Slider Archives - Page 439 of 488 - CIA Live

October 3, 2018
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min12010

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે

વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.

ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર

નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

નારાજગીનો સૂર તો પહેલેથી છે જ

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.

October 3, 2018
logo-google-maps.jpg
1min12600

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગઇ તા.21 સપ્ટેમ્બર 2018ના રોજ સુરતમાં

હજુ ગઇ તા.21મી સપ્ટેમ્બર 2018ના દિવસે જ ગુગલ મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુ સુરત આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં એટલી મોટી મોટી હાંકી હતી કે જાણે આખી દુનિયાને સરનામું બતાવવાનો ઠેકો તેમને મળ્યો હોય અને સૌથી લેટેસ્ટ રોડ રસ્તાની માહિતી ઉપરાંત ટ્રાફિક જામની પણ આગોતરી માહિતી જો કોઇ આપી શકે તો ગુગલ જ આપશે. આ ગુગલ્યા મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુએ આવી વાતો સુરત શહેર અને સુરત મહાનગરના લોકોને ઉદ્દેશીને કરી હતી. સૌથી લેટેસ્ટ માહિતી અને અપડેટ સાથે ગુગલ મેપ સુરતીઓની સેવા કરશે એવું તેમનું કહેવું હતું.

ગઇકાલ તા.2 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

પણ હવે જુઓ આ ગુગલ્યા બાબાને ખબર જ નથી પડી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે. એક દિવસમાં એ બ્રિજ પરથી 3 લાખથી વધુ વાહનો પસાર થઇ ચૂક્યા છે અને અંદાજે 7 લાખ લોકો આ બ્રિજ પરની પ્રત્યક્ષ મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વિશ્વ વિક્રમ હશે, ભલે સુરત મહાનગરપાલિકાએ આ બાબતને નજર અંદાજ કરી હોય. પણ વિશ્વમાં સૌથી લેટેસ્ટ અને સૌથી અપડેટેડ સાઇટ હોવાનો દાવો કરતા આ  ગુગલ બાબાને હજુ સુધી માહિતી મળી નથી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે અને શરૂ પણ થઇ ગયો છે.

આજે તા.3 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

આજે સવારે એક મિત્ર બહારગામથી સુરત આવ્યા હતા અને તેમને વાયા કેબલ સ્ટેઇડ બ્રિજ અડાજણ આવવા માટે મેં ટેલિફોનિક જાણ કરી. એ મિત્રએ ગુગલ મેપમાં કેબલ સ્ટેઇડ બ્રિજ સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે હજુ ગુગલ બાબા જુની પૂરાણી માહિતી જ આપી રહ્યા છે. જુઓ ગુગલ મેપ પર  કેબલ સ્ટેઇડ બ્રિજ, સુરતના કેવા રસ્તા મળે છે.

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ્સના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષે સુરતમાં કંઇક આવું કહ્યું હતું.

Google showcased the latest features available in Google Maps that can help people get around more easily. Two-wheeler mode, Public Transport with real-time bus information, Plus codes, Maps Go, local languages on Maps, Exploring local places, real-time location sharing, Multi-stop directions, Real-time traffic (including traffic alerts) and Local Guides — all offerings that make getting around in Surat quicker and more conveniently.

આપણે યુઝર્સે નક્કી કરવાનું કે ગુગલ મેપ્સના મેનેજરો કે ગુગલ પોતે ભલેને કહ્યા કરે અમે સૌથી વધુ અપડેટેડ છીએ પણ જો ગુગલના રવાડે ચઢી જઇશું તો કેબલ સ્ટેઇડ બ્રિજની જગ્યાએ નદીમાં વાહન ચલાવવાનો વારે આવશે.

ગુગલ ભલેને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને એકાદ મહિના પછી મેપ પર અપડેટ કરે આપણે આમાંથી બોધપાઠ એ લેવાનો કે ગુગલ્યા જેવી એપ્લિકેશન્સ ફક્ત આપણી માહિતીઓ એકત્રિત કરીને વેચવાના ધંધામાં છે, તેમના પર નિર્ભર રહેવું ન જોઇએ.

October 2, 2018
gst.jpg
1min4410

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.

  • સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.

 

October 2, 2018
HARDIK_kalsaria.jpg
1min5860
  • ખેડૂતોને દેવા માફી
  • પાટીદારોને અનામત
  • રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

HARDIK

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

HARDIK1

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’

October 2, 2018
farmer.jpg
1min12390

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.

October 2, 2018
cable_1stday.jpg
1min25870

બ્રિજ ખુલ્લો મુકાતા જ જાણે સુરતીઓ ઉમટી પડ્યા, અઠવાથી અડાજણ આવવા માટે જાણે મોટરકારોનો કાફલો વેઇટિંગમાં હતો

આજે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે અડાજણ અને અઠવાલાઇન્સને જોડાતા કેબલ સ્ટેઇડ બ્રિજનો ખુલ્લો મૂકાયો અને લોકોની અવરજવર શરૂ કરી એની 5મી જ મિનીટે બ્રિજ પર એટલા વાહનો આવી ગયા કે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય જવા પામી હતી. ખાસ કરીને અઠવા લાઇન્સથી અડાજણ આવવા માટે હજારો મોટરકારો, ટુ વ્હીલર્સ જાણે વેઇટિંગમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અઠવાથી અડાજણના ટ્રેક પર વાહનોના કતાર લાગી ગઇ અને એક પછી એક વાહનો ગોઠવાય ગયા હતા. એ સમયે ટ્રાફિકની ગતિ માંડ 10 કિ.મી. પ્રતિ કલાકની હતી. જે આપ આ તસ્વીરથી જોઇ શક્શો.

બ્રિજ ખુલ્લો મૂકાતા જ લોકો ઉમટી પડ્યા હતા. એમાં પણ આજે 2જી ઓક્ટોબર 2018 ગાંધીજયંતિની રજા હોવાથી લોકો મિત્રમંડળ કે પરિવારજનો સાથે બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા. કેબલ સ્ટેઇડ બ્રિજની રાઉન્ડ ટ્રીપ માટે નીકળેલા સુરતીઓએ બ્રિજના બન્ને છેડે અડાજણ સ્ટાર બજાર સામે અને અઠવાલાઇન્સ ખાતે યુ ટર્ન લેવામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી. ટ્રાફિક પોલીસે બન્ને પોઇન્ટ પર ટ્રાફિક સરળ બનાવવા માટે આકરાં તાપમાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

એવી જ રીતે અડાજણ છેડેથી કેબલ સ્ટેઇડ બ્રિજ પર જવા માટે એલ.પી. સવાણી રોડ પર છેક ચોર આમલા ઝાડ સુધી વાહનોની આ રીતે કતારો સર્જાય જવા પામી હતી.

Posted by Tejash Modi on Tuesday, 2 October 2018

સુરતના જાણીતા પત્રકાર તેજસભાઇ મોદીએ ટ્રાફિક જામનો વિડીયો આ પ્રકારે લીધો હતો.

તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સી.આઇ.એ. લાઇવ વેબસાઇટે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે આજે રિયાલિટીમાં જોઇ શકીએ છીએ

કાલે પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી 3 લાખ વાહનો પસાર થઇ જશે

 

એ પૂર્વે આ પ્રકારે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ અડાજણ અને અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પરની તક્તીનું  અનાવરણ કર્યું હતું.

 

કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ રિબન કાપીને કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારે બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું.

બ્રિજનું ઉદઘાટન કરવા માટે જઇ રહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે સ્થાનિક આગેવાનો દ્રશ્યમાન છે

October 2, 2018
operacoes.jpg
1min9220

ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ વરસ્યો નથી તેમ જ હજુ પણ ખેડૂતોને નર્મદાનું પૂરતું સિંચાઇનું પાણી પણ આપવામાં આવતું નથી. બીજી બાજુ ખેતપેદાશોના ભાવ પણ તળિયે છે આવી અનેક સમસ્યાઆઓથી ઘેરાયેલા ખેડૂતોના માથે શિયાળુ સિઝનના જીરુ, ઘઉં, ઇસબગુલ, ચણા વરીયાળી અજમો સહિતના પાકોના વાવેતર પહેલા જ સરકારે આ પાકોમાં સૌથી વધારે વપરાતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ ભાવવધારો કર્યો છે.

  • ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 રૂપિયા
  • એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા
  • પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે. સરકારી અને સહકારી ખાતર કંપનીઓએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ડીએપી ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખેડૂતોને મદદની બાબતે સરકારે હાથ અધ્ધર કરી દીધા હોય તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોઇ શકે.

October 2, 2018
gir_lion.jpg
1min5200
ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણિયા રેન્જના સરસીયા વીડીના સમરડી વિસ્તારમાં વસતા ર૧ ગીર કેસરીની ડણક કાયમ માટે શાંત બની ગયાની વનતંત્રએ સોમવારે નફ્ફટ કબૂલાત આપી હતી. ૧૯ સપ્ટેમ્બર 2018 થી ૧ ઓકટોબર 2018 એટલે કે ૧ર દિવસમાં ર૧ સિંહોના રામ રમી ગયા છે. ગીર જંગલના ઇતિહાસમાં ટૂંકાગાળામાં ર૧ સાવજોનું ગ્રુપ આખે આખું ઇન્ફેકશન અને ઇનફાઇટમાં મોતના મુખમાં ધકેલાઇ ગયાનો વનવિભાગે એકરાર કર્યો છે.
દલખાણિયા રેન્જ હેઠળના સરસીયા વીડી પાસેના સમરડી વિસ્તારમાં ટહેલતા ર૧ ડાલામથ્થાઓનું જૂથ ૧ર દિવસના ટૂંકાગાળામાં તરફડીને મોતને ભેટયા હતા. વનવિભાગે ર૦ સપ્ટેમ્બરે ૧૧ સિંહોના મોત થયાનું જાહેર કર્યુ હતું.
ત્યારબાદ આ ગ્રુપના અન્ય સિંહોને સારવાર માટે જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરિમયાન 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ૧૬ સાવજોની ગર્જના કાયમી માટે શાંત બની ગઇ હતી. દરમિયાન તા.30મી સપ્ટેમ્બર 2018ના રોજ વનવિભાગે ૧૯ સપ્ટેમ્બરથી થી ૧ ઓકટોબર દરમિયાન ર૧ સિંહોના મોત થયાનું નફ્ફટ કબૂલાત કરી હતી. તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સિંહ-સિંહણ અને સિંહ બાળ મળી ર૧ના મોત થયાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ જશાધાર રેન્જમાં સારવાર હેઠળ રહેલા અને મોતને ભેટેલા ૪ ડાલામથ્થાના મૃતદેહમાંથી વાયરસ મળી આવ્યા હતા. જેની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયા છે. દલખાણિયા વિસ્તારના ટહેલતા ૭ સિંહોના સમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ૧૪ સિંહના જશાધાર રેન્જમાં સારવાર દરમિયાન મોત થયાનું સોમવારે વનવિભાગે સ્વીકાર્યુ હતું.
October 1, 2018
weavers.jpg
1min7500

ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના ચાલકબળ સમા વિવર્સે આજે ઉધનાથી મુગલીસરા પગપાળા રેલી કાઢીને પોતાના પડતર પ્રશ્નોના નિકાલની માગણી સાથે લાગણી વ્યક્ત કરી છે. સવારે 9 વાગ્યાથી જ વિવર્સ રેલી પ્રસ્થાન સ્થળે એકત્રિત થવા માંડ્યા હતા અને દસ વાગ્યે રેલીમાં જોત જોતામાં હજારો વિવર્સ ઉમટી પડ્યા હતા. વિવર્સે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓના પ્લેકાર્ડસ પ્રદર્શિત કરતા ચાલીને મુગલીસરા ખાતેની કચેરીએ પહોંચ્યા હતા.

મુગલીસરા સ્થિત પાલિકા કચેરી પર પહોંચ્યા બાદ સ્થાનિક આગેવાનોએ સંબોધન કર્યું હતું અને પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

October 1, 2018
cable_stayed-1280x720.jpg
1min43340

રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજને મંગળવાર તા.2 ઓક્ટોબર 2018ને ગાંધી જયંતિના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુલ્લો મૂકશે એ પછી પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી અવર-જવર કરશે એવી ગણતરી સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ માંડી છે. પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સુરતીઓ ઉમટી પડશે. સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાથી લઇને ટહેલવા આવનારા સુરતીઓ બ્રિજ પર વાહન પાર્ક કરીને ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જે તેવી ગણતરીને પગલે ટ્રાફિક પોલીસે પણ લો એન્ડ ઓર્ડર જાળવવા માટે કવાયત કરી દીધી છે.

લાખો લોકોની કાયમી અવરજવરનો રસ્તો બદલાય જશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ સુરતના અડાજણ (નદીપાર) માં રહેતા લોકો તેમજ અડાજણ (નદી પાર) માં નહીં રહેતા હોય પણ ત્યાં કામ-ધંધો-નોકરી ધરાવતા લાખો લોકોનો કાયમી માર્ગ બદલાય જશે. હાલમાં સરદાર બ્રિજ એકમાત્ર વિકલ્પ હતો, હવે કેબલ સ્ટેઇડ તેમજ થોડા મહિનામાં ઉમરા પાલનો બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યારે વધુ લોકોના કાયમી અવરજવરના રસ્તા બદલાય જશે.

લોકો સેલ્ફી લેવા, ફોટા પડાવવા ઉમટી પડશે

કેબલ સ્ટેઇડ બ્રિજ એવું નજરાણું સુરતીઓ માટે છે કે તેની કાગડોળે રાહ જોઇ રહેલા સુરતીઓ જેવો બ્રિજ ખુલ્લો મૂકાશે કે તરત જ તેના પરથી પસાર થવા, સેલ્ફી લેવા કે ફોટોગ્રાફ લેવા માટે પડાપડી કરશે. સાંજથી લઇને મોડી રાત્રે પરિવાર, મિત્રો સાથે ટહેલવા જનારા લોકો પણ થોડા દિવસો રોજેરોજ કેબલ સ્ટેઇડ બ્રિજની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસે આ બ્રિજને સેલ્ફી પોઇન્ટ કે ફોટોગ્રાફી સેન્ટર બનતો અટકાવવા માટે દિવાળી સુધી તો પરસેવો પાડવો પડશે.

શું છે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજની લાક્ષણિકતાઓ, સુરતના માહિતી ખાતાની ટીમે તૈયાર કરેલો રિપોર્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.

બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:
દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.

 લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:
કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

  • અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
     કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ 
     દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
     બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન 
     બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર 
     ૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
     ૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ 
     ૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
     બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
     પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ 
     અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
     બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’ 
     એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડે કનેક્ટેડ ફ્લાય ઓવર બ્રિજ)

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડેથી લેવાયેલી તસ્વીર)

(કેબલ સ્ટેઇડ બ્રિજ)

આપના કોઇપણ સમાચાર, ઇવેન્ટ કવરેજ માટે સંપર્ક કરો 98253 44944