CIA ALERT

ક્રાઇમ Archives - Page 20 of 38 - CIA Live

October 10, 2019
Fake-RTO-Office-Rajkot.jpg
1min5140

રાજકોટ શહેર પોલીસને છ માસ પહેલા એક બાતમી મળી હતી કે કેટલાક લોકોની બનેલી એક ગેંગ મેમો આવ્યો હોય તેમાં લખેલી દંડની રકમ કરતા ઓછી રકમ ભરાવી વાહનો છોડાવી આપવાની પ્રવૃતિ કરી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી લોકો પાસેથી દંડની રકમ ઓછી કરાવવાનું કહેતા એક વ્યક્તિને ટ્રેસ કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિનું પગેરું દબાવતા રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર પાર્કની એક ઓફિસમાંથી સમગ્ર કામકાજ ઓપરેટ થતું હોવાની વિગતો સાંપડતા જ પોલીસે રેડ કરતા બેની ધરપકડ કરી પૂછપરછ કરતા વધુ ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આ ઓફિસમાં તપાસ કરતાં જ ઈ-પહોંચ તેમ જ મેમો અને આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમ જ સિક્કા મળી આવ્યા હતા.

રાજકોટ શહેર ઓફિસે રેડ દરમિયાન હાર્દિક જાદવ અને મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતાની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા વધુ લોકો પણ સંડોવાયેલા હોવાનું ખૂલતા વધુ ચારની પણ અટકાયત કરી હતી. આ છ લોકો આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમ જ પહોંચ આબેહૂબ બનાવી આપતા હતા. જે પહોંચ પોલીસને આપતા પોલીસ વાહન આપી દેતા હતા અને નોંધ કરતા જેથી ચોપડે દંડ ભરાઈ ગયાનું લખાઈ જતું હતું.

સરકારી ચોપડે દંડ ભરાઈ ગયાની નોંધ કરાવી આરટીઓ તંત્ર સાથે મોટી છેતરપિંડી આચરી રહ્યા હતા. પોલીસે આ અંગે અલગ અલગ સ્થળોએ રેડ કરી બોગસ પહોંચ, લેપટોપ, પ્રિન્ટર, સિક્કા, પોલીસે આપેલા મેમો સહિતના દસ્તાવેજો જપ્ત કરી અત્યાર સુધીમાં કેટલા દંડની રકમની છેતરપિંડી કરવામાં આવી તેની તપાસ હાથ ધરી હતી.

October 2, 2019
Fake_reveiws_banner-1280x750.png
1min5720

વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ કરાવી આપવાનાં નામે ગ્રાહકોને છેતરતાં એક કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે કૉલ સેન્ટરમાં કામ કરતાં ૨૦ યુવક યુવતીઓની ધરપકડ કરી હતી.

સુરત પોલીસને ગૌતમ નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી દોસ્તી કરાવી આપવાનો મૅસેજ આવ્યો હતો. કૉલ સેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા આ ફરિયાદના આધારે વેસુના એક બિલ્ડિંગમાં દરોડો પાડી કૉલ સેન્ટરને નિશાનમાં લેવાયું હતું.

કૉલ સેન્ટરમાંથી ૧૨ જેટલા કમ્પ્યૂટર, ૧૭ મોબાઇલ અને કાર્ડ પકડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મૅસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશિપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.

આ કૉલ સેન્ટર પરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વિન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટરે ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું. સેન્ટરે ૧૮ જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલ સેન્ટરમાં બેસાડી તાલીમ આપી તેમને વાતચીત કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

September 26, 2019
fraud.jpg
1min6600

છત્તીસગઢની ડૉ. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં અમદાવાદ ઍરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ચાર એજન્ટ સહિત છ સામે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.

અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા નડિયાદના સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી તેમનાં ડૉક્યુમેન્ટ તપાસતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બંને યુવકોના વિઝા લિગલ હતા, પરંતુ કૉલેજ માટે ઍજ્યુકેશન ડૉક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી આથી તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલાસપુર, છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે ૫૬ હજાર રૂપિયા આપ્યા હતા.

જે માટે વલ્લભવિદ્યાનગરનાં એઆઈસીએસઈટીના સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઈને વિઝા અંગેની અને લંડન યુનિવર્સિટીમાં ઍડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ પાંચ લાખ રૂપિયા પડાવતા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એજન્ટોની શોધખોળ હાથ ધરી હતી.

September 25, 2019
ravi_pujari.jpeg
1min6570

વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસે તૈયારીઓ કરી લીધી છે. રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાની સેનેગલ સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો, જેથી ટૂંક સમયમાં જ રવિ પૂજારીએ અમદાવાદ લાવી શકાય અને તેની સામે નોંધાયેલા તમામ ગુનાની તપાસ કરી શકાય.

અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત ૨૦ જણા પાસે કરોડોની ખંડણી માગી હતી, જેમાં ખાસ કરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શાહ અને પૂજા વંશ સહિત ગુજરાતનાં ૨૦ જણાને ધમકી આપી હતી. આમાં અમદાવાદના ૧૨ વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડોની ખંડણી માગી હતી તથા ધમકી આપી હતી.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6480

પરિવારના સભ્યોને વીમાની પચાસ લાખ રૂપિયાની રકમ મળે અને તેઓ બાકીની જિંદગી આરામદાયક રીતે વીતાવી શકે તે માટે રાજસ્થાનના ભાલવાડા જિલ્લામાં એક માણસે પોતાની જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રૂપિયાનું ધિરાણ આપવાનો વેપાર કરતા બલબીર ખારોલ (૩૮)એ દેવામાં હોવાને કારણે આવો અંતિમ નિર્ણય નહોતો લીધો, પરંતુ તેણે જે લોકોને રૂપિયા ઉધાર આપ્યા હતા તે પાછા વસૂલ કરવામાં તેને મળેલી નિષ્ફળતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો, એમ પોલીસે કહ્યું હતું.

એ વ્યક્તિનો ફાઇલ ફોટો જેણે પરિવારને 50 લાખના વીમાની રકમ મળે એ માટે પોતાની જ હત્યા કરાવી નાંખી

રાજસ્થાનના ભીલવારાના બલબીર ખારોલ, જે ફાઇનાન્સનો ધંધો કરતા હતા.

એસપી હરેન્દ્ર મહાવરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ખારોલની હત્યાને મામલે સોમવારે ધરપકડ કરાયેલા બે આરોપી રાજવીર સિંહ અને સુનીલ યાદવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે ખારોલે પહેલા પોતાના મૃત્યુ માટે અકસ્માતનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેને તે બચી જશે એવી શંકા જાગી હતી.

આ એકદમ સાધારણ બાબત છે, પરંતુ હત્યાના આરોપીઓએ જ આ કબૂલ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ખારોલે જુદા જુદા લોકોને કુલ મળીને રૂ. ૨૦ લાખ ઉધાર આપ્યા હતા, પરંતુ આ રકમ તેમની પાસેથી વસૂલવામાં તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ત્યાર બાદ ખારોલે પોતાની જ હત્યાની યોજના ઘડી કાઢી હતી જેથી કરીને પરિવારજનોને વીમાની રકમ મળી રહે અને તેઓ આરામદાયક રીતે જિંદગી વીતાવી શકે. ખારોલે એકાદ મહિના અગાઉ ખાનગી કંપની પાસેથી વીમો ઉતરાવ્યો હતો અને પ્રથમ હપ્તો ભરી દીધો હતો. ત્યાર બાદ તેણે પોતાની હત્યા માટે સિંહ અને યાદવનો સંપર્ક સાધ્યો હતો અને એ કામ બદલ તેમને રૂ. ૮૦૦૦૦ આપવાનું વચન આપ્યું હતું.

80000માં બલબિરની હત્યા કરનાર આરોપીઓ પકડાયા

યોજના મુજબ બે સપ્ટેમ્બરે ખારોલે ઍડવાન્સ રકમ પેટે બંને આરોપીને રૂ. ૧૦૦૦૦ આપ્યા હતા અને તેમની સાથે અવાવરું જગ્યાએ ગયો હતો અને તેમને કહ્યું હતું કે બાકીની રકમ મેં મારા ખિસ્સાંમાં રાખી છે જે તમે મારી હત્યા કર્યા બાદ લઈ લેજો.

September 9, 2019
rajkot_police.jpg
1min7790

ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.

September 3, 2019
pidhad.jpg
1min16090

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ગણપતિ બાપ્પાનો આ ઉત્સવ મુંબઇ પછી સૌથી વધુ જો ઉજવાતો હોય તો એ સુરત છે અને સુરતમાં આ વર્ષે 70 હજારથી પણ વધુ ગણેશજીની મૂર્તિઓના સ્થાપન થયા છે, સુરતમાં ગણપતિ ઉત્સવ એટલી ભવ્ય રીતે ઉજવાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અને હાલ વિજય રુપાણી મુખ્યમંત્રી છે તેઓ પણ ખાસ ગણેશોત્સવમાં સુરત પધારીને ગણપતિ મંડપોની મુલાકાત લે છે.

આ પીધ્ધડોએ આખી દુનિયામાં સુરતને બદનામ કરી દીધું

આ રીતે સુરત ગણેશોત્સવ માટે ફેમસ છે. પરંતુ, કેટલાક પીધ્ધડો દારુ પીને એટલું ભાન ભૂલ્યા કે ગણપતિજીની મૂર્તિની સામે જ જાહેર રોડ પર બેરોકટોક પણે દારૂ પીને ઝૂમી રહ્યા હતા. આ વિડીયો એકલા ગુજરાત કે ભારતમાં નહીં પણ વિશ્વભરના લોકોએ ગણતરીના કલાકોમાં જોઇને સુરત અને સુરતીઓ માટે ન બોલવાનું બોલી લીધું. આ પીધ્ધડોએ સુરતને ભારે બદનામ કર્યું એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

દારૂ વીડિયો ઝડપાયેલા આરોપી

કમલેશ ઉર્ફે કાલુ કાંતિભાઈ રાણા તેજસ કિરીટ રાણા રોશન જશવંત રાણા અમિત સોમચંદ્ર રાણા અનિલ રમેશ રાણા અશરફખાન અખ્તરખાં પઠાણ રજનીકાંત પ્રાણજીવન રાણા ગણેશ રવીચંદ્ર રાણા

મળતી માહિતી મુજબ સુરત પોલીસે ગણપતિની પ્રતિમા સામે બેરોકટોક દારૂ પીને ઝૂમી રહેલા પીધ્ધડોની સામે કેસ નોંધીને તેમને ઝબ્બે કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ પીધ્ધડો દારુ વેચવા, પીવા માટે બદનામ સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારુ પીને ઝૂમી રહેલા 8 ને પકડી લીધા છે. આ પીધ્ધડો શિવગણેશ યુવક મંડળના ગણપતિ સામે દારૂ પીને છાકટા થયા હતા. તમામ પીધ્ધડો ગોલવાડના હોવાનું બહાર આવ્યું છે.

ગણેશ નામના કોઇ આયોજક અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે. એથી વિશેષ આ પીધ્ધડોને રજનિકાંત નામના એક પીધ્ધડની માતાએ પોતાની લિકર પરમીટમાંથી બિયર ખરીદીને આપ્યા હોવાની વિગતો મળતા પોલીસે આ પ્રકરણમાં બે ગુના નોંધ્યા છે.

August 15, 2019
teenpatti.jpg
1min6150

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પરના પોલીસ હેડ કવાર્ટરમાં કે જેમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ ઘનિષ્ઠ ચેકિંગ પછી પ્રવેશવા દેવામાં આવે છે એવા હેડક્વાર્ટરમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર બિન્ધાસ્ત જુગારની કલબ ચલાવતો હતો. પરંતુ, આ બાબત કેટલાક સંનિષ્ઠ પોલીસ જવાનોના ધ્યાને આવતા પોલીસે જ પોલીસ પુત્રની જુગાર ક્લબ પર દરોડો’ પાડીને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડ્યા હતા.

સાંકેતિક ચિત્ર

આતંકી હુમલાની દહેશતને પગલે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના દરવાજા પાસે તંબુ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. ચોકી પર ફરજ બજાવતા પોલીસમેન અને એસઆરપીમેન દ્વારા બહારની વ્યકિતને પોલીસ હેડ કવાર્ટરમાં દાખલ થવા દેવામાં આવતી નથી. બહારની કોઇ વ્યકિતને હેડ કવાર્ટરમાં જવું હોય તો સઘન ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ આ ચેકીંગની કે પોલીસની પરવા કર્યા વગર હેડ કવાર્ટરના હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર રવિ જગદીશભાઇ વાઘેલા દ્વારા જુગારની કલબ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઇ હાથલિયા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમવા અને રમાડવા અંગે લાઇન બોય રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેષ ભરતભાઇ ઢાંકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમજુ ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડયા અને કારૂ બાબુભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 37 હજારની રોકડ રકમ કબજે કરાઇ હતી.

August 8, 2019
Mansoor-khan.jpg
1min12870
પોન્ઝીસ્કીમ ચલાવીને કર્ણાટક, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ મન્સુર ખાન દુબઇ ભાગી છૂટ્યો હતો, જેવો દિલ્હી ઉતર્યો, પોલીસે તેને ઝબ્બે કરી લીધો હતો.

કર્ણાટકના બેંગલુરુ ખાતે પોન્ઝી સ્કીમ ચલાવીને અંદાજે 30 હજાર લોકો પાસેથી રૂપિયા પડાવીને છેલ્લા ઘણાં મહિનાથી દુબઇ ફરાર થઇ ગયેલા મન્સુર ખાન નામના ચીટરને બે દિવસ પહેલા પોલીસે દિલ્હી એરપોર્ટથી ઝબ્બે કર્યો હતો. બાદમાં તેના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક મિલ્કતના સ્વીમીંગ પુલની નીચે સંતાડીને રાખવામાં આવેલું 300 કિલો જેટલું નકલી સોનુ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ નકલી સોનું પણ ચીટર મન્સુર ખાન લોકોને પધરાવી દઇને ફ્રોડ કરવાની ફિરાકમાં હતો.

આ અસલી સોનું નથી પણ નકલી સોનું છે, કર્ણાટકના ચીટર મન્સુરખાને સ્વીમીંગ પુલની નીચે 303 કિલો વજન ધરાવતા 5880 નકલી સોનાના બિસ્કીટ છૂપાવી રાખ્યા હતા.

પોન્ઝી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું કરી નાંખનારા IMAના સ્થાપક મંસૂર ખાને સ્વિમિંગ પૂલને જ સોનાથી ભરી દીધો. સ્વીમીંગ પુલની નીચે સિફતપૂર્વ સંતાડીને રાખવામાં આવેલા 5880 સોનાના બિસ્કીટના રૂપમાં 303 કિલો નકલી સોનું પોલીસે જ્યારે ઝબ્બે કર્યું ત્યારે તમામ ચોકીં ઉઠ્યા હતા, કેમકે પહેલી નજરમાં તો તમામને સોનું અસલી જ લાગ્યું હતું.

આટલી મોટી સંખ્યામાં નકલી સોનાના બિસ્કીટનો ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોંશ ઉડી ગયા.

IMAના સંસ્થાપક મંસૂર ખાનના ઘરે SITએ રેઈડ પાડી હતી. તેના ઘરે છઠ્ઠા માળે બનેલા સ્વિમિંગ પૂલની નીચેથી 303 કિલો નકલી સોનાના બિસ્કીટ મળ્યા છે. આ મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં કરોડોના સ્કેમમાં મુખ્ય આરોપી અને IMA જ્વોલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે એરપોર્ટ પર જ પકડી લીધો હતો. SITએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરીને ઈન્ટરપોલ સહિત બધી સંબંધિત એજન્સીઓને મંસૂર ખાનની જાણકારી આપી દીધી હતી.

કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપર્ટી જપ્ત કરી છે.

August 2, 2019
unnav.jpg
1min5160

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.

પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં 

આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી.