CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 13 of 49 - CIA Live

June 10, 2022
gun_culture.jpg
1min374

અમેરિકાના હાઉસે ‘ગન ક્ધટ્રૉલ બિલ’ પસાર કર્યું હતું. બફેલો, ન્યૂ યોર્ક અને ટેક્સાસમાં તાજેતરમાં સાર્વજનિક સ્થળે થયેલા ગોળીબારને પગલે બંદૂકોના વેચાણને નિયંત્રણમાં રાખવાના પ્રયાસના ભાગરૂપે આ ખરડો પસાર કરાયો હતો.

Gun Culture in America: 50 बरस में 15 लाख लोगों की जान ले चुका है गन कल्चर,  बहुत भयावह हैं ये आंकड़े | TV9 Bharatvarsh

‘ગન ક્ધટ્રૉલ બિલ’માં સેમિ-ઑટૉમેટિક રાઇફલ ખરીદવા માટે લઘુતમ વયમર્યાદા વધારવાની અને ૧૫ રાઉન્ડથી વધુની ક્ષમતા ધરાવતા એમ્યુનેશન મેગેઝિન્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ હતી.

‘ગન ક્ધટ્રૉલ બિલ’ને હાઉસમાં ૨૨૩ વિરુદ્ધ ૨૦૪ મતથી પસાર કરાયું હતું. આ ખરડો કાયદો બને એવી શક્યતા હાલમાં નથી જણાતી, કારણ કે સેનેટ માનસિક સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમ, શાળાઓની સલામતી વધારવા અને ‘બેકગ્રાઉન્ડ ચેકિંગ’ વધારવા ભાર આપી રહ્યું છે.

May 30, 2022
india_bangladesh.jpg
1min412

ભારત અને બાંગલાદેશ વચ્ચેની પેસેન્જર ટ્રેન સર્વિસિસ બે વર્ષના ગાળા પછી રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી.
 ‘બંધન એક્સપ્રેસ’ની સર્વિસ કોરોના રોગચાળાને કારણે બે વર્ષ બંધ રાખવામાં આવી હતી. રવિવારે ઇસ્ટર્ન રેલવેની કોલકાતા અને ખુલના (બાંગલાદેશ) વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ તથા કોલકાતા અને ઢાકા વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. 

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં  આ બે ટ્રેનોના છેલ્લા ફેરા કરાયા હતા. બંધન એક્સપ્રેસ કોલકાતા અને ખુલના વચ્ચે અઠવાડિયાના બે દિવસ અને મૈત્રી એક્સપ્રેસ અઠવાડિયાના પાંચ દિવસ કોલકાતા અને ઢાકા વચ્ચે દોડે છે. તે ઉપરાંત ઇસ્ટર્ન રેલવે ૧ જૂનથી બાંગલાદેશી પર્યટકો માટે ન્યુ જલપાઈગુડી અને દાર્જીલિંગ વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ નામે વધુ એક ટ્રેન શરૂ કરશે.             

May 16, 2022
usa_buffelo.jpg
1min401

બફેલોમાં સુપરમાર્કેટમાં શનિવારે Dt.15/5/22, ૧૮ વર્ષના શ્વેત White યુવકે લશ્કરી ગિયર અને હેલ્મેટમાં કેમેરા સાથે લાઇવ સ્ટ્રિમિંગ કરતા રાઇફલમાંથી ગોળીબાર કરતાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા જેને સત્તાવાળાઓએ વંશીયરીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ તરીકે ઓળખાવ્યો હતો. 

ટોપ્સ ફ્રેન્ડલી માર્કેટમાં હુમલાખોરે શારીરિક બખ્તર અને લશ્કર જેવા વસ્ત્રો પહેર્યા હતા અને તેણે મોટાભાગે અશ્વેત લોકો પર હુમલો કર્યો હતો. ઓછામાં ઓછી બે મિનિટ સુધી તેણે ગોળીબારનું જીવંત પ્રસારણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેણે ૧૧ અશ્વેત લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળ નજીક ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ શ્વેત સર્વોપરીવાદી જેણે નિર્દોષ સમુદાય પર નફરતનો ગુનો કર્યો હતો તે જીવનના બાકીના દિવસો જેલમાં પસાર કરશે.
શંકાસ્પદ હુમલાખોરની ઓળખ પેટોન ગેનડ્રોન તરીકે કરવામાં આવી હતી અને તે બફેલોથી ૨૦૦ માઇલ દૂર આવેલા ન્યૂયોર્કના કોંકલિનનો રહેવાસી છે.

બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે હુમલાખોરે સ્ટોરની બહાર ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી ત્રણના મોત થયા હતા. સ્ટોરની અંદર સિક્યુરીટી ગાર્ડે તેની પર કેટલીક ગોળીઓ છોડી હતી જેમાંથી એક ગોળી હુમલાખોરના બુલેટપ્રુફ જેકેટ પર વાગી હતી પરંતુ તેની કોઇ અસર થઇ નહોતી. હુમલાખોરે ગાર્ડને મારી નાંખ્યો હતો અને પછી સ્ટોરમાં જઇને અન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો.


ત્યારબાદ પોલીસે સ્ટોરમાં પ્રવેશીને હુમલાખોરને પડકાર્યો હતો. એ વખતે હુમલાખોરે પોતાના ગળા પર જ બંદુક મુકી દીધી હતી. બે અધિકારીઓએ તેને બંદૂક મુકી દેવા માટે વાત કરી હતી. 

વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ગોળીબારના આ બનાવ અને તપાસ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે અને તેમણે પીડિતો અને તેમના પ્રિયજનો માટે પ્રથમ મહિલા સાથે પ્રાર્થના કરી હતી.

May 14, 2022
wheat.jpg
1min550

ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.

ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.

May 9, 2022
dolor_vs_rupee.jpg
1min682

Dated 9/5/22 at 10.30am

આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે 

અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

May 5, 2022
russia.jpg
1min623

દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.

અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્વયુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરું થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે. 

એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.યુ

ક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ  હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે. 

May 2, 2022
modi.jpg
1min532

યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt. 2/5/22, સોમવારથી યુરોપીય દેશોની ત્રણ દિવસની યાત્રાએ જઈ રહ્યા છે. 2022ના પ્રથમ વિદેશ પ્રવાસની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું હતું કે, વિવિધ પડકારોના સમયમાં આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે. દરમ્યાન, વડાપ્રધાનના આ પ્રવાસ પૂર્વે ભારતના નવનિયુક્ત વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું હતું કે, યુક્રેન-રશિયા વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટને અટકાવવા સૌ આગળ આવે, એ જરૂરી છે.

Pm Modi To Embark On Europe Tour Today To Convey India's Stand On Ukraine |  Mint

સંવાદથી શાંતિ સ્થપાય, તે દિશામાં પ્રયાસો માટે તેમણે વિશ્વભરના દેશોને આગળ આવવા અપીલ કરી હતી.’ વર્ષ-2022ના પ્રથમ દિવસે પ્રવાસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારી યુરોપયાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.

ભારતમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં યુરોપીય સહભાગીઓ મહત્ત્વપૂર્ણ સાથી છે તેવું યાત્રાના હેતુ સંદર્ભે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું.

મોદી Dated 2/5/22, સોમવારે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસની યાત્રા પર જઈ રહ્યા છે, આ દેશોમાં લગભગ 65 કલાક ગાળશે. તેમણે કહ્યું હતું કે, હું ડેન્માર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વિડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લઈશ. શિખર સંમેલનમાં મહામારી બાદ આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, વૈકલ્પિક ઊર્જા સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

April 26, 2022
Elon-Musk-Twitter.jpg
1min743

Elon Musk to acquire Twitter for $44 billion:

ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે Dated 25th April 2022, મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વિટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે.’

ટ્વિટરને ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોવાની અટકળો વચ્ચે ટેસ્લાના ચીફ ઈલોન મસ્કનું ટ્વિટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ બાદ વિદેશી મીડિયામાં અહેવાલ આવ્યા છે કે ટ્વિટર ખરીદવા પર અંતિમ મહોર લાગી ગઈ છે. તો ટ્વિટરે પણ પોતાના નિવેદનમાં આ દાવાની પુષ્ટી કરી છે.

Twitter poised to agree $46.5bn takeover with Elon Musk, reports say |  Twitter | The Guardian

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.

April 26, 2022
Emmanuel-Macron-1280x854.jpg
1min422

કોરોના સામે જંગમાં અસરકારક કામગીરીએ વિજય અપાવતાં ઇમૈનુઅલ મેક્રોં બીજીવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. 2002 બાદ લગાતાર બીજીવાર સત્તા મેળવનારા મેક્રોં પ્રથમ નેતા બન્યા છે.

અંતિમ તબક્કાની ગણતરીમાં ઇમૈનુઅલને 58.2 ટકા અને નેશનલ રૈલી પાર્ટીના દક્ષિણપંથી ઉમેદવાર મરિન લે પેનને 41.8 ટકા મત મળતાં મેક્રોં વિજેતા થયા હતા.

જીત બાદ દુનિયાભરમાંથી વધામણીઓ મળવા માંડી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન, જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્ઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મેક્રોંને અભિનંદન આપ્યા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના ભારત સાથે ઘણા સારા સંબંધ છે. કોઇ પણ ફ્રેન્ચ સરકાર કદી પણ ભારત વિરોધી રહી નથી. ફ્રાન્સે હંમેશાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.

April 19, 2022
indonesia.jpg
1min458

ઈન્ડોનેશિયામાં Date 19/4/21, મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.