CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 26 of 49 - CIA Live

July 9, 2020
catchkillcia-1280x720.jpg
1min5170

કોરોના વાઇરસને હવામાં પકડીને તુરત જ એને નિષ્ક્રીય બનાવી દે એવા ‘કેચ ઍન્ડ કિલ’ હવાના ફિલ્ટર બનાવાયા હોવાનો દાવો હ્યુસ્ટન યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ કર્યો છે.

આ ફિલ્ટર શાળાઓ, હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો જેવી બંધ જગ્યાએ અને વિમાન જેવા જાહેર વાહનોમાં કોવિડ-૧૯ના વાઇરસ ફેલાતા અટકાવવામાં મદદ કરશે.

વિજ્ઞાનના એક ચોપાનિયામાં મંગળવારે પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ સાધન કોરોનાના વાઇરસને ૯૯.૮ ટકાની ક્ષમતા સાથે ફિલ્ટરમાંથી એક જ વખત પસાર થતા નષ્ટ કરી શકે છે.

નિકલ ફોમમાંથી બનાવવામાં આવેલા સાધનને ૨૦૦ ડિગ્રી સુધી ગરમ કરવાથી ઍન્થ્રક્સનો રોગ ફેલાવતા વાઇરસ ૯૯.૯ ટકા નાશ પામતા હોવાનો દાવો પણ આ અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

આ ફિલ્ટર વિમાનમાં, કાર્યાલયમાં, શાળાઓમાં અને ક્રૂઝ શિપમાં કોવિડ-૧૯ના વાઇરસને ફેલાતો રોકી શકે એમ છે.

કોરોનાના વાઇરસ હવામાં ત્રણ કલાક સુધી જીવતા રહે છે માટે આ ફિલ્ટર એમનો ઝડપથી અનાશ કરવામાં ઊપયોગી સાબિત થાય એમ છે.

અભ્યાસ કરનાર નિષ્ણાતોએ નોંધ્યું હતું કે કોરોનાના વાઇરસ ૭૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં જીવી શકતા નથી અને માટે જો ફિલ્ટરનું તાપમાન ૨૦૦ ડિગ્રી સુધી વધારવામાં આવે તો એ તુરંત મરી જતા હોવાની વાત એમણે નોંધી હતી.

July 7, 2020
modi_trump.jpg
1min6480

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર છે. ભારત અમેરીકાને ચાહે છે. ભારત અને અમેરિકા સાથે છે. પણ બીજી તરફ છેલ્લા 7 દિવસમાં અમેરિકાએ ભરેલા બે પગલાંઓને કારણે ભારતના લાખો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.

વિતેલા સપ્તાહે વીઝા પર પ્રતિબંધ મૂકીને ભારતીયોની ઉંઘ હરામ કરી નાંખી

અગાઉ વિતેલા સપ્તાહે અમેરીકાએ એચ-વનબી વીઝા પર બેન મૂકી દઇને અમેરીકામાં હાલ વ્યવસાય, નોકરી કરતા લાખો લોકો અને તેમના પરિવારો તેમજ હવે પછી આ ક્વોટામાં અમેરીકા જવા બિલકુલ તૈયાર લાખો ભારતીય યુવકોની ઉંઘ હરામ કરી દીધી છે. એચ-વન બી વીઝા બેનથી સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઇ બનશે તો એ ભારતીય યુવાનો અને તેમના પરિવારજનો છે.

હવે અમેરીકામાં ઓનલાઇન સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ જો રેગ્યુલર ક્લાસીસમાં નહીં જાય તો ફરજિયાત ડિપોર્ટ (પ્લેનમાં બેસાડીને રવાના)

તા.7મી જુલાઇએ એવા સમાચારોએ અમેરીકામાં રહીને હાલ કોવીડ 19ના લીધે ઓનલાઇન સ્ટડી કરી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરીકાએ નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે ક્યાં તો એ પ્રત્યક્ષ રીતે ક્લાસીસ જોઇન કરી લે અન્યથા તેમને શોધી શોધીને વતન વાપસી કરવામાં આવશે. આ નિર્ણય અમેરીકામાં વસતા તમામ દેશના વિદ્યાર્થીઓને લાગુ પડશે. પરંતુ, અંહી એ વાત નોંધવી ઘટે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ જો અમેરીકામાં હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ છે.

7 દિવસમાં ઉપરા છાપરી બે નિર્ણયોથી લાખો ભારતીયો મુશ્કેલીમાં

સાત દિવસમાં જ અમેરીકાની ટ્રમ્પ સરકારે બે એવા નિર્ણયો કર્યા કે જેની સીધી અસર ભારતના લાખો યુવાનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ પર થઇને પડી છે ત્યારે સવાલ એ થાય છે કે સાલુ અમેરીકા ભારતનું દોસ્ત છે કે દુશ્મન?

July 5, 2020
breaking_CIA-1280x831.jpg
1min4710

વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.

અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.

રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.

July 2, 2020
cia_breaking-1280x833.jpg
1min716

કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાં ઈરાપુટાઓ શહેરમાં એક બંદૂકધારીએ ભીષણ ગોળીબારમાં 24 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે આ ગોળીબારમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે જેના કારણે મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે.

ઘટનાની જાણ થતા જ મેકિસકો પોલીસ અને એટીટ કમાન્ડો ફોર્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જોકે, હજી સુધી હુમલાખોરની ભાળ મલી શકી નથી. ઈરાપુટાઓ શહેરમાં એક મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે. આ અગાઉ 6 જૂનના પુનર્વાસ કેન્દ્રમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરીને 10 લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝે આ હુમલાને વખોડી નાખતા તપાસના આદેશ આપ્યા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદૂકધારીઓની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે. તેમને ઝડપી પાડવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે પહેલા રિહેબ સેન્ટર પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેમાં આગ લગાવી દીધી હતી. 

July 2, 2020
coronausa.jpg
1min4560

અમેરિકામાં એક હેલ્થ એક્સપર્ટે વ્યક્ત કરેલી ચિંતા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. મંગળવારે અમેરિકામાં હેલ્થ એક્સપર્ટે ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન કરવામાં ના આવ્યું તો અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાની વાત કરી હતી. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 52,000 કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં વેપાર-ધંધા ફરી શરુ થવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના મુખ્ય એક્સપર્ટ ડૉ. એન્થની ફાઉચે ચેતવણી આપીને કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય નિયમોનું પાલન ના થયું તો અમેરિકામાં એક દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે.

June 29, 2020
pakistan.jpg
1min4970

પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલી શેરબજારની કચેરી પર આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. વધુ મળતી માહિતી મુજબ સવારે 4 અજ્ઞાત બંદુકધારીઓ સ્ટોક એક્ષચેન્જમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધું હોવાનું ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આતંકી વિસ્ફોટમાં પ્રાથમિક રીપોર્ટ અનુસાર આ ઘટનામાં 5 લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય લોકોને સલામત રીતે બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે.

June 29, 2020
coronausa.jpg
1min4490

વૈશ્વિક કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમણના કેસો વધીને 25 લાખને પાર કરી ગયા છે. સૌથી વધુ કેસને મુદ્દે અમેરિકા વિશ્વના ટોપ 10 દેશોની યાદીમાં પહેલા નંબરે છે. કોરોના સંક્રમણની કડી તોડવામાં અમેરિકા જેવી મહાસત્તા પણ થાપ ખાઇ રહી છે. 

સમગ્ર વિશ્વમાં આ બીમારીને લઇને અલગ-અલગ આંકડાઓનો અભ્યાસ કરી રહેલી જોનસ હોપકિન્સ યુનિવર્સિટીએ તાજેતરમાં બહાર પાડેલા આંકડાઓ મુજબ અમેરિકામાં હાલમાં 25,00,419 કેસ સામે આવ્યા છે, પરંતુ અમેરિકા જેવા વિકસિત અને શક્તિશાળી દેશ માટે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિતેલા 24 કલાકમાં 43,121 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 502 અન્ય દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. અમેરિકામાં કુલ મૃત્યુઆંક વધીને 1,25,480એ પહોંચી ગયો છે. આ આંકડો વિશ્વના કુલ મૃત્યુઆંક 4,95,000નો ચોથા ભાગનો છે.  

અમેરિકાના ફ્લોરિડામાંથી વિતેલા 24 કલાકમાં 9,585 નવા કેસ સામે આવ્યા છે અને આજ પ્રકારની સ્થિતિ અમેરિકાના મોટા ભાગના સ્ટેટ્સની છે. 

June 19, 2020
nepal-mapjpg.jpg
1min4810

નેપાળની સંસદના ઉપલા ગૃહે પણ ગુરુવારે ભારતના ત્રણ પ્રદેશ પર નેપાળનો દાવો રજૂ કરતા નવા નકશા સંબંધિત બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

આ ત્રણ પ્રદેશમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાનો સમાવેશ છે. કે. પી. શર્મા ઓલી નેપાળના વડા પ્રધાન છે અને ચીન સાથે બહુ નજીકની દોસ્તી ધરાવે છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે તેઓ ત્રણેય પ્રદેશ ભારત પાસેથી પાછા લેશે.

ગુરુવારે ઉપલા ગૃહમાં બધા ૫૭ મેમ્બર હાજર હતા અને તેમણે નકશા સંબંધિત સુધારા ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું. ખરડાની વિરુદ્ધમાં એક પણ વોટ નહોતો પડ્યો.

ભારતે અગાઉ જ નેપાળના આ દાવાને ‘અસમર્થનીય’ અને ‘કૃત્રિમ વિસ્તરણ’ તરીકે ઓળખાવ્યો હતો. શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહે સર્વાનુમતે નવા ભૌગોલિક નકશાને બહાલી આપી હતી અને હવે નેશનલ ઍસેમ્બ્લી તરીકે ઓળખાતા ઉપલા ગૃહે પણ બહાલી આપતા સંસદની પૂર્ણપણે મંજૂરી નેપાળ સરકારને મળી ગઈ છે.

નેપાળે ગયા મહિને પોતાનો આ નવા રાજકીય નકશો બહાર પાડ્યો હતો. નવેમ્બર, ૨૦૧૯માં ભારતે નવો નકશો બહાર પાડ્યો એના છ મહિના બાદ (મે મહિનામાં) નેપાળે ત્રણેય પ્રદેશને પોતાનામાં સમાવતો નકશો બહાર પાડીને વિવાદ શરૂ કર્યો હતો. ૧૮મી મેએ નેપાળના પ્રધાનમંડળે નવા નકશાને સમર્થન આપ્યું હતું.

ગુરુવારે ઉપલા ગૃહે મંજૂર કરેલો ખરડો અધિકૃત બનાવવા હવે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને મોકલવામાં આવશે અને એ પછી ખરડો બંધારણમાં સમાવવામાં આવશે. ત્યાર બાદ નવો નકશો નેપાળના સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાશે.

૮મી મેએ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લિપુલેખ પાસને ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા સાથે જોડતા ૮૦ કિલોમીટર લાંબા રોડના બાંધકામનું ઉદ્ઘાટન કર્યું એ પછી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તંગ થયા છે.

નેપાળે આ ઉદ્ઘાટનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આ રોડ બનશે તો એના પ્રદેશમાંથી પસાર થયો કહેવાશે. એવું કહીને નેપાળે નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે ઓળખાવ્યા હતા.

June 18, 2020
1min4370

સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.

મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે. 

સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.

ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે. 

June 16, 2020
new-zeland.png
1min5290

દસેક દિવસ અગાઉ કોરોના કેસોમાંથી મુક્ત થયેલા ન્યૂઝીલેન્ડમાં જીવલેણ કોરોના વાયરસની રિ-એન્ટ્રી થઈ છે. ન્યુઝીલેન્ડની સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના સંક્રમણના બે નવા કેસ સામે આવ્યા છે. આ બંને લોકો હાલમાં જ બ્રિટનથી પરત ફર્યા છે.

24 દિવસમાં પહેલા કોરોનાના કેસોથી મુક્ત થયેલા ન્યૂઝીલેન્ડમાં ફરીથી બે કેસ નોંધાતા ફરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાનો છેલ્લો દર્દી સ્વસ્થ થઈને ઘરે જતા ગત અઠવાડિયે ન્યૂઝીલેન્ડમાં આર્થિક અને સામાજિક પ્રતિબંધો હટાડવામાં આવ્યા હતા. જોકે, હવે ફરીથી કોરોનાના કેસ સામે આવતા દેશના વડા પ્રધાન જસિન્ડા આર્ડેર્ને ચેતવણી આપી છે કે, દેશના કેટલાક નાગરિકો સ્વદેશ પરત ફરી રહ્યા છે અને કેટલાકને ખાસ સંજોગોમાં આવવાની છૂટ આપવામાં આવી રહી હોવાથી આગામી સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે.