CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 36 of 53 - CIA Live

May 29, 2019
neet.jpeg
1min12150

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8330

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ

 

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12310

જયેશ બ્રહ્મભટ્ટ

આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ  294 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. એ-વન ગ્રેડ હાંસલ કરનારા કેટલા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એ અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા વહેલી સવારથી જ ગ્રાસરૂટ સરવે શરૂ કર્યા છે અને જેમ જેમ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની માર્કશીટની ઇમેજ સાથે અમને માહિતી મોકલવામાં આવી રહી છે તેમ તેમ અમે એ-વન ગ્રેડર્સની યાદી અપડેટ કરતા રહીએ છીએ.

એ-વન ગ્રેડ હાંસલ કરવો કે કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી

સુરત શહેર જિલ્લામાં અંદાજે 550થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે ધો.11-12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિવિધ પ્રવાહોનું શિક્ષણ આપી રહી છે, જેમાંથી વધુમાં વધુ 35 સ્કુલો હોય છે જેના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શકે છે. એ-વન ગ્રેડ હાંસલ કરવો અને કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ ટોચના એક ટકામાં આવતા હોય છે જેઓ સમગ્ર ગુજરાતના ટોપર્સ કહેવામાં આવે છે.

સ્કુલનું નામ                                                  વિસ્તાર                     એ-વન ગ્રેડ

આશાદીપ ગ્રુપ                                          નાના વરાછા                    64

આઇ.એન.ટેકરાવાળા શાળા                  પાલનપુર પાટીયા                14

તપોવન ગ્રુપ                                                    વરાછા                         12

ભૂલકાભવન સ્કુલ                                        અડાજણ રોડ                   11

મૌની ઇન્ટનરનેશનલ સ્કુલ                            ઉત્રાણ                           10

લુર્ડઝ કોન્વેન્ટ સ્કુલ                                અઠવાલાઇન્સ                       09

સંસ્કારભારતી વિદ્યાલય                                તાડવાડી                        08

અંકુર હાઇસ્કુલ                                              હીરાબાગ                       07

ભૂલકા વિહાર શાળા                                      પાલ                               06

જીવનભારતી વિદ્યાલય                                  નાનપુરા                         06

વનિતા વિશ્રામ                                               અઠવાગેટ                      05

એલ.પી.ડી.પૂણા હાઇસ્કુલ                         પૂણા ગામ                         05

પી. પી. સવાણી સ્કુલ                                     હીરાબાગ                      05

ડાયમંડ ગર્લ્સ સ્કુલ                                      વરાછા રોડ                        04

જ્ઞાનજ્યોત વિદ્યાલય                                 ગોદાડરા                              04

પીપી સવાણી સ્કુલ                                        અબ્રામા                          04

કેસી કોઠારી માધ્ય. શાળા                           હીરાબાગ                          03

વી.એન. ગોધાણી કન્યા વિદ્યાલય                 કતારગામ                        03

સિંધુ સેવા સમિતિ સ્કુલ                               અડાજણ                           03

લીલાબા કન્યા વિદ્યાલય                             લાલદરવાજા                       03

સીસી શાહ ઇંગ્લિશ મીડીયમ                     પાર્લે પોઇન્ટ                       03

નિલ માધવ વિદ્યાલય                               નાના વરાછા                         02

ઉમરીગર ઇંગ્લિશ મીડીયમ સ્કુલ                     ઉમરા                            02

સરસ્વતી વિદ્યાલય                                        અડાજણ                         02

લીયો સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ             ઉધના                           02

ડી.આર. રાણા વિદ્યાસંકુલ                        પાલનપુર પાટીયા                02

ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ                કતારગામ                     02

એલ.પી. સવાણી વિદ્યાભવન                            અડાજણ                     02

ભૂલકાસાગર વિદ્યાલય                                  વરાછા રોડ                       02

સ્વામીનારાયણ એચ.વી વિદ્યાલય                  અડાજણ                        02

ડીજીટલ શુભલક્ષ્મી હાઇસ્કુલ                           પૂણાગામ                      02

શિશુકુંજ હાઇસ્કુલ                                           પૂણાગામ                      02

ગુરુકૃપા વિદ્યાસંકુલ   હિન્દી મિડીયા ગુજ              ઉધના                      01

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ             પાર્લે પોઇન્ટ                     01

પ્રેસિડેન્સી સ્કુલ                                              અડાજણ                         01

ગજેરા વિદ્યાભવન ગુજ.મા.                             ઉત્રાણ                           01

સ્વામીનારાયણ ગુરુકુળ                              સિંગણપોર                        01

એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ                   પાલનપુર પાટીયા               01

વશિષ્ઠ વિદ્યાલય                                          વાવ-કામરેજ                      01

સંસ્કારદીપ વિદ્યાલય                                   મોટા વરાછા                      01

ટી.એન્ડ ટી.વી. સાર્વ. વિદ્યાલય                    ગોપીપુરા                         01

કેએલએસ બાલાજી ગર્લ્સ સ્કુલ                       ગોપીપુરા                        01

અક્ષરજ્યોતિ હાયર સ્કુલ                                કતારગામ                       01

પ્રેરણા હાઇસ્કુલ                                            પૂણાગામ                         01

ક્રિષ્ણા સ્કુલ                                                  પૂણાગામ                          01

હરેકૃષ્ણ વિદ્યાલય                                         યોગીચોક                          01

યુનિટી પબ્લિક સ્કુલ                                        કામરેજ                          01

ભક્તિ ઇન્ટરનેશનલ                                        પાસોદરા                       01

અંબાબા ગર્લ્સ સ્કુલ                                        હરીપુરા                          01

વશિષ્ઠ હાઇસ્કુલ                                              પૂણાગામ                       01

આર.કે. વિદ્યાભવન                                      પૂણાગામ                          01

સરસ્વતી વિદ્યાલય                                     અશ્વનિકુમાર રોડ                01

એસ્પાયર પબ્લિક સ્કુલ                                   મોટા વરાછા                   01

આપની શાળાના ધો.12 એ-વન ગ્રેડર્સની માહિતી અહીં ન હોય તો અમને સ્કુલનું નામ અને વિદ્યાર્થીની માર્કશીટની ઇમેજ 98253 44944 નંબર વ્હોટ્સએપ કરો

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21790

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેરનું ધો.10નું પરીણામ આ વખતે અભૂતપૂર્વ રહ્યું છે. એ-વન ગ્રેડમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 1009 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યા છે જે નભૂતો ન ભવિષ્યતી જેવું છે. બોર્ડના ઇતિહાસમાં કોઇ જિલ્લાએ બોર્ડની કોઇપણ પરીક્ષામાં ચાર ડિજિટમાં એ-વન રેન્ક હાંસલ કરી શક્યા નથી.

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.10ના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ-વન રેન્ક હાંસલ કર્યા હતા.

સુરતના 1009 એ-રેન્કર્સમાં 99 તો એકલી નાના વરાછાની આશાદીપ ગ્રુપના હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓમાં પીપી સવાણી સ્કુલના 83 વિદ્યાર્થીઓ સાથે દ્વિતિય ક્રમે રહી છે.

સુરતમાં ધો.10માં એ ગ્રેડ મેળવનારી શાળાઓ અને એ-ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

નોંધ. જે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યાં અહીં અમને સત્તાવાર રીતે મળી છે તેમનો જ સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓએ તેમની માહિતી 098253 44944 પર મોકલી આપવી.

 

સ્કુલનું નામ                એ-વન ગ્રેડની સંખ્યા

આશાદીપ ગ્રુપ                   99

પીપી સવાણી ગ્રુપ              83

મૌની ગ્રુપ                           31

જે.બી. એન્ડ કાર્પ સ્કુલ        35

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સ       34

ભૂલકા વિહાલ સ્કુલ            30

કૌશલ વિદ્યાભવન              29

સંસ્કારભારતી વિદ્યાલય      27

એલ.પી. સવાણી સ્કુલ          27

તપોવન ગ્રુપ                        25

અંકુર-અર્ચના ગ્રુપ ઓફ સ્કુલ્સ   20

સ્વામીનારાયણ ગુરુકુળ      19

સુરત ડાયમંડ ગર્લ્સ              16

સદભાવના ગ્રુપ સ્કુલ્સ          16

ભૂલકા ભવન સ્કુલ                15

વશિષ્ઠ ગ્રુપ                           15

આઇ એન ટેકરાવાળા          13

યોગી પ્રવૃતિ વિદ્યાલય          12

સુમન હાઇસ્કુલ્સ                  12

એલપીડી પૂણા સ્કુલ             11

ડીઆર રાણા સ્કુલ               11

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ    11

સંસ્કારદીપ વિદ્યાલય            09

લિયો ગ્રુપ ઓફ સ્કુલ્સ          09

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ              09

વનિતા વિશ્રામ સ્કુલ સુરત    09

માધવબાગ વિદ્યાભવન        08

ઉત્તર ગુજરાત કેએસકે વિદ્યાલય  08

વીએન ગોધાણી કન્યા          07

શારદા વિદ્યાભવન               06

દીપદર્શન વિદ્યાસંકુલ           06

ગુરુકૃપા વિદ્યાસંકુલ              06

એસ્પાયર સ્કુલ                     06

શિશુવિહાર સ્કુલ                 05

જીવનભારતી કુમારભવન     05

બચકાણીવાલા વિદ્યામંદિર   04

દક્ષિણામૂર્તિ વિદ્યાલય          04

પ્રેસિડેન્સી સ્કુલ                    04

ધર્મજીવન સ્કુલ, એકેરોડ       04

સરસ્વતી વિદ્યાલય               04

બાયોનિક્સ સ્કુલ                 04

નોબલ ગ્રુપ                          04

લોકમાન્ય વિદ્યાલય              04

દિવ્યજીવન જોથાણ            03

માતૃભૂમિ વિદ્યાભવન           03

અંકુર સ્કુલ   કતારગામ        03

સાધના ગર્લ્સ સ્કુલ               03

આર.કે. વિદ્યાભવન             03

પ્રેરણા સ્કુલ                         02

વષિષ્ઠ જેનેસીસ                   02

વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ        02

સિવિલાઇજ્ડ મોડર્ન સ્કુલ     02

અક્ષરદીપ વિદ્યાલય,નાના વરાછા    02

વિદ્યાકુંજ                            02

લીલાબા સ્કુલ                      01

રાદડીયા સ્કુલ                      01

ઉમરીગર મેમો. સ્કુલ            01

મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ            01

કેટલાઇઝર સ્કુલ                    01

કેજી ભીંગરાડીયા શાળા          01

વિઝડમ સ્કુલ                          01

બાલાજી ગર્લ્સ સ્કુલ                 01

May 21, 2019
ssc.jpg
1min10770

જયેશ બ્રહ્મભટ્ટ

હોંશિયાર વિદ્યાર્થીઓને ખેંચી લાવવા માટે પહેલા ટ્યુશન ક્લાસીસો અને હવે સ્કુલોએ એ-વન વિદ્યાર્થીઓને સાવ મફતમાં ભણાવવા અંગે કરેલી જાહેરાતો 2019ના ધો.10ના પરીણામ સાથે જ ટ્યુશન અને સ્કુલોના સંચાલકોના ગળે ગાળીયાની જેમ ફીટ થઇ ગઇ છે. ઇનામી ફંડા આ વખતે ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકો માટે આર્થિક ફંદા બની જાય તેવી સ્થિતિ છે.

આજે સવારે જેમ જેમ સ્કુલોના પરીણામોમાં એ-વન ગ્રેડ નીકળતા જતા હતા તેમ તેમ ટ્યુશન ક્લાસીસો અને કેટલીક સ્કુલોના સંચાલકોના બ્લડ પ્રેશર વધતા ગયા હતા, કેમકે એ-વન વાળાને એકપણ રૂપિયો લીધા વગર ભણાવવાની જાહેરાતો અનેકે કરી છે.

સુરતમાંથી અભૂતપૂર્વ રીતે 1009 એ-વન ગ્રેડ આવ્યા છે. આવી ઘટના ગુજરાત બોર્ડ માટે પણ પહેલી વખતબની છે જેમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓની કોઇ એક જિલ્લાની સંખ્યા ચાર આંકડાને પાર કરી ગઇ હોય

સુરતમાંથી કુલ 1009 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. આ બધા જ વિદ્યાર્થીઓને જાણીતા અને જેમણે અગાઉથી જાહેરાતો કરી છે એ મુજબની સ્કુલ અને ટ્યુશનમાં બિલકુલ ફ્રી ભણાવવામાં આવશે. આ ગણતરી જોઇએ તો ટ્યુશન ક્લાસીસોમાં ધો.12ના ટ્યુશન તેમજ જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે પરીક્ષાના ટ્યુશન મળીને વાર્ષિક ફી વિદ્યાર્થી દીઠ રૂ.50 હજારથી એક લાખ સુધીની આવે છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો આ વખતે કરોડો રૂપિયાની ખોટ સ્કુલો અને ક્લાસીસોએ કરવી પડે તેમ છે.

શહેરના કેટલાક ધંધાદારી ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકોએ એ-વન ગ્રેડવાળાને ધો.11-12 સાયન્સ, કોમર્સમાં ફ્રી ભણાવવાની જાહેરાતો કરી છે, ધો.11-12ની સ્કુલ ટ્યુશનની એવરેજ ફી રૂ.1 લાખ જેટલી થાય છે ત્યારે 1009 એ-વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ભણાવવાનો ટોટલ ખર્ચો રૂ.10 કરોડને આંબી જશે

આમ સુરતના એ-વન ટોપર્સની વાત કરીએ તો તેમણે ઝળહળતું પરીણામ મેળવીને ધંધાદારી ટ્યુશન ક્લાસીસો, સંચાલકોને કુલ રૂ.10 કરોડ જેટલી જંગી રકમના ઇનામો જીતી લીધા છે અને હવે સંચાલકોએ અગાઉથી કરેલી જાહેરાતો મુજબ આ વિદ્યાર્થીઓેને મફતમાં ભણાવવા પડશે.

આમ સુરતના 1009 એ વન વિદ્યાર્થીઓએ કુલ રૂ.10 કરોડ ઉપરાંતની રકમ ઇનામ રૂપે જીતી લીધી છે અને મોટા ભાગના એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ અત્યાર સુધી જ્યાં ભણ્યા છે ત્યાં ફ્રીમાં જ ભણ્યા છે. હવે આ વખતે 1009ની ઉપર એવન ગ્રેડ આવ્યા હોઇ સંચાલકો આવતા વર્ષથી એવન ગ્રેડને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

એ-વન ગ્રેડવાળાને ફ્રીમાં ભણાવવાની ઇનામી યોજનાને પગલે ટ્યુશનો અને સ્કુલોમાં સંભવ છે કે આખેઆખા ક્લાસ ફ્રી ભણશે. બહુ મોટી અને અસામાન્ય સંખ્યામાં એ-વન ગ્રેડ આ વખતના ધો.10ના પરીણામમાં આપવામાં આવ્યા છે.

વાંચો અહીં ધો.10નું પરીણામની સઘળી વિગતો

આખા રાજ્યના પરીણામ પર નજર

સુરત સમેત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું પરીણામ

May 17, 2019
admission-1280x1360.jpg
1min16300

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે

May 17, 2019
agri-1280x1045.jpg
1min6110

રાજ્યની રાય, પારૂલ આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહિ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર. કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

આ સંદર્ભે વર્ષ ૨૦૧૬થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવ્યા ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવે છે.

May 15, 2019
gseb.png
1min4960

રાજ્યના 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓ જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 21 મેના રોજ દસમા ધોરણનું પરિણામ આવશે. જેને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે.

શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. શિક્ષણમંત્રી આધિકારીક રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ મળી જશે.

રાજ્યના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ પરીક્ષાર્થી સુરતમાં હતા જ્યારે સૌથી ઓછા પરિક્ષાર્થી દિવમાં હતા. 7 લાખ 5 હજાર 464 વિદ્યાર્થીઓ અને 4 લાખ 54 હજાર 297 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

May 14, 2019
gseb-1280x720.jpg
1min22470

ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.

ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.

આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.

May 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9550

જયેશ બ્રહ્મભટ્ટ

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોમાં ગુજરાત બોર્ડની સ્કુલો કરતા સારુ શિક્ષણ મળતું હોવાની વાત માની શકાય પરંતુ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોની બીજી કેટલીક નબળાઇઓ વિદ્યાર્થીઓને જીવનભર ભારે પડી શકે તેમ છે. સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલમાં ધો.12 સાયન્સ ભણીને પાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ-2019ની પરીક્ષા આ વખતે આપી નહીં હોવાથી તેમના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર જેવા કોઇ જ અભ્યાસક્રમમાં મેરીટ ધરાવતા હોવા છતાં પ્રવેશ નહીં મળે.

ઉપરોક્ત ત્રણેય સ્કુલોના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કુલમાંથી ક્યારેય એવી સમજણ આપવામાં આવી ન હતી કે તેમણે ગુજકેટ જેવી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે એક તરફ ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી પડી રહેશે અને બીજી તરફ સીબીએસઇના વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોવા છતાં ગુજકેટના અભાવે પ્રવેશ નહીં મેળવી શકે.

જેઇઇ મેઇન્સનું પરીણામ સાવ ખરાબ આવ્યું અને સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી નહીં, હવે એન્જિનિયરિંગ કોલેજોમાં ક્યાંયે પ્રવેશ નહીં મળી શકે

સુરતમાં સીબીએસઇ બોર્ડ સાથે સંલગ્ન રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલોના સંચાલકો અને આચાર્યો એમના મગજમાં એવી રાય ભરીને જ ચાલતા હોય છે કે તેમને બધી જ બાબતોનો ખ્યાલ છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મગજમાંથી રાય કાઢી નાંખે તેવી સ્થિતિ પેદા થઇ છે.

ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફક્ત નીટ અને જેઇઇની તૈયારી કરવાની સલાહ આપતા સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોના પાપે આ વખતે સેન્ટ્રલ બોર્ડના સેંકડો વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં સારું પરીણામ લાવ્યાં હોવા છતાં તેઓ ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ નહીં મેળવી શકે. એક તરફ જેઇઇ મેઇન્સનું પરીણામ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત કડક આવ્યું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ માટેની લાયકાત સુદ્ધાં મેળવી શક્યા નથી, તો એન.આઇ.ટી. કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મળવાની વાત તો દૂર રહીં.

એક અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કુલ સેન્ટ્રલ બોર્ડની એકમાત્ર એવી શાળા છે જ્યાં ધો.11-12ના વિદ્યાર્થીઓને દરેકે દરેક પ્રવેશ પરીક્ષા અંગે અગાઉથી માહિતગાર કરીને તે અંગેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. એ સિવાય મોટા ભાગની સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનના નામે મીંડું આપવામાં આવે છે.

મગજમાં આઇએમ સમથીંગનો ફાંકો રાખીને ફરતા સીબીએસઇ સ્કુલોના સંચાલકો અને આચાર્યો ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એવું પણ ગાઇડન્સ આપી ન શક્યા કે તેમણે ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવું જોઇએ

સીબીએસઇની સ્કુલોએ જો તેમના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને એવી સલાહ, સમજણ આપી હોત કે જેઇઇ મેઇન્સની સાથે ગુજકેટની પરીક્ષા આપવાથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો, એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ મળશે અને તેના માટે ગુજકેટ જરૂરી છે તો કદાચ સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડતા બચી ગયું હોત.

લેખક કરીયર કાઉન્સલર હોવાના નાતે અત્યાર સુધીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેના 125થી વધુ વિદ્યાર્થીઓ પર્સનલ કાઉન્સેલિંગ માટે રૂબરૂ મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો કે તેમને ક્યારેય સ્કુલ તરફથી એવી સમજ, સલાહ કે ગાઇડન્સ આપવામાં આવ્યું ન હતું કે જેઇઇની સાથે તેમણે ગુજકેટની પરીક્ષા પણ આપવી જોઇએ. જો વિદ્યાર્થીઓને એ વાતની પહેલેથી જ જાણકારી હોત તો તેઓ આજે એન્જિનિયરિંગ કોલેજમાં સાવ જ પ્રવેશથી વંચિત ન રહી ગયા હોત.

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ગુજકેટની પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાલ તો પગતળેથી ધરતી ખસી ગઇ છે કેમકે હવે તેમની પાસે સહારો માત્ર બી.એસસી.માં પ્રવેશનો બચ્યો છે પરંતુ, તેમને થયેલા આ નુકસાનની જવાબદારી કોની, સેન્ટ્રલ બોર્ડનું એક વખત એફિલિયેશન મેળવી લીધા બાદ હાટડીની જેમ સ્કુલો ચલાવતા સંચાલકોને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે તેમણે વિદ્યાર્થીઓનું કેટલું અહીત કર્યું હશે.

ગુજકેટની પરીક્ષા નહીં આપનારા રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલના સેંકડો વિદ્યાર્થીઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ

પોતાના સંતાનોને સીબીએસઇ સ્કુલોમાં અભ્યાસ કરાવવા માટે અધીરા બની રહેલા વાલીઓ, માબાપ માટે ઉપરોક્ત કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીબીએસઇ સ્કુલો શિક્ષણ ભલે સારું આપે, સીબીએસઇમાં ટીચર્સની ક્વોલિટી ગુજરાત બોર્ડના શિક્ષકો કરતા સારી હોય પણ અન્ય બાબતોમાં સેન્ટ્રલ બોર્ડના સંચાલકોની અજ્ઞાનતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી નાંખે તેટલી જવાબદાર બને છે.