બ્રિટિશ એરેવઝે પાયલટોની હડતાલને કારણે પોતાની 1500થી વધારે ફ્લાઇટો રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ને સોમવારે અને તા.10મી સપ્ટેમ્બર 2019ને મંગળવારે પગાર વિવાદને લઇને પાયલટ હડતાલ પર રહેશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાલ માનવામાં આવી રહી છે.
હડતાલથી લગભગ 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે. આનાથી લગભગ 80 મિલિયન પાઉન્ડ (રૂ. 704 કરોડ )નું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનિસબર્ગની તમામ ફ્લાઇટો પ્રભાવિત થઇ છે. કંપનીઓએ યાત્રીઓને જણાવ્યું છે કે, જો લોકોની ફ્લાઇટ રદ થઇ છે તે એરપોર્ટ જાય નહીં.
પગાર અને ભથ્થામાં ઘટાડાના વિવાદ બાદ બ્રિટિશ એરલાઇનના પાયલટ એસોસિએશન (બીએએલપીએ)એ 23 ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 9, 10 અને 27 સ્પટેમ્બરે પાયલટ હડતાલ પર રહેશે. ત્યાંજ રશિયાના વિદેશ મંત્રાલયે હડતાલ અને ફ્લાઇટ રદ હોવા અંગે પોતાના નાગરિકોને સચેત કર્યા છે.
વિશ્વના સૌથી સલામત શહેરોની કલબમાં એક નવા સભ્યદેશનો ઉમેરો થયો છે, વોશિંગ્ટન ડીસીનો, અને ટોપ ટેનના સૂચકાંકમાં આ શહેરે પ્રથમ વાર સ્થાન મેળવ્યું છે.’
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે આપેલા રેન્કિંગમા ટોકયો (સતત ત્રીજી વાર) નંબર વનના સ્થાને આવ્યુ છે. સિંગાપોર અને ઓસાકા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. હોંગકોંગ ’17માં 9મા સ્થાને હતું. તેમાંથી વીસમા સ્થાને આવી ગયું છે. નવી દિલ્હી પ3મા સ્થાને છે.
ટોપ ટેનમાં એશિયા-પેસિફિક શહેરો છવાયેલા રહ્યા છે-જેમ કે સિડની, સોલ, મેલબોર્ન વગેરે. લંડન અને ન્યુયોર્ક છ સ્પોટ કૂદાવીને અનુક્રમે 14મા અને 1પમા સ્થાને આવ્યા છે.
આ સૂચકાંકમાં પાંચ ખંડોના 60 શહેરોને આવરી લેવાયા છે. અંઁકંદરે શહેરી સલામતીના મૂલ્યાંકન માટે ડિજિટલ, આરોગ્ય, આંતરમાળખું અને અંગત સુરક્ષા જેવા પરિબળોને ચકાસવામાં આવે છે. ઈન્ડેક્ષમાં અગ્રીમ રહેલા શહેરોમાં લોકો ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય જાળવણી, સમર્પિત સાયબરસિકયોરિટી ટુકડીઓ, ડિઝાસ્ટર કન્ટીન્યુઈટી પ્લાનિંગ અને કમ્યુનિટી-બેઈઝડ પોલીસ પેટ્રોલિંગની પહોંચ ધરાવે છે.
જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.
એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
અમેરિકામાં ૨૪ કલાકમાં ગોળીબારના બે અલગ બનાવમાં ઓછામાં ઓછા ૩૦ જણ માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ૪૨ જણ ઘાયલ થયા હતા.
પશ્ર્ચિમ ઓહિયો રાજ્યના ડેટનના ઓરેગન ડિસ્ટ્રિક્ટમાં કરાયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત ૧૦ જણ માર્યા ગયા હતા અને અન્ય ૧૬ જણ ઘાયલ થયા હતા. આ વિસ્તાર નાઇટક્લબ્સ, બાર્સ, આર્ટ ગેલેરીઝ અને દુકાનો માટે જાણીતો છે.
ડેટન પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરને ઠાર મરાયો હતો. આ ઘટનામાં અન્ય ૯ જણ માર્યા ગયા હતા. ઘાયલ ૧૬ જણને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. અગાઉ, ટેક્સાસમાં દક્ષિણના સીમાડે આવેલા અલ પાસો નગરમાં ગ્રાહકોથી ખીચોખીચ ભરાયેલા વૉલમાર્ટના સ્ટોર ખાતે ૨૧ વર્ષીય બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ૨૦ જણ માર્યા ગયા હતા અને અન્ય ૨૬ જણ ઘાયલ થયા હતા.
અલ પાસોના પોલીસ વડા ગ્રેગ એલને જણાવ્યું હતું કે ગોળીબારથી ભારે દોડધામ થઇ હતી અને પરિસ્થિતિ ડરામણી હતી.
વૉલમાર્ટ સ્ટોરમાં શનિવારે સવારે લોકો પોતાના બાળકોની શાળાનો સામાન ખરીદતા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. ગોળીબાર પછી વાહનો ઊભા રાખવાના સ્થળે અનેક લાશ પડેલી જોવા મળી હતી. ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે જણાવ્યું હતું કે અલ પાસોનાં ગોળીબારમાં અનેક જણ માર્યા ગયા હતા અને અન્ય ૨૬ જણ ઘાયલ થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે રજાને દિવસે અનેક લોકો ખરીદી કરવા નીકળ્યા હતા અને એ દિવસ ટેક્સાસના ઇતિહાસમાં સૌથી મોટી હિંસક ઘટનાનો દિન બની ગયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પણ હિંસાની આ બે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને માર્યા ગયેલા લોકોના સગાંને શોક સંદેશો મોકલ્યો હતો.
Police investigation after serial blasts in Bangkok on 2nd August 2019
અગ્નિ એશિયાના રાષ્ટ્રોના સંગઠન એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ની બેઠક ચાલી રહી છે ત્યારે શહેરમાં થયેલા અનેક નાના ધડાકામાં ચાર જણ ઘાયલ થયા હતા, પરંતુ વિવિધ દેશના રાજદ્વારીઓના અહીં ચાલી રહેલા કાર્યક્રમને કોઇ અસર નહોતી થઇ.
રાજકીય હિંસાનો ઇતિહાસ ધરાવતા થાઇલેન્ડમાંના દક્ષિણના વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે અને અહીં અવારનવાર હિંસક ઘટના બનતી રહે છે.
વડા પ્રધાન પ્રયુત ચેન-ઓ-ચાએ જણાવ્યું હતું કે અહીં નવ નાના ધડાકા કરાયા હતા, પરંતુ તે પાછળનો ચોક્કસ હેતુ હજી સુધી જાણવા નથી મળ્યો.
થાઇલેન્ડ પોલીસના વડામથકની બહાર ફૂટ્યા વિનાનો બૉમ્બ, તાર અને બૉલ બેરિંગ્સ મળતા બે જણની ધરપકડ કરાઇ હતી.પોલીસ વડા જાક્થીર ચૈજિન્ડાએ જણાવ્યું હતું કે પકડાયેલા લોકો મલયેશિયા પાસેની સરહદ પરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી આવ્યા હતા. આ પ્રદેશમાં ૧૫ વર્ષથી બળવાખોરોની સમસ્યા છે. પકડાયેલા લોકો બળવાખોર છે કે નહિ તે હજી નક્કી કરી નથી શકાયું.
થાઇલેન્ડમાં વર્ષોથી ચાલતી બળવાખોરોની હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે ૭,૦૦૦ લોકો માર્યા ગયા હતા.
બેંગકોકમાં ધડાકા કરવા માટે ટેબલ ટેનિસના બૉલના કદના ‘પિંગ પોંગ બૉમ્બ’ વપરાયા હોવાનું મનાય છે. મોટા ભાગના આવા નાના બૉમ્બ રસ્તાની બાજુએ ઝાડીમાં છુપાવવામાં આવ્યા હતા.
બ્રાઝિલની એક જેલમાં લોહિયાળ હિંસામાં 57 કેદીનાં મોત થઈ જતાં પ્રશાસનમાં ભારે હડકંપ મચી ગયો છે. અહેવાલ અનુસાર, પારા રાજધાની બેલેમથી લગભગ 850 કિમી દૂર સ્થિત અલ્ટામીરા જેલમાં પાંચ કલાક સુધી હિંસા ચાલી હતી. અંતે સ્થાનિક પોલીસ, સેનાએ હિંસા પર કાબૂ મેળવ્યો હતો. હિંસાની આગ શમ્યા પછી જેલની અંદરનાં દૃશ્ય ભલભલાના કાળજાં કંપાવી દેનારાં હતાં. હિંસા દરમ્યાન 16 કેદીના માથાં ધડથી અલગ કરી દેવાયાં હતાં.
‘ એક હિંસક જૂથે જેલની એક કોટડીમાં આગ લગાવી દેતાં દાઝવા સાથે ગુંગળાઈ જવાથી 41 કેદીનાં મોત થયાં હતાં.’ જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, કેદીઓ નાસ્તો કરવા બેઠા, ત્યારે જેલના બીજા ભાગમાંથી આવેલા કેદીઓએ દેશી હથિયારોથી હુમલો કરી નાખ્યો હતો.’ કેદીઓ એ હદે હિંસક બની ગયા હતા કે, સુરક્ષાદળોએ રોકવાની કોશિશ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી.
બ્રિટનમાં કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અલેક્ઝાન્ડર બોરિસ દ ફેફેલ જૉન્સન પક્ષનું નેતૃત્વ સંભાળીને બ્રિટનના નવા વડા પ્રધાનપદે બિરાજમાન થવા માટે પસંદગી પામ્યા છે. બોરિસ બહાદુરીનો દેખાડો કરવા, ડંફાસો મારવા, લેટિનમાં કટાક્ષો કરવા કે ટોણા મારવા તથા વિખરાયેલાં પીળા-બ્લોન્ડ વાળ માટે જાણીતા છે. તેમની અને ટ્રમ્પ વચ્ચેની સરખામણી કરતાં અનેક વાતો કહેવામાં આવે છે અને એ વાતો ટ્રમ્પને પણ ગમતી હોવી જોઈએ. બોરિસ જૉન્સન વિશે ડોનલ્ડ ટ્રમ્પે ગયા મંગળવારે જ કહ્યું હતું કે, “એ લોકો (અંગ્રેજો) એમને બ્રિટનના ટ્રમ્પ કહે છે. લોકો જ્યારે એમ કહે છે ત્યારે એ સારી જ વાત કહેવાય! ત્યાં પણ હું લોકોમાં પ્રિય અને જાણીતો છું. એમને ટ્રમ્પ જોઈએ છે અને એમને ટ્રમ્પની જરૂર પણ છે.
એક અમેરિકન અખબારે લખ્યું છે કે, અર્થહીન બકવાસ અને વગર કારણની દલીલો કરવાની બાબત જો માણસના ગુણ કહેવાતા હોય તો બોરિસ જૉન્સનની ગણના આંગળીના વેઢે ગણાતા ‘વિદ્વાનો’માં સહેલાઈથી થઈ શકે છે. એ જ અખબારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જવાબદારીની સભાનતા વિનાનો માણસ જે બાલિશતા આચરે એવા લગભગ તમામ ‘ઉદ્યોગ’ કર્યાનું લિસ્ટ બોરિસ જૉન્સનના નામે છે. યુવાનીમાં જ તેમણે આવા ઉધમાત કર્યા છે એવું નથી, મોટા-પુખ્ત, પીઢ થયા બાદ પણ કર્યા છે. પીઢ થયા બાદ એટલે કે વય વધ્યા બાદ પણ ચોથા ભાગના કદનું પેન્ટ પહેરીને દોડવા જવું, ફાટેલાં કપડાં પહેરીને ફરવું, લંડનના મેયર હોવા છતાં કાદવ-કાંપમાં ઊતરવું, ઊંચા દોરડા પરથી લટકવું વગેરે તેમની પ્રવૃત્તિ વિશે યુકેવાસીઓ ગણગણતાં સાદે વાતો કરે છે. પ્રથમ પત્નીથી ચાર સંતાનો અને સંબંધમાં રહેલી સ્ત્રીના પણ કેટલાક સંતાનોના પિતા એવા બોરિસ જૉન્સન આવતા સપ્તાહે ‘૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ’નાં સરનામા પર વડા પ્રધાન તરીકે રહેવા જશે! જૉન્સનનાં પહેલાં પત્ની એલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે ૧૯૮૭માં થયેલું લગ્ન ૧૯૯૩માં ફોક થયું પછી થોડાં સપ્તાહમાં બોરિસ જૉન્સન મરિના વ્હીલરને પરણ્યા હતા. અહીં ભારતીયોને ગમે એવી વાત કહેવાની છે કે મરિના વ્હીલરની માતા દીપ સિંહ મૂળ પંજાબનાં છે. એ નાતે બોરિસ જૉન્સન ભારતના જમાઈ થાય છે!
આ વાતો તો જાણે તેમનાં અંગત જીવનની થઈ, એના પ્રત્યે દુર્લક્ષ કરીને તેમના વ્યાવસાયિક જીવનમાં જોઈએ તો તેમાં પણ આવા જ ઉત્પાત હોવાનું બ્રિટિશ મીડિયાએ કહ્યું છે. આ માણસ મૂળમાં એક પત્રકાર. હજી પણ અખબારોમાં કટારો લખીને પુષ્કળ કમાણી કરે છે. કેટલાક લખાણો માત્ર કલ્પનાના તરંગો પર સવાર થઈને કર્યા હતા એટલે તેમને અખબારની તેમની નોકરી ગુમાવવી પડી હતી. આગળ જતાં કોન્ઝર્વેટિવ પક્ષના પ્રવક્તા તરીકે કામ કરતા હતા ત્યારે અસત્ય નિવેદનો માટે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને પનિશમેન્ટ પણ મળી હતી. આ મહાનુભાવને વિદાય લઈ રહેલા વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશ પ્રધાનપદે ગોઠવ્યા ત્યારે એક યુરોપિયન નેતાની પ્રતિક્રિયા બળતરા કરાવે એવી બોલકી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે તો ડ્રેક્યુલા પણ હેલ્ધ મિનિસ્ટર બની શકે. આ વાતને કદાચ અંગત કડવાશ સમજીને ભૂલી જઈએ. જૉન્સનની વડા પ્રધાનપદ માટે પસંદગી કરાઈ છે ખરી, પણ બ્રિટન અને યુરોપમાં એક ફિકર છે કે, ‘બ્રિટિશ વડા પ્રધાન પદ માટે પસંદગી પામેલા બોરિસ જૉન્સન ‘બ્રેક્ઝિટનું ખરેખર શું કરશે?’
એમ કહેવાય છે કે, કોન્ઝર્વેટિવ પક્ષે વડા પ્રધાનપદ માટે પસંદગી એટલા માટે કરી છે જૉન્સન યુરોપિયન યુનિયનના કટ્ટર વિરોધી છે. જોકે, જૉન્સન મૂળથી વિરોધના વિચારના નથી. તેમણે આવું કટ્ટર વલણ લીધું એટલા માટે કે થેરેસા મે સામેની સ્પર્ધામાં મેદાન મારી જવાય! તોય થેરેસાબાઈએ પક્ષની નેતાગીરી માટેની સ્પર્ધામાં બોરિસને ધૂળ ચટાડી હતી. એ પછી તેમને શાંત પાડવા માટે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા, પણ થેરેસા મેના બ્રેક્ઝિટ સંબંધી મવાળ વલણનો નિષેધ કરીને બોરિસે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું, પણ પાર્લામેન્ટમાં આ માટે મતદાન કરતી વખતે તેમણે થેરેસા મેના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. મક્કમ બ્રેક્ઝિટ સમર્થક તરીકે બોરિસ આજે માઈગ્રન્ટોની વિરુદ્ધ જોરદાર ભાષણબાજી કરે છે એ ખરું, પણ હજી હમણાં સુધી સ્થળાંતર કરનારાઓના કલ્યાણ માટે શું શું કરી શકાય એ માટે મોખરે રહીને કામ કરતા હતા. આ છે બ્રિટનના આવતી કાલના વડા પ્રધાન બોરિસ જૉન્સનનો ટૂંકો ઈતિહાસ.
બ્રિટનના ‘પોતાના આગવા ડોનલ્ડ ટ્રમ્પ’ એવી બોરિસ જૉન્સનની ઓળખ તેમના વિશે ઘણું કહી દે છે, એટલું જ નહીં પણ જૉન્સન અને ટ્રમ્પ એકબીજાના સારામાં સારા દોસ્તો છે! બ્રિટનનાં અખબારોના કહેવા પ્રમાણે ‘કોઈ પણ વિચારશીલ વ્યક્તિની ઊંઘ ઉડાવી દેવા માટે આ દોસ્તીની વાત જ પૂરતી છે.’ એ કારણે જ આખા યુરોપ અને બ્રિટનમાં “આ માણસ આગળ જતાં શું કરશે એ અંગે ભારે ઉચાટ છે.
દેશના પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે બુધવારે શ્રીલંકાએ ભારત અને ચીનનો ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવામાં સમાવેશ કર્યો હતો. ઇસ્ટર સંડેના બૉમ્બધડાકા બાદ બંને દેશોને આ સુવિધા બંધ કરવામાં આવી હતી.
ઇસ્ટર સંડેના સ્યુસાઇડ બૉમ્બધડાકામાં ૨૫૮ લોકોના મૃત્યુ થયા બાદ શ્રીલંકાએ ૩૯ દેશના નાગરિકોને આપવામાં આવતી ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા બંધ કરી હતી.
૨૧ એપ્રિલના રોજ નવ સ્યુસાઇડ બૉમ્બરે ત્રણ ચર્ચ અને લક્ઝરી હોટેલ પર હુમલો કર્યો હતો. આઇએસઆઇએસ આતંકવાદી જૂથે આ હુમલાનો દાવો કર્યો હતો, પરંતુ સરકારે સ્થાનિક નેશનલ થાવિદ જમાત (એનટીજે) પર ઇસ્ટર સંડેના બૉમ્બધડાકાનો આરોપ લગાવ્યો હતો.
પહેલી ઑગસ્ટથી શ્રીલંકા ૩૯ દેશના નાગરિકોને આપવામાં આવતા ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા ફરીથી ચાલુ કરશે. જોકે આ ૩૯ દેશની યાદીમાં ભારત અને ચીનનો સમાવેશ નહોતો થતો, પરંતુ શ્રીલંકા ભારત અને ચીનના નાગરિકોને પણ આ સુવિધા આપશે, એમ શ્રીલંકાએ જણાવ્યું હતું.
શ્રીલંકામાં ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા સુવિધા થાઇલેન્ડ, યુરોપિયન યુનિયન, યુકે, યુએસ, જાપાન, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, કંબોડિયાને મળે છે.
ત્રાસવાદી હુમલા બાદ શ્રીલંકાના પર્યટન ઉદ્યોગ મંદ થઇ ગયો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષના એપ્રિલમાં પ્રવાસીઓની સંખ્યામાં ૭.૫ ટકાનો ઘટાડો થયો હતો. પર્યટકોને વધારવા માટે શ્રીલંકાની સરકાર દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં ૭,૪૦,૬૦૦ વિદેશી પર્યટકો શ્રીલંકાની મુલાકાતે આવ્યા હતા. ગયા વર્ષે ૪.૫ લાખ ભારતીયોએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
પોર્ટુગલના જંગલમાં લાગેલી આગને ઓલવવા માટે ૧૦૦૦થી વધુ બંબાવાળા સતત ત્રણ દિવસથી ભગીરથ પ્રયાસ કરી રહ્યાં છે.
આગને લીધે ૩૧ વ્યક્તિ ઘાયલ થઇ હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારથી ૩૨૧ વાહનો અને પાંચ પાણી ફેંકતા વિમાનો આગ ઓલવવાના કામે લગાડવામાં આવ્યા છે. લિસ્બનથી ૨૦૦ કિ. મી. દૂર આવેલા કાસ્ટેલો બ્રાન્કો જિલ્લા તરફના જંગલમાં આગ લાગી છે.
સપ્તાહોથી ઓછા વરસાદને લીધે જંગલના લાકડા અને ઘાસ સૂકાયેલા છે. આગ ઓલવનાર ટીમને રાતના ઠંડું હવામાનનો લાભ મળ્યો હતો. જોકે, બપોરના સમયે વાતાવરણ ગરમ અને હવાની ઝડપ વધવાની આગાહી કરવામાં આવી હતી.
પોર્ટુગલમાં ઉનાળામાં જંગલમાં અવારનવાર આગ લાગતી હોય છે. જંગલના નબળા મેનેજમેન્ટ અને હવામાનમાં ફેરફારને લીધે જંગલમાં અવારનવાર આગ લાગતી હોય છે. આ અગાઉ ૨૦૧૭માં જંગલમાં લાગેલી આગમાં ૧૦૬ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.
ઍર ઇન્ડિયાની ફલાઇટ દ્વારા યુએઇ જનાર પ્રવાસીઓ હવે 40 કિલો ચેક-ઇન લગેજ લઇ જઇ શકશે. ઍર ઇન્ડિયાએ યુએઇ જનાર પ્રવાસીઓ માટે ચેક-ઇન લગેજની મર્યાદામાં 10 કિલોનો તાત્કાલિક ધોરણે વધારો કર્યો છે. આ ફેરફારનો લાભ મંગળવાથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓ લઇ શકશે.
A passenger enters the terminal Thursday March 27, 2014 at Los Angeles International Airport in Los Angeles. Police say six people were arrested Wednesday March 26, 2014, after officers served more than two dozen search warrants after a months-long investigation into baggage theft at Los Angeles International Airport. Officials say those arrested were primarily employees or ex-employees of contracting companies hired to handle luggage and do not work for the airport itself. (AP Photo/Nick Ut)
ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ ભારતીય સમુદાયે યોજેલા કાર્યક્રમ વખતે સોમવારે રાતે જણાવ્યું હતું કે અહીંના લોકોની માગણીને ધ્યાનમાં લઇને ઍર ઇન્ડિયા પ્રવાસીઓને હેન્ડ બેગેજ તરીકે 7 કિલો અને ચેક-ઇન લગેજ તરીકે 40 કિલો સુધીનો સામાન લઇ જઇ જવાની પરવાનગી આપશે.
આ કાર્યક્રમ વખતે ભારતીય સમુદાયે લોહાની પાસે ચેક-ઇન લગેજની મર્યાદા 30 કિલોથી વધારીને 40 કિલો કરવાની માગણી કરી હતી.
ઇંદોર-દુબઇ અને કોલકતા-દુબઇ ફ્લાઇટના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય સમુદાયે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ઇંદોરથી દુબઇ શિફ્ટ થયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ઇંદોર માટેની સીધી ફ્લાઇટને લીધે પ્રવાસના સમયમાં સાડાત્રણ કલાકનો ઘટાડો થશે અને એ વાત આનંદદાયક છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.