CIA ALERT

ક્રાઇમ Archives - Page 31 of 37 - CIA Live

October 30, 2018
police.jpg
1min3920

મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ થયેલા તોફાનોમાં બેદરકારી દાખવવા અંગે બાર પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા હતાં.

વિહિપના પ્રમુખની હત્યા બાદમાં મહુવામાં તોફાન થયું હતું અને દસથી વધુ દુકાનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. તેના કારણે રૂ. 50 લાખથી વધુનું નુકસાન થયું હતું. મહુવામાં શાંતિ સ્થપાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમજ  શાંતિયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન  તોફાનોના બંદોબસ્તમાં મૂકાયેલ  પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાના બદલે ગેરહાજર રહ્યાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે ભાવનગર જિલ્લાના બાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઉપરાંત બંદોબસ્તમાં રહેલા અમરેલીના સાત અને બોટાદના બે  મળી કુલ 21 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતાં.

October 29, 2018
mal_HALVAD.jpg
1min6350

મોરબી જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ સહિતના સિંચાઈ કામમાં થયેલી ગેરરીતિ સબબ તટસ્થ તપાસની માગ કરનાર નેતાના જ પગ તળે આ મુદ્દે રેલો આવ્યો છે. જિલ્લામાં સિંચાઈ કામમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અરજી નહીં કરવા અને વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા નહીં કરવા મળતિયા મારફતે 40 લાખની માગણી કરનાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેના મળતિયા એવા વકીલ ભરત ગણેશીયાની મોરબી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

 

વર્ષ ર017-18 અને ર018-19માં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકામાં સરકારની નાની સિંચાઈ, જુદી જુદી યોજના તળે અનુશ્રવણ તળાવ, ચેક ડેમ સહિતના કામો કરવા માટે કુલ 334 કામોનો અંદાજીત ખર્ચ ર0.31 કરોડનો મંજૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગેરરીતિ થયાની રજૂઆતના આધારે સિંચાઈ વિભાગ દ્વારા મુખ્ય ઈજનેર અને અધિક સચિવ, ગુણવત્તા નિયમન ગાંધીનગરની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો દ્વારા 46 કામની તપાસ કરાઈ હતી.

નોંધપોથીમાં નોંધાયેલા કામો અને સ્થળ તપાસમાં વિસંગતતા જણાતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ર7-9-ર018ના રોજ ગુનો દાખલ થયો હતો. આ મામલે તત્કાલીન કાર્યપાલક સહિત 4 આરોપીની અટકાયત કરાઈ હતી. તપાસ દરમિયાન 46 ઉપરાંત વધુ પાંચ મળી કુલ પ1 કામોમાં 1.1ર કરોડ રૂપિયાની ગેરરીતિ જણાઈ આવી હતી. અન્ય ર83 કામોની ચકાસણી તંત્ર દ્વારા ચાલુ છે.

દરમિયાન આ ઘટનાના મુખ્ય આરોપી એવા ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણી તથા જુદીજુદી મંડળીઓએ ગેરરીતિ છૂપાવવા અલગ અલગ કાર્યકરો, હોદ્દેદારોને નાણાં આપ્યાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. વધુ તપાસ કરતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ આ કામમાં થયેલી ગેરરીતિ બાબતે અરજી નહી કરવા તેમજ વિધાનસભા ગૃહમાં આ બાબતે રજૂઆત નહી કરવા પેટે પોતાના મળતિયા ભરત ગણેશીયા (વકીલ) મારફતે 40 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જેમાં 3પ લાખ રૂપિયામાં સોદો નક્કી કરી મુખ્ય આરોપી તથા મંડળી પાસેથી કટકે કટકે 10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાકીના રપ લાખ રૂપિયા માટે સિક્યુરીટી પેટે એકાઉન્ટનો ચેક મેળવ્યો હતો. આ હકિકત ખુલવા પામતા પુરાવાના આધારે તા.ર8મી ઓક્ટોબર 2018ના રોજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા સીટના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા (ઉ.60, રહે. મોરબી-ર ધર્મસિધ્ધી સોસાયટી-ત્રાજપર)ની અને મળતિયા ભરત દેવજીભાઈ ગણેશીયા (ઉ.વ.38 ધંધો વકીલાત, રહે. હળવદ, વૃક્ષમણી પાર્ક સોસાયટી, સરા રોડ હળવદ)ની મોરબી પોલીસે ધરપકડ કરી હતી.

સિંચાઈ અને ચેકડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે એક તબક્કે ખુદ ધારાસભ્યએ તટસ્થ તપાસની માગ કરી હતી. આ તપાસનો રેલો હવે તેમના પગ તળે આવતા ધારાસભ્ય સાબરીયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ ઘટના શહેરભરમાં ચર્ચાના ચકડોળે ચડી છે.

October 24, 2018
CBI.png
1min12220

CBI ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં છેલ્લા 10 દિવસ દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમે સમગ્ર વિશ્વમાં ભારતની આબરુના ધજાગરા ઉડાડ્યા છે. ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠ્યા કે તેમના પ્રિય અધિકારી રાકેશ અસ્થાના ભ્રષ્ટ રીતરસમોમાં રચ્યા પચ્યા રહ્યા અને આમ છતાં તેમને સીબીઆઇમાં સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ આપી દીધી. સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માએ મોદીના ફેવરીટ અધિકારી રાકેશ અસ્થાનાની સિફતપૂર્વક એવી ગેમ કરી દીધી કે ભારતના ઇતિહાસમાં સીબીઆઇ જેટલી હાલમાં બદનામ થઇ એટલી ક્યારેય નથી થઇ.

  • સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર
  • સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
  • સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે
  • વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર
  • પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી

(ડાબેથી સીબીઆઇ ચીફ આલોક વર્મા જેમને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા, વચ્ચે ઇન્ચાર્જ સીબીઆઇ ચીફ બનાવાયા એ એમ. નાગેશ્વર રાવ અને છેલ્લે જમણી બાજુએ રાકેશ અસ્થાના જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે)

સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેના વૉરમાં જેટલું નુકસાન થવાનું હતું એ થઇ ગયા પછી હવે કેન્દ્ર સરકારને ડહાપણ આવ્યું અને તેમણે તાત્કાલિક પગલાં રૂપે સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર કરી દીધા છે. વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી છે. અને અધિકારીઓને તેમજ કર્મચારીઓને અંદર પ્રવેશ માટે મનાઇ કરાતા પરત મોકલવામાં આવી રહ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર પદે હતા. 1986ની બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે. દરમિયાન સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે.

 

October 18, 2018
carstealing.png
1min6170
  • સુત્રધાર ડો.હરેશ બાવળાના બલદાણા ગામે આયુર્વેદિક દવાખાનું ચલાવતો હતો
  • કાર ચોર ટોળકીનો સુત્રધાર ડોકટર હરેશ માણીયા સુરતથી ઝડપાયો
  • વસ્ત્રાપુર, સેટેલાઈટમાં ૧૩૦થી વધુ કાર ચોરી કર્યાંની કબુલાત
  • સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, એસેન્ટ, વેગર આર, અલ્ટો જેવી જુના મોડેલની જ ગાડીઓ ચોરતા

અમદાવાદ સહિત રાજયભર જુદા જુદા સ્થળોએથી સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, અલ્ટો, વેગન આર, એસેન્ટ જેવી જુના મોડેલની જ કારની ચોરી કરી તેની નંબર પ્લેટો બદલી ઉપજાવી કાઢેલા ફેક દસ્તાવેજાના આધારે નિર્દોષ ગ્રાહકોને પધરાવી દેતી ટોળકીનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુખ્ય સુત્રધારને સુરતથી દબોચી લીધો છે. રાજ્યવ્યાપી કારચોરી કૌભાંડમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે પકડાયેલો સુત્રધાર આયુર્વેદિક ડોકટર છે અને તેણે અત્યાર સુધીમાં રપ૦થી વધુ કારોની ચોરી કરી વેચી મારી રોકડી કરી લીધી છે. આ ટોળકીના કુલ પાંચ સાગરિતો ઝડપાયા છે. એકલા અમદાવાદના વસ્ત્રાપુરમાંથી જ આ ટોળકીએ ૧૩૦ જેટલી કારની ચોરી કરી હોવાનું મનાઈ રહયું છે. ખાસ કરીને જાહેર રોડ પર પાર્ક કરેલી કારો ઉઠાવી જતા હતાં.

પકડાયેલા સાગરિતોની પુછપરછમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને એવી માહિતી મળી હતી કે કાર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડો. હરેશ સુરતમાં સંતાયેલો છે, જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની એક ટીમે સુરતમાં 17 ઓક્ટોબર 2018ને બુધવારે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સુરત પોલીસની મદદથી ડો. હરેશને આબાદ ઝડપી લીધો હતો. ડો. હરેશને અમદાવાદ લાવી તેની પુછપરછ કરતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આ ગેંગના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. ચોરીની કારોની નંબર પ્લેટ બદલીને કોને કોને વહેચી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે આગામી ટુંક સમયમાં ધરપકડનો દોર શરૂ થશે.

ફિલ્મી સ્ટાઇલ કાર ચોર જેવી ઓપરેન્ડી હતી ડો. હરેશ મણીયાની

સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડોકટર હરેશ મણીયા છે હરેશ મણીયાએ રાય યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે અને બાવળા તાલુકાના બગદાણા ગામે આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે. દરમિયાનમાં તેણે વાહનચોરી કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાની ગેંગ બનાવી હતી અન્ય શહેરોમાંથી કારોની ઉઠાંતરી કર્યાં બાદ તેઓએ અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએથી વાહનચોરી કરી હતી બાવળાની સહજાનંદ સોસાયટીમાં રહેતો ડોકટર હરેશ વાહનચોરીમાં એકસપર્ટ થઈ ગયો હતો જાકે તેના ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતો હરેશ અગાઉ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં ઝડપાયો હતો અને તેને સજા પણ થઈ હતી.

અમદાવાદમાં કાર ચોરીના બનાવો વધતા પોલીસ એલર્ટ બની હતી

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ છે કે વસ્ત્રાપુર, આનંદનગર અને સેટેલાઈટ વિસ્તારમાંથી તેઓએ ૧૩૦થી વધુ ગાડીની ચોરી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ડો. હરેશની ગેંગે એસ.જી.હાઈવે પરથી સૌથી વધુ કારની ચોરી કરી છે કારની ચોરી કર્યાં બાદ તેઓ એક પાર્ટી પ્લોટમાં ગાડીને લઈ જતા હતા અને ત્યાં નંબર પ્લેટ બદલીને બીજા શહેરોમાં વહેંચી નાંખતા હતાં વાહનચોર ટોળકીએ અનેક મોંઘી કારોની ચોરી કરી છે પ્રાથમિક પુછપરછમાં જ રપ૦થી વધુ કારોની ચોરી કરી હોવાનું કબુલ્યું છે આટલી મોટી સંખ્યામાં કારની ચોરી કરતી ગેંગ ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

October 17, 2018
adinath.jpg
1min5790

સુરતના પરવત પાટિયા ખાતે આવેલા આદિનાથ દિગંબર જૈન દેરાસરમાં તા.16મી ઓક્ટોબર 2018ની રાત દરમિયાન જૈનો માટે અતિપવિત્ર અને આસ્થાનું પ્રતિક ગણાતી અષ્ટધાતુની મૂર્તિ, ચાંદીની છત અને કળશ ગુમ થઇ જતા જૈન સમાજમાં રોષ છે. આજે તા.17મી ઓક્ટોબર 2018ના રોજ સવારે નિત્ય ક્રમ મુજબ ભગવાનની પુજાનો સમય થયો ત્યારે એ વાત ઉજાગર થઇ કે મૂર્તિ સમેત અન્ય સામગ્રી પર તસ્કરો હાથ ફેરો કરીને પલાયન ભણી ગયા છે.

(આ મૂર્તિની પૂજા થવાની હતી, પરંતુ એ પહેલા તસ્કરો તફડાવી ગયા)

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આ આદિનાથ દિગંબર જૈન મંદિર નજીક 10થી 19 ઓકટોબર સુધી  24 સમવશરણ કલ્પદ્રુમ મહામંડળ વિધાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે જ આ ઘટના બનતા જૈન બંધુઓની લાગણી દુભાઇ જવા પામી છે. ચોરી કોણે કરી એ જાણવા માટે જ્યારે સીસી ટીવી કેમેરાની સિસ્ટમ ચેક કરવામાં આવી ત્યારે સીસી ટીવી કેમેરા બંધ મળ્યા હતા. ઇલેક્ટ્રીક સપ્લાયનો પ્લગ નીકળી જતા સીસી ટીવી ઠપ હતા. એ જ સમયે તસ્કરોએ પણ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિંગબર જૈન સમાજના ભક્તોએ કેશવ નગર પોલીસ ચોકીનો ઘેરાવ કરીને ચોરને પકડી પાડવાની માગ કરી હતી.

October 16, 2018
Rampal_SatlokAshram.jpg
1min5660

સતલોક આશ્રમમાં હત્યાના કેસમાં સંત રામપાલને દોષિત ઠેરવ્યા બાદ સજાની સુનાવણી થઈ છે. ડબલ મર્ડર કેસમાં રામપાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રામપાલ અને તેના 27 અનુયોયીઓને પણ ગુરુવારે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.  2014ના બે કેસ પૈકી એક કેસમાં રામપાલને આજીવન કેદની સજા હરિયાણાની હિસાર કોર્ટે ફટકારી છે જ્યારે હત્યાના અન્ય કેસમાં આવતીકાલે સજાની સુનાવણી કરવામાં આવશે.

October 15, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4150

સુરતના ડિંડોલીમાં કાર્યરત એક કહેવાતા આયુર્વેદિક તબીબના સહાયકે ૧૪૫ મહિલાઓનાં અશ્લીલ વીડિયો ઉતાર્યા હોવાની હકીક્ત પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા જ લોકોનું ટોળું ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યું હતું.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ટોળાંએ આયુર્વેદિક ડૉક્ટરના સહાયક સામે સારવારનાં નામે અશ્લીલ વીડિયો ઉતારવાનો આરોપ લગાવ્યો હતો. આ બનાવમાં પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી કે, ડૉક્ટરનો સહાયક સારવાર માટે આવતી મહિલાઓની આંખ પર સારવારનાં નામે પાટા બાંધતો હતો અને ત્યારબાદ મહિલાનો અશ્લીલ વિડીયો ઉતારતો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે આક્ષેપ લગાવનારા મહિલાનાં ભાઈને વિડીયો લઈ આવવા કહ્યું હતું, પરંતુ મોડી રાત સુધી તે પરત ના આવતા આ ઘટના અંગે કોઈ જ ગુનો નોંધવામાં આવ્યો નહોતો. પોલીસ અત્યારે પુરાવા એકત્ર કરી રહી છે. જો પુરાવા મળશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ ટોળાંએ આક્ષેપ કર્યો છે કે પોલીસે મહિલાઓનાં અશ્ર્લીલ વિડીયો ઉતારનારા ડૉક્ટરના સહાયકનાં મોબાઈલની તપાસ કરવી જોઈએ, પરંતુ તેમ ના કરતા તેમણે આક્ષેપ કરનારાઓ પાસે પુરાવા માગ્યા હતા.

October 13, 2018
gujarat_highcourt.jpg
1min4480

તાજેતરમાં સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મ બળાત્કાર કેસના આરોપીઓને સખત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ ત્રણેય કેસની ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે.

રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાથી તેમ જ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે, એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

October 12, 2018
Bank_of_Mauritius.png
1min11640
મુંબઇના નરીમાન પોઇન્ટ ખાતે આવેલા રાહેજા સેન્ટરમાં કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઇ બ્રાન્ચમાં સાઇબર રોબરી ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા 143 કરોડ રૂપિયાની મસમોટી સાઇબર લૂંટ થઇ હોવાની પોલીસ ફરીયાદ દર્જ થતાં ભારતમાં અફરાતફરી મચી જવા પામી છે. જાણકારો કહે છે કે સાઇબર એક્સપર્ટસને આ લૂંટનો ભેદ ઉકેલતા દિવસો નીકળી જાય તેમ છે. હજુ સુધી એ પણ જાણી શકાયું નથી કે બેંક સાથે થયેલી આ મસમોટી સાઇબર લૂંટ ક્યાંથી ઓપરેટ થઇ હતી.
હકીકતમાં ગઇ તા. 5 ઓક્ટોબરે આ મામલે સ્ટેટ બેંક ઓફ મોરેશિયસના સ્થાનિક અધિકારીએ નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા બેન્કના સર્વરને હેક કરી ખાતાઓમાંથી ભારત બહારના કેટલાક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની એક શાખા ભારતમાં મુંબઇના નરિમન પોઇન્ટ વિસ્તારમાં સ્થિત છે. જેમાં હેકર્સ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. બેંકના મેઇન સર્વરમાં સેંધ મારીને ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા ભારત બહારના ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ ડોલર્સમાં ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
  • ફેબ્રુઆરીમાં ચેન્નઇ ખાતે યુનિયન બેન્કની એક શાખામાંથી હેકર્સ દ્વારા બેન્કનું સર્વર હેક કરીને 34 કરોડ રૂપિયાની સાઇબર લૂંટ ચલાવાઇ હતી
  • ઓગસ્ટમાં કોસમોસ બેન્કની પુણે ખાતેની હેડઓફિસેથી કરાયેલી સાઇબર લૂંટમાં 94 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હતા 

 

October 12, 2018
kero.jpg
1min4960
  • superior kerosene oil ઘુસાડવા અંગે બેની ધરપકડ: 11 કેસમાં મિસડિકલેરેશન થયાનું ખુલ્યું
  • ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત
  • આંતરરાજ્ય વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા પણ શંકાસ્પદ, તપાસ થશે
  • અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા

આયાતી માલની ખોટી માહિતી રજૂ કરીને તેની જગ્યાએ ભળતી વસ્તુઓની આયાત કરવાનું કૌભાંડ પકડાયું છે. ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત કરીને આચરવામાં આવેલા  આ કારસ્તાન અંગે ડીઆરઆઇએ બે શખસની ધરપકડ કરી છે. આંતરરાજ્ય એવા આ વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા સામે ય પગલાં લેવાશે. 439 કન્ટેઇનર જેટલો કેરોસીનનો જથ્થો ઠલવાય ગયાનું ખુલ્યું છે.

થોડાસમય પહેલા ડીઆરઆઇએ  આયાતી કન્ટેઇનર તોડીને તેમાંથી પ્રવાહીના નમુના લીધા હતાં. તેના પરીક્ષણમાં મિસડિકલેરેશનનો ઘટસ્ફોટ થયો હતો. આ સંદર્ભમાં એક આયાતકાર સનારી શિપિંગના કેસમાં 373.840 મેટ્રીક ટન સુપીરિયર કેરોસીન ઓઇલ (એસકેઓ)ની આયાત કરી હતી. પરંતુ તે માલ તેણે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસ તરીકે ડિકલેર કર્યો હતો. એટલુ જ નહીં પણ કસ્ટમના એજન્ટ સીઆરસીએલ કંડલાના કેમીકલ એકઝામીનરે આ નમુનાની તપાસ કરીને આયાતકારની તરફેણમાં અહેવાલ આપ્યો હતો. આ કેસમાં સનારી શિપિંગના વીરભદ્રરાવ મોહનરાવની ધરપકડનું વોરન્ટ કાઢયું હતું. સાથોસાથ મૃત્યુંજય દાસગુપ્તા અને ઇકબાલ રહેમાન શેખનું વોરન્ટ પર કાઢ્યું હતું.એજન્સીના જણાવ્યા પ્રમાણે 11 કેસમાં મિસ ડિકલેરેશન સામે આવ્યું છે.

ગાંધીધામથી મળતી માહિતી પ્રમાણે કેરોસીનની દાણચોરીનું મોટુ કૌભાંડ છે. આ કૌભાંડ સાથે સંડોવાયેલ ત્રિપુટી દ્વારા અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા છે. કસ્ટમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની સાંઠગાંઠ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ જ રીતે અન્ય વસ્તુઓ પણ ભળતા નામે જ આયાત કરવામાં આવે છે.  આયાતકાર દ્વારા રજુ કરાતા ડિકલેરેશનની સઘન તપાસ કરવામાં આવે તો અનેક નીચે રેલો આવી શકે તેમ છે. હાલમાં પકડાયેલા આ કેરોસીન કૌભાંડમાં રૂ.11 કરોડથી વધુની ડયુટી ચોરી  બહાર આવે તેવી શકયતા છે.