કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. નવા નિયમો અનુસાર 30 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. DGCAએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં.
નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૂટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 25221935 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 846385 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 16618163 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7757387 કેસ એક્ટિવ છે.
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નોંધાતા કુલ આંકડો 3621245 સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 2774801 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 64469 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 781975 એક્ટિવ કેસ છે.
આખરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવા વર્ષ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણી તા.13મી સપ્ટેમ્બર 2020ના રોજ યોજવાનું સત્તાવાર એલાન ચૂંટણી અધિકારી હેતલ મહેતાએ આજે ઇલેક્શન કમિટીની બેઠક બાદ કર્યું છે. અગાઉ તા.29મી માર્ચે ચૂંટણી યોજાવાની હતી જે લૉકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. સુરતમાં કોવીડ-19 સિચુએશન દરમિયાન સુમુલ ડેરીની ચૂંટણી બાદ બીજી મોટી ચૂંટણી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની યોજાશે.
9000 પ્લસ મેમ્બરશીપ ધરાવતા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની કુલ 44 પોસ્ટ અને ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે તા.13મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 11થી 5 દરમિયાન મતદાન યોજાશે અને એ જ દિવસે મતદાન બાદ મતગણતરી યોજવામાં આવશે.
મેનેજિંગ કમિટીની 44 પોસ્ટ માટે 54 ઉમેદવારો મેદાનમાં છે
ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે હાલ 13 ઉમેદવારો મેદાનમાં છે
હેતલ મહેતાએ જણાવ્યું કે ચૂંટણી યોજવા અંગેની મંજૂરી મળ્યા બાદ હાલની કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇને સરસાણાના મેઇન ડોમમાં કુલ 30 બુથ ઉભા કરવામાં આવશે. પાંચ મતદાન કુટીર ઉભી કરવામાં આવશે અને ખાસ સેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ લાગૂ કરીને ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મતદાતાઓએ માસ્ક સાથે અને પોતાની બોલપેન લઇને મતદાન કરવા માટે આવવાનું રહેશે. આ માટે દરેક મતદાતાને એસ.ઓ.પી. પાલન કરવા અંગેના સંદેશાઓ પહોંચતા કરી દેવામાં આવશે.
મતદાન પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે પ્રચાર નહીં થઇ શકે
ચેમ્બરની ચૂંટણીના અધિકારી હેતલ મહેતાએ જણાવ્યું કે જ્યાં મતદાન મથક છે ત્યાં ફક્ત ઉમેદવારની એન્ટ્રી જ એલાવ કરવામાં આવશે. કોઇપણ પોલિંગ એજન્ટ નહીં હોય અને પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે ચૂંટણી પ્રચાર નહીં થઇ શકે.
નાણા મંત્રાલયે સોમવારે કહ્યુ કે, GSTની લીધે ટેક્સના દરમાં ઘટાડો આવ્યો છે અને નિયમિતતા લાવવામાં મદદ પણ મળી છે. નાણા મંત્રાલયનું માનવુ છે કે GSTના કારણે કરદાતાઓની સંખ્યા વધીને બેગણી એટલે કે 1.24 કરોડ થઇ ગઇ છે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પ્રથમ પૂણ્યતીથિ પર મંત્રાલયે કહ્યુ કે GST પહેલા લોકોને એક જ વસ્તુ કે સેવા માટે વેટ, એક્સાઇઝ, સેલ્સ ટેક્સ અને અન્ય કર ચૂકવવા પડતા હતા, જેના કારણે ટેક્સનો માનક દર 31 ટકા સુધી હતો.
મંત્રાલયનું કહેવુ છે કે, હવે સાબિત થઇ ચૂક્યુ છે કે GST ગ્રાહકો અને કરદાતાઓ એમ બંને માટે અનુકૂળ છે. GST પહેલા ઉંચા કર માળખાને લીધે લોકો કર ચૂકવતા ન હતા, પરંતુ GSTને લીધે ઓછા વેરા દરને લીધે ચૂકવણીની નિયમિતતા વધી છે. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે GST લાગૂ કરાયુ ત્યારે કરદાતાઓનો આંકડો 65 લાખ હતો જે હવે વધીને 1.24 કરોડ થયો છે.
GST, જેમાં લગભગ 17 સ્થાનિક કરોનો સમાવેશ કરાયો હતો 1 જૂલાઇ 2017ના રોજ સમગ્ર દેશમાં લાદૂ કરાયો હતો. એ સમયે અરુણ જેટલી નાણા મંત્રી હતા. મંત્રાલયે GST લાગૂ કરવામાં તેમની ભૂમિકા યાદ કરતા કહ્યુ કે, જીએસટીએ ટેક્સ ચૂકવણીના દરને ઘટાડ્યો છે. હાલમાં 40 લાખ વાર્ષિક ટર્નઓવર વાળા વ્યવસાયોને GST બહાર રાખવામાં આવ્યા છે. શરુઆતના સમયે આ મર્યાદા 20 લાખની હતી. 1.5 કરોડ વાર્ષિક ટર્નઓવર વાળા વ્યવસાય કમ્પોઝિશન સ્કીમ પસંદ કરી શકે છે. જે હેઠળ 1 ટકા ટેક્સ આપવો પડશે.
GST લાગૂ કરાયો ત્યારથી ઘણીખરી વસ્તુ પર ટેક્સ ઓછા કરવામાં આવ્યો છે.વર્તમાનમાં 28 ટકા ટેક્સ માત્ર લક્ઝરી અને સ્વાસ્થ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉત્પાદનો પર છે. મંત્રાલયે જણાવ્યુ કે, 28 ટકા કરની શ્રેણીમાં રાખવામાં આવેલા 230 ઉત્પાદનોમાથી 200 ઉત્પાદનોને ઓછા ટેક્સની શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા છે. હાઉસિંગ સેક્ટરને પણ 5 ટકા ટેક્સ શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે, જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ પર ટેક્સ ઘટાડીને 1 ટકા કરી દેવાયો છે.
મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી કુલ 50 કરોડ રિટર્ન ઓનલાઇન ફાઇલ થયા છે અને 131 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે.
દિલ્હીથી લંડન બાય બસ – એવા સમાચારનું શીર્ષક પ્રવાસપ્રેમીને કઈ રીતે અને કયારે તે જાણવા બેશક પ્રેરે. તેનો જવાબ છે એ છે કે એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ 21ના વર્ષમાં આવી ટુરના આયોજનની જાહેરાત ઈન્સ્ટાગ્રામમાં કરી છે.
કંપનીએ બસ ટુ લંડન નામની પોસ્ટમાં મૂકેલી વિગત મુજબ નવી દિલ્હી, ભારતથી લંડન, યુકે વચ્ચે આવી સૌપ્રથમ હોપ-ઓન/હોપ-ઓફફ બસ સર્વિસ હાથ ધરાશે.’તેના પ્રવાસીઓ 70 દિવસમાં 20 હજાર કિમી આવરી લે તેવો 18 દિવસનો પ્રવાસ’ કરશે. જે 16 દેશોમાંથી આ બસ પસાર થશે તે આ મુજબ છે: મ્યાંમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ઘિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ.
આ ટ્રિપ જવા માટે 10 દેશોના વિઝાની જરૂર પડશે. આ તમામ પ્રોસેસ કંપની દ્વારા જ કરવામાં આવશે. અલગ-અલગ દેશોની યાત્રા કરવા માંગતા લોકો માટે આ ખુબ સારી તક છે. ટ્રિપ પર જનારા લોકોને રહેવા માટે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવશે.
વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રિપમાં માત્ર 20 મુસાફરો જ બુકિંગ કરાવી શકશે. આ બસની તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રીઓ ઉપરાંત એક ડ્રાઈવર અને એક સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે.
Travel From Delhi To London In A Bus In 2021
Adventures Overland has officially launched a dream bus titled Bus to London. This covers the longest bus route in the world, spanning 18 countries in 2 continents, in 70 days spanning a distance of 20,000km. This Delhi to London, dream bus shall recreate history with utmost comfort and luxury. From exploring the pagodas in Myanmar, hiking the Great Wall of China, visiting the historic city of Tashkent, touring European Frankfurt to finally soaking in the London vibes, this truly is the journey of a lifetime. So, adventure enthusiasts, you can tour 18 countries in 70 days in one luxurious bus journey of a lifetime. The 18 countries you can tour are- India, Myanmar, Thailand, Laos, China, Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia, Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, UK.
This Bus Journey Has 4 Legs Spanning 18 Countries In 2 Continents
This bus journey of a lifetime has 4 legs that span 18 countries in 2 continents. Upon reaching London the bus shall return back in the same route. This is a hop on hop off bus. So you don’t have to finish the entire journey from Delhi to London or vice-versa. You can opt for the leg-wise journeys instead. Fly to a destination of your choice then hop on the bus and finish the leg-wise journey. The price of these bus journeys is on request. Here are the 4 legs of this bus journey.
Leg 1: India, Myanmar, Thailand ( 11 Nights & 12 Days)
This bus shall flag off in Delhi. From there it will embark on a tour around beautiful Indian cities like Lucknow, Muzaffarpur, Siliguri, Guwahati, Kohima and Imphal. It will then cross international borders to enter Myanmar where you can visit the beauty of the pagodas of Bagan. The journey then continues as you find yourself crossing the border of Myanmar into Thailand. Enjoy the vibrancy of the Thai capital of Bangkok as you cross the Mekong River into Laos and finish the first leg of your journey as you enter China.
Leg 2: China ( 15 Nights, 16 Days)
The second leg of your mesmerising journey begins at Chengdu in China. Witness cute pandas at Chengdu, the historical relics of the great wall and the Mogao Caves in the cities of Jiayuguan and Dunhuang in Gansu Province. You can then explore the distinctive topography of Gobi Desert, snow-capped mountains and glaciers of China. And finally, end the second leg of your journey by relishing the beauty of fascinating towns like Turpan and Kashgar amidst others.
Leg 3: Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia ( 21 Nights & 22 Days)
The third leg of this epic journey begins with the Silk Orad era city of Bishkek in Kyrgyzstan. Stroll along lively bazaars, gorge on delicious samsas and breathe in the aromas of fresh spices. After which the bus takes you to the beautiful country of Uzbekistan. Explore the stunning city of Tashkent and historical wonders of Samarkand, Bukhara and Khiva. Post Uzbekistan, next pass through Kazakhstan and finally enter monumental Russia. Feast your eyes on the kaleidoscopic wonder of Moscow and let the World Heritage sites enthral you, as you finish the third leg of your journey.
Leg 4: Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, United Kingdom( 15 Nights & 16 Days)
The final leg of your journey begins with the magnanimity of the Baltic countries of Latvia and Lithuania. Let the serenity and elegance of the UNESCO certified Old Town charm you. Venture out to the largest city in Poland, the Czech capital of Prague to the German metropolis of Frankfurt. Gorge on delectable chocolates and exclusive brews of Brussels and finally step into London. Look back at your exhilarating journey with pride as you would have truly experienced something out of the ordinary.
Inclusions In This Trip
This trip includes the following facilities so you can have a comfortable and luxurious road trip from Delhi to London.
Hotel stays on a twin basis
Meal as per the leg-wise package
Special luxury bus transportation
Bus driver and helper
CPR certified experienced coordinator
Local English speaking guide in every country
Visas and standard tourist fee
Border crossing assistance
Ministry approvals, customs, immigration clearance, inner line permits
Fuel, servicing, toll taxes and parking fees
Third-party insurance for the bus for every country
Route planning and research
Airport transfers in Imphal
Sightseeing and walking tours at various locations
Entrance fee at sightseeing points
Activities
Stock of water snacks, chocolates and soft beverages throughout the journey
Adventures Overland merchandise for each passenger
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગામી દિવસોમાં રેલ્વે સ્ટેશન અને ઔદ્યોગિક વિસ્તારોમાં બે લાખ માસ્ક અને એક લાખ સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે એ વાત નિશ્ચિત છે કે કોરોના વચ્ચે રહીને પણ સુરત સમેત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા રોજગારોની ગાડી ફરી પાટે ચઢાવવાની છે. આ પ્રયાસમાં ચેમ્બર ઓફ કોમર્સ જાન ભી હૈ જહાન ભી હૈ ની નીતની રૂએ ઉદ્યોગ ધંધા ફરી ધમધમતા થાય એ માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે જ વતનમાંથી સુરત પરત ફરતા કામદારોને કોરોના પ્રોટેકશન મળે એ માટે પ્રથમ તબક્કામાં તેમને માસ્ક અને સેનિટાઇઝરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં બે લાખથી વધુ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તા.20મી ઓગસ્ટના રોજ ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરતના માસ્ક અને સેનીટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રના ઉત્પાદકોએ પોતાના ધંધાને મહત્વ ન આપીને વધુને વધુ માસ્ક તથા સેનીટાઇઝર બોટલોનું દાન જાહેર કર્યું હતું.
બેઠકમાં સુરેશ ગોંડલીયા તરફથી પ૦ હજાર એન– ૯પ માસ્ક તથા ૧૧૦૦ સેનીટાઈઝર બોટલ, ધી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશન તરફથી ૩૦ હજાર માસ્ક, સચીન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી રપ હજાર સેનીટાઇઝરની બોટલ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી ૧૦ હજાર માસ્ક, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી ૧૦ હજાર માસ્ક, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન તરફથી રપ હજાર માસ્ક અને રિનેશ ભિમાની તરફથી પ હજાર માસ્કના દાનની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રથમ તબકકામાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનો મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. એના માટે ચેમ્બર દ્વારા સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે તથા ચેમ્બરના સભ્યો દ્વારા માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે.બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝર બોટલોનું વિતરણ કરવામાં આવશે. હજી પણ આ પ્રોજેકટમાં જેમણે પણ રસ હોય તેમણે મોબાઇલ નંબર ૯૮રપ૪૭ર૯૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોનું ધ્યાન ખેંચાય એવા ગુડ ન્યુઝ સુરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ આપ્યા છે. દિનેશ નાવડીયાએ સુરતમાં હીરા ઉદ્યોગના સ્ટેટ્સ અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોરોનાના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ઘણા ચઢાવ ઉતાર છેલ્લા દોઢ મહિનામાં જોવાયા. પણ હવે પરિસ્થિતિ ઝડપથી થાળે પડી છે.
દિનેશ નાવડીયાએ જણાવ્યું કે કોવીડ સેફ્ટી સાથે હીરા ઉદ્યોગ ઝડપથી પૂર્વવત સ્થિતિમાં ધમધોકાર શરૂ થવા તરફ છે. તેમણે સ્થાનિક હીરા ઉદ્યોગકારોને કોરોના સેફ્ટીમાં સહેજ પણ ચૂક નહીં રાખવાની અપીલ પણ કરી છે.
વાંચો શું કહ્યું દિનેશ નાવડીયાએ
દિનેશ નાવડીયા રિજિયોનલ ચેરમેન જીજેઇપીસી, સુરત
Covid-19 મહામારી સાથેની કપરી લડાઈમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી આપણા સહિયારા પ્રયાસ થી ફરીથી સામાન્ય બની રહી છે. મેનુફેકચરિંગ યુનિટો અને બજારો માં ગતિશીલતા જોવા મળી રહી છે અને બિઝનેસ માં ફરીથી જોશ દેખાઈ રહ્યું છે.
યુનિટો અને ઓફિસ દ્વારા નિયમો અને ગાઈડલાઇન્સ નું પાલન થઇ રહ્યું છે અને કારીગરો માં વધુ જાગૃતતા આવી છે. આપણી ઈન્ડસ્ટ્રી એ આ કપરા સમયમાં જે સંયમ અને શિસ્ત જાળવ્યું એને જ કારણે આપણે આજે ફરીથી ઈન્ડસ્ટ્રી ને અગાઉ ની જેમ ધમધોકાર શરૂ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.
આપણી એક નાની સરખી ભૂલ ની સજા આખી ઈન્ડસ્ટ્રી ને ભોગવવી ન પડે તેની કાળજી લેવાની આપણી નૈતિક જવાબદારી છે. સુરત અને હીરા ઉદ્યોગનો ચળકાટ આવનાર દિવસો માં વધુ તેજસ્વી બનશે અને તે માટે આજ શિસ્ત, નિયમપાલન અને સંયમ આપણે પણ જાળવીએ તેવો અનુરોધ કરું છું.
દિનેશ નાવડીયા – રિજિયોનલ ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સુરત, ગુજરાત, ભારત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘ડ્રીમ-11’ને આપવામાં આવ્યા છે. ડ્રીમ-11એ 222 કરોડ રૂપિયામાં આઈપીએલના સ્પોન્સરશિપ અધિકાર ખરીદ્યા છે.
આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે, આઈપીએલ 2020 ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ-11ને 222 કરોડમાં આપવામાં આવ્યા છે.
ચીનની કંપનીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ વિવોની સ્પોન્સરશિપને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટાટા ગ્રૂપ, ડ્રીમ-11, અનએકેડમી અને બાયજૂ જેવી કંપનીઓ સ્પોન્સરશિપ બનવાની રેસમાં સામેલ હતી. અનએકેડમીએ 21 કરોડ, ટાટા ગ્રૂપે 180 કરોડ અને બાયજૂએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.
આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.
ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.
ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ વિજય રૂપાણી અને ગુજરાત હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (HRA)ના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી મળી ગઈ છે. આમ ખાવાના શોખીન ગુજરાતીઓ હવે મોડી રાત સુધી રેસ્ટોરન્ટ્સ અને હોટલ ફૂડના મજા માણી શકશે.
ગુજરાત HRAના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ બહાર ખાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરમાં ફૂટફોલ્સમાં નજીવો સુધારો થયો છે, એ પણ વીકેન્ડમાં. અમે આ મુદ્દે રજુઆત કરીને સરકારને 10 વાગ્યા બાદ પણ ફૂડ ડિલિવરીની મંજૂરી આપવા કહ્યું હતું જેથી કરીને આવક ચાલુ રહે. આ અંગે મુખ્યમંત્રીએ અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે, રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યે પછી પણ ધંધો કરી શકશે.
રાજ્ય સરકારના સુત્રએ જણાવ્યું હતું કે, ‘એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જે રાત્રે 10 વાગ્યા પછી રેસ્ટોરાંઓને ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી શકે. જો રેસ્ટરન્ટો ઇચ્છતા હોય તો તેઓ મધ્યરાત્રિ પછી ધંધા માટે તેમના પરિસરને ખુલ્લા રાખી શકે છે.’ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે આવા રેસ્ટોરાંને ઘણો ફાયદો થશે જેમના બિઝનેસને લોકડાઉનને કારણે ફટકો પડ્યો છે.
સિટી રેસ્ટોરન્ટસના પાર્ટનર દિલિપ ઠક્કરે કહ્યું કે, કેટલાક યુવાનો મોડી રાત સુધી ખાવાનો ઓર્ડર આપે છે. મોડા કામ કરનારા કેટલાંક આઇટી પ્રોફેશનલ્સ પણ મોડાથી ઓર્ડર માંગે છે. રેસ્ટોરન્ટસના અંદાજ મુજબ ડાઇન-ઇન્સમાં ઓછામાં ઓછા 60%નો ઘટાડો થયો છે. જોકે હવે ટેકઓવેને મંજૂરી અપાતા રેસ્ટોરન્ટના વ્યવસાયને બચાવવામાં મદદ મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.