CIA ALERT

ક્રાઇમ Archives - Page 11 of 36 - CIA Live

February 9, 2021
deepsidhu.jpg
1min517

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા તોફાનો અને લાલ કિલ્લા પર કેસરી ઝંડો ફરકાવવા અને ઉપદ્રવીઓને ભડકાવવા બદલ પંજાબી અભિનેતા દીપ સિધૂની દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમે મંગળવારે સવારે ધરપકડ કરી છે. દીપ દીધૂ 26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ ફરાર હતો. દિલ્હીની ટ્રેક્ટર રેલી હિંસા બાદ ફરાર દીપને પકડવા માટે દિલ્હી પોલીસે રૂ. 1 લાખનું ઈનામ જાહેર કર્યું હતું.   

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે દીપ સીધૂ લાલ કિલ્લા ખાતે હાજર હતો અને ભડકાઉ ભાષણ આપી રહ્યો હતો. જો કે હિંસા ભડકતા જ તે ફરાર થઈ ગયો હતો. હિંસા પછી દીપ સિધૂ પોલીસની રડારમાં આવી ગયો હતો અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

દિલ્હીથી ભાગ્યા બાદ દીપ સિધૂનું લોકેશન હરિયાણા હતું અને ત્યારપછી તે પંજાબમાં હોવાનું જણાતું હતું. દીપ સિધૂએ થોડા દિવસો અગાઉ ફેસબુક લાઈવ કરીને ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. દીપે ધમકી આપતા કહ્યું હતું કે જો કોઈએ મોઢું ખોલ્યું છે અને ખેડૂત આંદોલનની અંદરની વાત જાહેર કરી છે તો ખેડૂત નેતાઓએ ભોગવવું પડશે અને ભાગવાન રસ્તો પણ નહીં મળે.

દીપ સિધૂ પંજાબી ફિલ્મોનો એક્ટર છે અને સામાજિક કાર્યકર છે. દીપે પોતાની ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગીથી કરી હતી, જેના પ્રોડ્યુસર ધર્મેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. દીપ સિધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડેલ એવોર્ડ જીતી ચૂક્યો છે. 17 જાન્યુઆરીના સીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએએ સિધૂની પૂછપરછ કરી હતી.  

January 27, 2021
Red-fort-protest.jpg
2min616
In pics: Clashes, lathicharge and tear gas at farmers' protest in Delhi |  The News Minute

દિલ્હી પોલીસે તા.26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાનીમાં ટ્રેક્ટર પરેડની આડમાં આતંક મચાવનારા ખેડૂતો સામે અલગ-અલગ 15 FIR નોંધી છે. આ ફરીયાદોમાં ગંભીર પ્રકારની કલમો જેમકે બળવો કરવો સહિત તોડફોડ અને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવા જેવા કેસ નોંધાયા છે.

Farmers' strike LIVE updates: Protesters enter Delhi through Tikri border |  Business Standard News

પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ કાઢી રહેલા ખેડૂતોએ દિલ્હીને આતંકિત કરી દીધું હતું. પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશો પણ થઈ હતી, આ સિવાય બસો અને વાહનોમાં તોડફોડ અને પત્થરમારો કરીને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. લાલ કિલ્લા પાસે ઘણાં પોલીસ જવાનોએ દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

60 days of peaceful farmers' protest takes a violent turn in Delhi |  Timeline - India News

આ પહેલા ત્રણ ખેતી બિલનો વિરોધ કરીને હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સ તોડી નાખ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પ્રદર્શનકારીઓએ તોડફોડ અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. જાણકારી મુજબ હિંસામાં 150 કરતા વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલ્ટી જવાથી તેનું મોત થઈ ગયું.

Farmer Protest: Farmers turned down conditional negotiations, J. P. Nadda  convened meeting - The Thinkera

દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની ઘણી બેઠકો થઈ હતી. નિવેદન મુજબ સવારે 8-30 વાગ્યે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્રિત થયા. આ પહેલા નિર્ધારિત રસ્તાઓ પર ગયા પછી તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.

January 2, 2021
lakhvi.jpg
1min474

મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર એ તૈયબાના આતંકી ઝકીઉર રેહમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આતંકીઓને ફંડિગ અને અન્ય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરી હતી. લખવી અને હાફિઝ સઇદે સાથે મળીને મુંબઇ 29 નવેમ્બર 2008ના આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. 

આતંકી સંગઠન લશ્કર એ તૈયબાબના કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી યૂએનએસસીની રજૂઆથ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો. 

26/11 એ લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારી કરી આતંક ફેલાવ્યો હતો. આ આતંકી હુમલાએ કુલ 166 લોકોનો ભોગ લીધો હતો, 300થી વધુને ઘાયલ કર્યા હતા. લખવીને છ વર્ષની સજા બાદ પાકિસ્તાને એપ્રિલ 2015માં મૂક્ત કર્યો હતો, જે પછી હવે ફરીથી ધરપકડ કરવા માટે મજબૂર બન્યુ હતું. 

December 30, 2020
CIA_Live_Logo_New2.jpg
2min717

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આવતીકાલ તા.31મી ડિસેમ્બરને ગુરુવારે રાત્રે સેલવાસ, મહારાષ્ટ્ર વાયા સાપુતારા કે દમણ-દેવકાથી દારૂ પીને નીકળતા દારૂડીયાઓને પકડવા માટે વલસાડ પોલીસે જબ્બર તૈયારીઓ કરી છે. 2019ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે વલસાડ પોલીસે 1000 જેટલા દારૂડીયાઓને પકડ્યા હતા અને તેમને અટકાયતમાં રાખવા માટેની જગ્યા ખૂટી પડી હતી, તેના પરથી બોધપાઠ લઇને આ વર્ષે 2020ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પકડાનારા દારૂડીયાઓને અટકાયતમા રાખવા માટે વલસાડ પોલીસે કુલ 8 જગ્યાઓ પર હોલ ભાડે રાખ્યા છે, જ્યાં દમણ, દેવકા, મહારાષ્ટ્ર કે સેલવાસના વિસ્તારોમાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારાઓને ઝડપી પાડીને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી એ હોલમાં રાખવામાં આવશે.

કુલ ચેકિંગ સાઇટ્સવલસાડ જિલ્લામાં આવેલી 18 ચેકપોસ્ટ ચેકિંગ
ચેકિંગ કોનું કરાશેદમણ-દેવકા, સેલવાસ, મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા વાહનોમાં
પીધ્ધડોને અટકાયતમાં રાખવાજુદા જુદા સ્થળો પર કુલ 8 હોલ ભાડે રખાયા
પાર્ટીઓમાં રેઇડ પાડવા માટેવલસાડના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ટીમો
પીધ્ધડોના ચેકિંગ માટેકુલ 13 મેડીકલ ટીમો બનાવવામાં આવી
પીધ્ધડોને લાવવા લઇ જવા માટેકુલ 15 બસોને તૈનાત કરવામા આવશે
દારૂ પીધો છે કે કેમ એ તપાસવાકુલ 186 બ્રેથ એનાલાઇઝર ઇક્વિપ્મેન્ટસ
હજારો લોકોની તપાસણી માટેબ્રેથ એનાલાઇઝર ઇક્વિપમેન્ટ્સ માટે 48 હજાર કાટ્રીજ
કપરાડા જિલ્લામાં વ્યવસ્થાકપરાડા જિલ્લામાં મંડપ-ટેન્ટ બાંધીને તેમાં પીધ્ધડોને રાખવામાં આવશે
Gujarat: New Year revellery ends in jail for 3,000 | Surat News - Times of  India
Last year on 31 December 2019

એથી વિશેષ કપરાડા પોલીસે તો કપરાડામાં હોલ જેવી મોટી જગ્યા ન હોઇ, મંડપ બનાવીને તેમાં પકડાનારા દારૂડીયાઓને અટકાયતમાં રાખવા અંગેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ પોલીસે જુદા જુદા પોઇન્ટ પર કે જ્યાંથી દારૂડીયાઓ પસાર થતા હોય છે એ વિસ્તારો મળીને કુલ 8 હોલ દારૂડીયાઓને અટકાયતમાં રાખવા માટે બૂક કર્યા છે. આ સિવાય એવા 8 હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય. કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે.

Maharashtra govt suspends breath-analyser tests due to coronavirus
Symbolic photo of Breath analyser



પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે, વલસાડ પોલીસે 186 બ્રેથ એનેલાઈઝર અને 48,000 માઉથપીસ ડ્યુબ તૈયાર રાખી છે, જેથી કોઈ પીધેલી હાલતમાં આવેલી વ્યક્તિ છટકી ના શકે.

પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને જામીન ના મળે ત્યાં સધી હોલમાં બેસાડી રાખવામાં આવશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ટોળા ના થાય તે માટે હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે 15 જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે “અમારું માનવું છે કે આ ટુરિસ્ટ પ્લેસ પર આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવશે, પરંતુ અમે તે દરેક નશાની હાલતમાં આવનારા લોકોને પકડી પાડવા માટે તૈયાર છીએ.”

December 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min522

શંકરસિંહ વાઘેલા સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા અને મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની કરોડો રૂપિયાના નાણાકીય ગેરરીતિના મામલે આજરોજ તા.13મી ડિસેમ્બર 2020ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસ ફરીયાદમાં જણાવાયા મુજબ વિપુલ ચૌધરી ઉપરાંત અનેક લોકો આ નાણાંકીય ગેરરીતિ સબબના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાય આવે છે.

પોલીસની સત્તાવાર યાદી આ મુજબ છે.

વિપુલ ચૌધરીએ આ ખુલાસો કર્યો

December 12, 2020
Wistron-1024x554-1.jpg
2min503
Assembly company Wistron looking to expand India factories, possibly for  future iPhone construction | AppleInsider

ભારતમાં આઇફોન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ શનિવાર તા.12મી ડિસેમ્બરના રોજ ભારે તોડફોડ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. પગારના મુદ્દે અસંતોષને પગલે કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કર્ણાટકના બેંગુલુરુ નજીક સ્થાપવામાં આવેલા વિન્સ્ટ્રોન કંપનીના આઇફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તોડફોડ કરી રહેલા કર્મચારીઓના વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા. બેંગલુરુમાં જે કંપનીમાં તોડફોડ થઇ છે એ વિસ્ટ્રોન કંપનીની હેડ ઓફિસ તાઇવાનમાં છે. 

Bengaluru news: Bengaluru: मनमाने तरीके से सैलरी काटने पर भड़के कर्मचारी,  आईफोन मैन्युफैक्चरिंग कंपनी में जमकर तोड़फोड़ - violence breaks out at  wistron corporation iphone ...

પગારના મુદ્દે બેકાબૂ બનેલા કર્મચારીઓએ કંપની કમ્પાઉન્ડમાં સ્થિત કારોને ઉથલાવી નાંખી હતી, સીસી ટીવી કેમેરા, ફર્નિચરની મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પગારના મુદ્દો બિચકતા કર્મચારીઓએ યુનિટમાં પથ્થરમારો કરી, બારી-બારણાંના કાચ ફોડી નાંખ્યા. કંપની સંપત્તિની ગાડીઓ, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને પણ નુકસાન પહોંચાડ્યું હતું, 

Workers go on rampage at iPhone manufacturing plant in Karnataka

ટ્રેડ યુનિયનના નેતાનું કહેવુ હતું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર સમયસર ચૂકવાતો નથી, તેમના નક્કી કરેલા પગારમાં પણ મનફાવે એવી રીતે કાપ મૂકીને ચૂકવવામાં આવી રહી હતી. વિદેશી કંપનીમાં તોડફોડ કરનારા કર્મચારીઓ આ વાતથી પણ રોષે ભરાયા હતા કે નોકરીમાં જોડાતા સમયે જે પગાર નક્કી કરાયો હતો, એ પણ ચૂકવાતો નથી. કંપનીના એક કર્મીનું કહેવુ હતું કે એક એન્જિનીયરને 21 હજાર મહિનાના પગારે નોકરી આપી હતી, પરંતુ અચાનક તેના પગારમાં કાપ મૂકી 16000 કરી દેવાયા અને હાલમાં તેના પગારમાં કાપ મૂકીને 12000 કરી દેવાયો હતો. 

Violence in Wistron Bangalore: Violence breaks out at Wistron Corp's iPhone  manufacturing plant near Bengaluru | Bengaluru News - Times of India - News  Daily

કંપનીના ઉત્પાદન યુનિટમાં કામ કરતા લગભગ તમામ વર્ગના કર્મચારીઓ સાથે આવુ બની રહ્યુ હતું. જેના લીધે કર્મીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમની સહનશક્તિ તૂટી અને કંપનીમાં તોડફોડ સુધી વાત પહોંચી હતી.

વિસ્ટ્રોન કોર્પોરેશન એપ્પલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત કંપનીઓ માટે આઇટી ઉત્પાદનો બનાવે છે. અહીં 2900 કરોડ રુપિયાના રોકાણ અને 10,000થી વધુ લોકોને રોજગાર આપવાના પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારે બેંગુલુરુ પાસે યુનિટ નાંખવાની પરમિશન આપી હતી. 

December 3, 2020
surat_police.jpg
1min511

સુરત શહેરમાં જુદા જુદા ત્રણ બનાવોમાં હત્યાના બનાવો બનતા શહેરમાં હત્યાનો સિલસિલો  થયાવતા રહ્યો છે. એટલું જ નહીં કફર્યૂના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળી શકાતું નથી. ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી  દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રથમ બનાવમાં  શહેરના કોટસફીલ રોડ ખાતે  લગ્નમાં સોંપેલા કામના બાકી  નીકળતા રૂ. 5 હજાર બાબતે ફેબ્રીકેશનનું કામ કરતા યુવાન અને મિત્રોએ ઝઘડો કરી માર મારતા પડી ગયેલા  મહિધરપુરા મણિયારા શેરીમાં પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવિણચંદ્ર પેરીસ ઇવેન્ટ મેનેજરનું કામ કરે છે  અને નાનપુરા કાદરશાની  નાળ નવો મહોલ્લો  ઘર નં. 1589માં રહેતા  અને ફેબ્રીકેશનનું કામ કરતા મો.અઝીઝ અબ્દુલ રફીક શેખ (ઉ.વ. 23) અને તેના પિતા ફેબ્રીશનને  લગતું કામ સોંપતા  હતા. સુધીરકુમારે  દીવા માટેનું કામ સોંપ્યું હતું. તેના પેમેન્ટના  રૂા. 5 થી 7 હજાર બાકી હતા. જે અંગે ઝઘડો કર્યે હતો. સુધીરકુમારને શહેરના કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે બોલાવી  મિત્ર શેખ નાસીર આમદમિયાં (ઉ.વ.47)  સાથે મોપેડ  પર  પહોંચ્યો હતો.  વાતચીત કરી  હતી. વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા  નાસીરે સુધીરકુમારને  માર માર્યો હતો.  નીચે પડી જતા મૃત્યુ થયું હતું.  મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી  અઝીઝ  અને નાસીરની અટકાયત કરી હતી.

બીજા બનાવમાં  સોમવારની મોડી રાત્રે  કતારગામ ફૂલપાડા વિસ્તારમાં 6 લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને રાજા નામના યુવકને પતાવી દીધો હતો. મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલાં મોતની ધમકી  મળી હતી.જે સંદર્ભે  પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક  પરત આવ્યો  તે રાત્રે જ તેની હત્યા  થઇ હતી. બનાવ અંગે  પોલીસે ગુનો ંનોંધી વધુ તપાસ હાથ ધરી  હતી.

ત્રીજા બનાવમાં   શહેરના પુણાગામ  ખાતે ભૈયાનગરમાં હત્યાનો બનાવ  બન્યો હતો. આ ઘટના કફર્યૂના સમયમાં બની હતી. પૂણા ભૈયાનગરમાં જૂની અદાવતમાં  બે મિત્રએ ચપ્પુના  ઘા ઝીંકી  મિત્રની ઘાતકી  હત્યા કરી હતી. પુણા ભૈયાનગર પાસે સારથી કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય  દેવેન્દ્ર  ઝાવરે ઉર્ફે ચિન્ટુંની બે મિત્રોએ 25 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

November 22, 2020
bharti.jpg
1min498

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

October 30, 2020
Civil-Bribe.jpg
1min6110

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ચાલી રહેલા ભ્રષ્ટ વહિવટને ઉજાગર કરતી બનેલી ઘટનામાં ગઇ તા.29મી ઓક્ટોબર 2020ને ગુરુવારે અમદાવાદમાં બે સરકારી તબીબો રૂ.8 લાખની લાંચના કેસમાં આબાદ ઝડપાઇ ગયા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો હોસ્પિટલના કેટરિંગ કોન્ટ્રાક્ટરનું બિલ ક્લીયર કરાવી આપવાના બદલામાં રૂપિયા માગ્યા હતા. કેટરિંગ કોન્ટ્રાક્ટરના બાકી રહેલા 1 કરોડ પેમેન્ટને છૂટું કરાવી આપનાના બદલામાં લાંચ માગી હતી.

Sola Civil in-charge RMO, administrative officer caught taking Rs 8L bribe

સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

October 18, 2020
Bharat-Patel.jpg
1min7550

તાપીના શિક્ષણાિ ધકારી બી. એમ. પટેલની લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા ૧૦ લાખની લાંચ માગી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગત રાત્રે થવાની હતી. દરમિયાન એસબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.

જે મુદ્દાઓની પૂર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પૂર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પૂર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા ૧૦ લાખની લાંચની માગણી કરી હતી. સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણા ધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. દરમિયાન પુરાવામાં શિક્ષણા-ધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં ૧૦ લાખની લાંચની માગણી કરી હોવાથી બંને આરોપી વિરુદ્ધમાં લાંચની માગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.