CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 52 of 76 - CIA Live

July 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min25990

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં મોરીસ ગેરેજીસની કાર મેળવવા માટે સુરતીઓએ જેવી પડાપડી કરી છે તેવી કદાચ ભારતભરમાં જોવા મળી નથી. ગઇ તા.4થી મે 2019થી સુરતના ડુમસ રોડ પર આવેલા એમ.જી. સુરત શો રૂમ ખાતે મોરીસ ગેરેજીસની ગાડીઓ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતીઓએ 19મી જુલાઇ 2019 સુધીમાં કુલ 108 કરોડથી વધુ રકમની ગાડીઓનું બુકિંગ કરાવ લેતા કંપનીએ કારનું બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં હાલ મોરીસ ગેરેજ કાર માટે બુકિંગ થઇ રહ્યું નથી. 720 લોકોએ સુરત ડુમસ રોડના એમ.જી. શોરુમ ખાતે 51 હજાર રૂપિયા ભરીને બુકિંગ પેટે જ રૂ.3.67 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.

માર્કેટમાં મંદી મંદીની બૂમોની બીજી તરફ આ મોરીસ ગેરેજીસની હેક્ટર કાર લેવા માટે થઇ રહેલી પડાપડી થઇ રહી છે. મોરીસ ગેરેજીસના શો રૂમની મુલાકાત વખતે અમને એક સેલ્સ પર્સને કહ્યું કે મોરીસ ગેરેજીસ કારના શો રુમમાં આવો તો મંદીની કોઇ અસર વર્તાશે નહીં, શો રૂમની બહાર પગ મૂકશો તો મંદીની અસર જોવા મળશે.

મોરીસ ગેરેજીસની આ કાર સુરતીઓને ખૂબ પસંદ આવી છે, 4 મે થી 19 જુલાઇ સુધીમાં સુરતીઓએ કુલ 108 કરોડની જંગી રકમની આ કારો બુક કરાવી દીધી છે. બુકિંગ પેટે કુલ રૂ.3.67 કરોડની માતબર રકમ સુરતીઓએ ભરપાઇ પણ કરી દીધી છે. સુરત ડુમસ રોડ પર આવેલી એમજી સુરત શો રૂમ ખાતે હાલ બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.

મોરીસ ગેરેજ કાર આમ તો કહેવાય છે કે 1924થી કાર મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે. પરંતુ, તાજેતરમાં ઇન્ડિયામાં નવેસરથી મોરીસ ગેરેજીસની કાર લોંચ કરવામાં આવી છે. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં જ હાલોલ ખાતે કાર્યરત છે.

મોરીસ ગેરેજીસ કાર દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં જ લોંચ કરવામાં આવેલી હેક્ટર સિરીઝની ગાડીઓ ભારતીયોને ખાસ કરીને સુરતીઓને બહુ જ પસંદ પડી રહી છે. ભારતમાં મોરીસ ગેરેજીસની કારનું બુકિંગ શરૂ કરવામાં આવતા જ દિલ્હી, મુંબઇ અને સુરત એમ ત્રણ કેન્દ્રો પર જબરદસ્ત રિસ્પોન્સ કંપનીને મળ્યો છે અને કહેવાય છે કે એક વર્ષમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા જેટલા તો એડવાન્સ બુકિંગ મળી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ ભારતમાં દિલ્હી ખાતે સૌથી વધુ 2100 અને બીજા નંબરે મુંબઇમાં 1800 મોરીસ ગેરેજીસ હેક્ટર કારના બુકિંગ થયા છે. એ પછી સૌથી નોંધપાત્ર બુકિંગ કંપનીને સુરત ખાતેથી મળ્યા છે. દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીની સરખામણીમાં સુરતમાંથી કંપનીને અપેક્ષા બહાર 720 જેટલા કન્ફર્મ બુકિંગ એટલે કે લોકોએ રૂ.51000ની રકમ ભરીને ગાડીઓ બુક કરાવી છે.

સુરતીઓને મોરીસ ગેરેજીસ હેક્ટર કાર એટલી પસંદ આવી છે કે બુકિંગના પહેલા જ સ્લોટમાં એકલા સુરત રિજિયનમાંથી 108 કરોડની રકમની કાર બુક થઇ જવા પામી છે.

સુરત ડુમસ રોડ પર આવેલો એમજી સુરત, મોરીસ ગેરેજીસ સુરત શો રૂમની તસ્વીર

સુરતમાં મોરીસ ગેરેજ કાર પાછળ સુરતીઓ એવા ઘેલા થયા છે કે આ સેગમેન્ટમાં અને આ રેન્જમાં મળતી અન્ય ગાડીઓ (અહીં અમે બીજા કોઇના ધંધાકીય હિતને નુકસાન ન થાય એ માટે કોઇ બીજી કારના નામો લખતા નથી)નું સેલિંગ તેમજ બુકિંગ પણ અસર પામ્યું છે. મોટા ભાગના શો રૂમમાં એક એક ગાડીઓ વેચવા પાછળ આઠ થી દસ દિવસનો સમય નીકળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ડુમસ રોડ પર આવેલા એમજી સુરત શો રુમ ખાતે હાલ મોરીસ ગેરેજની કારનું બુકિંગ બંધ કરાયું છે. 720 લોકોએ બુક કરાવેલી કાર ડિલીવરી કરતા કંપનીને જાન્યુઆરી 2019 જેટલો સમય લાગી જાય તેમ છે.

July 26, 2019
Whisky.jpg
1min8630

ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં. દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી જરુરી છે.

દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.

દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ તરફ વળે છે.

દારુબંધીના નિયમો હળવા કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો જોઈએ.

ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.

ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.

July 26, 2019
bitcoinamrely.jpeg
1min7070

અમેરિકાની એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. જ્યાં બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. સતીશ કુંભાણીએ વિયેતનામ, મલયેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈના બે અધિકારીઓ ભારત આવ્યા હતા અને તેમણે સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટકનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી ત્યાંના પ્રમોટરોની માહિતી મેળવી હતી અને ત્યાંના લોકો કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડીનું નામ આવતું હતું. જોકે પાછળથી ખબર પડી કે બિટકનેક્ટમાં મુખ્ય કૌભાંડી સતિષ કુંભાણી જ છે. સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. 

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં મુખ્ય કૌભાંડીમાં સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ વિજય માવાણી અને સુરેશ ગોરસીયાની ધરપકડ કરી હતી. સીઆઇડી ક્રાઇમે કૌભાંડીઓની અલગ અલગ ૧૦ પ્રોપર્ટીઓ કબજે કરી હતી. બિટકોઇનના નામે અલગ અલગ પ્રકારના કોઇનમાં રોકાણકારો મોટેભાગના આરોપીઓ સુરત વિસ્તારના છે. અત્યાર સુધીમાં બિટકોઈનની બાબતે સીઆઈડી ક્રાઇમમાં ૯ ગુનાઓ તેમજ કામરેજ અને સરથાણા પોલીસમાં એક ગુનો નોંધાયો હતો. ઉપરાંત બરોડા અને અમદાવાદમાં એક-એક ગુનો સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલો છે. જેમાં અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે સુરતમાંથી આ કેસોને લઈને લગભગ ૫૦થી વધુ કરોડની પ્રોપટી ટાંચમાં લીધી હતી.

July 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5160

દિન દૂગની નહીં પણ દિન ચૌગૂની પ્રગતિ કરી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુને વધુ ફ્લાઇટ સ્લોટ મળી રહ્યા છે.

Surat International Airport

એક નવી ઘોષણા મુજબ આગામી ઓક્ટોબર મહિનાના છેલ્લા શનિવારથી શરૂ થતા વિન્ટર શિડ્યુલમાં સુરત એરપોર્ટને ડોમેસ્ટિક ફ્લાઇટનો વધુ એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે અને એ સુરતથી નાગપુરની બિલકુલ ફ્રેશ ફ્લાઇટ આપવામાં આવી છે. હવે પછી એ નક્કી થશે કે આ ફ્લાઇટ કઇ એરલાઇન્સ શરૂ કરે છે પરંતુ, એ વાત નક્કી થઇ ચૂકી છે કે સુરત એરપોર્ટથી હવે નાગપુરની ફ્લાઇટ આગામી વિન્ટર શિડ્યુલથી શરૂ થઇ રહી છે.

બીજી તરફ, અગાઉ સ્પાઇશ જેટ દ્વારા સ્થગિત કરવામાં આવેલી સુરત ઉદયપુરની ફ્લાઇટ પણ ફરીથી શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.

July 23, 2019
suratfire.jpg
1min6420

૨૪મી મેના રોજ સરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ફાટી નીકળેલી ભયાવહ આગની ઘટનામાં ૨૨ જેટલા માસૂમો જીવતા ભડથું થઈ ગયાં હતાં. આ કેસમાં ક્રાઈમબ્રાંચે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ૪૨૭૫ પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ ૧૧ આરોપીઓ દર્શાવ્યા છે. આ કેસમાં કુલ ૨૫૧ લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર ૪૨૭૫ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડું દર્શાવ્યાં છે. જોકે હજુ ધરપકડનો દોર ચાલુ રહેશે. ૬૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તે નિયમ અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી છે. વોન્ટેડ આરોપી ભાગેડું જાહેર કરવાની કામગીરી કરવામાં આવશે.સમગ્ર ઘટનામાં હજુ તપાસ ચાલુ છે.

July 16, 2019
t.jpg
1min20250

22 નિર્દોષ વિદ્યાર્થીઓને યાતનાભર્યું મોત આપવા માટે જવાબદાર સુરતના વરાછાના તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ડોમનું ડિમોલિશન કરવાની કામગીરી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડોમનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં તેને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચારી રીતરસમોથી ઇમ્પેક્ટ ફી ના કાયદામાં લાવી દેવાયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

આગ હોનારત બાદ આજે અહીં સુરત મહાનગરપાલિકાએ સ્ટાફને ખડકી દઇને ડોમની તોડફોડ શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તક્ષશિલા આર્કેડના ડોમની તોડફોડ માટો પહોંચ્યા ત્યારે અહીં લોકો ભેગા થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, બરાબર ડોમની નીચે જ ચલાવવામાં આવતા ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સિટીંગ એરેંજમેન્ટના ભાગરૂપે નોનયુઝ્ડ ટાયર રાખવામાં આવ્યા હતા. તક્ષશિલાની આગ સાથે ટાયરો પણ બળવા માંડતા ભયંકર ધૂમાડો ઉત્પન્ન થયો હતો, અને તેમાં કેટલાક સ્ટૂડન્ટ્સ ગુંગળાઈને મોતને ભેટ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે ડોમની ઉપરના ભાગે ચઢીને એક પછી એક છાપરાઓ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13940

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13720

જયેશ બ્રહ્મભટ્ટ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દિનેશ નાવડીયાની ઉમેદવારીના મૂળમાં જે મુદ્દો હતો કે હીરા ઉદ્યોગકારને પ્રતિનિધિત્વ મળવું જોઇએ, એ ખરેખર ખરેખર સાર્થક થયાની અનુભૂતિ તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ડાયમંડ ઉદ્યોગકારો માટેના ગાઇડન્સ પ્રોગ્રામમાંથી થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર જે રીતે હીરા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળ્યું એવા કાર્યક્રમોની આવશ્યકતા રહેલી છે

સુરતનું અર્થતંત્ર જેના પર સૌથી વધુ આધારિત છે, જે ઉધોગ પર શહેરના લાખો પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે એ હીરા ઉધોગ હાલમાં મંદી અને નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાના નાતે સ્વાભાવિક છે કે દિનેશ નાવડીયા સતત પ્રયાસો કરતા રહે છે કે ડાયમંડ ઉદ્યોગકારો પછી એ નાના હોય કે મોટા તમામ આ મંદીના સમયમાંથી હેમખેમ બહાર નીકળી જાય.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાયાના હેતુઓમાં એક હેતુ એ છે કે દક્ષિણ ગુજરાતના વેપાર, ધંધા-રોજગાર, ઉદ્યોગના વેલ્ફેર માટે સક્રીય રહીને કાર્યક્રમો કરવા. બસ આ મૂળભૂત હેતુને આગળ ધપાવતા વર્તમાન ચેમ્બર પ્રમુખ કેતનભાઇ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ શહેરના હીરા ઉદ્યોગકારો માટે ગાઇડન્સ કાર્યક્રમ રાખીને ચેમ્બરના બેઝિક્સને વળગી રહીને કાર્યક્રમો આપવાનો સંકેત આપી દીધો છે.

તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગકારો માટે યોજવામાં આવેલો ગાઇડન્સ કાર્યક્રમ ખરેખર સમયસરનો અને સચોટ રહ્યો હતો. હીરા ઉધોગપતિ શ્રી સેવંતીભાઇ શાહ અને શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ તેમના ઉદ્યોગજીવન દરમિયાન જોયેલી તડકી-છાંયડીનો નિચોડ ઠાવલતા જે માર્ગદર્શન આપ્યું એ શહેરના અનેક નાના હીરા ઉદ્યોગકારો માટે રાહ ચિંધનાનું બની રહેશે એમાં બે મત નથી. આ શક્ય એટલે જ બની શક્યું કેમકે ચેમ્બરના વહીવટમાં હીરા ઉદ્યોગના દિનેશ નાવડીયાની એન્ટ્રી થઇ અને તેમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની લિડરશીપ મળી.

કાર્યક્રમ પૂરો થયા બાદ અનેક ઉદ્યોગકારોએ સી.આઇ.એ લાઇવ ને જણાવ્યું કે ખરેખર આવા કાર્યક્રમો ચેમ્બર ઓફ કોમર્સે યોજવા જોઇએ.

અત્યાર સુધી એવું જણાયું હતું કે હીરા ઉધોગ માટે કેટલાક સ્ટીરીયોટાઇપ કાર્યક્રમો ચેમ્બર જે દર વર્ષે યોજે છે એ યોજીને કામ પૂરું, પણ જેની જરૂરીયાત છે એ શોધી કાઢીને ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ અભિગમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો છે.

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min7310

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 13, 2019
pandesara.jpg
1min8990
સુરતમાં કારીગરનાં મૃત્યુ બાદ ટોળાંનો હોબાળો: અશ્રુવાયુ છોડાયો
સુરતના ઔદ્યોગિક વિસ્તાર, પાંડેસરા બમરોલીમાં એક કારખાનામાં કારીગરનું કહેવાતા ઇલેક્ટ્રીક શોટ લાગવાથી મોત નિપજ્યું હતું જો કે લોકટોળાએ આ મોતને શંકાસ્પદ મોત જણાવીને મોટું તોફાન મચાવી મૂક્યું હતું. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડયા હતાં. ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલાને ખડકી દેવાયો હતો.
તા.12મી જુલાઇને શુક્રવારે સવારે પાંડેસરાનાં બમરોલી વિસ્તારની હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય દયા મોહન ગોડ નામનો કારીગર અચાનક જ જમીન પર ઢળી પડયો હતો. દયા મોહન ગોડને જમીન પર ઢળેલો જોઈ સાથી કારીગરો તેને બહાર લાવ્યા હતાં. એકમનાં માલિક અંકુર જંયતિ ચેવલીને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ કારખાનાએ દોડી આવ્યા હતાં.
કારીગર ભાનમાં નહીં આવતા 108 એમ્બ્લુલન્સ બોલાવીને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કારીગરનું મોત કરંટ લાગવાથી થયું હોવાની અફવા ફેલાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન એક શબવાહિનીની તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે તંગ બની ગયેલાં વાતાવરણમાં સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અશ્રુવાયુના ચાર સેલ છોડયા હતાં.
કારખાનાના માલિક અંકુર જંયતિ ચેવલીએ નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની હાજરીમાં જણાવ્યું હતું કે પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહે છે. છેલ્લા 6 માસથી અમારા કારખાનામાં કામ કરતો હોય રાત્રી દરમિયાન દયા ચા પીવા માટે બહાર ગયો હતો. ત્યારબાદ તેણી તબિયત લથડતા ઓફિસમાં સૂઇ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગર તેણે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે ઉઠયો ન હતો.
દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતા ફેલાવતાં આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થયા હતાં. કારીગરના પરિવારે રૂા. 10  લાખ વળતર પેટે માગ્યા હતાં. કારીગરનાં મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.