CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 42 of 59 - CIA Live

May 24, 2020
Savarkundala.jpg
1min4830

બોરીવલીથી આશરે ૧૫૦૦ જેટલા હીરાના કારીગરો માટે શુક્રવારે મોડી રાતે રવાના થયેલી ટ્રેન Friday બપોરે ૧૨.૩૦ વાગ્યે સાવરકુંડલા પહોંચી હતી. સાવરકુંડલાના હીરાના કારીગર તેમ જ બોરીવલી અને દહિસરના હીરાના કારખાનેદારોએ આખા મુંબઈ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. એક તરફ જ્યાં મુંબઈ શહેરની બહાર જવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ સારી રીતે રજૂઆત કરીને પ્રશાસન અને સરકારની મદદથી આ તમામ લોકો મફતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. અમદાવાદમાં ટ્રેનને બે કલાક હોલ્ટ આપી, તમામ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બોરીવલી અને દહિસરમાં ૭૦૦થી ૮૦૦ જેટલી હીરાની ફૅક્ટરીઓ છે. અહીં મોટા ભાગે ફૅક્ટરીના માલિકો તેમ જ કર્મચારીઓ સૌરાષ્ટ્રના છે.

૧૬ મેના દિવસે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑફ પોલીસને અરજી કરી હતી કે બોરીવલી અને દહિસરમાં રહેતા હીરાના કારખાનેદારોને ત્યાં કામ કરતા કર્મચારીઓને સાવરકુંડલા-સૌરાષ્ટ્ર તરફ જવું છે. અમારી અરજી ઑથોરિટીને ફૉર્વર્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. જોકે પહેલાં અમને જે ટ્રેન આપવામાં આવી હતી એ રાત્રે ૧૨ વાગ્યે સાવરકુંડલા પહોંચી રહી હતી અને સાવરકુંડલાનું તંત્ર એ માટે તૈયાર નહોતું એથી ટ્રેનનો સમય બદલવામાં આવ્યો. એ ઉપરાંત સારી રીતે મુસાફરી કરવા માટે ૩૦ જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું, જ્યાં ગ્રુપ-લીડર નિયુક્તિ કરવામાં આવ્યો. તમામનાં મેડિકલ-ટેસ્ટ કરવામાં આવ્યાં, દરેક વ્યક્તિ કોરોના-મુક્ત છે.

May 22, 2020
loan.jpg
1min4870

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.

કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.

રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.

વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

May 22, 2020
coronamapgujarat.png
1min7880

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ૬૪માં દિવસે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. શુક્રવારે સાંજે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ હતી જ્યારે વધુ ૨૯નાં મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો હતો. જ્યારે અમદાવાદમાં ૩૨૮ સહિત રાજ્યમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઈ હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ ૨૭૫નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫,૮૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. શુક્રવારે નોંધાયેલાં ૨૯ મૃત્યુના કેસ પૈકી ૧૧ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે ૧૮નાં મોત અન્ય બીમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં હતા. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ ૬,૫૯૧ એક્ટિવ દર્દીઓ પૈકી ૬૩ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર હતા તથા ૬,૫૨૮ સ્ટેબલ હતા. ગત ૨૪ કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા ૬,૪૧૦ રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૨,૫૬૨ સેમ્પલ ટેસ્ટ થયાં હતા.

Reported on 22 May ગુજરાત કોરોના : ૧૦ દિવસમાં ૨૫૬ મોત

ગુજરાતમાં દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ ઘટાડો થવાને બદલે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવાર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ ૨૫૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દરરોજ સરેરાશ ૨૫થી ૩૦ લોકોનાં મોત નિપજે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૭૪૯ મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ૬૦૨ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ ૩૦ મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા ૨૭૧ કેસ અને ૨૬ મૃત્યુ થયાં હતાં. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કુલ ૬,૦૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

છેલ્લા ૧૦ દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫ મોત ૧૮ મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા ૫ મી મેના રોજ ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દરરોજ ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ ૨૫૦થી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો ૨૦મી મેએ ૩૯૮, ૧૯મીએ ૩૫, ૧૮મીએ ૩૬૬, ૧૭મીએ ૩૯૧, ૧૬મીએ ૧૦૫૭, ૧૫મીએ ૩૪૦, ૧૪મીએ ૩૨૪, ૧૩મીએ ૩૬૪, ૧૨મીએ ૩૬૨ અને ૧૧મીએ ૩૪૭ કેસ નોંધાયા હતા.

May 22, 2020
csc-1280x720.jpg
1min5150

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશભરના અંદાજે ૧.૭ લાખ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતેથી શુક્રવારથી ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરવાની અને આગામી બે-ત્રણ દિવસમાં સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી બુકિંગ શરૂ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તાર જ્યાં કમ્પ્યુટર તેમ જ ઈન્ટરનેટની ઉપલબ્ધતા નજીવી કે બિલકુલ નથી ત્યાં ઈ-સેવા પૂરી પાડવામાં સીએસસી મહત્વની ભૂમિકા ભજવે છે. બે-ત્રણ દિવસમાં ચોક્કસ સ્ટેશનોના કાઉન્ટર પરથી પણ રેલવે ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ક્યા સ્ટેશનો પરથી આ સેવા શરૂ કરવામાં આવશે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જલદી જ વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

દેશમાં જનજીવન સામાન્ય બને તે માટેના પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રમિક ટ્રેન ચલાવવાને મામલે આપેલા સહકાર બદલ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને સહકાર ન આપવા બદલ પ. બંગાળના અને ઝારખંડની આકરી ટીકા કરી હતી. પહેલી જૂનથી શરૂ કરવામાં આવનારી ૨૦૦ પ્રવાસી ટ્રેન માટે પ્રથમ બે કલાકમાં દોઢ લાખ લોકોએ અને માત્ર અઢી જ કલાકમાં ચાર લાખ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

આ ટ્રેનોમાં એસી, નૉન-એસી તેમ જ સંપૂર્ણ રિઝર્વ કોચ હશે, એમ તેમણે કહ્યું હતું.

કામ પર પાછા ફરવા લોકોએ પાછાં આવવાની ટિકિટ કઢાવવાનું પણ શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. ૮-૯ મે સુધીમાં પ. બંગાળમાં અત્યાર સુધીમાં અમે માત્ર ૨૭ ટ્રેન જ દોડાવી શક્યા છીએ અને તેમાંથી માત્ર બે ટ્રેન જ ત્યાં પહોંચી શકી છે, એમ તેમણે કહ્યું હતું. ૨૦મી મેએ ૨૭૯ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં સ્થળાંતર કરનારા શ્રમિકો, વિદ્યાર્થીઓ તેમ જ ઘરમાં ફસાયેલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.

May 16, 2020
coronaguj-1280x875.jpg
1min4570

ગુજરાતમાં તા.16મી મે ને શનિવારના દિવસ દરમિયાન નવા કુલ 348 મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 10989 થઈ છે અને મૃત્યુઆંક પણ 625એ પહોંચ્યો હોવાની વિગતો શનિવારે મોડી સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જારી કરી હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા તેમજ દાહોદમાં 2-2, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર, કુલ 10989 પોઝિટિવ દર્દીઓમાંથી 6010 લોકોની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 46 લોકો ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે વધુ 273 દર્દીઓને રજા આપતા કુલ 4308 દર્દીઓ કોરોના વાયરસ સામે લડત મેળવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 138407 લોકોની તપાસ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 290750 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે, જ્યારે 9098 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. જ્યારે 785 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી રાજ્યભરમાં કુલ ક્વોરન્ટીન લોકોની સંખ્યા 300633એ પહોંચી છે.

May 16, 2020
farmers.jpg
1min5420
  • ખેડૂતો તેમનો પાક આકર્ષક ભાવે વેચી શકે, કોઈ મુશ્કેલી વિના આંતરાજ્ય વેપાર અને ખેતીના ઉત્પાદનોના ઈ-ટ્રેડિંગ માટે ફ્રેમવર્ક તૈયાર કરવા એક કાયદો બનાવાશે: નિર્મલા સીતારમણ
  • સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારા, 1955 (એસેન્ટિયલ કોમોડિટિઝ એક્ટ, 1955)માં સુધારો કરશે. તેલીબિયાં, કઠોળ, બટેટાં જેવી પ્રોડક્ટ્સને તેમાં ડિ-રેગ્યુલેટ કરાશે: નિર્મલા સીતારમણ
  • ઓપરેશન ગ્રીનનો વિસ્તાર ટમેટાં, ડુંગળી અને બટેટાં ઉપરાંત અન્ય બધા ફળ અને શાકભાજી માટે પણ કરવામાં આવશે: નાણા મંત્રી
  • મધમાખી ઉછેર માટે 500 કરોડની સ્કીમ લાવવામાં આવશે. તેનાથી મધમાખી પાલન માટે આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • ગંગા કિનારે 800 હેક્ટર જમીન પર હર્બલ પ્રોડક્ટ્સ માટે કોરિડોર બનાવાશે: નિર્મલા સીતારમણ
  • હર્બલ ખેતીના પ્રમોશન માટે 4,000 કરોડ રૂપિયાની જોગવાઈ. લગભગ 10 લાખ હેક્ટરમાં હર્બલ પ્રોડક્ટ્સની ખેતી થશે. તેનાથી ખેડૂતોને 5,000 કરોડની આવક થશે: નાણા મંત્રી
  • એનિમલ હસબન્ડ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • 53 કરોડ પશુઓના રસીકરણની યોજના અમે લઈને આવ્યા છીએ. તેમાં લગભગ 13,343 કરોડ રૂપિાય ખર્ચ થશે: નાણા મંત્રી
  • પીએમ મત્સ્ય સંપદા યોજનામાં 20,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દરિયાઈ અને આંતરદેશીય મત્સ્ય પાલન માટે અને 9,000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લગાવાશે: નાણા મંત્રી
  • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10,000 કરોડની સ્કીમ લાવવામાં આવી છે. બિહારમાં મખાનાના ક્લસ્ટર, કેરળમાં રાગી, કાશ્મીરમાં કેસર, આંધ્ર પ્રદેશમાં મરચું, યુપીમાં કેરી સાથે સંલગ્ન ક્લસ્ટર બનાવાઈ શકે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • આ ફંડ એગ્રિકલ્ચરલ સ્ટાર્ટઅપ્સ માટે માળખાગત સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે: નાણા મંત્રી
  • ખેતી આધારિત આધારભૂત માળખું બનાવવા માટે 1 લાખ કરોડની યોજના લાવવામાં આવી છે: નિર્મલા સીતારમણ
  • લોકડાઉન દરમિયાન 5000 કરોડની વધારાની લિક્વિડિટીનો લાભ ખેડૂતોને થયો છે: નાણા મંત્રી
  • લોકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
May 16, 2020
neet.jpg
4min13270

સૂરતથી સૌરાષ્ટ્ર પહોંચેલા કે કોટાથી ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આવકારદાયક સગવડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના સંક્રમણને કારણે ભારતમાં ઉદભવેલી પરિસ્થિતિને પગલે દેશમાં શૈક્ષણિક શિડ્યુલ ખોરવાય ગયું છે. મેડીકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ હવે જુલાઇમાં લેવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રો પણ હોટસ્પોટ કે કન્ટેમેન્ટ ઝોનમાં આવે તેવી સ્થિતિ છે.

કોટા કે અન્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ધો.11-12 રાજસ્થાનના કોટા, મહારાષ્ટ્રના લોની કે અન્ય રેસિડેન્સીયલ સ્કુલોમાં અભ્યાસ કરવા પોતાના વતનથી દૂર, નિવાસસ્થાનથી બીજા શહેરોમાં અભ્યાસ કરે છે. અને આવા વિદ્યાર્થીઓએ નીટ રજિસ્ટ્રેશન વખતે એ જ વિસ્તારના પરીક્ષા કેન્દ્રને પસંદ કર્યા હતા. હવે કોવીડ-19 અને લૉકડાઉનની સ્થિતિ બાદ હજારો વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચી ગયા છે. અને જુલાઇ 26મી સુધીમાં દેશમાં આંતરીક પરીવહનને મંજૂરી મળે તેવી શક્યતા હાલ દેખાતી નથી. પરીણામે નીટ 2020ના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.

નીટ 2020 માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ તા.31મી મે 2020 સુધી પોતાના પરીક્ષા કેન્દ્ર એટલે કે શહેર, નગરને બદલી શકશે.

સૂરત અને સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓ કેન્દ્રો બદલે તેવી શક્યતા

સૂરત શહેરમાંથી પણ હજારો પરીવારો વતન સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. આ પરીવારો પણ દોઢ મહિના પહેલા સૂરત પરત ફરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં અગાઉ સૂરત રહીને નીટનો અભ્યાસ કરનારા હજારો વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર વતનમાં પહોંચી ગયા હોઇ, તેઓ પણ નીટના પરીક્ષા શહેરમાં ફેરફાર કરી શકે તેમ છે.

https://ntaneet.nic.in/ntaneet/ShowPdf.aspx?Type=50C9E8D5FC98727B4BBC93CF5D64A68DB647F04F&ID=761F22B2C1593D0BB87E0B606F990BA4974706DE

NEET 2020 application form correction & exam city change date extended again

The National Testing Agency (NTA) has yet again extended tha last date to make corrections in their particulars and centre cities in the NEET UG online application forms. As per the official notice released by NTA, the facility for correction in the particulars including choice of centre cities in the online application form will be available up to May 31, 2020.

Applicants can visit the official website of NTA NEET — ntaneet.nic.in — to make corrections in their particulars.

It should be noted that the correction in the particulars in the NEET online application forms will be accepted up to 05.00 pm and submission of fee up to 11.50 pm on May 31, 2020.

Candidates can pay the requisite (additional) fee (if applicable), through Credit/ Debit Card/ Net Banking/ UPI and PAYTM. It is to be noted that in case, additional fee payment is required depending on the changes made in the form, the final updates will be reflected after the payment.

The notification also reads “NTA will make efforts to allot the city of examination to the candidates in order of choices now opted by them in their Application Form, subject to the availability of capacity in the desired city. However, due to administrative reasons, a different city may be allotted and the decision of the NTA regarding allotment of the centre will be final.”

May 15, 2020
corona_testing.png
1min5230

ગુજરાતમાં કોરોનાના પ્રવેશને બે પોણા ત્રણ મહિના વીતવા આવ્યા બાદ પણ હજુ કોરોના વાયરસ કાબૂ બહાર છે ત્યારે નવી ગાઇડ લાઇન મુજબ ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. જ્યારે દર્દીઓને હોસ્પિટલોમાંથી ડીસ્ચાર્જ કરવાના રેશીયો વધી રહ્યો છે બીજી બાજુ નવા પોઝિટિવ કેસમાં કોઇ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો નથી. બુધવારે છેલ્લા ૧૦ દિવસમાં થયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો સૌથી ઓછો હોવા છતાં ૨૪ કલાકમાં જ નવાં ૩૬૪ કેસ નોંધાતાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ૧૦ હજારની આંકડા તરફ આગળ વધી રહી છે. જ્યારે વધુ ૨૯ લોકોના કોરોનાથી મોત થતા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં થયેલ ટેસ્ટિંગ

૧૩મે સુધી કુલ ૧,૨૨,૨૯૭

  • ૧૨મીએ ૩૦૬૬,
  • ૧૧મીએ ૨૯૭૮,
  • ૧૦મીએ ૩૮૪૩,
  • ૯મીએ ૪૨૬૩,
  • ૮મીએ ૪૮૩૫,
  • ૭મીએ ૫૩૬૨,
  • ૬ઠ્ઠીએ ૫૫૫૯,
  • ૫મીએ ૪૯૮૪,
  • ૪થી એ ૪૫૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં થયેલ ટેસ્ટિંગ પર નજર નાંખીયે તો, ૧૩મી મેના રોજ સૌથી ઓછા ૨૭૫૦ ટેસ્ટ થયા હતા જ્યારે ૧૨મીએ ૩૦૬૬, ૧૧મીએ ૨૯૭૮, ૧૦મીએ ૩૮૪૩, ૯મીએ ૪૨૬૩, ૮મીએ ૪૮૩૫, ૭મીએ ૫૩૬૨, ૬ઠ્ઠીએ ૫૫૫૯, ૫મીએ ૪૯૮૪, ૪થી એ ૪૫૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૧૩મે સુધી કુલ ૧,૨૨,૨૯૭ ટેસ્ટ થયા હતા. આમ ૧૩મી મે સુધીમાં રાજ્યમાં કોરના વાઈરસના કુલ ૯૨૬૮ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ૨૯૨, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૮, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગર-જામનગરમાં ૩-૩, પાટણમાં ૨, પંચમહાલ, બનાસકાંઠા, ગીરસોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જૂનાગઢ, અમરેલી સહિતનાં જીલ્લામાં એક-એક કેસ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

May 12, 2020
crime_in_lockdown.jpg
1min5520

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.  

શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.

રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે.

રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

May 9, 2020
corona-gujarat.jpg
1min4440

કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં ૭૦૨૧ કેસો, ૪૨૫ મૃત્યુ સાથે મૃત્યુ દર ૨૩ ટકા અને રીકવરી રેટ માત્ર ૧૬ ટકા સાથે નિષ્ફળતામાં પ્રથમ નંબરે રહી છે એવો ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે,૪૦ દિવસ પછી પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, બોટાદ જેવા શહેરોમાં કોરોનાને કાબુમાં લેવા અને સારવાર કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

એટલે જ કેસોની સંખ્યામાં રોજનો ૩૦૦ થી ૪૦૦ જેટલો વધારો થાય છે. રીકવરી રેટ ૧૬% જેટલો ઓછો છે. જે કેરાલામાં ૭૯% જેટલો રીકવરી રેટ છે. ગુજરાતમાં મૃત્યુ દર ૨૩% જેટલો ઉંચો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક લાખ જેટલા જ ટેસ્ટ થયા છે. અને ભારતમાં ૭ લાખ જેટલા ટેસ્ટ થયા છે, જ્યારે ૮.૫ કરોડની વસ્તીવાળા જર્મનીએ ૨૫ લાખ ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને રોજના ૧.૨૫ લાખ ટેસ્ટ કરે છે. ગુજરાતમાં માત્ર ૫ હજાર ટેસ્ટ થાય છે જ્યારે આપણા કરતાં નાના અને ઓછા સમૃદ્ધ રાજસ્થાન રોજના દસ હજાર ટેસ્ટ કરે છે.