CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 142 of 142 - CIA Live

May 24, 2018
baroda_court.jpg
1min14590

અમદાવાદની ભદ્ર ખાતે તૈયાર થઇ રહેલી નવ માળની મલ્ટીસ્ટોરીડ સેશન્સ કોર્ટનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, આગામી 4 મહિનામાં કોર્ટના ફર્નિચર સહિતની જગ્યાનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તે વકીલોને બેસવા ફાળવી દેવાશે.  નવ નિર્મિત નવ માળની સેશન્સ કોર્ટમાં ગ્રાઉન્ડ તથા ફર્સ્ટ ફ્લોર વકીલોની બેઠક વ્યવસ્થા હશે. બીજા માળે સ્મોલકોઝ કોર્ટ, ત્રીજા માળે સિવિલ કોર્ટ અને ચોથા માળથી સેશન્સ કોર્ટ કાર્યરત થશે. નવમા માળે કોન્ફરન્સ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે વકીલો અને પક્ષકારો માટે 8 લિફ્ટની વ્યવસ્થા કરાઇ છે. જૂની સેશન્સ કોર્ટ ખાતે પાર્કિંગ માટે મોટા પ્રશ્નો હતો પરંતુ નવી કોર્ટમાં જિલ્લા પંચાયતની સામે મેઇન ગેટ હશે અને આસપાસના કંપાઉન્ડમાં 250 જેટલી કાર પાર્ક થઇ શકશે ઉપરાંત હજાર જેટલા ટુ વ્હીલર જ્યારે જજ અને જ્યુડિશિયલ ઓફિસરો માટે ભોંયરામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે પણ પક્ષકારો તથા અન્ય લોકો પાર્કિંગ કરી શકશે. જે માળ પર કોર્ટ આવેલી હશે તે તમામ માળ પર વકીલોને બેસવા માટે (વેઇટિંગરૂમ) ઉપરાંત અસીલો, પોલીસ, કેદી માટે પણ બેસવા માટે ખુરશી, પંખા, ઠંડુ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની સેશન્સ કોર્ટમાં કોર્ટ રૂમ નાના હતા અને તેમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હતી. પરંતુ નવી સેશન્સ કોર્ટમાં દરેક કોર્ટમાં 50થી 60 લોકો બેસી શકે તે માટે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે કેદીઓ માટે પણ અલગ જગ્યાની ફાળવણી કરાઇ છે. ઉપરાંત પેપર લેસ કોર્ટ બનાવવા માટે દરેક કોર્ટમાં લેપટોપ અને વાઇફાઇ મળે તે માટે અલગ પોર્ટની અલાયદી વ્યવસ્થા છે. આ ઉપરાંત કેદીને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરી શકાય તે માટે વિીડિયો કોન્ફરન્સ માટે પણ જુદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

નવી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલોને યોગ્ય વ્યવસ્થા માટે અત્યારથી જ કવાયત હાથ ધરાઈ છે. નવ માળની નવી સેશન્સ કોર્ટ વકીલો, અસીલો, પોલીસ, જજ, કેદી સહિતના લોકો માટે વિશેષ આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેમાં વાઇફાઇ, વીડિયો કોન્ફરન્સ, બેસવાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓને સમાવેશ થાય છે.

સેશન્સ કોર્ટ ભદ્ર ખસેડાતા ફેમિલી કોર્ટ (હાલ જ્યાં સેશન્સ કોર્ટ કાર્યરત છે)માં ભીડ ઘટશે.

 

May 24, 2018
gujcmdcm.jpg
1min17190

રાજ્ય સરકાર દ્વારા સરકારી પડતર જમીન વિવિધ હેતુ માટે આપવામાં આવે છે તેની જે કિંમત છે તેની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. હાલ પડતર જમીનની જે બજાર કિંમત હોય તેના કરતા પડતર જમીનની કિંમત વધુ આવતી હોય તેવું અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે જેથી જાહેર હેતુ માટે જે જમીન આપવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. તેને લઇને કિંમત ઘટાડવા રાજ્ય સરકારના મહેસૂલી વિભાગથી લઇને નિર્ણયકર્તાઓમાં વિચારમંથન શરૂ થયું હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્ય સરકારની માલિકીની મનાતી પડતર જમીનની જે કિંમત નક્કી કરતી હાલની ફોર્મ્યુલામાં શું ફેરફાર કરી શકાય તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આ માટે લીલી ઝંડી મળ્યા બાદ સરકારી પડતર જમીન માટે નવી કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

સરકાર દ્વારા પડતર જમીન હોય તે વિવિધ હેતુ માટે આપવામાં આવતી હોય છે. જેમાં શૈક્ષણિક હેતુથી કેટલાક ટ્રસ્ટ દ્વારા જમીનની માગણી થતી હોય છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ માટે પણ સરકાર પાસે પડતર જમીનની માગણીઓ આવતી રહેતી હોય છે. તે ઉપરાંત સરકારના પોતાના બોર્ડ-નિગમોના કામકાજ માટે પણ આવી જમીન આપવામાં આવતી હોય છે. જો કે આવી જમીનની કિંમત નક્કી કરતી વખતે એ ધ્યાન પર આવ્યું છે કે સરકારી ફોર્મ્યુલા મુજબ જંત્રી પ્રમાણે જે રકમ નક્કી કરવામાં આવેલી છે તે જે તે સ્થળે આવેલી જમીનની બજાર કિંમત કરવા વધુ હોય છે. તેના કારણે સરકારને જમીનની કિંમત વધુ થતી હોવાની રજૂઆતો પણ કેટલીક સંસ્થાઓ દ્વારા મળતી હોય છે.

May 23, 2018
collector.jpg
1min14230

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ આજે ટ્વીટ કરીને એવી જાણકારી આપી હતી કે તેમણે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેની ફરજના ભાગરૂપે આજે સુડાની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.35 જેમાં કુંભારીયા, દેવધ, સણિયા-હેમાદ વગેરેના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ટી.પી. રોડ ખુલ્લા કરવા માટે સ્થાનિક ખેડૂતોની સાથે મંત્રણા જરૂરી હતી. કલેક્ટરે તેમની ટ્વીટમાં જણાવ્યું હતું કે ખેડૂતો સાથેની મિટીંગ ફળદાયી નિવડી છે. તેમણે સ્થળ પર ટી.પી. સ્કીમના નક્શાઓ તેમજ અન્ય બાબતોની પણ ચકાસણી કરી હતી. તેમણે ખેડૂતોને સમજાવ્યા હતા કે આ વિસ્તારમાં ટી.પી. સ્કીમના અમલીકરણને પગલે સમગ્ર વિસ્તારનો આયોજનબદ્ધ રીતે વિકાસ શક્ય છે. તેમણે આજની મિટીંગમાં ગામવાસીઓ તરફથી સાંપડેલા સહકારની કદર કરી હતી.

May 22, 2018
mukesh-ambani.jpg
1min12380

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
bramos.jpeg
1min14480

ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.

બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.

૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)

May 9, 2018
2018_5large_adb1.jpg
1min13310

ચાલુ વર્ષે ભારતની જીડીપી વૃદ્ધિનો સાત ટકા ઉપરનો અંદાજ ઘણો ઝડપી છે અને જો આ ગતિ જાળવી રાખવામાં આવશે તો આગામી એક દાયકામાં અર્થતંત્રનું કદ વધીને બમણું થઈ જશે તેમ એશિયન ડેવલપમેન્ટ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ જણાવ્યું હતું. ભારતે આઠ ટકાનો વૃદ્ધિ દર હાંસલ નહીં કરી શકવા અંગે ચિંતા કરવાને બદલે આવકની અસમાનતા દૂર કરી સ્થાનિક માગમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું

May 9, 2018
2018_5large_dada_saheb_phalke.jpg
1min13190

ત્રીજી મે ભારતીય ઇતિહાસમાં અનોખુ સ્થાન ધરાવે છે. 105 વર્ષ પહેલા બરાબર આ જ દિવસે ભારતમાં પહેલી ફિલ્મ રીલીઝ થઇ હતી. રાજા હરિશ્ચંદ્ર નામની ફિલ્મ દાદાસાહેબ ફાળકેએ બનાવી હતી. આજે સમગ્ર દુનિયામાં બોલીવુડ તેની નોખા પ્રકારની ફિલમોથી જાણીતું છે.

March 9, 2017
svps.jpg
1min14150

ગુજરાતની BJP સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે.

March 7, 2017
3_1464364658.jpg
1min23370

સેવા સંસ્થાએ બનાવેલી મહિલાઓ માટેની હંસિબાની પ્રોડક્ટ્સની ફિલ્મ કિંગ ખાને તેના ફેસબુક-પેજ પર લૉન્ચ કરી જેને ૫.૭ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા

March 7, 2017
business-3stock-1280x853.jpg
1min14070

દેશભરમાં GSTનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક સમયે ટૅક્સચોરીમાં સૌથી બદનામ ગણાતા મોરબી સિરૅમિક ફેડરેશને GSTની ચોરી કરનારને પકડાવનારાઓને ઇનામ આપવાની અને કરચોરોને દંડ કરવાની જાહેરાત કરીને સૌની સામે દાખલો બેસાડ્યો