ભારતીય નૌસેનામાં જાસૂસીનાં મોટા ષડયંત્રનો ભાંડો ફૂટયો છે. આંધ્રપ્રદેશની પોલીસ, ગુપ્તચર તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડતાં જાસૂસીનાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને નૌસેનાનાં 7 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.
આંધ્રની પોલીસે હવે આ મામલે કેસ નોંધીને ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકાદળનાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી અધિકૃત જાણકારી અનુસાર પોલીસ, કેન્દ્રીય અને નૌસેનાની ગુપ્તચર શાખાઓએ સાથે મળીને ઓપરેશન ડોલ્ફીન નોઝ ચલાવ્યું હતું અને આ જાસૂસીનાં કૌભાંડને ઉઘાડું કર્યુ છે.
જેમાં નૈસેનાનાં 7 કર્મચારી અને હવાલા ઓપરેટરને દેશનાં વિભિન્ન ભાગોમાં પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કેટલાંક શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે વધુ કોઈ વિગતો આપવાનો ઈનકાર કરતાં પોલીસે કહ્યું હતું કે આની વધુ તપાસ ચાલી રહી છે. આ જાસૂસી રેકેટનાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની પૂરી આશંકા છે.
ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે.
તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ગેંગરેપવાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવા માટે એક વર્ષનો સમય કેમ લગાવી દીધો? કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાની મનોસ્થિતિ સમજીએ છીએ.
તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા છે.
તિહાર જેલમાં સજા કાપી રહેલા દિલ્હીની નિર્ભયા રેપ કેસના ચારેય નરાધમ હરામખોર અપરાધીઓને આગામી તા. 16મી ડિસેમ્બરના દિવસે અથવા તો 29મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખતો જેલ નંબર -3માં રાખવામાં આવ્યો છે.
ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. આમ છતાં, તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામાં આવી ચૂકી છે. તિહાર જેલમાં નંબર-3માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.
એક અહેવાલ પ્રમાણે દોષિતોને ફાંસી આપવા માટે મેરઠથી જલ્લાદ આવશે. આ માટે યુપી જેલના ડીજીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.
નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઈ શકાય છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ કાલબાદેવીના ૨૩ વર્ષના ઝવેરીની સોમવારે ધરપકડ કરી હતી. પકડાયેલા ઝવેરીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૮૦ કિલો સોનું દાણચોરીથી મેળવ્યું હતું, જેની કિેંમત રૂ. ૫૪ કરોડ જેટલી છે. ઝવેરીની ઓળખ સાહિલ જૈન તરીકે થઇ હોઇ ડીઆરઆઇએ સાહિલની સાથે ગોપારામ (૩૬) નામના શખસની પણ ધરપકડ કરી હતી. બંને જણ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતેથી ગોપારામને ઝડપી પાડ્યો હતો. તે હાવડા એક્સપ્રેસમાં કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. ગોપારામ પાસેથી રૂ. ૨.૭૧ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું, જે જેકેટમાં છુપાવાયું હતું અને તે દાણચોરીથી લાવવામાં આવ્યું હતું.
આ સોનું તે મુંબઈમાં સાહિલ જૈન નામના ઝવેરીને આપવાનો હતો, એવું ગોપારામે પૂછપરછમાં જણાવ્યા બાદ ડીઆરઆઇએ ઝવેરીને તાબામાં લીધો હતો. ઝવેરીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આ પ્રમાણે છેલ્લા દસ મહિનામાં ૧૮૦ કિલો સોનું મેળવ્યું હતું.
દરમિયાન સોનાના દાણચોરીના રેકેટની તપાસ કરી રહેલા ડીઆરઆઇના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે કોલકાતા, રાયપુરથી સોનું મુંબઈમાં લાવવામાં આવતું હતું. આ રેકેટ સાથે સંકળાયેલા વધુ આઠ જણની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા અને રાયપુરથી ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગોવિંદ માલવિયા, અન્ના રામ, મહેન્દ્ર કુમાર, ફિરોઝ મુલ્લા, સૂરજ મુલ્લા, કૈલાશ જગતાપ અને વિશાલ અંકુશ તરીકે થઇ હોઇ અત્યાર સુધીમાં રૂ. ૧૬.૫ કરોડની કિંમતનું ૪૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
શુક્રવારની સવારે આવેલા સમાચારો અજંપાગ્રસ્ત ભારતીઓ કલેજા ઠાર્યા, પોલીસ પર શાબાશીઓનો વરસાદ
હૈદરાબાદ ખાતે વિતેલા સપ્તાહે એક યુવતિ પર બળાત્કાર ગુજારી તેની કમકમાટીભરી હત્યા કરનાર 4 આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાના સમાચારે સમગ્ર શુક્રવારની સવારે એક પ્રકારની ખુશાલી પ્રસરાવી દીધી હતી. હૈદરાબાદમાં યુવતિના રેપ વીથ મર્ડરની ઘટના બાદ સમગ્ર ભારતના લોકોમાં બળાત્કારીઓને ત્વરીત સજા સાથે એક પ્રકારનો અજંપો હતો. શુક્રવારની વહેલી સવારથી ભારતમાં પ્રસરેલા આ સમાચારે કરોડો ભારતીયોના કલેજાને ઠંડક પહોંચાડી હતી.
શનિવારની સવારે સમગ્ર દેશમાં પ્રસરેલા સમાચારને અનુમોદન આપતા હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે 20થી 24 વર્ષના ચારેય આરોપીઓએ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશ કરી હતી. પોલીસે તેમની કોશીશને નાકામ બનાવવા માટે ફાયરીંગ કરવું પડ્યું હતું અને આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત નિપજ્યા હતા.
શુક્રવારે સવારે 3.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાનું સાઇબરાબાદ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ હતા અને પોલીસ તેમને ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે લઇ ગઇ હતી ત્યારે તેઓએ ભાગવાની કોશીશ કરી હતી.
હૈદરાબાદ રેપ વીથ મર્ડર ઘટનાને પગલે સમગ્ર ભારતના લોકોમાં ભારે અજંપો હતો. શુક્રવારે સવારે આ સમાચાર આવતા જ લોકોમાં એક પ્રકારનો સંતોષની લાગણી જન્મી હતી. અનેક લોકોએ સોશ્યલ મિડીયા પર લખ્યું હતું કે ત્વરીત ન્યાયના આ સમાચારે દિવસ અને સપ્તાહ બન્ને સુધારી દીધા છે.
હૈદરાબાદ ખાતે રેપ વીથ મર્ડરની ઘટનાએ સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે લોકરોષની ઘટનાઓને જન્મ આપ્યો હતો. દેશમાં શુક્રવારની સવારે લોકોએ પોલીસ એન્કાઉન્ટરને વધાવતા ટ્વીટ્સ કર્યા હતા.
All four people accused in the rape and murder of woman veterinarian in Telangana have been killed in an encounter with the police.
Cops claimed they tried to escape while the crime scene was being reconstructed and were killed in the encounter.
The charred body of the woman, working as an assistant veterinarian at a state-run hospital, was found dumped under a culvert at Shadnagar near here on November 28 morning, a day after she went missing.
Four men, all lorry workers, aged between 20 and 24, were arrested on November 29 on charges of raping and killing the woman and had been sent to judicial custody for 14 days on Saturday.
બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.
સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.
બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.
સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.
રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)
ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો
કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.
એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.
દિવાળીના તહેવારોની આડમાં ટ્રેન મારફતે મુંબઇ પહોંચાડવામાં આવી રહેલા ડ્ર્ગ્સના મોટા કન્સાઇન્મેન્ટને સૂરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 3.5 કરોડની જંગી કિંમતના આ જથ્થાને બે શખ્સો ટ્રેન મારફતે મુંબઇ લઇ જઈ રહ્યા હતા.
Symbolic Photo
સુરતમાં ફરી બે શખસો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. સુરત ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
ડીઆરઆઈની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. ડ્રગ્સને લઈ બે શખસો ટ્રેનમાં હતા. આટલા ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઈ જવાતું હતું. જે બે શખશો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી છે અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતા પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઇ કરવાના આરોપસર રાજકોટના પાંચ શખસની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રાજકોટના પાંચ ઉપરાંત વડોદરાના એક મળી કુલ છ શખસને ઉઠાવી લેવાયા છે.
બોગસ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરવા અંગે સાધુ વાસવાણી રોડ પર સંકલ્પ-2માં રહેતાં દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, જામનગર રોડ પર વિનાયક વાટીકાના’ કિરીટસિંહ તેજુભા જાડેજા, ગીત ગુર્જરી સોસાયટીના’ સ્વાગત એપાર્ટમેન્ટના ભોગીલાલ પ્રભુદાસભાઇ શાહ, આલાપ ગ્રીન સીટી પાસેના જીનિયસ હાઇટસના ધીરજલાલ મોહનલાલ જોગિયા સહિત પાંચ તથા વડોદરાના હરણી રોડ પર રહેતાં જયેશ શાંતિલાલ દલવાડીની સીઆઇડી ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી.
સીઆઇડી ક્રાઇમમાં થયેલી ફરિયાદ અરજી પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા, આઇજી’ શમશેરસિંઘ, અધિક્ષક’ રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ડીવાયએસપી બી.એમ. ટાંક અને પીઆઇ રાકેશ’ ઘરસંડિયાની ટીમે ગુપ્ત રાહે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પાંચ શખસને ઉઠાવી લેવાયા હતાં. સીઆઇડી ક્રાઇમના વર્તુળના જણાવ્યા પ્રમાણે વડોદરાના જયેશ દલવાડીના ઘેર કરાયેલી તપાસમાં લેપટોપ, ચેકબુક અને 48 જેટલા સમજુતી કરાર મળી આવ્યા હતાં. આ ટોળકી દ્વારા આરબીઆઇની મંજુરી લીધા વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીએ પ્રથમ કોઇનનું લોન્ચીંગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં” એ કોઇન બંધ કરી પાવર બીપી નામનો કોઇન લોન્ચ કર્યો હતો. તેના મારફતે 50.46 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 17.65 કરોડ ચુકવવામાં આવ્યા હતા. રૂ. 32.79 કરોડની રકમ ચુકવવાની બાકી હતી.’ બાદમાં આ ગેંગની કંપનીએ પાવર યાત્રા નામની સ્કીમ રજુ કરીને 7592 જેટલા આઇડી બનાવીને રૂ. 11.91 કરોડ એકત્ર કરાયા હતાં. તેમાંથી રૂ. 1.52 કરોડ ચુકવવામાં આવ્યા હતાં. આ રીતે કરોડોની રકમ એકત્ર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં’ અમદાવાદ અને વડોદરાના શખસોની સંડોવણી છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.
આવકવેરા વિભાગના ૩૦૦થી વધુ અધિકારીએ કર્ણાટકમાંના કૉંગ્રેસના બે અગ્રણી નેતા – ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્ર્વર અને માજી સાંસદ આર. એલ. જલઅપ્પાના દીકરા જે. રાજેન્દ્રને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડાને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માંની કહેવાતી ગેરરીતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પરમેશ્ર્વરનો પરિવાર પિતા એચ. એમ. ગંગાધરૈયા દ્વારા ૫૮ વર્ષ પહેલાં શરૂ કરાયેલી સિદ્ધાર્થ ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ ચલાવે છે.
આ ઉપરાંત, આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના નિવાસસ્થાન, ઑફિસ અને સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના ભાઇ જી. શિવપ્રસાદ અને અંગત સહાયક રમેશના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. રાજેન્દ્ર દોડબલ્લાપુર અને કોલારમાં આર. એલ. જલઅપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ચલાવે છે.
પરમેશ્ર્વર અને અન્યને ત્યાંના દરોડાને મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ
એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને લગતા કેસમાં કરોડો રૂપિયાની કહેવાતી કરચોરીની સાથે સંબંધ હોવાનું કહેવાય છે.
આવકવેરા વિભાગે કુલ ૩૦ સ્થળે દરોડા પાડ્યા હતા. તેઓએ કર્ણાટક ઉપરાંત રાજસ્થાનમાં પણ દરોડા પાડ્યા હતા.
કર્ણાટકના તુમકૂર શહેરમાં એક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી બે મેડિકલ કૉલેજ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના સંબંધમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
પરમેશ્ર્વર શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ છે.
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માં કહેવાતી ગેરરીતિ આચરીને અને નાણાં લઇને મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ છે.
રાજસ્થાનના અમુક વિદ્યાર્થી નાણાં લઇને બીજા વતી આ પરીક્ષા આપતા હોવાનું કહેવાય છે.
પરમેશ્ર્વર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર મળતા બેંગલૂરુ પહોંચી ગયા હતા અને દાવો કર્યો હતો કે મારો પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા સિવાય કોઇ અન્ય વ્યવસાય નથી કરતો અને અમે નિયમિત આવકવેરાના રિટર્ન્સ ભરીએ છીએ.
કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ના અન્ય નેતાઓએ આવકવેરા વિભાગના આ દરોડાને વખોડી કાઢ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.