CIA ALERT

વાયરલ Archives - Page 63 of 80 - CIA Live

May 1, 2020
Zonation.jpg
1min6970
  • 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મોટા ભાગે મહાનગરોનો સમાવેશ
  • 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં જ્યાં 20થી ઓછા કેસ
  • 5 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં જ્યાં એક પણ કોરોના કેસ નથી

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશમાં 28 રાજ્યો તેમજ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નોંધાયેલા કેસોને આધારે રાજ્યોના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી એક વિસ્તૃત યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમજ 19 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં જ્યારે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદરન સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીના 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

April 30, 2020
ugc.jpeg
1min19150

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 29, 2020
cbse_logo.jpeg
2min10400

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5080

કોરોના સુપર સ્પ્રેડરથી બચો, સુપર સ્પ્રેડરમાં દૂધ-શાક-કરીયાણા વિક્રેતાઓ

હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.

શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.

April 29, 2020
coronaguj-1280x875.jpg
1min4430

ગુજરાતમાં તા.28મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય એવા નવા 226 કેસ મળી આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા આ સાથે જ 3774એ પહોંચી ગઇ છે. તા.28મી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાથી પીડીત હોય તેવા વધુ 19 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાતનો મૃત્યુઆંક 181  થયો છે.

નવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

April 28, 2020
corona-1.jpg
1min6090

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
curfew.jpeg
1min4930

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલો કર્ફયુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા હતા તે ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં તારીખ 15 એપ્રિલના રોજ એક અઠવાડિયાનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો જેની મુદત વધારીને તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવી હતી.

બાદમાં સુરત અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. હવે, આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્ચો હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે અને હવે આ વિસ્તારો દેશના અન્ય વિસ્તારોની જેમ લૉકડાઉન હેઠળ રહેશે.

April 23, 2020
coronaguj-1280x875.jpg
2min8310

પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તે પૈકી ૮૯ ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, એવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

ડૉ. રવિએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના ૬૫ ટકા, સુરતના ૧૬ ટકા અને વડોદરાના ૮ ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૨૭ જિલ્લામાં ૧૧ ટકા પોઝિટિવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫ સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. 

Reported on 23 April 2020

ગુજરાતમાં તા.23 એપ્રિલે નવા 217 પોઝિટિવ 11ના મોત

24 કલાકમાં જ રાજ્યમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 11 લોકોના મોત થયા છે. આ 271માંથી 151 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે કુલ 3,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજથી દિવસમાં એક જ વખત કોરોનાના આંકડા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હવેથી દરરોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવશે. આ પહેલા દિવસમાં બે વખત આંકડા જાહેર કરવામાં આવતા હતા.

નવા કેસમાં અમદાવાદમાં 151 ઉપરાંત સુરતમાં 41, વડોદરામાં 7, ભરૂચમાં 5, આણંદમાં 3, બોટાદમાં 2, ખેડામાં 2 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન (કોટા) થી ૪૦૦ વિદ્યાર્થીઓને ૧૫ બસ સાથે ગુજરાતમાં લવાયાં

સમગ્ર દેશમાં રાજસ્થાનનું કોટા શહેર કેરિયર સિટી તરીકે ખુબ જ જાણીતું છે. કોટામાં મોટી સંખ્યામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવેલા વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે કપરી સ્થિતિમાં મુકાયા હતા. કોટા શહેરમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓને પોતપોતાના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારે કોટામાં ફસાયેલા રાજ્યના વિવિધ વિસ્તારોના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરત લાવવા ૧૫ બસ મોકલી આપતા ગુરૂવારે ૧૫ બસમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ શામળાજીથી ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વિદ્યાર્થીઓના ચહેરાઓ તણાવમુક્ત બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં શારીરિક ચકાસણી બાદ તેમના વતનમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવશે. કોટાની એક ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ લોકડાઉન લંબાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજસ્થાન સરકાર, કોટા જિલ્લા વહીવટી તંત્ર અને એલન ઇન્સ્ટિટ્યૂટે અન્ય રાજ્ય સાથે મળીને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી હતી.

ગુરૂવારે વહેલી સવારે રતનપુર ચેકપોસ્ટથી શામળાજી થઈ ૧૫ બસ અમદાવાદ સોલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં થર્મલ સ્ક્રીનિંગ અને પ્રાથમિક શારીરિક તપાસ કર્યા બાદ તેમના વતન મોકલી આપવામાં આવશે.

અમદાવાદમાં ૧૦ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાશે

અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૯ માંથી ૭ સ્થળને કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. ૨૦૦૦થી વધુ ઘર, ૧૦૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ અમદાવાદમાં વધુ ૯૫ પોઝિટિવ કેસ નોંધાયાં હતા. શહેરમાં કોરોના કહેર હજી પણ યથાવત છે.

કરિયાણાના અને શાકભાજીના વેપારી પણ હવે વાઈરસના ઝપેટમાં આવી ગયા છે. મણિનગર, આંબલી, નરોડા અને ભાઇપુરાના વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંબલી અને ભાઇપુરાના શાકભાજી વેપારીનો કોરોના પોઝિટિવ નીકળ્યો છે. મણિનગર, પાલડી અને નરોડાના કરિયાણા વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એએમસી માટે કોરોના વાઈરસની ચેન તોડવા મથામણ કરાઈ રહી છે. સામાન્ય નાગરિક બાદ હવે વેપારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાના વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. એએમસી માટે સંપર્કમાં આવેલા લોકોને શોધવા હાલ અશક્ય બન્યું છે.

Reported on 23 April 2020

કોરોના : ગુજરાત હવે નંબર 2

કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે પહોંચ્યું છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હોટસ્પોટ વિસ્તારમાં જેમ જેમ ટેસ્ટ વધતાં જાય છે તેમ તેમ આંકડો વધતો જાય છે. કોરોનાના વધતા કેસની સાથે જ હવે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2407 એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે.

રાજ્યમાં બુધવારની સવાર સુધીમાં નવા ૯૪ કેસ નોંધાયા હતા જ્યારે વધુ પાંચ દર્દીઓના મોત થયા હતા. કુલ ૨૨૭૨ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો હતો. આમ મંગળવારે સવારે નવ વાગ્યાથી બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કુલ ૨૦૬ નવાં પોઝિટિવ કેસ અને વધુ ૧૮ દર્દીઓના મોત થયા હતા.

બુધવારે નોંધાયેલા કેસમાં અમદાવાદના ૬૧ કેસ, બોટાદના ૨૧, રાજકોટ જિલ્લાનો એક, સુરત ૧૭ કેસ, વડોદરા ૮ કેસ અને અરવલ્લીના પાંચ કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નવા ૬૧ કેસ સાથે કોરોના પીડિતોની સંખ્યા ૧૪૩૪ પર પહોંચી છે. અને વધુ ચાર દર્દીઓના મોત સાથે મોતનો આંકડો પણ વધીને ૫૭ પર પહોંચી ગયો હતો. જ્યારે સુરતમાં કુલ કેસોની સંખ્યા ૩૬૪ પર પહોંચી હતી અને મોતનો આંકડો પણ વધીને ૧૨ પર પહોંચ્યો છે એવી જ રીતે વડોદરામાં ૨૦૭ અને મોતનો આંકડો ૧૦ પર પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૧ પર પહોંચ્યો છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

દરિમયાન અમદાવાદમાં બુધવારે નોંધાયેલા ૬૧ કેસની વાત કરીએ તો, તમામ કેસ હોટસ્પોટ એરિયાના છે. જેમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ વિસ્તારના છે.

રાજ્યમાં જિલ્લાદીઠ કેસના આંકડા જોઇએ તો, અમદાવાદ-૧૪૩૪, વડોદરા-૨૦૭, સુરત-૩૬૪, રાજકોટ-૪૧, ભાવનગર-૩૨, આણંદ-૨૮, ગાંધીનગર-૧૭, પાટણ-૧૫, ભરૂચ-૨૪, નર્મદા-૧૨, બનાસકાંઠા-૧૫, પંચમહાલ-૧૧, છોટાઉદેપુર-૭, અરવલ્લી-૧૭, મહેસાણા-૭, કચ્છ-૬, બોટાદ-૯, પોરબંદર-૩ , ગીર-સોમનાથ-૩, દાહોદ-૪, ખેડા-૩, મહીસાગર-૩, સાબરકાંઠા-૩, વલસાડ-૩, જામનગર, મોરબી, તાપી, નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો છે.

April 21, 2020
Rashtrapati_Bhavan.jpg
1min6150

નવી દિલ્હી ખાતે સૌથી પ્રોટેક્ટેડ ગણાતા ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક પરિવારની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે અફરાતફરી મચી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. ઘટનાને પગલે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  

April 20, 2020
coronaguj-1280x875.jpg
7min10340

સોમવારે અમદાવાદના એક સાથે 20 રીકવર : સોસાયટી પ્રમુખો, ગામના સરપંચોને પણ સભ્યોની હેલ્થ પર દેખરેખ રાખવા અપીલ

રાજ્યમાં કોવીડ-19ના વધુને વધુ કેસો મળી રહ્યા છે અને ચિંતાજનક વાત એ પણ છે કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. અત્યાર સુધી કોરોના મુક્ત જિલ્લા તરીકે ગણના થતી હતી એ નવસારી અને વલસાડમાં પણ આજે કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

તા.21મી એપ્રિલે સવારે 11 વાગ્યે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધીને 2088 થઇ છે. સૂરતમાં કેસો વધીને કુલ 338 પર પહોંચી ગયા છે.

સૂરતમાં 338 કેસો થયા

જયંતિ રવિએ ખાસ જણાવ્યું હતું કે શહેરોમાં સોસાયયટીઓ, એપાર્ટમેન્ટસના પ્રમુખો, ગામમાં સરપંચોએ પોતાના રહેવાસી સભ્યોની દેખરેખ રાખતા રહેવું જોઇએ અને શરદી, ખાંસી, તાવ જો કોઇને જણાય તો નજીકના કોવીડ સેન્ટર ખાતે તપાસ કરાવવી જોઇએ જેથી બનતી ત્વરાએ નક્કી કરી શકાય કે જે તે સભ્ય કોરોના પોઝીટીવ છે કે નહીં. આ પ્રકારે કોરોનાને કાબૂમાં મેળવી શકાશે.

ગઇ કાલ તા.20મી એપ્રિલને સોમવારે એક જ દિવસમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. એક દિવસમાં કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ હોય તેવું અમદાવાદમાં પહેલીવાર બન્યું છે.

સોમવારે રાત સુધીની સ્થિતિ

તા.20મી એપ્રિલને સોમવારે રાત્રે 8 કલાકની ગુજરાતની સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 1939 પોઝિટિવ દર્દીઓ થયા છે. આ પૈકી 131 લોકો સારવાર લઈને ઘરે પરત ફરી ચૂક્યા છે, ક્રિટીકલ હેલ્થ ધરાવતા 19 લોકો વેન્ટિલેટર પર છે અને 1718ની સ્થિતિ સ્ટેબલ છે.

તા.20મીએ રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 4212 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 196 કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં કુલ 20199 તેમજ સરકારી ક્વોરન્ટીનમાં 3303 અને 247 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Reported on 20 April 2020

26 દિવસના લૉકડાઉન પછી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપારીક ગતિવિધી આંશિક શરૂ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1743એ પહોંચી છે. જેમાં 14 વેન્ટિલેટર પર છે જ્યારે 1561ની તબિયત સ્થિર છે. રાજ્યભરમાં કોરોનાના કારણે કુલ 63 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રવિવારે નોંધાયેલા કુલ કેસ પૈકી 239 કેસ એટલે કે 65 ટકા કોરોના પોઝિટિવ કેસ એકલા અમદાવાદમાંથી સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાતનું સુરત બીજા નંબરનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી રવિવારે 89 કેસ સામે આવ્યા છે. જે બાદ વડોદરા 22 કેસ સાથે ત્રીજા નંબરે છે. આ સાથે જ અમદવાદમાં અત્યાર સુધીમાં કુલ 1101 કેસ, સુરતમાં 242 અને વડોદરામાં કુલ કેસનો આંકડો 180 પર પહોંચ્યો છે.

કોરોના પોઝીટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં પહેલો કેસ જાહેર કરવામાં પાછળ રહ્યું હતું, પરંતુ, બાદમાં હવે પરિસ્થિતિ એક મહિનામાં બદલાઇ ગઇ છે અને ગુજરાત તા.20મી એપ્રિલ 2020ના રોજ પોઝીટીવ કેસોની સરખામણીમાં દેશના ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. રવિવારે એક જ દિવસમાં ગુજરાતમાં 367 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલ એક દિવસના કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1743 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસો છે અને ગુજરાતમાં પણ 75 ટકાથી વધુ કેસો એકલા અમદાવાદ અને સૂરતમાં છે.

ગ્રીન ઝોનમાં આજથી શું શું શરૂ થશે જાણો અહીં

કઈ સેવાઓની આપવામાં આવી છે છૂટ?

  • આયુષ સહિત દરેક સ્વાસ્થ્ય સુવિધાઓ
  • પસંદગીની કોમર્શિયલ અને પ્રાઈવેટ સંસ્થા
  • અનિવાર્ય વસ્તુઓની આપૂર્તિ
  • 50% સુધીની ક્ષમતા સાથે IT અને IT આધારિત સેવાઓ
  • ગ્રામીણ વિસ્તારમાં રહેલા ઉદ્યોગો
  • સમયના પ્રતિબંધ વગર જ કરિયાણાની દુકાનો
  • બ્રોડકાસ્ટિંગ, DTH અને કેબલ સર્વિસ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈલેક્ટ્રીશ્યિન, IT રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક અને સુથાર વગેરેની સેવાઓ
  • રેક કૃષિ અને બગીચાની ગતિવિધિઓ
  • માછલી પકડવાનો વ્યવસાય, એક્વાકલ્ચર ઈન્ડસ્ટ્રી
  • વધારામાં વધારે 50% મજૂર સાથે ચા, કોફી અને રબર જેવા કામ
  • પશુપાલન  
  • બેંક જેવી નાણાકિય સંસ્થા
  • સામાજિક ક્ષેત્ર
  • MNREGAના કામ
  • સાર્વજનિક ઉપયોગની સેવાઓ
  • રાજ્યની અંદર અને બહાર સામાનની દુકાનો
  • સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રના પસંદગીના ઉદ્યોગ/ઔદ્યોગિક સંસ્થા
  • કન્સ્ટ્રક્શનના કામ
  • મેડિકલ, પશુ ચિકિત્સા અને અનિવાર્ય વસ્તુઓ સહિત ઈમરજન્સી સેવાઓ માટે પ્રાઈવેટ વાહન
  • છૂટની શ્રેણી હેઠળ આવતા લોકોને કાર્યસ્થળ પર જવાની અનુમતિ
  • કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી કાર્યાલય

ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઉદ્યોગ ધંધા શરૂ થયા

ગુજરાતમાં આજે તા.20મી એપ્રિલ 2020ને સોમવારે શહેરી વિસ્તારોની બહાર આવેલા અને ઓર્ગેનાઇઝ સેક્ટરના ઉદ્યોગ ધંધાઓ આંશિક રીતે શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો અને ખેતમજૂરો કામ પર નીકળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે એવું મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ.

આજે સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના સચિવાલયના કર્મચારીઓએ પણ આંશિક રીતે કામકાજ શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, ફક્ત સ્થાનિક કર્મચારીઓ આજે સચિવાલય આવ્યા હતા જ્યારે અમદાવાદથી ગાંધીનગર બોલાવવામાં આવ્યા નથી.

શ્રમિકોની ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. ૬ કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે. આ નિયમ ૧૮ એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેઠળ ૬૬ લાખ કાર્ડધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. ૧૦૦૦ જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય અંતર્ગત ૨૦ એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થશે.

કચ્છમાં લોકડાઉનમાં લગ્નને લીલીઝંડી: ૨૦થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે

કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને ધીમો કરવા અપાયેલા દેશવ્યાપી લોકડાઉન પાર્ટ ટૂમાં વેપાર-ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે ત્યારે હવે જિલ્લા સમાહર્તાએ લગ્ન માટે પણ શરતી મંજૂરી આપી છે.

કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.એ તમામ તાલુકા મામલતદારોને લગ્નની મંજૂરી આપવા અંગેની સૂચના આપતો પરિપત્ર મોકલ્યો હતો જેના પ્રમાણે તાલુકા મામલતદારો લગ્નને મંજૂરી આપી શકશે. જોકે, લગ્નપ્રસંગે વીસથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ક્ધટેઈન્મેન્ટ કે હોટસ્પોટ તરીકે જાહેર થયેલાં વિસ્તારોમાં લગ્ન યોજાઈ નહીં શકે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ લગ્નપ્રસંગમાં ભાગ લઈ નહીં શકે. આ શરતોનું પાલન કરવા તત્પરતા દર્શાવનારાં લોકોને મામલતદારો મંજૂરી પાસ મંજૂર કરશે.

ગ્રીન ઝોનમાં આજથી કેટલીક છૂટછાટો

ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી કેટલીક છૂટો આપવામાં આવશે, પણ હોટસ્પોટવાળા વિસ્તારોમાં સખત પ્રતિબંધો કાયમ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે ૨૦મી એપ્રિલથી કેટલાક ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે અને એ પ્રમાણે રવિવારની મધ્યરાત્રીથી જે ઝોનમાં કોરોના વાઇરસ ફેલાયો નથી એ માટે અમુક સેવાઓ અને ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર ‘જાન ભી જહાન ભી’ સૂત્રને સફળ બનાવવા માટે ગ્રામિણ વિસ્તારોમાં કૃષિ અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવામાં આવશે.

જોકે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉન દરમિયાન જાહેર કરવામાં આવેલા નિર્દેશો અને પ્રતિબંધોનું સખતાઇથી પાલન કરવું પડશે.

૨૦મી એપ્રિલથી જે પ્રવૃત્તિઓ, ક્ષેત્રો અને વિસ્તારોને ખાસ સવલત આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ સિવાયની સિનેમા હૉલ, મૉલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, મનોરંજન માટેના પાર્કો, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક મેળાવડા અને કાર્યક્રમો વગેરે જેવી બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો ૩જી મે સુધી યથાવત રહેશે અને સ્વાસ્થ્ય સેવાઓ અને જીવનજરૂરિયાતની વસ્તુઓને લગતી સેવાઓ ઇત્યાદિ ચાલું રહેશે.

મજૂરોને એક રાજ્યમાંથી બીજામાં જવાની મંજૂરી નહિ મળે

કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાદેલા લોકડાઉનમાં ૨૦ એપ્રિલથી થોડી છૂટછાટ આપવાની અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ શ્રમ મંત્રાલયે આ સંબંધમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અટવાઇ ગયેલા શ્રમિકો (મજૂરો)ને માત્ર રાજ્યમાં કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ કોવિડ-૧૯ના રોગચાળાથી અસરગ્રસ્ત નહિ હોય એવા વિસ્તારોમાં ૨૦ એપ્રિલથી ચોક્કસ નિયમને આધીન રહીને અવરજવર કરવા દેવાશે. આમ છતાં, તેઓ એક રાજ્યમાંથી બીજામાં જઇ નહિ શકે.

ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉન છે ત્યાં સુધી એટલે કે ૩ એપ્રિલ સુધી શ્રમિકોને એક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી અપાય તો રોગચાળો વધુ ફેલાઇ શકે છે અને તેથી તેઓને નિયમને આધીન રહીને માત્ર રાજ્યમાં જ અવરજવર કરવાની પરવાનગી અપાશે.

India Update on 20 April 2020 at 10am

  • Cases : 17,265
  • Deaths : 543
  • Recovered : 2,547
  • Active Cases : 14,175

India Statwise cases 20 April at 10 am

StateCaseDeathRecover
MH4203223507
DL20034572
GJ174363105
RJ147814183
TN147715411
MP140770127
UP108417108
TG84418186
AP6461542
KL4023270
KA39016111
JK350556
WB3391266
HR233387
PB2191631
BR93242
OR68124
UK44011
JH4220
HP39116
CG36025
AS35117
CH26013
Leh18014
AN15011
ML1110
PY703
GA707
MN201
TR201
MZ100
AR100
NL000