CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 33 of 41 - CIA Live

February 5, 2019
facebook.jpeg
8min14450

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 4, 2019
bus.gif
1min4680

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

February 3, 2019
sunday.png
1min31970

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 2, 2019
unnati.png
1min8980

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

January 31, 2019
voterlist1-1280x720.jpg
1min9090

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણીની નવી મતદાર યાદી જાહેર

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલાની યાદી કરતા આ વર્ષે અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

2019ની ચૂંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે. દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે. વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે. ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે. મતદાર યાદીમાં નામ ન હોય તો 6 નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે.

– મતદાન યાદીમાં કુલ 4 કરોડ 47 લાખ મતદારો
– કુલ મતદારો પૈકી 2 કરોડ 32 લાખ પુરુષ અને 2 કરોડ 14 લાખ મહિલાઓ સામેલ
– થર્ડ જેન્ડરના 1053 મતદારો નોંધાયા
– કુલ 51709 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
– 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરશે
– જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હજાર
-1૦૦ વર્ષથી વધુ ઉમરનાં લગભગ 1૦૦ જેટલા મતદારો.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આ તારીખ 31મી જાન્યુઆરી સુધી આવી છે. જે મુજબ આજે યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને આખરી તબક્કામાં પહોંચી છે. નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી ફેબ્રુઆરી મહિનામાં પૂરી કરી દેવામાં આવશે. ચૂંટણીપંચના જોઈન્ટ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 4 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ ચાર કરોડની 47 લાખ આંકડો છે. જેમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોની સંખ્યામાં આઠ લાખ જેટલો વધારો નોંધાયો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે એવો ઉત્સાહિત છે.

January 27, 2019
nano.jpg
2min7070
  • નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી
  • 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે
  • બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી
  • રતન ટાટાની ડ્રીમ કાર ‘ટાટા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે.
(નેનો કાર)

નેનો સામે શરૂઆતથી જ વિધ્નો હતા

પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-૨૦૨૦માં નવા નિયમો અમલી બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.

ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગઇ તા.24મી જાન્યુઆરી 2019ના રોજ હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (બીએસ-૬ નિયમો)નું પાલન નહીં કરે અને અમે તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે.” બીએસ-૬ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે એવો સંકેત તેમણે આપ્યો હતો.

ટુ-વ્હીલર પર મુસાફરી કરતાં ભારતનાં કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ ₹1 લાખમાં ૨૦૦૯માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન ૨૦૧૮માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી.

બીએસ-6 વાહનો અંગે પરીકે જણાવ્યું હતું કે તે ઓટો કંપનીઓ માટે એક પડકાર છે કારણ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ૧ એપ્રિલ ૨૦૨૦ બાદ બીએસ-૬ સિવાયનાં વાહનોના રજિસ્ટ્રેશનની પરવાનગી આપતી નથી.

ઉલ્લેખનીય છે કે ટાટા નેનો પ્લાન્ટનું આગમન ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક સાબિત થયું છે. નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યા બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા સ્કૂટર્સ એન્ડ મોટરસાઇકલ્સ, સુઝુકી મોટર્સ જેવી ઓટો જાયન્ટ કંપનીઓ અને તેમને સંલગ્ન અનેક વેન્ડર્સ કંપનીઓ ગુજરાતમાં આવી હતી અને ગુજરાત ભારતનું નવું ઓટોમોબાઇલ હબ બન્યું છે.

ટાટા મોટર્સ હાલમાં સાણંદ પ્લાન્ટ ખાતે તેની લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન કરે છે અને અહીં તેણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની હાલમાં 60 ટકા કાર માર્કેટમાં ઓપરેટ કરે છે અને 2021-’22 સુધીમાં નવી પ્રોડક્ટ્સ લોંચ કરીને 90 ટકા માર્કેટને આવરી લેશે.

What are Bharat Stage norms?
The Bharat Stage are standards instituted by the government to regulate emission of air pollutants from motor vehicles. The norms were introduced in 2000. With appropriate fuel and technology, they limit the release of air pollutants such as nitrogen oxides, carbon monoxide, hydrocarbons, particulate matter (PM) and sulphur oxides from vehicles using internal combustion engines. As the stage goes up, the control on emissions become stricter. Thus Bharat Stage VI norms are two stages ahead of the present Bharat Stage IV norms in regulating emissions. These norms are based on similar norms in Europe called Euro 4 and Euro 6.

Differences between two stages
The extent of sulphar is the major difference between Bharat Stage IV and Bharat Stage VI norms. BS-IV fuels contain 50 parts per million (ppm) sulphur, the BS-VI grade fuel only has 10 ppm sulphur. BS VI can bring PM in diesel cars down by 80 per cent . The new norms will bring down nitrogen oxides from diesel cars by 70 per cent and in petrol cars by 25 per cent. BS VI also make on-board diagnostics (OBD) mandatory for all vehicles. OBD device informs the vehicle owner or the repair technician how efficient the systems in the vehicle are.

January 26, 2019
liquor.jpg
1min7340
  • રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ
  • રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી
  • અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ
  • મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી
  • એક તરફ સરકારે દારુબંધીનો કડક અમલ ફક્ત અમીર, વીઆઇપી, ધનવાન લોકો પર કરાવ્યે રાખ્યો છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાના પરવાનાઓ પણ સરકાર ધડાધડ મંજૂર કરી રહી છે
લિકર શોપનો પ્રતિકાત્મક ફોટો

ગુજરાતમાં એક તરફ રૂપાણી સરકારે દારુબંધીનો કડક અમલ કરાવવાના બહાને ધનવાન ઘરના, ખાનદાન ઘરના, મોટા લોકો પર દારબંધીના કેસો ઠોકાવ્યા છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાની પરવાનગી પણ આ જ રૂપાણી સરકાર આપી રહી છે. દારુબંધીના મુદ્દે સરકારના બેવડા વલણો હોવાની હદ તો ત્યારે દેખાઇ રહી છે કે ગુજરાતમાં દારુબંધી જેના કારણે અત્યારપર્યંત અણનમ રહી છે એ પૂ.મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમના 500 મીટર વિસ્તારમાં બબ્બે સ્થળોએ સત્તાવાર રીતે દારુ વેચવા માટે નોટીફાઇડ લિકર શોપની મંજૂરી આપી દેવામાં આવી છે.

રાજ્યમાં એક તરફ દારુબંધીના કડક અમલના નામે પોલીસે રીતસર જુલ્મો કરવા માંડ્યા છે. પીધેલા પોલીસવાલાઓ જ દારુડીયા લોકોને પકડી પકડીને કેસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એવા લોકોની સામે પગલાં ભરવાની જગ્યાએ દારુ પીનારાઓને પકડી પકડીને પોલીસ મીર માર્યો હોય તેવો ડોળ કરી રહી છે. દારુબંધીના કડક અમલના નામે આજકાલ મહિલાઓને પાર્ટીઓમાંથી પકડી લાવીને પોલીસ મિડીયા માઇલેજ મેળવીને દારૂબંધીનું પ્રમોશન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. દેશી દારુ પીને રસ્તે રખડતા લોકો પર કોઇ દારુબંધી જોવા મળતી નથી. પોલીસ મથક કે પોલીસ સ્ટેશનની સામેથી લથડીયા ખાતા ખાતા પસાર થતા દારુડીયાઓ પોલીસ તંત્ર માટે કામના નથી. ફક્ત ધનવાન, જાણીતા, વીઆઇપી લોકો પર જ પોલીસ દારુબંધીનો અમલ કરાવી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે. દારૂના વેચાણ માટે હોટલમાં પરમીટ માટેની અરજીઓની સમીક્ષા કરતી હાઇ-પાવર કમિટી તેની આગામી મીટિંગમાં વધુ 12 હોટલોને કાયદેસર રીતે દારુ વેચવાના લાયસન્સ આપશે એમ મનાય છે. નશાબંધી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 15 હોટલો કે જેમણે લાયસન્સ માગ્યા છે તેમાં 10 નવી હોટલો એકલા અમદાવાદની છે.

ગુજરાતમાં ચાર નવી હોટલો કે જ્યાં દારુ વેચવાની સરકારે પરવાનગી આપી છે એ અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે હોટેલોને ઉદારતાથી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ છે.

માત્ર અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં શરાબનું વેચાણ કરતી હોટલોની સંખ્યા માત્ર પાંચ હતી. સરકારે સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શરાબ વેચતી હોટલોની સંખ્યા 13 થવા જાય છે.

January 24, 2019
railway-recruitment-board.jpg
1min8260

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 23, 2019
gpsc_logo.jpg
1min28700

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.

આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.

આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.

January 22, 2019
Auro-University-min1.jpg
4min8170

(તા.22 જાન્યુઆરી 2019ના રોજ ઑરો યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સને સંબોધી રહેલા યુનિ.ના પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઇ રામા તેમજ અન્ય પદાધિકારીઓ)

ભવિષ્યની પેઢીને સંપૂર્ણ શિક્ષણ આપતી અને નેતૃત્વ માટે સજ્જ કરતી અગ્રિમ યુનિવર્સિટી બનવાનાં લક્ષ્ય સાથે હાલ યુ.એસ.એ. સ્થિત રામા પરિવાર દ્વારા વર્ષ 2011માં ઑરો યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. છેલ્લાં આઠ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સેંકડો યુવાનોને તાલીમબદ્ધ કરીને કુશળ પ્રૉફેશનલ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ઑરો યુનિવર્સિટીનું લક્ષ્ય શૈક્ષણિક જગત તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાનું છે.

ગત ડિસેમ્બર 2018માં જ ઑરો યુનિવર્સિટી યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. ઑરો યુનિવર્સિટીના કાર્યોની વૈશ્વિક સ્વીકૃતિની સાથે સાથે યુજીસી દ્વારા મળેલી આ માન્યતાથી ઑરો યુનિવર્સિટીમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાશે અને તેના માટે આર્થિક સહાય પણ મેળવી શકાશે.

  • ઑરો યુનિવર્સિટીની પ્રવર્તમાન પાંચ સ્કૂલ્સ –
  • બિઝનેસ સ્કુલ
  • હોસ્પિટાલિટી સ્કુલ
  • આઈટી સ્કુલ
  • લૉ સ્કુલ તેમજ
  • સ્કૂલ ઑફ ડીઝાઇન

2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ

વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશન

કાર્યરત છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશનની શરૂઆત કરવાનું પણ ઑરો યુનિવર્સિટીનું આયોજન છે. ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. આ ઉપરાંત રૂરલ ઇમર્ઝન પ્રોગ્રામ સાથે નવા શૈક્ષણિક કેન્દ્રો પણ શરૂ કરવાનું આયોજન છે.

ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની નવી માળખાકીય સુવિધાઓ જેવી કે ક્લાસરૂમ્સ, હોસ્ટેલ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ, વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર તથા રમતગમત માટેની અદ્યતન સુવિધાઓનું નિર્માણ થશે.

સુરત શહેર અને સુરતવાસીઓ સાથે સાતત્યપૂર્ણ ઘનિષ્ઠતા કેળવવા માટે યુનિવર્સિટી આગામી સમયમાં પોતાના કેમ્પસમાં જ ‘શ્રી ઑરોબિંદો ઇન્ટેગ્રલ લાઇફ સેન્ટર’ની રચના કરશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા નજીકનાં ભવિષ્યમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ પણ શરૂ કરવામાં આવશે, જેનો લાભ કામ કરતાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ તથા અન્ય યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

ઑરો યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે

આગામી રવિવારથી યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે. આ સેમિનારનું આયોજન યુ.કે. સ્થિત યુનિવર્સિટી ઑફ નોર્થેમ્પટન, ડબ્લિન સ્થિત ટ્રિનિટી કૉલેજ સાથે મળીને થઈ રહ્યું છે. આ સેમિનારમાં અમેરિકા, યુ.કે., યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં 29 અધ્યાપકો અને નિષ્ણાતો ભાગ લેશે.

હાઇલાઇટ્સ

  • હાલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ બિઝનેસ તથા સ્કૂલ ઑફ આઈટીમાં પીએચ.ડી. કાર્યક્રમ સહિત કુલ 29 શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ છે. આ ઉપરાંત લિબરલ આર્ટ્સ, લૉ, તથા હોસ્પિટાલિટી સ્કૂલ્સમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં પીએચ.ડી. કાર્યક્રમોની શરૂઆત થશે.
  • ઑરો યુનિવર્સિટી યુજીસીની માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે.
  • યુનિવર્સિટી આર્થિક પડકારો ધરાવતાં વિદ્યાર્થીઓને બોર્ડિંગ સહિતના શૈક્ષણિક ખર્ચને આવરી લેતી 100 ટકા સ્કૉલરશીપ પૂરી પાડે છે. આ ઉપરાંત અન્ય તમામ વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કૉલરશીપ આપે છે.
  • યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધન કાર્યમાં મદદરૂપ બનવા માટે ઑરો યુનિવર્સિટીએ મોનોગ્રાફ પબ્લિકેશન ગ્રાન્ટ તથા સીડ મની ફોર રિસર્ચ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે.

Press Release in English

 AURO University was established in 2011 with the vision ‘To be a premier University of Integral and Transformational Learning for future leaders’ by the Rama Family based now in the USA. After 8 years of transforming hundreds of young minds and helping them turn into fine professionals, AURO Universityaspires to achieve new milestones in academic world and provide higher education.

As you must be aware, last month, the University became the first private university in South Gujarat and one of the few in Gujarat to receive the UGC approval. In addition to a globally acceptable validation of our endeavours, this recognition will allow us to host many a national and international collaborative projects and receive funds for research activities.

We are happy to announce that in addition to existing four schools of Business, Hospitality, IT and Law, the University started School of Design in the last academic year. School of Liberal Arts and School of Journalism and Mass Communication were launchedin the current academic year 2018-19.The University plans to start a School of Sciences as well as a School of Education by the year 2020.Soon, we are going to start new programmes like Masters in Hospitality Management, PG Diplomas in Date Analysis, Artificial Intelligent, Internet of Things and Certificate course in Integral Yoga, along with Rural Immersion Program and new centres.

The University is going to add infrastructural facilities in the form of new academic building, hostel, international transit house, students’ facilities centre, and state of the art sports facilities.

Increasing our engagement with the city and the people of Surat, the University will soon have Sri Aurobindo Integral Life Centre on its campus. The University will be also announcing several certificate programmes in near future, which will be open to all.

Starting this Sunday, the University will be holding a three day international seminar               during 27, 28 and 29 January, 2019 on ‘Challenging Precarity’. This seminar, held in collaboration with the University of Northampton (UK) and Trinity College (Dublin), has large number of participants with 29 foreign participants from USA, UK, Europe and Australia.

 Highlights

  • Currently University has 29 programs with PhD in School of Business & School of IT. Ph.D. in Liberal Arts, Law & Hospitality will be starting in 2019 – 20.
  • AURO University is the first private university in South Gujarat to be approved by UGC under section 2(f) & 22 of the UGC Act and the UGC Regulations 2003.
  • The University provides merit scholarships and supports full education of financially challenged students inclusive of boarding, by offering them 100% scholarship.
  • In order to support research by faculties, the University has started Monograph Publication Grant and Seed Money for Research Projects for its faculty.