ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે.
મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે.
ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે.
વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.
નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર જાણે દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે, કોરોના સામેની જંગ જીતી રહેલા દર્દીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 477 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, 321 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,574 કેસ નોંધાય છે અને મૃત્યુઆંક 1,280 છે. તો, 13,964 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ બધામાં ચિંતાનો વિષય અમદાવાદ શહેર છે. કારણકે અહીંની પરિસ્થિતિ બહુબ ખરાબ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે અને 346 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ થયેલા 1,280 મૃત્યુમાંથી 1000 કરતા વધુ લોકોના મોત અમદાવાદમાં જ થયા છે.
આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6, સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 , મહેસાણા, કચ્છ, ખેડા અને ગીર-સોમનાથમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 31 મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 મોત નોંધાયું છે. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં કુલ 5,330 દર્દી હાલમાં પણ કોરોનાના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. જેમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 13,964 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમાંથી કુલ 5271 દર્દીઓ સ્ટેબલ છે.
આગામી પાંચ દિવસ એટલે કે સોમવારથી શરૂ થયેલા નવા સપ્તાહમાં શુક્રવાર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તોફાની વરસાદી તાંડવ થાય એવી આગાહી કરવામાં આવી છે. આજકાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.
રાજ્યના હવામાન ખાતે દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદની શરુઆત સાથે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોવિડ -૧૯થી થતા મોતનો આંકડો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. અતિ ગંભીર પોઝિટિવ દર્દીઓનો આંકડો પણ હવે ૫૦ની ઉપર પહોંચી ચૂક્યો છે, જ્યારે બીજી બાજુ કોવિડ -૧૦થી થતા મોતનો દર પણ હવે વધીને ૬.૨૧ની આસપાસ ઘૂમી રહ્યો છે.
ગુજરાતમાં શનિવારે સાંજે વધુ ૨૯ દર્દીના મોત થતાં હવે કુલ મૃત્યુ આંક ૧,૨૧૯ પર પહોંચ્યો હતો અને કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ ૧૭ હજારની નજીક પહોંચ્યો હતો.
રાજ્યમાં અમદાવાદમાં શનિવારે સાંજે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક એક હજારની નજીક પહોંચી ગયો હતો, જ્યારે નવા ૨૮૯ કેસ સાથે કુલ કેસનો આંકડો પણ ૧૪ હજાર પાસે પહોંચ્યો હતો. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, શનિવારે ૪૯૮ નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોનાના કુલ ૧૯,૬૧૭ કેસ નોંધાઇ ચૂક્યા હતા, જે ગુજરાતની કુલ વસ્તીના સંદર્ભે જોઇએ તો દર ૧૦ લાખની વસ્તીએ ૨૮૯ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. દરરોજ કોરોનાના ત્રણ ટકા કેસ વધી રહ્યા છે. હવે રીકવર થયેલાં દર્દીનો કુલ આંક ૧૩,૩૨૪ પર પહોંચ્યો છે. ગુજરાતનો રીકવરી રેટ ૬૭.૯૨ પર પહોંચી ગયો છે.
રાજ્યમાં શનિવારે સાંજ સુધીમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં ૨૮૯, સુરતમાં ૯૨, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાં ૨૦, રાજકોટમાં ૮, વલસાડમાં ૭, મહેસાણા અને પાટણમાં ૬-૬, સાબરકાંઠા અને કચ્છમાં ૫-૫, બનાસકાંઠા અને પંચમહાલમાં ૪-૪, ભરૂચ અને છોટાઉદેપુરમાં ૩-૩, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં ૨-૨ કેસ નોંધાયા હતા. રાજ્યમાં નવા નોંધાયેલા મોતમાં અમદાવાદમાં ૨૬, સુરતમાં ૨ અને વડોદરામાં ૧ દર્દીનું મૃત્યુ થયું હતું.
કોરોનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયમાં વિઝા નિયમોનો ભંગ કરી ભારતમાં રહેનારા તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને કેન્દ્રના ગૃહ મંત્રાલયે બ્લેક લિસ્ટ કર્યા છે અને જણાવ્યું છે કે તેમને આગામી દસ વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. દેશભરમાં જુદા જુદા રાજ્યની મસ્જિદ અને ધાર્મિક સંસ્થામાં ગેરકાયદે રહેતા વિદેશીઓની માહિતી રાજ્ય સરકારે કેન્દ્રને સોંપ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને બ્લેક લિસ્ટ કર્યા છે.
૨૫ માર્ચથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતમાં કોરોનાના કેસમાં ગુરુવારે રેકૉર્ડ ૯,૩૦૪નો ઉછાળો જોવા મળ્યો હતો જે સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૧૬,૯૧૯ પહોંચી છે અને ૨૬૦ નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૬,૦૭૫ થયો છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના આંકડામાં જણાવવામાં આવ્યું છે.
કોરોનાની ગંભીર અસર પામેલા દેશોમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઇટાલી બાદ ભારત સાતમા ક્રમાંકે આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧,૦૬,૭૩૭ છે અને ૧,૦૪,૧૦૬ લોકો સાજા થયા છે અને એક વ્યક્તિ સાજો થઇ વિદેશ પાછો ફર્યો છે. આમ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૪૭.૯૯ ટકા છે.
બુધવારે દેશમાં કોરોનાથી થયેલા કુલ ૨૬૦ મૃત્યુમાં ૧૨૨ મહારાષ્ટ્રમાં, ૫૦ દિલ્હીમા, ૩૦ ગુજરાતમાં, ૧૧ તમિળનાડુમાં, ૧૦ પ. બંગાળમાં, ૭-૭ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગણામાં, ૬ રાજસ્થાનમાં, ૪ આંધ્રપ્રદેશમાં, એક-એક બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને ઉત્તરાખંડમાં થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૨,૫૮૭ છે. ગુજરાતમાં ૧,૧૨૨, મધ્ય પ્રદેશમાં ૩૭૧, પ. બંગાળમાં ૩૪૫, ઉત્તર પ્રદેશમાં ૨૨૯, રાજસ્થાનમાં ૨૦૯, તમિળનાડુમાં ૨૦૮, તેલંગણામાં ૯૯ અને આંધ્રપ્રદેશમાં ૬૮ મૃત્યુ નોંધાયા છે. કર્ણાટકમાં ૫૩, પંજાબમાં ૪૭, જમ્મુ-કાશ્મીરમાં ૩૪, બિહારમાં ૨૫, હરિયાણામાં ૨૩, કેરળમાં ૧૧, ઉત્તરાખંડમાં ૮ અને ઓડિશામાં ૭ મૃત્યુ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વૅબસાઇટ મુજબ કોરોનાના કુલ મૃત્યુનાં ૭૦ ટકા મૃત્યુ અગાઉની બીમારીને કારણે થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૭૪,૮૬૦ કેસ નોંધાયા છે.
ભારતમાં એક દિવસમાં 9000 કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 2,16,919 થઈ ગયો છે. જ્યારે મૃત્યુઆંકમાં 6000નો આંકડો પાર થઈ ગયો છે. ભારત દુનિયામાં કોરોના કેસમાં 7 નંબરનો દેશ બન્યો છે. આ પહેલા અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઈટલીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા એક દિવસના નવા આંકડા પ્રમાણે 9,304 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 2,16,919 થઈ ગયો છે જ્યારે વધુ 260ના મોત સાથે કુલ આંકડો 6075 થઈ ગયો છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં એક્ટિવ કોરોના કેસનો આંકડો 1,06,737 છે જ્યારે 1,04,106 લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓનો રિકવરી રેટ 47.99 થયો છે.”
અરબી સમુદ્ર્ને છેલ્લા બે દિવસથી ઘમરોલી રહેલા વાવાઝોડા નિસર્ગે આખરે બપોરે બે વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના અલીબાગ ખાત લેન્ડફૉલ કર્યો હતો. નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 110-120 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે. મુંબઈના વર્સોવા સહિતના વિસ્તારોમાં હાઇ ટાઇડ જોવા મળી રહી છે. તેમજ વાવાઝોડનાના કારણે હજુ પણ વધારે ઉંચા મોજા ઉછળશે તેવી ચેતવણી જારી કરવામાં આવી હતી. સાંજે દરિયામાં 6 ફૂટ ઊંચી લહેરો મુંબઇને ફરીથી પાણી પાણી કરી શકે છે.
નિસર્ગ વાવાઝોડના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રજેશના ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સંભાગના ઘણા જિલ્લા અને શહેરમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી છે.
નિસર્ગ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના પગલે દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
ફક્ત આ એક જ લિંક ગમે ત્યારે ક્લીક કરો અને મળશે નિસર્ગ વાવાઝોડાના બધા જ અપડેટ
સવારે 10 કલાકે મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે 59 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની માહિતી ભારતના હવામન ખાતેએ ટ્વીટ કરીને આપી હતી.
Ratnagiri recorded 59 kmph at 09:30 IST. Gale wind reaching 60-70 kmph gusting to 80 kmph prevails along & off South Konkan coast & 50-60 kmph gusting to 70 kmph along & off North Konkan coast. It will become 100-110 kmph gusting to 120 kmph in the afternoon during landfall time. pic.twitter.com/WAUE1S9AfE
અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ સાઇક્લોનને આજે સવારે 11 કલાકે સેટેલાઇટથી ટ્રેસ કરવામાં આવ્યું હતું. ભારતના હવામાન ખાતેએ કરેલી લેટેસ્ટ ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે તા.3જી જૂન 2020ને બુધવારે સવારે 10.30 કલાકે નિસર્ગ વાવાઝોડું અલીબાગથી દક્ષિણ-પશ્ચિમે દરિયામાં 95 કિલોમીટર, મુંબઇથી 150 કિ.મી. દક્ષિણ પશ્ચિમે અને સૂરતથી 380 કિ.મી. દક્ષિણ પશ્ચિમે આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રના તટવર્તીય વિસ્તારો તરફ લેન્ડફૉલ કરશે એમ મનાય રહ્યું છે.
SEVERE CYCLONE STORM “NISARGA” LAY CENTRED AT 1030 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, OVER EASTCENTRAL ARABIAN SEA NEAR LAT. 17.8°N AND LONG. 72.65°E, ABOUT • 95 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. • 150 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. • 380 KM SOUTH-SOUTHWEST OF SURAT (GUJARAT)
ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે તા.3 જૂનને સવારથી જ નિસર્ગ વાવાઝોડાની વધતી ઓછી અસરો વર્તાતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તેમજ તેજ પવનોને પગલે લોકો વાવાઝોડું આવ્યાની અનૂભુતિ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી લઇને દમણ દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં એલર્ટ સિચુએશન જારી કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં રાયગઢના અલીબાગની નજીક આવેલા હરિહરેશ્વરથી લઈને દમણના દરિયાકિનારા સુધીના આખા પટ્ટાને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે.
આજે બુધવાર તા.3 જૂનના રોજ નિસર્ગ વાવાઝોડું ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે કિનારા પર ત્રાટકે એવી શક્યતા છે, પરંતુ આ વાવાઝોડાને કારણે ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
@ 11.00 a.m. on 3 June 2020
દરીયામાં મુંબઈથી 190 કિમી દૂર છે વાવાઝોડું થોડા કલાકોમાં અલીબાગ લેન્ડફૉલ કરશે
તા.3 જૂનના રોજ સવારે મળેલી માહિતી મુજબ નિસર્ગ વાવાઝોડાનું સેન્ટર પોઇન્ટ મુંબઇથી દરીયામાં 190 કિ.મી. થી ઉતર પૂર્વ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું હતું. એવી આગાહી કરવામાં આવી છે કે થોડા કલાકોમાં આ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ ખાતે લેન્ડફોલ કરશે.
એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.
એ પૂર્વે નિસર્ગ વાવાઝોડું આગામી ૧૨ કલાકમાં અત્યંત તીવ્ર રૂપ ધારણ કરે એવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય મહારાષ્ટ્રના પશ્ર્ચિમ અને ગુજરાતના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરીયા કાંઠાના વિસ્તારોના લોકોનું સ્થળાંતર
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ આ ચાર જિલ્લાઓમાં સ્થળાંતર અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે દરિયાકાંઠાના ગામોમાં કાચા ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના અંદાજે ૭૮,૯૭૧ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવનાર છે તે પૈકી ૧૭૨૭ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
સૂરતમાં 32 ગામોને એલર્ટ
દમણ અને દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂનના રોજ સાંજ અથવા રાત્રીથી અસર બતાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડીસી ૧ સિગ્નલ મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.
કલેક્ટર રાજકોટનું ટ્વીટ
“NISARGA” INTENSIFIED INTO A SEVERE CYCLONIC STORM AND LAY CENTRED AT 0530 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, NEAR LAT. 17.30°N AND LONG. 72.10°E, ABOUT: 165 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. 215 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. 440 KM SOUTH-SOUTHWEST OF SURAT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાવાઝોડાની સંભવિત અસર અંગે માહિતી મેળવી હતી. તેમણે એક સંદેશમાં કહ્યું હતું કે, ભારતના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ અંંગેની માહિતી મેળવી હતી. સર્વની કુશળતા માટે પ્રાર્થના. સાવચેતીના અને તકેદારીના તમામ પગલાં ભરવા મારી લોકોને વિનંતી! આ અગાઉ સોમવારે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનડીએમએ, એનડીઆરએફ, આઈએમડી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક કરી ચક્રવાત અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણનો પટ્ટો વધુ તીવ્ર બન્યો છે અને તેણે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, એમ જણાવતાં હવામાન ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આજે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિાનારા વિસ્તાર પાસેથી પસાર થશે.
દબાણનો પટ્ટો મંગળવારે બપોરે વધુ તીવ્ર બન્યો હતો અને ચક્રવાતનું સ્વરૂપ લીધું હોવાનું હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું.
દરમિયાન વેસ્ટર્ન નેવલ કમાન્ડે પાંચ ફ્લડ ટીમ અને ત્રણ ડાઈવિંગ ટીમ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખી છે તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. દરમિયાન વેપારી જહાજોને અને માછીમારોને નજીકના બંદરે પહોંચી જવા ઈન્ડિયન કોસ્ટગાર્ડે વિનંતી કરી હતી.
મંગળવાર રાત સુધીમાં આ વાવાઝોડું વિનાશક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
આ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર થશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ડિપ્રેશન અને ડીપ ડીપ્રેશન વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાના બે તબક્કા છે.
મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારા પર બુધવારે ત્રાટકનારા ’નિસર્ગ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૦ ટીમને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે કરેલી તૈયારીઓની વિગત આપતાં મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારે રાખવામાં આવી રહી છે. કુલ ૧૬ એનડીઆરએફની ટુકડીમાંતી ૧૦ને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે અને એસડીઆરએફની છ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. ઠાકરેની કચેરીએ જણાવ્યું હતું કે જે લોકો કાચા ઘરમાં રહે છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે નોન-કોવિડ હોસ્પિટલોને સજ્જ રાખવામાં આવી રહી છે.
આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.
ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે
ByeByeIndiaOnlyBharat
તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.
इंडियाहीभारत_है
ભારત નામ માટે મુહિમની તવારીખ
આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.
યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે
આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે
ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.
જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1
બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.