
સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો 6ઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ તા.23મી ડિસેમ્બર 2018ના રોજ યુનિવર્સિટી સંકુલમાં શાનદાર રીતે સંપન્ન થયો હતો. માલિબા કેમ્પસમાં ચાલતી વિવિધ ફેકલ્ટીઓની કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર સાથે દિક્ષા આપીને વ્યવહારુ દુનિયામાં પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(6th Convocation of Uka Tarsadia University)

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહના અધ્યક્ષ પદે સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના કમિશનર શ્રી ડો.હેમંતભાઇ જી. કોશીયા, શ્રી બળદેવભાઇ ઠાકોર અને શ્રી નારણભાઇ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની તેમના માતા-પિતા, પરિવારજનો, ફ્રેન્ડ્સ તેમજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(Anthem of UTU)
Value based Education at Uka Tarsadia University
Posted by Uka Tarsadia University -Maliba Campus on Thursday, 18 December 2014
(Uka Tarsadia Univeristy Convocation held at the Maliba Campus on 23-12-2018)

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું. શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
















લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.
આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.
સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.
બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
પ્રાથમિક તસ્વીરો

સમય બપોરના 3 વાગ્યાનો બદલીને સવારે 11નો કરાયો

પરીક્ષા પૂર્વે જ પેપર લીક થઇ જતા ગઇ તા.2જી ડિસેમ્બર 2018ના રોજ છેલ્લી ઘડીએ રદ કરાયેલી લોકરક્ષક (પોલીસ જવાન) ભરતીની પ્રવેશ પરીક્ષા હવે તા.6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. આ અંગેની હોલ ટિકીટ જારી કરી દેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો જે હવે સવારે 11નો કરી દેવામાં આવ્યો છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીક્ષા આપનારા ઉમેદવારોને મુસાફરી ભથ્થું આપવાની કરેલી જાહેરાતનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં હોલ ટિકીટમાં કરવામાં આવ્યો નથી.
સ્પર્ધકના રહેઠાણના જે તે જિલ્લામાં કે તાલુકામાંના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર હોય નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાના બદલે ભૂલનું પુનરાવર્તન કરી ફરીથી તેઓને અગાઉના સ્થળે જ 200 થી 400કિમી.દૂર મોકલી પરીક્ષા આપવા મજબૂર કર્યા છે. જેઓને કોલ લેટરમાં અગાઉનો માથે પડેલો ભાડાખર્ચ કે હવે ચૂકવવા પડનારા બીજા ભાડાદર ચૂકવવાની ભરતી બોર્ડે કોઈ સૂચના આપી નથી કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ આવવા-જવાના બસભાડા આપવાનું કે તેઓએ ચુકવેલ ભાડું પરત આપવાની જાહેરાત કરેલી જેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. એટલે સ્પર્ધકોએ વહેલી સવારે નીકળી ઠંડીભરી સવારમાં 8-30 કલાકે જે તે કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું છે અને 10:30 પછી પ્રવેશ પ્રતિબંધ છે.
પરીક્ષાર્થીઓનું એવું કહેવું છે કે અમને જે તે પરીક્ષા કેન્દ્રમાં જ ઓછામાં ઓછા 1000 રૂપિયાની તક્ષણ રાહત ચૂકવવાના આદેશ રાજ્ય સરકારે કરવા જોઈએ, નહીંતર પરીક્ષા પૂરી થયા બાદ સરકારી તંત્ર ટલ્લે ચડાવશે. બીજી ડિસેમ્બરના રોજ જે તે શાળા-કેન્દ્ર આચાર્યને બે દિવસના મળી પંદરસો રૂપિયા સુપરવાઇઝરને 375 અને પાણી- પટાવાળાને રૂ.225 લેખે ચુકવણું કરેલ જે ખર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ ફરી ચૂકવવાના થશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018ના દરમિયાન લેવામાં આવેલી યુપીએસસી મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. (ફોરેન સર્વિસ) એટલે કે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે મેઇન્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનું નામ સાથેનું લિસ્ટ અત્રે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
The UPSC on Thursday, 20 December 2018, released the results of the civil services (main) examination 2018 held in September-October for selection to the Indian Administrative Service, Indian Foreign Service, Indian Police Service, among other central services.
Civil Services (Main) Examination Result (with name)
On basis of the results, the successful candidates have qualified for the personality test for selection to the IAS, IFS, IPS and other central services (Group A and Group B), an official statement said. Candidature of these candidates is provisional subject to them being found eligible in all respects.
The candidates will be required to produce the original certificates in support of their claims pertaining to age, educational qualifications, community, person with benchmark disability (PwBD), among others, at the time of their personality tests.
The results for the civil services (main) examination 2018 may be seen in the official website http://www.upsc.gov.in
The mark sheets of candidates who have not qualified will be put on the Commission’s website within 15 days from the date of publication of the final result (after conducting personality test) and will remain available for 30 days.
Personality test of these candidates is likely to commence from February 4, 2019. Personality tests will be held at the office of the Union Public Service Commission at Dholpur House, Shahjahan Road, New Delhi-110069.
ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️
પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.
⭕ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક⭕
ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે
✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.
✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮
✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************
નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.
વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે જયારે વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાય છે. વર્ગ-૩ ની પરીક્ષામાં પ્રાથમિક કસોટી તથા પરીક્ષા નિયમોની જોગવાઈ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે. આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય છે જયારે મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય છે.
પ્રાથમિક કસોટી પૂરી થયાના ગણતરીના કલાકોમાં OMR
આયોગ દ્વારા ડીસેમ્બર-૧૬ પછીથી યોજાયેલ તમામ પ્રાથમિક કસોટીઓની OMR પરીક્ષા પુર્ણ થયાના ગણતરીના કલાકોમાં આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો પરીક્ષા રાજયવ્યાપી હોય તેવા કિસ્સામાં ૨૪ કલાકમાં OMR વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં સંપન્ન થયેલ વર્ગ-૧ અને ર ની પ્રાથમિક કસોટી ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં સવારે ૧૧ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આયોગની કચેરીથી ઘણાં દૂર અંતરે આવેલા ડાંગ-આહવા કે ભૂજ ખાતે જો પેટા કેન્દ્રો હોય તે પેટાકેન્દ્રો પરથી જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર OMR ઉત્તરવહીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચાડવામાં આવી અને જિલ્લા કેન્દ્રો ખાતેથી આયોગની કચેરી ખાતે લાંબા કિ.મી. નું અંતર કાપી અને આ OMR ઉત્તરવહીઓ આયોગની કચેરી પર લાવવામાં આવી હતી અને કચેરી ખાતે તાત્કાલિક તેનું સ્કેનિંગ કરીને બીજા દિવસે સવારમાં કેટલાક ઉમેદવારો પરીક્ષાના સખત થાકને લીધે નિંદ્રાધીન હતાં તેવી વેળાએ સવારે ૧૦.૦૦ કલાકે આયોગની વેબસાઇટ પર આ OMR અપલોડ કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પારદર્શિતાનો આ એક બેજોડ નમૂનો છે.
તંત્રને શું તકલીફો ઉપસ્થિત થાય
સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે. OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજુઆત પણ કરતાં હોય છે અને આયોગ આ રજુઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે. જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોય શકે ! સમગ્ર પરીક્ષાના સંચાલનમાં આયોગના અધિકારીઓની મહેનત કાબિલેતારીફ છે, સરાહનીય છે.
પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key
આયોગ દ્વારા યોજાતી પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key અને એ પછી પરિણામ પ્રસિદ્ધ કરતા પહેલા આયોગની વેબસાઇટ પર Provisional Answer Key મૂકવામાં આવે છે. આ Provisional Answer Key પર ઉમેદવારોના વાંધાઓ મંગાવવામાં આવે છે અને એના માટે ૧૦ કામકાજના દિવસ જેટલો સમય આપવામાં આવે છે. વાંધા મંગાવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ વાંધાઓ એકાદ અઠવાડિયામાં સંકલિત કરી વિષયવાર નિષ્ણાંતોને મોકલવામાં આવે છે. વિષય નિષ્ણાંત ઉમેદવારોના વાંધાઓ અને તેની સાથે રજૂ કરેલ સ્ત્રોતની ખરાઇ કરી પોતાનો અભિપ્રાય આપતા હોય છે. જરૂર જણાયે કેટલીક વખત આયોગ વધારાના વિષય નિષ્ણાંતનો પણ અભિપ્રાય લે છે. વાંધાઓની સંખ્યાને જોઈને વિષય નિષ્ણાંત માટે ૧૦-૧૫ દિવસ નો સમય જરૂરી છે. એક સાથે ઘણી બધી પરીક્ષાની પ્રક્રિયા આયોગ ખાતે સમાંતર ચાલતી હોય છે. છેલ્લા ૩ વર્ષમાં ૨૦૦ કરતા વધુ પરીક્ષા આયોગે લીધી છે અને આશરે ૧૦,૦૦૦ જેટલા અધિકારીઓને પસંદ કરી સરકારને ભલામણ કરી છે.
જયાં સુધી જા.ક્ર. ૪૦/૧૮-૧૯ ગુજરાત મુલ્કી સેવા તથા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ર નો સવાલ છે ત્યાં સુધી જુલાઇ ૨૦૧૮ માં જાહેરાત પ્રસિદ્ધ કરતી વખતે જણાવવામાં આવેલ કે આ જગ્યાની પ્રાથમિક કસોટી તા.૨૧.૧૦.૧૮ ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ સંભવતઃ ડીસેમ્બર-૨૦૧૮ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન -૨૦૧૯ માં પ્રસિદ્ધ કરવામાં આવશે અને રૂબરૂ મુલાકાત જુલાઇ-૨૦૧૯ માં ગોઠવામાં આવશે. આ જાહેરાત અન્વયેની પ્રાથમિક કસોટી જાહેરાતમાં જણાવેલ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવેલ છે. બાકીના તબકકાઓ પણ નિર્ધારિત સમયમર્યદામાં જ પુર્ણ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે ડિસેમ્બર શરુ થાય છે એમ સમજી કેટલાંક વીરલાઓએ તો તા. ૩૦ નવેમ્બરે રાત્રે ૧૧.૫૯ મિનિટે પરિણામ કયારે આવશે તેની Tweet પર પૃચ્છા કરવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જા.ક્ર. ૯/૧૪-૧૫ ના ઉમેદવારો કે જેઓ અત્યારે નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન અધિકારી કે ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવી રહ્યાં છે તે ઉમેદવારોએ પણ આખરી પરિણામ તા. ૩૧, મે ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થવાનું હતું પરંતુ એક લીટીગેશન ના કારણે ૩૧મી મે એ પરિણામ પ્રસિદ્ધ કરી શકાય તેમ ન હતું તે જાણતા હોવા છતાં તો પણ લગભગ રાત્રે ૧૨ થી ૨ ની વચ્ચે સીન્ડીકેટ બનાવી અને ૧૫૦ થી ૨૦૦ Tweet કરેલ.
કયારેક કયારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વર્તમાન પેઢીની મને ઇર્ષા આવે છે કે અમારી પેઢી વીસમી સદીના છેલ્લા દસકાના ઉત્તરાર્ધમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે GPSC ની જાહેરાત કયારે આવશે ? પરીક્ષા કયારે લેવાશે ? GPSC ની ઓફિસ કયાં છે ? GPSC ના ચેરમેન કોણ છે ? આવી કોઇ પણ માહિતી ન હતી ક્યાં તો ગતાગમ ન હતી. જયારે એકવીસમી સદીના બીજા દસકામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરનાર ઉમેદવારો પાસે પુર્વ નિર્ધારિત પરીક્ષા કાર્યક્રમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાત્રે ૧૨ વાગ્યે કે ૨ વાગ્યે જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ને પરિણામ કયારે પ્રસિદ્ધ કરશો એવું Tweet કરી પૂછી શકાય છે. ૨૦ મી સદીમાં હિંસાના જે પ્રકારો હતાં તેમાં ૨૧ મી સદીમાં એક હિંસાનો ઉમેરો થયો છે અને તે છે ડીજીટલ હિંસા. રાત્રે ૧૨ થી ૨ વચ્ચે બીપ…બીપ…કરીને Twitter પર ૧૦૦-૨૦૦ નોટિફિકેશન નોટીફાય કરવા એને હિંસા ગણવી કે નહીં તે બાબતમાં હજુ અવઢવમાં છું. પણ હું તમામ બાબતોને હકારાત્મકતાથી મૂલવું છું.આ પેઢીના યુવાનો તકની રાહ જોય રહ્યા છે તક મળ્યેથી પોતાની જવાબદારી નીભાવવા માટે ઉત્સુક છે. ભવિષ્યમાં સરકારી અધિકારી બન્યા પછી પણ આવી જ તત્પરતા રાખશે અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે પણ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તત્પર રહેશે એવા હકારાત્મક વિશ્વાસ સાથે આનંદની લાગણી અનુભવું છું.
16 ડિસેમ્બર 2018ના રોજ લેવાનારી પરીક્ષાના ઉમેદવારો જોગ
આગામી ૧૬ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ જયારે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારીની પ્રાથમિક કસોટી યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. જેટલી ઉમેદવારો ઓછી ભૂલો કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય. સૌ ઉમેદવારોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ….
સાભાર ઃ શ્રી દિનેશભાઇ દાસાની ફેસબુક પોસ્ટ…ગુજરાતના યુવાઓના વિશાળ હિતમાં પ્રકાશિત