ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આવતીકાલે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
4/10/25 સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યા સંકેત?
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
સુરત સમેત રાજ્યના મોટા શહેરોના શિક્ષણમાં જેનો ભારે ઉપદ્રવ વધી ગયો છે એવા ધંધાદારી ટ્યુશન, કોચિંગ ક્લાસીસો પર સકંજો કસતા ગુજરાત સરકારે એક્ટ બનાવવાનો ઇરાદો ઘોષિત કરી દીધો છે અને એક્ટ તેમજ નીતિ નિયમો નક્કી કરવા માટે ગુજરાત બોર્ડના અધ્યક્ષની રાહબરી હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી બે મહિનામાં એક્ટ તૈયાર કરીને સરકારને સોંપશે અને પછી તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના સચિવે બહાર પાડેલા નોટિફિકેશનમાં નિર્દેશ કર્યો છે કે સ્પુરીમ કોર્ટે તા.25મી જુલાઇના રોજ આપેલા એક ચુકાદામાં રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવા આદેશ કર્યો છે. આ નિયમો માટે સૌથી પહેલી જરૂરીયાત એક્ટ અને તે અન્વયે નિયમોનો મુસદ્દો ઘડવાની છે. આથી ગુજરાત સરકારે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.
આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.
આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરો તેમજ નાના ટાઉનોમાં ટ્યુશન ક્લાસીસોના સંચાલકોનો એટલો વ્યાપક ઉપદ્રવ છે કે તેઓ સ્કુલોના સંચાલકોને તેમનો સમય બદલવા માટે બાનમાં લઇ રહ્યા છે. એથી વિશેષ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને ધો.11-12 સાયન્સમાં કોચિંગ ક્લાસીસોના સંચાલકો એટલા ફાટીને ધુમાડે ગયા છે કે તેઓ રેગ્યુલર સ્કુલોમાં એડમિશન નહીં લઇને પોતાના કન્ટ્રોલમાં ચાલતી ડમી સ્કુલોમાં એડમિશન લેવડાવી રહ્યા છે. આ બધી બાબતો પર એક્ટને કારણે સકંજો કસી શકાશે એમ મનાય રહ્યું છે.
વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.
ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનને માત્ર 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ અને શિવમ દુબે (33 રન, 22 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સપોર્ટિંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી.
ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.
છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.
ત્યાર બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બૅટ્સમેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂંકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા.
પાકિસ્તાનને 146 રન સુધી સીમિત રખાવવામાં કુલદીપ (ચાર વિકેટ), અક્ષર (બે વિકેટ), વરુણ (બે વિકેટ), બુમરાહ (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. સાહિબઝાદા (57 રન)ની હાફ સેન્ચુરી પાણીમાં ગઈ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી CBSE બોર્ડ પરીક્ષાઓ 2026 માટે વિગતવાર પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે. આ વર્ષે, સેન્ટ્રલ બોર્ડે 2026ની પરીક્ષા શરૂ થવાના લગભગ પાંચ મહિના પહેલા એટલે કે 146 દિવસ પહેલા પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે.
CBSE એ 2026 ની બોર્ડ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કર્યું છે. ધોરણ 10 ની પરીક્ષાઓ તા.17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તા.18 માર્ચ 2026ના રોજ પૂરી થશે.
સેન્ટ્રલ બોર્ડની ધોરણ 12 ની પરીક્ષાઓ તા.17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તા.4 એપ્રિલ સુધી ચાલશે. બધા પેપર્સ સવારે 10:30 વાગ્યાથી શરૂથી શરૂ થશે અને પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ સમયપત્રકમાં સુધારો થઈ શકે છે.
CBSE એ એ પણ જાહેરાત કરી હતી કે આ વર્ષે અંદાજે 45 લાખ ઉમેદવારો ધોરણ 10 અને 12 બંનેમાં 204 વિષયોની પરીક્ષા આપે તેવી શક્યતા છે. આમાં ભારતભરની શાળાઓ અને વિદેશમાં 26 દેશોનો પણ સમાવેશ થશે, જ્યાં CBSE સંલગ્ન શાળાઓ ધરાવે છે.
CBSE Board Exams 2026 Class 12th Date Sheet Out: Complete schedule below
DAY & DATE
TIME
SUBJECT CODE
SUBJECT NAME
Tuesday, 17th February 2026
10:30 am – 01:30 pm
045
Biotechnology
10:30 am – 01:30 pm
066
Entrepreneurship
10:30 am – 01:30 pm
825
Shorthand (English)
10:30 am – 01:30 pm
826
Shorthand (Hindi)
Wednesday, 18th February 2026
10:30 am – 01:30 pm
048
Physical Education
Thursday, 19th February 2026
10:30 am – 01:30 pm
046
Engineering Graphics
10:30 am – 01:30 pm
057
Bharatanatyam – Dance
10:30 am – 01:30 pm
058
Kuchipudi – Dance
10:30 am – 12:30 pm
059
Odissi – Dance
10:30 am – 12:30 pm
060
Manipuri – Dance
10:30 am – 12:30 pm
061
Kathakali – Dance
10:30 am – 01:30 pm
816
Horticulture
10:30 am – 01:30 pm
823
Cost Accounting
Friday, 20th February 2026
10:30 am – 01:30 pm
042
Physics
Saturday, 21st February 2026
10:30 am – 01:30 pm
054
Business Studies
10:30 am – 01:30 pm
833
Business Administration
Monday, 23rd February 2026
10:30 am – 01:30 pm
037
Psychology
Tuesday, 24th February 2026
10:30 am – 01:30 pm
837
Fashion Studies
Wednesday, 25th February 2026
10:30 am – 01:30 pm
804
Automotive
10:30 am – 01:30 pm
817
Typography & Computer Application
Thursday, 26th February 2026
10:30 am – 01:30 pm
029
Geography
Friday, 27th February 2026
10:30 am – 01:30 pm
049
Painting
10:30 am – 01:30 pm
050
Graphics
10:30 am – 12:30 pm
051
Sculpture
10:30 am – 12:30 pm
052
Applied Art (Commercial Art)
Saturday, 28th February 2026
10:30 am – 01:30 pm
043
Chemistry
Monday, 2nd March 2026
10:30 am – 01:30 pm
003
Urdu Elective
10:30 am – 01:30 pm
022
Sanskrit Elective
10:30 am – 01:30 pm
031
Carnatic Music Vocal
10:30 am – 12:30 pm
032
Carnatic Music Mel Ins.
10:30 am – 12:30 pm
033
Carnatic Music Per. Ins. (Mridangam)
10:30 am – 01:30 pm
056
Kathak – Dance
10:30 am – 01:30 pm
303
Urdu Core
10:30 am – 01:30 pm
810
Front Office Operations
10:30 am – 01:30 pm
814
Insurance
10:30 am – 01:30 pm
818
Geospatial Technology
10:30 am – 01:30 pm
819
Electrical Technology
Tuesday, 3rd March 2026
10:30 am – 01:30 pm
074
Legal Studies
Thursday, 5th March 2026
10:30 am – 01:30 pm
835
Mass Media Studies
10:30 am – 01:30 pm
848
Design Thinking & Innovation
Friday, 6th March 2026
10:30 am – 12:30 pm
035
Hindustani Music Mel Ins.
10:30 am – 12:30 pm
036
Hindustani Music Per. Ins.
10:30 am – 01:30 pm
813
Health Care
10:30 am – 12:30 pm
830
Design
10:30 am – 01:30 pm
847
Electronics & Hardware
Saturday, 7th March 2026
10:30 am – 12:30 pm
841
Yoga
Monday, 9th March 2026
10:30 am – 01:30 pm
041
Mathematics
10:30 am – 01:30 pm
241
Applied Mathematics
Tuesday, 10th March 2026
10:30 am – 01:30 pm
809
Food Production
10:30 am – 01:30 pm
824
Office Procedures & Practices
10:30 am – 01:30 pm
836
Library & Information Science
10:30 am – 12:30 pm
842
Early Childhood Care & Education
Wednesday, 11th March 2026
10:30 am – 12:30 pm
034
Hindustani Music Vocal
Thursday, 12th March 2026
10:30 am – 01:30 pm
001
English Elective
10:30 am – 01:30 pm
301
English Core
Friday, 13th March 2026
10:30 am – 01:30 pm
806
Tourism
10:30 am – 01:30 pm
827
Air-conditioning & Refrigeration
Saturday, 14th March 2026
10:30 am – 01:30 pm
064
Home Science
Monday, 16th March 2026
10:30 am – 01:30 pm
002
Hindi Elective
10:30 am – 01:30 pm
302
Hindi Core
Tuesday, 17th March 2026
10:30 am – 01:30 pm
104
Punjabi
10:30 am – 01:30 pm
105
Bengali
10:30 am – 01:30 pm
106
Tamil
10:30 am – 01:30 pm
107
Telugu
10:30 am – 01:30 pm
108
Sindhi
10:30 am – 01:30 pm
109
Marathi
10:30 am – 01:30 pm
110
Gujarati
10:30 am – 01:30 pm
111
Manipuri
10:30 am – 01:30 pm
112
Malayalam
10:30 am – 01:30 pm
113
Odia
10:30 am – 01:30 pm
114
Assamese
10:30 am – 01:30 pm
115
Kannada
10:30 am – 01:30 pm
116
Arabic
10:30 am – 01:30 pm
117
Tibetan
10:30 am – 01:30 pm
120
German
10:30 am – 01:30 pm
121
Russian
10:30 am – 01:30 pm
123
Persian
10:30 am – 01:30 pm
124
Nepali
10:30 am – 01:30 pm
125
Limboo
10:30 am – 01:30 pm
126
Lepcha
10:30 am – 01:30 pm
189
Telugu Telangana
10:30 am – 01:30 pm
192
Bodo
10:30 am – 01:30 pm
193
Tangkhul
10:30 am – 01:30 pm
194
Japanese
10:30 am – 01:30 pm
195
Bhutia
10:30 am – 01:30 pm
196
Spanish
10:30 am – 01:30 pm
197
Kashmiri
10:30 am – 01:30 pm
198
Mizo
Wednesday, 18th March 2026
10:30 am – 01:30 pm
030
Economics
Thursday, 19th March 2026
10:30 am – 12:30 pm
845
Physical Activity Trainer
Friday, 20th March 2026
10:30 am – 01:30 pm
812
Marketing
Monday, 23rd March 2026
10:30 am – 01:30 pm
028
Political Science
Tuesday, 24th March 2026
10:30 am – 01:30 pm
807
Beauty & Wellness
10:30 am – 12:30 pm
843
Artificial Intelligence
Wednesday, 25th March 2026
10:30 am – 01:30 pm
065
Informatics Practices
10:30 am – 01:30 pm
083
Computer Science
10:30 am – 01:30 pm
802
Information Technology
Thursday, 27th March 2026
10:30 am – 01:30 pm
044
Biology
Saturday, 28th March 2026
10:30 am – 01:30 pm
055
Accountancy
Monday, 30th March 2026
10:30 am – 01:30 pm
027
History
Wednesday, 1st April 2026
10:30 am – 01:30 pm
805
Financial Market Management
10:30 am – 01:30 pm
808
Agriculture
10:30 am – 01:30 pm
828
Medical Diagnostics
10:30 am – 01:30 pm
831
Salesmanship
Thursday, 2nd April 2026
10:30 am – 01:30 pm
076
National Cadet Corps (NCC)
10:30 am – 01:30 pm
834
Food Nutrition & Dietetics
Saturday, 4th April 2026
10:30 am – 01:30 pm
039
Sociology
Monday, 6th April 2026
10:30 am – 01:30 pm
073
Knowledge Tradition & Practices of India
10:30 am – 01:30 pm
188
Bhoti
10:30 am – 01:30 pm
191
Kokborok
10:30 am – 01:30 pm
811
Banking
10:30 am – 01:30 pm
820
Electronics Technology
Tuesday, 7th April 2026
10:30 am – 01:30 pm
803
Web Application
Wednesday, 8th April 2026
10:30 am – 01:30 pm
118
French
10:30 am – 01:30 pm
801
Retail
10:30 am – 01:30 pm
822
Taxation
10:30 am – 01:30 pm
829
Textile Design
Thursday, 9th April 2026
10:30 am – 01:30 pm
322
Sanskrit Core
10:30 am – 01:30 pm
821
Multi-Media
10:30 am – 12:30 pm
844
Data Science
CBSE Board Exams 2026 Class 10th Date Sheet Out: Complete schedule below
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21/9/25 વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બાવીસમી સપ્ટેમ્બર 22/9/25ના સૂર્યોદયથી દેશ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે. આ સમગ્ર ભારતમાં GST બચત ઉત્સવની શરૂઆત છે. આ તહેવાર બચતમાં વધારો કરશે અને લોકોને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનું સરળ બનાવશે.
આ બચત ઉત્સવના લાભ ગરીબ, મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગ-સાહસિકો સુધી પહોંચશે. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને વેગ આપશે, વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે, રોકાણોને વધુ આકર્ષક બનાવશે અને ખાતરી કરશે કે દરેક રાજ્ય વિકાસની દોડમાં સમાન ભાગીદાર બને.’
ભારતે ૨૦૧૭માં GST સુધારા તરફ પ્રથમ પગલાં લીધાં હતાં જે એક જૂના પ્રકરણનો અંત અને દેશના આર્થિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત હતી એ યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દાયકાઓથી નાગરિકો અને વેપારીઓ કરવેરા – ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ, એક્સાઇઝ, વૅટ (VAT-વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને સર્વિસ ટૅક્સની જટિલ જાળમાં ફસાયેલા હતા જે દેશભરમાં ડઝનબંધ જેટલી વસૂલાત હતી. એક શહેરથી બીજા શહેરમાં માલ પરિવહન કરવા માટે અનેક ચેકપૉઇન્ટ પાર કરવા, અસંખ્ય ફૉર્મ ભરવા અને દરેક સ્થાન પર અલગ-અલગ કર-નિયમોના ચક્રવ્યૂહમાં નેવિગેટ કરવાની જરૂર હતી.’
નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે વિદેશી અખબારમાં પ્રકાશિત એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એ લેખમાં એક કંપની સામે કેટલા પડકારો હતા એનું વર્ણન કરવામાં આવેલું જેણે બૅન્ગલોરથી હૈદરાબાદ ફક્ત ૫૭૦ કિલોમીટરના અંતરે માલ મોકલવામાં એટલી મુશ્કેલી પડી કે એ બૅન્ગલોરથી યુરોપ અને પછી હૈદરાબાદ પાછો માલ મોકલવાનું પસંદ કરતી હતી.’
નવા GST દરો
નવા GST દરો લાગુ પડ્યા એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સુધારો એક સતત પ્રક્રિયા છે અને જેમ-જેમ સમય બદલાય છે અને રાષ્ટ્રીય જરૂરિયાતો બદલાય છે એમ-એમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ આવશ્યક બની જાય છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા માળખા હેઠળ ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના ટૅક્સ સ્લૅબ મુખ્યત્વે રહેશે. આનો અર્થ એ છે કે મોટા ભાગની રોજિંદા ઉપયોગની વસ્તુઓ વધુ પોસાય એવી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આરોગ્ય અને જીવન વીમો જેવી અનેક વસ્તુઓ કાં તો કરમુક્ત હશે અથવા ફક્ત પાંચ ટકા કર આકર્ષિત કરશે. અગાઉ ૧૨ ટકા કર લાગતી વસ્તુઓમાંથી ૯૯ ટકા – લગભગ બધી – હવે પાંચ ટકા કરના સ્લૅબ હેઠળ લાવવામાં આવી છે.
૨૫ કરોડ ભારતીયો
છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૫ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક મહત્ત્વપૂર્ણ નવમધ્યમ વર્ગ તરીકે ઊભરી આવ્યા છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ નવમધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ અને સપનાં છે. આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરીને કરરાહત આપી છે જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં નોંધપાત્ર સરળતા અને સુવિધા આવી છે. હવે ગરીબો અને નવમધ્યમ વર્ગને લાભ લેવાનો વારો છે. તેમને બેવડો લાભ મળી રહ્યો છે – પહેલાં આવકવેરામાં રાહત દ્વારા અને હવે ઘટાડેલા GST દ્વારા. GST દરમાં ઘટાડો થવાથી નાગરિકો માટે વ્યક્તિગત સપનાં પૂરાં કરવાં સરળ બનશે – પછી ભલે એ ઘર બનાવવાનું હોય, ટીવી કે ફ્રિજ ખરીદવાનું હોય કે પછી સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું હોય – હવે બધું જ સસ્તું થશે. મુસાફરી પણ વધુ સસ્તી બનશે, કારણ કે મોટા ભાગની હોટેલ-રૂમો પર GST ઘટાડવામાં આવ્યો છે. વેપારીઓ અને દુકાનદારો GSTના ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.’
આત્મનિર્ભરતા તરફ નક્કર કદમ
વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની જરૂર છે એના પર ભાર મૂકતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી MSMEs એટલે કે ભારતના સૂક્ષ્મ, નાના અને કુટિર ઉદ્યોગોની છે. લોકોની જે પણ જરૂરિયાત છે એ દેશમાં જ ઉત્પાદિત કરી શકાય છે અને એ સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થવું જોઈએ. ભારતનું ઉત્પાદન અને ઉત્પાદન ગુણવત્તા એક સમયે વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અને શ્રેષ્ઠ હતી. એ ગૌરવ પાછું મેળવવાની જરૂર છે. હું આશા રાખું છું કે નાના ઉદ્યોગો દ્વારા બનાવેલાં ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂરાં કરે. ભારતનું ઉત્પાદન ગૌરવ અને શ્રેષ્ઠતા સાથે તમામ માપદંડોને વટાવી જવું જોઈએ અને ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા દેશની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ધ્યેયને નજરમાં રાખીને આપણે કામ કરીએ.’
સ્વદેશી
જેમ સ્વદેશીના મંત્રે ભારતના સ્વતંત્રતા-સંગ્રામને સશક્ત બનાવ્યો એવી જ રીતે એ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફની યાત્રાને પણ ઊર્જા આપશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણી વિદેશી વસ્તુઓ અજાણતાં આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે અને નાગરિકોને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો કે તેમના ખિસ્સામાં રહેલો કાંસકો વિદેશી છે કે સ્વદેશી? આવી નિર્ભરતામાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે દેશના યુવાનોની મહેનત અને પરસેવાથી બનેલાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદો. દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવો અને દરેક દુકાનને સ્વદેશી વસ્તુઓથી સુસજ્જ કરો. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વેચું છું. આ માનસિકતા દરેક ભારતીયની બનવી જોઈએ. આવા પરિવર્તનથી ભારતના વિકાસને વેગ મળશે. હું રાજ્ય સરકારોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનોને સક્રિયપણે સમર્થન કરવાની અપીલ કરું છું જેથી તેમનાં રાજ્યોમાં સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉત્પાદનને વેગ આપી શકે અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય. મને વિશ્વાસ છે કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે, દરેક રાજ્યનો વિકાસ થશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.’
નાગરિક દેવો ભવઃ
નેક્સ્ટ જનરેશન GST સુધારાઓમાં નાગરિક દેવો ભવઃનો મંત્ર પ્રતિબિંબિત થાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આવકવેરાની રાહત અને GSTના ઘટાડાને જોડવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો ભારતના લોકો માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરશે. આ જ કારણ છે કે આને હું ‘બચત ઉત્સવ’ કહું છું.’
એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે 21/09/25 ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.
પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.
ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.
18/9/25 (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.
એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી.
આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત કરી, જેની સાથે તેણે પહેલગામના પીડિત પરિવારો પ્રત્યે એકતા દર્શાવી. આ મેચ ખાસ હતી કારણ કે તે સૂર્યકુમારના જન્મદિવસે રમાઈ, જેના કારણે આ જીત તેમના માટે વધુ ખાસ બની.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાનની ટીમને માત્ર 127 રનમાં સમેટી દીધી. ભારતે આ લક્ષ્યને 25 બોલ બાકી હતા તે પહેલા હાંસલ કરી લીધું હતું, જેમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો.
તેણે મેચના અંત સુધી બેટિંગ કરીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું, જેની તેમણે હંમેશા ઈચ્છા રાખી હતી. પોસ્ટ-મેચ સેરેમનીમાં ચાહકોના ‘હેપ્પી બર્થડે’ના નારાઓએ માહોલને ઉત્સાહથી ભરી દીધો, અને સૂર્યાએ આ જીતને પોતાના જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી.
મેચ પછી સૂર્યકુમારે કહ્યું કે આ મેચ તેની ટીમ માટે એક સામાન્ય મેચ હતી, અને તેઓ દરેક વિરોધી ટીમ સામે સમાન તૈયારી સાથે રમે છે. તેણે સ્પિનરોની પ્રશંસા કરી, જેણે મિડલ ઓવર્સમાં મેચ પર નિયંત્રણ રાખ્યું.
આ સાથે, તેણે પહેલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે ટીમ હંમેશા તેના માટે મેદાન પર સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. સૂર્યાએ આ જીતને સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને સમર્પિત કરી.
ઉલ્લેખનીય છે કે, મેચના ટોસ દરમિયાન સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ટોસ પહેલા તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી કે તેઓ હાથ મિલાવશે નહીં, અને આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો હતો.
આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા તરીકે જોવામાં આવે છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ સ્વીકાર્યું હતું કે ટીમ જનતાની ભાવનાઓથી વાકેફ છે, અને આ મેચની તૈયારી તણાવપૂર્ણ માહોલમાં થઈ હતી.
આ મેચ પહેલા એશિયા કપના આ મુકાબલાનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી, જે પહેલગામ હુમલાને કારણે વધુ તીવ્ર બની હતી. ભારતીય ટીમે મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા.
સૂર્યકુમારે કહ્યું કે તેઓ આવનારી મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે અને દેશવાસીઓને ગર્વની ક્ષણો આપવાનો પ્રયાસ કરશે. આ જીતે ભારતની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, અને ચાહકો હવે એશિયા કપમાં વધુ શાનદાર પ્રદર્શનની આશા રાખે છે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.
તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓના રેન્કિંગસ જાહેર કર્યા
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ બેંગ્લુરુ બેસ્ટ યુનિવર્સિટી અને બેસ્ટ રિસર્ચ સંસ્થા
10મા એનઆઇઆરએફ રેન્કિંગ્સ જાહેર, નવ શ્રેણી અને પાંચ પેરામીટર્સને આધારે પસંદગી
આઇઆઇએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિયુશન બન્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.
સતત સાતમા વર્ષે ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગ્લુરુ ને સતત દસમા વર્ષે પસંદ કરાયું છે.
ઓવરઓલ શ્રેણીમાં આઇઆઇટી, મદ્રાસ પછી આઇઆઇએસસી, બેંગ્લુરુને બીજો અને આઇઆઇટી બોમ્બેને ત્રીજો અને આઇઆઇટી દિલ્હીને ચોથો ક્રમ મળ્યો છે.
સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે આઇઆઇએસસી, બેંગ્લુરુ પછી બીજા ક્રમે જેએનયુ, દિલ્હી, અને ત્રીજા ક્રમે મનિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશનને ત્રીજુ સ્થાન મળ્યું છે. કર્ણાટકની આ યુનિવર્સિટી ટોપ થ્રી રેન્કિંગમાં પસંદ કરાયેલી પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી છે.
બેસ્ટ કોલેજ શ્રેણીમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજને પ્રથમ અને મિરાન્ડા હાઉસને બીજો ક્રમ મળ્યો છે. ટોચની એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં નવ આઇઆઇટીને સ્થાન મળ્યું છે. જ્યારે તિરુચિરા પલ્લીની એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)ને નવમુ સ્થાન મળ્યું છે.
શ્રેષ્ઠ ફાર્મસી કોલેજોમાં નવી દિલ્હીની જામિયા હમદર્દને પ્રથમ પિલાનીના બિરલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બીઆઇટીએસને બીજુ અને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીને ત્રીજું સ્થાન મળ્યું છે.
શ્રેષ્ઠ લો કોલેજોમાં બેંગ્લુરુની નેશનલ લો સ્કૂલને પ્રથમ, દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીને બીજુ અને હૈદ્રાબાદની નેશનલ અકાડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્જ રિસર્ચ (એનએએલએસએઆર)ને ત્રીજુ સ્થાન મળ્યું છે.
મેડિકલ કોલેજોમાં એઆઇઆઇએમએસ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ), નવી દિલ્હીને પ્રથમ, પીજીઆઇએમઇઆર ચંડીગઢને બીજુ અને સીએમસી વેલ્લોરને ત્રીજુ સ્થાન મળ્યું છે. ડેન્ટલ કોલોજેમાં એઇમ્સ દિલ્હી (એઆઇઆઇએમએસ)ને પ્રથમ, ચેન્નઇની સવિતા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસને બીજુ સ્થાન મળ્યું છે.
રિસર્ચ ક્ષેત્રે આઇઆઇએસસી, બેંગ્લુરુને પ્રથમ અને આઇઆઇટી મદ્રાસને બીજો ક્રમ મળ્યો છે. ઓપન યુનિવર્સિટીઓની શ્રેણીમાં ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (આઇજીએમઓયુ)ને ટોચનું સ્થાન મળ્યું છે. જ્યારે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, મૈસૂરુને બીજુ સ્થાન મળ્યું છે.
સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓની (સરકારી યુનિવર્સિટી) શ્રેણીમાં પ. બંગાળની જાદવપુર યુનિવર્સિટીને પ્રથમ અને ચેન્નઇની અન્ના યુનિવર્સિટીને બીજુ અને પંજાબ યુનિવર્સિટીને ત્રીજુ સ્થાન મળ્યું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાએને ઓવર ઓલ, યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ સંસ્થાઓ, ઇનોવેશન, ઓપન યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, સ્કીલ યુનિવર્સિટી, અને સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ્સ (એસડીજી) એમ નવ વહેંચીને પસંદ કરાયા છે.
વિષયને ધ્યાનમાં રાખીને રેન્કિંગસ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ, આર્કિટેક્ચર, પ્લાનિંગ, ડેન્ટલ, એગ્રીકલ્ચર એમ આઠ શ્રેણીમાં ગણાયું હતું.
ટીચીંગ લનિંગ એન્ડ રિસોર્સિસ (ટીએસઆર), રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (આરપી), ગ્રેજ્યુએશન આઉટકમ (જીઓ), આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી (ઓઆઇ) અને પર્સેપ્શન (પીઆર) એમ કુલ પાંચ પેરામીટર્સ (પરિણામો ધ્યાનમાં લેવાયા હતા અને તે પ્રમાણે મળેલા કુલ સ્કોટરના આધારે રેન્કિંગસ અપાયા હતા.
બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.
3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.
આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.
રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.