CIA ALERT

બિઝનેસ Archives - Page 2 of 90 - CIA Live

April 30, 2026
WhatsApp-Image-2026-04-30-at-17.21.18-1280x1041.jpeg
2min65

• પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું હતું.

• આ અદ્યતન સુવિધા દ્વારા સુરતમાં જ વિશ્વસ્તરીય ઓટોમોટિવ સ્ટીલનું ઉત્પાદન “મેડ ઇન સુરત”, “બિલ્ટ ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ”ના વિઝન સાથે થશે.

• આ ઉદ્ઘાટન ભારતને ઓટોમોટિવ ક્ષેત્ર માટે જરૂરી એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

હજીરા – સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે

આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.

આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે.

આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.

કંપનીની આ નવી સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો એક સશક્ત અને સ્વયંસંચાલિત ચક્ર ઊભું કરશે, જે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સતત અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.

મહામહિમ શ્રી કેઇચી ઓનોએ હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઈને અહીં ચાલી રહેલી વિશાળ સ્તરની કામગીરી અને સુરતના ઔદ્યોગિક વિકાસની ગતિને નજીકથી નિહાળી।

જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.

મહામહિમ શ્રી કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”

શ્રી દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”

નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

April 30, 2026
Cia_business_news-1280x936.jpg
1min64

ટેક્સટાઇલ અને એનર્જી ક્ષેત્રમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ

સુરત: વાઈબ્રન્ટ ગુજરાત 2026 દરમિયાન “સસ્ટેનેબિલિટી હિલ” નામની એક નવીન પહેલ રજૂ થવા જઈ રહી છે, જે ટેક્સટાઇલ અને એનર્જી ક્ષેત્રમાં સસ્ટેનેબિલિટી તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

આ ઇન્સ્ટોલેશન ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે, જે આશરે 3,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું રહેશે. તેમાં કાચા ફાઇબરથી લઈને તૈયાર ગાર્મેન્ટ સુધીની સમગ્ર ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.

અજય ભટ્ટાચાર્ય વધુ વિગતો આપતાં કહ્યું કે કેળાના રેસામાં કપાસ ભેળવીને કેળાનો યાર્ન બનાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે, વાંસ, અનાનસ, શણ, હિમાલયન ઘાસમાંથી યાર્ન બનાવવામાં આવી રહ્યું છે, અને તેમાંથી કાપડ બનાવવામાં આવી રહ્યું છે. આ કુદરતી કાપડ, જેને નવા યુગના કાપડ કહેવામાં આવે છે, તેની વિદેશમાં ખૂબ માંગ છે.

“સસ્ટેનેબિલિટી હિલ” ને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ફેબ્રિક વર્ટિકલમાં ફાઇબરથી યાર્ન, ફેબ્રિક અને અંતે ગાર્મેન્ટ સુધીની પ્રક્રિયા દર્શાવવામાં આવશે, જેથી ઉત્પાદન પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મળે. જ્યારે એનર્જી વર્ટિકલમાં રિન્યૂએબલ એનર્જી, ખાસ કરીને સોલાર પાવરનો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે તે રજૂ કરવામાં આવશે.

આ પહેલ દ્વારા નવી પેઢીના સસ્ટેનેબલ ફેબ્રિક્સ, ઇકો-ફ્રેન્ડલી પ્રોસેસિસ અને જવાબદાર ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સસ્ટેનેબલ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ક્લીન એનર્જીના વધતા મહત્વને ઉજાગર કરશે.

આ પહેલ ગુજરાતને જવાબદાર ટેક્સટાઇલ ઇનોવેશન અને સસ્ટેનેબલ ઔદ્યોગિક વિકાસ માટે એક આગાહીભર્યું કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ઉદ્યોગકારો અને મુલાકાતીઓને પર્યાવરણપ્રેમી નિર્ણય લેવા માટે પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટને ગોલ્ડી સોલાર નો સહયોગ મળ્યો છે, જેના માધ્યમથી ક્લીન એનર્જીના ઉપયોગને વધુ પ્રોત્સાહન મળશે.
“સસ્ટેનેબિલિટી હિલ”દ્વારા ગુજરાતને સસ્ટેનેબલ ટેક્સટાઇલ ઇનોવેશન અને જવાબદાર ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં આગવું સ્થાન અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત 2026માં ડોમ નંબર ૧ માં માહિતી પૂરી પાડવા માટે અજય ભટ્ટાચાર્ય, મયુર ગોલવાલા હાજર રહ્યા હતા..

April 27, 2026
image-20.png
1min87

ભારત-ન્યૂઝીલૅન્ડે આજે 27/04/26 નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.

FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.

ન્યૂઝીલૅન્ડમાં ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો

સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.

મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડૉલરના રોકાણ માળખા જેવું જ છે.

ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહીં અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.

FTAની કેટલીક મહત્ત્વની વાતો

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ન્યૂઝીલૅન્ડે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત કોઈ દેશ સાથે વિદ્યાર્થીઓની અવરજવર અને અભ્યાસ પછીના વર્ક વિઝા (પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા) અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરી શકશે અને તેમને લંબાવવામાં આવેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો લાભ પણ મળશે.

કુશળ વ્યાવસાયિકો માટે તક : ઊંચા પગારવાળી નોકરી ઇચ્છતા કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો માટે 5000 કામચલાઉ રોજગાર વિઝાનો વિશેષ કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ વિઝા દ્વારા વ્યાવસાયિકો ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલૅન્ડમાં રહીને નોકરી કરી શકશે.

વર્કિંગ હોલિડે પ્રોગ્રામ : આ સમજૂતી હેઠળ એક વિશેષ ‘વર્કિંગ હોલિડે વિઝા’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 1000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યૂઝીલૅન્ડમાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકશે.

April 24, 2026
paytm-payment-banks.png
1min139

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજ(24 એપ્રિલ 2026) રોજ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ‘પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ’ (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. RBI એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, 24 એપ્રિલના રોજ કામકાજના કલાકો પૂરા થયા બાદથી આ આદેશ અમલી બની ગયો છે.

RBIના જણાવ્યા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તેની કામગીરી કરવાની રીત ગ્રાહકો તથા થાપણદારોના હિતમાં નહોતી. બેંકના મેનેજમેન્ટ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે બેંકને વધુ સમય આપવો એ જાહેર હિતમાં નથી, કારણ કે તે લાયસન્સ માટેની જરૂરી શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ લાયસન્સ રદ થયા બાદ હવે RBI હાઈકોર્ટમાં અરજી કરશે જેથી બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

ગ્રાહકો માટે રાહતના સમાચાર આપતા RBI એ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે પૂરતી લિક્વિડિટી (નાણાં) ઉપલબ્ધ છે, જેથી તે તેના તમામ થાપણદારોના પૈસા પરત કરી શકશે. એટલે કે, જે લોકોના પૈસા બેંકમાં જમા છે, તેઓને ચિંતા કરવાની જરૂર નથી; બેંક બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના નાણાં પરત કરવાની ખાતરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મુશ્કેલીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. માર્ચ 2022માં RBI એ બેંકને નવા ગ્રાહકો જોડતા અટકાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પણ તેના વોલેટ અને ડિપોઝિટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આખરે, લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને કારણે આજે બેંકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભારતીય ફિનટેક સેક્ટરમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

April 23, 2026
sensex_down.jpg
1min69

ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ થયું છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેર વાળા સેન્સેક્સ 852 અંકથી બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ 205 અંકે ક્લોઝ થયો છે. શેરબજારમાં ભૂકંપ આવતા ટાટાના ટ્રેન્ટ લિમિટેડના શેર સહિત ઇન્ફોસિસ, M&M, ટેક મહિન્દ્રા, HDFC બૅંક, વગેરે શેરમાં ઘટાડો નોંધાતા રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે! ચાલો જાણીએ સેન્સેક્સ-નિફ્ટીના ઘટાડા પાછળના કારણો.

શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, જેમાં તેમની ₹3 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા છે. આ સતત બીજા દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું છે.

BSE સેન્સેક્સે ગુરુવારે(23 એપ્રિલ) શેરબજારમાં ટ્રેડિંગ સ્ટાર્ટ હોવાના કારણે અગાઉ 78,516 બંધ થયાની તુલનાએ સેન્સેક્સ 77,983 સ્તરે રહ્યો અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 30 શેર વાળો ઇન્ડેક્સ 852.49થી 77,664 સ્તરે ક્લોઝ થયો છે.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીમાં પણ ઘટાડો થવાની સાથે રેડ ઝોનમાં ખુલ્યો. 50 શેર વાળા ઇન્ડેક્સ બુધવાર(22 એપ્રિલ) 24,378 બંધ રહ્યો હતો, જેમાં ઘટાડો થતાં તે હવે 24,202 પર ખુલ્યો અને સતત ઘટાડો નોંધાતા અંતે 24,173.05 પર ક્લોઝ થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા વચ્ચે અનેક હેવીવેઇટ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BSEના માર્કેટ કેપમાં ઘટાડો થતાં ₹4,66,35,326 કરોડ પર પહોંચ્યું, જે પાછલા કાર્યકારી દિવસે ક્લોઝિંગના સમયે ₹4,69,36,824 કરોડ નોંધાયું. આ સંદર્ભમાં જોઈએ તો શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં ₹3,01,498 કરોડનો ફટકો પડ્યો છે.

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળતા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જ-કેપ કેટેગરીમાં ટ્રેન્ટ શેર (4.21%), M&M (3.30%), બજાજ ફિનસર્વ (2.93%), ટેક મહિન્દ્રા (2.90%), ઇન્ફોસિસ (2.04%), અને HDFC બૅંક (1.93%) શેર નુકસાન સાથે બંધ થયા. આ સાથે મિડ-કેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ (4.61%), ડિક્સન (3.65%), અને MFSL (2.35%) નીચા સ્તરે બંધ થયા. જ્યારે સ્મોલ-કેપ શેરોમાં IIFLને 10.12% સૌથી વધુ ઘટાડો સહન કર્યો હતો.

શેરબજારમાં આવેલા નોંધપાત્ર ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇઝ 103 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.

આ ઉપરાંત, વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું.

April 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min118

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ દ્વારા તા. ૧૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૮:૩૦થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SGCCI બિઝનેસ કનેકટ દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ વખત એક અનોખા કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવન હશે તેમજ તેમાં અસરકારક નેટવર્કિંગ માટે ફેસ ટુ ફેસના ત્રણ રાઉન્ડ કરવામાં આવશે. આ AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને ઝડપી અને અસરકારક રીતે નવા બિઝનેસ કનેકશન બનાવવાની તક પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા ભાગ લેનારાઓને નવી ભાગીદારી, સહકાર અને વિકાસના માર્ગો શોધવામાં સહાય મળશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ અનોખા કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના પ૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો તથા પ્રોફેશનલ્સને એકત્રિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને એક જ પ્લેટફોર્મ પર આવી ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો ઉભા કરવાની, વિચારોનું આદાન–પ્રદાન કરવાની અને તેના થકી બિઝનેસ વધારવાની તકો મળશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ આયોજિત થવા જઇ રહ્યો છે. આ કોન્કલેવમાં સુરતની ૧૦થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક જ છત નીચે લાવવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ જગતમાં નવી દિશાઓ ખુલી શકે છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપકકુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, કોન્કલેવ દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ૩૦–૩૦ મિનિટના ત્રણ અલગ અલગ રાઉન્ડ યોજાશે. દરેક રાઉન્ડમાં જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો અને વ્યવસાયિકો સાથે મુલાકાત કરવાની તક મળશે, જેથી કોન્કલેવમાં ભાગ લેનારાઓને તેમના બિઝનેસ, પ્રોડકટ્‌સ તથા સેવાઓને વ્યાપક રીતે રજૂ કરવાની મહત્વની તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા દરેક ઉદ્યોગ સાહસિક, આશરે ર૧ જેટલા વિવિધ બિઝનેસમેન સમક્ષ પોતાના બિઝનેસને રજૂ કરી બિઝનેસને વધારી શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ડિજિટલી ઓનલાઇન કરાશે.

SGCCI બિઝનેસ કનેકટના ચેરમેન શ્રી ચંદ્રકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કોન્કલેવ એઆઇ આધારિત હોવાથી ફેસ ટુ ફેસ દરેક બિઝનેસ મિટિંગ્સને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવા માટે દરેક ટેબલ પર કયૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે. ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને જેઓની સાથે બિઝનેસ કરવામાં રસ હશે, તેઓ કયૂઆર કોડ સ્કેન કરીને પોતાની રૂચિ દર્શાવશે. આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા બિઝનેસ સંબંધિત તમામ માહિતી તુરંત જ સિસ્ટમમાં નોંધાઈ જશે અને તેનું લાઇવ ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળશે, જેથી બિઝનેસ નેટવર્કિંગ વધુ પારદર્શક, ઝડપી અને પરિણામકારક બનશે.

SGCCI બિઝનેસ કનેકટના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ જણાવ્યું હતું કે, AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગની પ્રક્રિયા વ્યવસાયિક મુલાકાતોને વધુ કાર્યક્ષમ અને પરિણામકારક બનાવશે. પરિણામે, આ કોન્કલેવ સુરતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં નવી ઊર્જા પ્રેરિત કરીને સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વધુ સશક્ત, ગતિશીલ અને સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કોન્કલેવ ઇન્ચાર્જ શ્રી વિશાલ બક્ષીએ જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં નિષ્ણાત વક્તાઓ તરીકે મુંબઈના શ્રી અમિત પાઠક અને સુરતના શ્રી વિશાલ શાહ ઉપસ્થિત રહેશે. આ બંને વકતાઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપશે.

April 7, 2026
WhatsApp-Image-2026-04-06-at-19.45.30-1280x854.jpeg
1min66

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતના હીરા ઉદ્યોગપતિઓને આજે તા.6 એપ્રિલથી શરૂ કરીને આગામી તા.10મી મે 2026 સુધીના 35 દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.1 હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટના નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જોવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડીયા રફ ડાયમંડ શૉનો આરંભ કર્યો હતો.

સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે, એ સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીના ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને 35 દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યૂઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડના પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુનઃ પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે.

આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સના રૂ.1000 કરોડનો જંગી જથ્થો 35 દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને 6 દિવસના બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને 6 દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ 6 દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે 35 દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.

યુદ્ધની આફત વચ્ચે સુરતે અવસર શોધી કાઢ્યોઃ દિનેશ નાવડીયા

સુરતમાં હીરા ઉદ્યોગપતિઓને નેચરલ રફ ડાયમંડ્સનો જથ્થો સુરતમાં જ જોવા મળે અને સુરતથી જ તેની બોલી લગાડી શકાય તે માટેની સ્પેશ્યલ સુવિધા વિકસાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર હીરા ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે મિડલ ઇસ્ટના યુદ્ધની નકારાત્મક અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. અમે આ આફત વચ્ચે અવસર શોધી કાઢ્યો અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે જ્યાં વિશ્વના 90 ટકા હીરાનું કટીંગ પોલિશિંગ થાય છે તે સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ હબ વિકસાવવું હોય તો હાલમાં દુબઇનો કારોબાર સદંતર બંધ છે, દુબઇની કંપનીઓ રફ ડાયમંડ વેચવા માટે સુરત આવવા માટે તૈયાર છે, કેટલીક છૂટછાટ આપવામાં આવે તો આ શક્ય છે. જીજેઇપીસી સુરતના નેજા હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં જ 35 દિવસ માટે જીજેઇપીસીને આ અવસર મળી ગયો. હાલમાં હીરા ખરીદી માટે કોઇ દુબઇ જઇ શકતું નથી કે જવાની હિંમત કરી શકતું નથી, એટલે ઉદ્યોગકારોને સુરતમાં જ 1000 કરોડ રૂપિયાના રફ ડાયમંડનો જથ્થો ખરીદવા માટેની તક સાંપડી છે.

નેચરલ રફ હીરા ખરીદવા દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલા, કેનેડા નહીં જવું પડે

અત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓ અગર તો તેમના પરચેઝ સ્ટાફે નેચરલ રફ ડાયમંડ્સ ખરીદવા માટે નિયમિત રીતે દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અવારનવાર જવું પડે છે. હવાઇ ટિકીટ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને સમય પછી રફ હીરાની ક્વોલિટી કે પ્રાઇસ અનુકૂળ ન આવે તો ફેરો ફોગટ જાય છે. આવી સ્થિતિમાં જો રફ ડાયમંડ્સની હરાજી નિયમિત રીતે સુરતમાં જ યોજાવાનું શરૂ થઇ જાય તો ઉદ્યોગપતિઓ કે તેમના સ્ટાફે હીરાની ખરીદી માટે અવારનવાર વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને જવું ન પડે. તેઓ સુરતમાં જ હીરા જોઇ, ચકાસીને ખરીદી કરી શકે તો મોટી રકમની બચત થઇ શકે એમ હીરા ઉદ્યોગપતિ હિતેશ શાહે જણાવ્યું હતું.

April 6, 2026
image-1.png
1min60

ગુજરાતમાં કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું છે. આ આંકડા ખર્ચ, પર્ફોર્મન્સ અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાતી ગ્રાહકોની પ્રાથમિકતા દર્શાવે છે.

ડીઝલ વાહનો આ વૃદ્ધિમાં સૌથી મોટા ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. ડીઝલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 11,800 યુનિટનો વધારો થયો છે, જે લગભગ 16% નો ઉછાળો સૂચવે છે. ઉદ્યોગના નિષ્ણાતો આ સ્થિરતા પાછળ SUV અને મોટા વાહનોની સતત માંગને જવાબદાર માને છે, જ્યાં ડીઝલ એન્જિન હજુ પણ શ્રેષ્ઠ ટોર્ક, ઈંધણ કાર્યક્ષમતા અને હાઈવે પર્ફોર્મન્સ આપે છે.

સૂત્રોએ જણાવ્યું કે, SUV પ્રત્યેનો મજબૂત આકર્ષણ ડીઝલની માંગ વધારી રહ્યો છે. જે ગ્રાહકો વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ હજુ પણ ડીઝલને સૌથી વ્યવહારુ વિકલ્પ માને છે. સમગ્ર ગુજરાતમાં SUVની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે પરિવારો હવે લાંબા અંતરની સડક મુસાફરીને વધુ પસંદ કરી રહ્યા છે. સેડાન પસંદ કરતા ગ્રાહકો હવે હાઈવે પર વધુ આરામ, જગ્યા અને ડ્રાઈવિંગ કોન્ફિડન્સ માટે SUV પસંદ કરી રહ્યા છે. ઘરોમાં હવે એક SUV પ્રવાસ માટે અને બીજી કાર રોજિંદા ઉપયોગ માટે રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સ્થિતિમાં, ઊંચી કિંમત હોવા છતાં ડીઝલ SUV લોકપ્રિય પસંદગી બની રહી છે.

પેટ્રોલ-CNG વાહનોમાં પણ 14% થી વધુ અથવા 18,000 થી વધુ યુનિટ્સનો મજબૂત વધારો નોંધાયો છે. ઈંધણના ઊંચા ભાવોને કારણે શહેરી અને અર્ધ-શહેરી ગ્રાહકો ઓછા રનિંગ કોસ્ટ માટે CNG તરફ વળી રહ્યા છે. આનાથી ભારતના સૌથી મજબૂત CNG વ્હીકલ માર્કેટ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થયું છે.

હાઈબ્રિડ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ડીઝલ હાઈબ્રિડમાં 55% અને હાઈબ્રિડ EVમાં 36% નો વધારો થયો છે. જોકે, તેમની કુલ સંખ્યા હજુ મર્યાદિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EV અપનાવવામાં આવતા પડકારો વચ્ચે હાઈબ્રિડ વાહનો એક મધ્યમ માર્ગ તરીકે સ્વીકૃતિ મેળવી રહ્યા છે, જોકે ઊંચી કિંમત અને મર્યાદિત મોડેલો હજુ પણ તેના વ્યાપક ઉપયોગને મર્યાદિત કરે છે.

માત્ર પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ડેટા મુજબ ગ્રાહકો ઈલેક્ટ્રિફિકેશન તરફ એકધારો ફેરફાર કરવાને બદલે ખર્ચ અને જરૂરિયાત મુજબ ઈંધણની પસંદગી કરી રહ્યા છે.

March 30, 2026
કેમિકલ-એક્ષ્પો-1280x853.jpg
1min52

કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તા. ૧પથી ૧૭ મે ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બેઝીક કેમિકલ્સ, કોસ્મેટિકસ એન્ડ ડાઇઝ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CHEMEXCIL) દ્વારા સંયુક્તપણે ગુરૂવાર, તા. ર૬ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે અમોરે, ડુમસ રોડ, સુરત ખાતે ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ માટે કર્ટન રેઇઝર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર હંમેશા ઉદ્યોગ અને વેપારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને વિવિધ એકિઝબિશન્સ, સેમિનાર તથા નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગકારોને નવી તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તથા વેલ્થ એક્ષ્પો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, રોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ દ્વારા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાહસિકોને ડાયનેમિક બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ એક્ષ્પો ખાસ કરીને મેન્યુફેકચરર્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, રિસર્ચર્સ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવશે. જેથી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવી તકો સર્જાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બંને એક્ષ્પો દ્વારા સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગકારોને જોડાવાનો અને વ્યવસાયને વિસ્તૃત કરવાની ઉત્તમ તક મળી રહેશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સસ્ટેનેબિલિટી, પ્રીસિઝન મેન્યુફેકચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ એક્ષ્પો વ્યવસાયિકોને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા, વ્યાપારિક નેટવર્ક વધારવા અને નવા બજાર શોધવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી રાકેશ જૈને ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક્ષ્પો તા. ૧પ, ૧૬ અને ૧૭ મે, ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ એક્ષ્પો કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે તેમજ ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડશે.

આ પ્રસંગે ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને CHEMEXCILના હોદ્દેદારો તથા કમિટી સભ્યોના શુભહસ્તે કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ના કર્ટન રેઇઝરને વિધિવત લોન્ચ કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમ્યાન ઓપન ફોરમમાં ઉપસ્થિત ચેમ્બરના સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

March 21, 2026
image-9.png
1min46

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.