ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, સ્કૂલે આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય. સ્કૂલો શરુ થાય ત્યારે આચાર્યએ તમામ તકેદારી રાખવાની રહેશે તેમ પણ સરકાર દ્વારા જણાવાયું છે.
સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવામાં આવશે. આ સિવાય બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરાશે.
ઠંડીમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વચ્ચે સ્કૂલો શરુ કરવાના નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.
આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.
દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.
8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું
https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.
હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારમાં ફટાકડાની ભારે ધૂમ હોય પરંતુ, કહેવાતા સિદ્ધાંતવાદીઓ, પર્યાવરણવાદીઓ હવે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની પેરવી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે મુંબઇ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોએ તો ફટાકડા પર પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાતમાં સરકારે આ અંગે કશો ફોડ પાડ્યો નથી એનો અર્થ એ સમજવો કે ગુજરાતમાં ફટાકડા ફૂટશે.
મુંબઇ
દિવાળીના તહેવારમાં પણ કોરોનાના આંતકનો ઓછાયો રહેવાનો હોઈ દિવાળીની ઉજવણી દરમિયાન મરિન ડ્રાઈવ, જુહૂ, વરલી સી ફેસ જેવા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા એક સ્ટાર્ન્ડ ઑપરેટિંગ પ્રોસેજર (એસઓપી) બહાર પાડવાની છે, તે મુજબ મર્યાદિત માત્રામાં ફટાકડા ફોડી શકાશે. જોકે સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડનારા સામે મુંબઈ પોલીસની મદદથી મુંબઈ મહાનગરપાલિકાએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાએ પગલે આ વર્ષે તમામ તહેવારો સાદગીપૂર્વક ઊજવવામાં આવ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીને પણ સાદાઈપૂર્વ ઊજવવાની રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને નમ્ર વિનંતી કરી છે. તેથી દર વર્ષની માફક ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી જવાનું છે. પાલિકા આગામી બે દિવસમાં ફટાકડા ફોડવા માટે નિયમાવલી જાહેર કરશે. આ દરમિયાન ફટાકડા ફોડતા સમયે સૅનિટાયઝરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે એવું એડિશન મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
નવી દિલ્હી
દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રદૂષણ વધવાને કારણે દિલ્હીની પરિસ્થિતિ વણસી રહી હોવા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને આ વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવાની અને ‘આપ’ સરકાર દ્વારા યોજવામાં આવનારા લક્ષ્મીપૂજનના કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળ
કોલકાતા હાઈ કોર્ટે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ બંગાળમાં મા કાલી પૂજા, જગદધાત્રી પૂજા અને છઠ પૂજા સહિતના હિન્દુ તહેવારો દરમિયાન ફટાકડા વેચવા તથા ફોડવા પર ગુરુવારે પ્રતિબંધ મૂક્યો હતો.
ન્યાયાધીશો સંજીબ બૅનરજી અને અરિજીત બૅનરજીની ડિવિઝન બેન્ચે બે જાહેર હિત અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. કાળી પૂજા ૧૫મી નવેમ્બરે છે.
અદાલતે એવો પણ આદેશ બહાર પાડ્યો હતો કે ‘આ પ્રતિબંધ જગદધાત્રી, છઠ પૂજા તથા કાર્તિક પૂજા દરમિયાન પણ લાગુ પડશે. દુર્ગા પૂજા દરમિયાન મંડપમાં પ્રવેશની મનાઈ જેવા માર્ગદર્શિકાઓ પણ કાલી પૂજા દરમિયાન લાગુ પડશે.
દુર્ગા પૂજા દરમિયાન અદાલતની માર્ગદર્શિકાઓનો અસરદાર અમલ કરવા બદલ ન્યાયમૂર્તિઓની બેન્ચે રાજ્ય સરકારને બિરદાવી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે કાલી પૂજા દરમિયાન પણ પ્રતિબંધ સહિતના નિયમો બરાબર લાગુ પડે એની તકેદારી રાખજો.
કાલી પૂજા દરમિયાન ૩૦૦ ચોરસ મીટરના મંડપમાં ૧૫ લોકોને અને વધુ મોટા વિસ્તારના મંડપમાં ૪૫ લોકોને પ્રવેશવાની છૂટ મળશે. અદાલતે વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Hariyana
The Haryana government on Monday declared possession and sale of imported firecrackers as illegal and punishable in the state. Deputy commissioners of all the districts have been directed to be vigilant in this regard and take strict action against the sale and distribution of imported firecrackers.
Additionally, they have also been asked to ensure there is no storage of imported firecrackers by conducting the inspection of all the establishments and taking preventive actions.
ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે તેમ તેમ સરકારે અનલોકની પ્રક્રિયાને વધુ મુક્ત બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં મેરેજ સમારંભોમાં 200 મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ આપી છે.
સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.
સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં 900થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.
અત્યારસુધી લગ્નપ્રસંગમાં 100 લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે 3/11/2020 આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને 3/11/20 ના 8 બેઠકો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.
ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.
તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.30મી ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાના છે.
આજે બપોર બાદ વડાપ્રધાન મોદી કેવડીયા પહોચશે અને 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત રહેશે.
કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
વડાપ્રધાનશ્રીએ કેવડિયામાં અલગ-અલગ થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેના આજે તેઓ લોકાર્પણ કરશે. જેમાં જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનો સમાવેશ થાય છે.
આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર ઉત્તરોત્તર વધીને આજે ૯૦ ટકાને પાર થયો છે. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ ૯૮૭ કેસનો ઉમેરો થયો છે જ્યારે સારવાર હેઠળના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧,૭૧,૦૪૦ સુધી પહોંચી છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૧,૫૪,૦૭૮ થઇ છે એટલે કે ૯૦.૦૮ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અલબત્ત, મૃત્યુ આંક ૩૭૦૮ સુધી પહોંચ્યો છે જે ૨.૧ ટકા જેટલો થવા જાય છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી ૨૨૩ કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી ૧૬૨ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાંથી ગુરુવાર સાંજ સુધીમાં નવા ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના ૧૨ કેસ છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. એક સપ્તાહમાં વધઘટ પછી વડોદરમાં એકાએક કેસ વધીને ૭૯ સુધી પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૮ કેસ ઉમેરાયા છે. રાજકોટમાં રફતાર ધીમી પડી હોય તેમ નવા ૫૭ કેસ અને ગ્રામ્યના ૩૯ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૦ મળી ૨૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાંથી કુલ ૩૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭ કેસ સાથે એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.
ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે.
ખેડા અને મોરબી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, અરવલ્લીમાંથી ૧૧, આણંદ ૯, ભરૂચ ૭, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુરમાંથી ૪-૪ કેસ, દાહોદ, તાપી, નવસારીમાંથી ૩-૩ કેસ, બોટાદ, મહીસાગર અને પોરબંદરમાંથી ૨-૨ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે નવા ૫૨,૯૮૯ ટેસ્ટ કરાયા હતા એનો કુલ આંક ૫૯,૫૦,૬૧૬ સુધી પહોંચ્યો છે જ્યારે હાલ એક્ટિવ કેસ ૧૩,૨૫૪ છે એમાંથી ૬૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૩૧૯૩ સ્ટેબલ છે.
પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.
નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ થયું હતું.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.
ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.
100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.