CIA ALERT

Slider Archives - Page 369 of 491 - CIA Live

April 25, 2019
gseb.png
1min10170

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધો.12 સાયન્સનું પરીણામ 9મી મે 2019
  • ધો.10નું પરીણામ 24-25મી મે 2019
  • ધો.12 કોમર્સનું પરીણામ 31મી મે 2019ના રોજ જાહેર થવાની શક્યતાઓ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ આગામી તા. 24 અગર તા.25મી મે અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તા.9મી મેના રોજ જાહેર કરશે, તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બિલકુલ બિનસત્તાવાર સમાચાર છે. અલબત્ત ગુજરાત બોર્ડ દ્વારા ભૂતકાળમાં જે રીતે પરીણામો જાહેર થયા હતા એને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહીને જોતા ઉપરોક્ત તારીખ અથવા તેની આસપાસના દિવસોમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ગત તા.7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે.

ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11.00થી 4.00 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલી ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

April 25, 2019
metoo-1.jpg
1min10710

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
surat_loksabha.png
3min7380

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

April 24, 2019
ca_logo.jpg
3min17440

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India

April 24, 2019
msuni_logo.jpg
1min5800

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ છેલ્લા 3 વર્ષમાં 105 કરોડનું ભંડોળ મળ્યું છે. જ્યારે યુનિવર્સિટીએ 34 પેટન્ટ્સ પબ્લિશ કરી છે.

વડોદરાઃ 3 વર્ષમાં MSUને મળ્યું 105 કરોડનું ભંડોળ, મેળવી 19 પેટન્ટ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ આ આંકડાઓનો ખુલાસો સ્પોન્સર્ડ પ્રોજેક્ટ અને રીસર્ચ એક્ટિવિટીઝ વિશે માહિતી આપતા સમયે આપ્યા છે. આ આંકડાઓ નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક(NIRF)ને આપવામાં આવ્યા છે.

તાજેતરમાં જ્યારે NIRF વર્ષ 2019 માટે ઑલ ઈન્ડિયા રેન્કિંગ જાહેર કર્યા હતા ત્યારે MSUનું નામ યુનિવર્સિટીની કેટેગરીમાં 100 થી 150માં હતું. જ્યારે ઑવરઓલ કેટેગરીમાં 150 થી 200માં હતું. ગયા વર્ષે આ યુનિવર્સિટીનું નામ ટોચની 200 યુનિવર્સિટીઓમાં પણ નહોતું.

NIRFના અહેવાલ પ્રમાણે 2015 અને 2017માં યુનિવર્સિટીના રીસર્ચસે કુલ 34 પેટન્ટ્સ માટે એપ્લિકેશન કરી હતી જેમાંથી 19 મંજૂર થઈ હતી. વર્ષ 2017માં સૌથી વધારે 16 પેટન્ટ્સ પબ્લિશ થઈ હતી અને સૌથી વધારે 14 મંજૂર થઈ હતી.

વર્ષ 2015-16 અને 2017-18માં સ્પોન્સર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સની સંખ્યા 147 હતી. જ્યારે વર્ષ 2017-18માં યુનિવર્સિટીને સૌથી વધારે ફંડ મળ્યું હતું. આ સમયે 46 પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને 48 કરોડ 20 લાખનું ફંડિંગ મળ્યું હતું.

April 24, 2019
saurashtra.png
1min12420

પોરબંદરમાં નેંધપાત્ર 4.15 ટકા મતદાન વધ્યું જ્યારે જૂનાગઢમાં 3.37 ટકા ઘટયું
અન્ય બેઠકોમાં 2014ની પેટર્ન મુજબ જ થયું મતદાન: ઉમેદવારો અવઢવમાં

વર્ષ 2014 કરતાં આ વખતે કેટલું મતદાન થશે, તેના ઉપર સૌની નજર હતી અને આજે મતદાનના અંતે આંકડાઓ સામે આવતાં રાજકીય તજજ્ઞો પણ વિચારમાં પડી ગયા છે અને ઉમેદવારોમાં પણ મુંઝવણ વધી છે. એક તો મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર સરેરાશ પ8.1પ ટકા મતદાન થયું હતું અને આ વખતે મતદાન પૂર્ણ થયા બાદના આંકડા સામે આવતાં સરેરાશ પ8.પ9 ટકા મતદાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. ગયા વખત કરતાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર માત્ર અડધો ટકો જ મતદાન વધ્યું છે. આ વખતે નવા-યુવા મતદારો પણ સારી સંખ્યામાં ઉમેરાયા છે છતાં મતદાન જોઈએ એટલું વધ્યું નથી. અલબત્ત, સૌરાષ્ટ્રમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.
સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ગરમી વચ્ચે પણ સવારથી મતદાતાઓ નીકળી પડયા હતા પણ જોઈએ એટલો ઉત્સાહ હતો નહીં. મતદાનનો માહોલ જામ્યો નહોતો છતાં સારું મતદાન થયું હતું. સારી વાત એ છે કે, ગામડાંમાં વધારે મતદાન થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ મતદાન વધવું જોઈતું હતું પણ રાજકીય પક્ષોને, ઉમેદવારોને જેટલી આશા હતી, તે ફળીભૂત થઈ નથી. 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું હતું. જો કે, યુવા મતદારો વધ્યા છે પણ મતદાન કરવામાં જોઈએ એવી જાગૃતિ આવી નથી. મોટી ઉંમરના, આધેડ મતદારો જ મતદાન કરતા જોવા મળ્યા હતા. યુવાનો નીકળવા જોઈએ એટલા નહોતા નીકળ્યા.
જામનગરના અહેવાલ મુજબ, જામનગર બેઠકની આજ તા.23 એપ્રિલ 2019ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર અને સંબંધિત અધિકારીઓના નેજા હેઠળ સવારે 7 વાગાથી સાંજે 6 વાગા સુધીમાં આ મતદાન 58.26 ટકા જેટલું થયું હતું.
મતદાન એકંદર શાંતિપૂર્ણ થયું હતું. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં 57.80 ટકા મતદાન નોંધાયું હતું. તેનું આ વખતે પુનરાવર્તન થયું હતું અને માત્ર 0.46 ટકા વધુ નોંધાયું હતું. જ્યારે જૂનાગઢના અહેવાલ મુજબ ગયા વખતની સરખામણીમાં ત્રણેક ટકા મતદાન ઘટયું છે. વેરાવળના અહેવાલ મુજબ, જિલ્લામાં સૌથી વધારે સોમનાથ બેઠક ઉપર 70.84 ટકા અને સૌથી ઓછું 58.09 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ બેઠક માટે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સુરેન્દ્રનગર બેઠક માટે ત્રિપાંખીયો જંગ હોવા છતાં, સૌથી વધારે ઉમેદવારો હોવા છતાં રસાકસી થવાની સંભાવના હતી અને રસાકસીના પગલે મતદારો મતદાન કરવા નીકળી પડશે અને ગયા વખત કરતાં વધારે મતદાન થશે, તેવી અપેક્ષા હતી પણ આ વખતે ય મતદારો અકળ રહ્યા હતા અને ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. અમરેલીના અહેવાલ મુજબ, અમરેલીના શહેરી વિસ્તારોમાં સારું મતદાન થયું હતું પણ ગ્રામ્ય વિસ્તારમાં નિરાશા છવાઈ હતી. ગામડાંઓમાં ઓછું મતદાન થયું હતું.
અમરેલીમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની સભા થવા છતાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જો કે, ગયા વખતની સરખામણીએ માત્ર 1 ટકો મતદાન વધ્યું હતું. આ જ રીતે ભાવનગર, રાજકોટ સહિતની બેઠકમાં ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હતો. સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર આશ્ચર્યજનક મતદાન થતાં ઉમેદવારો મુંઝાયા છે, રાજકીય તજજ્ઞો પણ વિમાસણમાં છે. હવે, એક મહિના પછી તા.23મી મેએ પરિણામ આવશે.
April 23, 2019
journalist-1280x960.jpg
1min8750

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર અને કલેક્ટરેટમાં ફરજ બજાવતા પત્રકારોએ આજે સવારે 6.30 કલાકે તેમની ફરજ શરૂ કરી હતી. પત્રકારત્વ ક્ષેત્રે ફરજ બજાવવા સાથે તેમણે પોતાના મતાધિકારનો પ્રયોગ પણ કર્યો હતો.

ચૂંટણી નોટિફિકેશનથી લઇને આજે મતદાન સુધી ચૂંટણી તંત્રના તમામ સમાચારોથી દક્ષિણ ગુજરાતના લોકોને માહિતગાર કરનારા પત્રકારો સર્વશ્રી હિતેશભાઇ ઉમરીયા (ગુજરાત ગાર્ડિયન) , શ્રી ચિરાગભાઇ ચોક્સી (ચિરાગ ચોક્સી) તેમજ શ્રી દિપકભાઇ પટેલ (ગુજરાત સમાચાર) એ પોતાના રહેણાંકની વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું.

ત્રણેય પત્રકારોએ દક્ષિણ ગુજરાતના લોકોમાં મતદાન જાગૃતિ અંગે અવારનવાર આર્ટિકલ્સ થકી જનજાગૃતિ પ્રસરાવી હતી.

April 23, 2019
milind_deora.jpg
1min5770

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન અને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જાહેરમાં દક્ષિણ મુંબઈના કૉંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને સમર્થન આપ્યું છે.

દેવરા દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં અંબાણીએ કહ્યું છે કે મિલિન્દ દક્ષિણ મુંબઈ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આ વિસ્તારનું સતત દસ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ તે અહીંના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માહોલને ઊંડાણપૂર્વક સમજે છે.

રાફેલ જેટ ડીલ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનીલ અંબાણી પર સીધા પ્રહારો કરે છે ત્યારે મુકેશ અંબાણીનું આ નિવેદન આશ્ર્ચર્ય પમાડનારું હતું. આ મામલે દેવરાએ જણાવ્યું હતું કે મુકેશ અને અનિલ અલગ અલગ વ્યક્તિમતા છે અને બન્નેમાંથી એક પણ બીજા સાથે સરખાવવાનું અન્યાયપૂર્ણ કહેવાશે. દેવરાએ એમ પણ જણાવ્યું હતું કે અંબાણીથી માંડી સાદા પાનવાળા કે નાના વેપારી દ્વારા તેને મળતા સમર્થન માટે તેને ગર્વ અને આનંદ છે.

મુકેશ અંબાણીની જાહેરાત બાદ અહીંના મોટા ઉદ્યોગપતિઓથી લઈ નાના વેપારી સંગઠને પણ મિલિન્દને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દેવરા આ વિસ્તારના બે ટર્મ માટે સાંસદ રહી ચૂક્યા છે.

વરિષ્ઠ કૉંગ્રેસી નેતા મુરલી દેવરાના પુત્ર મિલિન્દ આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને હાલના સાંસદ અરવિંદ સાવંત સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે દેવરાને હાલમાં મુંબઈનું સુકાન પણ પક્ષે આપ્યું છે. યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે તે આ વિસ્તારના ગુજરાતી-મારવાડી ઉપરાંત મરાઠી અને મુસ્લિમ સમાજમાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે.

2004 અને 2009માં દેવરા દક્ષિણ મુંબઈમાં જીત્યા હતા અને તેઓ યુનિયન કેબિનેટમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ઑનલાઈન પાસપોર્ટ આપવા સહિતના ઘણા મહત્ત્વના નિર્ણયો તેમણે લીધા છે. દેવરાને હાલમાં ઝવેરી બઝાર, સ્ટીલ મર્ચન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી વગેરે એસોસિયેશનનું સમર્થન મળી રહ્યું છે. કોઈ પણ જાતના નાત-જાત કે ભાષા-પ્રાંતનું રાજકારણ ન ખેલતા દેવરા તેમના અનુભવની મદદથી દરેક વર્ગના લોકો સુધી પહોંચી રહ્યા છે. દેવરા ટેકનોસાવી હોવાથી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

April 23, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5570

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી મેની ફાઇનલનું સ્થળ ચેન્નઈથી બદલીને હૈદરાબાદ કરવામાં આવ્યું છે. તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ) ત્રણ બંધ પડેલા સ્ટૅન્ડ ખોલવા સંબંધમાં સરકારની જરૂરી મંજૂરી લેવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નંબર વન પર રહ્યું છે અને જો નિર્ધારિત કુલ 14 લીગ મૅચને અંતે ટોચના બે સ્થાનમાં જળવાઈ રહેશે તો એને ઘરઆંગણે ક્વૉલિફાયર-વનમાં રમવાનો મોકો મળશે. જોકે, એલિમિનેટર (8 મે) તથા ક્વૉલિફાયર-ટૂ (10 મે) મૅચનું સ્થળ બદલીને વિશાખાપટનમ કરવામાં આવ્યું છે.

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે સોમવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘નૉકઆઉટ મૅચોમાં સ્ટેડિયમો ખાતે જે ગેટ-સેલ્સ (પ્રેક્ષકોના પ્રવેશ)ની આવક થતી હોય છે એના પર ક્રિકેટ બોર્ડનો હક હોવાથી અમે ફાઇનલના નવા સ્થળ વિશેનો નિર્ણય લીધો છે.’

સરકાર તરફથી જે ત્રણ સ્ટૅન્ડ ખોલવાની મંજૂરી નથી મળી એ જો ખુલ્યા હોત તો એમાં 12,000થી વધુ પ્રેક્ષકો બેઠા હોત. એ જોતાં, 12,000 ટિકિટોના વેચાણ ન થતાં જો ચેન્નઈમાં જ મૅચ રખાઈ હોત તો ક્રિકેટ બોર્ડે ઘણી કમાણી ગુમાવી હોત.

ત્રણ સ્ટૅન્ડ 2012ની સાલથી (સાત વર્ષથી) બંધ છે.

April 22, 2019
swami_narayan-1280x673.jpg
8min25450

સુરત સંસદીય બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 49.78 ટકા મતદાન થયું

સુરતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36.41 ટકા મતદાન

બપોરે 1 વાગ્યે નવસારી બેઠક પર 41.32 ટકા મતદાન

સુરતમાં 11 વાગ્યા સુધી 22.63 % ટકા મતદાન

સવારે 9 વાગ્યા સુધીમાં 10.08 ટકા મતદાન

 

દર મિનિટે 1675 સુરતીઓ મતદાન કરી રહ્યા છે, 360 મિનિટમાં 6.02 લાખ સુરતીઓનું મતદાન (બપોરે 1 વાગ્યા સુધી)

સુરત સંસદીય મત વિસ્તારમાં બપોરે એક વાગ્યા સુધીમાં કુલ 36.41 ટકા મતદાન નોંધાયું હોવાની સત્તાવાર માહિતી જિલ્લા ચૂંટણી તંત્રએ જાહેર કરી હતી.

બપોરે એક વાગ્યે પૂરી થયેલા મતદાનના પ્રથમ 6 કલાક દરમિયાન સુરતમાં 7 વિધાનસભા બેઠકો પૈકી 6,02,803 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરી દીધું હોવાના અહેવાલો મળ્યા હતા. કુલ 3.43 લાખ એટલે કે 38.53 ટકા પુરુષ મતદારોએ જ્યારે 2.59 લાખ સ્ત્રી મતદારો 33.94 ટકાએ મતદાન કરી ચૂક્યા હતા.

કુલ 360 મિનિટમાં 6.02 લાખ મતદારોએ મતદાન કરતા સુરતમાં પ્રત મિનિટે 1675 મતદારોએ મતદાન કરી રહ્યા છે. 11થી 1ના સ્લોટમાં મહિલાઓનું મતદાન અસાધારણ રીતે વધી જવા પામ્યું હતું.

સુરતમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીના મતદાનની 240 મિનિટમાં પ્રત્યેક મિનિટે 1560 સુરતીઓ મતદાન કરી રહ્યાના સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે. 240 મિનિટમાં કલ 3,74,724 સુરતીઓએ મતદાન કરી દીધું હતું.

સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીના પ્રથમ 4 કલાકમાં સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા મત વિસ્તારમાં થયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે. સુરત સંસદીય મત વિસ્તારમાં કુલ 16.55 લાખ મતદારો નોંધાયેલા છે એ પૈકી 3.74 લાખ મતદાતાઓએ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી દીધો હતો. સુરત શહેર જિલ્લામાં 2.23 લાખ ુપુરુષો અને 1.15 લાખ મહિલા મતદારોએ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લામાં સૌથી ઓછું મતદાન હોવાનું ખુદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મતદાન કરવામાં સવારે 11 વાગ્યા સુધીમાં સુરતીઓ મતદાન કરવામાં ધીમા જણાયા હતા.

  • ઓલપાડમાં 19.35 ટકા
  • સુરત પૂર્વમાં 18.89 ટકા
  • સુરત ઉત્તરમાં 22.35 ટકા
  • સુરત વરાછામાં 25.29 ટકા
  • સુરત કરંજમાં 23.76 ટકા
  • કતારગામમાં 25.53 ટકા
  • સુરત પશ્ચિમમાં 24.79 ટકા

શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજીઓએ મતદાન કર્યું એ વેળાની તસ્વીર

લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા રાજકોટના વર વધુ

રાજકોટમાં આજે જેમના લગ્ન થઇ રહ્યા છે એ જય મુગેશ્વર અને પૂજા મુગેશ્વર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. જો કે લગ્નની વિધિ પહેલા તેમણે લોકશાહીના પર્વની ઉજવણી કરી. વર વધુ બંનેએ સાથે મતદાન મથક પર પહોંચીને વોટ આપીને પોતાની ફરજ નિભાવી હતી.

સવારે 7થી 11 વાગ્યા સુધીમાં કેટલા પુરુષ અને સ્ત્રી મતદારોએ મતદાન કર્યું એની વિગત

સુરત શહેર જિલ્લામાં સવારે 9 કલાકે એટલેકે પહેલા બે કલાકમાં ફક્ત 10.08 ટકા મતદાન નોંધાયું હતું. મતદાનના બે કલાકના દ્વિતિય સ્પેલ એટલે કે 11 કલાકે મતદાન 24થી 26 ટકા વચ્ચે હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે, સત્તાવાર આંકડો જાહેર કરતા તંત્રવાહકો ભારે વિલંબ કરી રહ્યા છે.

સુરત શહેર જિલ્લાના ઘણાં બધા મતદાન મથકો પર પોલ વોટ તેમજ ચાલુ મતદાનએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ખોટકાયાની અનેક ફરીયાદો મળી હતી.

લિંબાયતના બુથ નંબર 160માં વોટિંગ મશીન ખોટકાતા મતદાન સવારે 9.45 કલાકે મતદાન શરુ થયાના અહેવાલો મળ્યા હતા.

કરંજ ખાતે આવેલા હિન્દી વિદ્યાલયના મતદાન મથકે મતદાન માટે ભારે ધસારો થતાં મતદાન મથકના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. વોટિંગ માટે આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. દરવાજા બંધ કરી દેવાનો વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ ગયો હતો.

સુરતમાં 7 વિધાનસભા વિસ્તારો પૈકી ક્યાં કેટલું મતદાન થયું  એના આંકડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. પ્રસ્તુત છે ન્યુઝ એજન્સી એ.એન.આઇ.એ કરેલી ટ્વીટ

મોદીએ મત આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા, રાજભવન પહોંચ્યા ત્યાંથી માતા ને મળવા ગયા અને પછી વોટિંગ કર્યું

સવારે રાજભવનથી નિકળીને મોદી સીધા રાયસણ ખાતે માતાના આર્શિવાદ લેવા પહોંચ્યા હતા. માતાને મળ્યા બાદ વૃંદાવન બંગ્લોઝ ખાતે સોસાયટીના રહીશોને પણ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન મથકે મતદાન પૂર્વે રાયસણ ખાતે 98 વર્ષીય માતા હીરાબાના આર્શિવાદ લીધા હતા. માતા હીરાબાએ પુત્ર મોદીને ગળ્યું મોં કરાવી આર્શિવાદ આપ્યા હતા તેમજ શ્રીફળ અને ચુંદડી સુકન રૂપે આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. તેમનો કાફલો આગળ રોકાવીને વડાપ્રધાનના સત્તાવાર વાહનને બદલે તેઓ ખુલ્લી જીપમાં રાણીપમાં મતદાન મથક સુધી આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમના પરિવાર સહિત રાણીમાં ઉપસ્થિત હતો. અમિત શાહ અને તેમના પરિવારે વડાપ્રધાન મોદીને મતદાન કેન્દ્ર પર આવકાર્યા હતા. ત્યારબાદ મોદી મતદાન કેન્દ્રની અંદર પ્રવેશ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.

સી.આઇ.એ. લાઇવ ફક્ત દક્ષિણ ગુજરાતની બેઠકો પર તા.23મીએ મતદાનની ગતિવિધિઓ, ન્યુઝ, ઘટનાઓ, જાણવા જેવી વાતો, ફોટા વગેરે સતત અપલોડ કર્યે રાખશે. આપે ફક્ત એક લિંક ક્લીક કરવાની રહેશે. ટેલિવિઝન સામે બેઠા વગર ફક્ત મોબાઇલમાં એક જ ક્લીકથી તમને સી.આઇ.એ. લાઇવ અપડેટ્સ મળતા રહેશે.

મહાનુભાવોએ મતદાન કર્યું, અમીત શાહ

નવસારીના ભાજપાના ઉમેદવાર સી.આર. પાટીલએ સવારે 7ના ટકોરે મતદાન કર્યું

Surat કલેક્ટર ડો. ધવલ પટેલે મતદાન કર્યું

કલેક્ટર સુરત ડો. ધવલ પટેલએ મતદાન કર્યું હતું

બારડોલીના ભાજપાના ઉમેદવાર પરભુ વસાવાએ મતદાન કર્યું

બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ મતદાન કર્યું

મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમના પત્નીએ મતદાન કર્યું

દર્શના જરદોષએ પરિવારના સભ્યો સમેત મતદાન કર્યું

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલએ મતદાન કર્યું

આજે લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન, 570 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 115 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 1621 ઉમેદવારોમાંથી 570 ઉમેદવાર સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.

ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી એફિડેવિટનો અભ્યાસ કરીને એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યા મુજબ કોંગ્રેસના 90માંથી 40 ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે ભાજપના 97માંથી 38 ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સૌથી ઓછા ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.

14 ઉમેદવારે વિવિધ અદાલતો દ્વારા તેમને સજા આપવામાં આવી હોવાની કબૂલાત એફિડેવિટમાં કરી છે.

જે ઉમેદવારો સામે ગુના નોંધવામાં આવ્યા છે તેમાંથી 13ની સામે હત્યાના, 29 સામે મહિલા પર અત્યાચાર જેમ કે બળાત્કાર, વિનયભંગ, હુમલો અથવા પતિ કે અન્ય સંબંધીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર જેવા ગુના નોંધવામાં

આવ્યા છે. ફક્ત 26 ઉમેદવાર સામે ભડકામણા ભાષણ કરવાનો ગુનો નોંધવામાંઆવ્યો છે.

ત્રીજા તબક્કામાં જે 115 બેઠક પર મતદાન થવાનું છે એમાંથી 63 બેઠકને રેડ એલર્ટની કેટેગરીમાં મુકવામાં આવી છે, કેમ કે આ મતદારસંઘોમાંથી ત્રણ કે વધુ ઉમેદવારો સામે ગુના નોંધવામાં આવ્યા છે.

ત્રીજા તબક્કાના ઉમેદવારોમાંથી 392 ઉમેદવારો પાસે અંગત સંપત્તિ કરોડોની છે. સમાજવાદી પાર્ટીના કુમાર દેવેન્દ્ર સિંહ યાદવે 204 કરોડની સંપત્તિ જાહેર કરી છે, બીજા ક્રમાંકે ઉદયનરાજે ભોંસલે

પાસે 199 કરોડની સંપત્તિ છે. એક કરોડથી વધુ સંપત્તિની જાહેરાત કરનારા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.95 કરોડ થવા જાય છે.

 

Date 22 April 2019

ગુજરાત-દ.ગુજ. નું ચૂંટણી ચિત્ર સમજાય જશે : આ ન્યુઝ વાંચી લો

  • Surat Report By Information Department
  • શાંતિપૂર્ણ, સરળતાથી અને સુગમ મતદાન માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ
  • લોકશાહીના પર્વમાં મતાધીકારનો ઉપયોગ કરી ફરજ અદા કરવા જિલ્લા ચુંટણી અધિકારીની અપીલ
  • ૧૮ થી ૧૯ વર્ષની વયના ૮૦,૨૬૬ યુવાનો જીવનનું પ્રથમ મતદાન કરશે
  • મતદાન મથકોમાં પીવાનું પાણી અને મેડિકલ ટીમની સુવિધાઃ
  • જિલ્લાના ૪,૫૩૨ મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયા માટે તાલીમબદ્ધ ૭૭૨૩ પુરૂષ અને
  • ૬૬૪૨ મહિલાઓ સહિત કુલ ૧૫,૬૬૩ કર્મચારીઓ તૈનાત
  • મહિલા સંચાલિત ૮૦ સખી મતદાન મથકો તેમજ દિવ્યાંગજન દ્વારા સંચાલિત ૧૬ મતદાન મથકો
  • સુરત જિલ્લાના કુલ ૪૨,૪૧,૭૯૧ મતદારો મતદાન પર્વની ઉજવણી કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે.
  • જીવનમાં સૌથી વધુ ચૂંટણીઓના સાક્ષી બનેલા સુરત જિલ્લાના ૩૫૫ શતાયુ મતદારો પણ મતદાન કરશે

રાજ્યમાં ૨૩મી એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત સુરત જિલ્લાની બેઠકો માટે જિલ્લા ચુંટણી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે, અને શાંતિપૂર્ણ, સરળતા મતદાન થાય તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ છે. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે જિલ્લાના મતાદરોને લોકશાહીના મહાપર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરી છે.

જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા લોકસભાની ચુંટણી સમયે ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાને લઇ મતદારો માટે પીવાનું પાણી, મેડિકલ ટીમ જેવી જરૂરી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આકસ્મિક સંજોગોમાં કોઈ કર્મચારી-મતદાતાને જરૂર પડે તો પ્રાથમિક સારવાર હેતુ મોબાઈલ મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સુરત જિલ્લાના કુલ ૪૨,૪૧,૭૯૧ મતદારો મતદાન પર્વની ઉજવણી કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે. જેમાં ૨૨,૯૫,૨૭૫ પુરૂષ મતદારો તથા ૧૯,૪૬,૪૦૧ મહિલા મતદારો તેમજ ત્રીજી જાતિના ૧૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ ૪૫૩૨ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સરળ ચૂંટણી પ્રક્રિયા માટે ૫૩૫૦ કંટ્રોલ યુનિટ, ૫૩૪૫ બેલેટ યુનિટ તથા ૪૯૫૩ વીવીપેટ (રિઝર્વ સહિત) ની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં લોકશાહીને વધુ મજબુત કરતા અને જીવનમાં સૌથી વધુ ચૂંટણીઓના સાક્ષી બનેલા સુરત જિલ્લાના ૩૫૫ શતાયુ મતદારો પણ મતદાન કરશે.

સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઓલપાડ, સુરત-પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, સુરત પશ્વિમ વિધાનસભા વિસ્તારોમાં કુલ ૧૬,૫૫૬૫૮ લાખ મતદારો જેમાં ૮,૯૧,૨૯૯ પુરૂષ મતદારો તથા ૪,૬૪,૩૦૦ મહિલા મતદારો તેમજ અન્ય ૫૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

જયારે ૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ બારડોલી, કામરેજ, મહુવા, કામરેજ અને માંડવી વિધાનસભાના ૧૩,૫૧,૪૯૩ મતદારો જેમાં ૭૦૧૨૬૫ પુરૂષ મતદારો તથા ૬૫૦૨૧૨ મહિલા મતદારો તેમજ ૧૬ અન્ય મતદારો મતદાનનો ઉપયોગ કરશે. જયારે ૨૫-નવસારી સંસદીયમાં સમાવિષ્ટ સુરતની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારોના ૭,૦૨,૭૧૧ પુરૂષ મતદારો અને ૫,૩૧,૮૮૯ મહિલા મતદારો તથા અન્ય ૪૦ મતદારો મળી કુલ ૧૨,૩૪,૬૪૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સુરતમાં કેટલા યુવા મતદારો

લોકસભાની ચુંટણીમાં સુરત જિલ્લામાં ૮૦,૨૬૬ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૮૦ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે, તેમજ ૧૬ મતદાન મથકો દિવ્યાંગજન દ્વારા સંચાલિત હશે. જિલ્લાના ૫,૦૦૦ થી વધુ દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા તથા ૨૧૧ અશક્ત મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે મતદાન મથકની માહિતી, ઓળખના માન્ય પુરાવાઓની યાદી, કઈ રીતે મતદાન કરવુ તેની માહિતી તથા અન્ય જરૂરી સૂચનાઓ પોસ્ટર દ્વારા મૂકવામાં આવશે.

સુરતમાં કેટલો પોલિંગ સ્ટાફ

લોકસભા સામાન્ય ચુંટણી દરમિયાન જિલ્લાના ૪૫૩૨ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી માટે રિઝર્વ સ્ટાફ સહિત ૪,૯૮૫ પ્રિસાઇડીંગ ઓફિસર, ૪,૯૮૫ આસિ. પ્રિસાઇડીંગ ઓફિસર(પ્રથમ પોલીંગ), ૧૧૯૩ પોલીંગ અને ૪૫૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ બજાવશે. આમ, તાલીમબદ્ધ ૭,૭૨૩ પુરૂષ અને ૬,૬૪૨ મહિલાઓ મળી કુલ ૧૫,૬૬૩ કર્મચારીઓને વિવિધ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

168 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત રહેશે

સુરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા વિસ્તારમાં ચુંટણી શાંતિપૂર્ણ અને સુદ્રઢ રીતે સંપન્ન થાય તેના ભાગરૂપે મતદાન પર બારીકાઈની નજર રાખવા માટે ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગમાં ૭૫ સહિત કુલ ૧૬૮ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર તહેનાત રહેશે. આ ઓબ્ઝર્વરો સવારે ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાનની ગતિવિધિઓ પર નજર રાખી સીધા મુખ્ય ઓબ્ઝર્વરને તમામ ચુંટણીલક્ષી વિગતોથી વાકેફ કરશે.

ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સંબંધિત જાણકારીની કુલ ૧૪,૪૦,૦૦૦ મતદાતા માર્ગદર્શક પુસ્તિકા મુદ્રિત કરી તેમનું બી.એલ.ઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ છે.

ચુંટણી સંબંધિત ફરિયાદ નિવારણ વ્યવસ્થાના ભાગરૂપે C-Vigil એપ્લીકેશન, NGRS, CPGRAMS તથા PG પોર્ટલ પરથી મળેલ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ૧૯૫૦ હેલ્પલાઇન પર ૩,૫૦૦ ફરિયાદો આવી હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે. સી-વિજિલ પર નોંધાયેલી ૧૪૨ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે કોઇ ફરિયાદ પેન્ડિંગ નથી એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સી.પી.પટેલ દ્વારા જણાવાયું છે.

૨૩મી એપ્રિલે આમ જનતા માટે મતદાન પ્રારંભ થાય તે પહેલા સવારે ૬.૦૦ વાગ્યે મોક પોલ યોજાશે. ત્યારબાદ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.

ચૂંટણી દરમિયાન ૧૯ એમ.સી.સી. ટીમ, ૪૯ ફ્લાઈંગ સ્કવોડ, ૪૮ સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જાહેર સ્થળોએ લગાવેલા રાજકીય સૂત્ર- જાહેરાતો હટાવવામાં આવ્યા હતા. મતદાતા જાગૃતિ માટે કાર્યક્રમ સ્વિપ- SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત મહિલા અને દિવ્યાંગ મતદારોની જાગૃતિ માટેના કાર્યક્રમો સહિત વિવિધ રચનાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.

સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત ઈ.વી.એમ.ડિસ્પેચીંગ/ રિસીવિંગ સેન્ટરોની મુલાકાત લઈ અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા ચુંટણી અધિકારીઃ

ડિસ્પેચીંગ સેન્ટરો સુરત સંસદીય મતદાર વિભાગના ૧૬૮૧ મતદાન મથકો પર

 ઈ.વી.એમ./વી.વી.પેટ મશીન સામગ્રી રવાના કરાઈઃ

કોઈપણ નાતજાત, ધર્મ જાતિના ભેદભાવ વિના લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચુંટણી અધિકારી ડો.ધવલ પટેલ

 લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તારોના મતદાન મથકો માટે ચુંટણીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ડિસ્પેચીંગ એન્ડ રિસીવીંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ/વીવીપેટ સહિતની સામગ્રીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ધવલ પટેલે તમામ સાત સેન્ટરોની મુલાકાત લઈને લોકશાહીના મહાપર્વમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજે મતદાનમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓની ટુકડીઓ ઈ.વી.એમ./વી.વી.પેટની સામગ્રી સુરત સંસદીય મતદાર વિભાગના ૧૬૮૧ મતદાન મથકોએ વાહનો દ્વારા રવાના કરવામાં આવી હતી.

નાનપુરા ખાતે આવેલી ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ૧૫૯-સુરત પુર્વના સેન્ટર ખાતે મીડિયાના પ્રતિનિધિઓને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પટેલે કોઈપણ નાતજાત, ધર્મ જાતિના ભેદભાવ વિના લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સુરત જિલ્લામાં ૪૨ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગો માટેની વ્યવસ્થાની વિગતો આપતા કહ્યું કે, દિવ્યાંગો માટે વ્હીલચેર, સહાયકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બ્રેઈલ મત પત્રો દરેક પોલિંગ મથકો પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હીટવેવને ધ્યાને લઈ દરેક ડિસ્પેચીગ સેન્ટરો પર આરોગ્યની ટીમો તહેનાત રહેશે.

Gujarat Data

વલસાડમાં જીતે તેની બને છે સરકાર
કહેવાય છે કે ગુજરાતની વલસાડ લોકસભા બેઠક જે જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. જ્યારે તે પહેલાની બે લોકસભા ચૂંટણીમાં વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.

રાજ્યમાં કુલ 26 બેઠકો
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જેમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

371 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય
રાજ્યની 26 લોકસભા બેઠકો માટે મંગળવારે મતદાન છે ત્યારે કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે. જેમના ભવિષ્યનો નિર્ણય 4 કરોડ 51 લાખ મતદાતાઓ કરશે.

બે મુખ્ય પક્ષોના 7 મહિલા ઉમેવારો મેદાનમાં
ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી માટે બે મુખ્ય પક્ષોએ સાત મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ભાજપે 6 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ 1 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. NCP તરફથી રેશમા પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો
ત્રીજા ચરણમાં દેશમાં જ્યાં જ્યાં મતદાન થવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો છે. જેમાં પૂનમ માડમ, અમિત શાહ, એ જે પટેલ, સી. આર. પાટિલનો સમાવેશ થાય છે.

2014માં મતદાનના આંકડા
2014 લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન થયું હતું. કુલ 63.66 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન 74.94 ટકા બારડોલી બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા થયું હતું.

1990 થી 2014નો મતદાતાઓનો મિજાજ
1990માં ભાજપને 20 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 5 અને જનતા દળને એક બેઠક મળી હતી.

1996
1996માં ભાજપને 16 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 10 બેઠકો મળી હતી.

1998
1998માં ભાજપને 19 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.

1999
1999માં ભાજપને 20 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી હતી.

2004
2004માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.

2009
2009માં ભાજપને 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠકો ગઈ હતી.

2014
2014માં ગુજરાતમાં તમામ બેઠકો ભાજપને મળી હતી.

ગુજરાતના વીઆઇપીઓ ક્યાં અને ક્યારે મતદાન કરશે

 

સુરત સંસદીય બેઠક

સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર 2017ની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોને વિજય થયો છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
સુરત ઉત્તર કાંતિભાઈ બલાર ભાજપ
વરાછા કુમાર કાનાણી ભાજપ
કારંજ પ્રવિણ ઘોઘારી ભાજપ
કતારગામ વિનોદ મોરડિયા ભાજપ
સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ

લોકસભા ચૂંટણીના ભૂતકાળના પરિણામો

2014માં સુરતથી મહિલા ઉમેદવાર દર્શના જરદોષને ફરીથી તક આપવામાં આવી હતી. જેમણે કોંગ્રેસના નૈષધ દેસાઈને 5 લાખ 33 હજાર 190 મતોથી હરાવ્યા હતા.

2009માં દર્શના જરદોષ પહેલી વાર દિલ્હીની દોડમાં સામેલ થયા અને કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાની હરાવી વિજેતા થયા.

2004માં ભાજપના કાશીરામ રાણાએ કોંગ્રેસના ચંદ્રવદન પીઠાવાલાને હરાવ્યા હતા.

દર્શના વિક્રમ જરદોષ સુરતના સાંસદ છે જેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. દર્શના જરદોષ લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. 1988માં તેઓ ભાજપની વૉર્ડ સમિતિના ઉપાધ્યક્ષ હતા. 1996માં તેઓ ભાજપના મહિલા મોરચાના સુરતના ઉપાધ્યક્ષ બન્યા હતા.

પક્ષમાં વિવિધ પદ પર કામ કર્યા બાદ તેઓ 2009માં લોકસભાની ચૂંટણી જીત્યા. 2010માં  પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહિલા મોરચામાં મહાસચિવના પદ પર કામ કરવાનો મોકો આપ્યો. 2014માં તેઓ ફરીવાર સાંસદ મળ્યા.

2019માં ભાજપે દર્શના જરદોષને ફરી તક આપી છે. જ્યારે કોંગ્રેસે અશોક અધેવાળને મેદાનમાં ઉતાર્યા છે. સુરત લોકસભા વિસ્તારમાં કુલ 14 લાખ 84 હજાર 68 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 80 હજાર 212 મહિલા અને 8 લાખ 3 હજાર 829 પુરૂષ મતદાતાઓ એ વાત નક્કી કરશે કે દર્શના જરદોષને કેટલી લીડથી જીતાડવાના.

વલસાડ બેઠક

એવું માનવામાં આવે છે કે જે પાર્ટી વલસાડ બેઠક જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. વલસાડના ભાવિ સાંસદ કોણ એ વિધાનસભા બેઠકોના મતદારો નક્કી કરશે. 7 વિધાનસભાઓ પૈકી 4 ભાજપા પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. અહીં નેક ટુ નેક સ્પર્ધા જોવા મળી રહી છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ડાંગ મંગળ ગાવિત કોંગ્રેસ
વાંસદા અનંતકુમાર પટેલ કોંગ્રેસ
ધરમપુર અરવિંદ પટેલ ભાજપ
વલસાડ ભરત પટેલ ભાજપ
પારડી કનુભાઈ દેસાઈ ભાજપ
કપરાડા જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ
ઉમરગામ રમણલાલ પાટકર ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

વલસાડ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ડૉક્ટર કે. સી. પટેલ વસલાડથી સાંસદ બન્યા હતા.તેમણે કોંગ્રેસના કિશનભાઈ પટેલને 2 લાખ 8 હજાર 4 મતોથી હરાવ્યા હતા. આ સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી.

2009માં કોંગ્રેસના કિશનભાઈ પટેલે ભાજપના ડૉક્ટર ડી. સી. પટેલને હરાવ્યા હતા. અને ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.

2004માં પણ વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. કોંગ્રેસના કિશનભાઈ પટેલે ભાજપના મણીભાઈ ચૌધરીને હરાવ્યા હતા. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.

વલસાડના સાંસદ કે સી પટેલ છે. જેઓ ગ્રેજ્યુએટ છે. જેઓ વ્યવસાયે ખેડૂત અને ડૉક્ટર છે.

 

કે સી પટેલ વર્ષ 1995માં ધારાસભ્ય બન્યા હતા. 1996માં તેઓ ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી બન્યા હતા. 2014માં લોકસભા ચૂંટણી જીતીને તેઓ પહેલી વાર સાંસદ બન્યા.

વખતે વલસાડ બેઠક પરથી ભાજપા ઉમેદવાર ડૉક્ટર કે. સી. પટેલ સામે કોંગ્રેસએ જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડમાં 7 લાખ 36 હજાર 988 મહિલા અને 7 લાખ 75 હજાર 073 પુરૂષ મતદાતા સાથે કુલ 15 લાખ 12 હજાર 62 મતદાતાઓ તા.23મી જુલાઇએ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

નવસારી બેઠક

2017માં નવસારી લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર ભાજપાના ઉમેદવારો જીત્યા હતા.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
લિંબાયત સંગીતા પાટિલ ભાજપ
ઉધના વિવેક પટેલ ભાજપ
મજુરા હર્ષ સંઘવી ભાજપ
ચૌર્યાસી ઝંખના પટેલ ભાજપ
જલાલપોર આર. સી. પટેલ ભાજપ
નવસારી પિયુષ દેસાઈ ભાજપ
ગણદેવી નરેશ પટેલ ભાજપ

2014 લોકસભા ચૂંટણીમાં ભાજપના સી. આર. પાટિલે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5 લાખ 58 હજાર 116 મતથી હરાવ્યા હતા.

2008માં પુનઃ સીમાંકન બાદ નવસારી સંસદીય બેઠક બની ત્યારથી સી.આર. પાટીલ સાંસદ

સી. આર. પાટીલ 1989માં ભાજપમાં જોડાયા હતા. 2008માં તેમને પક્ષના સુરત એકમના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009માં તેઓ પહેલી વાર અને 2014માં બીજી વાર સાંસદ બન્યા.

2014ની લોકસભા ચૂંટણી તેમણે 5 લાખ 58 હજાર 116 મતોથી વિક્રમી જીત મેળવી હતી. સી. આર. પાટિલ શહેરી વિકાસ માટે બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ રહી ચુક્યા છે.

2019માં આ વખતે ભાજપાએ સતત ત્રીજી વખત આ બેઠક પર સી.આર. પાટીલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાનમાં લઇને ધર્મેશ પટેલને સી.આર. પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ એ નક્કી કરશે કે સી.આર. પાટીલને કેટલી સરસાઇથી વિજેતા બનાવવા.

બારડોલી સંસદીય બેઠક

2008માં લોકસભાની બેઠકોનું પુનઃ સીમાંકન થયું ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. બારડોલી સંસદીય મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપાએ 4 અને કોંગ્રેસે 3 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું જોર વધુ દેખાય રહ્યું છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
માંગરોળ ગણપત વસાવા ભાજપ
માંડવી આનંદભાઈ ચૌધરી કોંગ્રેસ
કામરેજ વી. ડી. ઝાલાવાડિયા ભાજપ
બારડોલી ઈશ્વરભાઈ પરમાર ભાજપ
મહુવા મોહનભાઈ દોઢિયા ભાજપ
વ્યારા પુનાભાઈ ગામિત કોંગ્રેસ
નિર્ઝર સુનિલ ગામિત કોંગ્રેસ

લોકસભા ચૂંટણીના પરિણામો

બારડોલી લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 1 લાખ 23 હજાર 884 મતોથી હરાવ્યા હતા.

2009માં કોંગ્રેસને આ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના રિતેષકુમાર વસાવાને હરાવ્યા હતા.

પ્રભુભાઈ નાગરભાઈ વસાવા બારડોલીના સાંસદ છે. જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. યુવાન સાંસદોમાંથી એક પ્રભુભાઈનો વ્યવસાય ખેતી છે. તેમના પત્ની શિક્ષિકા છે.

પ્રભુભાઈ વસાવા 2007માં પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. જે બાદ 2014માં તેઓ પહેલી વાર લોકસભાના સાંસદ ચુંટાયા. પ્રભુભાઈ ખાદ્ય, ઉપભોક્તા અને જન વિતરણ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય છે.

2019 માટે અહીંથી ભાજપે ફરી પ્રભુભાઈ વસાવાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. 7 લાખ 84 હજાર 448 મહિલા અને 8 લાખ 29 હજાર 648 પુરૂષ મતદાતાઓ સાથે બારડોલીમાં કુલ 16 લાખ 14 હજાર 106 મતદારો છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

ભરૂચ સંસદીય બેઠક

ભરૂચ સંસદીય મત વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં એવો વિસ્તાર છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે જ્યારે ભરૂચમાં છોટુ ભાઇ વસાવાએ નોંધાવેલી ઉમેદવારીને પગલે ત્રિપાંખીયો જંગ ખેલાય રહ્યો છે.

ભરૂચ સંસદીય બેઠક વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પૈકી 4 પર ભાજપા, 2 પર કોંગ્રેસ જ્યારે એક પર છોટુભાઇ વસાવાની પાર્ટીનો વિજય થયો હતો.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
કરજણ અક્ષય પટેલ કોંગ્રેસ
ડેડિયાપાડા મહેશ વસાવા બીટીપી
જંબુસર સંજય સોલંકી કોંગ્રેસ
વાગરા અરુણસિંહ રાણા ભાજપ
જઘડિયા છોટુ વસાવા ભાજપ
ભરૂચ દુષ્યંત પટેલ ભાજપ
અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

2014માં કોંગ્રેસના જયેશભાઈ પટેલને 1 લાખ 53 હજાર 273 મતથી હરાવીને ભાજપના મનસુખ વસાવા સાંસદ બન્યા હતા.

2009માં પણ આ બેઠક ભાજપ પાસે જ હતી. ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના અઝીઝ ટંકારવીને હરાવ્યા હતા.

2004માં પણ મનસુખ વસાવાની જ ભરૂચ બેઠક પરથી જીત થઈ હતી.

પાંચ વાર સાંસદ રહી ચુકેલા મનસુખ વસાવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમનો વ્યવસાય કૃષિ અને સમાજ સેવા છે.

મનસુખ વસાવા કેંદ્ર સરકારમાં 2014 થી 2016 સુધી રાજ્યમંત્રી રહી ચુક્યા છે. 1994માં પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા અને નાયબમંત્રી પણ રહ્યા. 1998 થી સતત તેઓ સાંસદ છે.

2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપે ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી છે. જ્યારેકોંગ્રેસે શેરખાન અબ્દુલ શાકુર પઠાણને ટિકિટ આપી છે. ભરૂચમાં કુલ 14 લાખ 17 હજાર 548 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 82 હજાર 658 મહિલા જ્યારે 7 લાખ 34 હજાર 862 પુરૂષ મતદાતાઓ ત્રિપાંખીયા જંગમાં કોને વિજેતા બનાવે છે એ જોવું રહ્યું.