CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 55 of 59 - CIA Live

April 20, 2019
gold-thief_thinkstock.jpg
1min7020

સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)

ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની  કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી  છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.

April 19, 2019
fraud.jpg
1min10420
વેપારીનું અપહરણ કરી બગોદરા પાસે ઉતારી દઈ 62 લાખ પડાવી લીધા: પિતા-પુત્ર અને બે મહિલા સહિત સામે ફરિયાદ
પાંચ હાટડી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડેરી તથા ઠંડા પીણાનો વેપાર કરતા હુશેન રજાકભાઈ (42) મેમણ વેપારીએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોતાની સાથે 6 જેટલા શખસોએ ઠગાઈ કરી 62 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલા સહિત છ આરોપીઓના નામો આપ્યા છે.
એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસ શરૂ કરતાં અને મેમણ વેપારીની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી કે હુશેન મેમણને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરીશ ગિરધરલાલ નંદા સાથે મિત્રતા હતા.િમત્રતા દાવે તેણે મેમણ વેપારી પાસેથી પૈસા મેળવવા પ્લાન કર્યો હતો.જેના અનુસંધાને હરીશ નંદાએ પોતાના જૂનાગઢ તેમજ અન્ય મિત્રો પાસે રૂા.61 લાખ 701 હજારની જૂની ચલણી નોટ છે જે બદલી આપશું તો મોટું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ગત તા.28-3-19ના દિવસે ગોકુલનગરમાં બોલાવ્યા હતા.
આક્ષેપ થયો છે કે આ સ્થળે એક કાર આવી હતી જેમાં બીલખાનો સલીમ, જૂનાગઢનો મુન્ના ઈબ્રાહીમ મીર તથા બે અજ્ઞાત મહિલા બેઠી હતી જયારે હરીશ ગિરધરલાલ અને તેના પુત્ર ચિરાગે એકસંપ કરી વેપારીનું અપહરણ કર્યું હતું અને વેપારી પાસે રહેલી રૂા.62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં તેમને બગોદરા પાસેથી ઉતારી દીધા હતાં. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આ અંગે એલસીબીને તપાસ સોંપાઈ છે. તપાસનો દોર જૂનાગઢ અને બીલખા સુધી લંબાવાયો છે. જામનગરના ભાનુશાળી પિતા-પુત્રો પણ ફરારી થઈ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min5730
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.
April 16, 2019
eway_bill.jpg
1min5900

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.

બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.

મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

April 16, 2019
congress.jpg
1min5170

વિસાવદરમાં ચૂંટણી પ્રચારની સભામાં પાંખી હાજરીને પગલે છેલ્લી ઘડીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમ રદ કર્યો હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના કાર્યક્રમમાં હવે દાળિયુંય ન આવે.

સીએમ હૅલિકોપ્ટરથી અહીં આવ્યા હતા. અહીં ઉતર્યા બાદ ખબર પડી કે ફક્ત 100 લોકો જ હાજર છે. બીજેપીની સાથે સાથે અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ હતો. પોલીસે અમારા કાર્યકરોને ધમકાવીને અમારો કાર્યક્રમ બંધ રાખવાનું કહ્યું હતું. પોલીસે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કુદરતનું કરવું કહો કે બીજું કંઈ ભાજપનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. આ ખેડૂતોનો વિસ્તાર છે. ખેડૂતના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધુંબા માર્યા છે. તેમને ખબર જ હતી કે માણસો નહીં થાય. સોમવારે મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો. ભાજપે વિસાવદરમાં બક્ષીપંચ સંમેલન યોજ્યું હતું. દરમિયાન કાર્યક્રમ રદ થવા અંગે વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય રિબડિયાએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં ખેડૂતોને બીજેપીએ ખૂબ હેરાન કર્યા છે. આજે લોકો સીએમના કાર્યક્રમમાં પાક વીમા અંગે રજૂઆત કરવાના હતા. આજે અહીં પાંચ હજાર લોકોનું જમણવાર પણ હતું. હું બીજેપીના લોકોને કહેવા માગું છું કે આ ખેડૂતોનો વિસ્તાર છે, અહીં ભાજપનું દાળિયુંય ન આવે. મતપેટી ખૂલે ત્યારે મુખ્યમંત્રી અને વડા પ્રધાને અહીં આવીને જોવું હોય જોે જોઈ લે, અહીં અમે જીતવાના છીએ.

April 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5350

ચોટીલામાંથી યુવતીનું અપહરણ કરનાર લંપટ પ્રો. ધવલ ત્રિવેદીને ઝડપી લેવા ઈઇઈંને આદેશ
મુળ વડોદરા પંથકના અને ઘણા સમય પહેલા જામનગર હાઈવે પર આવેલી ગારડી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ધવલ ત્રિવેદી નામના લંપટ પ્રોફેસરે જામનગર પંથકની બે સગીર વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી ગયો હતો અને બે વર્ષના અંતે રાજકોટ સીઆઈડી ક્રાઈમના સ્ટાફે પંજાબ પંથકમાંથી લંપટ ધવલ ત્રિવેદીને બંને સગીર વિદ્યાર્થિનીઓ સાથે ઝડપી લીધો હતો અને લંપટ ધવલ ત્રિવેદીને જેલમાં ધકેલી દીધો હતો.
આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે લંપટ ધવલ ત્રિવેદીને ર018માં આજીવન કેદની સજા ફટકારી હતી. લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી બે વખત છુટાછેડા લઈ ચુકયો છે અને આઠથી દસ યુવતીઓને ભગાડી ગયો છે. રાજકોટ જેલમાં સજા ભોગવતા ધવલ ત્રિવેદીએ બે વખત પેરોલ પર છુટયા બાદ પરત જેલમાં આવી ગયો હતો અને ત્રીજી વખત જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર થઈ ગયો હતો અને ચોટીલામાં એક શખસ સાથે ભાગીદારીમાં ઈગ્લીશ કલાસીસ શરૂ કર્યા હતા અને એક વેપારીની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતીને લઈ નાસી છુટયો હતો. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો તેમજ ધવલ ત્રિવેદીના મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને દિલ્હીમાં એક શખસને મોબાઈલ વેચી દીધાનું ખુલ્યુ હતું બાદમાં એલસીબી તથા અન્ય સ્પેશ્યલ ટીમ દ્વારા ધવલ ત્રિવેદી અને યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. પોલીસ દ્વારા નેપાળ-પંજાબ-દિલ્હી સહિતના શહેરોમાં મેઈલ-વોટસએપ દ્વારા શાળા-કોલેજોમાં બંનેના ફોટોગ્રાફસ અને સમગ્ર વિગતો મોકલી મદદ માગવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ અરજીના મામલે સુનાવણી કરી હતી અને આ પ્રકરણની તપાસ સીબીઆઈને કરવા હુકમ કર્યે હતો અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે નેપાળ નાસી છુટયો હોઇ તાકીદે નેપાળ તપાસ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી અને ચાર સપ્તાહમાં કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.
April 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5140

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સામું જોવા, મોટા અવાજે ગાળો બોલવા સહિતની બાબતે જસદણના કુલદીપ ચાંપરાજભાઈ ખવડ નામના યુવાનની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. સાથે જસદણમાં રહેતા તેના મિત્ર અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચરનો જાન લેવાનો પ્રયાસ’ થયો હતો. ખૂન અને ખૂનની કોશિશનો ગુનો આચરીને નાસી ગયેલા બે પોલીસવાળા વિજય ડાંગર અને હિરેન ખેરડિયા સહિતના સાત બદમાશોની પોલીસ શોધી રહી છે.
જસદણમાં રહેતા અને વિપુલ હીરપરા નામના યુવાનની હત્યામાં પકડાયેલા અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચર સામેનો ખૂનનો કેસ રાજકોટની અદાલતમાં ચાલતો હોવાથી અને કોર્ટમાં તારીખ હોવાથી તે પોલારપર રોડ પર રહેતા તેના મિત્ર કુલદીપ ચાંપરાજભાઈ ખવડને સાથે લઇને કારમાં રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોક પાસેના સરદારનગરમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્વિગી ફૂડ કંપનીમાં નોકરી કરતા તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફે બાઉ હરેશભાઇ ઉર્ફે બાબાભાઇ ધાંધલને ત્યાં રોકાયા હતા.
તા.10મીએ રાત્રે એ ત્રણેય મિત્ર યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં તેના અન્ય મિત્રો ભગીરથ ઉર્ફે ધરમ અનકભાઇ વાળા, સાગર જગદીશભાઇ વાળા, નિકુંજ હરેશભાઇ જાની, સંજય વગેરે આવ્યા હતા. આ મિત્રોએ જમી લીધા બાદ ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફના રસ્તા પર આવેલા ગોલાવાળાને ત્યાં ગોલા ખાવાનું નક્કી કર્યું હતું.

દેવેન્દ્ર, કુલદીપ, અભિલવ અને સંજય કારમાં અને અન્ય મિત્રો બાઇક પર ગોલાવાળાને ત્યાં પહોંચ્યા હતા. ગોલાવાળાની દુકાનની સામે ઓવરબ્રિજ નીચે બીજા સાત આઠ લોકો બેઠા હતા. બ્રિજ નીચે બેઠેલા લોકોએ ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ શખસો અમને જોઇને દેકારો કરીને ગાળો બોલતા હોવાનું જણાતા દેવેન્દ્ર, કુલદીપ અને અભિલવ એ શખસોને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. એ શખસોએ કુલદીપ અને અભિલવને ધક્કો મારીને ગાળો દીધી હતી. આથી ઝઘડો કરવો હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લેવાનું કહ્યું હતું. એ પછી કુલદીપ સહિત ત્રણેયની તેની કાર પાસે ગયા હતા. અભિલવે તેના મિત્ર યશપાલને ફોન કરીને ઝઘડાની વાત કરી હતી. યશપાલે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી એકનો ફોન આવે છે. એ મને પણ ઓળખે છે. આથી તમે કોઇ ઝઘડો કરતા નહીં. હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉં છું. એ પછી સામે બેઠેલા શખસોએ ફરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરી એ શખસો પાસે જતાં એક શખસે છરી કાઢીને અભિલવના પડખામાં મારી દીધી હતી. આથી દેવેન્દ્ર સહિતના લોકો ભાગ્યા હતા અને તેનો પીછો કરીને કુલદીપને ઝડપી લઇને છરીના ઘા પેટ, ગળા, હાથમાં મારી દીધા હતા. એ પછી અભિલવની છાતી અને હાથમાં છરી મારી દેવામાં આવી હતી. આ દેકારો થતાં અન્ય લોકો એકત્ર થઈ જતાં હુમલાખોર સ્કોડા કાર સહિતનાં વાહનમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કુલદીપ ખવડ અને અભિલવ ખાચરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કુલદીપનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. બાદમાં યશપાલે હુમલો કરનાર અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડિયા, વિજય ડાંગર સહિતના શખસો હોવાનું જણાવ્યું હતું. આ વિગતના આધારે દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલે ફરિયાદ નોંધાવી હતી. ખૂન અને ખૂનની કોશિશની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં વિજય ડાંગર અને હિરેન ખેરડિયા પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. વિજય પ્રદ્યુમનનગર પોલીસ અને હિરેન ટ્રાફિક શાખામાં પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. પોલીસે એ બન્ને પોલીસમેન સહિત સાત શખસને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો હતો પણ કોઇની ભાળ મળી ન હતી.

મૃતક કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદનાં તરઘડાગામે રહેતાં તેના મામાની દીકરી સાથે કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન લેવાના હતા. વિધવા માતાના પુત્ર અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ અભિલવ ખાચરના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છે. તે પરિવારનો એકનો એક આધાર સ્તંભ જેવો છે. જસદણના યુવાનની હત્યા અને તેના મિત્ર પર ખૂની હુમલો કરવાના બનાવ અંગે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લીધા હતા.

April 12, 2019
pabubha.jpg
1min7670

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન દ્વારકાની બેઠકના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ટેકનિકલ ભૂલ હતી, જેને ચૂંટણી તંત્રએ નકારી પણ ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી

2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા માણેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરીયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી.

મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે પબુભા માણેકે પોતાના ઉમેદવારી ફોર્મના ભાગ 1 માં તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડવા માગે છે, તે દર્શાવેલું ન હતું, પરિણામે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. આ મામલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારને નોટિસ પણ ફટકારી હતી. જો કે કોંગ્રેસની વાંધા અરજી ન સ્વીકારાતા ચૂંટણી યોજાઈ હતી.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

હાઇકોર્ટના ચૂકાદાની સાથે જ ભાજપામાં ભૂકંપ મચી ગયો હતો. હવે દ્વારકાની બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડશે. હાલમાં ચૂંટાયેલા જાહેર થયેલા ધારાસભ્ય પબુભા માણેક હવે એમ.એલ.એ. મટીને સામાન્ય મતદાર બનીને રહી ગયા છે.

April 12, 2019
pakvima.jpg
1min5890

ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો પોતાની માગણી સાથે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.

રાજકોટમાં ખેડૂતોની રેલી અને સભા માટે મંજૂરી મળી નહોતી, તેમ છતાં ખેડૂતોએ રેલી કાઢી હતી જેની સામે પોલીસે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ સહિત આસપાસના ખેડૂતો મામલતદારને આવેદન પત્ર આપવા માટે ભેગા થયા હતા જેમાં ખેડૂતોની માગણી હતી કે પ્રીમિયમ ભરતા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે.

સરકારે કોઈ પણ ભોગે અછતગ્રસ્ત તાલુકાઓને પાક વીમો અપાવવો પડશે. ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે.

વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી. તેમ જ સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈશું. અમને કોઈ રોકી શકે તેમ નથી.

ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવો જ પડશે. પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી ખેડૂતોએ કહ્યું કે, પાક વીમા કંપનીઓ સાથે સરકારને પણ ખેડૂતોની ચિંતા નથી. તેઓ પણ અમારી કોઈ માગણીઓ સ્વીકારતા નથી.

April 11, 2019
cash.jpg
1min5820
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ મોટી રકમની હેરફેર પર ‘બાજ’ નજર રાખી રહી છે. ત્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટ રોડ પર આવેલી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.1.10 કરોડની રોકડ સીઝ કરી હતી.
(Symbolic Pic)
ચૂંટણી દરમિયાન કાળાનાણાની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્ષ વિભાગ સજ્જ બન્યુ છે. એરપોર્ટ સહિતના સ્થળોએ આઇ.ટી.ની ખાસ સ્કવોડ દ્વારા વોચ ગોઠવાય છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટુ ઓપરેશન કરાતા આંગડિયા પેઢીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્રની જાણીતી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચની’ કામગીરી હાથ ધરાઇ હતી.
વિંગ કમિશનર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 ઇન્સપેકટરો સહિતની ટીમ આ ઓપરેશનમાં જોડાઇ હતી. ગઇકાલે મોડી સાંજે આંગડિયા પેઢી’ પર તવાઇ ઉતારાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ કામગીરી શરૂ થતાની સાથે જ પેઢીમાંથી રૂ.1.10 કરોડની રોકડ મળી આવી હતી. જેની તપાસ’ બાદ પેઢી સંચાલક વિકાસ મેકવાનની પૂછતાછ કરાઇ હતી. પરંતુ આ રકમ અંગે સંચાલકે મૌન સેવી લીધું હતું. આઇ.ટી. વિભાગ દ્વારા અંતે રકમ સીઝ કરી ચૂંટણી કમિટીમાં રીપોર્ટ મોકલ્યો છે.
મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ થયાના થોડા સમયમાં જ રોકડ મળી આવતા તપાસનો દૌર વધુ ઘનિષ્ઠ કરાયો હતો. સર્ચ ઓપરેશનની જાણ આંગડિયા પેઢી એસોસીએશનને મળતા સંગઠનના સભ્યો દરોડાના સ્થળે પહોંચી ગયા હતા. જેના પગલે આઇ.ટી. વિભાગને પોલીસ બોલાવવી પડી હતી અને 8 થી 10 હથિયારધારી પોલીસને બોલાવ્યા બાદ બંદોબસ્ત હેઠળ કામગીરી કરી હતી.