CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 13 of 53 - CIA Live

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min599

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes. 

October 22, 2021
KN_chavda-copy.jpg
1min1296

ગુજરાત રાજ્યની 31 સરકારી યુનિવર્સિટીઓ હવે અધિકારમંડળોની મિટીંગો યોજીને નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે ઠરાવો કરાવશે, આ પ્રોસિજર વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કામગીરીનો એડવાન્ટેજ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થઇ ગયો છે

વીર નર્મદ યુનિવર્સિટીનો રેફરન્સ સરકાર કક્ષાએ સકારાત્મક લેવાયો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં dated 21/10/21 ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટેની તમામ પૂર્વતૈયારીઓ જેમાં જેતે અધિકારમંડળોમાં ઠરાવો કરાવવાથી લઇને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિઝર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઇ યુનિવર્સિટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે.

રાજ્ય સરકારે આજે એન.ઇ.પી.ના અમલ માટે જે લેસન સોંપ્યુ છે તે પૈકી 80 ટકા લેસન વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધું છે.ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાગાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો.ડિંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક મિટીંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મિટીંગનો ઉદ્દેશ યુનિવર્સિટીઓને નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઇ.પી.)ના અમલ માટે શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો આશય હતો.સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી એકમાત્ર છે જેણે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. એ બાબતની નોંધ મિટીંગમાં લેવામાં આવી કે વીર નર્મદ યુનિવર્સિટીએ એન.ઇ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકારમંડળ ખાસ સેનેટની અસાધારણ સભા યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કરાવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે તેનો અમલ વીર નર્મદ યુનિવર્સિટીએ એડવાન્સમાં કરાવી દીધો છે.

વીર નર્મદ યુનિ.એ આ કામગીરી શરૂ પણ કરી દીધી

  • ડિગ્રી કોર્સમાં મલ્ટી લેવલ એક્ઝિટ પોલિસ-
  • દરેક અભ્યાસક્રમમાં ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી-
  • કોઇપણ અભ્યાસક્રમમાં મલ્ટી લેવલ એન્ટ્રી-
  • 4 વર્ષના ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ-
  • એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ શરૂ-
  • ઓન ડિમાંડ એકઝામ પોલીસી-
  • મલ્ટિ ડિસીપ્લિનરી સર્ટિફિકેશન અને ડિપ્લોમા-
  • મલ્ટિ ડિસીપ્લિનરી રેગ્યુલેટરી ઓથોરિટી-
  • ડ્યુઅલ ડિગ્રી, ડ્યુઅલ સર્ટિફિકેશન ફેસેલિટી-
  • ઓનલાઇન કોર્સ ડેવલપમેન્ટ સ્ટુડીયો

દરેકના સહયોગથી NEPનો અમલ શક્ય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આજે વીર નર્મદ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ કરી શકી છે તેનું કારણ યુનિવર્સિટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકારમંડળોના સભ્યો, સેનેટ, સિન્ડીકેટ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ભારે મહેનત કરીને તમામ ઠરાવોનું ડ્રાફિટ્ંગથી લઇને તેમાં સુધારા વધારાઓ કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યારે આજે વીર નર્મદ યુનિવર્સિટી શ્રેય લઇ શકી છે કે એન.ઇ.પી.નો અમલ શરૂ કરી દેનાર રાજ્યની એક માત્ર યુનિવર્સિટી બની છે વીર નર્મદ યુનિવર્સિટી.  

October 21, 2021
upsc1.jpg
1min351

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 17, 2021
rte-1280x719.jpg
1min448

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

October 15, 2021
cbse.jpg
1min463

સીબીએસઇના ૧૦મા અને ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓફલાઇન પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એવી બૉર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાનું ટાઇમ ટેબલ ૧૮ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. 

સીબીએસઇ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ ઑબ્જેક્ટિવ ટાઇપની હશે અને તેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે. શિયાળાનો સમય ધ્યાનમાં રાખતા પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ને બદલે ૧૧.૩૦થી શરૂ  થશે. 

‘પ્રથમ સત્રની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. કોઇ પણ વિધાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે એસેન્શિયલ રીપિટ કેટેગરીમાં મૂકવામાં નહીં આવે. 

ફાઇનલ પરિણામ પ્રથમ અને દ્વિતિય સત્રના અંતે જાહેર કરાશે તેમ સીબીએસઇ એક્ઝામ કંટ્રોલર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. એ ઑબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ પ્રકારની હશે કે કેમ એ તે સમયની કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર આધાર રાખશે.

October 12, 2021
cia_edu-1280x925.jpg
4min1326

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પાસ થયેલા અને જેઇઇ મેઇન્સ તેમજ જેઇઇ એડવાન્સમાં સારો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. વગેરે જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ જાહેર કર્યું છે, જે નીચે મુજબ છે.

આગામી તા.16મી ઓક્ટોબર 2021થી IIT, NIT, IIITમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Joint Seat Allocation Authority has released the complete schedule for admissions to IITs, NITs, IIEST, IIITs and other GFTIs for the academic year 2021-22.

As per the schedule, the candidate registration/choice filling for academic programmes under JoSAA will begin from October 16, 2021 however the candidates who qualify AAT can fill their AAT-specific choices starting from October 22, 2021 after declaration of AAT result.

Candidate registration and choice filling for academic programmes under JoSAA 2021 (Auto/System Locking of Choices) will end on October 25, 2021. The first mock seat allocation will be released at 10 AM on October 22, 2021 and the second list will be released at the same time on October 24, 2021.

It is mandatory for the candidates to register through the official JoSAA 2021 online portal to be able to obtain seats to be allocated through JoSAA 2021 in any of the IITs, NITs, IIEST, IIITs (Triple-I-Ts) and Other-GFTIs. The academic programmes, along with the category-wise intake capacity, will be announced on the online portal https://josaa.nic.in.

A candidate chooses and applies to a series of academic programs in a certain order of preference.

Indian Institutes of Technology (IITs) offer several academic programmes for which admission is done on the basis of JEE (Advanced) 2021. National Institutes of Technology (NITs), Indian Institute of Engineering Science and Technology, Shibpur (IIEST), Indian Institutes of Information Technology (IIITs or Triple-I-Ts) and a few other technical Institutes funded fully or partially by Central or a State government [Other-GFTIs] (referred to as NIT+) offer academic programmes for which admission is done on the basis of JEE (Main) 2021.

The Joint Seat Allocation Authority (JoSAA) 2021 has been set up by the Ministry of Human Resources Development (MHRD).

September 24, 2021
cia_edu-1280x925.jpg
1min421

ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં પ્રથમવાર બાયોલોજી વિષય સાથે પાસ થયેલા ૮૭૬ વિદ્યાર્થીઓ સહિત ૨૮,૭૫૦ વિદ્યાર્થીઓને ગુજરાતની જુદી જુદી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ મળ્યો છે. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટને સ્પર્શતી કેટલીક હકીકતો જાણવા જેવી છે.

ACPC : ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ એલોટમેન્ટ

  • ૪૮ કોલેજોની ૧૬ બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.
  • એસીપીસીના સીટ એલોટમેન્ટને અંતે સ્ટેટ ક્વોટાને મળતી કુલ બેઠકો પૈકી કુલ ૨૧,૫૪૩ બેઠકો ખાલી રહી છે.

ડિગ્રી ઈજનેરીમાં વિવિધ  ૧૯ જેટલી બ્રાંચોમાં ૧૯ સરકારી અને ૧૧૪ ખાનગી સહિતની ૧૩૩ કોલેજોની ૬૭ હજારથી વધુ બેઠકોમાંથી મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૫૦૨૯૩ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૨૮૭૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

આ વર્ષે મેરિટમાં કુલ ૩૪૬૧૬ વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૩૧૭૫૫ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગમાં ભાગ લીધો હતો.

  • તમામ બ્રાંચમાં કુલ મળીને ૯.૮૨ લાખથી  વધુ ચોઈસ ભરાઈ હતી.
  • પ્રવેશ ફાળવણીમાં ૧૯ સરકારી કોલેજોની ૧૦૪૯૨ બેઠકોમાંથી ૯૪૦૮ બેઠકો માં પ્રવેશ થયો છે.
  • ૧૧૪ ખાનગી કોલેજોની ૩૯૮૦૧ બેઠકોમાંથી ૧૯૩૪૨ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

એઆઈસીટીઈના નવી ગાઈડલાઈન મુજબ સરકારે આ વર્ષે લાગુ કરેલા નવા નિયમો મુજબ ઈજનેરીની ૧૫ જેટલી બ્રાંચોમાં ધો.12માં બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશની છુટ અપાઈ છે ત્યારે મેરિટમાં સમાવિષ્ટ બી ગ્રુપના ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓમાંથી ૮૭૬ વિદ્યાર્થીને બાયોમેડિકલ સહિતની બ્રાંચોમાં પ્રવેશ મળ્યો છે.

  • પ્રથમ રાઉન્ડની ફાળવણી બાદ સરકારી કોલેજોની ૧૦૮૪ અને ખાનગી કોલેજોની ૨૦૪૫૯ બેઠકો ખાલી રહી છે.
  • પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ કમ્પ્યુટર બ્રાંચમાં ૧૦૮૧૦ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
  • કમ્પ્યુટર બ્રાચ માટે ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીએ ચોઈસ ભરી હતી.
  • પ્રથમ રાઉન્ડમાં કુલ ૧૩૩ કોલેજોમાંથી માત્ર ૧૩ જ કોલેજોમાં ૧૦૦ ટકા સીટ એલોટમેન્ટ થયુ છે
  • ૫૭ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટ એલોટમેન્ટ થયુ છે અને
  • એક કોલેજમાં એક પણ બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી.
  • ૭૬ કોલેજોમાં ૫૦ ટકાથી ઓછી બેઠકોમાં પ્રવેશ થયો છે.
  • ૪૮ કોલેજોની ૧૬  બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.

ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમવાર વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને કોલેજો,કોર્સીસ,બેઠકો,ફી સહિતની તમામ ઉપયોગી માહિતી સાથેની  પુસ્તિકા તૈયાર કરાઈ છે.જેનું આજે શિક્ષણમંત્રી,ટેકનિકલ શિક્ષણ કમિશનર અને પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી દ્વારા વિમોચન કરવામા આવ્યુ હતું.

September 21, 2021
cia_edu-1280x925.jpg
3min352

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ હાલમાં નીટ-2021ની પરીક્ષઆનું પરીણામ ક્યારે જાહેર થશે તેની રાહ જોઇને બેઠા છે. પરંતુ, કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પરીણામ આવે ત્યાં સુધી રાહ જોયા વગર તેમનો ભાવિ પ્લાન બનાવી દેતા હોય છે. જેમકે અંદાજિત સ્કોરના આધારે કઇ કઇ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળી શકે તેની વિગતો એક પેપર પર તારવી લઇને, તેની ફી, ઘરથી દૂર હોય તો હોસ્ટેલ કે રહેવાની અન્ય વ્યવસ્થા વગેરેથી પોતાની જાતને અપગ્રેડ કરતા હોય છે.

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરી કરીને હાલમાં નીટના પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે અહીં ભારતની ટોપ-20 મેડીકલ કોલેજોની યાદી રજૂ કરી છે. આ માહિતી એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નિવડશે કે જેમનો સ્કોર 575 પ્લસ આવી શકે તેમ છે અને જે વિદ્યાર્થીઓ ભારતની ટોપ કોલેજમાં અભ્યાસ કરવાનું સપનું ધરાવે છે.

ભારતની ટોપ-20 મેડીકલ કોલેજો

COLLEGESSTATERANK
All India Institute of Medical SciencesDelhi1
Post Graduate Institute of Medical Education and ResearchChandigarh2
Christian Medical CollegeTamil Nadu3
National Institute of Mental Health & Neuro Sciences, BangaloreKarnataka4
Sanjay Gandhi Postgraduate Institute of Medical SciencesUttar Pradesh5
Amrita Vishwa VidyapeethamTamil Nadu6
Banaras Hindu UniversityUttar Pradesh7
Jawaharlal Institute of Post Graduate Medical Education & ResearchPondicherry8
King George`s Medical UniversityUttar Pradesh9
Kasturba Medical College, ManipalKarnataka10
Sree Chitra Tirunal Institute for Medical Sciences and TechnologyKerala11
Institute of Liver and Biliary SciencesDelhi12
St. John’s Medical CollegeKarnataka13
Sri Ramachandra Institute of Higher Education and ResearchTamil Nadu14
Aligarh Muslim UniversityUttar Pradesh15
Madras Medical College & Government General Hospital, ChennaiTamil Nadu16
Maulana Azad Medical CollegeDelhi17
Vardhman Mahavir Medical College & Safdarjung HospitalDelhi18
Dr. D. Y. Patil VidyapeethMaharashtra19
S.R.M. Institute of Science and TechnologyTamil Nadu20
September 10, 2021
neet_2021.png
2min2147

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.

ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.

નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે

September 8, 2021
cia_edu-1280x925.jpg
1min1427


બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી શરૂ થતાં હાશકારો
ટૂંક સમયમાં જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે

Jayesh Brahmbhatt 98253 44944

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના બે મહિના જેટલો સમય વીતી ગયા પછી બાયોલોજી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત થતા સુરતના 10 હજારથી વધુ અને ગુજરાતના 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતૂરતાનો અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ એડમિશન કમિટી પ્રોફેશનલ મેડીકલ પેરામેડીકલ કોર્સીસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ફર્સ્ટ ઇયર ફિઝિયોથેરાપી, બી.એસસી. નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે પીન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા કે સાઇબર કાફે થકી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન પણ ઓનલાઇન ખરીદવાનો રહેશે.
નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશનું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.13મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને

  • 27મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી કરી શકાશે.
  • તા.29મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકાશે.
  • તા.14 સપ્ટેમ્બરથી તા.28મી સપ્ટેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન કરાવી શકાશે.