CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 52 of 139 - CIA Live

December 1, 2020
trains.jpg
1min524

પહેલી ડિસેમ્બરથી અમલી બનતા રાજધાની, ઑગસ્ટ ક્રાંતિ રાજધાની, શતાબ્દી, સયાજીનગરી, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સહિતની અનેક એક્સ્પ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. કોરોનાને કારણે હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સહિત અમદાવાદ ડિવિઝનમાં તહેવાર વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, પરંતુ ઓપરેશન કારણસર આજથી વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનના ઉપડવાના અને પહોંચવાના સમયમાં ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સ્પ્રેસ (ડેઈલી) ટ્રેન (નંબર ૦૨૯૫૧-૦૨૯૫૨) રોજ મુંબઈ સેન્ટ્રલથી સાંજના ૫.૩૦ વાગ્યે ઉપડશે, જે રોજ પાંચ વાગ્યે ઉપડતી હતી. રાજધાની એક્સ્પ્રેસને હવે બંને દિશામાં બોરીવલી રેલવે સ્ટેશનનો હોલ્ટ રહેશે.

રાજધાની સિવાય ઑગસ્ટ ક્રાંતિ રાજધાની ટ્રેન (નંબર ૦૨૯૫૩-૦૨૯૫૪) મુંબઈ સેન્ટ્રલથી રોજ સાંજના ૫.૪૦ વાગ્યે ઊપડતી હતી, જે હવેથી સાંજના ૫.૧૦ વાગ્યે ઉપડશે, જેમાં બંને દિશામાંથી અંધેરી રેલવે સ્ટેશને હોલ્ટ રહેશે નહીં.

મુંબઈ અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી એક્સ્પ્રેસ ટ્રેન(નંબર ૦૨૦૦૯-૦૨૦૧૦)ના સમયમાં ફેરફાર થશે. અઠવાડિયામાં છ દિવસ દોડાવવામાં આવતી શતાબ્દી એક્સ્પ્રેસ સવારના ૬.૩૦ વાગ્યાના બદલે સવારના ૬.૪૦ વાગ્યે ઉપાડવામાં આવશે. રાજધાની, શતાબ્દી સિવાય દાદર ભુજ (ડેઈલ) વચ્ચેની સયાજીનગરી એક્સ્પ્રેસ ટ્રેન (નંબર ૦૯૧૧૫-૦૯૧૧૬) દાદરથી બપોરના ૩.૨૦ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે ભુજ ૬.૩૫ વાગ્યે પહોંચશે, જ્યારે રિટર્નમાં ભુજ-દાદર વિશેષ ટ્રેન ભુજથી રાતના ૧૦.૩૫ વાગ્યે ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ વીકલી સ્પેશિયલ ટ્રેન (૦૯૪૫૫-૦૯૪૫૬)ના સમયમાં પણ ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-સુરત વચ્ચેની વિશેષ ટ્રેન રોજ સાંજના ૫.૫૫ વાગ્યે ઉપડશે, જ્યારે સુરતથી મુંબઈ વચ્ચેની વિશેષ ટ્રેન રોજના સાંજના ૫.૦૫ વાગ્યે મુંબઈ માટે રવાના કરવામાં આવશે.

મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૪૬) મુંબઈ સેન્ટ્રલથી રાતના ૯.૧૫ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે બપોરના ૨.૫૫ વાગ્યે ઓખા પહોંચશે, જ્યારે ઓખાથી સવારના ૧૧.૦૫ વાગ્યાના સુમારે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ માટે રવાના કરવામાં આવશે, જે બીજા દિવસે મુંબઈ સેન્ટ્રલ બપોરના ૪.૫૫ વાગ્યાના સુમારે પહોંચશે, એવું પશ્ર્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

December 1, 2020
corona_testing1.jpg
1min363

આજરોજ તા.1લી ડિસેમ્બરે ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલે કરેલી જાહેરાત અનુસાર કોવીડ-19ના લેબોરેટરી ટેસ્ટ RT-PCR ટેસ્ટની કિંમત ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના રેટ ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલો જ્યારે દર્દીના ઘરે જઇને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે.

નીતિન પટેલે જાહેરાત કર્યા મુજબ આજથી આનો અમલ શરૂ થશે.

અગાઉ ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500 રૂપિયા હતો, જ્યારે ઘરે બેઠા 2000 રૂપિયાના દરે ટેસ્ટ થતો હતો.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ SARS-COV-2 શોધવા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેજ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ સ્ટાન્ડર્ડ છે. આ ટેસ્ટથી એવી ખબર પડે છે કે, દર્દીમાં વાયરલ લોડ કેટલો છે અને તેને કયા પ્રકારના ક્વોરેન્ટાઈનમાં રાખવાનો છે. અગાઉ ICMRએ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો તેનો ખરેખર સંક્રમિત માનવો જોઈએ, પરંતુ તેમાં લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ.

COVID-19 DIAGNOSIS: MOST ACCURATE TEST? RT-PCR / ANTIBODY DETECTION TEST? -  YouTube
December 1, 2020
cyclone.jpg
1min412

હવામાન વિભાગે આગામી ૨-૩ ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના પ્રભાવને કારણે તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ૧થી ૪ ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.

રેડ એલર્ટમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા અને અલપ્પુજા સામેલ છે. જ્યારે કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 

બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી પર લો પ્રેશનની સ્થિતિનું નિર્માણ થયું છે. જે ડીપ લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના છે. તે આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલા પ્રેશર આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. આ એલર્ટને જોતાં માછીમારોને સમુદ્ર તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. કન્યાકુમારીના કલેક્ટરે કહ્યું કે, જે માછીમારો બોટ લઇને સમુદ્ર તટે માછીમારી કરવા ગયા છે તેઓ વહેલી તકે પાછા ફરે. 

November 28, 2020
seaplane.jpg
1min404

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો મુજબ, અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની 19 સીટર ટ્વિન ઓટ્ટર 300 સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાથી તેને શનિવારે માલદીવ્સમાં માકલવામાં આવશે.

Video: PM Modi Inaugurates Sabarmati Seaplane Service

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ દેશની પહેલી આ પ્રકારની સર્વિસ છે. તેને સરકારે ઉડાન યોજના અંતર્ગત શરૂ કરી હતી. આ સર્વિસનું સંચાલન સ્પાઈસજેટ કંપની કરી રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી, તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેઈન્ટેનન્સ સંબંધી પરેશાનીઓના કારણે તેને હાલમાં અસ્થાયી રૂપથી બંધ કરવી પડી છે. 19 સીટરના આ પ્લેનને માલદીવ્સમાં પાછું મોકલવામાં આવશે.

November 26, 2020
jallikattu-indian-movie-poster.jpg
1min735

ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.

November 25, 2020
ram-nath-kovind.jpg
1min419
Image

આજે ૨૫મીએ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભાના સ્પીકરો અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાય રહી છે

Image

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

૨૫મી અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પીકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપી રહ્યા છે.

Image

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

Image

આ બેઠક માટે ૫૦૦ થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ ચાર જિલ્લાના પોલીસના ૨૦૦૦ સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.

November 25, 2020
Cyclone-Nivar.jpg
1min436
Heavy rains, gale force winds: Nivar to cross Tamil Nadu coast tomorrow -  india news - Hindustan Times

તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનો ભય છે, જે બુધવારે મોડી સાંજે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મલ્યુંજય મહાપાત્રાએ મંગળવારે કહ્યું હતું કે બંગાળની ખાડી ઉપર ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાત ‘પ્રિવેન્શન’ માં ફેરવાઈ ગયો છે અને બુધવારે ભારે વાવાઝોડાની જેમ તમિળનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકવાની સંભાવના છે. છે. વાવાઝોડાને પગલે તમિળનાડુ અને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીનો વહીવટ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા સહિતના સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ‘નિર્વાણ’ બુધવારે ચેન્નઈથી 50 કિલોમીટર દૂર, રાજ્યના મમ્મલાપુરમ અને પુડુચેરીના કરૈકલ કાંઠેથી ભારે વાવાઝોડાની સાથે વાવાઝોડું વાળી શકે છે અને 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સ્પીડ, જે પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી જઈ શકે છે. વિભાગે કહ્યું કે બુધવારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

November 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min583
MCI: Ayurveda Doctors Can't Do Surgeries!

હાલમાં જ્યારે દેશભરમાં મેડીકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ચાલી રહી છે ત્યારે આવેલા એક મહત્વના સમાચાર એ છે કે આયુર્વેદના ડોકટરોને પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરી સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર રચિત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આયુર્વેદિક તબીબો જનરલ સર્જિકલ, ઇ.એન.ટી., ઓપ્થેલમોલોજી, ઓર્થો અને ડેન્ટલ પ્રોસિજર અન્વયે આવતી સર્જરી આયુર્વેદિક હોસ્પિટલ્સના ઓપરેશન થિયેટરોમાં હાથ ધરી શકશે. એમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડીસીન દ્વારા જણાવવામાં આવ્યું છે.

The notification dated November 19 listed the procedures that will be included in the PG training of Ayurveda doctors by amending the Indian Medicine Central Council (Post Graduate Ayurveda Education) Regulations, 2016. It stated that the amendments were being made with the sanction of the central government.

During the period of study, post-graduate scholars of Shalya tantra (general surgery) and Shalakya tantra (surgeries of the ear, nose, throat, head and eye) will be practically trained to perform various surgical procedures independently. General surgical procedures include amputation of gangrene, skin grafting, laparotomy (opening up of the abdomen), many advanced gastro-intestinal surgeries. Under Shalakya tantra they will be trained to do fairly advanced ophthalmic surgeries such as iris prolapse surgery, squint surgery, cataract surgeries of all kinds.

November 22, 2020
girnar_parikrama.jpg
1min439

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.

ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.

બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

November 21, 2020
cbse1.jpg
1min816

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.