CIA ALERT

ક્રાઇમ Archives - Page 25 of 38 - CIA Live

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13710
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 20, 2019
gold-thief_thinkstock.jpg
1min7470

સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)

ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની  કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી  છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.

April 19, 2019
fraud.jpg
1min10690
વેપારીનું અપહરણ કરી બગોદરા પાસે ઉતારી દઈ 62 લાખ પડાવી લીધા: પિતા-પુત્ર અને બે મહિલા સહિત સામે ફરિયાદ
પાંચ હાટડી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડેરી તથા ઠંડા પીણાનો વેપાર કરતા હુશેન રજાકભાઈ (42) મેમણ વેપારીએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોતાની સાથે 6 જેટલા શખસોએ ઠગાઈ કરી 62 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલા સહિત છ આરોપીઓના નામો આપ્યા છે.
એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસ શરૂ કરતાં અને મેમણ વેપારીની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી કે હુશેન મેમણને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરીશ ગિરધરલાલ નંદા સાથે મિત્રતા હતા.િમત્રતા દાવે તેણે મેમણ વેપારી પાસેથી પૈસા મેળવવા પ્લાન કર્યો હતો.જેના અનુસંધાને હરીશ નંદાએ પોતાના જૂનાગઢ તેમજ અન્ય મિત્રો પાસે રૂા.61 લાખ 701 હજારની જૂની ચલણી નોટ છે જે બદલી આપશું તો મોટું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ગત તા.28-3-19ના દિવસે ગોકુલનગરમાં બોલાવ્યા હતા.
આક્ષેપ થયો છે કે આ સ્થળે એક કાર આવી હતી જેમાં બીલખાનો સલીમ, જૂનાગઢનો મુન્ના ઈબ્રાહીમ મીર તથા બે અજ્ઞાત મહિલા બેઠી હતી જયારે હરીશ ગિરધરલાલ અને તેના પુત્ર ચિરાગે એકસંપ કરી વેપારીનું અપહરણ કર્યું હતું અને વેપારી પાસે રહેલી રૂા.62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં તેમને બગોદરા પાસેથી ઉતારી દીધા હતાં. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આ અંગે એલસીબીને તપાસ સોંપાઈ છે. તપાસનો દોર જૂનાગઢ અને બીલખા સુધી લંબાવાયો છે. જામનગરના ભાનુશાળી પિતા-પુત્રો પણ ફરારી થઈ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
April 18, 2019
siddhu.jpg
1min14490

કોમવાદી કોમેન્ટ્સ કરીને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કૉંગ્રેસના નેતા અને પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ સામે બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણીપંચ કાર્યાલયે જણાવ્યા અનુસાર ચૂંટણીપંચના ફ્લાઇંગ સ્ક્વોડની ફરિયાદના આધારે કટિહાર જિલ્લાના બારાસોઇ પોલીસ સ્ટેશનમાં સિદ્ધુ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

આ મામલે ઇસીઆઇને એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ અગાઉ ભાજપના રાજ્ય યુનિટના અધ્યક્ષ

દેવેશકુમાર સહિત ભાજપના નવ સભ્યના પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં જઇને આ મામલે એક આવેદન આપીને સિદ્ધુ સામે એફઆઇઆર કરવાની માગણી કરી હતી.

સિદ્ધુએ ચૂંટણી સભામાં મુસ્લિમોને તેઓ આ વિસ્તારમાં બહુમતીમાં હોવાથી એકજૂથ થઇને કૉંગ્રેસને મત આપે તો મોદી સરકારનું કામ તમામ થઇ જાયનું આહવાન કરીને ધર્મના નામે કૉંગ્રેસ માટે મત માગ્યા હતા.

April 16, 2019
eway_bill.jpg
1min6170

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.

બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.

મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

April 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5630

ચોટીલામાંથી યુવતીનું અપહરણ કરનાર લંપટ પ્રો. ધવલ ત્રિવેદીને ઝડપી લેવા ઈઇઈંને આદેશ
મુળ વડોદરા પંથકના અને ઘણા સમય પહેલા જામનગર હાઈવે પર આવેલી ગારડી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ધવલ ત્રિવેદી નામના લંપટ પ્રોફેસરે જામનગર પંથકની બે સગીર વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી ગયો હતો અને બે વર્ષના અંતે રાજકોટ સીઆઈડી ક્રાઈમના સ્ટાફે પંજાબ પંથકમાંથી લંપટ ધવલ ત્રિવેદીને બંને સગીર વિદ્યાર્થિનીઓ સાથે ઝડપી લીધો હતો અને લંપટ ધવલ ત્રિવેદીને જેલમાં ધકેલી દીધો હતો.
આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે લંપટ ધવલ ત્રિવેદીને ર018માં આજીવન કેદની સજા ફટકારી હતી. લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી બે વખત છુટાછેડા લઈ ચુકયો છે અને આઠથી દસ યુવતીઓને ભગાડી ગયો છે. રાજકોટ જેલમાં સજા ભોગવતા ધવલ ત્રિવેદીએ બે વખત પેરોલ પર છુટયા બાદ પરત જેલમાં આવી ગયો હતો અને ત્રીજી વખત જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર થઈ ગયો હતો અને ચોટીલામાં એક શખસ સાથે ભાગીદારીમાં ઈગ્લીશ કલાસીસ શરૂ કર્યા હતા અને એક વેપારીની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતીને લઈ નાસી છુટયો હતો. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો તેમજ ધવલ ત્રિવેદીના મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને દિલ્હીમાં એક શખસને મોબાઈલ વેચી દીધાનું ખુલ્યુ હતું બાદમાં એલસીબી તથા અન્ય સ્પેશ્યલ ટીમ દ્વારા ધવલ ત્રિવેદી અને યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. પોલીસ દ્વારા નેપાળ-પંજાબ-દિલ્હી સહિતના શહેરોમાં મેઈલ-વોટસએપ દ્વારા શાળા-કોલેજોમાં બંનેના ફોટોગ્રાફસ અને સમગ્ર વિગતો મોકલી મદદ માગવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ અરજીના મામલે સુનાવણી કરી હતી અને આ પ્રકરણની તપાસ સીબીઆઈને કરવા હુકમ કર્યે હતો અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે નેપાળ નાસી છુટયો હોઇ તાકીદે નેપાળ તપાસ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી અને ચાર સપ્તાહમાં કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.
April 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5400

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સામું જોવા, મોટા અવાજે ગાળો બોલવા સહિતની બાબતે જસદણના કુલદીપ ચાંપરાજભાઈ ખવડ નામના યુવાનની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. સાથે જસદણમાં રહેતા તેના મિત્ર અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચરનો જાન લેવાનો પ્રયાસ’ થયો હતો. ખૂન અને ખૂનની કોશિશનો ગુનો આચરીને નાસી ગયેલા બે પોલીસવાળા વિજય ડાંગર અને હિરેન ખેરડિયા સહિતના સાત બદમાશોની પોલીસ શોધી રહી છે.
જસદણમાં રહેતા અને વિપુલ હીરપરા નામના યુવાનની હત્યામાં પકડાયેલા અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચર સામેનો ખૂનનો કેસ રાજકોટની અદાલતમાં ચાલતો હોવાથી અને કોર્ટમાં તારીખ હોવાથી તે પોલારપર રોડ પર રહેતા તેના મિત્ર કુલદીપ ચાંપરાજભાઈ ખવડને સાથે લઇને કારમાં રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોક પાસેના સરદારનગરમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્વિગી ફૂડ કંપનીમાં નોકરી કરતા તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફે બાઉ હરેશભાઇ ઉર્ફે બાબાભાઇ ધાંધલને ત્યાં રોકાયા હતા.
તા.10મીએ રાત્રે એ ત્રણેય મિત્ર યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં તેના અન્ય મિત્રો ભગીરથ ઉર્ફે ધરમ અનકભાઇ વાળા, સાગર જગદીશભાઇ વાળા, નિકુંજ હરેશભાઇ જાની, સંજય વગેરે આવ્યા હતા. આ મિત્રોએ જમી લીધા બાદ ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફના રસ્તા પર આવેલા ગોલાવાળાને ત્યાં ગોલા ખાવાનું નક્કી કર્યું હતું.

દેવેન્દ્ર, કુલદીપ, અભિલવ અને સંજય કારમાં અને અન્ય મિત્રો બાઇક પર ગોલાવાળાને ત્યાં પહોંચ્યા હતા. ગોલાવાળાની દુકાનની સામે ઓવરબ્રિજ નીચે બીજા સાત આઠ લોકો બેઠા હતા. બ્રિજ નીચે બેઠેલા લોકોએ ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ શખસો અમને જોઇને દેકારો કરીને ગાળો બોલતા હોવાનું જણાતા દેવેન્દ્ર, કુલદીપ અને અભિલવ એ શખસોને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. એ શખસોએ કુલદીપ અને અભિલવને ધક્કો મારીને ગાળો દીધી હતી. આથી ઝઘડો કરવો હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લેવાનું કહ્યું હતું. એ પછી કુલદીપ સહિત ત્રણેયની તેની કાર પાસે ગયા હતા. અભિલવે તેના મિત્ર યશપાલને ફોન કરીને ઝઘડાની વાત કરી હતી. યશપાલે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી એકનો ફોન આવે છે. એ મને પણ ઓળખે છે. આથી તમે કોઇ ઝઘડો કરતા નહીં. હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉં છું. એ પછી સામે બેઠેલા શખસોએ ફરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરી એ શખસો પાસે જતાં એક શખસે છરી કાઢીને અભિલવના પડખામાં મારી દીધી હતી. આથી દેવેન્દ્ર સહિતના લોકો ભાગ્યા હતા અને તેનો પીછો કરીને કુલદીપને ઝડપી લઇને છરીના ઘા પેટ, ગળા, હાથમાં મારી દીધા હતા. એ પછી અભિલવની છાતી અને હાથમાં છરી મારી દેવામાં આવી હતી. આ દેકારો થતાં અન્ય લોકો એકત્ર થઈ જતાં હુમલાખોર સ્કોડા કાર સહિતનાં વાહનમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કુલદીપ ખવડ અને અભિલવ ખાચરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કુલદીપનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. બાદમાં યશપાલે હુમલો કરનાર અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડિયા, વિજય ડાંગર સહિતના શખસો હોવાનું જણાવ્યું હતું. આ વિગતના આધારે દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલે ફરિયાદ નોંધાવી હતી. ખૂન અને ખૂનની કોશિશની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં વિજય ડાંગર અને હિરેન ખેરડિયા પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. વિજય પ્રદ્યુમનનગર પોલીસ અને હિરેન ટ્રાફિક શાખામાં પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. પોલીસે એ બન્ને પોલીસમેન સહિત સાત શખસને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો હતો પણ કોઇની ભાળ મળી ન હતી.

મૃતક કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદનાં તરઘડાગામે રહેતાં તેના મામાની દીકરી સાથે કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન લેવાના હતા. વિધવા માતાના પુત્ર અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ અભિલવ ખાચરના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છે. તે પરિવારનો એકનો એક આધાર સ્તંભ જેવો છે. જસદણના યુવાનની હત્યા અને તેના મિત્ર પર ખૂની હુમલો કરવાના બનાવ અંગે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લીધા હતા.

April 11, 2019
cash.jpg
1min6100
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ મોટી રકમની હેરફેર પર ‘બાજ’ નજર રાખી રહી છે. ત્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટ રોડ પર આવેલી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.1.10 કરોડની રોકડ સીઝ કરી હતી.
(Symbolic Pic)
ચૂંટણી દરમિયાન કાળાનાણાની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્ષ વિભાગ સજ્જ બન્યુ છે. એરપોર્ટ સહિતના સ્થળોએ આઇ.ટી.ની ખાસ સ્કવોડ દ્વારા વોચ ગોઠવાય છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટુ ઓપરેશન કરાતા આંગડિયા પેઢીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્રની જાણીતી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચની’ કામગીરી હાથ ધરાઇ હતી.
વિંગ કમિશનર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 ઇન્સપેકટરો સહિતની ટીમ આ ઓપરેશનમાં જોડાઇ હતી. ગઇકાલે મોડી સાંજે આંગડિયા પેઢી’ પર તવાઇ ઉતારાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ કામગીરી શરૂ થતાની સાથે જ પેઢીમાંથી રૂ.1.10 કરોડની રોકડ મળી આવી હતી. જેની તપાસ’ બાદ પેઢી સંચાલક વિકાસ મેકવાનની પૂછતાછ કરાઇ હતી. પરંતુ આ રકમ અંગે સંચાલકે મૌન સેવી લીધું હતું. આઇ.ટી. વિભાગ દ્વારા અંતે રકમ સીઝ કરી ચૂંટણી કમિટીમાં રીપોર્ટ મોકલ્યો છે.
મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ થયાના થોડા સમયમાં જ રોકડ મળી આવતા તપાસનો દૌર વધુ ઘનિષ્ઠ કરાયો હતો. સર્ચ ઓપરેશનની જાણ આંગડિયા પેઢી એસોસીએશનને મળતા સંગઠનના સભ્યો દરોડાના સ્થળે પહોંચી ગયા હતા. જેના પગલે આઇ.ટી. વિભાગને પોલીસ બોલાવવી પડી હતી અને 8 થી 10 હથિયારધારી પોલીસને બોલાવ્યા બાદ બંદોબસ્ત હેઠળ કામગીરી કરી હતી.
April 10, 2019
chat.jpg
1min10960

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.

નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.

દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’

April 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5360

ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.

અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી.  વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.

કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.

પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.