CIA ALERT

Alert Archives - Page 446 of 512 - CIA Live

November 2, 2018
madhavpura_bank.jpg
1min27660
  • માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
  • 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
  • બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
  • 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
  • વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
  • શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે

પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.

માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.

બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

November 2, 2018
rahul1.jpg
1min6420

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન

BJPને હરાવવા માટે વિપક્ષી એકતા સાધવાનો સંકલ્પ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથેની ગઈ કાલની મુલાકાત વખતે જાહેર કર્યો હતો. ચંદ્રબાબુ સાથે વિપક્ષી એકતા વિશે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો લોકતાંત્રિક બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે કાર્ય કરશે. વિરોધ પક્ષો બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ નાબૂદ કરવા અને રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચાર સહિતના મહત્વના મુદ્દા પર સાથે મળીને કામ કરશે.’

લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ છે. એ ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ખરેખર શું બન્યું? એ બધા પૈસા ક્યાં ગયા અને ભ્રષ્ટાચાર કોણે કર્યો એ મુદ્દા પર હું ભાર મૂÊકું છું. રાષ્ટ્ર એ બધું જાણવા માગે છે.’

વિપક્ષી એકતાની ઉત્સુકતા દર્શાવતાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અમે એક મંચ પર આવીને ભાવિ વ્યૂહ ઘડીશું. તમને ઉમેદવારો વિશે જાણવાની ઉત્સુકતા છે અને અમને રાષ્ટ્રનું હિત જાળવવામાં રુચિ છે.’

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીને મળતાં પહેલાં નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુક અબદુલ્લા તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ ત્રણ નેતાઓએ BJP સામે લડવા અને રાષ્ટ્રના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન રચવાની તૈયારીરૂપે ચર્ચા કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘રોજબરોજ દેશની પરિસ્થિતિ વણસતી જાય છે. આ મહાન રાષ્ટ્રે આપણને ઓળખ આપી છે. એથી આપણે એના ભાવિનું રક્ષણ કરવું અનિવાર્ય છે. અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી. અમે અહીં ખુરસીઓ કે સત્તા માટે ભેગા નથી થયા. અમારી રુચિ ફક્ત રાષ્ટ્રના હિતમાં છે. અમારો પ્રયાસ તમામ BJPવિરોધી પક્ષોને એક મંચ પર લાવીને ભવિષ્યનો વ્યૂહ ઘડવાનો છે. આજે CBI અને RBI ઉપરાંત ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દબાણ હેઠળ છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યોના ગવર્નર્સ પણ છૂટથી કામ નથી કરી શકતા.’

કેટલાક મહિના પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાન્યસથી છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ પવાર અને અબદુલ્લા સાથેની મુલાકાત પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને BJPના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાને મળ્યા હતા.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા BJPનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. કોલસાકૌભાંડ સહિત ચાર હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડોમાં વિવાદિત મધુ કોડા ગઈ કાલે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના કૉન્ગ્રેસના મુખ્યાલયમાં પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ડૉ. અજય કુમારની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયા હતા. મધુ કોડાનાં પત્ની અને રાજ્યના જગન્નાથપુરનાં વિધાનસભ્ય ગીતા કોડા ૧૧ ઑક્ટોબરે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં.

November 2, 2018
BHURI.jpg
1min11700

સુરત પોલીસે વરાછા રોડ પર શસ્ત્રો સાથે ધસી જઇને બબાલો કરતી યુવતિ નામે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવી

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનારી માથાભારે લેડી ડૉન ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. પોલીસે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં જાહેરમાં તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ડરનો માહોલ પેદા કરનારી ભૂરીએ ઘણી વખત મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ભૂરીના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખૂબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધી હતી.

પોલીસે ભૂરીની ધરપકડ કરીને ત્રણ ગુનાઓ નોંધ્યાં હતાં.

 

November 2, 2018
iitmadra.jpg
1min14480

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
gst.jpg
1min4790

ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મે માં જીએસટી સંગ્રહ 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઇમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા અને 94,442 કરોડ રૂપિયા સપ્ટેમ્બર રહ્યું હતું.

November 1, 2018
statue_of_unity.jpg
1min5410
પહેલા જ દિવસે મફતીયાઓનો ત્રાસ, સામાન્ય મુલાકાતીઓ પાસે રૂ.350 લેવાયા, જ્યારે અપનાદળના 1500 કાર્યકર્તાઓને મફતમાં પ્રવેશ અપાયો

જો કે સૌથી મોટો હોબાળો ત્યારે થયો જ્યારે ભાજપના સાથી પક્ષના અપનાદળના 1500 જેટલા કાર્યકર્તાઓને સ્ટેચ્યુ જોવા માટે મફતમાં પ્રવેશ અપાયો. એનડીએના સાથીપક્ષ અપના દળના 1500 કાર્યકર્તાઓને સ્ટેચ્યુની મુલાકાત માટે આવ્યા હતા. અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલની દરમિયાનગિરી બાદ કાર્યકરોને મફત પ્રવેશ અપાયો હતો. જ્યારે અન્ય મુલાકાતીઓ પાસેથી ટિકિટના 350 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેને પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

November 1, 2018
No_smoking-1280x1280.png
1min14680
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

November 1, 2018
gold_mannn.jpg
1min11600

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

November 1, 2018
epharmacy.jpg
1min13850

મદ્રાસ હાઈ કોર્ટે તા.31મી ઓક્ટોબર 2018ના રોજ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનની અરજીની સુનાવણી દરમ્યાન ૯ નવેમ્બર 2018 સુધી દવાઓનું ઑનલાઇન વેચાણ રોકવાના વચગાળાના આદેશને મંજૂરી આપી હતી.

અરજીમાં દવાઓના ઑનલાઇન વેચાણ માટેની લિન્ક્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપવાની માગણી કરવામાં આવી હતી. અદાલતે એ બાબતમાં કેન્દ્ર સરકારને જવાબ ફાઇલ કરવાનો આદેશ આપતાં અરજીની સુનાવણી ૯ નવેમ્બર પર મોકૂફ રાખી હતી.

કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે ‘દવાઓનું ઑનલાઇન વેચાણ ગ્રાહકો માટે સગવડભર્યું હોઈ શકે છે, પરંતુ લાઇસન્સ વગર દવાઓની ઑનલાઇન ખરીદી જોખમી બની શકે છે; કારણ કે એ માધ્યમથી બનાવટી, એક્સપાયરી-ડેટ પસાર થઈ ગઈ હોય એવી, દૂષિત અને અસ્વીકૃત દવાઓ વેચાઈ શકે છે.’

November 1, 2018
swiggy.png
1min7990

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.