સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.
JEE Main January 2020 પરીક્ષાનું ફક્ત પરીણામ જાહેર થયું છે, રેન્ક મે-2020માં જાહેર થશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.18મી જાન્યુઆરી 2020ની સવાર જાણે 9 લાખ પરિવારો માટે સુખદ આશ્ચર્ય લઇને આવી હતી. આ 9 લાખ પરિવારો એ હતા કે જેમના સંતાનોએ હજુ તા.11મી જાન્યુઆરી 2020 સુધી ભારતમાં એન્જિનિયરિંગની નેશનવાઇડ ટેસ્ટ જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) મેઇન પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયાના ફક્ત 7 જ દિવસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 8.69 લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર કરી દીધું હતું. અનેક સ્કુલોના આચાર્યો, વિદ્યાર્થીઓને તો કલ્પના પણ ન હતી કે જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે. સી.આઇ.એ લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા અનેક સ્કુલોના આ બાબતે જાણ કરવામાં આવી હતી.
ગઇ તા.7 જાન્યુઆરીથી તા.11 જાન્યુઆરી વચ્ચે જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ઓનલાઇન ધોરણે લેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ઓનલાઇન પરીક્ષાનું પરીણામ જો ધારીએ તો કલાકોમાં જ જાહેર કરી શકાય છે પરંતુ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાત દિવસમાં પરીણામ આપ્યું છતાં સમગ્ર દેશમાં સુખદ આશ્ચર્ય ફેલાયું કેમકે ભારતમાં પરીક્ષાના પરીણામો અત્યંત વિલંબથી આવે એ માટે આપણે સૌ ટેવાયેલા છે.
જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ 30મી જાન્યુઆરી સુધીમાં જાહેર થવાનું હતું. પરંતુ 18મીની વહેલી સવારે જ જાહેર કરી દેવાયું હતું.
આજે જેઇઇ મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવા સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છેકે આજે પરીણામમાં ફક્ત પર્સન્ટાઇલ જ ઘોષિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક ઘોષિત કરવામાં આવ્યા નથી. એ.આઇ.આર. એપ્રિલ 2020માં લેવામાં આવનારી જેઇઇ મેઇન્સ -2 ના પરીણામ સાથે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બન્ને મેઇન્સ પરીક્ષા આપશે, તેમનો બેમાંથી જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર હશે તેને ધ્યાનમાં રાખીને તેમનો એ.આઇ.આર. (રેન્ક) ઘોષિત કરવામાં આવશે.
JEE Main Result Announced In Record Time, 9 Students Score 100 Percentile
The National Testing Agency (NTA), has released the JEE Main result within 8 days of completing the exam, which is a record of sort in the history of competitive examinations. The exam was held from January 6 to 9, in shifts, for more than 11 lakh candidates. Press Trust of India reported that nine candidates scored perfect 100 in JEE Main examination.
Of the nine who got 100 percentile score in the examination also include Delhi boy Nishant Agarwal. The others are – one each from Gujarat and Haryana, two each from Andhra Pradesh, Rajasthan and Telangana, the news agency quoted the education ministry.
In this national entrance exam for admissions to undergraduate engineering courses held, 8,69,010 candidates had appeared for the exam for BE and BTech courses for which the results have been released now.
1,38,409 candidates had appeared for for BArch paper and 59,003 for BPlanning paper — the results for both the papers are awaited.
JEE Main result is available on the official websites of the NTA at nta.ac.in and jeemain.nic.in.
In the last JEE main, 24 students had scored 100 percentile.
The NTA was formed in 2017, after the Central Board of Secondary Education (CBSE) requested to withdraw itself from the responsibility of conducting engineering and medical entrance exams. The board, one of the biggest in the country, conducts class 10, 12 board exams for more than 30 lakh students annually.
JEE Main is also a gateway for admission to engineering (B.Tech) courses in NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments.
JEE Main is also an eligibility test for the JEE Advanced, which the candidate has to take if they are aspiring for admission to the undergraduate programs offered by the Indian Institute of Technology (IITs).
JEE Main is held twice a year, in January and in April, to give more opportunity to the students to improve their scores in examination if they fail to give their best in first attempt, without wasting their whole academic year.
The top 2,24,000 rankers are considered eligible to take JEE Advanced. The next JEE Main will be held in April and the exam details will be notified in February.
આજકાલ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે કોલેજીયન ડગલેને પગલે તેમને ઇન્સ્પિરેશન જોઇએ છે, નાની નાની વાતમાં સહારો જોઇએ છે, મા-બાપ પણ એવા છે કે કોઇ તકલીફ પડવા દેતા નથી અને મોટે ભાગે કમ્ફર્ટ ઝોનમાં ઉછરેલા દિકરા-દિકરીઓ સરવાળે કશું કરી શકતા નથી. અહીં એવા યુવાઓની વાત કરવી છે કે જેમનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું આમ છતાં તેમણે તેમના જીવનની કઠણાઇઓને ક્યારેય હાવી થવા દીધી નહીં બલ્કે કઠણાઇઓને જ સીડી બનાવીને સિદ્ધીના એવા શિખર સર કર્યા કે જેને જોઇને દુનિયા દંગ રહી ગઇ છે અને આજીવન દંગ રહેશે.
અહીં વાત કરી રહ્યો છું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશનના આજે તા.16મી જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલા ફાઇનલ્સના પરીણામોની. સૂરતમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઇને તેમના નામની આગળ સી.એ. આવતીકાલથી લગાડી દેશે. પરંતુ, અહીં એવા રિયલ હીરોઝની વાત કરી રહ્યો છું જેમનું જીવન કઠણાઇઓથી ભરેલું છે અને તેમણે જે સિદ્ધીં હાંસલ કરી છે એ કોઇ નાની સૂની નથી પણ એકલે હાથે પહાડ ખોદવા સમાન છે.
ગણેશ પાટીલના પિતા 2011માં પરીવારને છોડી જતા રહ્યા, આ વાતને જિજ્ઞેશે હાવી થવા દીધી નહીં
ઉધનાની સનગ્રેસ સ્કુલમાં ભણેલો ગણેશ પાટીલ કે જેના પિતા 2001માં પરિવારને ત્યજીને ચાલ્યા ગયા હતા, એ ગણેશ પાટીલ આજે 2020માં સી.એ બની ગયો છે.
ઉધનાની સનગ્રેસ સ્કુલમાંથી ધો.12 કોમર્સ ગુજરાતી મિડીયમમાં પાસ કરનાર ગણેશ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના અમલનેરના પરિવારમાંથી આવે છે. ગણેશ પાટીલના પિતા 2001માં તેમના પરિવારને છોડીને જતા રહ્યા હતા. ગણેશ પાટીલની માતા અલકાબેન પાટીલ ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ધો.12 પાસ કર્યા પછી ગણેશ પાટીલને એક મિત્રએ કહ્યું કે સી.એ. કોચિંગમાં જોડાઇ જા. ગણેશ પાસે એટલી ફી ન હતી કે તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસની ફી ભરી શકે. આમ છતાં ગણેશ પાટીલ ઘોડદોડ રોડ પર સી.એ. કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા રવિ છાવછરીયા પાસે ગયા. પોતાની આર્થિક સ્થિતિ અંગે નિખાલસતાથી વાત કરી.
રવિ છાવછરીયાએ ગણેશ પાટીલને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કોચિંગની વ્યવસ્થા તો કરી આપી પણ સાથે જ તેને પાર્ટ ટાઇમ નોકરી પણ આપી.
ગણેશ પાટીલે કહ્યું કે પિતા અમને છોડી ગયા એ વાતનું ઝનૂન એટલું હતું કે કંઇક કરી જ દેખાડવું છે. 2012માં સી.એ. કોચિંગમાં જોડાયા બાદ કોઇ વ્હીકલ ન હતું. રોજ 24 કિ.મી. સાઇકલ પર ડીંડોલી પોતાના ઘરેથી નીકળીને ઘોડદોડ રોડ પર રવિ છાવછરીયાને ત્યાં કોચિંગમાં આવે, ત્યાં કોચિંગ લે અને પછી ત્યાં જ પાર્ટ ટાઇમ નોકરી કરતો ગણેશ બે વખત સી.એ.ની પરીક્ષામાં નાપાસ પણ થયો. પણ હાર માને એ બીજા ગણેશ પાટીલ નહીં. એણે પ્રયત્નો છોડ્યા નહીં અને આજે 2020માં ગણેશ પાટીલના નામની આગળ સી.એ. જેવો મહત્વની ડિગ્રી જોડાઇ ચૂકી છે.
રીક્ષા ચાલક ધર્મેશભાઇ રાણાનો દિકરો મોનિશ રાણાએ જીવનની કઠિણાઇને જ પોતાની શક્તિ બનાવીને સી.એ. ડિગ્રી મેળવી લીધી
ઉધના રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેશભાઇના પુત્ર મોનિશ રાણા કે જેણે ઉધનાની આર.એન. નાયક સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું. પિતા રીક્ષા ચાલક હોવાથી પરીવારમાં આર્થિક સંકડામણ અનુભવવા છતાં મોનિશ રાણાએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે. મોનિશ રાણા ભલે વીસ વર્ષના હોય પરંતુ, તેમનામાં મેચ્યોરિટી 45 વર્ષના નિવડેલા બિઝનેસમેનને પણ શરમાવે તેવી જોવા મળી. મોનિશ રાણાએ કહ્યું કે પિતા અને પરિવારની તકલીફોને લીધે ક્યારેય નાસીપાસ ન થયો ઉલ્ટાનું કંઇક કરી દેખાડવાની ઉત્કંઠા તીવ્ર બની અને સી.એ. કોચિંગ રવિ છાવછરીયા પાસે લીધું. એસ.પી.બી. ઇંગ્લિશ મિડીયમમાંથી બી.કોમ. ડિસ્ટીંકશન સાથે પાસ કરનાર મોનિશ રાણા આજે સી.એ. બની ગયો છે અને એને કોઇ નાનમ નથી લાગતી કે તેના પિતા રીક્ષા ચલાવે છે.
લીલાબા સ્કુલની ધો.12માં ગુજરાત ફર્સ્ટ બોનીશા મોદીએ હાંસલ કર્યો સી.એ.માં આખા દેશમાં 39મો રેન્ક
2015માં સૂરતની લીલાબા કન્યાશાળા આખા રાજ્યમાં ફેમસ થઇ ગઇ હતી. ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં લીલાબા કન્યાશાળાની વિદ્યાર્થિની બોનિશા મોદીએ એટલા માર્કસ મેળવ્યા કે એટલા ગુજરાતના 7 લાખ વિદ્યાર્થીઓમાંથી અન્ય કોઇ મેળવી શક્યું નહી. બોનીશા મોદી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ હતી. આ સિદ્ધિનું સહેજ પણ અભિમાન કર્યા વગર બોનીશા મોદીએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે અને આજે સી.એ.ના પરીણામમાં બોનીશા મોદીએ સમગ્ર દેશમાં 39મો રેન્ક હાંસલ કરીને સૂરતનું નામ રોશન કર્યું છે.
લીલાબા કન્યાશાળા કોઇ હાઇફાઇ સ્કુલ નથી. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની દિકરીઓને ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાના સુકાની એવા આચાર્યા શ્રીમતી બિનીતાબેન ત્રિવેદી અને સ્કુલ મેનેજમેન્ટ એટલી નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમનું પરીણામ બોનીશા મોદી જેવી દિકરીઓની ઝળહળતી કારકિર્દીના સ્વરૂપમાં પ્રત્યક્ષ પણે અનુભવી શકાય છે.
દર વર્ષની જેમ રવિ છાવછરીયાના કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ્સના સૌથી વધુ ટોપર્સ
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.
સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા
સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.
સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા
સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.
ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.
તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.
નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.
તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
RTE, FRC જેવા સરકારી નિયમોથી ત્રસ્ત ખાનગી સ્કૂલોના સંચાલકો ‘ચોર’ હોય એવો સરકારનો વ્યવહાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલોની સરખામણીએ સારામાં સારું શાળાકીય શિક્ષણ આપી રહેલી ખાનગી, સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જાણે ચોર હોય એવો વ્યવહાર સરકાર કરી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં સાવ ખોટેખોટા પુરાવાઓ ઉભા કરીને પ્રવેશ લેનારા વાલીઓ સામે સરકારે કશું કર્યું નહીં, ફી નિર્ધારણ કમિટીઓના મનસ્વી પણાના પુરાવાઓ હોવા છતાં સરકારે પ્રાઇવેટ સ્કુલોને દોષી માનીને એક તરફા નિર્ણયો કર્યા. ગુજરાત સરકારની જોહુકમીઓથી ત્રસ્ત શાળા સંચાલકો પર જનોઇવઢ ઘા રાજ્ય સરકારે ગુજરાત બોર્ડ મારફતે કર્યો છે અને એ ઘા એવો છે કે આગામી માર્ચ 2020માં લેવામાં આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે પ્રાઇવેટ સ્કુલોના બિલ્ડીંગોમાં લેવાય, પરીક્ષા લેનાર સ્ટાફ પણ ભલે પ્રાઇવેટ-સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોનો હોય પરંતુ, ત્યાં પરીક્ષા સંચાલનની ઉપરી અધિકારીઓની નિમણૂંક સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલના સિનિયર શિક્ષકોમાંથી કરવામાં આવશે એ મતલબનો બોર્ડના સચિવે પરીપત્ર જારી કરતા સૂરત તેમજ રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો ઉકળી ઉઠ્યા છે.
તા.6 જાન્યુઆરી 2020ના રોજ સૂરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતો કરી એ પૂર્વે મિડીયાકર્મીઓ સાથે વાતચીત કરી રહેલા ડો.દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, દશરથભાઇ પટેલ સમેતના આગેવાનો દ્રશ્યમાન છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂરતના પ્રતિનિધિઓએ આજે સવારે 11.15 કલાકે નવા બહુમાળી ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપતા પૂર્વે પત્રકારોને જણાવ્યું કે સરકાર ખાનગી શાળા સંચાલકોને ચોર સમજી રહી છે. ખાનગી સ્કુલોની બોર્ડની પરીક્ષાઓમાં સરકારી વ્યક્તિ નિમવાનો પરીપત્ર દર્શાવે છે કે સરકારને ખાનગી સ્કુલના સ્ટાફ પર વિશ્વાસ નથી. ડો. દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, રાજેશભાઇ નાકરાણી વગેરે આગેવાનોએ જણાવ્યું કે ખાનગી સ્કુલોમાં બોર્ડની પરીક્ષા સરકારી માણસો લેશે એવો પરીપત્ર અમારા માટે કુઠરાઘાત સમાન છે. બોર્ડ આ પરીપત્ર સત્વરે પાછો ખેંચે અન્યથા રાજ્યભરની ખાનગી સ્કુલો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરશે.
દેશભરની મેડીકલ કોલેજોમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ બેઠકો પર પ્રવેશ માટે રવિવાર તા.5 જાન્યુઆરી 2020ના રોજ પી.જી. નીટ લેવામાં આવી હતી. દેશભરમાંથી મળી રહેલા અહેવાલો મુજબ ગત વર્ષની સરખામણીમાં 2020 નીટ પી.જી. પરીક્ષા અઘરી રહી હતી. ખાસ કરીને ક્લીનીકલ સેકશનના પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ ખાસ્સા અટવાયા હતા. મોટા ભાગના પરીક્ષાર્થીઓને ક્લીનીકલ કેસબેઝ પ્રશ્નો અટપટા લાગ્યા હતા. પી.જી. નીટમાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧ લાખ ૬૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ પરીક્ષામાં ૮૦૭૪૫ વિદ્યાર્થિનીઓ, ૮૬૩૪૨ વિદ્યાર્થીઓ અને ૧૫ ટ્રાન્સજેન્ડર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
નીટ પી.જી. પરીક્ષા
એમ.ડી.ની કુલ ૨૦ હજાર,
એમ.એસ.ની ૧૦૮૨૧,
પી.જી.ડિપ્લોમાની ૧૯૭૯ અને
ડીએનબીની અંદાજે ૬ હજાર બેઠકો સહિત
કુલ અંદાજે ૩૮ હજાર પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવી હતી.
આ ઉપરાંત ચાલુ વર્ષે પી.જી.નીટમાં ઇડબલ્યુએસ કેટેગરી પણ દાખલ કરવામાં આવી છે.
સામાન્ય રીતે ડીએનબી કોર્સ માટે અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી. આ વર્ષથી તમામ કોર્સ માટે એક જ પી.જી. નીટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પી.જી. નીટ પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે ગતવર્ષની સરખામણીમાં અઘરી રહી હતી. ખાસ કરીને ક્લિનિકલ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા પડ્યા હતા.
પી.જી. નીટનું પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે
સમગ્ર દેશમાં ૧૪૧ શહેર અને ૫૪૨ સેન્ટરો પરથી નીટ લેવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત અને મહેસાણા જેવા શહેરોમાં નીટ લેવામાં આવી હતી. કુલ ૩૦૦ પ્રશ્નોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પી.જી.મેડિકલની બેઠકો માટે જ નીટ લેવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષથી એઇમ્સ, ચંદીગઢ, પોંડીચેરી, બેંગ્લુરુ સહિતની મેડિકલ સંસ્થાઓ ઉપરાંત ડીએનબીની ૬ હજાર બેઠકો માટે પણ હવે નીટ લાગુ કરી દેવામાં આવી છે.
JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.
ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.
વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.
આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.
Last Moment Tips….
At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.
હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.