CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 26 of 41 - CIA Live

June 14, 2019
pension-1280x720.jpg
1min15800

પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.

June 13, 2019
fraud.jpg
1min5560

છેલ્લા 11 વર્ષમાં રૂ. 2.05 લાખ કરોડની રકમના લગભગ 50 હજારથી વધુ કૌભાંડ થયા છે. સૌથી વધુ કૌભાંડના કેસ સ્ટેટ બૅંક, એચડીએફસી બૅંક અને આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે, એમ રિઝર્વ બૅંકના આંકડામાં જણાવાયું છે. 2008-09થી 2018-19 દરમિયાન 53334 કૌભાંડના કેસ નોંધાયા છે. તે પૈકી 6811 કેસ આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે જેમાં રૂ. 5033.81 કરોડના કૌભાંડ થયા છે.

સ્ટેટ બૅંકમાં રૂ. 23734.74 કરોડના 6793 કૌભાંડના કેસ છે. એચડીએફસી બૅંકમાં રૂ. 1200.79 કરોડના કૌભાંડ થયા છે.

આરટીઆઈ દ્વારા કરાયેલ અરજીના સંદર્ભમાં રિઝર્વ બૅંકે માહિતી આપી હતી. બૅંક ઑફ બરોડામાં કૌભાંડના 2160 કેસ છે જેમાં રૂ. 12962.96 કરોડની રકમ છે. પીએનબીમાં રૂ. 28700.74 કરોડના 2047 કૌભાંડ થયા છે. એક્સિસ બૅંકમાં રૂ. 5301.39 કરોડ, બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 12358.20 કરોડ, સિન્ડિકેટ બૅંકમાં રૂ. 5820.85 કરોડ, સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 9041.98 કરોડના કૌભાંડ થયા છે.

આઈડીબીઆઈ બૅંકમાં રૂ. 5978.96 કરોડના 1264 કૌભાંડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકમાં રૂ. 1221.41 કરોડના 1263 કૌભાંડ, કેનેરા બૅંકમાં રૂ. 5113.38 કરોડના 1254 કેસ, યુનિયન બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 11830.74 કરોડના 1244 કૌભાંડ, કોટક મહિન્દ્રા બૅંકમાં રૂ. 430.46 કરોડના 1213 કેસ નોંધાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅંકમાં રૂ. 12644.70 કરોડ, ઓરિયેન્ટલ બૅંકમાં રૂ. 5598.23 કરોડ, યુનાઈટેડ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 3052.34 કરોડના કૌભાંડ થયા છે. ખાનગી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. ભારતમાં કાર્યરત વિદેશી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. અમેરિકન એક્સપ્રેસ બૅંકમાં રૂ. 86.21 કરોડ, સિટી બૅંકમાં રૂ. 578.09 કરોડ, એચએસબીસીમાં રૂ. 312.10 કરોડ, રોયલ બૅંક ઓફ સ્કોટલેન્ડમાં રૂ.12.69 કરોડના કૌભાંડ થયા છે. બૅંકોમાં વધી રહેલા કૌભાંડ વિશે સરકારે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઈએ, એવી માગણી કૉંગ્રેસે કરી છે.

June 13, 2019
vayu-1280x720.jpg
1min11060
વાવાઝોડું ફંટાઈને હવે તેની દિશા બદલી રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો પસાર કર્યા બાદ તે ઉત્તર અરબ સાગરમાં કરાચીના દરિયા કિનારામાં પહોંચીને નબળું પડી શકે છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે ‘વાયુ’ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે.

સેટેલાઇટ ઇમેજીસ કહે છે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે

હવામાન અંગે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સ્કાયમેટની વેબસાઇટ પર કરવામાં આવેલા ફોરકાસ્ટ અનુસાર તા.13 અને તા.14 જુન દરમિયાન વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જુનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત વેરાવળ અને ઓખામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હવામાન એજન્સી સ્કાયમેટ ની આગાહી ગુજરાતના રહેવાસીઓ ઉપરાંત રાજ્ય સરકાર માટે રાહતજનક પુરવાર થઇ રહી છે.

વૈશ્વિક રીતે સ્વીકૃત સ્કાયમેટ વેબ ફોરકાસ્ટ કહે છે ગુજરાતની ધરતીને નહીં સ્પર્શે વાયુ

સ્કાયમેટ ફોરકાસ્ટ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય પરંતુ તે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે વાવાઝોડું પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠા નજીકથી પસાર થશે. આ પહેલા ‘વાયુ’ વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉદભવતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે NDRFની ટીમોને ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત 3 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
vayu latest update માટે છબી પરિણામ
June 12, 2019
dwarka.jpg
1min6040

વાયુ’ વાવાઝોડાંને પહેંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં બહારના રાજ્યોમાંથી પણ એનડીઆરએફના જવાનો તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડાંની સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે અને અન્ય ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. જો કે, પોરબંદરની 1પ બોટ અને 4પ બોટ હજી પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે.’ લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી સાથે શાળાઓની ઈમારતો ખાલી રાખવામાં આવી છે અને સંખ્ય-ાબંધ એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

મોરબીમાં કાર્યવાહી

વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.’ આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

કચ્છની સ્થિતિ

‘કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના જોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે.

અમરેલી

અમરેલીના અહેવાલ મુજબ 700 જેટલી બોટ જાફરાબાદ લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના 11, રાજુલાના 12 સહિત 23 ગામોને હાઈએલર્ટ’ કરવામાં આવ્યા છે. 60 એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોરબીથી મળતા અહેવાલ મુજબ, મોરબી જિલ્લાના કુલ 348 ગામ પૈકી 39 ગામો અને તેના પ3પ3 નાગરિકોના સ્થળાંતર માટેની તમામ તૈયારી કરી લેવાઈ છે. આ માટે 48 સ્કૂલો અને પાંચ આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ-સમાજની વાડી વગેરે ખાલી રાખવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનને તકેદારી માટે અપિલ કરી છે. મોરબીનું ફાયર બ્રિગેડ 40ના સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ પરિસ્થિતિને પહેંચી વળવા તૈનાત છે.

જામનગરમાં સ્થિતિ

જામનગરથી મળતા અહેવાલ મુજબ, કલેક્ટર રવિશંકર રજા ઉપર ગયા હતા પણ રજા રદ્દ કરીને તે પરત આવી ગયા છે અને તમામ સ્થિતિની સમીક્ષા કરી છે. જામનગર અને જોડીયા માટે એનડીઆરએફની બે ટીમ આવી પહેંચી છે. માછીમારોને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાંમાં લોકોને મદદ કરવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે રહેશે અને આ માટે એક મિટીંગ પણ કરી હતી. પોરબંદરમાં પાલિકા તંત્ર પણ સુસજ્જ છે. પાલિકાના ચીફ ઓફિસર હુદડે લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા, સમુદ્રથી દૂર રહેવા સૂચના આપી છે. અહીં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેલ્ટર હોમ, શાળા, કોલેજના બિલ્ડીંગો વગેરેમાં સહયોગ આપવા કલેક્ટર મુકેશ પંડયાએ ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો.

પોરબંદરની ચોપાટી બંધ 

ખંભાળીયાના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને ત્રણ આશ્રય સ્થાનો આરક્ષિત રખાયા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તમામ સ્થળોએ મોકુફ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાંને પગલે કોડીનારનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોડીનાર, માઢવાડ, કોટડા, વેલણ, મૂળ દ્વારકા સહિતની દરિયાઈ પટ્ટીના ગામોના લોકો સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે.

જૂનાગઢના હાલ

જૂનાગઢથી મળતા અહેવાલ મુજબ, જૂનાગઢનું વહિવટી તંત્ર સાબદું બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ પહોંચી છે જ્યારે એક ટીમને કેશોદ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળ તાલુકાના ખોડાદા, શેરીયાજ, આરેણા, શાપુર, માંગરોળ, લોએજ, આંત્રોલી જેવા ગામોમાં અને માળીયા હાટીનાના ગામોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

બોટાદમાં પણ ડિઝાસ્ટરની મિટીંગ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી.

દીવમાં પણ ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દીવમાં તમામ તંત્રના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રહેશે. દીવમાં કંટ્રોલરૂમ નંબર 0287પ 2પ2081, 2પ2111 આપવામાં આવ્યા છે.ભાવનગરમાં પણ તંત્ર એલર્ટ છે અને શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ઘો-ઘો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.

સુરતમાં એલર્ટ

સુરતમાં ગણેશ બિચ અને ડુમસ બિચ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના અહેવાલ મુજબ, તમામ 14પ2 બોટ અને પ3પ નાની હોડીઓ પાછી ફરી ગઈ છે. વાવાઝોડાંની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ આવી પહેંચી છે. વડોદરાના અહેવાલ મુજબ, વડોદરાથી એનડીઆરએફની 11 ટીમ સૌરાષ્ટ્ર માટે રવાના કરી દેવામાં આવી છે. આ તમામ ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે. મહારાષ્ટ્રના પુણે અને ભટીંડાથી પણ પાંચ ટીમો આવી છે. દરમિયાન જામનગર જિલ્લાના 2પ ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવા 100 એસ.ટી. બસ મૂકવામાં આવી છે.

હૈદરાબાદથી એનડીઆરએફની બે ટુકડી 30 ટન સામગ્રી સાથે રવાના થઈ છે. તેમજ સંરક્ષણની ત્રણેય વિંગને એલર્ટ કરવા સાથે જરૂર પડયે લોકોની મદદ માટે હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. અમરેલી જિલ્લા કલેકટરે રાજુલાના 13 અને જાફરાબાદના 10 મળી 23 ગામોને હાઈએલર્ટ જાહેર કર્યા છે.

ભાવનગરમાં 33 ગામો હાઇ એલર્ટ પર

ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે તળાજા, ધોધા, મહુવાના 33 ગામો હાઈએલર્ટ પર જાહેર કર્યા છે. કાળા તળાવ, હાથબ, નર્મદ, કોળિયાક, જસવંતપુર, ગણેશગઢ વગેરે ગામોનો સમાવેશ થાય છે. દરિયાકિનારાના હાઈએલર્ટવાળા ગામડાઓમાં બપોરબાદ સ્થળાંતર કરાવવામાં આવશે. અલંગ શીપ યાર્ડમાં શ્રમિકો પાસે જહાજોનું કટીંગ નહીં કરાવવા આદેશ અપાયો છે.

June 9, 2019
tution.jpg
1min14440

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
keral_rain.jpg
1min7970

સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા છે એ ચોમાસાએ ભારતના દક્ષિણ પશ્ચિમ કાંઠે એટલે કે કેરળમાં સત્તાવાર આગમન કરી લીધું છે. કેરળમાં આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ઠીકઠીક પ્રમાણમાં વરસાદે કેરળને તરબોળ કરી દીધું છે.

બીજી તરફ IMD (ઈન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ પણ સત્તાવાર જાહેરાત બુલેટીનમાં જણાવ્યું છે કે આજે તા.8મી જુન 2019ના રોજ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. આજે સવારથી જ કેરળના મોટ ભાગના વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

હવામાન ખાતા દ્વારા કેરળના સાત જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min6920

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 6, 2019
guj_gov_logo.png
1min8690

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 5, 2019
eid.jpg
1min5940

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

June 5, 2019
rain.jpeg
1min5190

ભારતીય વેધશાળાની આગાહી મુજબ દેશમાં ચોમાસું થોડું વિલંબિત થવાની સંભાવના છે. ચોમાસું હવે સાતમી જૂને બેસવાની સંભાવના છે. શનિવારે પ્રાઇવેટ વેધશાળા, સ્કાયમેટે પણ ચોમાસું શરૂ થવાની સંભવિત તારીખ 4 જૂનથી બદલીને 7 જૂન કરી હતી. ગયા મહિને વેધશાળાએ જણાવ્યું હતું કે કેરળમાં 6ઠ્ઠી જૂને ચોમાસું બેસવાની સંભાવના છે. જોકે, એ તારીખમાં ચાર દિવસનો ઘટાડો કે વધારો થવાની શક્યતા પણ બતાવાઈ હતી. ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષ વર્ધને થોડા દિવસ પહેલાં સંકેત આપ્યો હતોે કે કેરળમાં ચોમાસું છ કે સાતમી જૂને બેસશે.