CIA ALERT
19. April 2024

બિઝનેસ Archives - Page 2 of 76 - CIA Live

October 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min363

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર સહિત ગુજરાતના મોટા ગજાના બિલ્ડરો હાલ ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્ત ખાતે ક્રેડાઇની વાર્ષિક ઇવેન્ટ નેટકૉનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ ઇવેન્ટ આગામી તા.5 ઓક્ટોબરને શુક્રવારના રોજથી શરૂ થઇ રહી છે.

CREDAI ગુજરાત અને અમદાવાદ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે ઇજિપ્તમાં 21મી NATCON – CREDAI-ઇન્ડિયાની વાર્ષિક ઇવેન્ટ – હોસ્ટ કરવામાં આવી છે. સંમેલનમાં 1,300 થી વધુ બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઇજિપ્તની ભૂમિ પર હાલ એકત્રિત થયા છે.
સ્ટેટ રિયલ્ટી એસોસિએશને ભારતથી ડેવલપર્સને ઇજિપ્તના શર્મઅલશેખમાં આવેલા ભવ્યાતિભવ્ય રિક્સોસ પ્રીમિયમ રિસોર્ટ સુધી લઇ જવા માટે 187 થી 250 સીટરની છ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી.

વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે જાણિતા શહેરો પૈકીના ઇજિપ્તના અગ્રણી અદ્ભુત શહેરની અભ્યાસ પ્રવાસની સાથે, CREDAI એ ઈન્ડો-ઈજિપ્ત બિઝનેસ મીટનું પણ આયોજન કર્યું છે જેમાં બે કેન્દ્રીય મંત્રીઓ અને ઈજિપ્તના ટોચના મંત્રીઓ અને બંનેના બિઝનેસ ટાયકૂન્સની હાજરી જોવા મળશે. વિકાસકર્તાઓ રિયલ્ટી, પેટ્રોકેમિકલ્સ, બેન્કિંગ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની અપેક્ષા રાખે છે.

નેટકૉનમાં ઇજિપ્તના આર્કિટેક્ચર, વ્યાપાર અને નીતિઓ પર ટેકનિકલ સત્રો યોજશે જેથી તેની કામગીરીની સમજ મળી શકે.

September 15, 2023
gjepc_mp.jpg
2min191

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોંચ કરી છે, આ યોજનામાં વિવિધ પ્રકારના કૌશલ્ય થકી રચનાત્મક આર્ટિકલ્સ તૈયાર કરતા કારીગરોને આર્થિક, સામાજિક રીતે સહાયભૂત થવામાં આવે છે. આ યોજનામાં સુરતમાં વિકસેલા હીરા ઉદ્યોગના રત્નકલાકારોને સમાવિષ્ટ કરવા માટે જીજેઇપીસીના પ્રતિનિધિમંડળે આજે કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષને રજૂઆત કરી છે.જીજેઇપીસી ગુજરાત રિજિયનના ચેરમેન વિજય માંગુકીયા અને જીજેઇપીસીના મેમ્બર દિનેશ નાવડીયાએ આજે સુરત ખાતે દર્શના જરદોષને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે રત્નકલાકારો પણ કારીગરીથી એક પથ્થરમાંથી ઝગમગાટ કરતો હીરો તૈયાર કરે છે, તેમનામાં પણ એક પ્રકારનું કૌશલ્ય છે. આથી તેમને પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં સામેલ કરવા જોઇએ. સુરત, સૌરાષ્ટ, મુંબઇ વગેરેમાં વિકસેલો હીરા ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, તેના કારીગરો રત્નકલાકારોને યોજનામાં સામેલ કરવાથી તેમનું પણ હિત જળવાશે.જીજેઇપીસીની અપીલના જવાબમાં શ્રીમતી. જરદોશે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. 

જીજેઈપીસીએ “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના”માં હીરા ઉદ્યોગનો સમાવેશ કરવા અપીલ કરી

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ભારતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંના એક, હીરા ઉદ્યોગને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તાજેતરના વિકાસમાં, GJEPC એ માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતીનો સંપર્ક કર્યો. દર્શનાબેન જરદોષ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગને સમાવવાની હિમાયત કરી રહ્યા છે, જે સમગ્ર દેશમાં કારીગરોની કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા અને ઓળખવાના હેતુથી એક સરકારી પહેલ છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની અસાધારણ પ્રતિભાઓને સશક્ત બનાવવા અને તેમને માન્યતા આપવા માટે બનાવવામાં આવી છે. જ્યારે સુવર્ણકારોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કામદારોને તેની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ અંતરને દૂર કરવાના મહત્વને ઓળખીને, પ્રાદેશિક સમિતિના સભ્ય શ્રી દિનેશ નાવડિયા સહિત જીજેઈપીસીના પ્રતિનિધિઓએ માનનીય મંત્રી શ્રીમતી ની મુલાકાત લીધી. દર્શનાબેન જરદોશ તેમની સુરત ઓફિસ ખાતે પરિસ્થિતિને સ્પષ્ટ કરવા અને ડાયમંડ ઉદ્યોગનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, જે મુખ્યત્વે સુરત અને તેની આસપાસ કેન્દ્રિત છે. આ ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, જે તેને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.

જીજેઇપીસીની અપીલના જવાબમાં, શ્રીમતી. જરદોશે પરિસ્થિતિની ઊંડી સમજણ દર્શાવી અને તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેણીએ હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. માનનીય મંત્રીનું આ સક્રિય પગલું વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની વિવિધ કૌશલ્યો અને પ્રતિભાઓને ઓળખવા, તેમના કલ્યાણ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

GJEPC માનનીય મંત્રીની પ્રતિભાવશીલતા અને કારણ પ્રત્યેના સમર્પણને બિરદાવે છે અને હીરા ઉદ્યોગને ટેકો આપવાની તેમની ઈચ્છા બદલ આભાર વ્યક્ત કરે છે. આ વિકાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગના કારીગરો માટે માન્યતા અને સમર્થન સુરક્ષિત કરવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

અવતરણ

કારીગરો એ ભારતના સમૃદ્ધ વારસાની કરોડરજ્જુ છે, અને અમે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં હીરા ઉદ્યોગને સમાવવાના મહત્વને ઓળખવા બદલ તેમના ઝડપી પ્રતિસાદ માટે પ્રશંસા કરીએ છીએ. આ પગલું માત્ર 800 થી વધુ લોકોને સશક્ત બનાવે છે. કુશળ કારીગરો પણ આપણા રાષ્ટ્રની ઉત્કૃષ્ટ હીરાની કારીગરીનો વારસો સાચવવાનો માર્ગ મોકળો કરે છે.”

વિજય માંગુકિયા, પ્રાદેશિક અધ્યક્ષ – ગુજરાત, GJEPC

હીરા ઉદ્યોગ એ માત્ર આર્થિક યોગદાન આપનાર નથી પરંતુ સદીઓ જૂની કારીગરીનો રક્ષક છે. અમારા હેતુને સમર્થન આપવા માટે માનનીય મંત્રીની પ્રતિબદ્ધતા જોઈને અમને આનંદ થાય છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં સમાવેશ કરવાથી માત્ર ઉદ્યોગનો ઉત્કર્ષ થશે નહીં. પરંતુ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં તેજ ઉમેરનારા કારીગરોની પ્રતિભાને પણ ઉજવીએ છીએ.”શ્રી દિનેશ નાવડિયા, GJEPC ના પ્રાદેશિક સમિતિના સભ્ય

August 28, 2023
WhatsApp-Image-2023-08-28-at-08.56.59-1280x918.jpeg
1min225

સોની ઇન્ડિયા દ્વારા દુનિયામાં સૌ પ્રથમવાર Vlogger કોમ્યુનિટી માટે ફુલ ફ્રેમ કેમેરા ZV E1 નું લોન્ચિંગ 26 ઓગસ્ટ 2023ના રોજ સુરતના પોદાર આર્કેડ વરાછા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સોની ઇન્ડિયાના ગુજરાતના મેનેજર સંકેત મિસ્ત્રી, ડિસ્ટ્રીબ્યુટર દિપક શેઠવાલા, ડીલર મયુરભાઈ, રવિભાઈ, જીગ્નેશભાઈ, ચિરાગભાઈ સહિત સોનીની ટીમ ઉપસ્થિત રહી હતી.

સંકેતભાઈએ જણાવ્યું હતું કે વેડિંગ માટે અથવા વાઈલ્ડ લાઇફ માટે ઘણા કેમેરા લોન્ચ થયા છે પણ કોરોના પછી સોશિયલ મીડિયા આવકના નવા સ્ત્રોત તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી બહુ મોટા લોકોને રોજગારીની તક સાંપડે છે તો આવા સંજોગોમાં તેના ઉત્થાન માટે ટેકનોલોજી નો સાથ ખૂબ જરૂરી છે આ બાબતને ધ્યાનમાં રાખીને સોની ઇન્ડિયાએ વી લોગર્સ માટે નવા નવા કેમેરા લોન્ચ કર્યા છે. નવો ZV E1 કેમેરા ફુલ ફ્રેમ છે એડવાન્સ AI નો એમાં ખૂબ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ઓટો ફોકસ અને ઓટો ફ્રેમ પણ થઈ શકે છે આ કેમેરા ખૂબ જ કોમ્પેક્ટ અને લાઈટ વેઇટ છે તેનાથી તેને વાપરવાનું ખુબ સરળ છે.

Sony ZV E1 | Smallest Full Frame Camera For Creators | Best YouTube Camera  | Best Vlogging Camera - YouTube
August 25, 2023
Cia_business_news-1280x936.jpg
1min174

સ્પાર્કલ પ્રદર્શનમાં લગ્નસરા, તહેવારો અને બિન નિવાસી ભારતીયોને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ ડિઝાઇન કરાયેલી જ્વેલરી અને નેકલેસિસમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે

સ્પાર્કલમાં ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર આકર્ષણ જમાવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્‌ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શિત કરાશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ચાંદીના આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાતાર્થે સુરતના ૬૦૦થી વધુ પરણવા જઇ રહેલા યુગલો તથા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરતના જ્વેલર્સોએ બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન અને દિવાળીને ધ્યાને લઇને નવી ડિઝાઇનરી જ્વેલરીમાં નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં જોવા મળશે.

ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું આજથી ત્રણ દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે

August 22, 2023
sgcci-sparkle-1280x419.png
1min188

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન

સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.

વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.

ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે

સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્‌ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.

August 21, 2023
Cia_business_news-1280x936.jpg
1min132

સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલે એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરને કરેલી રજૂઆતો બાદ સોલાર સંદર્ભે નવી ગાઇડલાઇન બહાર પડી

અત્યાર સુધી ગુજરાતમાં કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે સબસિડી આપવામાં આવતી ન હતી. ઉલ્ટાનું સરકારના કેટલાક અધિકારીઓ જોગવાઇનું મનસ્વી અર્થઘટન કરીને એવો હઠાગ્રહ રાખી રહ્યા હતા કે ઔદ્યોગિક એકમની પ્રીમાઇસમાં જ સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવે તો જ ઇન્સેન્ટીવ અપાશે. પરંતુ, રાજ્યના ચીફ એડિશનલ સેક્રેટરીની દરમિયાનગીરી બાદ ગઇ તા.18મી ઓગસ્ટે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવેથી રાજ્ય સરકાર રાજ્યમાં ગમે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરનાર ઔદ્યોગિક ગૃહોને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી ઔદ્યોગિક એકમોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ માટે એક પણ રૂપિયાની રાહત અપાતી ન હતી.

સોલાર પાવર ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલ અને અન્યોએ ગયા મહિને જ્યારે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર સુરત આવ્યા હતા ત્યારે તેમને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી કે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું ઇન્સેન્ટીવ કે રાહત અપાતી નથી. ઉલ્ટાનું કાયદાનું મનસ્વી અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે એસ.જે. હૈદરે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરીને નવી ગાઇડલાઇન ગઇ તા.18મી ઓગસ્ટના રોજ જાહેર કરાવડાવી હતી. જેમાં સ્પસ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો કોઇપણ ઔદ્યોગિક એકમ કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ હવે ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમકે  ઔદ્યોગિક એકમો જો પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપે તો રાજ્યમાં વીજ ઉત્પાદન પર ઘણો લોડ ઓછો કરી શકાય તેમ છે.

વાર્ષિક રૂ.5થી 7 લાખ સબસિડી 5 વર્ષ મળે

કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે તે વિસ્તારમાં સ્થાપનાર ઔદ્યોગિક એકમોને તેના મૂડીરોકાણ પર એરીયા બેઝ વર્ષે 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. જેમાં સૌથી બેકવર્ડ એરીયામાં જો પ્લાન્ટ નાંખવામાં આવે તો વર્ષે 7 ટકા, 7 વર્ષ સુધી અને રૂ.35 લાખ સુધી મળી શકે. જો સેમિ અર્બન એરીયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 6 ટકા 6 વર્ષ સુધી મહત્તમ રૂ.30 લાખ અને જો મ્યુનિસિપલ એરિયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 5 ટકા પાંચ વર્ષ સુધી મહત્તમ રૂ.25 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.

સુરતીમાં 1 મેગાવોટથી 10 મેગા વોટ સુધીના 25 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં

મળતી માહિતી મુજબ સુરતના અનેક ઉદ્યોગપતિઓ પોતાના વીજ વપરાશનું ભારણ ઘટાડવા માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારની એવી કોઇ નીતિ ન હતી કે જેમાં સોલા પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનમાં ઇન્સેન્ટીવ કે ઇન્ટરેસ્ટ સબસિડી કે અન્ય કોઇ રાહત મળતી હોય. પરંતુ, હવે તા.18મી ઓગસ્ટ 2023 બાદ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવેથી રાજ્યના ઔદ્યોગિક એકમોને પાવર પ્લાન્ટ માટે મોટી રકમની ઇન્ટરેસ્ટ સબસિડી મળે તેમ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકલા સુરતમાં જ 1 મેગા વોટથી લઇને 25 મેગા વોટના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેનું કામ હવે આગળ ધપશે.

August 7, 2023
Cia_business_news-1280x936.jpg
2min200

સુરતના બંદરે એક સમયે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, સુરતના આ ઇતિહાસને દર્શાવવાના હેતુથી યાર્ન પ્રદર્શનમાં ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન મૂકવામાં આવશે : ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા

દેશભરમાંથી ૯૦ જેટલા એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, તદુપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન – બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડીશન રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવશે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવામાં આવશે, જેના ભાગ રૂપે ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એમએસએમઇ કમિશ્નર સંદિપ જે. સાગલે (IAS) ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની, શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India), સીજીએસટી સુરતના કમિશ્નર પંકજ કુમાર સિંઘ, યુએસએ સ્થિત કિલનિકલ ડાટા સોલ્યુશન એલએલસીના પ્રમુખ પ્રવિણ પાનસુરિયા અને તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.

આ ઉપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે.

યાર્ન એક્ષ્પો– ર૩ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પોમાં નીચે મુજબના યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરાશે

આ પ્રદર્શનમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહયો છે. આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ કન્વેન્શનલ વિવિંગ અને હાઇસ્પીડ ટેકનોલોજી જેવી કે રેપિયર, એરજેટ અને વોટરજેટ પર વિવિંગ માટે કરી શકાય છે.

આ ઉપરાંત એક્ષ્કયુઝીટ રેઇન્બો મેટાલિક યાર્ન જુદા જુદા ખૂણાઓથી અલગ અલગ રંગ દર્શાવે છે, જેને કારણે કોઈપણ ફેબ્રિકમાં મનમોહક મેઘધનુષ્ય ઝબૂકતું દેખાય છે. સાડીઓ, લેસ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ડિઝાઇનર ફેબ્રિકમાં માસ્ટરપીસ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ કરી શકાય તેમ છે.

July 6, 2023
WhatsApp-Image-2023-07-06-at-18.43.54-1280x534.jpeg
2min851

‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ સીટેક્ષમાં લોન્ચ કરાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું આ આઠમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. મને આનંદ છે કે, આ પ્રદર્શનના આયોજનમાં સુરત ટેક્ષમેક ફેડરેશન સહયોગી બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીડીપીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્મા અને અલિધરા ટેક્ષટુલ એન્જીનિયર્સ પ્રા.લિ.ના ચીફ મેનેજિંગ ડિરેકટર હંસરાજ એ. ગોંડલિયા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રપ૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેક્ષ્ટાઇલના એક્ષ્પોર્ટને ૧૦૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર દ્વારા યોજાનાર સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે.

આ પ્રદર્શનની મુલાકાત માટે અત્યાર સુધીમાં ર૦ હજારથી વધુ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં સુરત સહિત સમગ્ર ગુજરાત તથા દેશભરના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે. દેશમાં કાપડની જે મોટી મંડીઓ છે ત્યાંથી ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓનું ગૃપ તથા ડેલીગેશન્સ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવવાના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શિત કરાશે. હાઇ સ્પીડ હેવી ડેન્સીટી ફેબ્રિકસ બનાવતી આ મશીનરીનો લાઇવ ડેમો પ્રદર્શનમાં જોવા મળશે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓનું પ્રદર્શન કરાશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા તથા એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

નીચે મુજબની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

– મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું ચાઇનીઝ એરજેટ મશીન
– એરજેટ ડોબી વીથ ડબલ બીમ રનીંગ ૭પ૦ આરપીએમ
– સુપર હાઇસ્પીડ ટીએફઓ
– એરજેટ JDF9100 plus ન્યુ હાઇ સ્પીડ મશીન
– વોટરજેટ JDF408 plus સ્પીડ upto 550 મશીન

સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં ૬૦ વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરાશે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. આથી અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ લોન્ચ કરાશે, લાઇવ ડેમો આપવામાં આવશે

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું લોન્ચીંગ સીટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતમાં પ્રથમ વખત ઇલેકટ્રોનિકની સાથે ચાલનારા શટલ લુમનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ શટલ લુમ પર ડિફેકટ લેસ ચાર કલરનું ફેબ્રિક બને છે. સાથે જ બોર્ડર ઉપર બ્રાન્ડ નેમ પણ પ્રિન્ટ કરે છે. આ લુમ પર પેન ડ્રાઇવ થકી વિવિંગ ડિઝાઇન પણ ઓટોમેટિકલી બદલાય છે, જેને સરળતાથી ઓપરેટ કરવામાં આવે છે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનાર યોજાશે, ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે

સીટેક્ષ એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૯ જુલાઇ ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે એકઝીબીશનના સ્થળે જ એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાર્ન, ફેબ્રિક, જરી, એપરલ, મશીનરી, ફર્નિશિંગ વગેરેનું એક્ષ્પોર્ટ કરનારા નિર્યાતકારોની કેસ સ્ટડી ઉદ્યોગકારો સમક્ષ મુકવામાં આવશે. જેના કારણે નવા એક્ષ્પોર્ટર તૈયાર કરવાની દિશામાં મોટું કામ થશે. આ ઉપરાંત સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

July 3, 2023
WhatsApp-Image-2023-07-02-at-19.58.05-1280x863.jpeg
2min914

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બન્યા છે.

SGCCIના ઓનરરી સેક્રેટરી તરીકે નિખિલ મદ્રાસી અને ઓનરરી ટ્રેઝરર તરીકે કિરણ ઠુમ્મરની વરણી

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગનો સમાવેશ થાય છે.

ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ રમેશ વઘાસિયાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્‌ મંત્રી તરીકે નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી તરીકે કિરણ ઠુમ્મરની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે મનિષા હિમાંશુ બોડાવાલાની જાહેરાત કરી હતી.

રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરાશે.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.

કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે વધુ સારું પ્રોત્સાહન ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીપીડીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં વધુમાં વધુ એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.

મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને તેને લગતા એજ્યુકેશનના ભવિષ્ય ઉપર ચેમ્બર ઓફ કોમર્સે કામ કરવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સાથે વાન્ીતના આધારે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. હવે ભવિષ્યમાં નવા રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું પડશે. ટ્રિપલ એન્જીનની સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. વધુમાં તેમણે કહયું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા નવા ઊંચા સંકલ્પ સાથે આગળ વધશે અને તેના માટે તેમણે શુભેચ્છા આપી હતી.

ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના બધા જ ઉદ્યોગોને દિશા આપવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આખા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિત માટે માંગણી લઇને આવે અને એ અમે પૂર્ણ કરીશું. મોટી રોજગારીનું સર્જન થાય અને વેપારીઓને નવી દિશા મળી શકે તે માટે પીએમ મિત્રા પાર્ક સુરતને મળી ગયો છે. ૧૩મીએ પીએમ મિત્રા પાર્કનું એમઓયુ પણ થનાર છે. સુરત – નવસારી ખાતે પીએમ મિત્રા પાર્ક દેશમાં સૌથી પહેલા અને ઝડપથી બને તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વમાં દેશનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે અને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ચેમ્બરના નવનિયુકત પ્રમુખ રમેશ વઘાસિયાએ ગુજરાતના ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને જોડવાનો સંકલ્પ લીધો છે ત્યારે બ્રાન્ડ સુરત માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે દિશામાં પણ આગળ વધવું પડશે. નાના વેપારીઓની સબસિડી અટકેલી હોય તો તેઓને મળે તે માટેનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરવાનું છે.

વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરને વધુ વિકસાવવામાં આવશે તો મુંબઇ, બેંગ્લોરની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન કરી શકાશે. એના માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કરવા લીલી ઝંડી આપી દીધી છે.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની દિશામાં ખૂબ જ સારું વાતાવરણ નિર્માણ થઇ ગયું છે. બંને દેશો ટ્રેડ, ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવા માટે આગળ વધી રહયા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે, પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ જે કામગીરી કરી હતી તે અંગેના સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું વાંચન ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે કર્યું હતું. આ ઉપરાંત માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાને વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરી માટે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનું વાંચન અનુક્રમે ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા, પરેશ લાઠીયા અને મૃણાલ શુકલ દ્વારા કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ મેગેઝીનના વર્ષ ર૦રર – ર૩ ના એજીએમ ઇશ્યુનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમ્યાન આયોજિત સાતથી આઠ એકઝીબીશનોની જાહેરાત કરવામાં આવી હતી.

પદગ્રહણ સમારોહમાં તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા અને કાંતિભાઇ બલર ઉપસ્થિત રહયા હતા. માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય ડો. રિન્કલ જરીવાલા અને ચેમ્બરના સભ્ય ડો. સંજય પટેલ (ડુંગરાણી)એ કરી હતી.

પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૩–ર૪ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.

પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.

જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

May 20, 2023
WhatsApp-Image-2023-05-19-at-21.10.02-1280x854.jpeg
1min208

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.

સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.

Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.