ૫૦ સરકારી અને ૫૦ ખાનગી મળી અંદાજે ૧૦૦ બેડની સુવિધાવાળી ૩૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોય તો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ ૨૭૬૧ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં ૧૦૬૧ સરકારી સંસ્થામાં અને ૧૭૬૧ ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, એવું તેમણે જણાવ્યું હતું.