CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 21 of 51 - CIA Live

December 3, 2020
pmmoditwt.jpg
2min3462

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in

આ પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટ્વીટર અકાઉન્ટનું હોમ પેજ છે. જેમાં તા.3 ડિસેમ્બર 2020ની સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 63.9 મિલિયન ફોલોઅર્સ સંખ્યા છે જ્યારે તેઓ કુલ 2345 અકાઉન્ટને ફોલો કરી રહ્યાનું જણાય આવે છે.

અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ

પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in

  1. મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
  2. અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
  3. ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
  4. સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
  5. પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
  6. પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
  7. કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
  8. નિલેશ દેસાઇ (સુરત)
  9. રવિ ઘિયાર (સુરત)
  10. ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
  11. બર્તવાલ વિક્રમ

ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે

  1. સી.આર. પાટીલ (પ્રમુખ ગુજરાત ભાજપા, સાંસદ નવસારી)
  2. દર્શના જરદોષ (સાંસદ, સુરત)
  3. ઝંખનાબેન પટેલ (ધારાસભ્ય, ચોર્યાસી, સુરત)
  4. પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, પશ્ચિમ, સુરત)
  5. સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત, સુરત)
  6. હર્ષ સંઘવી (ધારાસભ્ય, સુરત મજૂરા)
  7. મનીષ કાપડીયા (સેનેટ મેમ્બર, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત)

આ લોકો પણ પી.એમ. મોદીના ફોલોઈંગ લિસ્ટમાં છે

  1. મથુર સવાણી (કિરણ હોસ્પિટલ, સુરત)
  2. નીતિન પ્રજાપતિ (બારડોલી)
  3. ડો. મોહસિન લોખંડવાલા (સુરત)
November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min512

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

November 23, 2020
bjp_logo.png
1min460

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

November 10, 2020
bjp_logo.png
1min5110

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 2, 2020
vaccine.jpg
1min5110

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

October 29, 2020
kesubhai.jpg
1min5080

ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

PM Modi

કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.

રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.

કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

October 28, 2020
voting.jpg
1min6840
Bihar Vidhan Sabha Chunav 2020 Live Updates Ist phase of Voting

ગત માર્ચ 2020માં કોરોના લૉકડાઉન બાદ ભારતમાં સૌથી પહેલી વખત ડાયરેક્ટ વોટિંગ યોજાઇ રહ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે તા.28મી ઓક્ટોબરે સવારે 7ના ટકોરે બિહારની કુલ 71 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે વોટિંગ શરૂ થયું હોવાના અહેવાલો મળ્યા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મંદ ગતિએ ઠીકઠીક મતદાન નોંધાયું હતું.

પ્રથમ તબક્કાના મતદાનમાં 1066 ઉમેદવારોનું ભાવિ બે કરોડ કરતાં વધુ મતદારો પૈકી સાંજે 6 વાગ્યા સુધીમાં જેટલા મતદારો મતદાન કરશે એ ઇવીએમમાં સીલ થઇ જશે.

Bihar Assembly Election 2020 Voting Live Updates: Bihar Vidhan Sabha  Election/Chunav, Voting Percentage, Exit Poll Results, Latest News

આજે કુલ 54 બેઠકો પર એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જ્યારે બાકીની 17 બેઠક પર ત્રિકોણીય મુકાબલો યોજાઇ રહ્યો છે.

આજે પહેલા તબક્કાના મતદાન બાદ બીજા બે તબક્કા સાથે બિહાર વિધાનસભા ચૂંટણી ૩ તબક્કામાં પૂર્ણ થશે.

પ્રથમ તબક્કાની બેઠકોમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી RJD 42, કોંગ્રેસ 21 અને સીપીઆઇ માલેના 8 ઉમેદવાર મેદાનમાં છે જ્યારે નીતીશકુમારની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન તરફથી JDUના 35, ભાજપના 29, હિંદુસ્તાન અવામ મોરચાના 6 અને વીઆઇપીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

October 27, 2020
deputy_cm_nitin_patel_6483857_835x547-m.jpg
1min5070

કરજણના કુરાલી ગામે ઘટનાથી ચકચાર, ચપ્પલ ફેંકનાર ઈસમની શોધખોળ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભા પુરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમના પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામે આજે મોડી સાંજે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર બાદ ગુજરાતના નાયબ”’ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કોઈએ તેમની સામે ચપ્પલ ફેંકતા રાજકીય મોરચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ચપ્પલ ફેંકાયું છતાં નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.

આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. તેમ છતાં ચપ્પલ ફેંકનાર ઈસમ ફરાર થઈ ગયો હતો. આ યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કરજણના ભાજપ પ્રવક્તા હર્ષદભાઈ પરમારે કહ્યું છે કે આવું પ્રકરણ બન્યું નથી. બીજી બાજુ બરોડાની ઉચ્ચ પોલીસ ચપ્પલ ફેંકનારને શોધી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જુતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યકત કરવાની આ પધ્ધતિ બિલકુલ વાજબી નથી. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે તે સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંન્નિષ્ઠ રાજપુરુષ છે. તેઓ કોંગ્રેસની સભામાં આવ્યા ન હતા. જે જગ્યાએ સભા યોજાઈ હતી તે સભા, મંડપ, નેતાઓ અને આગેવાનો ભાજપના હતા. તો ત્યાં કોંગ્રેસના આગેવાનો શું કામે જાય ?
ભાજપની સભામાં કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપી આગેવાનનું કારસ્તાન ?

આ ઘટના બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, કે ભાજપની સભામાં કોઈ કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપના જ કોઈ અસંતુષ્ટ આગેવાનનું આ કારસ્તાન છે ? ભાજપના અક્ષય પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી ગયા હતા. તેમના પર ચપ્પલ ફેંકાયું પણ તેમને વાગ્યું ન હતું. બનાવના પગલે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દેવાઈ છે. ચપ્પલ ફેંકનારની હજુ સુધી ઓળખ થઈ નથી.

October 25, 2020
Dirty-Politics.jpg
1min5080

સમગ્ર વિશ્વમાં ભારતના રાજનીતિ કરનારાઓ ભારે બદનામ છે, કેમકે આવા રાજનીતિકોમાં ખેલદીલની ભાવના બિલકુલ જ નથી હોતી. જેનો તાદ્શ દાખલો હાલ ભારતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. કોરોના સામે જીવન રક્ષક વેક્સિન હજુ તો બની નથી, તેનો સ્ટોક આવ્યો નથી અને એ પહેલા તેને મફતમાં આપવાની રાજનીતિ શરૂ થઇ છે. બિહારની ચૂંટણીનો મુદ્દો બનેલી વેક્સિન આવતા આવશે પણ રાજકીય નેતાઓ કોરોના વેક્સિનના નામે પોતાનો રોટલો શેકી લેવાની ફિરાકમાં છે.

કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર વિકલ્પ કોરોના વેક્સીન ભારતમાં બને એ પહેલા જ ચૂંટણીનો મુદ્દો બની ગઇ છે. બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ. 

બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.   

October 23, 2020
eknath_khadse.png
1min5340

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

Maharashtra બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.