CIA ALERT

Alert Archives - Page 409 of 512 - CIA Live

February 3, 2019
yogi-helicopter.jpg
1min5790

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.

February 3, 2019
ahmedabad_airport-1280x720.jpg
1min5870

દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને બોંબ તા.2જી ફેબ્રુઆરી 2019ની રાત્રે દોઢ વાગ્યે ફુટશે એવી માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ એલર્ટ કરી દેવાયો હતો, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ એરપોર્ટ પર ધસી ગયા હતા. કહેવાતા બોંબને શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણો ખૂણો ખૂંદી કાઢ્યો.

(અમદાવાદ એરપોર્ટ File Photo)

અમદાવાદના ઈન્ટરનેશલ એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળતા ગઇ મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને આ માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતને એલર્ટ કરી દેવાયો હતો.

બોંબ મૂકાયાના મેસેજ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું.

સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, બોંબ શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણેખૂણો ખૂંદી કાઢ્યો હતો.

અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પહોંચીને તપાસ પર નજર રાખી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ મહેતાના નામના કોઈ શખ્સે ફોન કરીને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ આપ્યો હતો. મેસેજ પ્રમાણે 1.30 વાગે બોમ્બ ફૂટવાની ચેતવણી અપાઈ હતી.

આ મેસેજને કારણે એરપોર્ટની સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ હતી. દોડધામને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

February 3, 2019
bihar1.jpg
1min9380
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત
બિહારના વૈશાલીમાં મોટી રેલ દુર્ઘટના

બિહારના વૈશાલીમાં આજરોજ તા.3 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં રવિવારની સવારે આ અકસ્માત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોગબનીથી દિલ્હી આનંદ વિહાર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. ઘટના બની ત્યારે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો નિંદ્રાધીન હતા. ડબ્બાઓ ઉથલી પડવાથી સર્જાયેલા ગગનભેદી અવાજને કારણે આસપાસના લોકો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડબ્બાઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું ત્તંત્રવાહકો જણાવી રહ્યા છે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે જેને આસપાસની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન અપ અથવા ડાઉન લાઈન સ્થગિત કરવામાં આવી છે.

રેલવે પ્રધાન રેલ્વે બોર્ડ સાથે અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી અંગે સતત સંપર્કમાં છે. તેમણે રેલવે મુસાફરોની મૃત્યુ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ લોકોને સ્વસ્થ રહેવાની કામના કરી છે.

ટ્રેનના નવ ડબ્બા પટરી પરથી ઉતરવાના સમાચાર આવ્યા છે. એમાંથી ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10)છે. એક જનરલ કોચ અને એક AC કોચ(બી-3)ના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. દુર્ઘટનામાં એક ડબ્બો પૂરો ખરાબ રીતે પલટી ખાતા આ ડબ્બામાં મુસાફરી કરી રહેલા લોકોના જાનમાલને સૌથી વ્યાપક નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સદહેઈ બુઝુર્ગ સ્ટેશન પર NDRFની ટીમ પહોંચી ગઈ છે. ક્રેનના મદદથી ટ્રેનના ડબ્બાઓને કાપીને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સૂચના અનુસાર વૈશાલી ડીએસ રાજીવ રોશન અને એસપી માનવજીત સિંહ ઢિલ્લોન પણ પહોંચી ગયા છે.

February 3, 2019
snow_us.jpg
1min10220

અમેરિકાના અમુક ભાગમાં હિમપ્રકોપના કારણે નદીઓ, તળાવ તમામ જળાશયો થીજી ગયાં છે અને તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હિમવર્ષા અને બર્ફિલા પવનનાં કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો રોજિંદા કામ પણ કરી શકતા નથી. ઉત્તર ધ્રુવ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા ચક્રવાતના કારણે અમેરિકાનો એક મોટો હિસ્સો બરફની ચાદરમાં લપેટાઈ ગયો છે.

‘દેશના મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે અને એવું અનુમાન છે કે પોલર વોર્ટેક્સની અસર ધરાવતા અમેરિકાના વિસ્તારો અત્યારે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશમાંથી એક બન્યા છે. શૂન્યથી 40 ડિગ્રી નીચે તાપમાન જતાં ઘરોની પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે અને વોશરૂમમાં પણ બરફનાં પડ બની ગયાં છે. આટલું જ નહીં ચૂલા ઉપરથી ગરમ પાણી ઉતારતાના ગણતરીના સમયમાં બરફમાં તબદીલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ હિમપ્રકોપની ઘટનાઓ વાયરલ થઈ રહી છે. ઘણાં સ્થળોએ રેલવે ટ્રેક ઉપર બરફ જામી જતા ટ્રેક ઉપર સતત આગ લગાડવામાં આવી રહી છે અને બરફ ઓગાળવામાં આવી રહ્યો છે.

February 3, 2019
rajniti.jpg
1min12290

મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠકો પર લોકસભાની ચૂંટણીમાં ભાજપાને નુકસાનની ભીંતિ હતી પણ ચૂંટણી પહેલા જ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસ છોડી દેતા ભાજપાને સીધો ફાયદો દેખાય રહ્યો છે

2014માં કેન્દ્રમાં સરકાર રચ્યા પછી ભાજપાની રાજનીતિમાં એક મહત્વનો ટર્ન જોવા મળ્યો. ભાજપાએ ખાસ કરીને ગુજરાતમાં એવી રાજનીતિ રમી કે જેનાથી રાજ્યમાં જ્યાં જ્યાં ભાજપાની પકડ ઢીલી હતી, એવા વિસ્તારો કે જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી લઇને એમ.પી. સુધીની બેઠકો પર ભાજપાનો પરાજય થઇ શકે એવા વિસ્તારોમાં મજબૂત કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસને જ રામ રામ કરી દીધા છે. એક સમયે ભાજપાને ભાંડવામાં કશું બાકી નહીં રાખનાર એક સમયના મહેસાણાના કોંગ્રેસી સાંસદ જીવાભાઇ પટેલ, રાજકોટના કુંવરજી બાવડીયા હોય કે પછી ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર હોય અને છેલ્લે સાબરકાંઠાના ડો. આશાબેન પટેલ હોય, આ તમામ કોંગ્રેસ પાર્ટીને એક સમયના સ્ટ્રોંગ ગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ખાસ કરીને ભાજપાએ મિશન નોર્થ ગુજરાત અભિયાન ચલાવ્યે રાખ્યું, પડદા પાછળ રહીને ભાજપાની રાષ્ટ્રીય નેતાગીરીએ એવો ખેલ પાડ્યો કે નોર્થ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો કે જ્યાં ભાજપાને 2019માં મોટી હારનો સામનો કરવો પડે તેમ હતો, એ નુકસાન ખાળવા માટેના ભાજપે કરેલા પ્રયાસો ફળદાયી નિવડ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.

  • એક સમયના પાક્કા કોંગ્રેસીઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે
  • મહેસાણાના પૂર્વ એમ.પી. જીવાભાઇ પટેલ
  • રાજકોટના કુંવરજી બાવડીયા
  • ધારાસભ્ય ડો.આશાબેન પટેલ

ગુજરાત વિધાન-સભાની ગત ચૂંટણીમાં ભાજપને ખાસ કરીને ઉતર ગુજરાતની મોટાભાગની બેઠકો પર પાટીદાર નેતાઓ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની કારણે નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ લોકસભા 2019ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર આવા નુકસાન ખાળવા માટે મિશન નોર્થ ગુજરાત શરૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની પૂર્વ સાસંદ જીવાભાઇ પટેલથી શરૂ કરીને વાયા ડૉ. આશાબેન પટેલ થઇને આ મિશનમાં પાંચેય બેઠક સર કરવા માટે ઠાકોર નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ

દરમિયાન મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા જીવા પટેલ પણ હાલ ભાજપમાં જોડાયા છે. તેઓ ગત ચૂંટણીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. દરમિયાન એક તરફ જ્યાં કૉંગ્રેસ ગુજરાતમાં સબ સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો ભાજપ તરફ ઢળી રહ્યા હોવાનું કહેવાય છે.

ઉત્તર ગુજરાતમાં પાંચ લોકસભા બેઠકો આવે છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. દરમિયાન ઊંઝા મતવિસ્તાર મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે, જેમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દરમિયાન આ સાત બેઠકોમાંથી કડી, મહેસાણા, વિસનગર અને વિજાપુર ભાજપ પાસે છે જ્યારે ત્રણ બેઠકો-ઊંઝા, માણસા અને બેચરાજી કૉંગ્રેસ પાસે છે. દરમિયાન હવે ઊંઝાનાં કૉંગ્રેસનાં ધારસભ્ય ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે તેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર કૉંગ્રેસ જીત્યું છે અને 15 બેઠકો પર ભાજપ જીત્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આ પરિબળો મિશન 26 જાળવવામાં ગાબડું પાડી શકે છે.

ભાજપાની રાજનીતિ સામે કોંગ્રેસ વિવશ

ડૉ. આશાબેન પટેલ પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી, પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી, પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે એવું જણાવીને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે. તા.1લી ફેબ્રુઆરી 2019ના રોજ શુકવારે કૉંગ્રેસ પ્રદેશ સમિતિની ઑફિસમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોની યોજાયેલી બેઠકમાં આશાબેન પટેલ પણ હાજર હતા. તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી, પરંતુ તેમની વાત કે રજૂઆત પરથી ક્યાંય કોઇ નારાજગી સામે આવી નહોતી. રાતો રાત શું રંધાયું તેની જાણ નથી. તે આવનારો સમય જ બતાવશે. તેમણે કહ્યું કે, પક્ષે તેમની પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી. પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. જોકે, તેમણે આ નિર્ણય લેતાં પહેલાં ત્યાંની પ્રજા કે પક્ષ સાથે કોઇ વાતચીત કરી નહોતી. કદાચ તેમણે વ્યક્તિગત હિતો માટે આ નિર્ણય લીધો હશે. આશાબેનના આંતરિક વિખવાદ અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામેના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં તમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. તેમના સ્થાનિક પ્રશ્ર્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત છે તો તેમનું નેતૃત્વ મજબૂત અને સર્વસ્વિકૃત છે. વ્યક્તિગત લાભ માટે નિર્ણય લઇ રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરવો યોગ્ય નથી.

February 3, 2019
journalist.jpg
1min7760

રાજ્ય સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિને રૂ. 8,000થી 10,000ની રકમ જાહેર થવાની શક્યતા છે. આ સ્કીમ અંતર્ગત પત્રકાર, ફોટોગ્રાફર, એડિટર અને ફ્રી લાન્સર પત્રકારોને ફાયદો મળશે. આ પત્રકારો પાસે ઓછામાં ઓછું દસ વર્ષ માટે અધિસ્વીકૃતિ પત્ર હોવું જોઈએ અને તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પત્રકારિતા હોવી જોઈએ. આ સાથે એવી શરત પણ રાખવામાં આવી છે કે અરજદાર કરવેરો ભરતો હોવો જોઈએ નહીં. એટલે કે તેની આવક કરવેરાની આવકમર્યાદા કરતા ઓછી હોવી જોઈએ. આ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અધિસ્વીકૃતિ પત્ર ન ધરાવતા પત્રકારોને પેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા લેવામાં આવશે. આ સાથે મહાત્મા જ્યોતિબાઈ ફૂલે આરોગ્ય યોજના અંતર્ગત પણ પત્રકારોને સમાવવાનો નિર્ણય સરકારે લીધો હતો.

ગુજરાતમાં પત્રકારો માટેની સ્કીમોથી પત્રકારો જ અજાણ

ગુજરાતમાં પણ પત્રકારો માટે અનેક કલ્યાણકારી સ્કીમ્સ રાજ્ય સરકારે વખતો વખત અમલમાં મૂકી હોવાનું જાણવા મળે છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે આ કલ્યાણકારી યોજનાઓ જેના માટે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી પત્રકારો જ અજાણ છે. પ્રેસ એક્રેડીટેશન કાર્ડની સ્કીમથી પત્રકારો વાકેફ છે પરંતુ, આ કાર્ડથી તેમને કઇ કઇ સુવિધાઓ મળે છે અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેનાથી પત્રકારોને અવગત કરવામાં આવતા નથી.

એસ.ટી.માં વિનામૂલ્યે મુસાફરી પણ કન્ડક્ટરો જ અજાણ

ગુજરાતમાં પ્રેસ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે પરંતુ, જ્યારે પત્રકારો બસમાં મુસાફરી કરવા બેસે છે ત્યારે જે તે બસ કન્ડક્ટરો આવી કોઇ યોજના ન હોવાનું જણાવીને જાહેરમાં અપમાનિત કરે છે, આમેય પત્રકારોની છાપ કેટલાક લોકોને કારણે ખરાબ થઇ હોય બસના અન્ય મુસાફરોમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કન્ડક્ટરનું વર્તન હોવાને કારણે પત્રકારો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.

February 2, 2019
pahechan_logo.jpg
2min6140
EPISODE .2
AMRUT presents PAHECHAAN Season.2
પિયુષ અને પૂજા વ્યાસના ટૉક શૉ પહેચાન સિઝન-2ના દ્વિતીય એપિસોડ પરથી રવિવાર, તા.3જી ફેબ્રુઆરી 2019ના રોજ પડદો ઉઠશે અને નિમ્નદર્શિત માધ્યમો પરથી દર્શકો નિહાળી શકશે શહેરના જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો.અતુલ અભ્યંકરની અતરંગ વાતો. ડો.અતુલ અભ્યંકર જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબ છે અને પિયુષ તથા પૂજા વ્યાસે તેમની સક્સેસ સ્ટોરી તેમના મોઢેથી જ જાણી હતી.
WATCH
Dr. Atul Abhyankar ‘s
Success Story.
#350 Intervention Surgeries & 2000 Angiography PER YEAR IN Oman.
#He himself is a University of Heart Surgery.
#Gold Medalist
DR. ATUL ABHYANKAR wanted to be a Chemical  Engineer but Accidently Became a Cardiologist.
He made Training Hub in GULF AREA.
Which Good Habits made him Successful & Expert ??
Watch Learn Like Comment & Share
Watch Full Episode on
9.30 AM Sunday
????VTV NEWS CHANNEL
2.00 PM Sunday
????DIVYANG NEWS CHANNEL :
2.00 PM Sunday
????POOJA & PIYUSH, PAHECHAAN FB PAGE :
11.00 AM MONDAY
????GLOBALCITY LIFESTYLE
????CITY TADKA
????JALSA KARO NE JENTILAL
????SURAT PRIDE
February 2, 2019
Narendra-Modi-budget.jpg
1min10980

ભારતીય સંસદમાં તા.1લી ફેબ્રુઆરી 2019ને શુક્રવારે હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અંગે સમગ્ર ભારતમાં ખુશાલીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો છે ત્યાં કેટલાક લોકોને આ વચગાળાનું બજેટ ગેરકાયદે પણ દેખાયું છે અને તેના ભાગૂરપે જ બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે.

મોદી સરકારના ઇન્ટ્રીમ બજેટ વિરુદ્ધ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નિર્દેશ કરાયો છે કે બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.

February 2, 2019
unnati.png
1min9400

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

February 2, 2019
nitin_pethani.jpg
1min5600

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17માં કુલપતિપદે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિન માધવજીભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે તેમની નિમણૂંક પણ કરાવી છે.

નીતિન માધવજીભાઈ પેથાણીનો જન્મ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે બિનવિવાદાસ્પદ છાપ ધરાવે છે. પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નીતિનભાઈ પેથાણી હાલ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે. નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. 2012થી 2015 દરમિયાન નીતિન પેથાણી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે  નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી અદા કરી ચૂક્યા છે.