CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 20 of 51 - CIA Live

February 5, 2021
bjp_logo.png
1min389

ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.

સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.

અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.

February 2, 2021
bjp_logo.png
1min397

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.

  • અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
  • વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
  • સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

January 20, 2021
Parliament-canteen.jpg
1min445

લોકસભાનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ વિશે જાણકારી આપતાં લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદનાં પહેલા ચરણમાં 12 બેઠકો થશે અને બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. જેમાં 21 બેઠકો થશે. આ ઉપરાંત વારંવાર જે બાબતે લોકરોષ ઉઠતો રહે છે તેવા સંસદની કેન્ટીનનાં સસ્તા ભોજન વિશે તેમણે કહ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનમાં ભોજન ઉપર અપાતી સબસિડીને સદંતર ખતમ કરી નાખવામાં આવી છે.

જો કે લોકસભા સ્પીકર બિરલાએ કેન્ટીન સબસિડીનાં આર્થિક પાસાઓ વિશે વધુ કોઈ જાણકારીઓ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં તમામ દળોનાં સદસ્યોએ એકમતે કેન્ટીન સબસિડી સમાપ્ત કરવાં ઉપર સહમતી વ્યક્ત કરી હતી. હવે સંસદની કેન્ટીનમાં નિર્ધારિત દરે સબસિડી વિના જ ભોજન મળશે.

પ્રતિવર્ષ સંસદની કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. લોકસભાનાં બજેટ સત્રની તૈયારી વિશે વિગતો સાંપડતા બિરલાએ એ પણ જણાવ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનનું સંચાલન ઉત્તર રેલવેને બદલે આઈટીડીસી દ્વારા કરવામાં આવશે. સંસદનાં સત્ર પહેલા તમામ સાંસદોને કોરોના ટેસ્ટ માટે અનુરોધ કરવામાં આવશે. સંસદનાં પરિસરમાં જ 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

December 27, 2020
Chhotu-Vasava1.jpg
1min417

રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ  બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું  કે,  કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. 

JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને  SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ  ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે. 

December 23, 2020
kashmir.jpg
1min524

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.

જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’

December 18, 2020
Kejriwal.jpg
1min531

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં નવા ત્રણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી અને ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન ૨૦ કિસાનના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિલ્હી વિધાનસભાને સંબોધન કરતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે આ નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી.

ભાજપશાસિત નગર નિગમોમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી.

December 16, 2020
CR_Cia.jpg
1min1046

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.

તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.

પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં

અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.

તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.

તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે

સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.

આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.

December 10, 2020
vijayvargiya-car.jpg
1min424

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર મામલો ગરમાઈ રહ્યો છે. ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો છે. આ દરમિયાન કાર્યકર્તાઓ પર લાકડીના ડંડા મારીને હુમલો કરવામાં આવ્યો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીય પણ આ જ કાફલા સાથે હતા. તેમની ગાડીના પણ કાચ તૂટ્યા છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ નડ્ડાએ સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંગાળ ભાજપ યુનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થાનિક તંત્ર અને અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

પ્રદર્શનકારીઓએ ડાયમંડ હાર્બરમાં રસ્તો જામ કરવાની કોશિશ કરી. આ રસ્તા પરથી જેપી નડ્ડાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો પણ થયો. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં કૃષિ કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે.

કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું, “બંગાળ પોલીસે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમની માહિતી આપી હતી, પરંતુ ફરી એકવાર બંગાળ પોલીસ નિષ્ફળ રહી. સિરાકોલ બસ સ્ટેન્ડ પાસે પોલીસ સામે જ ટીએમસી ગુંડાએ અમારા કાર્યકર્તાઓને માર્યા અને મારી ગાડી પર પથ્થરમારો કર્યો.”

December 9, 2020
pmmoditwt.jpg
1min465

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.

ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.

આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.

December 4, 2020
pmmodi.jpg
1min397

ભારતમાં કોરોના રસી અંગે પહેલી વખત સત્તાવાર અને નક્કર માહિતી વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.4 ડિસેમ્બરના રોજ યોજાયેલી સર્વપક્ષિય ઓનલાઇન મિટીંગમાં જારી કરી હતી. પીએમ શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. 

ભારત રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે. 

સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ માહિતીથી માહિતગાર કર્યા હત.

તા.4 ડિસેમ્બરની સર્વપક્ષીય બેઠકમાં પીએમ શ્રી મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે.