CIA ALERT

ગુજરાત Archives - Page 47 of 155 - CIA Live

December 11, 2020
jalarambapa.jpg
1min534

વીરપુરનું જલારામ મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરમાં બાપાના દર્શન કરવા માટે આવતા ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દરેક દર્શનાર્થીઓને સ્ક્રીનિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ દરેક ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજે ગુરૂવારથી મંગલ મંદિરનાં દ્વાર ખુલ્યાં છે. સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટાઈઝેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે.

December 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min592

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને શિયાળાની ખુશનુમા સવારે વરસાદ પડે એવી ક્યારેય નહીં થઇ હોય તેવી કલ્પના આજે વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળી. સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું અને કમૌસમી વરસાદે તા.11મી ડિસેમ્બર 2020ના શિયાળાની ખુશનુમા સવારે વરસાદી માહોલ સર્જી દીધો છે. જાણકારો કહે છે કે જો સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રખાય તો આ એવું ક્લાઇમેટ છે જે ભલભલા તંદુરસ્ત વ્યક્તિને બિમાર કરી દેશે. વિચિત્ર વાતાવરણની અનુભૂતિ સાથે સુરતીઓએ સોશ્યલ મિડીયામાં વિદાય થઇ રહેલા 2020ના વર્ષને અનુલક્ષીને પોસ્ટ મૂકવા માંડી હતી.

Cyclone Hikki update: Cyclonic storm Hikki brings heavy rain to Gujarat,  more showers likely on Friday, Saturday | Ahmedabad News - Times of India

કેરલેસ લોકો બિમાર પડી શકે

તબીબો અને જાણકારો જણાવે છે કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે ક્લાઇમેટ ખરાબ થયું છે. આવી સ્થિતિમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર લોકોના બિમાર પડી જવાના ચાન્સિસ છે. ખાસ કરીને ઠંડુ, વાસી ખાણું તેમજ અનિયમિત લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને તકલીફ ઉભી કરી દે તેવું ક્લાઇમેટ સર્જાયું છે.

ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ

લાંબું ચાલેલું ચોમાસું અને હવે કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરુ, ઘઉં, કપાસ જેવા પાકને વરસાદના લીધે નુકસાન થઈ શકે છે. કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં હાલ થઇ રહેલી ખેતીને પણ વ્યાપક નુકસાનની થવાની ભીંતી સેવાય રહી છે.

તા.10મી ડિસેમ્બરે બપોરથી જ આમ તો ગુજરાતના આકાશમાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. ગુરુવારે સાંજથી જ કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજે તા.11મી ડિસેમ્બરે મળસ્કેથી જ ઝરમરીયો વરસાદ એવો શરૂ થયો કે જાણે ચોમાસું યાદ આવી ગયું. આજે સવારે નિત્યક્રમ અનુસાર નોકરી ધંધે જવાવાળા લોકોએ આ સિઝનમાં ભલે સ્વેટર-જેકેટ પહેરવાનું હજુ મૂહૂર્ત કર્યું ન હોય પરંતુ, આજે શુક્રવારની સવારે રેઇનકોટ જરૂર પહેરવા પડ્યા છે.

વરસાદ થવાથી એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે ઠંડી, સવારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦મી થી ૧૨મી ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Monsoon advances in Gujarat, heavy rain likely over next few days - india  news - Hindustan Times

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યાના અહેવાલો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલો સવારથી જ મળી રહ્યા છે. ગતરોજથી જ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવારણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વાતાવારણમાં પલટો આવવાથી પંથકમાં ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. નવસારી, બિલીમોરા, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

એવી જ રીતે ભાવનગર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, ગીરગઢડા, તળાજા વગેરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ક્લાઇમેટ ચેન્જના અહેવાલો સાંપડ્યા છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા, જ્યારે ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ શિયાળુ પાક જીરૂં, ચણા અને ઘઉંને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.

રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના મોડાસા, મહેસાણા, કડીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.

December 9, 2020
CIA_Live_Logo_New2.jpg
1min431

ગુજરાતના માજી ગૃહમંત્રી અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ-દમણના પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) તરીકે કાર્યરત શ્રી પ્રફુલ પટેલને લક્ષદ્વીપના વહીવટકર્તાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. તાજેતરમાં લક્ષદ્વીપના વહીવટકર્તા દિનેશ્વર શર્માનું નિધન થતાં ખાલી પડેલી જગ્યાની જવાબદારી શ્રી પ્રફુલ પટેલને સોંપવામાં આવી છે.

આજે પ્રફુલ પટેલે લક્ષદ્વીપનું વડુમથક કવારટ્ટી પહોંચીને વિધિવત રીતે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકે કામગીરી અખત્યાર કરી લીધી હતી.

December 9, 2020
parthivpatel.jpg
1min516
Parthiv Patel announces retirement from all formats of the game

18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયર બાદ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજરોજ તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક નિવૃત્તિની જાહેરાત કરી દીધી

18 વર્ષ જેટલી લાંબી ક્રિકેટિંગ કરીયરમાં સતત લાઇમલાઇટમાં રહેલા ગુજ્જુ એવા ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક વિશ્વભરના ક્રિકેટ રસીકોને આંચકો આપે એવી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે.

પાર્થિવ પટેલે આજે ટેસ્ટ, વનડે, ટી ટ્વેન્ટી સમેત ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.

35 વર્ષના પાર્થિવ પટેલે પોતાના 18 વર્ષના કરિયરમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે ઈન્ટરનેશનલ અને બે T20 ઈન્ટરનેશનલ મેચ રમેલી છે.

વર્ષો સુધી ગુજરાતની રણજી ટીમના કેપ્ટન રહેલા પાર્થિવ પટેલે ગુજરાત માટે કુલ 194 મેચ રમી છે. પાર્થિવ પટેલે પોતાને 17 વર્ષની ઉંમરમાં રમવા માટે મળેલી તક અંગે પોતાના નિવૃત્તિના પત્રમાં આનંદ વ્યક્ત કર્યો છે.

December 7, 2020
doctors-1280x1349.jpg
1min406

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.

આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.

સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર

આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.

December 4, 2020
construction-1280x720.jpg
1min539

ગુજરાત રાજ્યના કોઇપણ વિસ્તારમાં 15 મીટરની ઊંચાઈ ધરાવતું બાંધકામ કરવા માટેની પ્રક્રિયામાં પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 મુજબ યોગ્ય હશે તો તેને 24 કલાકમાં જ ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન આપી દેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0 વર્જનનું તા.3 ડિસેમ્બર 2020ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.

સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.

બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે.

  1. 15માં માર્જીન,
  2. પાર્કિંગ,
  3. બિલ્ડિંગની ઊંચાઈ,
  4. લિફ્ટ અને એલિવેટર્સ,
  5. એફએસઆઈ,
  6. સ્ટેરકેસ,
  7. ગ્રાઉન્ડ કવરેજ,
  8. કોમન પ્લોટ,
  9. એક્સેસ રોડ-એપ્રોચ,
  10. ઓપન ટુ સ્કાય,
  11. સેટ બેક, ઝોન અને
  12. રોડની પહોલાઈને ધ્યાને લેવી,
  13. મહત્તમ અને લઘુત્તમ ફ્લોર હાઈટ,
  14. ઈન્ટરનલ રોડ,
  15. ફાયર રેગ્યુલેશન વેગેરનો સમાવેશ કરાયો છે.

December 4, 2020
supreme.jpg
1min351

ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલાં ભરવા તેમ જ આવા લોકોને કોરોના સેન્ટરમાં સેવા આપવા માટેની સજા કરવાનું જાહેરનામું બહાર પાડવા ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

ગુજરાત હાઈ કોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-૧૯ પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતા: ક્યારેક ઈલાજ પોતે અટકાવ કરતા વધારે ખતરનાક હોય છે.

હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૫થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૪થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

December 3, 2020
surat_police.jpg
1min543

સુરત શહેરમાં જુદા જુદા ત્રણ બનાવોમાં હત્યાના બનાવો બનતા શહેરમાં હત્યાનો સિલસિલો  થયાવતા રહ્યો છે. એટલું જ નહીં કફર્યૂના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળી શકાતું નથી. ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી  દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રથમ બનાવમાં  શહેરના કોટસફીલ રોડ ખાતે  લગ્નમાં સોંપેલા કામના બાકી  નીકળતા રૂ. 5 હજાર બાબતે ફેબ્રીકેશનનું કામ કરતા યુવાન અને મિત્રોએ ઝઘડો કરી માર મારતા પડી ગયેલા  મહિધરપુરા મણિયારા શેરીમાં પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવિણચંદ્ર પેરીસ ઇવેન્ટ મેનેજરનું કામ કરે છે  અને નાનપુરા કાદરશાની  નાળ નવો મહોલ્લો  ઘર નં. 1589માં રહેતા  અને ફેબ્રીકેશનનું કામ કરતા મો.અઝીઝ અબ્દુલ રફીક શેખ (ઉ.વ. 23) અને તેના પિતા ફેબ્રીશનને  લગતું કામ સોંપતા  હતા. સુધીરકુમારે  દીવા માટેનું કામ સોંપ્યું હતું. તેના પેમેન્ટના  રૂા. 5 થી 7 હજાર બાકી હતા. જે અંગે ઝઘડો કર્યે હતો. સુધીરકુમારને શહેરના કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે બોલાવી  મિત્ર શેખ નાસીર આમદમિયાં (ઉ.વ.47)  સાથે મોપેડ  પર  પહોંચ્યો હતો.  વાતચીત કરી  હતી. વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા  નાસીરે સુધીરકુમારને  માર માર્યો હતો.  નીચે પડી જતા મૃત્યુ થયું હતું.  મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી  અઝીઝ  અને નાસીરની અટકાયત કરી હતી.

બીજા બનાવમાં  સોમવારની મોડી રાત્રે  કતારગામ ફૂલપાડા વિસ્તારમાં 6 લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને રાજા નામના યુવકને પતાવી દીધો હતો. મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલાં મોતની ધમકી  મળી હતી.જે સંદર્ભે  પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક  પરત આવ્યો  તે રાત્રે જ તેની હત્યા  થઇ હતી. બનાવ અંગે  પોલીસે ગુનો ંનોંધી વધુ તપાસ હાથ ધરી  હતી.

ત્રીજા બનાવમાં   શહેરના પુણાગામ  ખાતે ભૈયાનગરમાં હત્યાનો બનાવ  બન્યો હતો. આ ઘટના કફર્યૂના સમયમાં બની હતી. પૂણા ભૈયાનગરમાં જૂની અદાવતમાં  બે મિત્રએ ચપ્પુના  ઘા ઝીંકી  મિત્રની ઘાતકી  હત્યા કરી હતી. પુણા ભૈયાનગર પાસે સારથી કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય  દેવેન્દ્ર  ઝાવરે ઉર્ફે ચિન્ટુંની બે મિત્રોએ 25 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

December 1, 2020
corona_testing1.jpg
1min366

આજરોજ તા.1લી ડિસેમ્બરે ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલે કરેલી જાહેરાત અનુસાર કોવીડ-19ના લેબોરેટરી ટેસ્ટ RT-PCR ટેસ્ટની કિંમત ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના રેટ ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલો જ્યારે દર્દીના ઘરે જઇને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે.

નીતિન પટેલે જાહેરાત કર્યા મુજબ આજથી આનો અમલ શરૂ થશે.

અગાઉ ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500 રૂપિયા હતો, જ્યારે ઘરે બેઠા 2000 રૂપિયાના દરે ટેસ્ટ થતો હતો.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ SARS-COV-2 શોધવા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેજ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ સ્ટાન્ડર્ડ છે. આ ટેસ્ટથી એવી ખબર પડે છે કે, દર્દીમાં વાયરલ લોડ કેટલો છે અને તેને કયા પ્રકારના ક્વોરેન્ટાઈનમાં રાખવાનો છે. અગાઉ ICMRએ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો તેનો ખરેખર સંક્રમિત માનવો જોઈએ, પરંતુ તેમાં લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ.

COVID-19 DIAGNOSIS: MOST ACCURATE TEST? RT-PCR / ANTIBODY DETECTION TEST? -  YouTube
November 28, 2020
seaplane.jpg
1min409

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો મુજબ, અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની 19 સીટર ટ્વિન ઓટ્ટર 300 સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાથી તેને શનિવારે માલદીવ્સમાં માકલવામાં આવશે.

Video: PM Modi Inaugurates Sabarmati Seaplane Service

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ દેશની પહેલી આ પ્રકારની સર્વિસ છે. તેને સરકારે ઉડાન યોજના અંતર્ગત શરૂ કરી હતી. આ સર્વિસનું સંચાલન સ્પાઈસજેટ કંપની કરી રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી, તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેઈન્ટેનન્સ સંબંધી પરેશાનીઓના કારણે તેને હાલમાં અસ્થાયી રૂપથી બંધ કરવી પડી છે. 19 સીટરના આ પ્લેનને માલદીવ્સમાં પાછું મોકલવામાં આવશે.