CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 34 of 59 - CIA Live

August 8, 2020
2018_5large_gujarat_map.jpg
1min5740

કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

August 7, 2020
dwarka_temple.jpg
1min6580

ઇતિહાસમાં પહેલી વખત એ ઘટના બનશે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં જ વિશ્વપ્રસિદ્ધ કૃષ્ણમંદિર, દ્વારકાના દ્વાર લોકો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.

મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.

દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.

August 7, 2020
corona-gujarat.jpg
1min5410

અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.

વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.

વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.

August 7, 2020
Saurastra.png
1min4750

રાજકોટની સ્થિતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરુવારે સૌરાષ્ટ્રમાં 300 નવા કેસ નોંધાયા હતા અને 18 દરદીનો ભોગ લેવાયો હતો તો 189 દરદી સાજા થયા હતા. રાજકોટ શહેરમાં તા.5ના સાંજે 5થી તા.6ના બપોર સુધીમાં’ 49 અને સાંજના 6 સુધીમાં 22 એમ ચોવિસ કલાકમાં 71 નવા કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 1600ની નજીક 1570 થવા પામ્યો હતો. જેમાંથી આજે વધુ 45 દરદીને ડિસ્ચાર્જ કરાતા હાલ 729 દરદી સારવારમાં છે. શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ શહેરમાં 10 અને વાસાવડમાં એક મળીને તાલુકામાં નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે માંડણકુંડલાના 64 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ. જેતપુર શહેરમાં 6 નવા કેસ આવતા તાલુકાનો કુલ આંક 131 થવા પામ્યો છે. જામકંડોરણા શહેર, તરકાસર અને રાયડી ગામેથી એક-એક મળીને તાલુકામાં 3 નવા કેસ નોંધાતા કુલ આંક 48 થયો હતો. રાજકોટમાં માંડણકુંડલાના મહિલા સહિત શહેરના 4, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 મળીને કુલ 8 દરદીનો ભોગ લેવાયો હતો. આ સાથે જિલ્લાનો કુલ આંક 2400ને નજીક 2374 થવા પામ્યો હતો. જેમાંથી 516 દરદી હાલ સારવારમાં છે. રાજકોટ શહેરમાં 71 અને તાલુકા-ગ્રામ્યમાં 19 તેમજ અન્ય જિલ્લાના 6 મળીને જિલ્લામાં નવા 96 કેસ નોંધાયા હતા, ઉપરાંત 8 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા, તો બીજી તરફ 72 દરદી સાજા થયા હતા. જ્યારે ભાવનગરમાં 44 કેસ અને 39 સાજા થયા હતા.

જામનગર 33 નવા કેસ સાથે 4 દરદી મૃત્યુ પામ્યા હતા અને 25 દરદી સાજા થયા હતા. જૂનાગઢમાં નવા 44 કેસ તથા 3 મૃત્યુ અને 16 દરદી સાજા થયા હતા.

અમરેલી 20, મોરબી 19 કેસ-2 મૃત્યુ અને 5 સાજા થયા હતા. બોટાદ 5 કેસ-3 ડિસ્ચાર્જ, ગિર સોમનાથમાં 16 કેસ તથા એક મૃત્યુ અને 25 સાજા થયા હતા. જ્યારે પોરબંદરમાં 2 કેસ-4 ડિસ્ચાર્જ, દ્વારકા 3 અને સુરેન્દ્રનગરમાં 18 નવા કેસ નોંધાયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે 44 નવા કેસ સાથે કુલ આંક 1712 થત્તા પામ્યો છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 16 પુરૂષ અને 7 ત્રી મળી કુલ 23 તથા ભાવનગરના અધેવાડા ગામે 3, ભુતેશ્વર ગામે 1, નવાગામ (ચિરોડા) ગામે 1, ગારિયાધારમાં 2, પાલિતાણામાં 4, સિહોરમાં 3, ઉમરાળાના ધોળા ગામે 3, ટીંબી ગામે 2, દડવા ગામે 1 તથા વલભીપુરમાં 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 26 અને તાલુકાઓના 13 એમ કુલ 39 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થયા હતા.
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે કોરોનાથી વધુ ત્રણના મૃત્યુ નિપજતા કુલ મૃતાંક 52 થયો છે. જ્યારે આજે જૂનાગઢ શહેરમાં વધુ 26, ગ્રામ્યમાં 4, વિસાવદરમાં 4, વંથલીમાં 3, માળિયા-કેશોદમાં 2-2 કેસ, બીલખા, ચોરવાડ, ભેંસાણ, મેંદરડા, માંગરોળમાં એક-એક કેસ સહિત કુલ 44 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ 183 કેસ એક્ટિવ છે. માળિયા હાટિના નજીકના વીરડી ગામના યુવાન અને એસટીના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બસ સ્ટેશનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું.

જામનગર શહેર – જિલ્લામાં કોરોનાની રફતાર હવે કાતિલ બની રહી છે. ગઇકાલે 62 કેસ નોંધાયા બાદ આજે જામનગર શહેરનાં 28 અને જિલ્લાના લતીપુર, કાલાવડ, દરેડ, નાના વડાલા તથા તરસાઇનાં પાંચ દરદીઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જામનગર શહેરનાં ઉકાભાઇ બાવનજીભાઇ તાળા, નવિનભાઇ કંસારા, કેશવજીભાઇ મુળજીભાઇ મુંગરા અને લાલપુરના હસીનાબેન સદામભાઇ સમાનું મૃત્યુ નીપજયું હતું.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ છવાયેલો રહેતા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજ દિન સુધીમાં કુલ 563 કેસ નોંધાયેલા હતા. જિલ્લાના વડિયામાં પોલીસ કર્મચારી પોઝિટીવ આવતા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આજે નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 437 થયો હતો. બીજી તરફ મોરબી અને વાંકાનેરના 1-1 દરદીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે આજે જિલ્લાના પાંચ દરદી સાજા થયા હતા અને હાલ 155 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાંથી 16 જેટલા કેસો આવેલા છે. જેમાં વેરાવળમાં 9, કોડીનાર-1, ઉના-4, ગીરગઢડા-1 અને અન્ય જિલ્લાના 1 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી 25 સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોડીનારના એક દરદીનું મૃત્યુ નિપજ્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા કુલ આંક 97 થયો હતો. દ્વારકાના ગૌરાંગ દોલતરાય ઠાકર (ઉ.38) તથા ખંભાળિયાના સમીર નવીનચંદ્ર વ્યાસ (ઉ.45) અને ખંભાળિયાના પ્રફુલ ગોવિંદભાઈ કણઝારીયા (ઉ.28)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં જલારામ મંદિર નજીક રહેતા 85 વર્ષિય વૃધ્ધા અને મોટી ખત્રીવાડમાં 22 વર્ષિય યુવતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 4 દરદીઓને કોવિડ હોસ્પિટલમાંથી આજે ગુરુવારે ડિસ્ચાર્જ કરાયા છે.

બોટાદ જિલ્લામાં શહેરના ગોવિંદની ચાલી પાસે 51 વર્ષિય મહિલા તેમજ વિસામણ શાક માર્કેટ પાસે 51 વર્ષિય પુરૂષ પાળીયાદ રોડ પર 60 વર્ષિય પુરૂષ તેમજ જિલ્લાના રાણપર ખાતે શ્રીજી વિલા સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ અને ગઢડાના માંડવા ગામે 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દીવમાં નવા 7 કેસ ને 3 ડિસ્ચાર્જ
દીવમાં કોરોના પોઝિટિવના સાત નવા કેસ નોંધાયા હતા. જે વણાંકબારા વિસ્તારના છે. જ્યારે આજે ત્રણ દર્દીઓ સાજા થઇ ઘરે આવ્યા હતા. દીવમાં હાલ 42 દરદી સારવારમાં છે.

August 5, 2020
unmasking.jpeg
1min4610

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે કરવામાં આવેલી અરજી મુદ્દે કોર્ટે માસ્ક ન પહેરનારા લોકો ઉપર દંડની રકમ વધારવાની ટકોર’કરી છે.

હાઈકોર્ટે માસ્કના દંડ મામલે ટકોર કરી છે કે, 200 કે 500 રૂપિયા લોકોને બહુ નડશે નહીં. સરકાર કે કોર્પોરેશનને માસ્ક ન પહેરનારા લોકોને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ તેમાં વધારો કરીને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલવો જોઈએ.’હાઈકોર્ટ કહ્યું કે, કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નથી પણ આપણા તમામની ફરજ છે.

આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. 77 લાખ રૂપિયાનો દંડ કર્યો પણ આજ સુધી રકમ કેમ રિકવર’ થઈ નથી તે અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. સરકાર આ અત્યંત કમનસીબ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને રિપોર્ટ આપે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.

August 5, 2020
corona-gujarat.jpg
1min4790

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

કુલ ટેસ્ટનો આંક આઠ લાખને અને કેસનો આંક ૬૩૦૦૦ને પાર

રાજ્યમાં સરેરાશ ટેસ્ટનો આંક વધારવા સાથે હવે ધનવંતરી રથ મારફતે લોકોને ઘર આંગણે જ કોવિડ સિવાયની સામાન્ય બિમારીની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે એની સાથોસાથ સંક્રમિત દર્દીઓને શોધવા રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ વ્યાપક રીતે શરૂ કરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૨૩૨૫૫ ટેસ્ટ કરાતા કુલ આંક આઠ લાખને પાર થઇ ૮,૧૪,૩૩૫ થયો છે એની સાથે પોઝિટિવ કેસનો આંક વધીને ૬૩૬૭૫ થયો છે. જોકે, આઇસીએમઆરની ગાઇડલાઇન્સને પગલે ડિસ્ચાર્જની કુલ સંખ્યા છેલ્લા ચોવીસ કલાકના ૮૦૫ દર્દીના ઉમેરા સાથે વધીને ૪૬૫૮૭ સુધી પહોંચી છે જોકે, કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ૨૪૮૭ સુધી પહોંચી ગયો છે જે દેશમાં સૌથી વધારે હતો એ હવે ઘટીને ૩.૫ ટકા થયો છે. રિવકરી રેટ ૭૩.૧૮ ટકા થયો છે. હાલ એક્વિટ કેસ ૧૪૬૦૧ છે એમાં ૮૧ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૫૨૦ સ્ટેબલ છે.

August 5, 2020
weather-forecast.jpg
1min4630

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 3, 2020
corona-gujarat.jpg
1min4240

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

July 30, 2020
corona-gujarat.jpg
1min5230

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક હવે દૈનિક ૧૨૦૦ કેસની નવી ટોચ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ૧૧૦૦થી વધુ કેસની સરેરાશ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૪૪ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૪ દર્દીઓના સારવાર દરમિયાન કોવિડ-૧૯ના સંક્રમણને લીધે મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યું છે. આ કેસમાં સૌથી વધારે પ્રમાણ હવે ગામો, નગરોમાંથી ૬૦ ટકા કેસનું થઇ ગયું છે. આઠ મહાનગરોમાંથી ૫૩૪ કેસ મળ્યા છે, જ્યારે ગામો, નગરોમાંથી ૬૧૦ કેસ નોંધાયા છે. જોકે, મહાનગરોમાં મૃત્યુનું પ્રમાણ હજુ વધારે છે આઠ મહાગરોમાં કુલ ૧૫ મૃત્યુ અને જિલ્લાઓમાંથી ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જોકે, આ જ સમયગાળામાં ૭૮૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આઠ મહાગરોમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાં ૨૦૭ અને આઠ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જ્યારે આસપાસના નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૮૪ કેસ ઉમેરાયા છે તથા વધુ ૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેમ હવે કોટ વિસ્તાર સિવાયના શહેરમાંથી નવા ૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. શહેરને ફરતે આવેલા ધંધુકો, માંડલ, વીરમગામ અને સાણંદમાંથી નવા ૧૧ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગરમાંથી નવા ૭૨ કેસ નોંધાયા છે એમાં જૂના સૌથી વધારે સંક્રમિત વિસ્તારો સિવાયના રહેણાંક, ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી કેસ આવી રહ્યા છે. જોકે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આજે એક સાથે ૨૩ કેસ મળી આવ્યા છે એના લીધે હવે કુલ આંક ૯૫ થયો છે. શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી એક મળી કુલ ત્રણ દર્દીના કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયા છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૨ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલના ગ્રામ્ય અને નગરોમાંથી ફરીથી એક સાથે ૩૮ કેસ ઉમેરાયા છે. અત્યાર સુધી નગરોમાં રહેલો ચેપ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૦ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલા કેસ મળી કુલ ૮૦ કેસ એક સાથે નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે કબુલ્યું છે. રાજકોટ સિવાય અન્ય મહાનગરોમાં જોઇએ તો ભાવનગરમાં કુલ ૩૫ નોંધાયા છે એમાં મહાનગરના ૨૩ કેસ છે આ જ રીતે જૂનાગઢ શહેરમાંથી ૨૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૮ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૬ તેમજ ગ્રામ્યના ૩ કેસ મળી કુલ ૧૯ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સિવાય ક્યાંય ચોવીસ કલાકમાં કોવિડથી મૃત્યુ થયું નથી.

જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ મહેસાણા જિલ્લામાં ૩૬ નોંધાયા છે. મહેસાણા નગર ઉપરાંત કડી, વીસનગર, ઊંઝા, બેચરાજી, ખેરાલુ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આ કેસ આવ્યા છે. ભરૂચ અને દાહોદમાંથી ૩૩-૩૩ કેસ મળ્યા છે. દાહોદ જિલ્લામાં હવે વ્યાપક રીતે ટેસ્ટીંગ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ વધારવું પડશે. છેલ્લા વીસ દિવસથી સતત દાહોદ જિલ્લામાં વ્યાપક રીતે કેસ મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નગર ઉપરાંત પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, હળવદમાંથી નવા ૩૧ કેસ ઉમેરાયા છે. મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવા સાથે હવે કેસની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે નવા ૨૮ કેસ નોંધાયા છે આ જ સ્થિતિ અમરેલીમાં થઇ છે. નવા ૨૪ કેસ નોંધાયા છે. અમરેલી ઉપરાંત ધારી, લાઠી,લીલીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય સંક્રમિત શહેરોમાંથી આવતા લોકોના લીધે ચેપ પ્રસર્યો છે.

વલસાડમાંથી ૧૯, નર્મદા, પાટણમાંથી ૧૮-૧૮, નવસારાંથી ૧૭, પોરબંદરમાંથી ૧૪, સાબરકાંઠામાંથી પણ ૧૪ કેસ, કચ્છમાં ૧૩, મહીસાગર ૧૨, આમંદ, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, તાપીમાંથી ૧૦-૧૦ કેસ નવા ઉમેરાયા છે. બોટાદ, ગીર સોમનાથમાંથી ૮-૮, છોટુદેપુરમાંથી ૨ તેમજ અરવલ્લી, દ્વારકા ને ડાંગમાંથી એક એક કેસ નવા નોંધાયા છે જ્યારે અન્ય રાજ્યના નવા ૧૦ કેસ ઉમેરાયા છે. પાટણમાં બે અને મહેસાણામાં એક દર્દીના કોવિડના લીધે મૃત્યુ થયા છે.

આમ, ચોવીસ કલાકમાં ૨૨૯૧૪ ટેસ્ટ સાથે કુલ આંક ૭,૧૩,૦૦૬ થયો છે આને પગલે પોઝિટિવ કેસનો આંક ૫૯૧૨૬ થયો છે જ્યારે કુલ મૃત્યુ આંક ૨૩૯૪ સુધી પહોંચ્યો છે. નવા ૭૮૩ ડિસ્ચાર્જ ઉમેરાતા કુલ આંક ૪૩૧૯૫ થયા છે. હાલ ૧૩૫૩૫ એક્વિટ પેશન્ટ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૩૪૪૬ સ્ટેબલ છે.

July 29, 2020
Saurastra.png
1min4530

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 273 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં વધુ 49 કેસ સાથે કુલ આંક એક હજારને પાર કરી 103ર થયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત વિક્રમી 79 કેસ થયા છે. રાજકોટના જસદણ તાલુકાના નાના એવા સાણથલી ગામે કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જ અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે. ધોરાજીમાં હિરપરા વાડી, વઘાસીયા ચોરા, કુંભારવાડા અને દરબારગઢ પાસે વધુ 4ને કોરોના થયો છે.

અમરેલી શહેરમાં વૃંદાવન પાર્ક,’ જિલ્લામાં જાફરાબાદ, સાવરકુંડલાના અમૃતવેલ, સાજીયાવદર, ખજુરી, લાસા, બગસરા, ડેરી પીપળીયા વગેરે પંથકમાં વધુ કુલ’ ર6 કેસ નોંધાયા છે. કુલ 378 કેસમાંથી 148 સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં સત્યસાંઈ રોડ, વિઝન ટાવર, સેના નગર, ઈન્દીરા માર્ગ, દિગ્વિજય પ્લોટ, રણજીત રોડ, સેતાવાડ, મામા શેરી, નાગરપરા, ખંભાળીયા ગેઈટ, જલાની જાર રોડ, એમ પી શાહ મેડિકલ કોલેજ, 98 મેડિકલ કેમ્પસ, ખોડિયાર કોલોની, વાણીયા વાડ, જોગર્સ પાર્ક વગેરે વિસ્તારોમાં બે ડોક્ટર રામદેવ ઓડેદરા, ડો. વિરેન્દ્ર શાહ તેમજ એક પત્રકાર સહિત વધુ ર3 અને જિલ્લામાં લાલપુર અને ખિલોસમાં 1-1 જામજોધપુરમાં ર મળી ર7 કેસ થયા હતા.

પોરબંદરમાં કોરોના બ્લાસ્ટ થતા એક સાથે ર3 કેસ આવ્યા છે. આજે મેમણવાડ, કેદારેશ્વર, છાંયા, મહેર સમાજ, રેલવે સ્ટેશન કોલોની, નગીના મસ્જીદ પાસે, બોખીરા, ઝવેરી બંગલો, બિરલા રોડ, છાંયા ચોકી વિસ્તારોમાં 1ર વર્ષની સગીરાથી 78 વર્ષના વૃધ્ધ તેમજ યુવા ભાજપ પ્રમુખ અને તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ગીર સોમનાથમાં વધુ 16 કેસ આવતા કુલ આંક 437 થયો છે. વેરાવળમાં 1ર, સુત્રાપાડામાં 1, ઉનામાં 1, તાલાલામાં ર કેસ થયા છે. વેરાવળમાં અલખીજર પેલેસ-દાદા ભટ્ટી વાળી શેરી, કટલેરી બજાર, વખારીયા બજાર, તાલાલા રોડ સોમનાથ ટોકીઝ પાસે, સોમનાથ સોસાયટી જલારામ ટોકીઝ રોડ, તાજ સોસાયટી ધોબી વાડી, ગીતાનગર ર-મંગલમ નજીક વગેરે વિસ્તારમાં કેસ થયા છે. 

ભાવનગર શહેરમાં 18 અને અઘેવાડા, કોબડી, અધેલાઈ, બેલમપર, કંટાસર, પાલીતાણા,’ મણાર, યોગઠ, નવાગામ અને વલભીપુર ખાતે એક-એક, બોડા ગામે ર તથા સિહોર ખાતે 4 અને સથરા ગામે 3 કેસ થયા છે. દીવમાં’ વણાંકબારા, સાઉદવાડી, ઘોઘલા અને દીવ વિસ્તારમાં વધુ 10 કેસ થયા હતા.

બોટાદ શહેરમાં હરણકુઈ, મંગળાપરા, ઝવેર નગર, તુરખા રોડ, કેકે નગરમાં છ તેમજ તાલુકામાં તાજપર અને નાગનેશ મળી આઠ કેસ નોંધાયા હતા.

ચોટીલા શહેરમાં વધુ 1 અને ગ્રામ્યમાં વધુ 3 કેસ આવ્યા છે. થાનગઢ રોડ પર સુખનાથ મહાદેવ મંદિર નજીક, તેમજ ગામડામાં રામપરા (ચોબારી)એ બે બહેનો અને છેવાડાના પીપળીયા ઢોરામાં એક મુકબધિર કિશોરને કોરોનાએ ઝપટે લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 3ર કેસ થયા છે.