સુરતીઓની દુનિયા Archives - Page 15 of 76 - CIA Live

October 18, 2022
bus.jpg
1min473
bus and truck accident Vadodara Kapurai Cross road - વડોદરામાં ખાનગી બસ અને  ટ્ર અથડાયા – News18 Gujarati

રાજસ્થાનથી અમદાવાદ થઈને સુરત આવી રહેલી ખાનગી લક્ઝરી બસને તા.17મી ઓક્ટોબરની મધરાતે વડોદરામાં નડેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે.

 અકસ્માતની ઘટના મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે બની હતી. લક્ઝરી બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી ત્યારે વડોદરામાં હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે અંધારામાં રસ્તા પર પાર્ક કરેલું ટ્રેલર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરને દેખાય તે પહેલા અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

4 died, 15 injured in road accident in Gujarat's Vadodara - India Today

રસ્તા પર પાર્ક કરેલા ટ્રેલરમાં બસ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કપુરાઈ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત બાદ બેદરકારીથી ટ્રેલર પાર્ક કરનારો ડ્રાઈવર ટ્રેલર લઈને ફરાર થઈ ગયાની વિગતો પણ સામે આવી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માતની ઘટના બાદ આસપાસમાંથી લોકો તાત્કાલિક બસ પાસે દોડી આવ્યા હતા, પોલીસે પણ બનાવના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી હતી. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા, જ્યારે 19 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી 3થી 4 જેટલા મુસાફરોની સ્થિતિ વધારે ગંભીર છે.

આ ઘટનામાં એવી પણ વિગતો મળી રહી છે કે, ટ્રેલરના ડ્રાઈવરે અચાનક ચાર રસ્તા પર બ્રેક મારીને ટ્રેલર ઉભું રાખી દીધું હતું અને જેના કારણે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી તેની સાથે અથડાઈ ગઈ હતી. પોલીસે દ્વારા આ અકસ્માત કઈ રીતે સર્જાયો લક્ઝરી બસની ગતિ કેટલી હતી તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

October 8, 2022
cia_multi-1280x1045.jpg
1min545

શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આજે તા.8મી ઓક્ટોબર 2022ના રોજ સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમની પાણીની સપાટી 345 (ભયજનક)ને આંબીને 345.12 હોવાની વિગતો સત્તાવાર રીતે સરકારના માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. ઉકાઇ ડેમમાં કરવામાં આવી રહેલા વોટર મેનેજમેન્ટ અંતર્ગત 345 ફૂટની સપાટીને આજની તારીખનું રૂલ લેવલ ગણવામાં આવી રહ્યું છે અને આ રૂલ લેવલને ભયજનક સપાટી પણ ગણવામાં આવે છે. જોકે 345.12 ફૂટ પાણીની સપાટી હોવા છતાં સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પૂર આવવાની કોઇ શક્યતા નથી. સુરતીઓએ કોઇપણ પ્રકારની અફવા કે ખોટી માહિતીથી દોરવાવું નહીં.

મળતી માહિતી મુજબ પાછોતરા વરસાદને કારણે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 66 હજાર ક્યુસેક્સ જેટલો છે જ્યારે 52 હજાર ક્યુસેક જેટલું પાણી ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઇ ડેમમાં આજની પાણીની સપાટી સાથે જ ડેમ 100 એ 100 ટકા ભરાઇ ગયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. સુરત શહેર જિલ્લા સહિત તાપી જિલ્લામાં પણ ખેતી સિંચાઇ સહિતના વપરાશ માટેનો મુખ્ય જળસ્ત્રોત ઉકાઇ ડેમ છે.

શનિવારે સાંજે 7 કલાકે સરકારના માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી આ મુજબની હતી

  • Ukai Dam Data:
    Dt. 08.10.2022 @ 19:00 Hrs.
    Rule Level: 345.00 ft.
    Present Level: 345.12 ft.
    Inflow: 66050.00 cusec
    Outflow: 52414.00 cusec
    Present Live Storage: 6746.57 MCM (100.25 %)
    Present Capacity: 7430.96 MCM (100.22 %)
  • Kakrapar Weir Position @ 19:00 Hrs. on Date: 08.10.2022
    Kakrapar Weir Level is………………….. 164.00 feet
    Overflow Discharge in Cusecs is……. 50900.00 Cusec
    Moticher Level is………………………….152.70 feet
    Moticher Discharge is…………………… 0.00 Cusec
    Total Discharge in River Tapi is…………50900.00 Cusec
  • Date: 08.10.2022 Time 19:00 Hrs.
    Singanpore Weir Cum Causeway level: 7.35 meter
    Discharge: 77255.00 Cusec.
October 8, 2022
sumullogo.jpg
1min534

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતીઓનો પોતિકો પર્વ એટલે ચાંદની પડવો. શરદપૂર્ણિમાના બીજા દિવસને ચાંદની પડવો કે ચંદની પડવો તરીકે ગુજરાતી કેલેન્ડરમાં નિર્દેશિત કરવામાં આવે છે. ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર. ઘારી એટલે સુરતની પોતાની ઓળખ. વિશ્વ આખાને ઘારી બનાવતા સુરતે શીખવાડ્યું છે, અને હવે સુરતની પોતિકી સુમુલ ડેરીની ઘારી એટલે નંબર વન.

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સુમુલ ડેરી આ વખતે 100 ટન જેટલી ઘારીનું વેચાણ કરશે. તેમાંથી અત્યાર સુધીમાં 85 ટન જેટલી ઘારી તો વેચાઇ ચૂકી છે. આ પૈકી 12 ટન ઘારી સુગર ફ્રી (ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે, હેલ્થ કોન્સીયસ લોકો માટે) બનાવવામાં આવી હતી, સુગર ફ્રી ઘારીનો જથ્થો ચપોચપ વેચાઇ ચૂક્યો હોવાનું મનિષભાઇએ જણાવ્યું હતું. હજુ બે દિવસમાં 15 ટન જેટલી ઘારી સુમુલની વેચાઇ જશે તેવો અંદાજ છે.

ચંદી પડવાને હજુ 24 કલાકનો સમય બાકી છે ત્યારે સુમુલ ડેરીની ઘારી એકલા સુરતમાં જ નહીં પણ મુંબઇ અને દિલ્હી સહિત દેશના ખૂણેખૂણે પહોંચી ગઇ છે. સુરતીઓ પોતાના વહેવારને સાચવવા માટે પણ અરસપરસ ઘારી આપી રહ્યા છે. આ વખતે મળી રહેલા અંદાજો અને એડવાન્સ્ડ ઓર્ડરને જોતા સુમુલ ડેરીની ઘારીનું વિક્રમી વેચાણ થશે તેમાં બેમત નથી.

સુમુલ ડેરીની ઘારી અંગે ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મન સુમુલ ડેરીની ઘારીની વિશ્વસનીયતા સૌથી વધુ છે અને એટલે જ લોકોએ આ વખતે ઘારીના એડવાન્સ્ડ ઓર્ડર આપ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સુમુલ ડેરીના તંત્રએ ઘારી બનાવવા માટે જડબેસલાક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે અને જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

October 7, 2022
Surat-BJP.jpeg
2min528

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા દિલ્હીની આપ પાર્ટીની સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિષે કરવામાં આવેલા બેફામ વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢીને મિનિસ્ટરને પદભ્રષ્ટ કરવા માટે માગણી કરવામાં આવી છે.

ભાજપા, સુરત મહાનગર દ્વારા કેબિનેટ મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીની આપ સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિંદુ દેવી દેવતાઓ વિષે અપમાનજનક ઉચ્ચારણો કરતો વીડિઓ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. તથા દિલ્હીની આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ને તત્કાળ હટાવવા માટે કેજરીવાલ પગલા લે તથા હિંદુ સમાજની માફી માંગે તેવી તીવ્ર માંગ કરવામાં આવે છે.

દિલ્હી સરકારના જલઆપૂર્તિ, ટુરીઝમ, કલા- સંસ્કૃતિ, ભાષા અને ગુરુદ્વારા વિભાગના કેબીનેટ મંત્રી અને આપ પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે દસ હજાર લોકોની મેદનીને ધર્મપરિવર્તન  કરાવતા હિંદુ ધર્મના દેવી દેવતાઓ વિશે ભારે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહિ માનુ અને ક્યારે તેમનુ પૂજન કરીશ નહિ, હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનુ અને એમનુ પણ પૂજન ક્યારે કરીશ નહિ હું, ગૌરી ગણપતિ જેવા હિંદુ ધર્મના કોઈપણ દેવી દેવતાઓને નહિ માનું અને તેમની પૂજા નહિ કરું.

દિલ્હીની આપ સરકારના મંત્રીએ ઉચ્ચારેલા શબ્દો માત્ર તેમના નથી પરંતુ તે હિંદુ વિરોધી માનસિકતા ધરવતા આપ પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલની માનસિકતાનું પ્રતિબિંબ છે.

હાલમાં જે રાજ્યોમા ચૂંટણી આવનાર છે તે રાજ્યોના પ્રવાસ દરમ્યાન કેજરીવાલ લોકોને ” જય શ્રી રામ” અને ” જય શ્રી કૃષ્ણ” બોલીને ભોળવવાનો ઢોંગ કરી રહ્યા છે. પરંતુ તેમના મંત્રીઓના ઉચ્ચારણો દ્વારા અવારનવાર તેમની હિંદુ વિરોધી માનસિકતા છલકાતી રહી છે. આ અગાઉ જ્યારે ” કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ રજુ થઇ હતી ત્યારે પણ દિલ્હીની વિધાનસભામા કેજરીવાલે કાશ્મીરી પંડિતોની વેદનાની ક્રૂર મજાક ઉડાવી હતી. કાશ્મીરી પંડિતોને દિલ્હીમાં નોકરી આપવાના મામલે કેજરીવાલ ઉગ્ર વિરોધ પણ કર્યા હતો અને કોર્ટમાં જઈને પણ પોતાનો આ વિરોધ લાગુ કરવા ગુહાર લગાવી હતી.

ભારત દેશના કરોડો- કરોડો હિંદુ પરિવારોની આસ્થા ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી છે. તમામ હિંદુઓ હ્રદયથી શ્રી રામમંદિરનાં નિર્માણ અર્થે કોઈ પણ ભાગ આપવા તૈયાર છે ત્યારે કેજરીવાલે શ્રી રામ મંદિરનું નિર્માણ ન થાય તે માટે તમામ અડચણો ઉભી કરવા પ્રયાસ કર્યા છે. તેમના નાનીનુ નામ લઈને પણ આવા પ્રયાસો કર્યા હતા. તેમના બધા પ્રયાસો છતાં શ્રીરામમંદિરનું નિર્માણકાર્ય શરુ થયું તો  તેને બદનામ કરવાનો પ્રયાસ કેજરીવાલ અને તેમની ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ હિંદુ વિરોધી તો છે પરંતુ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ ધરાવે છે. JNU ની ટુકડે ટુકડે ગેંગના રાષ્ટ્રવિરોધી વલણને તેઓ ખુલ્લુ સમર્થન આપે છે.

પોતાની જાતને ચૂંટણી સમયે હનુમાનભક્ત ગણાવનાર કેજરીવાલ ટવીટ કરીને હનુમાનજીની મજાક ઉડાડતા ખચકાતા નથી. સ્વસ્તિકના પવિત્ર પ્રતિકની પણ મજાક ઉડાડે છે. જે દેશની પ્રજા ભૂલતી નથી.

દિલ્હીમાં થયેલા કોમી દંગાઓમાં આપ પાર્ટીના તાહિર હુસેનની સંડોવણી જે રીતે ખુલીને બહાર  આવી અને તેમને જેલ હવાલે થયું પડ્યુ તેથી આપ પાર્ટીનો ચહેરો ખુલીને બહાર આવ્યો છે.

અર્બન નકસલી વિચારધારા ધરવતા અને ખાલીસ્તાન સમર્થક કેજરીવાલની આ વિચારધારા આપ પાર્ટીના તમામ નેતાઓ અને સમર્થકોના દિમાગમાં પણ નશાની જેમ ફરી વળી છે. ઉગ્રતાથી  ગાળા-ગાળી કરવી, શાંતિ ડહોળવી, ભાંગફોડ કરવી એ આમ આદમી પાર્ટીના નેતા કાર્યક્રમોની આદત બની ગઈ છે.

ગુજરાત પ્રદેશણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ આવા જ હિંદુ વિરોધી નિવેદનો અને કાર્યો કરવામા આવ્યા છે. સત્યનારાયણ ભગવાનની કથા કે અને કથાકારો માટે એલ ફેલ અને અપમાનજનક નિવેદનો કરતા તેમના વિડીઓ સૌએ નિહાળ્યા છે. ગુજરાતની સમજુ અને શાણી જનતા આવા હિંદુ વિરોધી તત્વોને ક્યારેય ગુજરાતમાં ઘુસવા નહિ દે તથા તેમની આવી હિંદુ વિરોધી માનસિકતા સાંખી નહિ લે, ઉપરાંત કેજરીવાલ પોતાના આ મંત્રીને તત્કાલીન પોતાની સરકારમાંથી દુર કરે તેવી ઉગ્ર લાગણી વ્યક્ત કરે છે.

October 6, 2022
viscose-yarn.jpg
1min843

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ પર ફરીથી આયાતી ડ્યૂટીનું સંકટ આવ્યું છે. કેન્દ્ર સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને ખાસ કરીને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને પોતાની મશીનરી અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, કરોડો રૂપિયાની સબસિડી આપીને સુરતના અનેક કારખાનેદારોએ એરજેટ, રેપિયર, વોટરજેટ જેવા મશીનો સ્થાપ્યા, હવે આ મશીનરીમાં વપરાતા આયાતી (ઇમ્પોર્ટેડ) વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવા માટેની અરજી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સમક્ષ કરવામાં આવી છે.

આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ સુરતના કારખાનેદારો કરી રહ્યા છે, જો સ્થાનિક વિસ્કોસ યાર્ન ઉત્પાદકોના ઇશારે આયાતી યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવે તો સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક મશીનરી ખરીદનારા કારખાનેદારોને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવશે.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો જેમાં ચેમ્બર પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધી, મયુરભાઇ ગોળવાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનોની એક અગત્યની અનૌપચારિક મિટીંગ આજે ચેમ્બર ઓફ કોમર્સમાં મળી હતી.

તપાસ કરાતા જાણવા મળ્યું કે મિટીંગમાં મુદ્દો અત્યંત અગત્યનો હતો. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં હાઇસ્પીડ લૂમ્સ જેવા કે એરજેટ, રેપિયર, વોટરજેટ ઇન્સ્ટોલ કરનાર કારખાનેદારો ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે સૌથી વધુ જે યાર્નનો વપરાશ કરે છે એ વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટેની અરજી કરી દેવામાં આવી છે. સુરતના કારખાનેદારોએ 60 લાખથી રૂ.1 કરોડ સુધીનું એક મશીન આવે છે એવા અનેક મશીનો પોતાના કારખાનામા સ્થાપ્યા છે અને તેમાં કાપડના ઉત્પાદન માટે જે યાર્ન વાપરવામાં આવે છે તેની ક્વોલિટી આયાતી વિસ્કોસ યાર્નના વપરાશથી જ સારી બને છે.

હવે આયાતી વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગશે તો સ્થાનિક કપડું મોંઘુ થશે અને કારખાનેદારને જે નફો મળવો જોઇએ તે મળશે નહીં અને કરોડો રૂપિયાના રોકાણ સામે વળતરમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

સ્થાનિક યાર્નની ક્વોલિટી અને સપ્લાય બન્નેમાં સમસ્યા

આયાતી વિસ્કોસ યાર્ન મોંઘુ વેચાય તો જ સ્થાનિક વપરાશકારો દેશી યાર્ન ખરીદવા માટે મજબૂર થશે એ ગણતરીએ ભારતના દેશી યાર્ન ઉત્પાદકો (સ્પીનર્સ) દ્વારા ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગૂ કરવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નની જરૂરીયાત સામે ભારતના લોકલ યાર્ન ઉત્પાદકો ફક્ત 65થી 70 ટકા જથ્થો જ સપ્લાય કરી શકે છે, બાકીનો 30 ટકા જથ્થો ઇમ્પોર્ટ કરવાની ફરજ પડે છે. તદુપરાંત દેશી વિસ્કોસ યાર્નની ક્વોલીટીમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે, દેશી યાર્નમાંથી કાપડની ક્વોલિટી સારી રીતે જળવાઇ શકતી ન હોવાથી એરજેટ, રેપિયર, વોટરજેટ જેવી મશીનરી ધારકો વિસ્કોસમાં ઇમ્પોર્ટેડ યાર્નનો જ વપરાશ કરવાનું પસંદ કરે છે. 

સમગ્ર ભારતમાં ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નના સૌથી વધુ વપરાશકારો સુરતમાં

સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ એરજેટ, રેપિયર, વોટરજેટ લૂમ્સના કારખાનામાં થાય છે. ભારતમાં આ મશીનરી સૌથી વધુ ગુજરાત અને ગુજરાતમાં આવી મશીનરી સૌથી વધુ સુરતમાં સ્થપાઇ ચૂકી છે. આથી સુરતમાં જ આયાતી વિસ્કોસ યાર્ન વધુ વપરાય છે આથી જો આયાતી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂડી લાગૂ કરવામાં આવશે તો સુરતના ઉદ્યોગકારોને જ સૌથી મોટો ગેરફાયદો થશે.

October 1, 2022
surat.jpg
1min310

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્દોરને છઠ્ઠી વખત પ્રથમ સ્થાન મળ્યું છે. બીજી તરફ મોટા રાજ્યોમાં મધ્યપ્રદેશને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા પ્રથમ ક્રમે છે.

જ્યારે મધ્યપ્રદેશમાં લોકો આ જીતની ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતા શહેરોને અભિનંદન આપતા સમગ્ર દેશમાં ઈન્દોર મોડલ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે માહિતી આપી હતી કે, સ્વચ્છ સર્વેક્ષણ 2022 પુરસ્કારોમાં મધ્યપ્રદેશના ઈન્દોરને સતત છઠ્ઠી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

જ્યારે આ લિસ્ટમાં સુરતનો બીજો અને મુંબઇ ત્રીજા સ્થાન પર છે. આ લિસ્ટ શનિવારે બહાર પાડવામા આવી હતી.

September 30, 2022
pv-sindhu.jpg
1min490

36મી નેશનલ ગેમ્સમાં એક પ્લેયર તરીકે ભાગ લઇ રહેલી ભારતની બેડમિગ્ટન સ્ટાર પ્લેયર પી.વી. સંધુ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. સુરત એરપોર્ટ પર જાણે કોઇ ફિલ્મ અભિનેત્રી આવી હોય તે રીતે સુરતીઓએ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારનાર એક મહિલા ખેલાડીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Image

સુરતના ઇન્ચાર્જ ડીઇઓ શ્રી દરજી તેમજ સ્ટાફે જુદી જુદી સ્કુલના વિદ્યાર્થીઓ સાથે એરપોર્ટ પર ભારતની સ્ટાર બેડમિંગ્ટન ખેલાડી પીવી સિંધુનું ઉમળખાભેર સ્વાગત કર્યું હતું. પીવી સિંધુના માનમાં એરપોર્ટ પર સ્થાનિક ગરબા ગ્રુપે ગરબાની પણ રમઝટ બોલાવી હતી.

Image
September 25, 2022
amba-1280x1700.jpg
1min446

સોમવારથી એટલે કે ૨૬ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાચીન ભારતીય પરંપરામાં માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. આ નવ દિવસ તેમના વિવિધ સ્વરૂપોની પૂજા, અર્ચના અને સ્તુતિ કરવામાં આવે છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રીનો તહેવાર. માતા દુર્ગાએ સમયાંતરે તેમના નવ અવતાર લીધા છે. દરેક અવતારનું પોતાનું મહત્વ છે. 

કોરોના વાયરસના કારણે બે વર્ષથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ફક્ત શેરી ગરબા નાના આયોજનમાં થઇ શક્યા હતા. બે વર્ષમાં ગરબા ફક્ત વર્ચ્યુઅલી જ સંભળાતા અને રમાતા હતા. પરંતુ આ વર્ષે જગદંબા, માં અંબે માતાની કૃપાથી કોરોનાનું સકંટ નથી કે નિયંત્રણો નથી, આથી કોરોના પહેલાની પરિસ્થિતિની જેમ જ સુરત સહિત ગુજરાતના જાણિતા વેન્યુઝ, ગરબા ગ્રાઉન્ડસ પર ગ્રાન્ડ સ્કૅલ પર નવરાત્રીનું આયોજન થયું છે.

ગુજરાતમાં જ્યાં પારંપરિક રીતે નવરાત્રિ આજે પણ જીવે છે ત્યાં તહેવારનું હાર્દ સમાયેલું છે અને મુંબઈની માયાનગરીમાં મૉડર્ન ટચ સાથેની કમર્શિયલ ઝાકઝમાળવાળી નવરાત્રિની પણ પોતાની મજા છે.

સૌથી અગત્યની વાત એ છે કે 25 લાખથી વધુ સુરતીઓ પોતાના ઘરઆંગણે જ ગરબા દોઢીયા રમશે

સુરતમાં બે વર્ષના અંતરાય બાદ બીગ સ્કેલ પર પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોની સંખ્યા 15 જેટલી છે. સૌથી વધુ પ્રોફેશનલ નવરાત્રીના આયોજન વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારમાં થયા છે. એ પછી અઠવાલાઇન્સ, વેસુમાં આયોજિત થયા છે. પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોમાં માંડ એકાદ ટકા લોકો ગરબે ઘૂમવા જતા હોય છે બાકીના સુરતીઓ તો પરિવાર સમેત પોતાના ઘરઆંગણે યોજાતા ગરબા ઉત્સવમાં જ ગરબે ઘૂમવાનું પસંદ કરશે તદુપરાંત શહેરમાં આવેલા માતાજીના મંદિર પરિસરોમાં યોજાતા ગરબા પણ સૌથી વિશેષ આકર્ષણ જોવા મળે છે. સુરતમાં પ્રોફેશનલ ગરબા ગ્રાઉન્ડમાં જનારા લોકોની સંખ્યા પ્રતિ ગ્રાઉન્ડ દસ હજાર મૂકવામાં આવે તો પણ માંડ એકાદ લાખ લોકો પ્રોફેશનલ નવરાત્રીમાં જોવા મળી શકે પરંતુ, સૌથી વધુ લોકો તો શહેરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, રો હાઉસ, કલબ હાઉસ વગેરેમાં થતી નવરાત્રીમાં જ પબ્લિક વધુ જોવા મળશે.

બે વર્ષ બાદ ફરી નવરાત્રીની ઉજવણી તેના મૂળ રુપમાં થવાની છે. ત્યારે ખેલૈયાઓ અને ગાયકો બહુ જ ઉત્સાહિત છે. એક બાજુ ખેલૈયાઓ સંપુર્ણ તૈયારી કરી લીધી છે તો બીજી તરફ ગાયકોએ પણ કમર કસી છે.

September 19, 2022
Cia_business_news-1280x936.jpg
3min442

કાપડ મંત્રાલયે ગઇ તા.14મી સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં વિશેષતા મળેલી વિશેષ મિટીંગમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ ક્ષેત્રમાં ફાઇબર, ટકાઉ કાપડ, જીઓ-ટેક્સટાઇલ, મોબિલટેક અને સ્પોર્ટ્સ ટેક્સટાઇલના ક્ષેત્રોમાં આશરે રૂ.60 કરોડના મૂલ્યના 23 સ્ટ્રેટેજિક રીસર્ચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ સ્ટ્રેટેજિક રિસર્ચ પ્રોજેક્ટ ‘નેશનલ ટેકનિકલ ટેક્સટાઈલ્સ મિશન (NTTM)ના ફ્લેગશિપ પ્રોગ્રામમાં સમાવિષ્ટ છે.

કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રાલયે મંજૂર કરેલા 23 રિસર્ચ પ્રોજેક્ટ્સમાં, કૃષિ, સ્માર્ટ ટેક્સટાઇલ, હેલ્થકેર, સ્ટ્રેટેજિક એપ્લિકેશન અને રક્ષણાત્મક ગિયર્સમાં એપ્લિકેશન ક્ષેત્રો ધરાવતા સ્પેશિયાલિટી ફાઇબર્સના 12 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. કૃષિ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં એપ્લિકેશન ક્ષેત્રો ધરાવતા સસ્ટેનેબલ ટેક્સટાઈલના 4 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, જીઓટેક્સટાઇલના પાંચ પ્રોજેક્ટ, મોબિલટેકના એક અને સ્પોર્ટટેકના એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

નીતિ આયોગ (સાયન્સ એન્ડ ટેક)ના સભ્યો અને પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર (પીએસએ)એ સંબંધિત મિનિસ્ટ્રીઝ સાથે મીટિંગ માટે ટેકનિકલ ટેક્સટાઈલને લગતા ઈનપુટ્સ આપ્યા હતા. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે સ્ટ્રેટેજિક પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને હેલ્થકેર, ઔદ્યોગિક અને રક્ષણાત્મક ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં એક કદમ આગેકૂચ કરી છે તેવું પ્રતિપાદિત થયું છે. ઉક્ત મિટીંગમાં IIT, સરકારી સંસ્થાઓ અને એનર્જી સ્ટોરેજ, એગ્રીકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિઓ સહિત ભારતીય સંસ્થાઓના વિવિધ અગ્રણીઓએ ભાગ લીધો હતો. ,.

વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટેકનોલોજિસ્ટ્સના આદરણીય જૂથને સંબોધિત કરતી વખતે કેન્દ્રના કપડા મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ અને એકેડેમિયા ભારતમાં ટેકનિકલ ટેક્સટાઈલના એપ્લિકેશન ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસના વિકાસ માટે જરૂરી જોડાણ કરે છે. શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સંકલનનું નિર્માણ જરૂરી છે.”

પીયૂષ ગોયલે ભારતના ટેક્નિકલ ટેક્સટાઈલના ભાવિ વિકાસમાં ટેક્નોલોજી અને સેગમેન્ટના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોના યોગદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ટેક્સટાઇલ મંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં દેશમાં ટેક્નોલોજીકલ ગેપને દૂર કરવાની જરૂર છે. દેશમાં ટેકનિકલ કાપડના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને નિકાસમાં વધારો કરવા માટે ઔદ્યોગિક ક્રિયાપ્રતિક્રિયા અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ જેવી કે પરિષદો, પ્રદર્શનો અને ખરીદનાર-વિક્રેતા મીટિંગો સાથે તકનીકી કાપડમાં સંશોધનના ક્ષેત્રની ઓળખ બની રહેવી જોઇએ.

In English

The Ministry of Textiles cleared 23 strategic research projects worth around INR 60 crores in the areas of Specialty fibres, Sustainable Textiles, Geotextiles, Mobiltech and Sports textiles under the chairmanship of Union Minister of Textiles, Shri Piyush Goyal, on 14th of September 2022. These strategic research projects fall under the Flagship Programme ‘National Technical Textiles Mission.’

Among these 23 Research projects, 12 Projects of Speciality Fibres having application areas in Agriculture, Smart Textiles, Healthcare, Strategic Application and Protective gears were cleared. 4 Projects from Sustainable Textiles having application area in Agriculture and Healthcare Sector were cleared. Also, 5 projects from Geotextile, 1 from Mobiltech and 1 from Sportech were cleared.

Member NITI Aayog (Science & Tech) & Principle Scientific Advisor (PSA) provided inputs pertaining to Technical Textile for the meeting along with Line Ministries. Various leading Indian Institutes including IITs, Government Organizations, and Eminent Industrialists, among others participated in the session which cleared projects strategic for the development of Indian economy and a step in the direction of Atmanirbhar Bharat, especially in the Healthcare, Industrial and Protective, Energy Storage, Agriculture and Infrastructure.

While addressing the esteemed group of Scientists and Technical Technologists, Shri Piyush Goyal said, “Industry and Academia connect is essential for the growth of research and development in the application areas of Technical Textiles in India. Building convergence with Academicians, Scientists and Researchers is the need of the hour.”

Shri Piyush Goyal emphasised on the importance of contributions of technology and segment experts, scientists and academicians to India’s technical textiles future growth.

Shri Piyush Goyal highlighted that the technological gap in the country needs to be addressed in the field of technical textiles. Identification of the area of research in technical textiles with industry interaction and promotional activities like conferences, exhibition, and buyer-seller meet to promote the use of Technical Textile in the country and to increase the exports to be the key focus areas.

September 15, 2022
Cia_business_news-1280x936.jpg
1min480

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં રેડીયો પર તેજીના ટકોરા, પબ્લિક પ્લેસીસના હોર્ડિંગ પર તેજીના ટકોરા, અખબારોમાં તેજીના ટકોરાની જાહેરાતો જોવા મળી. બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સનું સંગઠન ક્રેડાઇ, સુરત બ્રાન્ચે તેમના ચોથા સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી ફેસ્ટનું કાબિલેતારીફ પ્રમોશન કર્યું. આજે સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા જોવા મળી રહી છે.

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સિટી પ્રોપર્ટ ફેસ્ટ 2022ના ઉદઘાટન પૂર્વે ક્રેડાઇના ચેરમેન રવજીભાઇ મોણપરા, પ્રમુખ સંજયભાઇ માંગૂકીયા, ઉપપ્રમુખ વિજયભાઇ ધામેલિયા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમર રાવલ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

ક્રેડાઇ સુરત એ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના 900 જેટલા સક્રિય ઉદ્યોગપતિઓની બનેલી સંસ્થા છે અને સુરત ક્રેડાઇ તેના ચોથા પ્રોપર્ટી ફેસ્ટીવલનું ઉદઘાટન તા.16મી સપ્ટેમ્બર 2022ના રોજ કરી રહી છે. ક્રેડાઇ સુરતનો પ્રોપર્ટી ફેસ્ટીવલ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.16થી 18 ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના દરેક વિસ્તારોના મળીને અંદાજે 200 જેટલા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. રેસિડેન્સીયલ, કમર્શિયલ, ફાર્મ હાઉસ, ઓફિસ બિલ્ડીંગ, રો હાઉસ, બંગલોઝ વગેરે પ્રકારની પ્રોપર્ટી માટે એક જ છતની નીચે તમામ માહિતી મળી રહે તેવું આયોજન ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા ક્રેડાઇ સુરતના ચેરમેન રવજીભાઇ મોણપરા, સંજયભાઇ માંગુકીયા, વિજયભાઇ ધામેલિયા, અમરભાઇ રાવલ સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં આવનારા દરેક ગ્રાહકને કંઇકને કંઇક મળે તેવું આયોજન છે. પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિને 31મી ઓક્ટોબર સુધીની વેલિડીટી ધરાવતું રૂ.1લાખની કિંમતનું ગીફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. પ્રોપર્ટી ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારા મુલાકાતીઓ માટે છેલ્લા દિવસે આઇ-ટેન મોટરકારનો ઇનામો ડ્રો પણ રાખવામાં આવ્યો છે.

  • પ્રોપર્ટી ફેસ્ટમાં દર કલાકે 10 હજાર રૂપિયાનું ગીફ્ટ હેમ્પર
  • દરરોજ સાંજે 50 હજાર સુધીની ગીફ્ટ
  • મિલકત ખરીદનારને રૂ.1 લાખની રકમનું ગીફ્ટ વાઉચર
  • છેલ્લા દિવસે લકી ડ્રોમાં એક મોટરકારનું ઇનામ

ક્રેડાઇ સુરતના પ્રોપર્ટી ફેસ્ટમાં શું શું હશે

સુરતમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં 200થી વધુ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે. પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેશિફિકેશન, પ્રોજેક્ટ લે આઉટ, પ્રોજેક્ટ લોકેશન તમામ માહિતી ઉપલબ્ધ બનશે. અલગ અલગ જગ્યાની વિઝીટ કર્યા વગર જ એક જ સ્થળે, પ્રોપર્ટી ફેસ્ટમાં એક સાથે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટીંગ, ટેક્ષટાઇલ માર્કેટ વગેરેની માહિતી મળી શકશે.

  • બેંકો તરફથી લોન મળી શકે તે માટે બેંકોના પણ સ્ટોલ્સ
  • નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા
  • ફૂડ પ્લાઝા