CIA ALERT

ઇન્ડીયા Archives - Page 24 of 209 - CIA Live

August 1, 2024
Vande_Bharat_Express_around_Mumbai.jpg
1min261

ભારતીય રેલવે 15 ઓગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિમી પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતા મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં રહે પરંતુ સમયની પણ બચત કરાવશે.

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે એક સંપૂર્ણ સૂચિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના કોચ અને એન્જિનને અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ અંતર્ગત બાયપાસ ફૂટઓવર બ્રિજ પણ બનાવાયા છે. આ મિશન હેઠળ રેલવેના તમામ ડીઝલ એન્જિનોને મેમૂ એટલે કે મેઈન લાઈન ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવશે.

દેશની ટોચની ટ્રેનોની સ્પીડ 130થી વધારીને હવે 160 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે કે શું? આ સવાલનો જવાબ છે , ના ટ્રેનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

હાલમાં 12953 નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને 12951 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે લગભગ 16 કલાકનો સમય લે છે પરંતુ 15 ઓગસ્ટ પછી આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આમ 4 કલાકનો સમય બચશે. મહત્વની વાત એ છે કે, સંભવિત છે કે રેલવે ટૂંક સમયમાં આ અંગે નવું ટાઈમ ટેબલ પણ જારી કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

મુસાફરીના નવા શેડ્યૂલમાં મુંબઈથી અમદાવાદ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે, જે અગાઉના 3:55 PMના શેડ્યૂલ કરતાં દસ મિનિટ વહેલી હશે. વડોદરા: 20:11 વાગ્યે આગમન થશે 20:14 વાગ્યે પ્રસ્થાન થશે જે અગાઉ 20:16 અને 20:19 હતા તથા અમદાવાદ અગાઉના 21:25ના આગમનને સ્થાને 21:15 વાગ્યે આગમન થશે.

રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને 15 ઓગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર 15 ઓગસ્ટથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે હેઠળના તમામ સંબંધિત વિભાગોના DRMને બ્લોક અને એસએન્ડટી/ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પૂર્ણ થવા હવે લીલીઝંડી મળી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને 160 કિમી સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટેકનોલોજીથી સજ્જ સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે.

આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં આવી છે. કવચ ટેક્નોલોજી પણ લગાવવામાં આવી છે. મિશન રફ્તાર હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં પણ ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટ્રેનો દોડાવી શકાશે.

July 26, 2024
neet-ug-scam.png
1min235

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે સુધારેલા પરિણામોને બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 4 જૂને જાહેર થયેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે, IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આથી બાબત અંદાજે 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્કસને અસર કરશે જેઓએ પહેલેથી જ સ્વીકૃત જવાબ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં ટોચના સ્કોર કરનારા વિદ્યાર્થીની સંખ્યા 61થી ઘટીને 17 થઈ ચૂકી છે.

NEET UG સંશોધિત પરિણામ કેવી રીતે જોવું:
સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NTAની ઓફિશિયલ વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાઓ.
સ્ટેપ 2: “NEET-UG સુધારેલ સ્કોર કાર્ડ” માટેની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ કરો.
સ્ટેપ 4: હવે સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ સુધારેલું સ્કોરકાર્ડ જુઓ.
સ્ટેપ 5: ભવિષ્યમાં સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને સાચવો.

નોંધનીય છે કે NEET UG સુધારેલ સ્કોરકાર્ડ 2024 ના જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન, ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.

July 24, 2024
india-paris-olympic.png
3min448

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે. એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

ભારતીય એથ્લેટ્સ માટે પેરિસ ઓલિમ્પિક 2024નું શેડ્યુલ

રમતશરૂઆતઅંતિમ તારીખભાગ
લેનાર
ભારતીય
એથ્લેટ્સ
તીરંદાજી25 જુલાઈ4 ઓગસ્ટ5
એથ્લેટિક્સ1 ઓગસ્ટ10 ઓગસ્ટ16
બેડમિન્ટન27 જુલાઈ5 ઓગસ્ટ4
બોક્સિંગ27 જુલાઈ10 ઓગસ્ટ6
ઘોડેસવારી30 જુલાઈ4 ઓગસ્ટ1
હોકી27 જુલાઈ8 ઓગસ્ટ1
જૂડો2 ઓગસ્ટ2 ઓગસ્ટ1
રોઈંગ27 જુલાઈ3 ઓગસ્ટ1
સેલિંગ1 ઓગસ્ટ6 ઓગસ્ટ2
શૂટિંગ27 ઓગસ્ટ5 ઓગસ્ટ15
સ્વિમિંગ28 જુલાઈ29 જુલાઈ2
ટેબલ ટેનિસ27 જુલાઈ10 ઓગસ્ટ4
ટેનિસ27 જુલાઈ4 ઓગસ્ટ2
કુશ્તી5 ઓગસ્ટ11 ઓગસ્ટ6
વેઇટ લીફટીંગ7 ઓગસ્ટ7 ઓગસ્ટ1

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે.

આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલા મેડલની આશા

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે.

એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

July 24, 2024
kbc-16.png
1min241
Kaun Banega Crorepati S 16' will be out soon! Here's where you can watch  Amitabh Bachchan's iconic quiz show -

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’

આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.

July 23, 2024
budget-24.png
2min184

ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે

નાણા મંત્રીનિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં મધ્યમવર્ગને રાહત આપી છે. સીતારમણે નવા ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપતાં તેના ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યા છે. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે.

આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તે અંતર્ગત નવા કર માળખામાં રૂ. ત્રણ લાખ સુધીની આવક પર અગાઉની જેમ શૂન્ય ટેક્સ છે. જો કે, 5 ટકાના સ્લેબની આવકમાં ફેરફાર કર્યો છે. હવે 3થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ પહેલા રૂ. 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ભરવાનો આવતો હતો.

આ સિવાય રૂ. 10 લાખ સુધીની આવક 10 ટકા ટેક્સ લાગુ કરાયો છે. અગાઉ રૂ. 10 લાખની આવક ધરાવતા લોકો 15 ટકા ટેક્સ ચૂકવતા હતા. જો કે, હાઈ નેટવર્થ ધરાવતા વર્ગ અર્થાત 15 ટકા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ તેમને ડિડક્શનનો લાભ મળશે.

75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે

નવા કર માળખા પ્રમાણે, રૂ. ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવાતો હતો. જો કે, આટલી રકમ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લેતાં કરદાતાઓએ 7.75 લાખ સુધીની આવક પર 5 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટેક્સનું ભારણ ઘટાડવા સરકાર દ્વારા અપાતી છૂટછાટ. તેમાં વિવિધ ખર્ચ ઉપરાંત કરદાતા સીધો રૂ. 75 હજાર સુધીની કપાતનો લાભ લઈ શકે છે.

નવા ટેક્સ રેજિમમાં મધ્યમવર્ગને થશે બચત

નવા ટેક્સ રેજિમમાં કરાયેલા ફેરફારોના પગલે 5 ટકા ટેક્સ ચૂકવતાં કરદાતાને રૂ. 28600, 10 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 14300, 15 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 15600 તેમજ 20થી 30 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 18200નો લાભ થશે.

10.75 લાખની આવક પર થશે આટલો ફાયદો

જે કરદાતાની આવક રૂ. 10.75 લાખ હશે, તે અગાઉ રૂ. 66300 ટેક્સ ચૂકવતા. જો કે નવા કર માળખા હેઠળ 10 ટકા ટેક્સ રેટ સાથે રૂ. 52000 ચૂકવવા પડશે. એટલે કે તેમને રૂ. 14300નો લાભ થશે.

12.75 લાખની આવક પર મળશે 15600નો લાભ

રૂ. 10થી 12 લાખની આવક ધરાવતા કરદાતા માટે 15 ટકા ટેક્સ લાગુ કરાયો છે. જે કરદાતાની આવક રૂ. 12.75 લાખ હશે, તેમણે આ સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અગાઉના માળખા પ્રમાણે રૂ. 98,800 ચૂકવવાનો થતો હતો. એટલે કે આ આંકડો ઘટીને હવે રૂ. 83200 થશે, જેમાં કરદાતાઓને રૂ. 15600ની બચતન લાભ મળશે.

રૂ. 15.75 લાખ આવક પર રૂ. 18200નો લાભ

નવા ફેરફાર પ્રમાણે ચોથા સ્લેબ હેઠળ રૂ. 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈને રૂ. 15.75 લાખ સુધીની આવક પર ચૂકવવા પાત્ર ટેક્સ રૂ. 1,63,800 થાય છે. હવે આ આંકડો ઘટીને રૂ. 1,45,600 થશે. એટલે કે તેમાં રૂ. 18,200નો લાભ મળશે.

રૂ. 18.75 લાખની આવક પર પણ ટેક્સનો લાભ

આ રૂ. 18 લાખથી વધુ આવક પર ટેક્સેબલ આવક રૂ. 2,57,400 હતી. જે ઘટી 2,39,200 થશે. આમ આટલી આવક ધરાવનારાને રૂ. 18,200ની બચત થશે.

July 23, 2024
gjepc-logo.png
2min292
Budget 2024: GJEPC Hails Modi Government's Budget As Game Changer For Gems  and Jewellery Industry

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), જેમ્સ એન્ડ જ્વેલરી માટે ભારતની સર્વોચ્ચ વેપાર સંસ્થા GJEPC એ નાણા પ્રધાન શ્રીમતી Nirmala Sitaraman દ્વારા રજૂ કરાયેલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 3.0 સરકારના પ્રથમ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. નિર્મલા સીતારમણ સાતમી ઐતિહાસિક વખત રજૂ કરેલું બજેટ સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે ગેમ ચેન્જર તરીકે પુરવાર થશે.

જીજેઇપીસીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારત હીરા કટીંગ અને પોલિશિંગ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે, જે દસ લાખથી વધુ કુશળ કામદારોને રોજગારી આપે છે. GJEPCએ જણાવ્યું હતું કે રફ ડાયમંડ ટ્રેડિંગ પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સલામત હાર્બર ટેક્સની જાહેરાતથી ભારતનો વિકાસ સૌથી મોટા રફ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે જોવા મળશે કારણ કે તમામ વિદેશી માઇનિંગ કંપનીઓ હવે ભારતમાં ડાયમંડ કટિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સીધા રફ ડાયમંડનું વેચાણ વેપાર કરશે. આમ નાના ઉત્પાદકોને હીરાની હરાજીમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસની જરૂર વગર ડાયમંડ ખાણ કંપનીઓ પાસેથી સીધા ભારતમાં કાચા હીરાના જથ્થાની ખરીદીનો ઍક્સેસ મળશે.

GJEPC રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી (EL)માંથી ડાયમંડ સેક્ટરને બાકાત રાખવાના નાણાંમત્રીના નિર્ણયને આવકારે છે. આ હીરા ઉદ્યોગમાં ભારતનું નેતૃત્વ જાળવી રાખવામાં અને ઓપરેશનલ ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સામાન અથવા સેવાઓના ઈ-કોમર્સ સપ્લાય માટે વિચારણાના 2 ટકાના દરે ઇક્વલાઇઝેશન લેવી હવે 1લી ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી લાગુ થશે નહીં.

વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZs)માં હીરાના વેચાણ પરના કર વેરા નિયમોને સરળ બનાવવાની GJEPCની લાંબા સમયથી ચાલતી ભલામણને નાણાં મંત્રી દ્વારા સ્વીકારવામાં આવી છે અને અમારા હીરા ઉત્પાદકો દ્વારા રફ હીરાની ઓનલાઈન બિડિંગ માટે સમાનતા વસૂલાત નાબૂદ કરવામાં આવે છે તે ગેમ ચેન્જર છે.

GJEPC દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે સલામત હાર્બર રેટ પ્રદાન કરવા અને સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવાના સરકારના પ્રસ્તાવને આવકારે છે. આનાથી ભારત બેલ્જિયમ અને દુબઈ જેવા વૈશ્વિક વ્યાપારી કેન્દ્રો સાથે સમાન સ્તર પર આવશે. આ રત્ન અને ઝવેરાત ક્ષેત્રના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે. સર્વોચ્ચ વેપાર સંસ્થા તરીકે, GJEPC તે જ માંગે છે અને આ બાબતે બજેટ પૂર્વે ઘણી ભલામણો કરી છે.

નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે SEZs દ્વારા સંચાલન કરવા માટે હકદાર એન્ટિટીઝના વિસ્તારને વિસ્તૃત કરશે. SEZ ની સ્થાપના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી કે રફ હીરાની પ્રાપ્તિમાં કાર્યક્ષમતા ઊભી કરીને વિદેશી હીરાની ખાણકામ કરતી કંપનીઓને આવા SEZs દ્વારા ભારતીય ઉત્પાદકોને તેમની પેદાશો સીધા વેચવાની મંજૂરી આપીને રફ હીરાની સરળ ઉપલબ્ધતા મળી શકે. બેલ્જિયમ અને દુબઈ જેવા દેશોમાં વેચાણની મંજૂરી છે, જ્યારે દુબઈમાં પ્રદર્શિત રફ હીરાના વેચાણ પર કોઈ સીધો કર નથી અને બેલ્જિયમમાં વેચાણ પર 0.187% ટર્નઓવર ટેક્સ છે. GJPEC એ જયપુરમાં રફ રત્ન માટે SEZ ની સ્થાપનાની દરખાસ્ત કરી છે. મુંબઈ અને સુરતમાં આ SEZ સાથે, કાચા માલની ઉપલબ્ધતાના નિર્ણાયક મુદ્દામાં ઘણી રાહત થશે.

GJEPC એ દેશમાં સોના અને કિંમતી ધાતુના દાગીનામાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિ વધારવા માટે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવાની નાણાં મંત્રીની દરખાસ્તને બિરદાવી છે. ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિત તેના કાચા માલ માટે આયાત પર ભારે આધાર રાખે છે. આ સામગ્રીને દેશમાં લાવવામાં આવે છે અને વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે તે પહેલાં તેને કટીંગ અને પોલિશ કરવામાં આવે છે અથવા ફિનિશ્ડ જ્વેલરીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સર્વોચ્ચ સંસ્થા તરીકે, GJEPC નિકાસને વધારવા માટે તેની પ્રી-બજેટ ભલામણોમાં આ ઘટાડાની માંગ કરી રહી હતી. સોના, ચાંદી અને પ્લેટિનમની ડ્યુટીમાં ઘટાડો સુનિશ્ચિત કરશે કે લગભગ રૂ. 982.16 કરોડ રિલીઝ થઈ શકે છે જેના પરિણામે નિકાસકારોના હાથમાં વધુ કાર્યકારી મૂડી આવશે. આ સ્થાનિક સ્તરે જ્વેલરીની વધેલી માંગને કારણે ઉત્પાદનના વિકાસમાં મદદ કરશે અને વધુ કાર્યકારી મૂડી (2 વર્ષના મધ્યમ ગાળામાં US$11 બિલિયનમાંથી ઓછામાં ઓછા US$2 બિલિયન) સાથે સોનાના આભૂષણોની અણઉપયોગી નિકાસ સંભવિતતાનો અહેસાસ થશે.

એફએમએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે કર માળખાને તર્કસંગત બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. જન વિશ્વાસ બિલનું સંસ્કરણ 2.0 વ્યવસાય કરવાની સરળતાને વધારશે.

જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં MSME અને કારીગરો/કારીગરો ઈ-કોમર્સ નિકાસ હબનો લાભ મેળવશે, જે એક છત નીચે વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓની સુવિધા માટે જાહેર ખાનગી ભાગીદારીમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે, આ હબ, સીમલેસ રેગ્યુલેટરી અને લોજિસ્ટિક માળખા હેઠળ, એક છત હેઠળ વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓને સુવિધા આપશે. કારીગરો અને કારીગરોને PM વિશ્વકર્મા, PM સ્વનિધિ, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓને આગળ વધારવાનો લાભ મળશે.

રાજ્ય સરકાર સાથે મળીને ઔદ્યોગિક પાર્કની સ્થાપના કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં વિકસાવવામાં આવી રહેલા પાર્ક ઉપરાંત દેશભરમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસને પ્રોત્સાહન આપશે. ઔદ્યોગિક કામદારો માટે રહેઠાણ જેવા ડોર્મ સાથેના ભાડાના આવાસના સંદર્ભમાં એફએમની દરખાસ્ત PPP મોડમાં આવકાર્ય છે.

એફએમએ જણાવ્યું હતું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણો (FDIs) માટે નિયમો અને માન્યતા તેમના પ્રવાહને સરળ બનાવવા માટે સરળ બનાવવામાં આવશે. આ પગલાનો હેતુ વિદેશી રોકાણ માટે રૂપિયાના ઉપયોગને પ્રાથમિકતા આપવા અને પ્રોત્સાહન આપવાનો છે. એફએમના કેન્દ્રીય બજેટે દર્શાવ્યું હતું કે સરકાર ભારતીય રૂપિયાને વિશ્વની વૈકલ્પિક અનામત ચલણ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

MSMEs દ્વારા શ્રમ-સઘન ઉત્પાદન પર બજેટનો ભાર – જે રત્ન અને ઝવેરાત ઉદ્યોગનો 80% ભાગ ધરાવે છે – તેમને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ અને સ્પર્ધા કરવામાં મદદ કરશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ MSMEsને મશીનરી અને સાધનોના આધુનિકીકરણ માટે પ્રોત્સાહન આપશે.

સરકારે રોજગાર સાથે જોડાયેલ કૌશલ્ય પર મોટો દબાણ આપ્યું છે અને તેનાથી સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગના 5 મિલિયનથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રથમ વખતના કર્મચારીઓની રોજગાર સાથે જોડાયેલી સ્કીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે કર્મચારીઓમાં વધુ મહિલાઓ માટે સરકારનું પગલું અને મહિલા કામદારો માટે જાહેર કરાયેલ પહેલો વધુ મહિલાઓને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરણા આપશે.

ખાસ કરીને પૂર્વ ભારતમાં હાલના અને નવા ઔદ્યોગિક કોરિડોર પર સરકારનું ધ્યાન GJEPCને નિકાસ માટે નવા જેમ અને જ્વેલરી ક્લસ્ટરોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

રૂ.ની ફાળવણી 5 વર્ષના સમયગાળા માટે 4.1 કરોડ યુવાનો માટે રોજગાર અને કૌશલ્યની સુવિધા માટે 2 લાખ કરોડ રૂપિયા ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગના 5 મિલિયનથી વધુ શ્રમ દળમાં નવા કામદારોને લાભ થશે. નવા પ્રવેશકારો માટે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ વધુ યુવાનોને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.

નાણાપ્રધાનનું બજેટ મુખ્યત્વે ભૂમિ, શ્રમ, મૂડી અને ઉદ્યોગસાહસિકતા માટેના આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી રોજગારમાં વધારો થાય, ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી જેવા ભારતમાં શ્રમ સઘન ક્ષેત્રો માટે. આ કામદારો અને કારીગરોના કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને રોકાણ સાથે મળીને ખરેખર આપણા ક્ષેત્રને પુષ્કળ પ્રોત્સાહન આપશે.

ઉત્પાદન અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની 9 પ્રાથમિકતાઓ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મદદ કરશે.

July 22, 2024
farmers.jpg
1min245
Farmers to burn BJP's effigies on Aug 1, hold tractor marches on Aug 15

ખેડૂતો ફરી એકવાર સરકારની સામે મોરચો માંડવાની તૈયારીમાં છે. ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાને લઈને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જાહેરાત કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી છે.
આગામી સ્વતંત્રતા દિવસ 15 મી ઓગષ્ટના દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની નકલો પણ બાળવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂત સંગઠનો દ્વાર નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટે તેઓ મોદી સરકારની ‘અર્થી’ સળગાવશે. આ દરમિયાન એમએસપી પર કાયદાકીય ગેરંટી માટે જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.

આ પ્રદર્શન દરમિયાન નવા ફોજદારી કાયદાઓની નકલ પણ સળગાવવામાં આવશે. જો કે દેશભના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને રાશન લઈને પહોંચવા લાગ્યા છે.
શંભુ બોર્ડર પર ખેડૂતોએ લાંબા સમયથી પડાવ નાખ્યો છે. 31 ઓગસ્ટના રોજ ખેડૂત આંદોલનને 200 દિવસ પૂરા થશે. ખેડૂત સંગઠનોએ આ દિવસે તમામ ખેડૂતોને સરહદ પર પહોંચવાની અપીલ કરી છે. જો કે આ દરમિયાન 15મી સપ્ટેમ્બરે હરિયાણાના જીંદમાં અને 22મી સપ્ટેમ્બરે હરિયાણાના પીપલીમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય ટેનીએના પુત્ર આશિષ મિશ્રાને આપવામાં આવેલી જામીનની પણ નિંદા કરી હતી. આશિષ પર લખીમપુરમાં ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ છે. ખેડૂતોએ કહ્યું કે બોર્ડર ખુલતાની સાથે જ અમે ટ્રેક્ટરમાં માલ ભરીને દિલ્હી જવા રવાના થઈશું.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એક સપ્તાહની અંદર શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. તેની મુદ્દત 17 જુલાઈએ પૂર્ણ થઈ હતી, પરંતુ તે પહેલા હરિયાણા સરકારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીના રોજ પંજાબના ખેડૂતો MSPની કાયદાકીય ગેરંટી સહિત લગભગ 12 માંગણીઓ સાથે દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ હરિયાણા સરકાર દ્વારા પટિયાલા અને અંબાલા વચ્ચે શંભુ બોર્ડર પર તેમનો રસ્તો બંધ કરી દેવાયો છે. ત્યારથી ખેડૂતો શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.

July 22, 2024
bihar.png
1min213

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.

જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા દ્વારા છેલ્લા ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે નીતિશ કુમારની પાર્ટીને સ્પષ્ટ જવાબ મળી ચૂક્યો છે. આ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બિહારને વિશેષ રાજ્યના દરજ્જા પર હાલ પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપતા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.

જેડીયું સાંસદ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. વિશેષ રાજ્યના દરજ્જા માટે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી ચૂકી છે, જો કે બિહારમાં આ માંગ ફરી એકવાર ઉઠી છે.

રવિવારે Dt.21/7/24 દિલ્હીમાં મળેલી સર્વપક્ષીય દળની બેઠકમાં પણ આ મુદો ઉઠ્યો હતો. જેમાં જેડીયુંનાં સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપીને વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી. બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માંગ નીતિશ કુમાર પણ કરતાં આવ્યા છે, જો કે આ બાબતે આરજેડી વડા લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ, અમે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું.

July 19, 2024
AFC_Womens_Asian_Cup.png
1min206

મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.

શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન

પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ભારતે સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલમાં નવ ફોર સાથે 45 રન અને શેફાલીએ 29 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 40 રન નોંધાવ્યા હતા. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર પાંચ રન અને જેમિમા ત્રણ રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.

ભારતે પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી અમીને સૌથી વધુ 35 બોલમાં 25 રન બનાવ્યા હતા. ફાતિમા સનાએ 16 બોલમાં એક પોર અને બે સિક્સની મદદથી અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. હસને 19 બોલમાં ત્રણ ફોર સાથે 22 રન નોંધાવ્યા હતા. બાકીની તમામ ખેલાડીઓ નબળું પ્રદર્શન કર્યું હતું.

દીપ્તિની ત્રણ વિકેટ

આજની મેચમાં ભારતીય બોલર દીપ્તી શર્માએ દમદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિએ પાકિસ્તાનની કેપ્ટન નિદાનને માત્ર આઠ રને પેવેલીયન ભેગી કરી દીધી હતી, જ્યારે હસનને 22 રને આઉટ કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ ખેરવી હતી.

July 18, 2024
india-cricket-team.jpg
4min235
Latest Indian Cricket News | BCCI

શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.

હાર્દિક પંડ્યાને નુકસાન

ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.

હાર્દિક પંડ્યાને નુકસાન

ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

T20I ટીમઃ  

  • સૂર્યકુમાર યાદવ (C),
  • શુભમન ગિલ (VC),
  • યશસ્વી જયસ્વાલ,
  • રિંકુ સિંહ,
  • રિયાન પરાગ,
  • ઋષભ પંત (WK),
  • સંજુ સેમસન (WK),
  • હાર્દિક પંડ્યા,
  • શિવમ દુબે,
  • અક્ષર પટેલ,
  • વોશિંગ્ટન સુંદર,
  • રવિ બિશ્નોઇ,
  • અર્શદીપ સિંહ,
  • ખલીલ અહેમદ,
  • મોહમ્મદ સિરાજ.

ODI ટીમ:  

  • રોહિત શર્મા (C),
  • શુભમન ગિલ (VC),
  • વિરાટ કોહલી,
  • લોકેશ રાહુલ (WK),
  • ઋષભ પંત (WK),
  • શ્રેયસ ઐયર,
  • શિવમ દુબે,
  • કુલદીપ યાદવ,
  • મોહમ્મદ સિરાજ,
  • વોશિંગ્ટન સુંદર,
  • અર્શદીપ સિંહ,
  • રિયાન પરાગ,
  • અક્ષર પટેલ,
  • ખલીલ અહેમદ,
  • હર્ષિત રાણા.