CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 2 of 53 - CIA Live

August 20, 2025
image-26.png
1min140

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.

એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો

આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ

આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.

વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.

August 13, 2025
foreign-study-loan.png

1min155

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે

ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે. સૌથી વઘુ એજ્યુકેશન લોન લીધી હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 11,426 કરોડ સાથે મોખરે છે.

એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે 2020-21માં રૂપિયા 214 કરોડ, 2021-22માં રૂપિયા 314 કરોડ, 2022-23માં રૂપિયા 383 કરોડની એજ્યુકેશન લોન ગુજરાતમાંથી લેવામાં આવી હતી.

ગુજરાતમાં એજ્યુકેશન લોન એકાઉન્ટ 2020-21માં 6992 હતા અને તે 2024-25માં વધીને 8397 થઇ ગયા છે. નિષ્ણાતોના મતે એજ્યુકેશન લોન માટે જે અરજી આવે છે તેમાંથી 95 ટકા વિદેશમાં અભ્યાસ માટેની હોય છે.

August 3, 2025
SS_Logo_Red-1280x986.png
5min404

છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં જેની સૌથી વધુ ડિમાંડ હોય છે એવા મેડીકલ અભ્યાસક્રમ MBBSની બેઠકોમાં 39 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, મેડીકલની એક એક સીટ માટે અત્યંત તીવ્ર સ્પર્ધા થતી હોય છે આમ છતાં સમગ્ર ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ એમબીબીએસની બેઠકોની નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહી જાય છે, એમ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના આંકડા દર્શાવે છે.

મેડીકલ એડમિશન સિસ્ટમ પર સવાલ ઉભા કરે તેવી માહિતી મુજબ 2024માં સમગ્ર ભારતમાં એમબીબીએસની કુલ 2849 સીટ પર એડમિશન જ ન ફાળવી શકાયા. 2023માં 2959 સીટો ખાલી પડી રહી. 2022માં 4146 સીટો ખાલી રહી અને 2021માં 2012 સીટો સાવ ખાલી પડી રહી. સુરત સમેત ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓની એવી સ્થિતિ બને છે કે જો એમબીબીએસમાં એડમિશન ન મળે તો ક્યાં તો ડ્રોપ લઇ લે છે અથવા તો અભ્યાસમાંથી જ તેમનો રસ ઉડી જાય છે.

આટલી મોટી સંખ્યામાં એમબીબીએસની સીટો ખાલી પડી રહેતી હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એડમિશન કમિટી અને એડમિશન કમિટીની પ્રવેશ વ્યવસ્થામાં તળિયા ઝાટક ફેરફારો કરવા જોઇએ. એમબીબીએસના અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને પહોંચી જાય છે, જો ભારતમાં જ ખાલી પડેલી અઢીથી ત્રણ હજાર સીટો પર પ્રવેશ ફાળવવામાં આવે તો ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ જવું ન પડે અને કમસે કમ રૂ.300 કરોડથી વધુની રકમ વિદેશમાં ઘસડાય જતી બચાવી શકાય છે.

Academic yearVacant UG seats (Excluding AIIMS & JIPMER)
2021-222012
2022-234146
2023-242959
2024-252849

આ માહિતી 1 ઓગસ્ટ 2025 ના રોજ લોકસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ અતારાંકિત પ્રશ્ન તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય પુટ્ટા મહેશ કુમાર દ્વારા પૂછવામાં આવ્યો હતો.

MBBS બેઠકોની સંખ્યા 2020-21 ભારતમાં 83,275 થી વધીને 2024-25 સુધીમાં 1,15,900 થઈ ગઈ છે; જોકે, ખાલી બેઠકોની સંખ્યા (AIIMS અને JIPMER સિવાય) 2022-23માં 4,146 પર પહોંચી ગઈ હતી, જે 2024-25 માં ધીમે ધીમે ઘટીને 2,849 થઈ ગઈ છે, પરંતુ એવી કેવી વ્યવસ્થા કે 2849 જેટલી એમબીબીએસની સીટો ખાલી પડી રહે અને વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહે. ગુજરાતની કુલ સીટોની સંખ્યાની સરખામણીમાં 40 ટકા સીટો તો દેશભરમાં ખાલી પડી રહે છે, આ વ્યવસ્થા બદલાવી જોઇએ.

દેશમાં હાલમાં કેટલી એમબીબીએસની સીટો

The government data also showed the number of medical seats in India across the country in 2020-21 and 2024-25. UP, Tamil Nadu, Karnataka, Maharashtra and Gujarat top the list.

S.No.State/UTMBBS Seats (2020-21)MBBS Seats (2024-25)
1Andaman & Nicobar Islands100114
2Andhra Pradesh52106585
3Arunachal Pradesh50100
4Assam10501700
5Bihar21402995
6Chandigarh150150
7Chhattisgarh13452105
8Dadra & Nagar Haveli150177
9Delhi14221346
10Goa180200
11Gujarat57007000
12Haryana16602185
13Himachal Pradesh920920
14Jammu & Kashmir11351385
15Jharkhand7801055
16Karnataka934512194
17Kerala41054705
18Madhya Pradesh35854900
19Maharashtra900011844
20Manipur225525
21Meghalaya50150
22Mizoram100100
23Nagaland0100
24Orissa19502675
25Puducherry15301873
26Punjab14251699
27Rajasthan42006279
28Sikkim50150
29Tamil Nadu800012000
30Telangana52408915
31Tripura225400
32Uttar Pradesh742812325
33Uttarakhand8251350
34West Bengal40005699
June 24, 2025
SS_Logo_Red-1280x986.png
1min247

Admission Committee for Professional Under Graduate Medical Courses (ACPUGMEC)  ગુજરાતમાં આ કમિટી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી સમેતના પેરામેડીકલ કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશની કાર્યવાહી હાથ ધરે છે.

તાજેતરમાં આ કમિટીની વેબસાઇટ પર મેડીકલ અને ડેન્ટલ કોર્સમાં 2025માં પ્રવેશ માટેના મિનિમમ એલેજિબિલીટી ક્રાઇટેરીયા જાહેર કરવામાં આવ્યા છે. જે જાણીને આશ્ચર્ય થાય છે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય જાહેર કરાયો છે.

મેડીકલ એડમિશન માટે આ વર્ષે ધો.12 બોર્ડની પરીક્ષામાં ફક્ત પાસ થવું જ જરૂરી છે. જે પણ વિદ્યાર્થી પાસ થશે, પછી ભલે એ એકાદ બે વિષયમાં નાપાસ થયા બાદ પૂરક પરીક્ષા આપીને પાસ થશે એ પણ મેડીકલના પહેલા વર્ષમાં પ્રવેશપાત્ર ગણાશે. અત્યાર સુધી ઓપન મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 50 ટકા અને અનામત કેટેગરીમાં 45 ટકા ફરજિયાત હતા.

નવાઇ પમાડે એવી વાત એ પણ છે કે ડેન્ટલમાં એડમિશન માટે બોર્ડમાં 50 ટકા ઓપન કેટેગરી માટે અને 45 ટકા રિઝર્વ કેટેગરી માટે ફરજિયાત રાખવામાં આવ્યા છે. મેડીકલ અને ડેન્ટલમાં એલિજિબિલીટી ક્રાઇટેરીયામાં આ પ્રકારનો ભેદ શા કારણથી રાખવામાં આવ્યો છે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ડમી કોચિંગ ક્લાસીસોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય

ગુજરાતમાં મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં હવે માત્ર પાસ થવું જ જરૂરી છે, અત્યાર સુધી ઓપન કેટેગરી માટે ધો.12માં 50 ટકા જ્યારે રિઝર્વ કેટેગરી માટે ધો.12માં 45 ટકા માર્કસ લાવવા ફરજિયાત હતા. આ નિયમને કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા, સિલેબસ, પાઠ્ય પુસ્તક વગેરે પર ધ્યાન આપતા હતા અને તેને નજરઅંદાજ કરતા ન હતા. પણ હવે 2025થી તો એવું થવાનો ભય છે કે વિદ્યાર્થીઓ હવે ધો.11-12ના પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પર ધ્યાન જ નહીં આપે અને સીધા જ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ જોઇન્ટ કરી લેશે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો આ નિર્ણય છે.

June 19, 2025
SS_Logo_Red-1280x986.png
1min433

Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC) દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પૂર્વે એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે તેની વિગતો જાહેર કરી છે, જેની માહિતી નીચે મુજબની પીડીએફમાં છે. આ સત્તાવાર માહિતી છે.

વધુમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ગેરસમજ પ્રવર્તે છે. ગુજરાતમાં જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઇ જરુરીયાત નથી.

જેમને જન્મ ગુજરાત બહાર થયો હોય તેવા પ્રવેશાર્થીઓ માટે જ ડોમિસાઇલ સર્ટિફેક્ટ ફરજિયાત છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે આ પીડીએફ વાંચો

June 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min683

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે.
એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.

આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.

June 10, 2025
kanya.jpg
1min166

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરુ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.

હાલમાં LCમાં વિદ્યાર્થીના નામ લખવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. અપાર આઇ ડીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે LCમાં નામની ચોકસાઈ જરૂરી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક સત્રથી LCમાં નામ લખવાની પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના આપી છે. LCમાં સંપૂર્ણ નામ, પિતા-માતાનું નામ અને અટક સ્પષ્ટ લખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને ટાંકીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે LCમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે.

June 5, 2025
SS_Logo_Red-1280x986.png
13min389

NMC એ મેડિકલ કોલેજ કૌભાંડો અંગે ચેતવણી આપી, વિદેશી MBBS માર્ગદર્શિકા સ્પષ્ટ કરી

વિદેશમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓએ કઇ બાબતોની ચોક્સાઇપૂર્વક ચકાસણી કરવી જોઇએ તે અંગેની કોઇ માહિતી કોઇપણ સંસ્થા દ્વારા કે એજન્ટો દ્વારા આપવામાં આવતી નથી. શિક્ષણ સર્વદા, સુરત દ્વારા જ આવી બાબતોની જાણકારી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે.

નીટ યુજી 2025 પરીક્ષાનું પરીણામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિદેશમાં એમબીબીએસ કરવા માટે પણ જુદા જુદા એજન્ટો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓએ ખાસ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી અત્રે આપવામાં આવી છે.

NMC ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિયેટ (FMGL) રેગ્યુલેશન્સ, 2021 સ્પષ્ટપણે ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે લાયક બનવા માટે વિદેશી તબીબી શિક્ષણ માટેના ધોરણોને વ્યાખ્યાયિત કરે છે.

વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) ને કાયમી નોંધણી આપવામાં આવશે નહીં સિવાય કે તેઓ ઓછામાં ઓછા 12 મહિના માટે ભારતમાં દેખરેખ હેઠળ ઇન્ટર્નશિપમાંથી પસાર થાય. જો FMG પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ભારતમાં તબીબીની પ્રેક્ટિસ કરવા માટે નોંધણીમાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.

ફોરેન મેડીકલ ગ્રેજ્યુએશન FMG માટે મુખ્ય આવશ્યકતાઓ:

a. એક જ સંસ્થામાં ઓછામાં ઓછા 54 મહિનાનું શિક્ષણ. (શિક્ષણ સર્વદા 98253 44944)

b. એક જ વિદેશી યુનિવર્સિટીમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. (શિક્ષણ સર્વદા 98253 44944)

c. ક્લિનિકલ તાલીમ ભાગોમાં અથવા વિવિધ દેશોમાં ન કરવી જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)

d. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)

e. અનુસૂચિ I માં ઉલ્લેખિત ફરજિયાત વિષયોનો અભ્યાસ કર્યો છે. (શિક્ષણ સર્વદા 98253 44944)

The National Medical Commission (NMC) specifies mandatory subjects for the MBBS curriculum in Schedule I, which includes a broad range of subjects spanning the pre-clinical, para-clinical, and clinical phases of the course. These subjects are categorized into foundational, basic science, and clinical disciplines, ensuring a comprehensive medical education. 

Foundational Subjects (First Year):

  • Anatomy: Structure and organization of the human body.
  • Physiology: Functioning of the human body’s systems.
  • Biochemistry: Chemical processes within the body. 

Basic Science Subjects (Second Year):

  • Pathology: Study of diseases and their causes.
  • Microbiology: Study of microorganisms.
  • Pharmacology: Study of drugs and their effects.
  • Forensic Medicine: Study of legal aspects of medicine.
  • Community Medicine: Study of public health and health promotion. 

Clinical Subjects (Third Year):

  • Medicine and Allied Subjects: Includes General Medicine, Psychiatry, Dermatology, and Respiratory Medicine.
  • Surgery and Allied Subjects: Includes General Surgery, Otorhinolaryngology (ENT), Ophthalmology, Orthopaedics, and Anesthesiology.
  • Obstetrics and Gynecology: Care during pregnancy and childbirth.
  • Pediatrics: Care of children. 

Additional Subjects (Throughout the Course):

  • Forensic Medicine and Toxicology: Study of poisoning and related legal issues. 
  • Community Medicine: Study of public health and health promotion. 
  • Professional Development (AETCOM module): Emphasizes ethics, communication, and professional skills. 

હવે સમજીએ ભારતમાં મેડીકલ એડમિશન લેતા પહેલા શેની કાળજી રાખવી.

NMC નેશનલ મેડીકલ કમિશને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયાઓમાં નેશનલ મેડીકલ કમિશન માન્ય કોલેજોમાં જ પ્રવેશ ફાળવવામાં આવે છે પણ જ્યારે વિદ્યાર્થીઓ બીજા રાજ્યોની સ્વતંત્ર મેડીકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાના હોય ત્યારે જ નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

દેશમાં મેડિકલ શિક્ષણ માટે નિયમનકારી સત્તામંડળ, નેશનલ મેડિકલ કમિશન (NMC), એ MBBS ઉમેદવારો અને તેમના માતાપિતાને ચેતવણી આપી છે કે તેઓ મેડિકલ કોલેજો અને ઓફશોર મેડિકલ કોર્ષમાં સરળ પ્રવેશનું વચન આપતી નકલી ઓફરોમાં ન ફસાય કે જે કોલેજો કાયદેસર રીતે મંજૂરીપાત્ર નથી.

NMC એ એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે.

NMC એ જણાવ્યું છે કે તેને દેશમાં જરૂરી મંજૂરીઓ વિના કાર્યરત અનધિકૃત મેડિકલ કોલેજોના કિસ્સાઓ મળ્યા છે. આ સંસ્થાઓ માન્યતાનો દાવો કરીને અને કાયદેસર રીતે મંજૂર ન હોય તેવા મેડિકલ કોર્ષમાં પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ અને માતાપિતાને ગેરમાર્ગે દોરી રહી છે, એમ તેણે જણાવ્યું હતું.

“NMC ની મંજૂરી ફરજિયાત છે અને NMC ની સત્તાવાર વેબસાઇટ (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) પર સૂચિબદ્ધ મેડિકલ કોલેજો જ ભારતમાં MBBS અને અન્ય મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરવાની કાયદેસર રીતે પરવાનગી આપે છે. વેબસાઇટ પર સૂચિબદ્ધ ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે,” NMC એ જણાવ્યું.

અયોગ્યતાનું જોખમ:

તબીબી સંસ્થાની કાયદેસરતા કેવી રીતે ચકાસવી

· મેડિકલ કોલેજ ચલાવવા માટે NMC ની મંજૂરી ફરજિયાત છે

· કાયદેસર રીતે માન્ય મેડિકલ કોલેજો તપાસવા માટે, (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) ની મુલાકાત લો

· સત્તાવાર યાદીમાં ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

· ચકાસણી માટે સીધા NMC નો સંપર્ક કરો, ખાસ કરીને જો તમને માન્યતા પત્રો અથવા સીધા પ્રવેશ ઓફરો રજૂ કરવામાં આવે.

· ફક્ત કોલેજની વેબસાઇટ્સ કે જાહેરાતો પર આધાર રાખશો નહીં.

· નકલી ઓફરોમાં ફસાશો નહીં, કારણ કે કોઈ પણ કોલેજ NEET સિવાય પ્રવેશની ગેરંટી આપી શકતી નથી.

· કોઈપણ ચુકવણી કરતા પહેલા અથવા MBBS પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા પહેલા મંજૂરીઓ ચકાસો.

· શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ NMC ને ફોન પર કરો: 91-11-25367033 વેબસાઇટ: www.nmc.org.in

NMC warns of medical college scams, clarifies foreign MBBS guidelines

The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries

The National Medical Commission (NMC), the regulatory authority for medical education in the country, has warned MBBS aspirants and their parents not to fall for fake offers that promise easy admissions in medical colleges and offshore medical courses that are not legally sanctioned.

The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries.

In the advisory, the NMC said that it has come across instances of unauthorised medical colleges operating in the country, without requisite approvals. These institutions are misleading students and parents by claiming recognition and offering admissions in medical courses that are not legally sanctioned, it said.

“NMC approval is mandatory and only the medical colleges listed on the official website of NMC (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) are legally permitted to offer MBBS and other medical degree programs in India. Institutions that are not listed on the website are unauthorised and are violating NMC regulations,” NMC said.

What should students intending to pursue MBBS in foreign countries do?

The Foreign Medical Graduate Licentiate (FMGL) Regulations, 2021 of NMC clearly define standards for foreign medical education to become eligible to practice medicine in India.

Foreign Medical Graduates (FMG) will not be granted permanent registration unless they undergo a supervised internship in India for a minimum term of 12 months. In case FMGs fail to comply, then they could be disqualified from registration to practice medicine in India.

Key Requirements for FMGs:

a. Minimum 54 months of education in a single institution.

b. 12-month internship to be completed at the same foreign university.

c. Clinical training must not be done in parts or across different countries.

d. Medium of instruction must be English.

e. Studied the mandatory subjects specified in Schedule I.

Risk of disqualification:

· Students graduating from non-compliant medical institutions will be ineligible for licensing exams, i.e., FMGE in India.

· The onus of this disqualification lies solely with the student, as per the regulations of the Commission.

How to verify legitimacy of medical institution

· NMC approval to run a medical college is mandatory

· To check legally permitted medical colleges, visit (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/)

· Institutions not in the official list are unauthorised and are violating NMC regulations.

· Contact NMC directly for verification, especially if you’re presented with recognition letters or direct admission offers.

· Do not rely on college websites or advertisements alone.

· Do not fall for fake offers, as no college can guarantee admission outside of NEET

· Verify approvals before making any payments or committing to MBBS program

· Report suspicious activity to NMC at Phone: 91-11-25367033 Website: www.nmc.org.in

શિક્ષણ સર્વદા કરીયર કાઉન્સેલિંગ દ્વારા પણ વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયામાં એમબીબીએસ એડમિશનની કામગીરી કરી આપવામાં આવે છે

June 2, 2025
SS_Logo_Red-1280x986.png
3min186

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.

રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય – ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

JoSAA Counselling 2025: 3/6/25 to 12/6/25

The Joint Entrance Examinations (JEE) Advanced results 2025 have been released on the official website, jeeadv.ac.in. Following the release of the result, the Joint Seat Allocation Authority (JoSAA) counselling will start tomorrow, on June 3, 2025, at 5 PM. All candidates who have qualified the JEE Advanced are eligible to participate in the seat allocation process for admission to Indian Institutes of Technology (IITs), National Institute of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs), and other Government Funded Technical Institutes (GFTIs).

The registration and choice-filling window will remain open till June 12, 2025, on the official website — josaa.nic.in. Candidates are required to complete the registration, fill in their preferred institute choices, and lock them before the deadline. On June 9, 2025, the mock seat allocation 1 list will be displayed based on the choices filled by the candidates. Mock seat allocation 2 list will be displayed on June 11, 2025.

JoSAA Counselling 2025: Steps to register
Candidates can follow the steps mentioned here to apply for the JoSAA Counselling 2025:

Visit the official website: josaa.nic.in.

Click on the link for JoSAA Counselling 2025 registration.
Enter JEE Main/Advanced credentials and complete the registration.
Log in to your account and fill out the application form.
Select and prioritize institute/course choices.
Submit the form and download a copy for future reference.

Candidates must ensure all personal and academic details are accurately filled out during registration. Choice filling must be completed before the last date; preferences can influence seat allotment results.

Candidates are advised to stay in touch with the official website to get the complete details of the JoSAA counselling 2025.

May 28, 2025
SS_Logo_Red-1280x986.png
1min440

USA President ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યવસાયિક (M) અને એક્સચેન્જ વિઝિટર (J) કેટેગરીમાં વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. જેને પરીણામે સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી આગામી સપ્ટેમ્બર 2025 ઇન્ટેકમાં અમેરીકા ભણવા જવા માટેની પૂર્વતૈયારીઓ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ભારે આઘાત લાગ્યો છે. સમગ્ર વિશ્વમાં આ સમાચાર દાવાનળની જેમ વાઇરલ થયા છે. આ વીઝા કેટેગરીને અનિશ્ચિત મુદત માટે હોલ્ટ પર મૂકી દેવામાં આવી છે. હવે ફોરેન સ્ટડીનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓએ અમેરીકાને બદલે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય યુરોપિયન દેશો તરફ નજર દોડાવવી પડશે.

આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપાક યોજનાનો હિસ્સો છે. પોલિટિકોના અહેવાલમાં અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા સહી કરેલા એક દસ્તાવેજના આધારે આ દાવો કરાયો હતો. એમાં સ્પષ્ટ જણાવાયું છે કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારી હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થી એક એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ શિડ્યુલ ન કરવામાં આવે. એ પણ ત્યાં સુધી જ્યાં સુધી કોઈ નિર્દેશ ન આપવામાં આવે.

આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી વિરોધી કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝા અંગે અમેરિકન કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.