





























મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે
ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.
મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.
સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.
ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ
માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.
ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.
સેમસંગે ગત જુન 2018માં કેટલાંક મોડલ્સના ભાવમાં 10-20 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ ઘટાડ્યા છે. સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નંબર વન કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા 32થી 43 ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ₹1,000થી ₹2,500) જેટલો ઘટાડો કર્યો છે જ્યારે 75 ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં 15 ટકા અથવા ₹45,000નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં 80 ટકાથી પણ વધુ હિસ્સો 32થી 43 ઇંચના ટીવીનો હોય છે.
ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં 14 ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.
ભાવ ઘટાડ્યા બાદ પણ સેમસંગના 43 ઇંચના ટીવીનો ભાવ ₹37,000 છે, જેની સામે TCLનો ભાવ ₹28,490 અને થોમ્સનનો ભાવ ₹27,999 છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ 40 ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.
ભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.”
ભારત દેશ પોતાની સંસ્કૃતિ તેમ જ અહીં ઊજવવામાં આવતા તહેવારો માટે જગતભરમાં પ્રખ્યાત છે.

જોકે ભારતના બધા તહેવારોને આખી દુનિયાના લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે જેઓ આ તહેવાર ઊજવવા પાછળનાં રહસ્યો અથવા એની અંદર છુપાયેલા ગુહ્ય જ્ઞાન વિશે જાણતા હોય. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એવો જ એક વિશિક્ટ તહેવાર છે જે યુગોથી ઊજવાય તો છે, પરંતુ એની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યને કોઈ નથી જાણતું. એ પહેલાં કે આપણે રક્ષાના આ મહાપવર્માં છુપાયેલા રહસ્ય વિશે સમજીએ, આપણા માટે એ જાણવું અતિઆવશ્યક છે કે મનુષ્યનું બધા પ્રકારે રક્ષણ કઈ રીતે અને કોના દ્વારા થઈ શકે છે અને બહેનો પોતાના ભાઈઓ તરફથી કયા પ્રકારનું રક્ષણ ઇચ્છે છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોવા જઈએ તો હાલમાં દરેક મનુષ્ય પાંચ પ્રકારની રક્ષા ઇચ્છે છે – તનની રક્ષા, ધર્મની રક્ષા, સતીત્વ અથવા પવિત્રતાની રક્ષા, કાલથી રક્ષા અને સાંસારિક આપત્તિઓ તેમ જ માયાનાં વિઘ્નોથી રક્ષા. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યોની આ પાંચ પ્રકારે રક્ષા કરવા માટે સક્ષમ છે?
આપણે સૌ પોતાના તનની રક્ષા માટે આખી જિંદગી કંઈકેટલાય પ્રયત્નો કર્યા કરીએ છીએ, પરંતુ એમ છતાં અંતમાં આપણામાંથી કોઈ પણ મૃત્યુને હાથતાળી નથી આપી શકતો. એવી જ રીતે ઇતિહાસકારો મુજબ પ્રાચીનકાળમાં બહેનો તેમના ભાઈઓને એટલા માટે રાખડી બાંધતી હતી કે જો ક્યારેય સામા પક્ષનો દુશ્મન તેમના સતીત્વ પર આક્રમણ કરે તો ભાઈ તેમની રક્ષા કરે, પરંતુ આપણે સૌ એ જાણીએ છીએ કે મનુષ્ય કંઈ સવર્સતમર્થ તો છે નહીં અને આપણે સૌ આ હકીકતને પણ જાણીએ છીએ કે કેટલીયે બહેનો-માતાઓની લાજ ભૂતકાળમાં લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં લૂંટાઈ હશે માટે જ આપણે એ જાણવું અને સમજવું પડશે કે દુક્ટોથી પોતાની લાજની રક્ષા વાસ્તવમાં એકમાત્ર સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા જ કરી શકે છે, ન કે કોઈ દેહધારી. માટે જ તો આ કથા ખૂબ જાણીતી છે કે કૌરવસભામાં જ્યારે દ્રૌપદીનું વjાહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ પરમાત્માને જ તો મદદ માટે પોકાર્યા હતા, કારણ કે એ ઘડીએ તેના સતીત્વનું રક્ષણ કોઈ પણ મિત્ર કે સંબંધી કરી નહોતા શક્યા. એટલા માટે જ તો આવી આપત્તિના સમયે લોકો પરમાત્માને પોકારીને કહેતા હોય છે કે ‘હે પ્રભુ, મારી લાજ રાખો. અમારા ધર્મની રક્ષા કરો ભગવાન.’
આ એક જાણીતી હકીકત છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. અર્થાત મનુષ્ય કાલને આધીન છે. એ સમજવા માટે સિકંદરનું ઉદાહરણ સવર્શ્રેતષ્ઠ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેણે અનેક સૈનિકોને માર્યા હતા, પરંતુ તે પોતાની જાતને કાળથી બચાવી નહોતો શક્યો. માટે એક વાત તો નિશ્ચિત છે કે કાળના પંજામાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ એકમાત્ર પરમાત્મા જ છે જેમને કાલોં કા કાલ મહાકાલ, અમરનાથ, મહાકાલેશ્વર અથવા તો પ્રાણનાથ પણ કહેવામાં આવે છે. એટલા માટે તો મનુષ્યો મહામૃત્યુંજયનો પાઠ કરે છે. અર્થાત પરમાત્માના શરણમાં જવાની કામના કરે છે. એવી જ રીતે માયાનાં વિઘ્નો તેમ જ સાંસારિક આપત્તિઓથી પણ એક પરમાત્મા જ આપણને છોડાવે છે, ત્યારે જ તો તેમને સંકટમોચન, દુખભંજન અને સુખદાતા કહેવામાં આવે છે. હવે જો પરમાત્મા જ બધાની પાંચ પ્રકારે રક્ષા કરે છે તો પછી બહેનો ભાઈઓને રાખડી શા માટે બાંધે છે? અથવા બ્રાહ્મણ પણ રક્ષાસૂત્ર શા માટે બાંધે છે? આને સમજવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આ તહેવારને વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે. આ નામો થકી એ સિદ્ધ થાય છે કે આ બંધન વિષય-વિકારને છોડીને પુણ્ય આત્મા બનવા માટેનું બંધન છે. અત: રક્ષાબંધન પવિત્રતા અથવા ધર્મની રક્ષા કરવા માટેનું બંધન છે. આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. બહેનો દ્વારા ભાઈઓને બંધન બાંધવાનો અર્થ પણ એ જ હોય છે કે ભાઈઓ પ્રતિજ્ઞા કરે કે તે પવિત્રતાને ધારણ કરશે અને પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિને પવિત્ર બનાવશે. બ્રાહ્મણો દ્વારા બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પાછળનો હેતુ પણ એ જ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પરંતુ યુગપરિવર્તનની સાથે આપણી માન્યતાઓ અને પરંપરાઓ પણ બદલાઈ છે જેના પરિણામસ્વરૂપે આજે ન તો બહેન એ માનસ સાથે રાખડી બાંધે છે અને ન બ્રાહ્મણ. કમનસીબે આજે મનુષ્ય આ અધ્યાત્મિક રહસ્યોને ભૂલી ગયો છે અને માટે તે આ મહાન પવર્ને એક રીતિરિવાજ તરીકે માને છે અને ઔપચારિકતા ખાતર એને ઊજવે છે અને માટે જ આજે આ પર્વ વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ નથી રહ્યો અને વ્યક્તિ તેમ જ સમાજને પણ આની ઉજવણી દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ નથી થઈ રહી. વાચકમિત્રો, વર્તમાન સમયની માગ એ જ છે કે આપણે સૌ રક્ષાબંધનના આ મહાપવર્નેણ મૂલ્યઆધારિત બનાવીને એને નવું ગૌરવ પ્રદાન કરીએ જેથી આપણા ભવિષ્યની પેઢીઓ આ તહેવાર દ્વારા કંઈક નવું શીખે અને પોતાના જીવનને મૂલ્યવાન બનાવે.
@ Jayesh Brahmbhatt 98253 44944
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની આ ૧૨૫ જેટલી વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .



સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .
શહેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન મંડપ બાંધવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી લેવી આવશ્યક હોય છે તેમ જ આ અંંગેની અરજી કરતી વખતે તેની સાથે મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસનું નોઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) પણ આવશ્યક હોય છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાતો હોવાથી હવે પાલિકાએ મુંબઈ પોલીસના સહકારથી આ મંજૂરી પ્રક્રિયા મરાઠી અને અંગ્રેજી આ બંને ભાષામાં ઑનલાઇન કરવામાં આવી છે.
ગણેશોત્સવ અને નવરાત્રીમાં સાર્વજનિક મંડપ ઊભા કરવા માટે પાલિકાની મંજૂરી આવશ્યક છે. આ અંગેની મંજૂરી લેવા માટે સંબંધિત મંડળને પાલિકાના કાર્યલયમાં જાતે જઇને અરજી આપવી પડી છે. તેમ જ આ અરજી રજૂ કરતી વખતે તેની સાથે મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસની એનઓસી પણ આપવી પડે છે. તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસની ઑફિસના ધક્કા ખાવા પડે છે. નાગરિકોની સુવિધા માટે ‘ઇઝ ઑફ ડુઇંગ’ અંતર્ગત પાલિકાએ ઓનલાઇન સેવા ઉપલબ્ધ કરાવી છે. ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ પાલિકાની વેબસાઇટ www.mcgm.gov.in પર જવાનું રહેશે. વેબસાઇટના હોમ પેજ પર ‘ઓનલાઇન સેવા’ આ વિકલ્પ પર માઉસ પોઇન્ટર મૂકતા ‘ડ્રોપ ડાઉન મેનુ’ દેખાશે. તેમાં 14માં નંબર પર ‘પરીક્ષણ’ (મેન્ટેનન્સ) આ લિન્ક છે. આ લિન્ક પર ‘માઉસ પોઇન્ટર’ મૂકતા પાંચમાં નંબર પર ‘ગણપતિ/નવરાત્રી’ની લિન્ક દેખાશે. આ લિન્ક પર ક્લિક કરવા પર એક વેબપેજ ખૂલશે, તેના પર ઓનલાઇન અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, એવું પાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.

4G ઇન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4G LTE ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 Mbpsના સ્તરે સ્થિર રહી છે, જે 17 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની છે. આ બાબત ભારતને 4G નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે.
મોટી ટેલિકોમ કંપનીઓ 4G ટેલિકોમ માટે વિસ્તરણ કરી રહી છે અને 5Gની વાતો પણ થવા માંડી છે. ઉપરાંત, સર્વિસ પ્રોવાઇડર્સ ટૂંક સમયમાં 100 Mbpsની સ્પીડ સાથેનું ફાઇબર આધારિત હોમ બ્રોડબેન્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે ડેટા યુઝર્સ માટે ખુશ થવાના દિવસો છે.

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.
અમેરિકાની ડેટા સ્પીડ ટેસ્ટર ઓક્લાએ ભારતના મોબાઇલ ઇન્ટરનેટની એકંદર સ્પીડની બાબતમાં 124માંથી 109મો ક્રમ આપ્યો છે. મોબાઇલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.12 Mbps છે, જે 23.54 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી ઓછી છે. ઓક્લાની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડટેસ્ટના પરિણામમાં 2G, 3G અને 4G સ્પીડનો સમાવેશ થાય છે.
ભારતમાં ધીમી ઇન્ટરનેટ સ્પીડનું એક કારણ ગીચ વસ્તીને સર્વિસ પહોંચાડવાનો પડકાર હોઈ શકે. ઓપનસિગ્નલના એનાલિસ્ટ પિટર બોયલેન્ડે ETને જણાવ્યું હતું કે, “ભારતમાં સ્માર્ટફોનની સંખ્યામાં મોટા ઉછાળાને કારણે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોઈ શકે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર LTEને કેટલું સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યું છે તેના પર પણ 4G સ્પીડનો આધાર રહેલો છે.
ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.
ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.
તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.
એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.
યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.
ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.
આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.
(સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)
પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે