CIA ALERT

ગુજરાત Archives - Page 63 of 155 - CIA Live

August 7, 2020
dwarka_temple.jpg
1min6600

ઇતિહાસમાં પહેલી વખત એ ઘટના બનશે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં જ વિશ્વપ્રસિદ્ધ કૃષ્ણમંદિર, દ્વારકાના દ્વાર લોકો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.

મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.

દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.

August 7, 2020
corona-gujarat.jpg
1min5430

અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.

વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.

વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.

August 7, 2020
Saurastra.png
1min4750

રાજકોટની સ્થિતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરુવારે સૌરાષ્ટ્રમાં 300 નવા કેસ નોંધાયા હતા અને 18 દરદીનો ભોગ લેવાયો હતો તો 189 દરદી સાજા થયા હતા. રાજકોટ શહેરમાં તા.5ના સાંજે 5થી તા.6ના બપોર સુધીમાં’ 49 અને સાંજના 6 સુધીમાં 22 એમ ચોવિસ કલાકમાં 71 નવા કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 1600ની નજીક 1570 થવા પામ્યો હતો. જેમાંથી આજે વધુ 45 દરદીને ડિસ્ચાર્જ કરાતા હાલ 729 દરદી સારવારમાં છે. શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ શહેરમાં 10 અને વાસાવડમાં એક મળીને તાલુકામાં નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે માંડણકુંડલાના 64 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ. જેતપુર શહેરમાં 6 નવા કેસ આવતા તાલુકાનો કુલ આંક 131 થવા પામ્યો છે. જામકંડોરણા શહેર, તરકાસર અને રાયડી ગામેથી એક-એક મળીને તાલુકામાં 3 નવા કેસ નોંધાતા કુલ આંક 48 થયો હતો. રાજકોટમાં માંડણકુંડલાના મહિલા સહિત શહેરના 4, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 મળીને કુલ 8 દરદીનો ભોગ લેવાયો હતો. આ સાથે જિલ્લાનો કુલ આંક 2400ને નજીક 2374 થવા પામ્યો હતો. જેમાંથી 516 દરદી હાલ સારવારમાં છે. રાજકોટ શહેરમાં 71 અને તાલુકા-ગ્રામ્યમાં 19 તેમજ અન્ય જિલ્લાના 6 મળીને જિલ્લામાં નવા 96 કેસ નોંધાયા હતા, ઉપરાંત 8 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા, તો બીજી તરફ 72 દરદી સાજા થયા હતા. જ્યારે ભાવનગરમાં 44 કેસ અને 39 સાજા થયા હતા.

જામનગર 33 નવા કેસ સાથે 4 દરદી મૃત્યુ પામ્યા હતા અને 25 દરદી સાજા થયા હતા. જૂનાગઢમાં નવા 44 કેસ તથા 3 મૃત્યુ અને 16 દરદી સાજા થયા હતા.

અમરેલી 20, મોરબી 19 કેસ-2 મૃત્યુ અને 5 સાજા થયા હતા. બોટાદ 5 કેસ-3 ડિસ્ચાર્જ, ગિર સોમનાથમાં 16 કેસ તથા એક મૃત્યુ અને 25 સાજા થયા હતા. જ્યારે પોરબંદરમાં 2 કેસ-4 ડિસ્ચાર્જ, દ્વારકા 3 અને સુરેન્દ્રનગરમાં 18 નવા કેસ નોંધાયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે 44 નવા કેસ સાથે કુલ આંક 1712 થત્તા પામ્યો છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 16 પુરૂષ અને 7 ત્રી મળી કુલ 23 તથા ભાવનગરના અધેવાડા ગામે 3, ભુતેશ્વર ગામે 1, નવાગામ (ચિરોડા) ગામે 1, ગારિયાધારમાં 2, પાલિતાણામાં 4, સિહોરમાં 3, ઉમરાળાના ધોળા ગામે 3, ટીંબી ગામે 2, દડવા ગામે 1 તથા વલભીપુરમાં 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 26 અને તાલુકાઓના 13 એમ કુલ 39 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થયા હતા.
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે કોરોનાથી વધુ ત્રણના મૃત્યુ નિપજતા કુલ મૃતાંક 52 થયો છે. જ્યારે આજે જૂનાગઢ શહેરમાં વધુ 26, ગ્રામ્યમાં 4, વિસાવદરમાં 4, વંથલીમાં 3, માળિયા-કેશોદમાં 2-2 કેસ, બીલખા, ચોરવાડ, ભેંસાણ, મેંદરડા, માંગરોળમાં એક-એક કેસ સહિત કુલ 44 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ 183 કેસ એક્ટિવ છે. માળિયા હાટિના નજીકના વીરડી ગામના યુવાન અને એસટીના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બસ સ્ટેશનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું.

જામનગર શહેર – જિલ્લામાં કોરોનાની રફતાર હવે કાતિલ બની રહી છે. ગઇકાલે 62 કેસ નોંધાયા બાદ આજે જામનગર શહેરનાં 28 અને જિલ્લાના લતીપુર, કાલાવડ, દરેડ, નાના વડાલા તથા તરસાઇનાં પાંચ દરદીઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જામનગર શહેરનાં ઉકાભાઇ બાવનજીભાઇ તાળા, નવિનભાઇ કંસારા, કેશવજીભાઇ મુળજીભાઇ મુંગરા અને લાલપુરના હસીનાબેન સદામભાઇ સમાનું મૃત્યુ નીપજયું હતું.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ છવાયેલો રહેતા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજ દિન સુધીમાં કુલ 563 કેસ નોંધાયેલા હતા. જિલ્લાના વડિયામાં પોલીસ કર્મચારી પોઝિટીવ આવતા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આજે નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 437 થયો હતો. બીજી તરફ મોરબી અને વાંકાનેરના 1-1 દરદીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે આજે જિલ્લાના પાંચ દરદી સાજા થયા હતા અને હાલ 155 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાંથી 16 જેટલા કેસો આવેલા છે. જેમાં વેરાવળમાં 9, કોડીનાર-1, ઉના-4, ગીરગઢડા-1 અને અન્ય જિલ્લાના 1 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી 25 સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોડીનારના એક દરદીનું મૃત્યુ નિપજ્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા કુલ આંક 97 થયો હતો. દ્વારકાના ગૌરાંગ દોલતરાય ઠાકર (ઉ.38) તથા ખંભાળિયાના સમીર નવીનચંદ્ર વ્યાસ (ઉ.45) અને ખંભાળિયાના પ્રફુલ ગોવિંદભાઈ કણઝારીયા (ઉ.28)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં જલારામ મંદિર નજીક રહેતા 85 વર્ષિય વૃધ્ધા અને મોટી ખત્રીવાડમાં 22 વર્ષિય યુવતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 4 દરદીઓને કોવિડ હોસ્પિટલમાંથી આજે ગુરુવારે ડિસ્ચાર્જ કરાયા છે.

બોટાદ જિલ્લામાં શહેરના ગોવિંદની ચાલી પાસે 51 વર્ષિય મહિલા તેમજ વિસામણ શાક માર્કેટ પાસે 51 વર્ષિય પુરૂષ પાળીયાદ રોડ પર 60 વર્ષિય પુરૂષ તેમજ જિલ્લાના રાણપર ખાતે શ્રીજી વિલા સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ અને ગઢડાના માંડવા ગામે 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દીવમાં નવા 7 કેસ ને 3 ડિસ્ચાર્જ
દીવમાં કોરોના પોઝિટિવના સાત નવા કેસ નોંધાયા હતા. જે વણાંકબારા વિસ્તારના છે. જ્યારે આજે ત્રણ દર્દીઓ સાજા થઇ ઘરે આવ્યા હતા. દીવમાં હાલ 42 દરદી સારવારમાં છે.

August 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min9520

ભાજપ સરકારનું બેવડું વલણ સ્કુલોના વાલીઓ માટે સહાનુભૂતિ કોલેજોના વાલીઓને ઠોકર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની ભાજપા સરકારની ઢંગધડા વગરની નીતિઓને કારણે રોજેરોજ સરકારની આબરુના ધજાગરા જાહેરમાં ઉડી રહ્યા છે. સ્કુલોની ફી માટે ઉતાવળે ગુજરાત હાઇકોર્ટના નામે પરિપત્ર કરી દેનાર ગુજરાત સરકારે એ જ પરીપત્રને પંદર જ દિવસમાં પાછો ખેંચી લેવો પડ્યો. હવે ગુજરાત હાઇકોર્ટે સરકારનો કાન આમળતા કહ્યું છે કે સરકારને બહું જ ચિંતા હોય તો ફક્ત સ્કુલોની ફી માટે કેમ પરીપત્ર કર્યો કોલેજો ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડીકલની ફી અંગે સરકારે કેમ કોઇ કાર્યવાહી કરી નહીં. ગુજરાત હાઇકોર્ટની આ ટકોરની રાજ્ય સરકાર પર કશી અસર દેખાતી નથી.

રાજ્યમાં હાલ કોલેજોના મેનેજમેન્ટ દ્વારા ફી ની પઠાણી વસુલાત હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક અધ્યાપકોને હાથો બનાવીને કોલેજોના સંચાલકોએ ફી ની વસુલાત માટે વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકનમાં જોઇ લેવાની, રેકોર્ડ ખરાબ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો તો ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા છે. એ ઉપરાંત અન્ય એક કોલેજના સંચાલકોએ અધ્યાપકો મારફતે યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરાવવા માટે છેલ્લી પાયરીએ બેઠા છે.

જે સુવિધાઓનો ઉપયોગ જ નથી કર્યો તેની ફી માગી રહી છે કોલેજો

સુરતની કોલેજોની વાત કરીએ તો કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી એવી ફી માગી રહ્યા છે જે સુવિધાનો વિદ્યાર્થીઓએ ગત માર્ચ માસથી ઉપયોગ જ નથી કર્યો. લેબોરેટરી ખર્ચ, વાઇફાઇ ખર્ચ, ઇલેક્ટ્રીસિટી બિલ્સ, કેમ્પસ ડેવલપમેન્ટ ચાર્જ આવા અનેક તોતિંગ ખર્ચાઓ કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજ શરૂ હોય ત્યારે ભરતા હોય છે પણ હાલમાં કોલેજો આ ફી પણ મનસ્વી રીતે વસુલ કરી રહી છે.

રાજ્ય સરકારે આંખો મીચી દીધી હોઇ, કોલેજ મેનેજમેન્ટ ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા

રાજ્ય સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. સ્કુલોના વાલીઓ પ્રત્યે રોજેરોજ નીત નવા નિવેદનો કરતા ભાજપાના નેતાઓ કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે કશું બોલતા નથી, સીધો અર્થ એ થાય કે કોલેજોના મેનેજમેન્ટ મન ફાવે તેવી ધમકીઓ આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી રંગદોળી નાંખવાની ધમકીઓ આપીને હાલ તો ફી વસુલાત કરી રહી છે.

સ્કુલોના વાલીઓની આવક નથી થઇ તો કોલેજોના વાલીઓને લોકડાઉન ન નડ્યુ હોય

સવાલ એ થાય કે જો સ્કુલોના વાલીઓને જો લૉકડાઉન નડ્યું હોય, કોરોનાને કારણે ધંધારોજગાર ઠપ્પ થયા હોય તો શું કોલેજોના વાલીઓને આવી તકલીફ ન પડી હોય. રાજ્ય સરકારે કોલેજોના સંચાલકો, મેનેજમેન્ટો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેમ ગાઇડલાઇન આપી નથી. સરકારે આ બાબતે બેધારી નીતિ છોડીને સ્પષ્ટ આદેશો જારી કરવા જોઇએ.

ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું, નીચેની લિંક ક્લીક કરીને વાંચો હાઇકોર્ટની ટકોર

https://timesofindia.indiatimes.com/home/education/news/why-no-fee-exemption-in-engineering-medical-colleges-gujarat-hc/articleshow/77384703.cms

August 6, 2020
shrey.jpg
1min5330

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તા.5મી ઓગસ્ટની મોડીરાત્રે ભીષણ સર્જાયેલી આગહોનારતમાં 8 દર્દીઓના મૃત્યુ થયાની કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતના હચમચાવી મૂક્યું છે.

રાત્રે સાડા ત્રણ વાગ્યે આ આગની ઘટના બની હતી, જે બાદ દર્દીઓ કે સ્ટાફ કશું સમજી શકે તે પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના લગભગ 3.05 વાગ્યે હોસ્પિટલના ચોથા માળે બની હતી. માનવામાં આવે છે કે વેન્ટિલેટરની ઈલેક્ટ્રિક સિસ્ટમમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ જ્યારે દર્દીનું રુટિન ચેકઅપ માટે ગયા હતા ત્યારે તેમની PPE કિટ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેઓ ICUમાંથી બહાર દોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. પોલીસે આ સ્ટાફનું સ્ટેટમેન્ટ લીધું છે. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ 3.19 વાગ્યે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ટીમને આગ પર કાબૂ મેળવવા માટે અમુક કલાકોનો સમય લાગ્યો હતો. આગના કારણે રૂમની અંદર થયેલા ધૂમાડાના કારણે દર્દીઓનું ગૂંગળાઈ જવાથી મૃત્યું થયું હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના જીવનમાં તેમણે આટલી ભયંકર આગ પહેલા નથી જોઈ.

આ ઘટના બાદ તાત્કાલિક 35થી 40 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા દર્દીઓમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં ડેપ્યુટી કમિશનર સહિત અન્ય અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ આ ઘટનામાં બે દર્દીઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આગની ઘટના કઈ રીતે લાગી આ માટે કોણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની આ શ્રેય હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં ચોથામાળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ હોનારતમાં ઘાયલ થયેલા તથા અન્ય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

August 5, 2020
real_cia-1-1280x1022.jpg
5min8110

માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.

આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.

iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.

CAT 2020 Important Dates

  • The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
  • The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
  • The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.

Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at

  • Ahmedabad,
  • Amritsar,
  • Bangalore,
  • Bodh Gaya,
  • Calcutta,
  • Indore,
  • Jammu,
  • Kashipur,
  • Kozhikode,
  • Lucknow,
  • Nagpur,
  • Raipur,
  • Ranchi,
  • Rohtak,
  • Sambalpur,
  • Shillong,
  • Sirmaur,
  • Tiruchirappalli,
  • Udaipur, and
  • Visakhapatnam.

CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.

CAT 2020 exam pattern

The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:

  • Section I: Verbal Ability and Reading Comprehension
  • Section II: Data Interpretation and Logical Reasoning
  • Section III: Quantitative Ability

Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.

Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.

Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.

In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”

August 5, 2020
unmasking.jpeg
1min4620

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે કરવામાં આવેલી અરજી મુદ્દે કોર્ટે માસ્ક ન પહેરનારા લોકો ઉપર દંડની રકમ વધારવાની ટકોર’કરી છે.

હાઈકોર્ટે માસ્કના દંડ મામલે ટકોર કરી છે કે, 200 કે 500 રૂપિયા લોકોને બહુ નડશે નહીં. સરકાર કે કોર્પોરેશનને માસ્ક ન પહેરનારા લોકોને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ તેમાં વધારો કરીને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલવો જોઈએ.’હાઈકોર્ટ કહ્યું કે, કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નથી પણ આપણા તમામની ફરજ છે.

આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. 77 લાખ રૂપિયાનો દંડ કર્યો પણ આજ સુધી રકમ કેમ રિકવર’ થઈ નથી તે અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. સરકાર આ અત્યંત કમનસીબ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને રિપોર્ટ આપે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.

August 5, 2020
corona-gujarat.jpg
1min4810

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

કુલ ટેસ્ટનો આંક આઠ લાખને અને કેસનો આંક ૬૩૦૦૦ને પાર

રાજ્યમાં સરેરાશ ટેસ્ટનો આંક વધારવા સાથે હવે ધનવંતરી રથ મારફતે લોકોને ઘર આંગણે જ કોવિડ સિવાયની સામાન્ય બિમારીની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે એની સાથોસાથ સંક્રમિત દર્દીઓને શોધવા રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ વ્યાપક રીતે શરૂ કરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૨૩૨૫૫ ટેસ્ટ કરાતા કુલ આંક આઠ લાખને પાર થઇ ૮,૧૪,૩૩૫ થયો છે એની સાથે પોઝિટિવ કેસનો આંક વધીને ૬૩૬૭૫ થયો છે. જોકે, આઇસીએમઆરની ગાઇડલાઇન્સને પગલે ડિસ્ચાર્જની કુલ સંખ્યા છેલ્લા ચોવીસ કલાકના ૮૦૫ દર્દીના ઉમેરા સાથે વધીને ૪૬૫૮૭ સુધી પહોંચી છે જોકે, કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ૨૪૮૭ સુધી પહોંચી ગયો છે જે દેશમાં સૌથી વધારે હતો એ હવે ઘટીને ૩.૫ ટકા થયો છે. રિવકરી રેટ ૭૩.૧૮ ટકા થયો છે. હાલ એક્વિટ કેસ ૧૪૬૦૧ છે એમાં ૮૧ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૫૨૦ સ્ટેબલ છે.

August 5, 2020
weather-forecast.jpg
1min4650

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 3, 2020
sumul_dairy.jpg
1min10880

સુમુલ ડેરીની ચૂંટણીનું ડર્ટી પોલિટીક્સ, સરકારના બબ્બે મંત્રીઓ ભાજપામાં જ લાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અઠંગ રાજકારણીઓને પણ શરમાવે તેવી ચાલબાજી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ડેરી, સુમુલ ડેરીની આગામી તા.7મી ઓગસ્ટે યોજનારી ચૂંટણીને અનુલક્ષીને રમાઇ રહી છે. ભાજપના જ બે જૂથો વચ્ચેની આ લડાઈમાં પોલિટીક્સ રમવામાં વર્તમાન ચેરમેન રાજુ પાઠક એન્ડ કંપનીએ ભાજપના હાઇકમાન્ડના જોરે એવો દાવ રમ્યો છે કે તેમની સામે સહકાર પેનલના કેપ્ટન માનસિહ પટેલ જ મહુવા બેઠક પરથી ચૂંટણી જ ન જીતી ન શકે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

ભાજપમાં બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની અવગણના

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુમુલ ડેરીમાં વિતેલા વર્ષોમાં થયેલો કરોડો રૂપિયાના ગેરવહીવટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રુપાણી સુધી રાજુ પાઠક સામે ફરીયાદો થઇ છે, આમ છતાં ભાજપ હાઇકમાન્ડનું એક જૂથ સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક અને સંદીપ દેસાઇ માટે સોફ્ટ કોર્નર ધરાવે છે અને એટલે જ સુમુલની ચૂંટણીમાં માનસિંહ પટેલની સહકાર પેનલની પડખે હોવા છતાં રાજ્ય સરકારના બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની હળાહળ અવમાનના થઇ રહી છે. સી.આર. પાટીલ બીજેપી પ્રેસિડેન્ટ બનવા પહેલા જીતુ વાઘાણીએ રાજુ પાઠક એન્ડ કંપનીની બ્રીફ પકડી હતી. પરંતુ, એ પછી તેઓ પ્રદેશ પ્રમુખ જ ન રહ્યા.

સમાધાન ફોર્મ્યુલાની પાછળ અદ્દલ રાજનીતિ

સુમુલની ચૂંટણી ભાજપના ઘરમાં ભડકો કરે એવી દહેશતને પગલે ભાજપ હાઇકમાન્ડે સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. રાજુ પાઠક જૂથ સમાધાન માટે પહેલેથી જ તત્પર છે, પણ માનસિંહ પટેલ જૂથ એના માટે બિલકુલ રાજી નથી.

  • સમાધાનમાં એવું નક્કી થયું કે સુમુલ ડેરીના ચેરમેન આદીવાસી સમૂહમાંથી જ હોય
  • સુમુલ ડેરીના ચેરમેન માનસિહ પટેલ બને
  • સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક બને
  • સુરત જિલ્લામાં આવતી બેઠકો પર સમાધાન થાય (મહુવા સિવાય)
  • સુરત જિલ્લા બહાર, વ્યારામાં આવતી બેઠકો પર કોંગ્રેસ પ્રેરીત કે અપક્ષો સામે લડી લેવાનો વ્યૂહ

હવે ઉપરોક્ત મુદ્દાઓમાં એક સંગીન રાજનીતિ સુરત જિલ્લામાં આવતી મહુવા બેઠક પર છે જ્યાં માનસિંહ પટેલ કે જેઓ સહકાર પેનલના કેપ્ટન છે, તેમની સામે બબ્બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાં અંદારો અંદર થનારા સમાધાનમાં આ બેઠક પર તો માનસિંહે ચૂંટણી લડવાની થાય છે.

મહુવા બેઠક પર સુમુલ સહકાર પેનલના પ્રણેતા માનસિંહ પટેલ સામે અપક્ષ ઉમેદવાર જીગર નાયક (સિમ્બોલ ચા-કીટલી) અને અન્ય અપક્ષ ઉમેદવાર દિનેેશ પટેલ (સિમ્બોલ બેટ) સામે ત્રિપાંખીયો જંગ ખેલે અને અહીં ભાજપમાં માનસિંહ વિરોધીઓએ ગેમ બિછાવી છે કે માનસિંહને જ હરાવી દેવામાં આવે, જેથી તેઓ ચેરમેન પદના દાવેદાર જ ન રહે અને રાજુ પાઠક માટે ફરી ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઇ જાય.

સૌથી સંગીન મામલો ફેક ડિગ્રી અંગેનો

સુમુલ ડેરીમાં રાજુ પાઠકના શાસન કાળ દરમિયાન થયેલી કરોડો રૂપિયાની ગેરરીતીઓની વિગતો જે વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે તેમાં એક મુદ્દો એક ઉચ્ચાધિકારીની ડિગ્રી ફેક હોવા અંગેનો પણ છે. કહેવાય છે કે આ ઉચ્ચાધિકારીએ રજૂ કરેલી ડિગ્રી બી.ટેક.ની છે અને એ પણ પાર્ટ ટાઇમ. મુદ્દો એ છેકે ભારતમાં એવા કોઈપણ કોર્સ પાર્ટ ટાઇમ ન થઇ શકે કે જેમાં પ્રેક્ટીકલ્સ અને લેબોરેટરીની જરૂર હોય. બી.ટેક. ટેકનિકલ કોર્સ છે અને એ પાર્ટ ટાઇમ ન થઇ શકે, આમ છતાં આ પ્રકારની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. ઘણાં સભ્યોની માગણી છે કે આની તલસ્પર્શી તપાસ થાય અને સત્ય જે હોય તે ઉજાગર કરવામાં આવે.

સંદીપ દેસાઇ ભાજપ મહામંત્રી, સુ.ડી.બેંક, એ.પી.એમ.સી. અને હવે સુમુલમાં ઘૂસી ગયા

સુમુલ ડેરીની ચૂંટણીમાં સુરત જિલ્લા ભાજપનું નામ વટાવી ખાવામાં માહીર સંદીપ દેસાઇ પહેલા સુરત જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા અને હવે તેમને આગામી વિધાનસભામાં ચોર્યાસી બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના નામે ધારાસભ્ય અને મિનિસ્ટર બનવું છે. સંદીપ દેસાઇ ભાજપના ગોડફાધરોના લોબિંગ થકી સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડીરેક્ટર અને પછી વાઇસ ચેરમેન પદે એ પછી એ.પી.એમ.સી.માં વાઇસ ચેરમેન પદે અને હવે સુમુલ ડેરીમાં ઘૂસી ગયા છે. હોદ્દાઓ અને ખુરશીઓ પાછળની તેમની દોટ માત્રને માત્ર સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનવા માટેની છે અને તેઓ અત્યાર સુધીની તેમની બાજીઓમાં સફળ પણ રહ્યા છે. હાલ સી.આર. પાટીલના જોર પર સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના જ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર જેવા નેતાઓ સામે પડ્યા છે.

હવે પછી રાજુ પાઠકના સમયમાં સુમુલડેરીમાં થયેલા કરોડો રૂપિયાના ગેરવહીવટની મુદ્દાસર વિગતો પ્રકાશિત કરીશું