CIA ALERT

Slider Archives - Page 362 of 487 - CIA Live

April 30, 2019
vnsgu_logo.jpg
2min11850

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 733 / 2019
B.A. (FIFTH SEMESTER) Examination, MARCH – 2019
——————————————————————————-

The following candidates are hereby declared successful at the
B.A. (FIFTH SEMESTER)
Examination held by this University in MARCH – 2019

SUCCESSFUL Nos. :

2 3 4 6 7 8 10 11 12 14 15 16
18 20 21 22 23 24 25 26 31 32 35 36
37 41 44 45 50 52 55 56 57 58 60 61
63 64 67 71 72 73 76 77 78 80 81 82
87 90 91 92 93 95 97 98 99 100 102 103
106 109 111 112 113 115 116 117 118 119 120 121
123 124 129 130 131 132 136 137 139 144 146 147
148 149 151 153 154 155 156 158 159 161 163 173
174 177 178 180 181 183 184 185 186 187 191 194
196 197 199 200 202 203 204 205 206 207 208 209
210 212 214 215 218 219 220 222 224 225 226 227
228 229 231 232 234 237 238 241 245 248 249 250
254 256 257 259 267 271 274 275 276 277 278 279
280 282 283 284 287 288 289 290 293 295 302 303
304 305 306 308 309 310 314 315 317 320 323 324
326 331 332 333 334 335 340 341 344 346 347 348
349 367 368 369 370 371 372 373 374 380 382 384
385 386

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans : 79 104 296 298

TOTAL RESULT : 58.52 %
TOTAL PASS : 206
FAIL : 146
ABSENT : 30
RESERVE : 4

No. Exam/BA/6191/of 2019,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
30 April 2019

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

 

 

——————————————————————————-
Veer Narmad South Gujarat University Surat PAGE:- 1
Result Notification No. : 725 / 2019
B.Sc.(HOME SCIENCE)( FIFTH SEMESTER )(REGULAR & SELF FINANCE) Examination, MARCH-2019
——————————————————————————-
The following candidates are hereby declared successful at the B.Sc.
(HOME SCIENCE)( FIFTH SEMESTER ) Examination held by this University in MARCH-2019

PASS :

9001 9003 9004 9005 9007 9008 9009 9013 9014 9016 9017 9020
9021 9025 9033 9043 9045

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans :

9018

TOTAL RESULT : 37.78 %
PASS : 17
FAIL : 28
ABSENT : 1
RESERVE : 1
—————————————————————————————
The following candidates are hereby declared successful at the B.Sc.(HOME SCIENCE)
( FIFTH SEMESTER ) (SELF FINANCE)Examination held by this University in MARCH-2019

PASS :

9502 9505

TOTAL RESULT : 40.00 %
PASS : 2
FAIL : 3

No. Exam/BSC/6111/of 2019,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
29 April 2019

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

April 30, 2019
Narayan.jpeg
1min12110

સાધિકા પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત જેલમાં છેલ્લા પાંચેક વર્ષથી સબડી રહેલા આશારામનો રેપિસ્ટ પુત્ર નારાયણ સાઇને આજે આખરે સુરત સેસન્સ કોર્ટે સજા સંભળાવી હતી. સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કોર્ટે સજાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે નારાયણ સાઇને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ તેમજ તેના સહયોગીઓ સાધિકા બહેનો ગંગા, યમુના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર રમેશ મલહોત્રાને ને છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

  • કોર્ટના ચુકાદામાં શું શું
  • નારાયણ સાઇને આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ
  • ગંગા, યમુના અને હનુમાન, ત્રણેયને 10 વર્ષની કેદની સજા
  • ડ્રાઇવર રમેશ મલહોત્રાને 6 મહિનાની કેદની સજા અને રૂ.500નો દંડ
  • પીડીતાને રૂ.5 લાખની સહાય

ગત સપ્તાહે સેશન્સ કોર્ટે નારાણય સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેની સજાની સુનવણી આજે તા.30મી એપ્રિલ પર મુકરર કરી હતી. આજે સવારથી જ કોર્ટ સંકુલમાં નારાયણ સાઇના કેસના હિયરીંગને લઇને ઘણી ચહલપહલ જોવા મળી હતી. સાંજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

પાછલા 5 વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા આસારામના દીકરા નારાયણ સાંઈ સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો મને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. નારાયણની સાથે ગંગા, જમુના અને હનુમાન પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે. ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવવામાં આવી હતી. ફરીયાદના અનુસંધાને નારાયણ સાઇની લાંબા સમય સુધી શોધખોળ પોલીસે કરી હતી. છેવટે તા. 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી રેપિસ્ટ નારાયણ સાઇને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે.

April 30, 2019
rafale-fighter-1.jpg
1min7290

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

April 30, 2019
russel-1.jpg
1min14430

કોલકતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ આઇપીએલની એક સિઝનમાં પ0 છક્કા પૂરા કરનારો ફકત બીજો બેટસમેન બન્યો છે. આ પહેલા કેરેબિયન ઓપનર ક્રિસ ગેલે 2012ની સિઝનમાં પ9 અને 2013ની સિઝનમાં પ1 છક્કા ફટકાર્યાં હતા. રસેલના આ સિઝનમાં પ0 છક્કા થયા છે. આ સિઝનમાં ગેલ 32 છક્કા સાથે બીજા નંબર પર છે. રસેલે આઇપીએલના ગઇકાલના મેચમાં મુંબઇ સામે 8 છક્કાથી અણનમ 80 રન કર્યાં હતા. જેથી કોલકતાને સતત 6 હાર બાદ પહેલી જીત મળી હતી.
રસેલે 40 દડામાં અણનમ 80 રનની ઇનિંગ તેના જન્મદિનની પૂર્વ સંધ્યા પર રમી હતી. મેચ બાદ કેરેબિયન ઓલરાઉન્ડર રસેલની પત્ની જેસિમ સાથે આઇપીએલ ટી20 ડોટકોમ વેબસાઇટ પર વાતચીત કરી હતી. જેમાં રસેલે તેની પત્નીને પૂછયું કે હું આતશી છક્કા મારી રહ્યો હતો ત્યારે તને કેવું લાગી રહ્યંy હતું. જવાબમાં પત્ની જેસિમે કહ્યંy કે મને ખબર હતી કે ઇડન ગાર્ડન પર આ આખરી મેચ છે એટલે તું મોટી ઇનિંગ રમીશ તેવો વિશ્વાસ હતો. હું દરેક સિકસ પર રોમાંચિત બની જતી હતી. રસેલે એવું કહ્યંy કે હું દબાણમાં હતો. મારો જન્મદિન સાથે ખેલાડીઓ રાત્ર 12-00 પછી ઉજવવાના હતા. મારા પર પત્નીને ખુશ કરવાનું દબાણ હતું.
બાદમાં આંદ્રે રસેલનો જન્મદિન ખેલાડીઓએ હોટેલમાં મનાવ્યો હતો. રસેલ અત્યાર સુધીમાં 12 મેચમાં પ0 છક્કાથી કુલ 486 રન બનાવી ચૂકયો છે.
April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5380

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 30, 2019
eci_logo.jpg
1min6170

મધ્ય પ્રદેશમાં મહિલા સહિત ચૂંટણીની ફરજ પર નિમાયેલા ત્રણ સરકારી અધિકારીનાં મોત થયા હોવાની માહિતી મળી હતી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી એલ કાન્તારાવે સોમવારે જણાવ્યા અનુસાર સુનંદા કોટકર (50)ની નિમણૂક છિંદવાડા લોકસભા બેઠક માટે સૌંસાર વિસ્તારમાં આવેલા લોઢીખેડા મતદાન મથક પર કરવામાં આવી હતી, પણ રવિવારે એમને અચાનક બેચેની જણાઇ હતી. અન્ય ચૂંટણી અધિકારીઓ સાથે મતદાન મથક પર પહોંચેલા સુનંદાને અચાનક હૃદયરોગનો હુમલો થયો હતો અને એમને સારવાર અપાય એ અગાઉ જ એમનું અવસાન થયું હતું.

અન્ય કિસ્સામાં સિધી જિલ્લામાં મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત સબ-ઇન્સ્પેક્ટરનું સોમવારે હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું હતું.

ત્રીજા કિસ્સામાં બાલાઘાટ લોકસભા બેઠક માટે સિઓની ખાતે તહેનાત ચૂંટણી અધિકારીનું રવિવારે સાંજે બ્રેઇન હેમરેજને લીધે અવસાન થયું હતું.

રાજ્યની છ લોકસભા બેઠક – સિધી, શાહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંડવાડા માટે અને છિંદવાડાની વિધાનસભાની બેઠકની ઉપ-ચૂંટણી માટે સોમવારે મતદાન કરવામાં આવ્યું હતું.

April 29, 2019
VOTING11.jpg
1min5310

આજે તારીખ 29 એપ્રિલના રોજ સોમવારે ભારતમાં હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ મતદાન બહું જ મંદ ગતિએ શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા બાદ મતદાનમાં થોડી સ્પીડ જોવા મળી હતી.

આજે બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 6-6, મહારાષ્ટ્રની 17, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની 13-13 સીટો અને પશ્ચિમ બંગાળમાં 8 સીટો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે કુલ 42 સીટો પર પણ મતદાન ચાલી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં આજે દેશના 9 રાજ્યોની કુલ 71 સીટો પર યોજાઇ રહેલા મતદાનમાં  945 ઉમેદવારો નું રાજકીય ભાવી મતદારો નક્કી કરી રહ્યા છે.

સવારે 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી જારી રહેશે.

ચોથા તબક્કાના મતદાનમાં ઉત્તરપ્રદેશની કન્નૌજ, બિહારની બેગુસરાય અને મધ્યપ્રદેશની છિંદવાડાની સીટ પર લોકોની નજર રહેશે. રાજનૈતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાયની સીટ પર છે કે જ્યાં બીજેપી નેતા ગિરિરાજ સિંહની સામે સીપીઆઈના વિદ્યાર્થી નેતા રહી ચૂકેલા કન્હૈયા કુમાર મેદાનમાં છે.

April 29, 2019
fani.jpg
1min1234

દેશમાં એક તરફ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિક્રમી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વી રાજ્યોમાં આગામી બે દિવસમાં અતિશય વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભીષણ તોફાનમાં બદલાઈ શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતા મુજબ ચક્રવાત તમિલનાડુ નહીં પહોંચે, પરંતુ તેની અસરથી ઉત્તરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. આ પહેલા ચેન્નઈ સહિત ઉત્તર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના કરાઈ રહી હતી.

પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના

ચક્રવાતી તોફાન ફની આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાત તોફાન અને આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભયાનક તોફાન બની શકેછે. હવામાન વિભાગ મુજબ, પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર

ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકૃત માહિતી કહે છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના પડોશી વિસ્તારમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેની અસર નજીકના રાજ્યો પર પણ પડી શકે છે. બધા મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર કરાયું છે.

હવામાન વિભાગે કહ્યું કે ફની તમિલનાડુના તટને પાર કરવાની કોઈ સંભાવના નથી. બુલેટિનમાં કહેવાયું હતું કે રવિવારથી તમિલનાડુ, પોંડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી અને તેની આસપાસ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરીના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ પણ આપી છે.

April 29, 2019
patidar.jpg
1min6640

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં

ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્ત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્ત્વનું હતું. તા.23મી એપ્રિલ 2019ના રોજ પાટીદારોએ કઇ પાર્ટી કે કયા ઉમેદવાર તરફી મતદાન કર્યું એ વલણ હજુ સુધી અકળ રહ્યું છે. ભાજપા કે કોંગ્રેસ કોઇ કળી શક્યું નથી કે પાટીદારોએ કોને મત આપ્યા હશે, આ સસ્પેન્સ ભાજપા માટે રહસ્યમયી બન્યું છે. કોંગ્રેસને એવી આશા છે કે હાર્દિક પટેલ પાટીદારોના મત ખેંચી લાવશે પરંતુ, એ બાબતે ખુદ કોંગ્રેસી નેતાઓ અવઢવભરી વાતો કરી રહ્યા છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી વિધાનસભા અને જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોનો રોષનો સામનો કરવા પડ્યો હતો. હવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક સંપ થઇને નરેન્દ્ર મોદીને પડખે ઊભો રહેલો પાટીદાર સમાજ આ વખતે એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું કર્યું હશે તેની સમીક્ષા અને એનાલિસિસનો દૌર શરૂ થયો છે.

ભાજપા અને કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકોમાં ગુજરાતની ૨૬ બેઠકોના મતદાનમાં સવા કરોડથી વધુની વસતી ધરાવતા પાટીદારો કંઇ બાજુ ઢળ્યાં હશે ? એવા સવાલોના અકળાવનારા જવાબો પાર્ટી કાર્યકરો આપી રહ્યા છે, ભાજપા કે કોંગ્રેસ કોઇ છાતી ઠોકીને કહી શકતુ નથી કે પાટીદારોના મત ક્યાં પડ્યા હશે

પાટીદારોના પ્રભુત્ત્વવાળી બેઠકો પર કેટલેક ઠેકાણે વધારે તો કેટલીક બેઠકો પર ઓછું મતદાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પાટીદારોનાં કેટલાંક સંગઠનો દ્વારા આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિરોધનું પુનરાવર્તન કરવા માટે વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રુપ મિટિંગો યોજીને ભાજપને સબક શિખવવા માટેની અપીલો કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલો અને પ્રયાસો કેટલા સફળ થયા છે તેનું રહસ્ય ૨૩મી મેના રોજ મતગણતરી સાથે ખૂલશે.

પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે.

પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી સુરત, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો

ગુજરાતમાં શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓ પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં હોવાનું જણાયું છે ત્યારે પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર નાખીએ તો, ૨૦૧૪ ૨૦૧૯ મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૬૭.૦૩ ટકા જ્યારે ૨૦૧૯માં ૬૪.૯૧, ગાંધીનગર બેઠક પર ૨૦૧૪માં ૬૫.૫૭ અને ૨૦૧૯માં ૬૪.૯૫, બનાસકાંઠા બેઠ પર ૨૦૧૪માં ૫૮.૫૪ ટકા અને ૨૦૧૯માં ૬૪.૭૧, અમરેલીમાં ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા અને આ વખતે ૫૫.૭૩ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૨૦૧૪માં ૬૧.૫૯ અને ૨૦૧૯માં ૬૦.૭૭, રાજકોટ બેઠક પર ૨૦૧૪માં ૬૩.૮૯ અને ૨૦૧૯માં ૬૩.૧૨ અને આણંદ બેઠક પર ૨૦૧૪માં ૬૪.૮૯ ટકા અને ૨૦૧૯માં ૬૬.૦૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.

પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો ૨૩મી મેના રોજ પરિણામ આવતા વાસ્તવિકતા જોવા મળશે.

ગુજરાતમાં ફક્ત બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૬ ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી હતી. અમિત શાહે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ ૫ બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કૉંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકિટ ફાળવેલી છે. જે જોતા ટિકિટ ફાળવણીમાં ભાજપ કરતા કૉંગ્રેસનો આંકડો વધુ દેખાય છે. આ ઉપરાંત ભાજપ માટે મુશ્કેલ મનાતી બનાસકાંઠા ૬૪.૭૧ પાટણ ૬૧.૨૩ મહેસાણા ૬૪.૯૧ સાંબરકાંઠા ૬૭.૦૩ સુરેન્દ્રનગર ૫૭.૭૯ જુનાગઢ ૬૦.૭ અને અમરેલી બેઠક પર ૫૫.૭૩ ટકા મતદાન થયું છે.

April 29, 2019
water_cut.jpg
1min11020

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.