CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 48 of 49 - CIA Live

June 8, 2018
us_feature.jpg
1min16150

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)

મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.

(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન  બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)

For English readers

To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.

 

June 2, 2018
trump-kim2.jpg
1min13640

સમગ્ર વિશ્વમાં છેલ્લા એક  વર્ષથી ગમે ત્યારે વિશ્વના દેશોમાં અંધાધૂંધી મચે એવી ભીંતી અમેરિકા અને ઉત્તર કોરીયાના વણસી ગયેલા સંબંધોને કારણે સેવાય રહી છે. ઉત્તર કોરીયાના માથાભારે પ્રમુખ કિમ જોંગ ઉન છાશવારે અમેરિકાની ઉશ્કેરણી કરતા નિવેદનો કરે અને યુએસ પ્રેસિડેન્ટ તેનો જવાબ આપે, આવો એકાદ વર્ષથી ચાલી આવતો સિલસિલો આખરે બદલાય રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કિમ જોંગ ઉન સાથે 12 જૂનના સિંગાપોરમાં મુલાકાત કરવાની વાતને મોહર લગાવી છે. ટ્રમ્પે તા.1લી જુને કહ્યું હતું કે અગાઉ અમેરિકા ઉત્તર કોરિયા સાથે યોજાનાર બેઠકમાંથી પાછળ ખસી ગયું હતું, પરંતુ હવે આ બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ 12 જૂન 2018ના રોજ સિંગાપોરમાં જ યોજાશે.

ઓવલ કચેરી ખાતે ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની લોનમાં પત્રકારોને જણાવ્યું કે આ બેઠક ઘણી સફળ નિવડશે તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્યોંગયાંગ સામે દુશ્મનાવટનો આક્ષેપ કર્યો હતો અને તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની સિંગાપોર સમિટને રદ્દ કરી હતી. જો કે 24 કલાકમાં જ ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે સાર્થક વાતચીત બાદ તેઓ સમિટ અંગે નિર્ણય લેશે અને સમિટ નિશ્ચિત સમયે યોજાઈ શકે છે. હવે ટ્રમ્પે 12 જૂને સમિટ યોજવાની ખાતરી આપી છે. બન્ને દેશોના વડા માટે આ બેઠક ઐતિહાસિક પુરવાર થશે.

May 29, 2018
kailash.png
1min15180

જો કે સુષ્મા સ્વરાજે કહ્યું કે માનસરોવરમાં ડૂબકી લગાવવા માટે નિર્ધારિત સ્થળ પર જવું જોઇએ

ચીનાઓએ માનસરોવરમાં પવિત્ર સ્નાન ન કરવા દીધું હોવાની ફરિયાદ કેટલાક શ્રદ્ધાળુઓએ કરી હતી.

ગયા વર્ષે દોકલામ વિવાદ બાદ બીજિંગે નાથુ-લા પાસ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રા બંધ કરી હતી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે એ રસ્તો ફરી ખોલાયો હોવાની જાહેરાત કર્યાના વીસ દિવસ બાદ ઉપરોક્ત ફરિયાદ મળી હતી.

ચાલુ માસે જ શાંઘાઇ કોર્પ ઓર્ગેનાઇઝેશનની વિદેશ પ્રધાનોની બેઠકમાં બાદ સુષમાએ જણાવ્યું હતું કે ‘મેં ચીનના વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકોથી લોકો સુધીના સંબંધો ન સુધરે ત્યાર સુધી સરકાર સાથે સરકારના સંબંધો ન સુધરી શકે. જ્યારે નાથુ-લા પાસનો રસ્તો બંધ કરાયો ત્યારે એ લોકો માટે આઘાતજનક બાબત હતી. મને જણાવતા આનંદ થાય છે કે હવે યાત્રા માટે એ રસ્તો ખોલી દેવાયો છે. સુષમાએ વધુમાં ઉમેર્યું હતું કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે અમે લિપુલેખ પાસ રસ્તે ૬૦ યાત્રાળુઓના ૧૮ બેચ અને ૫૦ યાત્રીઓના દસ બેચ નાથુ-લા પાસવાળા રસ્તે મોકલીશું. આ વર્ષે અંદાજે ૧૫૮૦ શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે.

May 26, 2018
canada.jpg
1min11360

કૅનેડાના ઑન્ટારિયો પ્રાન્તમાં બે અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછી ૧૫ વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું.

ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું.

મોઢુ ઢાંકીને આવેલી બે શંકાસ્પદ વ્યક્તિ ગુરુવારે રાત્રે અહીંની બૉમ્બે ભેલ રૅસ્ટોરાં પર બૉમ્બ ફેંકી ફરાર થી ગઈ હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસે બે શંકાસ્પદના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. ઘટનાના સમયે રૅસ્ટોરાંમાં કેટલા લોકો હાજર હતા તે જાણી શકાયું નહોતું. હુમલા પાછળના આશય અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે કહ્યું હતું. જે શૉપિંગ પ્લાઝામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેને સિલ કરી દેવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

રૅસ્ટોરાંમાં બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. વિસ્ફોટને પગલે બારીઓનાં કાચ તૂટી ગયા હતા અને ચારે તરફ કાચના ટૂકડો વિખેરાયેલા પડેલા જોવા મળ્યા હોવા ઉપરાંત ઠેરઠેર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. રૅસ્ટોરાંનું લગભગ તમામ ફર્નિચર વિસ્ફોટમાં નાશ પામ્યું હતું. અનેક લોકો ચીસો પાડતા લોહી નિંગળતી હાલતમાં રૅસ્ટોરાંની બહાર નીકળતા જોવા મળ્યા હતા. અનેક લોકોનાં શરીર લોહીથી લથબથ હતા, એમ તેમણે કહ્યું હતું.

જોકે બૉમ્બવિસ્ફોટની આ ઘટના આતંકવાદી પ્રવૃત્તિ કે ધિક્કાર ગુનો હોવાના કોઈ સંકેત સાંપડ્યા ન હોવાનું સ્થાનિક પોલીસ વડાએ કહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી ત્રણે વ્યક્તિની હાલત હાલ સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું. બ્રામ્પનના રહેવાસી ૩૫ વર્ષના પુરુષ, મિસિસૉગામાં રહેતી ૬૨ વર્ષની તેમ જ ૪૮ વર્ષની મહિલાને ટૉરન્ટો ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું પોલીસે કહ્યું હતું.

૨૩થી ૬૯ વર્ષની વયજૂથના અન્ય ૨૩ ઘાયલોને સારવારાર્થે સ્તાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 26, 2018
drcongo_boat_accident_640-nc-2.jpg
1min11510

અંતરિયાળ વાયવ્ય દિશામાં ડેમોક્રેટીક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆરસી)માં એક નદીમાં થયેલા બોટ અકસ્માતમાં ૫૦ જણના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ત્શુપા પ્રાંતના વાઇસ ગવર્નર રિચાર્ડ બોયો લુકાના જણાવ્યા મુજબ આ અકસ્માત બુધવારે રાતે મોમ્બોયો નદીમાં થયો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અમને ગુરુવાર સુધીમાં ૪૯ મૃતદેહ મળ્યા હતા. એક લાપતા છે. આ બોટમાં પેસેન્જરો ઉપરાંત માલનો મોટો જથ્થો હતો.

બોટ મોન્કોટો શહેરથી માબાંદાકા (ઇક્વેટીયર પ્રાંત) જઇ રહી હતી. બોટ ડૂબવાનું કારણ જાણી શકાયું નથી. તેમ જ લાપતા પેસેન્જરની સંખ્યાની પણ હજી સુધી ખબર પડી નથી, એવું બોયોએ જણાવ્યું હતું. અલબત્ત, તેમણે એવું કહ્યું હતું કે આ બોટ રાતે ટ્રાવેલ કરતી હતી અને સરકારી સલામતી પગલાં સંદર્ભમાં કંઇક ગેરકાનૂની હતું અને
બોટમાં લાઇટો ન હતી.

ડીઆરસીની નદીઓમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે. ખખડધજ બોટો, વધુ સંખ્યાથી પેસેન્જરો તથા માલ ભરવો, સલામતીના પગલાંનો સદંતર અભાવને કારણે અકસ્માતો સર્જાતા રહે છે.

May 24, 2018
millionares.jpg
1min12950

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
royal1.jpg
2min12590

વિન્ડસરમાં રાજવી પરિવારમાં પ્રથમવાર એવો સૌથી આધુનિક ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ યોજાયો

બ્રિટનના રોયલ ફેમિલીના સભ્ય પ્રિન્સ હેરીના અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ સાથે શનિવારે ધામધૂમથી શાહી લગ્ન યોજાયા હતા. વિંડસર કેસલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં આયોજીત ભવ્ય સમારોહમાં લગ્નગ્રંથિએ જોડાયા હતા. ક્વિન એલિઝાબેથ સહિત 600 મહેમાનો આ જાજરમાન શાહી લગ્નના સાક્ષી બન્યા હતા. મેગન પોતાના વચનમાં પતિની આજ્ઞા માનવાનો વાયદો ના કર્યો, જ્યારે પ્રિન્સ હેરીએ શાહી પરંપરાને તોડીને લગ્નની વિંટી પહેરી હતી. ચેપલના પગથિયા પર ત્યારબાદ મેગાને તેના પતિ હેરીને પૂછ્યું, ‘શું આપણે કિસ કરીશું?’ અને હેરીએ ‘હા’ના ઉદ્‌ગાર સાથે જ પોતાના હોઠ મેગાનના હોઠ સાથે ભીડી દીધા હતા.

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ

મર્કેલે બ્રિટિશ ડિઝાઈનર ક્લેયર વે કેલર દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ તેમજ ક્વિન્સ મેરી ડાયમંડથી સજ્જ ટિયારા પહેર્યું હતું. શાહી લગ્ન સંપન્ન થતા હવે બન્ને યુગલ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ કહેવાશે. તેમના દાદી મહારાણી એલિઝાબેથે આ ઉપાધિ આપી હતી.

શાહી પરિવાર રહ્યો હાજર
શાહી પરિવાર રહ્યો હાજર

પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્નનો ખર્ચ અંદાજે રૂ. 290 કરોડથી વધુ થયો હતો.

આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા
આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા

ક્વીન એલિઝાબેઝ દ્વિતિય દ્વારા શનિવારા આપેલું આ ટાઈટલ અત્યાર સુધીમાં માત્ર પ્રિન્સ અગસ્તસને 1801માં મળ્યું હતું. તે જ્યોર્જ તૃતિય અને ક્વીન શાર્લોટના પુત્ર હતા. અગસ્તસે દાસ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને કેથલિક તેમજ યહૂદીઓના હકની વાત રજૂ કરવા કામ કર્યું હતું. બ્રિટનના શાહી પરિવારમાં પુરૂષને ડ્યુક, માર્કી, અર્લ, વિંકાટ અને બેરન જેવા ટાઈટલ આપવામાં આવે છે.

ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી
ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી

આ ભવ્ય લગ્ન સમારંભમાં હોલિવૂડથી લઈને રમત જગતના લોકો સામેલ હતા. જાણીતી એન્કર ઓપરાહ વિનફ્રે, અભિનેતા જ્યોર્જ ક્લૂની, પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ, તેમની પત્ની વિક્ટોરિયા બેકહમ અને અભિનેતા સર એલ્ટન જ્હોન પણ સામેલ થયા હતા.

યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન
યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન

આ શાહી લગ્નમાં મેગનના પિતા નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહી શક્યા નહતા.

લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી
લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી

લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ રોયલ કપલ પરંપરા મુજબ બગીમાં બેસીને શહેર ભ્રમણ કરવા નિકળ્યું હતું.

બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર
બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર

હેરી અને મેગનના લગ્ન પાછળ 293 કરોડ રૂપિયાથી વધુનો અધધધ ખર્ચ થયો હતો. લગ્નની શુભેચ્છા પાઠવવા માટે હજારો શુભચિંતકો પણ વિન્ડસર કેસલ ખાતે હાજર રહ્યા હતા.

May 24, 2018
Pak_Temple_2col.jpg
1min12630
પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર માટે ૨ કરોડ રૂપિયા જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરમાં પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે તેને અનુરૂપ બનાવવા માટે ફાળવવામાં આવી છે. પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક જ કૃષ્ણ મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં ૬ થી ૭ લોકો હોય છે.
પાકીસ્તાનના અગ્રણી ડોન અખબારના જણાવ્યા પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે સરકારે પંજાબ એસેમ્બ્લીના સભ્યોની માગણી પછી ૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંકમાં જ તેમાં કામ શરૂ થઈ જશે. તેના માટે ટીમ નિરિક્ષણ પણ કરી ચૂકી છે. કોઈ રીતે કામ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. જે જગ્યાએ નવું નિર્માણ થશે, તે બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પુરું થશે કે લોકોનું આગમન થવા લાગશે.
May 24, 2018
Child-Labour.jpg
1min15080

ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્‍ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્‍ડ કનિદૈ લાકિઅ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)”ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

 

પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્‍ય વિસ્‍તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્‍ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્‍લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ હોવાનું જાણવા મળે છે.

 

સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્‍લાઝા  ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્‍ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્‍ટ  શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

May 22, 2018
dollor.jpg
1min14550

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.