CIA ALERT

Alert Archives - Page 474 of 512 - CIA Live

September 3, 2018
badrinarayan.jpg
1min15610

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 સપ્ટેમ્બર 2018ને ગુજરાતી માસ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને સપ્ટેમ્બરમાં જન્માષ્ટમીનો સંયોગ ૨૭ વર્ષે થઈ રહ્યો છે. આજે તા.૩ સપ્ટેમ્બર 2018, વિક્રમ સંવત-૨૦૭૪ની જન્માષ્ટમી ‘રાજયોગ’યુક્ત બની રહી છે ત્યારે દેવાધિદેવ મહાદેવજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વિશિષ્ટ ઉપાસનાનો વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. આજે સવારથી જ શહેરના શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’ અને રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’નો જયઘોષ ગાજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને ગોકુળ અષ્ઠમીનો તહેવાર એક સાથે હોઇ આજે વહેલી પરોઢ એટલે કે રાત્રે 3 વાગ્યાથી જ ભાવિકો ભગવાનમય બની ગયા હતા. આજે સવારનો સમય શિવાલયોમાં હકડેઠઠ માનવ મેદની ઉટી પડી હતી અને સાંજ પછી મધરાત સુધી ક્રૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળશે.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં શિવજીની આરાધના માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા થતી હતી એ મંદિરોમાં આજે છેલ્લા સોમવારે ભગવાન શિવ અને પરિવારને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

બદરીનારાયણ મંદિરમાં સાઇ કોર્પોરેશનના સભ્યોની નિત્ય શિવપૂજા

શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિરમાં દૈનિક પૂજા કરતા નાનપુરા, સાઇ કોર્પોરેશન ગ્રુપના સભ્યોએ આજે શિવજીની શોડષોપચાર પૂજા ઉપરાંત શિવલિંગનો ફુલોનો અનોખો શણગાર કર્યો હતો. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી બદરીનારાયણ મંદિરમાં શ્રી સાઇ કોર્પોરેશનના સભ્યો શ્રી અશોકભાઇ રાંદેરીયાના વડપણ હેઠળ શ્રી બિરજુ મહારાજના સાનિધ્યમાં શિવ પૂજન કરી રહ્યા છે. શ્રાવણ માસમાં નિત્યક્રમ અનુસાર સવારે 4.30 કલાકથી અહીં શિવપૂજા શરૂ કરી દેવામાં આવે છે.

(અડાજણના બદ્રીનારાયણ મંદિરમાં રોજેરોજ પૂજા કરતા સાઇકોર્પોરેશન ગ્રુપના સભ્યોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને મનોરમ્ય શણગાર કર્યો હતો એ વેળાની તસ્વીર)

પાલના એકલિંગી મહાદેવ મંદિરમાં સવાલાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજા

શહેરના પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં આવેલા શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિર
સૂર્ય દેવ સ્વરૂપે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ 4500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સુધીમાં સવા લાખ શિવલિંગનું  નિર્માણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તા.2 સપ્ટેમ્બરના રોજ નિર્માણ કરાયેલા પાર્થેશ્વર શિવલિંગની પૂજા દ્રશ્યમાન છે. અહીં ભાવિકો દરરોજ સવારે 9થી રાત્રે 6 સુધી દર્શન કરી શકે છે.

મંદિર પરિસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પુનિત પર્વે સવા લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આ પૂજાનો ખૂબ મહિમા લખાયો છે અને આ એક કપરું ધાર્મિક કાર્ય છે. મંદિર પરિસરમાં સફળતાપૂર્વક પૂજા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થે આવી રહ્યા છે.

આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ તા.9મી સપ્ટેમ્બર 2018ના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

 

અડાજણ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૈનિક શિવપૂજા

એવી જ રીતે અડાજણ રામજી ઓવારા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ દૈનિક શિવપૂજા થાય છે. શનિવારે પંચ વક્ત્ર પૂજા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂજા રાત્રે આઠ વાગ્યે અને એ પછી રાત્રે 10.30 કલાકથી જન્માષ્ટમની પૂજા અને ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(અડાજણના રામજી ઓવારે આવેલા રામેશ્વર મંદિરમાં રોજેરોજ શિવપૂજા થાય છે રવિવાર તા.2 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ તસ્વીર)

સવારથી જ મટકીફોડ કાર્યક્રમો પણ શરૂ

બીજી તરફ સવારે 10 વાગ્યાથી જ શહેરના ગોવિંદા મંડળીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં દર વર્ષો વધુને વધુ લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મટકીઓ બંધાવીને ગોવિંદા કાર્યકરો પાસે તેને ફોડાવે છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં મટકીઓ બંધાવડાવવામાં આવી હોવાની માહિતી મળી છે.

 

September 1, 2018
bc2.jpg
1min9760

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

 

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-

September 1, 2018
womenhockey.jpg
1min5340

જાપાન સામે ૧-૨થી પરાજય : ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ મેળવી ન શકી : ૬૫ મેડલ સાથે આઠમા ક્રમાંકે

જેમાં ગોલ્ડ મેડલ મળે એવી આશા હતી એવી મહિલા હૉકી-ટીમનો ફાઇનલમાં જપાન સામે ૧-૨થી પરાજય થતાં ૨૦ વર્ષ ૧૯૯૮ બાદ સિલ્વર મેડલ મેળવ્યો હતો, પણ ગોલ્ડ મેડલ મેળવવાનું અને ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં સીધો પ્રવેશ મેળવવાનું સપનું અધૂરું રહ્યું હતું. ભારત તરફથી ફક્ત એક ગોલ પચીસમી મિનિટે નેહા ગોયલે કર્યો હતો. મૅચમાં કુલ ત્રણ પેનલ્ટી કૉર્નર મળ્યા હતા જેમાં જપાનની ટીમે બન્ને ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યા, જ્યારે ભારતની ટીમને એક પેનલ્ટી કૉર્નર મળ્યો જેમાં ટીમ ગોલ કરી ન શકી. આ સાથે ભારતની ટીમ ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધી ક્વૉલિફાય થઈ શકી નથી.

hockey

જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સના ૧૩મા દિવસે ભારતે તા.30મી ઓગસ્ટ 2018ના રોજ બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતને મહિલા હૉકી અને નૌકાયનમાં સિલ્વર મેડલ અને નોકાયન તથા બૉક્સિંગમાં બ્રૉન્ઝ મેડલ મળ્યા હતા. ભારતને ૨૦૧૦ની એશિયાડ ગેમ્સમાં ૬૫ મેડલ મળ્યા હતા અને ગઈ કાલે ૧૩ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૨૯ બ્રૉન્ઝ મેડલ સાથે ભારતના હવે ૬૫ મેડલ થયા છે અને હજી ભારતને બૉક્સિંગ, પુરુષોની હૉકી, સ્ક્વૉશ સહિત બીજી રમતોમાં મેડલની આશા છે. આમ ૨૦૧૦ કરતાં ભારતને વધારે મેડલ મળશે એ નક્કી છે.

September 1, 2018
maharaj.jpg
1min5930

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર કર્યાના બે વર્ષ બાદ મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટને છત્રપતિ શિવાજી નામ સાથે ‘મહારાજ’ જોડાયેલું નામ મળ્યું છે. છત્રપતિ શિવાજી ઍરપોર્ટ હવે છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટ બની ગયું છે તેવી જાણ ખુદ એવિયેશન મિનિસ્ટર સુરેશ પ્રભુએ કરી હતી.

ડિસેમ્બર, 2016માં રાજ્ય સરકારે આ નામમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરવાની વિનંતી કરતો કેન્દ્રને આ મામલે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવ ભાજપના સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મૂક્યો હતો, જે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. મુંબઈનો ઍરપોર્ટ પહેલા સહાર ઈન્ટરનેશનલ ઍરપોર્ટના નામે ઓળખાતો હતો. 1999માં તેનું નામ બદલી છત્રપતિ શિવાજી ઍરપોર્ટ રાખવામાં આવ્યું હતું.

 

September 1, 2018
indiahocky-1280x720.jpg
1min5280

ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં અસફળ રહી અને હવે આજે બ્રૉન્ઝ માટે પાકિસ્તાન સાથે ટક્કર ઝીલવાનો વખત આવી પડ્યો એવી ભારતીય ટીમની અણધારી હાલતથી ક્રોધિત હૉકી ઇન્ડિયાના મોવડીઓએ કહ્યું છે કે ચીફ કોચ હરેન્દ્ર સિંહ અને તેમના સપોર્ટ સ્ટાફે પોતાની નોકરી ટકાવવી હોય તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ તેમના માટે છેલ્લો મોકો છે.

વિશ્ર્વમાં પાંચમી રૅન્ક ધરાવતું ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું, પરંતુ આ વખતે ટાઇટલ જાળવી રાખવા ફેવરિટ હોવા છતાં સિલ્વર મેડલથી પણ વંચિત રહી ગયું છે. સેમી ફાઇનલ પહેલાં ભારતીય ટીમે કુલ ૭૬ ગોલ કર્યા હતા છતાં સેમી ફાઇનલમાં ૧૨મા નંબરના મલયેશિયા સામે છેલ્લી ઘડીએ એક ગોલ આપી દેતાં મૅચ ૨-૨ની બરાબરી બાદ સડન-ડેથમાં ગઈ હતી જેમાં ભારત ૬-૭થી હારી ગયું હતું.

ભારતમાં હૉકીની રમતનું સંચાલન કરતા હૉકી ઇન્ડિયાના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘આપણા પુરુષ હૉકી ખેલાડીઓ બગડી ગયા છે. તેઓ જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા પર જ હોય છે. શિસ્ત જાળવવા બાબતમાં તેમને કોઈ પરવા જ નથી હોતી. તેમણે ઍથ્લેટો, શૂટરો અને બૅડ્મિન્ટન ખેલાડીઓ પાસેથી શીખવું જોઈએ.’ મલયેશિયા સામેની સેમી ફાઇનલ હારને લીધે ભારત ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ કરવાથી પણ વંચિત રહી ગયું છે. અધિકારીએ પીટીઆઇને વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમનો આ પર્ફોર્મન્સ બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે બે વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. નબળી ટીમો સામે કુલ ૭૬ ગોલ કરીને તેઓ વધુપડતા આત્મવિશ્ર્વાસથી ફુલી ગયા હતા. ઉપરથી નીચે સુધીનું આખું ટીમ-મૅનેજમેન્ટ આ નિષ્ફળતા માટે દોષી કહેવાય. તેઓ માત્ર બેઠાં રહીને પગાર નહીં ખાઈ શકે.’

September 1, 2018
ssc.jpg
1min8950

વર્ષ ૨૦૧૭ની સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની સહિયારી સ્નાતક સ્તરની પરીક્ષાના પરિણામોની ઘોષણા કરવા પર તેમ જ ૨૦૧૭ની સહિયારી સિનિયર સેક્ધડરી સ્તરની પરીક્ષા આડે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્ટે આપતાં કહ્યું હતું કે પરીક્ષા અને આખેઆખી સિસ્ટમ કલંકિત છે.

૩૧મી ઑગસ્ટે ચુકાદો દેતાં અદાલતે કહ્યું હતું કે અમે લોકોને એસએસસી પરીક્ષાના કૌભાંડમાંથી લાભ લઈને નોકરી મેળવવાની મંજૂરી આપી શકીએ એમ નથી, એમ અદાલતે ઉમેર્યું હતું.

ફેબ્રુઆરીમાં યોજાયેલી એસએસસીની પરીક્ષામાં કંઈ કેટલીય ગેરરીતીઓ આચરવામાં આવી હતી. પ્રશ્ર્નપત્રો લીક થઈ ગયા હતા એવા આક્ષેપો પણ થયા હતા. મોટે પાયે ચીટીંગ કરાયું હોવાના આક્ષેપો પણ થયા હતા. આથી મોટે પાયે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં આ મામલે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)ની તપાસનો આદેશ આપ્યો હતો. પેપર ફૂટી ગયા સંદર્ભે મેમાં ૧૭ વ્યક્તિની વિરુદ્ધ એફઆઈઆર પણ કરાઈ હતી.

September 1, 2018
shiva.jpg
1min5840

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 31, 2018
tarun.jpg
1min9210

Date 01 September 2018

51 વર્ષીય ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગરજીએ તા.1 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હી ચાતુર્માસ અંતર્ગત સવારે 3.11 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓનાં દેવલોકગમનનાં સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં રહેલાં તેઓનાં ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો દિલ્હી પણ પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તેઓએ વર્ષ 2003 અને 2012માં ચાતુર્માસ કર્યા હતા.

તરુણ સાગર મહારાજના દેવલોકગમન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. આજે સવારે દિગમ્બર જૈન મુનિઓની ઉપસ્થિતિમાં તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

 

News Published on 31 August 2018
તીખા પ્રવચન અને કડવી વાતો કહેવા માટે જાણીતા જૈન મુનિ પૂ.શ્રી તરુણ સાગર મહારાજની તબિયત વધુ ખરાબ થતાં જૈન સંપ્રદાયોમાં નિરાશાની લાગણી પ્રવર્તી ઉઠી છે. તેઓ કમળાની બિમારી અંગે તબીબી સારવાર લેવાની વાત ઠુકરાવી ચૂક્યા છે.
જૈન મુનિ તરુણ સાગર મહારાજની તબિયત લથડી , ખોરાકમાં કર્યો ઘટાડો
જાણીતા જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક થઇ છે. દિલ્હીની મૈક્સ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. ડોક્ટર્સે જણાવ્યું કે 20 દિવસ પહેલા કમળાની અસર દેખાતા તરુણ સાગર મહારાજને મૈક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
29મી ઓગસ્ટ 2018ના રોજ તેમણે વધુ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી અને તેઓ પોતાના અનુયાયીઓ સાથે તા.30મીને ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી પહોંચ્યા હતા. આચાર્ય ડૉ.લોકેશ મુનિએ તરૂણ સાગર મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મળેલી માહિતી મુજબ તરૂણ સાગરજીએ આજે આહાર-પાણી પણ લીધા છે.
તરુણ સાગર મહારાજ તીખા પ્રવચન અને કડવી વાતો કરવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવતા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ નીતિ તમામ જાતિ અને ધર્મના લોકો પર લાગુ થવી જોઈએ.
તરૂણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર-સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
https://youtu.be/39upQQT0PNA
August 31, 2018
schoo-1280x720.jpg
1min12360
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વર્ગ બઢતી અંગેના નિયમો જાહેર કર્યા છે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ટકાનો નિયમ રાખવામાં આવ્યો છે. જોકે, એક નિયમ તરીકે વિદ્યાર્થીને પાસ થવા માટે સિધ્ધી ગુણ અને કૃપા ગુણ ફરજિયાત આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ધોરણ-૧૧ સાયન્સ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ પરીક્ષા માટે ૫૦ ગુણના પેપરમાંથી પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછવાના રહેશે
* બીજી પરીક્ષા માટે ૫૦ ગુણના પ્રશ્નપત્રમાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૧૫ ગુણ અને પ્રથમ પરીક્ષાથી બીજી પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૩૫ ગુણના પ્રશ્નો પુછવાના રહેશે
* વાર્ષિક પરીક્ષા માટે ૮૦ ગુણના પેપરમાં સમગ્ર અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે, જ્યારે ૨૦ ગુણ આંતરીક મુલ્યાંકનના રહેશે
* વાર્ષિક પ્રાયોગીક પરીક્ષા ૫૦ ગુણની લેવાની રહેશે.
* વાર્ષિક પરીક્ષા સહિત વર્ષ દરમિયાન ૩ પરીક્ષા લેવાશે, આ ત્રણ પૈકી વર્ગ બઢતી માટે બે પરીક્ષા આપવી ફરજિયાત છે.
* પાસ થવા માટે વિદ્યાર્થીએ જે તે વિષયમાં ૩૩ ગુણ મેળવવાના રહેશે
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્કૂલો વર્ગ બઢતીના નિયમો ઉંચી કક્ષાના રાખવા ઈચ્છતી હોય તો રાખી શકશે પરંતુ તે પહેલા બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે.
* અકસ્માત થયો હોય ત્યારે એક પરીક્ષા ન આપનાર વિદ્યાર્થી માટે અન્ય પરીક્ષાના ગુણને ટકામાં રૂપાંતર કરી ગેરહાજર રહેલા પરીક્ષાના ગુણ ગણી નિયમ પ્રમાણે વર્ગ બઢતી લાયક ગણવાનો રહેશે.
* વિદ્યાર્થીની શાળામાં હાજરી ૧૦૦ ટકા ફરજિયાત છે, પરંતુ વિદ્યાર્થીની માંદગી, કુટુંબમાં શોક, રહેઠાણ ફેરફાર જેવા કિસ્સામાં તુટ મંજુર કરી શકાશે. જેમાં ૧૫ ટકા સુધીની છુટ આચાર્ય આપી શકશે. ૧૬થી ૨૫ ટકા સુધીની છુટ ડીઈઓ આપી શકશે અને ૨૬ ટકા કરતા વધુ છુટ બોર્ડના સચિવની પુર્વ પરવાનગીથી આપી શકાશે.
* બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ બાળકોને જે છુટછાટ મળે છે તે ધોરણ-૧૧ની શાળાકીય પરીક્ષામાં પણ આપવાની રહેશે.
ધોરણ-૯ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ કસોટી ૫૦ ગુણ, બીજી કસોટી ૫૦ ગુણ, વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણ અને આંતરીક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે.
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ, ચિત્રકામ, સંગીત, સીવણ અને ભરત, કમ્પ્યુટર અધ્યયન જેવા વિષયોની વર્ષ દરમિયાન એક જ વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે.
* દરેક વિષયમાં પાસ થવા માટે ૩૩ ગુણ મેળવવાના રહેશે
આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
August 31, 2018
TC.jpg
1min14260

ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

TC

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.

પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’

આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’