CIA ALERT

બિઝનેસ Archives - Page 30 of 87 - CIA Live

July 3, 2021
msme.jpg
1min423

કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી’ લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.

ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.

July 3, 2021
beans.jpg
1min479

મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી દીધી છે. જથ્થાબંધ વેપારીઓ, રિટેઇલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે અને ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.

સરકારે ગયા વર્ષે જ ત્રણ મોટાં કૃષિ સુધારા પસાર કરાવ્યા હતા. એમાં સ્ટોક મર્યાદામાંથી આવશ્યક ચીજોને કાઢી નાખવામાં આવી હતી. જોકે સરકારે ફરીથી ભાવને કાબૂમાં કરવા આ કાયદો લાગુ કરવો પડયો છે. કઠોળના વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્ટોક મર્યાદાને લીધે ભાવમાં કડાકો બોલી જશે તો વાવેતર પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

સરકારી પરિપત્ર પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઇ છે. જથ્થાબંધ વેપારીઓ 200 ટન કરતા વધારે સ્ટોક કોઇપણ એક અથવા બધા કઠોળનો રાખી શકશે નહીં. રિટેઇલ વેપારીઓ માટે આ મર્યાદા પાંચ ટનની રાખવામાં આવી છે.

મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લાં ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઇન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો છે. આયાતકારો માટે સ્ટોક મર્યાદા 15મી મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15મી મે પછી આયાત કરેલા કઠોળનો નિકાલ 45 દિવસમાં કરી નાખવાનો છે.

June 30, 2021
CIA_Live_Logo_New2.jpg
1min564

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ થયાને આજે તા.30મી જૂન 2021ના રોજ ચાર વર્ષ પૂરા થયા છે. વેચાણવેરા સંદર્ભે દરેક રાજ્યોમાં જુદા જુદા 17 ટેક્સ અને જુદા જુદા દર હતા એ તમામનું એકત્રીકરણ કરીને અમલમાં મૂકાયેલા જીએસટીમાં હાલ ફક્ત 4 સ્લેબમાં ટેક્સ વસૂલ કરવામાં આવે છે. 1 જુલાઇ 2017થી ભારતમાં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જીએસટીના દાયરામાં કરોડો વેપારીઓ આવ્યા અને કુલ 66 કરોડ જેટલા રિટર્ન ફાઇલ થઇ ચૂક્યા છે જે વિશ્વમાં સૌથી મોટો આંકડો છે.

देश में एक राष्ट्रव्यापी जीएसटी एक जुलाई 2017 को लागू किया गया था, जिसमें उत्पाद शुल्क, सेवा कर, वैट और 13 उपकर जैसे कुल 17 स्थानीय कर शामिल थे

જીએસટીના ચાર વર્ષના ઉપલક્ષમાં આજે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે જીએસટીથી એકંદરે તમામ વર્ગના વ્યાપારીઓને ફાયદો થયો છે. આ રહી પી.એમ. મોદીએ કરેલી ટ્વીટ

Image
Image
June 28, 2021
nirmala.jpg
2min369

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Sitharaman) અલગ અલગ આઠ રાહત પેકજ (guarantee scheme)ની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health sectors) માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું.

નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-19થી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને 50 હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા.
>> અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા.
>> સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર 7.95%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય.
>> અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર 8.25%થી વધારે નહીં હોય.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 100 કરોડથી વધારે લોન રકમ

લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ 7.95 ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ 8.25 ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

ECLGS

>> ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.
>> ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધી 2.69 લાખ કરોડ રૂપિાયનું વિતરણ
>> સૌથી પહેલા આ સ્કીમમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી.
>> હવે આ સ્કીમની વિસ્તાર 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
>> અત્યારસુધી શામેલ તમામ સેક્ટર્સને તેને લાભ મળશે.

ક્રેડિટ ગેરંટી સ્કીમ

>> નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 1.25 લાખ સુધીની લઈ શકશે.
>> જેના પર બેંકના MCLR પર વધારેમાં વધારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે.
>> આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે.
>> આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે.
>> 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે યોગ્ય ગણાશે.
>> આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે.
>> આશરે 7500 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ, 2020 સુધી લાભ લઈ શકાશે.

પર્યટન ક્ષેત્ર:

ટૂરિસ્ટ ગાઇડ અને બીજા સ્ટેક હોલ્ડર્સ માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત લોન લઈ શકાશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ કરવામાં આવશે. જેમાં 100 ટકા ગેરંટી સરકાર તરફથી આપવામાં આવશે. 10 લાખ રૂપિયા પ્રતિ એજન્સી સુધી આપવામાં આવશે. જ્યારે લાઇસનધારક ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કોઈ પ્રોસેસિંગ કે ક્લૉઝર ચાર્જ નહીં હોય. આ ગેંરટી મુક્ત યોજના છે.

આત્મનિર્ભર ભારત રોજગાર

>> આ સ્કીમની મુદત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરવામાં આવી છે.
>> અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 9.2 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.
>> આ સ્કીમ અતંર્ગત સરકાર 15 હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે.
>> આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે 58.50 લાખ લોકોને લાભ મળશે.
>> સરકાર કર્મચારી-કંપનીના 12%-12%નું પીએફ ભોગવશે.

કૃષિ ક્ષેત્ર

નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 માટે 389.92 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ 14 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના

આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ 2 લાખ 27 હજાર 840 કરોડ રૂપિયા ખર્ચ થશે.

જાહેર સ્વાસ્થ્ય માટે 23,220 કરોડ રૂપિયા

ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી 9,000થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા.

June 21, 2021
mutual_funds.jpg
1min400

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-૨૦૨૦માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે.

એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ ૪.૬૭ લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ એસઆઇપી એયુએમ રૂ.૧૨૫૩૯૪ કરોડની હતી જે વધીને ૩૧ મેના અંતે રૂ.૪૬૭૩૬૬.૧૩ કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

એમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.૪.૬૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ., ૯૬૦૮૦ કરોડ થયો છે, જે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૪૩૯૨૧ કરોડ હતો.

ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે ૨૦૨૧ સુધીમાં ૨.૫૨ ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી ૮,૮૧૯ કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ ૨૦૧૬માં માસિક રૂ.૩૪૯૭ કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. ૪૨,૧૪૮ કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે ૨૦૨૧ માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે ૩.૮૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ ૨૦૧૬માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ ૨૦૧૬ માં ૫.૮૮ લાખની સરખામણીએ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે ૧૫.૪૮ લાખ થઈ ગઈ છે.

June 19, 2021
petrol-diesel-1.jpg
1min342

એક દિવસના વિરામ બાદ તા.18મી જૂન 2021ને શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ધીમા ઝેર જેવો વધારો આગળ ધપ્યો હતો.

ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવાર તા.18મી જૂને પેટ્રોલનાં ભાવમાં 28થી 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 26થી 27 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં’ 6.પ7 રૂપિયા અને ડીઝલમાં 6.96 રૂપિયાનો કુલ ડામ આવી ગયો છે.

તા.18મી જૂને દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 96.93 અને ડીઝલનો ભાવ 87.69 રૂપિયા નોંધાયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.08 અને ડીઝલનો ભાવ 9પ.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતો.

છેલ્લા 50 દિવસમાં વાહન ઈંધણનાં ભાવમાં કુલ 27 વખત વધારો થયો છે અને ભાવ સર્વકાલીન ઉંચાઈઓ સર કરી ગયો છે.’ દેશનાં કુલ મળીને 12 રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભાવ હવે 100 રૂપિયા થઈ ગયો છે. તો બિહાર, તેલંગણ, કર્ણાટક, જમ્મ-કાશ્મીર, મણિપુર, ઓરિસ્સા, તામિળનાડુ અને લદ્દાખનાં અનેક ભાગોમાં ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે.

June 17, 2021
CIA_Live_Logo_New2.jpg
1min368

હોલમાર્કિંગથી પણ ઉંચા સ્ટાન્ડર્ડ વિદેશો તથા ત્યાંના ગ્રાહકોએ સેટ કરેલા હોય છે

ભારતમાં 276 જિલ્લાઓમાં આજરોજ તા.16મી જૂન 2021થી સોના ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવાયું છે, સોનાના ઘરેણા પર ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવાના ગણતરીના કલાકોમાં કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયેલે નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતા જ સુરતના જ્વેલરી એક્સપોર્ટર્સમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. જ્વેલરી એક્સપોર્ટર્સ આમેય હોલમાર્કિંગ કરતા પણ હાઇ સ્ટાન્ડર્ડ તથા જે તે દેશના કાયદા કાનૂનને પાળતા હોઇ, તેમના માટે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું. જો જ્વેલરી એક્સપોર્ટર્સ પર ભારતમાં હોલમાર્કિંગની ફરજ પાડવામા આવી હોત તો આ પગલું તેમના માટે સમયની બરબાદી, પળોજણ અને ખર્ચમાં વધારાની નોબત લાવત.

જ્વેલરી નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે કોરોના પેન્ડેમિક અને તે પછીની પરિસ્થિતિમાં પણ ભારતનું જ્વેલરી એક્સપોર્ટ 15 ટકાનો ગ્રોથ કરી શક્યું છે. જો આજથી જે રીતે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવ્યું છે એ જ્વેલરી નિકાસકારો પર લાગૂ કરવામાં આવ્યું હોત તો એ બિનજરૂરી લેખાયું હોત. કેમકે સુરતમાંથી જ્યાં જ્યાં જ્વેલરી એક્સપોર્ટ થાય છે એ અમેરીકા, યુરોપ અને મિડલઇસ્ટના દેશોમાં તેમના નીતિ નિયમો હાઇસ્ટેન્ડર્ડના હોય છે.

સલીમભાઇએ કહ્યું કે અમેરીકામાં તો માત્ર 9 અને 10 કેરેટના દાગીનાનું ચલણ છે, એના પર હોલમાર્કિંગની જોગવાઇ હજુ ભારતમાં છે જ નહીં, આમ દરેક બાબતોથી જોઇએ તો જ્વેલરી નિકાસકારો પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું જ. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પણ ગત મે માસમાં આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી જ હતી.

(બોક્સ)

એક્સક્લ્યુસિવ અને અલ્ટ્રા ડિઝાઇનની ગુપ્તતા જળવાશે

જ્વેલરી એક્સપોર્ટર્સને ઓર્ડર એટલા માટે જ મળે છે કે તેઓ અલ્ટ્રા અને એક્સક્લ્યુસિવ ડિઝાઇનના ઘરેણા તૈયાર કરીને તેના ગ્રાહકોને તેમના દેશમાં મોકલે. આ સમગ્ર ઉદ્યોગમાં આજે ડિઝાઇન જ મેઇન ટ્રેડ કન્સેપ્ટ છે, આવી સ્થિતિમાં જો નિકાસકારો ઘરેણા તૈયાર કર્યા બાદ તેને હોલમાર્કિંગ માટે મોકલે તો એ ગમે ત્યાં ડિઝાઇનનો એક ફોટો ક્લીક થઇને ફરતો થઇ જાય તો નિકાસકારને મોટો આર્થિક ફટકો  સહન કરવાની નોબત આવે. જ્વેલરી એક્સપોર્ટર્સ માટે અલ્ટ્રાફાઇન ડિઝાઇન અને તેનું મેકિંગની ગુપ્તતા જાળવવાનું ભારે પ્રેશર હોય છે.

June 17, 2021
direct_tax.jpg
1min376

ચાલુ નાણાકીય વર્ષમાં નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ઍડવાન્સ ટૅક્સ અને ટીડીએસ) બમણો વધીને રૂ.૧.૮૫ લાખ કરોડથી વધ્યો હોવાની હકીકત પરથી કોવિડ-૧૯ની બીજી લહેરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાનો અંદાજ લગાવી શકાય છે.

૧ એપ્રિલથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં રૂ. ૧,૮૫,૮૭૧ લાખ કરોડ નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ગ્રોસ કલેક્શનમાંથી રિફન્ડ બાદ કર્યા બાદ બચતો કર)ની આવક થઇ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૯૨,૭૬૨ કરોડ કરતા લગભગ બમણી થઇ હોવાની માહિતી સીબીડીટીએ આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૩૦,૭૩૧ કરોડનું રિફન્ડ કરાયું હતું.

ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૧.૩૭ લાખ કરોડ કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫૭ ટકા વધારા સાથે રૂ. ૨.૧૬ લાખ કરોડ ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સની આવક થઇ હતી.

ઍડવાન્સ ટૅક્સ તરીકે રૂ. ૨૮,૭૮૦ કરોડ, રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુ ટીડીએસ, સૅલ્ફ અસેસમેન્ટ ટૅક્સ રૂ. ૧૫.૩૪૩ કરોડ અને રૅગ્યુલર અસૅસમેન્ટ કર તરીકે રૂ. ૧૪૦૭૯ કરોડ મળ્યા હતા.

ગત વર્ષના સમાન ગાળાના રૂ. ૧૧,૭૧૪ કરોડના ઍડવાન્સ ટૅક્સ કલૅક્શન સામે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના કેટલાક મહિના અત્યંત પડકારરૂપ રહ્યા હોવા છતાં ૧૪૬ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૨૮,૭૮૦ કરોડની આવક થઇ હતી.

June 16, 2021
breaking_CIA-1280x831.jpg
2min413

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.

જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.

Image

જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.

અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.

Earlier …

K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.

June 16, 2021
gujarat_map-1280x1023.png
1min448

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે ગુજરાત બાદ દિલ્હી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.

૨૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું મૂલ્યાંકન શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વાતાવરણ, વહીવટ અને રાજકીય સ્થિરતા એ પરિબળોના આધારે કરવામાં આવ્યું હતું.

વહીવટ અને રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચે રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વાતાવરણ વધારે સાનુકૂળ મનાયું છે. કેરળમાં કામદાર સંબંધી બાબતે સરળતા છે.

અહેવાલમાં કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડે પોતાની સ્થિતિ સુધારવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડશે.

કાઉન્સિલના સિનિયર ફેલો ઇન્દિરા ઐયરે જણાવ્યા મુજબ આ અહેવાલ વર્લ્ડ બૅન્કના અહેવાલ કરતાં અલગ છે. ગયા વર્ષે બહાર પડેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં કાર્યપદ્ધતિઓ અને વ્યવહારો પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાઉન્સિલના અહેવાલમાં નીતિવિષયક અને માળખાકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.