CIA ALERT

Slider Archives - Page 394 of 487 - CIA Live

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7480

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે એવું જણાવીને કોંગ્રેસે મુખ્ય પ્રધાનને નિષ્ફળ પ્રધાન ગણાવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયાં છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ

રાજયમાં અને દેશમાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અંગે જાહેરહિતની અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજૂ કરવા બે વખત નોટિસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજૂ કરી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલાં બાળકો અંગે જે તે સમયે આંકડા રજૂ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જિલ્લાઓમાં સંકલન, ગુમ થયેલાં બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલાં બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરિયાદ કરવા જાય તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મિસિંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલાં બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો કર્યા છે પણ તે માત્ર કાગળ પર છે. મિસિંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મિસિંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.

રાજયમાં કિડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દીકરીઓને ગુમ કરીને વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન સબ સલામતના દાવાઓ કરે તે કેટલે અંશે વાજબી? એવો સવાલ ઉઠાવીને તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે જવાબ માગ્યો છે.

February 10, 2019
no_love.png
1min14030
  • સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી
  • દિકરીઓને પ્રેરણાત્મક નહીં પરંતુ, પ્રતિજ્ઞાત્મક મુગ્ધા સેમિનાર આપવો પડે એ દર્શાવે છે કે વર્તમાન સમાજ વ્યવસ્થા એલાર્મિંગ સ્થિતિમાં છે
  • લવ મેરેજ ફેઇલ થઇ રહ્યા છે તો એરેન્જ મેરેજના પણ કરુણ અંજામો સામે આવી રહ્યા છે

એક તરફ ભારત સમેત વિશ્વભરમાં પ્રેમના પ્રતિક ગણાતા વેલેન્ટાઇન્સ ડે ફિવર જામી રહ્યો છે અને વેલેન્ટાઇન્સ વીક અન્વયે ચોકલેટ ડે જે દિવસે હતો એ દિવસે સૌરાષ્ટ્રના ભેંસાણ ગામે દિકરીઓને લવ મેરેજ વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં લવ મેરેજ હોય કે એરેંજ મેરેજ બન્નેના આવી રહેલા કરુણ અંજામને પગલે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને અન્ય કોઇ પ્રેરણાત્મક નહીં બલ્કે અંગત જીવનને સ્પર્શતા શપથ લેવડાવવા પડી રહ્યા છે. જોકે, આ પ્રતિજ્ઞા ફક્ત કાર્યક્રમ પૂરતી રહેશે કે જીવનભર સનાતન રહેશે એ તો સમય જ બતાવશે.

‘હું મારા લગ્ન પહેલાં કોઇ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા-પિતાએ કરી આપેલા લગ્નના છૂટાછેડા નહીં કરૂ’ આ પ્રતિજ્ઞા શનિવાર, તા.9 ફેબ્રુઆરી 2019ના રોજ સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી.

આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવી પડે એ બાબત જ સૂચક છે કે તરુણાવસ્થાની ગંભીર ભૂલો યુવતિઓનું જીવન તો બરબાદ કરી નાંખે છે પરંતુ, અનેક પારિવારીક સમસ્યાઓ ખડી કરી દે છે.

ભેસાણ ગ્રામપંચાયતનાં સરપંચ અને ભાજપ અગ્રણી ભૂપતભાઇ ભાયાણી તેમજ ગ્રામપંચાયતના સદસ્યોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજ ખાતે એક વિશિષ્ટ પ્રકારનો મુગ્ધા સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકાભરની 1400થી વધુ દીકરીઓએ લાભ લીધો હતો.

વક્તા અશ્વિનભાઇ સુદાણીએ દીકરીઓને એક દીકરી તરીકે કઇ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક દીકરીએ જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓનું સમાધાન મળતું  જ હોય છે, માતા-પિતા પ્રત્યે દરેક દીકરીઓએ આદરભાવ રાખીને પારિવારીક જીવનના સુખ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. વિજાતીય આકર્ષણથી બચવા બાબત પર છણાવટ રજૂ કરી હતી, તેમજ જીવનના મૂલ્યો અને ભવિષ્યના આયોજનો, સંસ્કાર, સંસ્કૃતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ તકે દીકરીઓએ જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું મારા લગ્ન પહેલાં કોઇપણના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધો નહીં બાંધુ, મારા માતા-પિતા જ્યાં કહેશે ત્યાં જ લગ્ન કરીશ, ક્યારેય ભાગીને કે પ્રેમલગ્ન નહી કરું.’

February 9, 2019
swine-flu_.jpg
1min5510

અત્યાર સુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાંથી 599 લોકોની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ સ્વાઈન ફ્લૂના કારણે મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ મોત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સુધીમાં સ્વાઈન ફ્લૂનો કહેર થોડો ઓછો થયો હતો પરંતુ હવે તેણે ફરી માથું ઉંચક્યું છે.

ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુથી મોત થનાર લોકોમાં 90 ટકાથી વધુ દર્દીઓ 55થી વધુ વયના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટ સિવિવ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ મહેતા જણાવે છે કે સ્વાઈન ફલુને કંટ્રોલમાં લેવો હોય તો શરદી, કફ, ઉધરસ, શરીરમાં કળતર થતી હોય તો તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો આ સાથે સલામતીના ભાગરૂપે સમુહમાં ભેગા ન થવું આ સાથે વયોવૃધ્ધ, પ્રૌઢ, બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફલુ ઈન્ફેકશનનું વધારે જોખમ રહેલુ છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં જાગૃતિના અભાવે સ્વાઈનફલુના કેસમાં વધારો થઈ રહ્યો છે. માટે સ્વાઈન ફલુના કહેરથી બચવા થિયેટરો, ભીડવાળી જગ્યાએ નહી જવા અનુરોધ કરવામાં આવે છે.

પરંતુ જાન્યુઆરીનાં ફરી સ્વાઈન ફલુએ માથુ ઉંચકયું છે. એક અભ્યાસ પ્રમાણે 80 ટકા લોકો સ્વાસ્થ્ય બિમારીઓથી પીડાય છે. તેમાં પણ વરસાદ અને ઠંડીના મહિનાઓમાં વિવિધ તાવના કેસ વધી જાય છે. અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે સામાન્ય તાવ આવે તે તુરંત જ ડોકટરની સલાહ લેવી. ઘરગથ્થુ ઉપચારો ટાળવા સરકારી હોસ્પિટલોમાં તેની નિ:શુલ્ક દવાઓ ઉપલબ્ધ છે.

February 9, 2019
mba-1280x725.png
1min5960

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 9, 2019
mov3-1280x856.jpg
1min11690

મોદીથી ઇન્સ્પાયર વાર્તા પર આધારીત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ

પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા તથા નિર્દેશક અનિલ નારાયણીની મોટીવેશનલ ફિલ્મ 1લી માર્ચે થશે

રિલીઝ ફિલ્મ થકી થનારી આવકમાંથી વનબંધુ પરિષદ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને કરાશે મદદ સુરત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની મોટીવેશનલ વાર્તા થી ઈન્સ્પાયર થઈને હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ મુંબઈના અંધેરી ખાતે ધ વ્યૂમાં ગત દિવસોમાં આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ કાવ્ય મુવી પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે,જ્યારે લેખક-નિર્દેશક અનિલ નારાયણી છે. આ ગુજરાતી ફિલ્મમાં કરણ પટેલ,ઓંકાર દાસ માણિકપુરી,અનેશા સૈયદ અને હીરલ પટેલ તથા ૠષિ પંચલ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની ભૂમિકા આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં નથ્થાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓંકાર દાસ નિભાવી રહ્યા છે. ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા અનિલ નારાયણીએ બનાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી પ્રભાવિત છે. ફિલ્મનું ટીજર મુંબઈ ખાતે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સૌનો ખૂબજ પ્રતિસાદ જોવા મળ્યો. ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર એ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ 1લી માર્ચના રોજ રિલીઝ થશે.

વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ થકી થનારી આવકમાંથી વનવાસી વિસ્તોરોના બાળકો માટે શિક્ષણ સહીતની પ્રવૃત્તિ કરી રહેલી વનબંધુ પરિષદ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહેલા વિરલ દેસાઈની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને મદદ કરવામાં આવશે. ફિલ્મના અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે આજે મોટાભાગના બાળકો સલમાન,શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે,જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે મારૂ ઈન્સ્પીરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી. પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રિતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.

આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે કાફી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે.

February 5, 2019
sports.jpg
1min6920
SAGના અધિકારી લાંચ લેતા ઝડપાયા

સંદીપ પંડ્યા નામના સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારી 60 હજારની લાંચ લેતા ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ઝડપાયા છે.

એસીબીની બરોડાની ટીમ આ ઘટનામાં તપાસ કરી રહી છે. SAG (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) દ્વારા સ્કૂલમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીના સંચાલન માટે અલગ અલગ એજન્સીઓને કામ આપવામાં આવે છે. આ સ્કૂલની એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યો હતો. જેમાં ટ્રેનરોના બિલ મંજૂર કરવા માટે એજન્સી પાસે લાંચ માંગી હતી. ACBને આ પ્રકારે લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી.

આ સમગ્ર મામલાની તપાસ ACBની બરોડા ટીમને તપાસ સોંપવામાં આવી છે. ACBની બરોડાની ટીમે છટકું ગોઠવી SAGના અધિકારી સંદીપ પંડ્યાને રંગેહાથ રૂ.60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

પ્રાથમિક તપાસમાં SAGના સંદીપ પંડ્યાનું નામ સામે આવ્યું છે. જેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના ઈન સ્કૂલ શાખાના ઈનચાર્જ છે. જેમણે એજન્સીના ટ્રેનરના બિલ SAGમાં મંજૂર કરાવવા માટે એજન્સી પાસેથી લાંચ માંગતા તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBના અધિકારી ડી. બી. બારડે ટ્રેપ ગોઠવતા તેમાં સંદીપ પંડ્યા રંગે હાથ ઝડપાયા છે.

February 5, 2019
a2-1280x853.jpg
1min13090

અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)

આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.

  • ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે મેં ગનદેવીનો ગલો
  • ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન
  • સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી
  • હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે

ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.

અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.

February 5, 2019
facebook.jpeg
8min14820

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 5, 2019
uri.jpg
1min7120

૨૩ અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની વિકી કૌશલની

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

આ ફિલ્મે ૨૩મા દિવસે ૬.૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે જે અગાઉ ૬.૩૫ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો. આ સાથે જ ‘ઉરી’એ ૨૪મા દિવસે ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો છે, જે અગાઉ ૭.૮૦ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો.

February 5, 2019
ips-1280x720.jpg
1min5460

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કોલકાતા પોલીસ કમિશ્રન રાજીવ કુમારને આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં થાય. બંગાળ સરકારના મુખ્યમંત્રી મમતા બેનરજી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ ફોન પર પોતાની સરકારનો વહીવટ ચલાવી રહ્યા છે.

શારદા ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના પક્ષે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નરના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરી હતી જેમના દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને કૌભાંડની યોગ્ય તપાસ નથી થઈ.

સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે મમતાને એકરીતે આંચકો લાગ્યો છે. જો કે મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતા કહ્યું કે- કોઈ જ દેશમાં મોટો બોસ નથી.  સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈની માનહાનીની અરજી પર નોટિસ પાઠવી છે.