CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 34 of 41 - CIA Live

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10230
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min4680

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.

January 18, 2019
agri-1.jpg
1min10760

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.

January 17, 2019
dancebar1-1.jpg
1min15140
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 15, 2019
kite1.jpg
1min13290

ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.

સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

January 11, 2019
gst.jpg
1min14650

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 10, 2019
surat.jpeg
1min26040

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.

January 8, 2019
strike.jpg
1min9740

કેટલીક સેવાઓમાં અડચણો તેમ જ રોકવામાં આવી ટ્રેન સેવાઓ

 

સરકારની કામદાર વિરોધી નીતિ અને શ્રમકાયદામાં એકપક્ષી સુધારાના વિરોધમાં દેશના ૨૦ કરોડ કરતા પણ વધુ કામદારો આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જતા બેંકિંગ સમેતની સંસ્થાઓના કામકાજ ખોરવાય જવા પામ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ) જણાવ્યું હતું કે હડતાળમાં બૅંકોના કર્મચારીઓ સ્વયંભુ જોડાઇ જતા સમગ્ર દેશમાં સજ્જડ રીતે કામ બંધ થયું છે. સરકારે આ હડતાળની ઘેરી અસર પહોંચી છે.

મુંબઇ મહારાષ્ટ્રની વાત કરીએ તો હડતાળની અસર સવારથી જ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી છે. મુંબઈમાં જ્યાં બેસ્ટ બસો થોભી છે, તો ત્યાં જ અન્ય રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ રસ્તા પર ઉતરીને રોડ જામ કર્યાં અને ટ્રેન સેવાઓમાં પણ અડચણો ઊભી કરી. આ બંધમાં દેશના કેટલાય ખેડૂતો અને શિક્ષક સંઘ પણ જોડાયા છે. દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર, બેઁકના કામકાજ અને શાળાઓના ભણતર પર પ્રભાવ પડી શકવાની આશંકા છે. ટ્રેડ યુનિયનોની માંગમાં વેતન વૃદ્ધિ, રોજગાર, પ્રમોશનની સાથે સાથે ન્યુનતમ ટેકાના ભાવમાં વધારા સહિત અન્ય કેટલીય માંગણીઓ સામેલ છે.

બંગાળની વાત કરીએ તો સીએમ મુખ્યયપ્રધાન મમતા બેનર્જીની ચેતવણીની પણ બંગાળમાં કોઈ અસર જોવા મળી નથી. કેટલાય સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકર્તાઓએ રેલ્વે લાઈન બ્લૉક કરી દીધી છે, તો ઓરિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટાયરો બાળ્યાં. ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસથી જોડાયેલ પદાધિકારીઓના કહ્યાં મુજબ આ હડતાળમાં ખેડૂતો અને બેઁકના કર્મચારીઓ પણ સામેલ છે.

આજથી શરૂ થતી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે ૧૦ જેટલા સીટીયુએ હાથ મિલાવ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ હડતાળમાં ૨૦ કરોડ કરતા પણ વધુ કામદાર જોડાતાં હડતાળ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની કામદાર તેમ જ જનતાવિરોધી નીતિના વિરોધમાં વિવિધ ક્ષેત્રના કામદારો સૌથી મોટા પ્રમાણમાં જોડાશે, એમ એઆઈટીયુસીના ૧૦ સીટીયુ દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને કહ્યું હતું.

બુધવારે અમે દિલ્હીના મંડીહાઉસથી

સંસદભવન સુધી વિરોધપ્રદર્શન કરતું સરઘસ લઈને જઈશું અને દેશભરમાં એ જ પ્રમાણે વિરોધપ્રદર્શન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. શ્રમકાયદામાં કરવામાં આવેલા એકપક્ષી સુધારાનો પણ અમે વિરોધ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. સરકાર રોજગાર ઊભો કરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે અને યુનિયનોની ૧૨ મુદ્દાની માગણીની ઘોર અવગણના કરી છે, એમ તેમણે કહ્યું હતું.

January 6, 2019
gst.jpg
1min11990

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 5, 2019
coldwave-1.jpg
1min6850

આવનાર 6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી

દેશ અને તેના પગલે રાજ્યના હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસો, રવિ, સોમ અને મંગળવાર તા.6થી 8 જાન્યુઆરી 2019 દરમિયાન ભારતના પશ્ચિમ વિસ્તાર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સખત ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાતમાં આમેય છેલ્લા ઘણાં દિવસોથી એક ધારી સખત અને બેઠ્ઠી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. શુક્રવાર તા.4 જાન્યુઆરીએ ઠંડી થોડી ઓછી થઇ હતી, એ પછી આજે શનિવાર તા.5મી જાન્યુઆરીએ સવારથી ફરીથી રાબેતા મુજબ ઠંડી પડી રહી છે. રવિ, સોમ અને મંગળ દરમિયાન ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે તેમ હોઇ, લોકોને સાવચેતી દાખવવા માટે સલાહ આપવામાં આવી છે.

6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી અપાઈ છે. આગામી 6થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્યમાં કોલ્ડ વેવ આવવાની શક્યતા છે. ગાંધીનગર, નલિયા, વલસાડ, અમરેલી જિલ્લામાં ઠંડા પવનના વાયરાની આશંકા જણાવી છે.