દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે. પીએમ મોદીએ વર્ષ 2019મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો અને 5 વર્ષમાં દરિયા પર તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે.
પંબન બ્રિજની વિશેષતાઓ
આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે. જેમાં 18.3 મીટરના 99 સ્પાન અને 72.5 મીટરનો એક વર્ટિકલ લિફ્ટ સ્પાન આ બ્રિજ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો બ્રિજ નીચેથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે બ્રિજ નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પોલિસીલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરાયો નવો પંબન બ્રિજ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે સલામત બ્રિજ પર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે બ્રિજ વચ્ચેથી ખુલશે જેથી જહાજો પસાર થઈ શકશે આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરાયું. તેનો બાંધકામ ખર્ચ રૂપિયા 535 કરોડ પીએમ મોદીએ 2019 માં શિલાન્યાસ કર્યો હતો પીએમ મોદીએ વર્ષ 2019 મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં સામાન્ય રીતે દાયકાઓ લાગે છે. જેના કારણે ખર્ચ અનેકગણો વધી જાય છે. જોકે, આ બ્રિજનું કામ રેકોર્ડ ટાઇમમા પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.
રેલવેના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોએ દેશને એક નવું વિકસિત પરિમાણ આપ્યું છે. કાશ્મીર સુધી સીધી રેલ સેવા માટે ચેનાબ અને અંજી પુલના નિર્માણથી દેશનું ગૌરવ વધ્યું છે.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર ભારતમાં સૌથી પહેલો કોર્સ, ગુરુગ્રામની નોર્થકેપ યુનિવર્સિટીમાં શરૂ થશે જુલાઇ 2025થી Start
સરળ ભાષામાં સમજો સેમિકન્ડક્ટર ચીપ શું હોય
સેમિકન્ડક્ટર એક એવી માઇક્રોચીપ છે કે જે પૂર્વનિર્ધારિત પ્રોગ્રામિંગ અનુસાર જુદી જુદી પરિસ્થિતિઓમાં જે તે ઉપકરણને ઓટોમેટીક અને સતત કાર્યરત રાખે છે. સેમિકન્ડક્ટર ચીપ કમ્પ્યુટર્સથી લઇને મોટરકાર, એરોપ્લેન, રોકેટ, હોમ એપ્લાયન્સીસઝ, મોબાઇલ ફોન્સ વગેરે વર્તમાન સમયના દરેકે દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હાર્દ હોય છે.
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), IIT મંડી અને ધ નોર્થકેપ યુનિવર્સિટી (NCU), ગુરુગ્રામે, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) માં B.Tech રજૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઔપચારિક રીતે કૌશલ ભવન, નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી એવું ક્ષેત્ર છે જે આધુનિક ઇક્વિપમેન્ટ્સથી લઇને મોટરકાર સુધીની તમામ ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરીંગમાં અનિવાર્ય અંગ છે.ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને અનુરૂપ મેનપાવર ઉદભવે તે સાથે જ ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલાવિદ્યાર્થીઓને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ તાલીમથી સજ્જ કરવા માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને બી.ટેક. વીથ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કોર્સ ડિઝાઇન કર્યો છે.
આઠ સેમેસ્ટરમાં રચાયેલ આ ચાર વર્ષનો કાર્યક્રમ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે, જેમાં નીચેના ચેપ્ટર્સનો સમાવેશ થાય છે:
નેનોટેકનોલોજી અને સેમિકન્ડક્ટર મટિરિયલ્સ એન્જિનિયરિંગ
સેમિકન્ડક્ટર ફિઝિક્સ
માઇક્રોફેબ્રિકેશનનો પરિચય
સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન
સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ટેકનોલોજી
મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સ્ડ વિષયો
અભ્યાસક્રમમાં NCU, NSDC અને IIT મંડી દ્વારા સહ-વિકસિત એપ્લિકેશન-ઓરિએન્ટેડ લર્નિંગના 25 ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. ડિગ્રી NCU નોર્થકેપ યુનિવર્સિટી ગુરુગ્રામ દ્વારા એનાયત કરવામાં આવશે.
અમલીકરણમાં NSDC ની ભૂમિકા
NSDC આ કાર્યક્રમના સરળ રોલઆઉટને સુનિશ્ચિત કરશે:
તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી નોંધણી કરવી
શિક્ષણ લોન સાથે પાત્ર ઉમેદવારોને ટેકો આપવો
AI-સક્ષમ સામગ્રી, વ્યાખ્યાનો અને સોંપણીઓ સાથે એક-સ્ટોપ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું
વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરી પ્લેસમેન્ટમાં સહાય કરવી
IIT મંડી ખાતે હેન્ડ્સ-ઓન લર્નિંગ
IIT મંડી ફેકલ્ટી વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવશે અને ચાર વર્ષમાં અદ્યતન પ્રયોગશાળાઓમાં છ હેન્ડ્સ-ઓન નિમજ્જન કાર્યક્રમો પ્રદાન કરશે. સંસ્થા અભ્યાસક્રમ, પરીક્ષાઓ, સબમિશન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરશે, જે NCU ખાતે અંતિમ ડિગ્રી માટે ગણવામાં આવશે.
વેદ મણિ તિવારી, CEO, NSDC (અને MD, NSDC ઇન્ટરનેશનલ) કહે છે કે “IIT મંડી અને NCU સાથેનો અમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણનું લોકશાહીકરણ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવા તરફ એક પગલું છે. આ પહેલ રોજગાર ક્ષમતામાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે – જે ભારતના તકનીકી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.”
ડૉ. તુષાર જૈન, CCE, IIT મંડી કહે છે કે “આ સહયોગ IIT મંડીની સંશોધન કુશળતા, NCUના શૈક્ષણિક માળખા અને NSDCની કૌશલ્ય વિકાસ પહેલને જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવે છે.”
પ્રો. નુપુર પ્રકાશ, વાઇસ ચાન્સેલર, NCU: “આ અગ્રણી કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યવહારુ સંપર્કનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ IIT મંડી ખાતે સ્વચ્છ રૂમ અને અદ્યતન પ્રયોગશાળાઓમાં વ્યવહારુ અનુભવ મેળવશે, જે તેમને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તૈયાર કરશે.”
આ પહેલ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તક આપે છે, જે તેમને વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો બનાવે છે.
The B.Tech CSE with Specialisation in Semiconductor Technology at The NorthCap University (NCU) is designed to equip students with in-depth knowledge of semiconductor design, fabrication, and advanced computing technologies. As semiconductors drive innovation across industries, this programme blends core computer science principles with cutting-edge semiconductor technologies to prepare students for high-demand roles in chip design, embedded systems, and nanoelectronics.
This specialisation focuses on VLSI design, semiconductor materials, circuit fabrication, and AI-enabled hardware, making graduates highly valuable in industries such as quantum computing, artificial intelligence, telecommunications, and IoT. With industry collaborations, state-of-the-art semiconductor labs, and hands-on exposure to chip design, testing, and fabrication, students gain practical expertise essential for the rapidly evolving semiconductor industry.
State-of-the-Art Labs – Hands-on training with Cadence, Xilinx, Siemens, Key Soft, and Ansys design software.
Global Academic Collaborations – Partnerships with NTHU Taiwan and University of Illinois, USA for advanced semiconductor technology research.
Research & Innovation Opportunities – Focus on quantum computing, AI-driven chip design, and next-gen semiconductor materials like graphene and gallium nitride.
Real-World Industry Exposure – Internships with leading semiconductor companies to gain practical experience in semiconductor design, testing, and production.
Multidisciplinary Skill Development – Integration of circuit design, embedded systems, semiconductor testing, and packaging technologies for industry readiness.
Curriculum – Detailed Programme Structure
The B.Tech CSE with Semiconductor Technology is structured over four years (eight semesters), integrating fundamental computer science principles with specialized semiconductor knowledge.
Advanced topics in Logic Gates, Power Management, and Circuit Analysis
Lab exposure with design and simulation software
Years 3 & 4: Advanced Specialisation & Industry Exposure
Digital & Analog Circuit Design for semiconductor applications
Embedded Systems Design for IoT, automotive, and AI applications
Quantum Computing & AI-Enabled Hardware
Semiconductor Fabrication & Testing with industry-standard tools
Research & Capstone Project in Semiconductor Innovations
Mandatory Internship with Semiconductor Firms
Programme Outcomes (POs)
Graduates of the B.Tech CSE with Semiconductor Technology will:
✅ Master semiconductor design methodologies and integrate AI-driven chip development. ✅ Develop expertise in VLSI circuit design, embedded systems, and chip fabrication techniques. ✅ Apply knowledge of semiconductor physics and materials to innovate in device miniaturisation and efficiency. ✅ Design and test semiconductor devices and circuits for various industrial applications. ✅ Gain industry-ready skills through practical exposure to semiconductor fabrication and testing. ✅ Be equipped for high-paying careers in semiconductor research, design, and manufacturing.
Career Opportunities After Course Completion
Graduates of this programme are in high demand across semiconductor design, fabrication, and emerging technology fields. Career opportunities include:
🔹 Chip Design Engineer – Develop next-gen semiconductor chips and processors. 🔹 Process Engineer – Optimise fabrication processes for high-yield semiconductor production. 🔹 Field Application Engineer (FAE) – Work on customer-focused chip design and implementation. 🔹 Embedded Systems Engineer – Design and develop hardware-driven AI and IoT applications. 🔹 Nanoelectronics Engineer – Innovate in miniaturised semiconductor devices and quantum computing. 🔹 AI Hardware Engineer – Develop AI-driven chips for machine learning and deep learning applications.
Top Hiring Companies:
✔ Intel Corporation ✔ TSMC (Taiwan Semiconductor Manufacturing Company) ✔ Samsung Electronics ✔ Apple Inc. ✔ Qualcomm ✔ NVIDIA ✔ Texas Instruments ✔ Infineon Technologies ✔ NXP Semiconductors ✔ Cadence ✔ IBM Research ✔ Micron Technology ✔ Broadcom Inc.
With the semiconductor industry driving advancements in AI, IoT, and smart devices, graduates enjoy strong career prospects with global companies.
Why Choose NCU for BTech CSE – Semiconductor Technology?
State-of-the-Art Labs – Hands-on experience with leading semiconductor design software (Cadence, Xilinx, Siemens, Ansys, and Key Soft).
Global Collaborations – Academic partnerships with NTHU Taiwan and University of Illinois, USA for semiconductor research.
Research & Innovation Focus – Students engage in projects on AI-driven chip design, quantum computing, and emerging semiconductor materials.
Internships & Industry Exposure – Strong ties with semiconductor giants like Intel, TSMC, and Qualcomm ensure students gain practical experience.
Placement Support – Graduates secure roles in leading semiconductor, AI, and computing companies worldwide.
With a strong blend of theoretical knowledge, practical training, and industry engagement, the B.Tech CSE – Semiconductor Technology programme at NCU ensures that students emerge as industry-ready professionals, shaping the future of semiconductor and computing technologies.
દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.
હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.
હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે
કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.
હોળીની પરંપરાગત કથા-
હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.
હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.
આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.
Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચે થાય છે. મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફનું એક પગલું છે.
મહિલા દિવસનો ઈતિહાસ
મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908 માં, યુ. એસ. માં કામ કરતી મહિલાઓએ ન્યૂ યોર્કમાં નીચા વેતન, લાંબા સમય સુધી કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ કરી હતી. એક વર્ષ બાદ, 1909માં, સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. બાદમાં, ક્લેરા ઝેટકિન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ 1911માં જર્મની, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
દર વર્ષે મહિલા દિવસના અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને પરિસંવાદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક થીમ નક્કી કરે છે. વર્ષ 2024ની થીમ Inspire Inclusion હતી. જેનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો અને ભાગીદારી પ્રદાન કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ Accelerate Action છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઈટલ મેચ’ રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. 25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.
ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.
આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.
એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.
“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.
રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.
આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.
દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”
નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.
પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.
“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.
ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.
ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ છેલ્લા લગભગ પાંચ વર્ષમાં પહેલીવાર રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને 6.25% કર્યો છે અને ભારતના નાણાકીય વર્ષ 2026ના વિકાસ લક્ષ્યાંક અને 6.6% થી વધારીને 6.7 ટકા કર્યો છેમોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની આશા રાખી હતી. જોકે, કેટલાક 50 બેસિસ પોઇન્ટના ઘટાડાની પણ અપેક્ષા રાખતા હતા. ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ આખરી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને રેપોરેટમાં પોઇન્ટ 25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે. આ પહેલા સતત 11 વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
12,00,000 રૂપિયા સુધીની આવક પર આવકવેરો નહી વસૂલવાના સારા સમાચાર બાદ લોકોને હવે એક વધુ સમાચાર સારા જાણવા મળ્યા છે. આરબીઆઇએ પાંચ વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આરબીઆઈએ સામાન્ય માણસોને મોટી રાહત આપી છે. રેપોરેટ ઘટાડાની સીધી અસર તમારી ઘર, કાર અને પર્સનલ લોનના વ્યાજ દરમાં પડશે. તમારા લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. EMIમાં ઘટાડો થવાથી સામાન્ય લોકોને રાહત થશે.
નોંધનીય છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાન્ત દાસે તેમની છેલ્લી 11 નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપોરેટમાં ઘટાડો કર્યો ન હતો અને દરેક વખતે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદા કરતા વધારે હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે જ્યારે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદામાં આવી ગયો છે ત્યારે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે જેને કારણે સામાન્ય લોકો માટે સસ્તી લોનનો માર્ગ ખુલ્યો છે. આ પહેલાં કેન્દ્ર સરકારે આવકવેરામાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી.
સંજય મલ્હોત્રાએ ડિસેમ્બરમાં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કાર્યભાળ સંભાળ્યો છે અને પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ કરતા તેઓ નરમ વલણ અપનાવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.5 ફેબ્રુઆરીએ 2025ની સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. પી.એમ. મોદીની આ મુલાકાતમાંથી રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સએ એ બોધપાઠ લેવો જોઇએ કે સામાન્ય લોકોને, ભીડને ડિસ્ટર્બ કર્યા વગર પી.એમ. મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને તેમણે કુંભમાં ડુબકી લગાવી રહેલા સામાન્ય લોકોને ખલેલ ન પહોંચે તે રીતે કુંભમાં ડુબકી લગાવી હતી.
આ અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિાયન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ત્યારે તેમણે ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડુબકી લગાવી હતી.
આ અગાઉ પીએમ મોદીનું વિમાન જ્યારે ઉત્તર પ્રદેશના બમરૌલી એરપોર્ટ પહોંચ્યું હતું. એ સમયે તેમને આવકારવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી હેલિકોપ્ટરથી પીએમ મોદી ડીપીએસના હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરૈલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ બોટ દ્વારા સંગમ પહોંચ્યા હતા.
અત્રે જણાવવાનું કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાત રિજિયોનલ કચેરી કે જે સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત છે તેના નવા ચેરમેન તરીકે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઇ સાલવિયા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ચૂંટણીઓ હાલ યોજાઇ રહી છે અને તાજેતરમાં જ તેમાં ઉમેદવારીની પ્રક્રિયા સંપન્ન થઇ છે. આ ચૂંટણીઓમાં સુરત સ્થિત રિજિયોનલ કાઉન્સિલ માટે બે કેટેગરી નક્કી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટાર્ટઅપ અને બીજી કેટેગરી એક્ષપોર્ટ હાઉસના માલિક તરીકેની હતી.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએસનના ચેરમેન જયંતિ સાવલિયાએ આ બેઠક માટે ઉમેદવારી કરી હતી. ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની અવેજીમાં ઉમેદવારીપત્રક ભરનાર ઉમેદવારી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આખરે જીજેઇપીસીની ગુજરાત રિજિયોનલ કાઉન્સિલના ચેરમેન તરીકે જયંતિ સાવલિયાને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
જયંતિ સાવલિયા આગામી બે વર્ષ માટે જેજીઇપીસી ગુજરાત કાઉન્સિલના ચેરમેન તરીકે કાર્યરત રહેશે. જયંતિ સાવલિયા જેમના અનુગામી બન્યા છે એ વિજય માંગુકીયા પણ જ્વેલરી સેક્ટરમાંથી અને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનમાંથી જ આવે છે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309
પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 35 કરોડથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો કર્યો હતો. જીએસઆરટીસીની વધુ 5 બસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વવિટ કરીને માહિતી આપી હતી.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.